________________
૧૪૧ અચાનક આવી જતી માંદગીને પડકારવામાં હજી કદાચ સફળતા મળી શકશે પણ અનિવાર્ય
એવા મોતને તો સ્વીકારી લેવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી બચતો.
૧૪૩ શુભ વિચારો અમલી નથી બનતા એનું દુઃખ જરૂર અનુભવજો પણ અશુભ વિચારો અમલી નથી બનતા એ ખ્યાલે તો અપાર આનંદ
અનુભવજો.
૧૪૨ જગતમાં ફેલાયેલાં પાપો ઓછા કરવા પ્રચંડ
પુણ્યની જરૂર પડે છે પરંતુ સ્વજીવનમાં પ્રવેશી ગયેલાં પાપોને ઘટાડવા તો
પ્રબળ પુરુષાર્થની જ જરૂર પડે છે.
૧૪૪ વાંદરાઓ એક બીજાને ખંજવાળતા રહીને જેમ સુખ અનુભવતા રહે છે તેમ આપણે
એકબીજાની ‘ફિલમ’ ઉતારતા રહીને સુખ અનુભવતા રહીએ છીએ એવું તો નથી ને?
નિયમ મોડામાં મોડી રાતના ૧૧ વાગ્યા પછી તો ટી.વી.ની સ્વિચ હું બંધ કરી જ દઈશ.
નિયમ આર્થિક સદ્ધરતા હશે તો વરસમાં એક દિવસ મારે ત્યાં કામ કરી રહેલા માણસોને એમના સમસ્ત પરિવાર સાથે મારા ઘરે ભોજન કરાવીશ.