Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ત્રીજુ પદઃ બહુવક્તવ્યતા [અલ્પબદુત્વ
[ ૨૩૧ |
| -
|
અંગુલના અસંખ્યાતમા ભાગની છે. અંગુલના અસંખ્યાતમા ભાગના અસંખ્ય ભેદ થાય છે. તેથી લોક વ્યાપી તે જીવોની અવગાહનામાં તરતમતા થાય છે. તેના કારણે પ્રસ્તુત અલ્પબદુત્વ ઘટિત થાય છે. (૧) સમુચ્ચય સૂમ જીવોનું અલ્પબદુત્વઃ- તેમાં (૧) સમુચ્ચય સૂક્ષ્મ જીવો, (૨–૬) પૃથ્વી આદિ પાંચે ય સ્થાવરના સૂક્ષ્મ જીવો અને (૭) સૂક્ષ્મ નિગોદના શરીરો, આ સાત બોલનો સમાવેશ થાય છે. તેના અલ્પબદુત્વના કારણો સમુચ્ચય પૃથ્વીકાયાદિના અલ્પબદુત્વની સમાન છે. તે સાત બોલમાં પાંચમા બોલમાં સુત્રકારે નિયા શબ્દ પ્રયોગ કર્યો છે. અહીં ‘નિગોદ' શબ્દનો અર્થ “નિગોદ શરીર’ થાય છે. સાધારણ શરીરી અનંત જીવોના સ્કૂલ શરીરને નિગોદ કહે છે અર્થાત્ જે એક શરીરના આશ્રયે અનંત જીવો રહેતા હોય. તે શરીરને “નિગોદ' કહે છે અને તેમાં રહેનાર જીવને નિગોદ જીવો કહે છે. નિગોદના બે પ્રકાર છેસૂક્ષ્મ અને બાદર. સૂરણકન્દ આદિ બાદર નિગોદ છે અને સૂક્ષ્મ નિગોદ સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે. એક-એક ગોળામાં અસંખ્યાત-અસંખ્યાતનિગોદ-શરીરો હોય છે અને એક શરીરે અનંતા જીવો હોય છે. તે નિગોદશરીરો વાયુકાયિકોથી અસંખ્યાત ગુણા છે. જો અહીં જીવનું કથન હોય, તો તે અનંતગુણા થાય પરંતુ સૂત્રકારે તેને અસંખ્યાતગુણા કહ્યા છે તેથી સ્પષ્ટ થાય છે કે પ્રસ્તુત પ્રસંગમાં નિગોદ શરીરનું ગ્રહણ છે. તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અનંતગુણા છે કારણ કે વનસ્પતિકાયિકમાં નિગોદ જીવોનો સમાવેશ થાય છે. પ્રત્યેક નિગોદ શરીરમાં અનંત-અનંત જીવો હોય છે અને તેનાથી સર્વ સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે. કિમી સુમિકાય | પ્રમાણ
કારણ ૧ | સૂક્ષ્મ તેઉકાય |સર્વથી થોડા| એકેન્દ્રિયમાં તેઉકાય સર્વથી અલ્પ છે. ૨ | સૂક્ષ્મ પૃથ્વીકાય |વિશેષાધિક| સ્વાભાવિક રીતે જ તે તેઉકાય કરતાં વધુ છે. ૩ | સૂમ અપ્લાય |વિશેષાધિક | સ્વાભાવિક રીતે જ તે પૃથ્વીકાય કરતાં વધુ છે. ૪ | સૂક્ષ્મ વાયુકાય વિશેષાધિક | સ્વાભાવિક રીતે જ તે અપ્લાય કરતાં વધુ છે.
| સૂક્ષ્મ નિગોદ | |અસંખ્યગુણા| નિગોદના શરીર ચાર સ્થાવર જીવોથી વધુ હોય છે. ૬ | સૂમ વનસ્પતિ અનંતગુણા | એક-એક નિગોદ શરીરમાં અનંત જીવો છે. ૭ | સૂકમ જીવ વિશેષાધિક | સૂક્ષ્મ પૃથ્વી આદિ ચારે તેમાં સમાવિષ્ટ છે. (૨-૩) સમુચ્ચય સૂમ અપર્યાપ્ત અને પર્યાપ્તા:- આ બંનેના અલ્પબદુત્વનો ક્રમ ભાવાર્થથી સ્પષ્ટ છે. (૪) દરેક સૂમ પર્યાપ્ત-અપર્યાપ્તનું અલ્પબહત્વ – સૂક્ષ્મ જીવોમાં અપર્યાપ્ત જીવો અલ્પ હોય છે અને પર્યાપ્તા તેનાથી સંખ્યાતગુણા અધિક હોય છે. સૂક્ષ્મ જીવોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા બંને પ્રકારના જીવોની સ્થિતિ અંતર્મુહુર્તની જ છે, તેમ છતાં સૂક્ષ્મ પર્યાપ્તાની સ્થિતિ અપર્યાપ્તા કરતાં અધિક હોવાથી હંમેશાં પર્યાપ્તા સૂક્ષ્મ જીવો અધિક પ્રાપ્ત થાય છે. તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ જીવોથી પર્યાપ્તા સૂક્ષ્મ જીવો સંખ્યાતગુણા થાય છે. તે જ રીતે પાંચે સૂક્ષ્મ સ્થાવર જીવો અને સૂક્ષ્મ નિગોદ(શરીર)ના પર્યાપ્ત-અપર્યાપ્તામાં અલ્પબદુત્વ થાય છે. (૫) સમુચ્ચય સૂમિ પર્યાપ્ત-અપર્યાપ્તનું સમ્મિલિત અલ્પબહત્વ - ક્રમ| સૂક્ષ્મ કાય પ્રમાણ |
કારણ ૧ | અપર્યાપ્તા તેઉકાય સર્વથી થોડા | એકેન્દ્રિયમાં તેઉકાય સર્વથી અલ્પ છે. ૨ | અપર્યાપ્તા પૃથ્વીકાય | વિશેષાધિક | સ્વાભાવિક રીતે.
|
|
|
|