Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ત્રીજું પદ : બહુવક્તવ્યતા [અલ્પબહુત્વ]
સમુચ્ચય અપબહુત્વની જેમ ઈન્દ્રિયના ક્રમાનુસાર નથી. આ અલ્પબહુત્વમાં ક્યાંક આયુની અપેક્ષાએ, કયાંક સ્વાભાવિક રીતે જીવોની હીનાધિકતા છે. (૧) સર્વથી ઘોડા ચૌરેન્દ્રિયના પર્યાપ્તા જીવો છે. (૨) તેનાથી પર્યાપ્તા પંચેન્દ્રિયો વિશેષાધિક છે. કારણ કે ચૌરેન્દ્રિયનું આયુષ્ય છ માસ છે જ્યારે પંચેન્દ્રિયનું આયુષ્ય એક કરોડ પૂર્વ વર્ષનું છે. તેથી પૃચ્છા સમયે પર્યાપ્તા પંચેન્દ્રિય વધુ મળે છે. (૩) તેનાથી પર્યાપ્તા બેઇન્દ્રિયો વિશેષાધિક છે અને (૪) તેનાથી પર્યાપ્તા તેઇન્દ્રિયો વિશેષાધિક છે. બેઈન્દ્રિયનું આયુષ્ય ૧૨ વર્ષનું છે જ્યારે તેન્દ્રિયનું ૪૯ દિવસનું છે. છતાં પણ પર્યાપ્તા બેઇન્દ્રિય જીવો પૃચ્છા સમયે સ્વભાવથી અલ્પ મળે છે. (૫) તેનાથી એકેન્દ્રિય પર્યાપ્તા અનંતગુણા છે કારણ કે પર્યાપ્તા વનસ્પતિકાયિકો અનંતા છે. (૬) તેનાથી સઇન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે કારણ કે તેમાં પર્યાપ્તા એકેન્દ્રિય બેઇન્દ્રિયાદિનો સમાવેશ થાય છે. ક્રમ ઈત્રિય પ્રમાણ
કારણ
૧
ચૌરેન્દ્રિયનાપર્યાપ્તા સર્વથી થોડા | આયુષ્ય અલ્પ છે.
૨ પંચેન્દ્રિયના પર્યાપ્તા
ૐ બેઇન્ડિયના પર્યાપ્તા
વિશેષાધિક | આયુષ્ય વધુ છે. વિશેષાધિક | સ્વભાવથી વધુ છે. ૪ | તેઇંદ્રિયના પર્યાપ્તા | વિશેષાધિક | સ્વભાવથી વધુ છે.
વનસ્પતિકાય અનંત છે.
૫ એકેન્દ્રિયના પાંખા અનંતગુણ ૬ | સઇન્દ્રિયના પર્યાપ્તા વિશેષાધિક
બેઇન્દ્રિયાદિ સર્વ જીવો સમાવિષ્ટ થાય છે.
(૪) ઇંદ્રિયની અપેક્ષાએ પર્યાપ્ત—અપર્યાપ્ત જીવોનું અલ્પબહુત્વ :– સઈન્દ્રિય (૧) સર્વથી ઘોડા સઇન્દ્રિય અપર્યાપ્તા છે. (૨) તેનાથી સઇન્દ્રિય પર્યાપ્ત સંખ્યાતગુણા છે. સમુચ્ચય જીવોના કથનમાં સૂક્ષ્મ-બાદર સર્વ જીવોનો સમાવેશ થાય છે. સૂક્ષ્મ જીવોમાં અપર્યાપ્ત જીવો અલ્પ છે અને પર્યાપ્ત જીવો તેનાથી સંખ્યાતગુણા છે. પ્રસ્તુત કથન સૂક્ષ્મ જીવોની અપેક્ષાએ છે.
૧
એકેન્દ્રિય-સઇન્દ્રિય જીવોના કથનની જેમ સર્વથી ઘોડા અપર્યાપ્ત એકેન્દ્રિય અને તેનાથી પર્યાપ્તા એકેન્દ્રિય જીવો સંખ્યાતગુણા છે. બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય– (૧) સર્વથી થોડા પર્યાપ્ત બેઇન્દ્રિયાદિ જીવો છે. (૨) તેનાથી અપર્યાપ્તા બેઇન્દ્રિય આદિ અસંખ્યાતગુણા છે કારણ કે સુક્ષ્મ સિવાય સર્વ જીવોમાં પર્યાપ્તાથી અપર્યાપ્તા અસંખ્યાતગુણા હોય છે.
(૫) પર્યાપ્તા-અપર્યાપ્તા જીવોનું સમ્મિલિત અલ્પબહુત્વ મૂળપાઠમાં જ સ્પષ્ટ છે. તેના કારણો પૂર્વ સૂત્રાનુસાર જાણવા.
ક્રમ ઇંદ્રિય
૧ |પર્યાપ્તા ચૌરેન્દ્રિય
૨ |પર્યાપ્તા પંચેન્દ્રિય
૩ | પર્યાપ્તા બેઇદ્રિય ૪ | પર્યાપ્તા તેઇન્દ્રિય
પ્રમાણ
કારણ
સર્વથી થોડા સામાન્ય રીતે વધુ ઇન્દ્રિયવાળા અલ્પ અને અલ્પ ઇન્દ્રિયવાળા વધુ હોય પરંતુ સ્થિતિની ન્યૂનતાને કારણે પર્યાપ્તા ચૌરેન્દ્રિય અલ્પ છે.
વિશેષાધિક | સ્થિતિ અધિક (એક ક્રોડ પૂર્વ વર્ષ) છે.
વિશેષાધિક તેઈન્દ્રિયથી સ્થિતિ વધુ હોવા છતાં સ્વભાવથી જ તે જીવો અલ્પ હોય છે. વિશેષાધિક | સ્થિતિ અલ્પ હોવા છતાં સ્વભાવથી જ વધુ મળે છે.