________________
૧૫૭
આપણું પોતાનું વર્તન સુધાર્યા વિના જગતમાં પરિવર્તન કરી દેવાના અભરખા સેવવા જેવા નથી.
૧૫૮
દુઃખ આવતા ભગવાનનું સ્મરણ થવા લાગે એ જ ભગવાનની ભક્તિ નથી.
ભગવાનનું સ્મરણ ભુલાઈ જતાં દુઃખ અનુભવાય એ ભગવાનની ભક્તિ છે.
1 - નિયમ
રાતનો મારો સૂવાનો જે પણ સમય હશે, ઓછામાં ઓછા એના એક કલાક પહેલાં હું ટી.વી. સામેથી ઊભો થઈ જઈશ.
200
४०
૧૫૯
કોઈ ટીકા કરે છે એટલા માત્રથી જો પૈસા કમાવાનું છોડી દેતા નથી તો કોઈ ટીકા કરે એટલા માત્રથી સત્કાર્યો કરવાનાં છોડી દેવાની
ભૂલ કરવા જેવી નથી.
૧૦
આપણાં જેવો જ સ્વભાવ ધરાવતી વ્યક્તિ સાથે તો આપણે પ્રસન્નતાપૂર્વક રહી જ શકીએ એ નિશ્ચિત્ત ખરું ?
નિયમ
અઠવાડિયામાં એકાદ કલાક જેટલો સમય તો
પાંજરાપોળ, વૃદ્ધાશ્રમ, અંધ-બધિર છાત્રાલય, હૉસ્પિટલ વગેરેને આપીશ જ.