________________
૩૭
ક્ષતિશીલતા એ જો આપણી કમજોરી છે તો ક્ષમાશીલતા એ આપણી બહાદુરી
બનવી જ જોઈએ.
- ૩૯ ધર્મથી સુખ મળે એમાં રસ છે કે પછી સુખના સમયમાં ધર્મ કરી લેવામાં રસ છે?
૩૮ અસંતોષનું એક જ દુઃખ એવું છે કે જેની પાસે બધાં જ દુઃખોએ પોતાની હાર સ્વીકારી લેવી પડે છે.
૪૦ ‘દુર્યોધન’નું નામ રાખવા આપણે તૈયાર નહીં
અને કામ આપણે “દુર્યોધન’નાં કર્યા કરીએ! રામ”નું એક પણ કામ કરવા આપણે તૈયાર નહીં અને ‘રામ'નું નામ અપનાવી લેવા પ્રતિપળ
તૈયાર ! કમાલ છે ને?
A નિયમ
'
નિયમ જમાઈ કે પુત્રવધૂની પસંદગીના અવસરે સંપત્તિ અને પ્રતિષ્ઠા કરતાં ય શીલ-સદાચાર
સંસ્કારોને હું વધુ પ્રાધાન્ય આપીશ.
સામી વ્યક્તિ પોતાની ભૂલ બદલ ક્ષમાં માગવા આવશે તો મારા અહંને વચ્ચે લાવ્યા વિના એને હું પ્રેમપૂર્વક ક્ષમા આપી દઈશ.