Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji
View full book text
________________
©©
૮૯ ગુલાબજાંબુનું બે-ચાર કલાકમાં જુલાબજાંબુમાં રૂપાંતરણ કરી દેવાની વિચિત્ર તાકાત ધરાવતા આ માનવશરીરમાં આત્માને પરમાત્મા બનાવી દેવાની પ્રચંડ ક્ષમતા ધરબાયેલી છે એનો ખ્યાલ છે ખરો?
૯૧ ગળાની તરસ તો પાણી જ માગે છે પરંતુ મનની તૃષ્ણા તો શું નથી માગતી એ પ્રશ્ન છે.
જવાબ આપો આપણે ‘તરસ'થી. ત્રસ્ત છીએ કે ‘તૃષ્ણા'થી ?
૯O
શ્રદ્ધા માટે અધ્યાત્મ જગતમાં શંકા જો જોખમી બની રહે છે તો એ જ
શંકા સંસારજગતમાં શાંતિ માટે - જોખમી પુરવાર થાય છે.
૯૨ ‘રામ’ અને ‘રાવણ’ એ બંનેય ‘તુલા’ રાશિના અને છતાં નામ તો તમે “રામ'નું જ પસંદ કરો ને? જવાબ આપો. ‘પૈસો’ અને ‘પરમાત્મા’
એ બંનેય ‘કન્યા’ રાશિના. તમે પસંદ કોને કરો ? પૈસાને કે પરમાત્માને ?
નિયમ વિશ્વસૌંદર્યસ્પર્ધાના ટી.વી. પર બતાવાતા જીવંત પ્રસંગો હું ક્યારેય જોઈશ નહીં.
* નિયમ ‘મારા નિમિત્તે આજે કોના કોના દિલને ઠેસ પહોંચી છે'
એ હું દિવસ દરમ્યાન એક વાર તો યાદ કરી જ લઈશ અને એ બદલ અંતરથી માફી પણ માગી લઈશ.
૨૩

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50