Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji
View full book text
________________ 197 દુઃખને ‘સંમતિ આપી શકો છો? સુખમાં ‘સન્મતિ' રાખી શકો છો? તમે રાજા છો. 199 આનંદની કક્ષા જેની ઉત્તમ હોય છે, મરણ એનું અધમ આવતું નથી. 198 પગની ચાલવાની મર્યાદાને રસ્તાની મર્યાદા જો માની ન લેવાય તો બુદ્ધિની સમજવાની મર્યાદાને સત્યની મર્યાદા શું માની લેવાય? 200 કૃષ્ણની સેના કૃષ્ણ સામે ગોઠવે એ જો દુર્યોધન છે તો પ્રભુ તરફથી મળેલ પુણ્ય પ્રભુ સામે ગોઠવનારા આપણે કોણ છીએ? નિયમ નિયમ ધંધામાં ગમે તેટલી મંદી હોવા છતાં આર્થિક સ્થિતિ મારી સારી હશે તો કોઈની ય ઉઘરાણી હું ડૂબાડીશ નહીં. પરિવારના કોઈ પણ સભ્યના જન્મદિનને પ્રભુભક્તિ, જીવદયા, અનુકંપાદાન, સાધર્મિક ભક્તિ વગેરે સત્કાર્યોથી જ હું ઊજવીશ. પ0

Page Navigation
1 ... 48 49 50