________________
૧૨૯ ધન તો એના માલિક માટે પણ ‘ભય’નું કારણ
બની રહે છે જ્યારે ધર્મ? એ કોને માટે નિર્ભયતાનું કારણ નથી
બનતો એ પ્રશ્ન છે.
૧૩૧ વ્યાજ ચૂકવવા જો પૈસા વ્યાજે ન લેવાય તો દુઃખથી છૂટવા પાપના રસ્તે કદમ
શું મંડાય?
૧૩૦ કાદવવાળા રસ્તે ન પડવું એ હજી કદાચ સહેલું છે પરંતુ પ્રલોભનવાળા રસ્તે ઊભા રહી જવા માટે ય પ્રચંડ પરાક્રમની જરૂર પડે છે.
૧૩૨ જળવિહોણા સરોવરની માટીમાં તિરાડો પડી જતી હોય છે. જેની આંખોમાંથી શરમનું
જળ સુકાઈ જાય છે એના જીવનની પવિત્રતામાં કડાકો બોલાઈને જ રહે છે.
નિયમ પરિવારના એક પણ સભ્યને ગલત આદર્શ મળે
એવું વર્તન હું ઘરમાં તો ક્યારેય નહીં કરું.
નિયમ ધર્મસ્થાનોમાં તો મારી આંખોને વિજાતીય તરફ જતી હું અચૂક રોકીશ.