Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 510
________________ ૪૪૪ શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧ બે આકાશપ્રદેશ પર સ્થિત સ્કંધથી એક પ્રદેશ અધિક અને ચાર આકાશપ્રદેશ પર સ્થિત સ્કંધથી એક પ્રદેશ હીન છે. જે સ્કંધ ચાર આકાશ પ્રદેશ પર સ્થિત છે તે બે આકાશપ્રદેશ પર સ્થિત સ્કંધથી બે પ્રદેશ અધિક અને ત્રણ આકાશપ્રદેશ પર સ્થિત સ્કંધથી એક પ્રદેશ અધિક હોય છે. આ રીતે મધ્યમ અવગાહનાવાળા પાંચ પ્રદેશી સ્કંધમાં એક અથવા બે પ્રદેશની હીનાધિકતા થાય છે. આ રીતે છ પ્રદેશી, સાત પ્રદેશી આદિ સ્કંધોની જઘન્ય અવગાહના એક આકાશપ્રદેશની અને ઉત્કૃષ્ટ અવગાહના જેટલા પ્રદેશ સ્કંધ હોય તેટલા પ્રદેશની થાય છે પરંતુ અનંતપ્રદેશી સ્કંધની ઉત્કૃષ્ટ અવગાહના પણ અસંખ્યાત પ્રદેશની જ થાય છે કારણ કે લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે. મધ્યમ અવગાહનાના અનેક વિકલ્પો થાય છે. મધ્યમ અવગાહનાવાળા છ પ્રદેશી સ્કંધમાં એક, બે, ત્રણ, પ્રદેશની હાનિ-વૃદ્ધિ થાય, મધ્યમ અવગાહનાવાળા સાત પ્રદેશી સ્કંધમાં એક, બે, ત્રણ, ચાર પ્રદેશની હાનિ-વૃદ્ધિ થાય, મધ્યમ અવગાહનાવાળા આઠ પ્રદેશી કંધમાં એક, બે, ત્રણ, ચાર, પાંચ પ્રદેશની હાનિ-વૃદ્ધિ થાય, મધ્યમ અવગાહનાવાળ નવ પ્રદેશ સ્કંધમાં એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ પ્રદેશની હાનિ-વૃદ્ધિ થાય, મધ્યમ અવગાહનાવાળા દશ પ્રદેશી સ્કંધમાં એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત પ્રદેશોની હાનિ-વૃદ્ધિ થાય છે. સંખ્યાતપ્રદેશી ઔધની ત્રણ પ્રકારની અવગાહના - (૧) સંખ્યાત પ્રદેશી સ્કંધ એક આકાશપ્રદેશ પર સ્થિત થાય, તો તે એક આકાશપ્રદેશ તેની જઘન્ય અવગાહના છે. તેવા સ્કંધો એક આકાશ પ્રદેશ પર સ્થિત હોવાથી અવગાહનાથી પરસ્પર તુલ્ય હોય છે. (૨) સંખ્યાતપ્રદેશી અંધ ઉત્કૃષ્ટ સંખ્યાત પ્રદેશ પર સ્થિત થાય, તો તે સંખ્યાત આકાશપ્રદેશ તેની ઉત્કૃષ્ટ અવગાહના છે. તેમાં પણ અવગાહનાની અપેક્ષાએ તુલ્યતા હોય છે. (૩) સંખ્યાત પ્રદેશ સ્કંધ બે પ્રદેશથી લઈને સંખ્યાતા પ્રદેશ પર સ્થિત થાય, તો તે તેની મધ્યમ અવગાહના કહેવાય છે. સંખ્યાતાના સંખ્યાતા ભેદ હોવાથી તેના અવગાહના સ્થાન સંખ્યાતા થાય છે. તેથી તેમાં સંખ્યાતમો ભાગ અને સંખ્યાતગુણ, તે બે પ્રકારે ન્યૂનાધિકતા થાય છે. અસંખ્યાત પ્રદેશી ઔધની ત્રણ પ્રકારની અવગાહના - (૧) અસંખ્યાતપ્રદેશી સ્કંધ એક આકાશપ્રદેશ પર સ્થિત થાય, તો તે એક આકાશપ્રદેશ તેની જઘન્ય અવગાહના છે. તેવા બધા સ્કંધોનું અવગાહન સ્થાન એક જ હોવાથી અવગાહનાની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે. (૨)અસંખ્યાતપ્રદેશી સ્કંધો અસંખ્યાત આકાશ પ્રદેશ પર સ્થિત થાયતો તે અસંખ્યાત આકાશપ્રદેશ તેની ઉત્કૃષ્ટ અવગાહના છે. તેવા બધા સ્કંધોનું અવગાહના સ્થાન એક જ હોવાથી અવગાહનાની અપેક્ષાએ તે પરસ્પર તુલ્ય છે. (૩) અસંખ્યાત પ્રદેશી સ્કંધો બે આકાશ પ્રદેશથી લઈને અસંખ્યાત આકાશ પ્રદેશ પર સ્થિત થાય, તો તે મધ્યમ અવગાહના છે. તે અવગાહના સ્થાન અસંખ્યાત હોવાથી તેમાં ચાર પ્રકારે જૂનાધિકતા થાય છે. તેથી તે મધ્યમ અવગાહનાવાળા અસંખ્યાત પ્રદેશ સ્કંધ પરસ્પર ચૌઠાણવડિયા છે. અનંતપ્રદેશી સ્કંધની ત્રણ પ્રકાર અવગાહના :- (૧) અનંતપ્રદેશી સ્કંધ એક આકાશપ્રદેશ પર સ્થિત થાય, તો તે એક આકાશપ્રદેશ તેની જઘન્ય અવગાહના છે. તે અવગાહનાથી પરસ્પર તુલ્ય છે. (૨) ઉત્કૃષ્ટ અવગાહના વાળો અનંતપ્રદેશી અંધ લોકવ્યાપી હોય છે. તે સ્કંધોની ઉત્કૃષ્ટ અવગાહના અસંખ્ય પ્રદેશાત્મક લોક પ્રમાણ છે, તેથી તે પરસ્પર તુલ્ય છે. (૩) અનંતપ્રદેશી અંધ બે આકાશ પ્રદેશથી લઈને અસંખ્ય આકાશ પ્રદેશ પર સ્થિત થાય, તો તે તેની મધ્યમ અવગાહના છે. તેના અવગાહના સ્થાન અસંખ્ય હોવાથી તેમાં પણ ચાર પ્રકારે જૂનાધિકતા થાય છે. તેથી તે મધ્યમ અવાગહનાવાળા અનંતપ્રદેશી સ્કંધો પરસ્પર અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે.

Loading...

Page Navigation
1 ... 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538