Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રથમ પદપ્રજ્ઞાપના
'વા.
પ્રધાનતાવાળા નપુંસકને “સ્ત્રી નપુંસક અને પુરુષના અવયવોની પ્રધાનતાવાળા નપુંસકને પુરુષ નપુંસક કહે છે. આ બંને પ્રકારના નપુંસકોમાંથી પુરુષ નપુંસક સિદ્ધ થઈ શકે છે, સ્ત્રી નપુંસક સિદ્ધ થઈ શકતા નથી.
સ્ત્રી નપુંસકને સ્વભાવથી જ છ ગુણસ્થાન આવતું જ નથી.ભિગવતીસૂત્ર, શતક-૨૫, ઉદે-જોનપુંસકોને દીક્ષા આપવાનો આગમમાં નિષેધ છે પરંતુ તેઓ સ્વતઃ દીક્ષિત થઈને એકાકી વિચરી મોક્ષે જઈ શકે છે અથવા આગમવિહારી અધિકારી શ્રમણો, પુરુષ નપુંસકને દીક્ષા આપી સ્વતંત્ર વિચરણ કરાવી શકે છે. (૧૧) સ્વલિંગસિદ્ધ - સ્વ = જિનેશ્વર પ્રરૂપિત, લિંગ = રજોહરણ આદિ, તે દ્રવ્યલિંગ છે. સાધુવેશમાં રહીને જૈન શ્રમણ સમાચારીનું પાલન કરવું તે ભાવલિંગ છે. આ બંને પ્રકારના સ્વલિંગથી જે સિદ્ધ થાય, તે સ્વલિંગસિદ્ધ કહેવાય છે. યથા-ગૌતમસ્વામી. આગમગ્રંથોમાં તીર્થકરોની ગણના પણ સ્વલિંગ સિદ્ધમાં થઈ છે. તેમ છતાં સર્વ જૈન પરંપરાઓ તીર્થકરોને સર્વ પ્રકારના ઉપકરણોથી રહિત માને છે. માટે તીર્થકરો દ્રવ્યલિંગથી નહીં પણ ભાવલિંગથી સ્વલિંગમાં સિદ્ધ થાય છે તેમ સમજવું. (૧૨) અન્યલિંગસિદ્ધ – અન્ય = જિનપ્રરૂપિત સાધુવેશ સિવાય અન્ય તાપસ, પરિવ્રાજક, સંન્યાસી આદિના વેશે સિદ્ધ થાય તેને અન્યલિંગ સિદ્ધ કહે છે, યથા- વલ્કલચીરિ સંન્યાસી. દ્રવ્યથી ગમે તે લિંગ હોય પરંતુ ભાવથી સ્વલિંગ-સાધુપણું આવ્યા વિના મોક્ષ થતો નથી. (૧૩) ગૃહસ્થલિંગસિદ્ધઃ- ગૃહસ્થપણે સિદ્ધ થાય તેને ગૃહસ્થલિંગ સિદ્ધ કહે છે, જેમ કે મરુદેવા માતા. અન્ય લિંગ કે ગૃહસ્થલિંગે ભાવ સાધુપણું આવી ગયા પછી અલ્પાયુ હોય તો તે જ વેશે સિદ્ધ થાય છે. આયુષ્ય દીર્ઘ હોય તો સ્વલિંગ ધારણ કરી વિચરે છે. આ રીતે સ્વલિંગ ધારણ કર્યા પછી તે સ્વલિંગ સિદ્ધ જ કહેવાય, જેમ કે ભરત ચક્રવર્તી. તેમને કેવળજ્ઞાન ગૃહસ્થલિંગમાં થયું અને તેમની મુક્તિ સ્વલિંગમાં થઈ. (૧૪) એકસિદ્ધ - એક સમયે એક જ સિદ્ધ થાય, એક જીવની સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ સમયે બીજા કોઈ જીવો સાથે સિદ્ધ ન થાય, તો તેને એકસિદ્ધ કહે છે, જેમ કે ભગવાન મહાવીર સ્વામી. (૧૫) અનેક સિદ્ધ – એક સમયે, એક સાથે અનેક જીવો સિદ્ધ થાય તેને અનેક સિદ્ધ કહે છે, જેમ કે
ઋષભદેવ ભગવાન. તેઓ એક સાથે ૧૦૮ સિદ્ધ થયા. સિદ્ધાંતાનુસાર એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ જ સિદ્ધ થઈ શકે છે. (૧) તીર્થસિદ્ધ-અતીર્થસિદ્ધ. (૨) તીર્થંકરસિદ્ધ-અતીર્થંકરસિદ્ધ. (૩) સ્વયંબુદ્ધસિદ્ધ-પ્રત્યેક બુદ્ધસિદ્ધ-બુદ્ધબોધિતસિદ્ધ. (૪) સ્ત્રીલિંગસિદ્ધ-પુરુષલિંગસિદ્ધ-નપુંસકલિંગ સિદ્ધ. (૫) સ્વલિંગસિદ્ધઅન્યલિંગસિદ્ધ-ગૃહસ્થલિંગ સિદ્ધ. (૬) એકસિદ્ધ-અનેકસિદ્ધ, સિદ્ધ થનારા કોઈ પણ જીવોમાં આ છ પ્રકારના સમૂહમાંથી એક-એક ભેદ અવશ્ય હોય છે તેથી પ્રત્યેક સિદ્ધમાં છ બોલ અવશ્ય પ્રાપ્ત થાય છે.
મરુદેવા માતા | ઋષભદેવ ભગવાન | મહાવીર સ્વામી ગૌતમ સ્વામી (૧) અતીર્થ સિદ્ધ | તીર્થસિદ્ધ | તીર્થસિદ્ધ | તીર્થસિદ્ધ (૨) અતીર્થકર સિદ્ધ | તીર્થકર સિદ્ધ
તીર્થંકરસિદ્ધ
અતીર્થંકરસિદ્ધ | (૩) સ્વયંબુદ્ધસિદ્ધ | સ્વયંબુદ્ધ સિદ્ધ | સ્વયંબુન્દ્રસિદ્ધ | બુદ્ધબોધિતસિદ્ધ (૪) સ્ત્રીલિંગ સિદ્ધ | પુરુષલિંગ સિદ્ધ | પુરુષલિંગસિદ્ધ પુરુષલિંગસિદ્ધ (૫) ગૃહસ્થલિંગ સિદ્ધ સ્વલિંગ સિદ્ધ
સ્વલિંગસિદ્ધ
સ્વલિંગસિદ્ધ (૬) એકસિદ્ધ
અનેકસિદ્ધ એકસિદ્ધ
એકસિદ્ધ