Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 479
________________ પાંચમું પદ : વિશેષ(પર્યાય પદ) ઉત્તર– હે ગૌતમ ! જઘન્યગુણ કાળા વર્ણવાળો એક પંચેન્દ્રિય તિર્યંચ, જઘન્યગુણ કાળા વર્ણ- વાળ । બીજા પંચેન્દ્રિય તિર્યંચથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા; કાળા વર્ણ પર્યાયની અપેક્ષાએ તુલ્ય; શેષ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયો તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શનની અપેક્ષાએ છઠ્ઠાણડિયા છે. ૪૧૩ આ રીતે ઉત્કૃષ્ટગુણ કાળા પંચેન્દ્રિય તિર્યંચોના પર્યાયોના વિષયમાં પણ જાણવું જોઈએ. અજઘન્યઅનુત્કૃષ્ટ(મધ્યમ) ગુણ કાળા પંચેન્દ્રિય તિર્યંચોના પર્યાયોના વિષયમાં પણ આ જ પ્રમાણે જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં અર્થાત્ કાળા વર્ણના પર્યાયમાં પણ છઠ્ઠાણડિયા છે. આ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શોથી યુક્ત પંચેન્દ્રિય તિર્યંચોના પર્યાયોના વિષયમાં કહેવું જોઈએ. ३३ जहण्णाभिणिबोहियणाणीणं भंते ! पंचेंदियतिरिक्खजोणियाणं केवइया पज्जवा પળત્તા? ગોયમા ! મળતા પદ્મવા પળત્તા ૫ સે જેટ્ટેન ભંતે ! વં વુન્નરૂં ? गोयमा ! जहण्णाभिणिबोहियणाणी पंचेंदियतिरिक्खजोणिए जहण्णाभिहिबोहियणाणिस्स पंचेंदियतिरिक्खजोणियस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्ण-गंध-रस- फासपज्जवेहिं छट्ठाणवडिए, आभिणिबोहियणाणपज्जवेहिं तुल्ले, सुयणाणपज्जवेहिं छट्ठाणवडिए, चक्खुदंसणपज्जवेहिं अचक्खुदंसणपज्जवेहि य छट्ठाणवडिए । एवं उक्कोसाभिणिबोहियणाणी वि, णवरं ठिईए तिट्ठाणवडिए । तीहिं णाणेहिं, तिहिं दंसणेहिं य छट्ठाणवडिए, सट्ठाणे तुल्ले । अजहण्णुक्कोसाभिणिबोहियणाणी जहा उक्कोसाभिणिबोहियणाणी, णवरं ठिईए चट्ठाणवडिए, सट्ठाणे छट्ठाणवडिए । एवं सुयणाणी वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જઘન્ય આભિનિબોધિકજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોના કેટલા પર્યાયો છે ? ઉત્તર− હે ગૌતમ ! અનંતપર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે જઘન્ય આભિનિબોધિકજ્ઞાની પંચેન્દ્રિયતિર્યંચોના અનંત પર્યાયો છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય આભિનિબોધિકજ્ઞાની એક તિર્યંચ પંચેન્દ્રિય, જઘન્ય આભિનિબોધિક જ્ઞાનવાળા બીજા તિર્યંચ પંચેન્દ્રિયથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા, વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે; આભિનિબોધિક જ્ઞાનના પર્યાયોની અપેક્ષાએ તુલ્ય; શ્રુતજ્ઞાનના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે; તેમજ ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનના પર્યાયોની અપેક્ષાએ પણ છઠ્ઠાણવિડયા છે. આ જ પ્રમાણે ઉત્કૃષ્ટ આભિનિબોધિકજ્ઞાનવાળા તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાયોનું કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે તે સ્થિતિની અપેક્ષાએ તિકાણવડિયા છે, તેમાં ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન હોય છે. તેમાંથી સ્વસ્થાનમાં(આભિનિબોધિક જ્ઞાનમાં) તુલ્ય છે અને શેષ શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન તથા ત્રણ દર્શનના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.


Page Navigation
1 ... 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538