Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 33
________________ ૧૨૯ ધન તો એના માલિક માટે પણ ‘ભય’નું કારણ બની રહે છે જ્યારે ધર્મ? એ કોને માટે નિર્ભયતાનું કારણ નથી બનતો એ પ્રશ્ન છે. ૧૩૧ વ્યાજ ચૂકવવા જો પૈસા વ્યાજે ન લેવાય તો દુઃખથી છૂટવા પાપના રસ્તે કદમ શું મંડાય? ૧૩૦ કાદવવાળા રસ્તે ન પડવું એ હજી કદાચ સહેલું છે પરંતુ પ્રલોભનવાળા રસ્તે ઊભા રહી જવા માટે ય પ્રચંડ પરાક્રમની જરૂર પડે છે. ૧૩૨ જળવિહોણા સરોવરની માટીમાં તિરાડો પડી જતી હોય છે. જેની આંખોમાંથી શરમનું જળ સુકાઈ જાય છે એના જીવનની પવિત્રતામાં કડાકો બોલાઈને જ રહે છે. નિયમ પરિવારના એક પણ સભ્યને ગલત આદર્શ મળે એવું વર્તન હું ઘરમાં તો ક્યારેય નહીં કરું. નિયમ ધર્મસ્થાનોમાં તો મારી આંખોને વિજાતીય તરફ જતી હું અચૂક રોકીશ.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50