Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 49
________________ ૧૯૩ જેનો ત્યાગ શક્ય જ ન હોય ત્યાં વિવેકને જે હાજર ન રાખી શકે એનું જીવન પશુજીવન કરતાં ય બદતર બની જાય. ૧૯૪ સુરક્ષાપ્રેમી મનને સત્યપ્રેમી બનાવી દેવું એ આ જીવનનો બહુ મોટો પડકાર છે. મ - નિયમ રાત્રિભોજનનો ત્યાગ કદાચ નહીં પણ કરી શકું તો ય રાતના મિષ્ટાન્ન, ફરસાણ કે કુટ્સ તો હું નહીં જ ખાઉં. 200 ૪૯ ૧૯૫ શરીરની અશક્તિ મનને નિઃસત્ત્વ બનાવી જ દે એવો કોઈ કાયદો નથી પરંતુ મનની આસક્તિ તો જીવનને નિઃસત્ત્વ બનાવીને જ રહે છે. ૧૯૬ જેની પાસે તાકાત પુરુષની હોય પણ કરુણા સ્ત્રીની હોય એને સજ્જન કે સંત બનતા કોઈ જ રોકી શકતું નથી. નિયમ કોક સારા ઉદ્દેશથી સારા માણસો સંગઠિત થતા હશે તો એમના એ સંગઠનને તોડી નાખવાનું ગોઝારું પાપ હું ક્યારેય નહીં કરું.

Loading...

Page Navigation
1 ... 47 48 49 50