Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ત્રીજો વક્ષસ્કાર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચક્રવર્તી નવનિધિને વશવર્તી બનાવે છે, તેનું વર્ણન છે.
નવનિધિનું સ્થાન :– ગંગામુખ-ગંગાનદી પૂર્વદેશામાં જ્યાં સમુદ્રને મળે છે, ત્યાં ગંગાનદીના દક્ષિણી
કિનારે નવનિધિ રહે છે. તે નવનિધિ દેવ અધિષ્ઠિત છે. તેના અધિષ્ઠાયક દેવોના આવાસ ને નિધિમાં જ હોય છે.
ચક્રવર્તી આ નિધિને આધીન બનાવવા ખંડપ્રપાત ગુફામાંથી બહાર નીકળી ગંગાનદીના પશ્ચિમી કિનારે સ્થિત થઈ અક્રમ કરે છે ત્યારે ગંગા સમુદ્ર મિલન સ્થાને રહેલા તે નિધિઓ ચક્રવર્તીને વશ થઈ જાય છે અને જ્યારે ચક્રી ગંગાના પૂર્વી કિનારા દ્વારા પોતાના નગર તરફ પ્રયાણ કરે છે ત્યારે તે નવનિધિ પાતાલ માર્ગે પ્રયાણ કરીને ગંગાના પૂર્વી વળાંક સમીપે ચક્રવર્તીને મળે છે અને ચક્રવર્તીના પગ નીચે જમીનમાં ચાલતી ચક્રવર્તીની રાજધાની સમીપે આવે છે. તે ચક્રવર્તીની રાજધાનીની બહાર રહે છે; કારણ કે પ્રત્યેક નિધિ ચક્રીના નગર જેવડા હોય છે. નગર બહાર રહેતા આ નિધિઓના મુખ્ય ચક્રવર્તીના લક્ષ્મીગૃહમાં હોય છે. તેના મુખ સુરંગ જેવા હોય છે.
નવનિધિનો આકાર :– નવનિધિ મંજૂષા-પટારાના આકારે હોય છે. તેને આઠ પૈડા હોય છે. તેની અંદર અને બહારની દિવાલો રત્નો, મણિજડિત સુવર્ણમયી હોય છે.
ભૂમિગત નવનિધી મંજૂષા અને નિઘીગત
૧૦ યો. લાંબી
12 નવની મંજૂષા
----
----
---
And
નૈસર્ગ
ન દેશ
1
Tet
પડકા
પિલ નિધિ
૭ મદુકાલ નિધિ
૯ માણવડ
કેવી વસ્તુઓ
હ
그
મખમ
નિ
૪ સર્વરન નોંધ
૨૦૪
સાધ્વી. સુબોધિકા
શંખનાદ
セ