Book Title: Agam Jyot 1980 Varsh 16
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 130
________________ ૨૨ આગમત અંકુરામાં અનાજ જેઈને કલ થાય તેમ, આ પારસના જન્મમાં જ પૂર્ણ પ્રભુતા જોઈને તેની જાણ દેને એ કલેલ થાય છે. ઘાસના અંકુરે કઈ વાડ કરતું નથી. અનાજના અંકુરે વાડ હોય છે. તેમ જન્મે છે, તે બધા, પણ આ પારસના જન્મ વખતે જ દેવતાઓને આ હર્ષાતિરેક અને અદ્દભુત અભિષેક વિગેરે હોય છે. એવા પ્રગટ પારસને આજ જન્મદિવસ છે. સાઠ વર્ષની ઉંમરે પુત્રજન્મ સાંભળે, ત્યાં કેવા આનંદ હેય છે? એમ આપણે તે આ મહાપુરુષને જન્મ અનંતકાળે સાંભળવા પામીએ છીએ, પછી કે આનંદ હોય? વર્ણવી ન શકાય તે? અનંતકાળ સુધી આત્મગુણ-પ્રાપ્તિરૂપ પુત્ર વિના રહેલું આપણું વાંઝીયાપણું દૂર થવાને સંજોગ આપણને આજે આ મહાપુરુષના પ્રતાપે મળે. આથી શાસ્ત્રકારે ત્રિલોકનાથના આ જન્મદિનને કાણુકતિથિ કહે છે - આપણી માતા-બહેન-છોકરી વિગેરે, જાતની તે બૈરી જ છે, છતાં માતાને બૈરી કહીએ ખરા? ત્યાં તે તુરત જ કહી દઈએ કે એમ ન જ કહેવાય, કેમ? માતા બૈરી નથી? છે જ, છતાં ત્યાં તે ચપ દઈને કહી દેવાય છે કે “બોલતાં નથી આવડતું” તેમજ ત્રિલોકના નાથની આવી મહત્તાને અંગે તેમના જન્મદિનને માટે વપરાતા “કલ્યાણક” શબ્દને સ્થાને રાગ-દ્વેષમાં રવડી રહેલાઓને માટે વપરાતે “જયંતિ” શબ્દ જોડી દેવાય છે. ત્યાં બોલતાં નથી આવડતું' એમ તુરતજ કેમ કહી દેવાતું નથી? આવા મહાપુરુષના કલ્યાણકના બહાને નુરીયા-જમાલીઆઓના પણ ધૂળ ગાવા કેમ મંડી પડાય છે? શું તેવાઓ આ ત્રિલેકના નાથ જેવા પારસ છે? ભવનિસ્તારક છે? પાંચ કલ્યાણકવાળા છે? એવું બોલનારાઓને હૈયામાં જૈનત્વ ભર્યું છે કે સરાસર અજૈનવ ભર્યું છે? એમ પૂછ કેમ નહિ?

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166