________________
૧૯૩
જેનો ત્યાગ શક્ય જ ન હોય ત્યાં વિવેકને જે હાજર ન રાખી શકે એનું જીવન પશુજીવન કરતાં ય બદતર બની જાય.
૧૯૪
સુરક્ષાપ્રેમી મનને સત્યપ્રેમી બનાવી દેવું એ આ જીવનનો બહુ મોટો પડકાર છે.
મ - નિયમ
રાત્રિભોજનનો ત્યાગ કદાચ નહીં પણ કરી શકું તો ય રાતના મિષ્ટાન્ન, ફરસાણ કે કુટ્સ તો હું
નહીં જ ખાઉં.
200
૪૯
૧૯૫
શરીરની અશક્તિ મનને નિઃસત્ત્વ બનાવી જ દે એવો કોઈ કાયદો નથી પરંતુ મનની આસક્તિ તો જીવનને નિઃસત્ત્વ બનાવીને જ રહે છે.
૧૯૬
જેની પાસે તાકાત પુરુષની હોય પણ કરુણા સ્ત્રીની હોય એને સજ્જન કે સંત બનતા કોઈ જ રોકી શકતું નથી.
નિયમ
કોક સારા ઉદ્દેશથી સારા માણસો સંગઠિત થતા હશે તો એમના એ સંગઠનને તોડી નાખવાનું ગોઝારું પાપ હું ક્યારેય નહીં કરું.