________________
૧૭૩ પાપસેવન બાદ પશ્ચાત્તાપ કરનાર વંદનીય જરૂર છે પરંતુ પાપ સેવનાર નિંદનીય તો નથી જ એ પ્રભુની
આજ્ઞા સતત આંખ સામે રાખજો.
૧૭૫ આપણે જેવા છીએ એમાં આપણે સુધારો કરવો નથી અને બીજાઓ જેવા છે એવો એમનો સ્વીકાર કરવો નથી. સમાધિ અને પ્રસન્નતા
શું ટકાવી શકાશે?
૧૭૪ પ્રભુના ચરણનું આપણે સ્વીકારેલ શરણ સાચું ત્યારે કે જ્યારે એ આપણા ગલત
આચરણને બદલાવીને જ રહે.
૧૭૬ આપણી પ્રકૃતિને પ્રભુની સ્વીકૃતિ મળી જાય
એટલે ભયો ભયો !
d
.
નિયમ મારી આર્થિક સ્થિતિ સારી હશે તો મારા કોઈ પણ માણસને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં
રહેવા નહીં દઉં.
આ નિયમ સંયમમાર્ગ અંગીકાર કરવા નીકળેલ કોઈ પણ આત્માની દીક્ષાપત્રિકા મારા વાંચવામાં આવશે તો એની અનુમોદના
નિમિત્તે હું કંઈક તો ત્યાગ કરીને જ રહીશ.