Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 48
________________ ©© ૧૮૯ કૂતરાને લડવાની તક મળે છે તો એ ખાવાનું છોડી દેવા તૈયાર થઈ જાય છે. માણસને પૈસા મળે છે, એ શું છોડી દેવા તૈયાર નથી થતો એ પ્રશ્ન છે. ૧૯૧ દુર્જનતાની સામે સજ્જનો એક થઈને આક્રમણ કરતા નથી અને સર્જનતા સામે જ્યારે આક્રમણ થાય છે ત્યારે સજ્જનો એક થતા નથી એ આ યુગની મોટામાં મોટી કરુણતા છે. ૧૯0 પાપથી જીવન ખરડાવું ન જોઈએ. દુઃખથી જીવન તરડાવું ન જોઈએ. ૧૯૨ મનની નિર્બળતા સામે લડી શકાય એવી તાકાતના આપણે જો સ્વામી નથી તો એ સિવાયની આપણી પાસે રહેલ ગમે તેવી અને ગમે તેટલી તાકાતની પણ કોઈ કિંમત નથી. GBS 29 નિયમ રોજ રાતના સૂતા પહેલાં “આ જગતના સર્વ જીવો સુખી - સ્વસ્થ અને શાંત રહો' એવી પ્રાર્થના હું અચૂક કરીશ. કૂતરાને પાળવાનાં મારા શોખને પોષવા હું ગલૂડિયાને એની માતાથી ક્યારેય વિખૂટું નહીં પાડું. અપનાવાયા

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50