Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| પાંચમું પદ વિશેષ (પર્યાય પદ)
[ ૪૩૫ ]
જૂનાધિકતા થાય છે. દરેક સ્કંધમાં સ્થિતિની અપેક્ષાએ ચૌહાણવડિયા અને વર્ણાદિ ૨૦ બોલની અપેક્ષાએ છાણવડિયા ન્યૂનાધિકતા હોય છે. ચઉસ્પર્શી–અષ્ટસ્પર્શી - શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ, આ ચાર મૂળ સ્પર્શે છે. પરમાણુથી લઈ અસંખ્યાત પ્રદેશ સ્કંધમાં આ ચાર સ્પર્શ જ હોય છે. અનંતપ્રદેશી ઢંધોમાંથી કોઈ ચઉસ્પર્શી હોય છે અને કોઈક આઠ સ્પર્શી હોય છે. જે સૂક્ષ્મ સ્કંધ છે તેમાં ચાર સ્પર્શ છે અને જે બાદર સ્કંધ છે તેમાં આઠ સ્પર્શ હોય છે. તે જ રીતે એક પ્રદેશાવગાઢ અંધથી લઈ સંખ્યાત પ્રદેશાવગાઢ સ્કંધો પણ ચાર સ્પર્શવાળા જ હોય છે. અસંખ્યાત પ્રદેશાવગાઢ સ્કંધો સ્થલ અને બાદર થઈ જવાથી આઠ સ્પર્શયુક્ત હોય છે. શેષ કથન સૂત્રાર્થથી સ્પષ્ટ છે. અનત પ્રદેશાવગાઢ:- અહીં અનંત પ્રદેશાવગાઢની પૃચ્છા નથી, કારણ કે પુગલ સ્કંધો લોકમાં હોય છે અને લોકમાં અસંખ્ય આકાશપ્રદેશ જ છે. અલોકમાં અનંત આકાશ પ્રદેશ છે પરંતુ ત્યાં જીવ અને પુદ્ગલ દ્રવ્ય નથી. ક્ષેત્રની અપેક્ષાએ પદગલ પર્યાયો :| મુગલ પ્રકાર દ્રવ્યથી પ્રદેશથી અવગાહનાથી સ્થિતિથી | વર્ણાદિથી એક પ્રદેશાવગાઢ પુદ્ગલ | તુલ્ય છટ્ટાણવડિયા તુલ્ય ચૌઠાણવડિયા ૧૬ બોલમાં છઠ્ઠાણવડિયા બે થી દશ પ્રદેશાવગાઢ પુદ્ગલ તુલ્ય છઠ્ઠાણવડિયા તુલ્ય ચૌઠાણવડિયા ૧૬ બોલમાં છઠ્ઠાણવડિયા સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ | તુલ્ય છઠ્ઠાણવડિયા દુઠાણવડિયા |ચૌઠાણવડિયા ૧૬ બોલમાં છઠ્ઠાણવડિયા અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ તુલ્ય છઠ્ઠાણવડિયા ચૌહાણવડિયા ચૌઠાણવડિયા ૨૦ બોલમાં છટ્ટાણવડિયા
નોંધઃ વર્ણાદિ ૧૬ બોલમાં ચાર સંયોગી સ્પર્શ (કર્કશાદિ) હોતા નથી. કાળની અપેક્ષાએ પુદ્ગલપર્યાયો - ५४ एगसमयठिइयाणं भंते ! पोग्गलाणं केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! अणंता पज्जवा पण्णत्ता । से केणटेणं भंते ! एवं वुच्चइ ?
___ गोयमा ! एगसमयठिईए पोग्गले एगसमयठिईयस्स पोग्गलस्स दव्वट्ठयाए तुल्ले, पए सट्टयाए छट्ठाणवडिए, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए तुल्ले, वण्णादि-अट्ठफासेहि छट्ठाणवडिए । एवं जावदससमयठिईए।
संखेज्जसमयठिईयाणं एवं चेव, णवरं ठिईए दुट्ठाणवडिए । असंखेज्जसमयठिईयाणं एवं चेव, णवरं ठिईए चउट्ठाणवडिए । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! એક સમયની સ્થિતિવાળા પુદ્ગલોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! અનંત પયોયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે એક સમયની સ્થિતિવાળા પુદ્ગલોના અનંત પર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ! એક સમયની સ્થિતિવાળું એક પુદ્ગલ દ્રવ્ય, એક સમયની સ્થિતિવાળા બીજા પુદગલ દ્રવ્યથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા; અવગાહનાની અપેક્ષાએ