Book Title: Sachitra Sarth Samayika Chaityavandan
Author(s): Jain Sahitya Vikas Mandal Vileparle Mumbai
Publisher: Jain Sahitya Vikas Mandal
Catalog link: https://jainqq.org/explore/001540/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 6 0 0 0 , A () ) _0) () ૦ ૦ ]] >ી શ00 Aસામાયિક-ચૈત્યવંદના SJOGO. NVIN - જૈન સાહિત્ય વિકાસ મંડળ-મુંબઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ સચિત્ર-સાર્થ સામાયિકચૈત્યવંદન પ્રબેધટીકાનુસારી શબ્દાર્થ, અર્થસંકલન તથા સૂત્રપરિચય સાથે પ્રકાશક : જૈન સાહિત્ય વિકાસ મંડળ ઈરલા, વિલેપારલે. મુંબઈ-૫૬ [...] Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : સુબોધચંદ્ર નાનાલાલ શાહ મંત્રી જેન સાહિત્ય વિકાસ મંડળ ૧૧૨, સ્વામી વિવેકાનંદ રોડ, ઇરલ, વિલેપારલે : : મુંબઈ પ૬ [..] દ્વિતીય આવૃત્તિ નકલ ૨૦૦૦ મૂલ્ય રૂા. ૧-૨૫ વિ. સં. ૨૦૨૪ સર્વ હકક સ્વાધીન : મુદ્રક: વૈર્યકુમાર સી. શાહ આશા પ્રિન્ટર્સ ૧૦૮ કેશવજી નાયક રોડ, મુંબઈ ૯. (3. R.). અમારા પ્રકાશને મેળવવાનાં સ્થાન : ૧ મોતીલાલ બનારસીદાસ, બંગલે રોડ, જવાહરનગર, દિહી-૭. ૨ સરસ્વતી પુસ્તક ભંડાર, રતનપિળ, હાથીખાના, અમદાવાદ. ૩ મેઘરાજ પુસ્તક ભંડાર, રર૦, કીકા સ્ટ્રીટ, મુંબઈ-૨. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન આજથી ૧૬ વર્ષો પૂર્વે જન સાહિત્ય વિકાસ મંડળે શ્રી પંચ પ્રતિક્રમણુસૂત્ર પ્રબોધટીકાનુસારી બહાર પાડી તેની હજારે ન છપાવી સકલ શ્રીસંઘમાં તેનો પ્રચાર કર્યો હતો અને શ્રીસંઘે તેને અતિઆદર પૂર્વક સ્વીકાર કર્યો હતે. આ શુદ્ધસંકલને ઘણું ઘણું અશુદ્ધિઓનું પરિમાર્જન કર્યું હતું, વર્ષોથી પ્રતિક્રમણ સૂત્રોમાં દાખલ થઈ ગયેલી અશુદ્ધિઓને જહેમતભર્યા સંશોધનને અંતે દૂર કરી હતી અને તદનુસાર સૂત્રોના અને સુસંગત બનાવ્યા હતા. આ બધી તેની સુવિશેષતા એ હતી. આ પુસ્તકમાંથી સામાયિક અને ચૈત્યવંદનને ભાગ જુદે પાડી તેને સસ્તી કિંમતે આપવામાં આવે તે ધાર્મિક શિક્ષણના અભ્યાસીઓ તથા તે શિક્ષણમાં રસ લેનાર વ્યક્તિઓને તે ઉપયોગી થઈ પડે એવાં વારંવાર સૂચને થવાથી તે પુસ્તકમાંથી સામાયિક અને ચૈત્યવંદનને ભાગ જુદો પાડીને આજથી ૧૩ વર્ષ પૂર્વે તેને પુસ્તકરૂપે પ્રગટ કરવામાં આવ્યો અને તેમાં સુંદર પ્રાસંગિક ચિત્રો ખાસ તૈયાર કરાવીને દાખલ કરવામાં આવ્યા. શ્રી પ્રતિક્રમણુસૂત્ર પરની પ્રબોધટીમામ સૂત્રોની જે પાઠશુદ્ધિ તથા અર્થશુદ્ધિ રહેલી છે, તે ધાર્મિક શિક્ષણમાં યોગ્ય સ્થાન પામે તથા જેન સંધ તેનાથી સુપરિચિત થાય, એ હેતુથી પ્રસ્તુત પુસ્તક તૈયાર કરવામાં આવ્યું. આ પુસ્તકમાં દરેક સૂત્રનું મૂળ નામ તેને મથાળે મોટા અક્ષરોમાં આપવામાં આવ્યું અને પ્રચલિત નામ નીચે કૌંસમાં દર્શાવવામાં આવ્યું. પછી સંશોધિત મૂળપાઠ આપવામાં આવ્યું. તે પછી બે ટેલમમાં શબ્દાર્થ આપવામાં આવ્યો અને જ્યાં તેને લાક્ષણિક કે તાત્પયર્થ જણાવવાની જરૂર જણાઇ, ત્યાં બીજો અર્થ આપીને તેમ કરવામાં આવ્યું. પછી શુદ્ધ ગુજરાતીમાં અર્થસંકલની આપવામાં આવી અને છેવટે સૂત્રપરિચય આપવામાં આવ્યા. તેમાં પ્રસ્તુત સૂત્ર કયારે કેવા હેતુથી બોલાય છે, તે દર્શાવ્યું, અને જ્યાં તેના સંબંધમાં અમુક સંપ્રદાય કે કિંવદન્તી પ્રવર્તે છે, ત્યાં તેવા. સ્વરૂપે તેની રજુઆત કરવામાં આવી. વળી કેટલાક સૂત્રપરિચય પછી. સરલ ભાષામાં ટુંકી પ્રશ્નોત્તરી પણ આપવામાં આવી કે જે સૂત્રને વિષય સ્પષ્ટ કરવા માટે અત્યન્ત ઉપયોગી છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકના પ્રાન્તભાગે સામાયિક લેવાના તથા પારવાના વિધિ તથા દૈવન-ચૈત્યવંદનને વિધિ અને તેના હેતુએ પણ વિસ્તારથી દર્શાવવામાં આવ્યા જેથી પાકને તે તે વિધિનુ રહસ્ય સમજાય અને તેનાં અનુ શીક્ષનમાં આન આવે. આ પુસ્તક અતિષેકપ્રિય બન્યું અને તેથી સામાયિક સૂત્રના આ પુસ્તકના ધાર્યાંથીય વધુ પ્રયાર થતાજ ગયે।. ૫૦૦૦ નકલા તે થાડા જ સમયમાં સમાપ્ત થ♭ગર્યું અને તે માટેની માંગ સતત ચાલુ રહ્યા જ કરી. જૈન સાહિત્ય વિકાસ મ`ડળે નવા નવા સશેાધના પાછળ પેાતાની શક્તિએ શકેલી હાવાથી ધણુ! સમયથી મૂડી આ પુસ્તકાની પુનરાવૃત્તિ કરાવવાનો માગણી છતાં તે માગયુ!ના સ્વીકાર તે કરી શકતું ન હતુ, પરંતુ પ્રેમભરેલો આ માગણીને અસ્ત્રોકાર કર્યાં જ કરવાનું શકય ન જ બની રહ્યું ત્યારે આ પુસ્તકનુ ં પુનમુણુ કરાવવાના નિય થયે અને આ પુસ્તક વાચકે!ના કરકમલમાં મૂકવા અમે ભાગ્યવાન અન્યા છીએ. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં રહી ગયેલી ભૂલાને બીજી આવૃત્તિમાં સુધારી લેવામાં આવી છે, સામાસિક પટ્ટાની વચમાં મૂકવામાં આવેલા અલગ પદ દર્શક ચિહ્નો (~) તે કાઢી નાખવામાં આવ્યા છે. લેગસસૂત્ર તથા ત્રસગઢ઼ર સૂત્ર પર મડળે વર્ષાં લગી કરેલા સાધનને અનુસારે નક્કી થયેલા અર્ધાંને તે તે સૂત્રોમાં મૂક વામાં આવ્યા છે અને આ બધા દ્વારા આ આવૃત્તિને વિશેષ શુદ્ધ તેમજ આદરણીય બનાવાના પ્રયત્ન અમે કર્યો છે. આટલું. છતાંય અમે છદ્મસ્થ છીએ, ભૂલે થવી એ અમારા માટે સહજ છે અને તેથી સકલ શ્રીસ ંધને વિનંતિ કરીએ છીએ કે હજી પણ આ પુસ્તકમાં જ્યાં કયાંય પણ ભૂલેા રહી ગયેલી દેખાય તે તરફ અંગુલિનિર્દેશ કરે જેથી ભવિષ્યમાં તેનુ પરિમાર્જન કરી શકાય. અમારા આ પ્રયાસમાં જે મહાનુભાવાએ અમને પેાતાની પ્રેરણા તથા સહુકાર આપ્યા છે તેમના પ્રાન્તે આભાર માનું છું. વૈશાખ સુદિ ૧૫, રવિવાર નિવેદક— વિ. સં-૨૦૨૪ તા. ૧૩-૪-}¢ સુઐાધચંદ્ર નાનાલાલ શાહુ ત્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ Page #6 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ wજ , ક YY પ્રકાશકનું નિવેદન... ૧ નમુક્કારે [નમસ્કારમંત્ર] » ૨ પંચિદિયસુત્ત [ ગુરુસ્થાપના સૂત્ર] ૩ થોભનંદસુત્ત [ખમાસમણ સૂત્ર ] ૪ સુગુરુસુખશાતાપૃચ્છા [ ગુરુનિમંત્રણ સૂત્ર પ ઈરિયાવહિયં સુd [ ઇરિયાવહિયં સૂત્ર] ૬ ઉત્તરીકરણ સુત્ત [ તરસ ઉત્તરી” સૂત્ર] ૭ કાઉસ્સગ્ય સુત્ત ] “અન્નત્ય સૂત્ર] ૮ ચઉવીસથય સુi [ લેગસ્સ” સૂત્ર] ૯ સામાઈય સુત્ત [ કરેમિ ભંતે સૂત્ર ] ૧૦ સામાઇયપારણુસૂત્ત [ સામાયિક પારવાનું સૂત્ર] ... ૧૧ જગચિંતામણિ સુત્ત [ જગચિંતામણિ ત્યવંદન ] ૧૨ તિથૈવંદણ સુત્ત [ ‘જ કિચિ” સૂત્ર]. ૧૩ સકસ્થય સુત્ત [ નમેલ્થ શું” સૂત્ર] ૧૪ સવયવંદણાં [ “જાવંતિ ચેઈઆઈ સૂત્ર ] ૧૫ સવ્વસાહુવંદણ સુd [ જાવંત કે વિ સાહૂ' સૂત્ર ) ૧૬ પંચપરમેષ્ઠિનમસ્કારસૂત્રમ [ “નમેષત' સૂત્ર] ૧૭ ઉવસગ્ગહર થd [ ઉપસર્ગહર સ્તોત્ર ] ૧૮ પણિહાણ સુd [ “જય વયરાયું સૂત્ર ] ૧૯ ચેઈથથય સુત્ત [ “અરિહંતઈયાણું” સૂત્ર] ૨૦ કલાક થઈ [ પંચજિન સ્તુતિ ] ૨૧ સામાયિક લેવાની વિધિ ૨૨ સામાયિક પારવાની વિધિ ... ૨૩ દેવદર્શન તથા ચિત્યવંદનને વિધિ ૧૬૧ ૧૭૫ ૨૨. ૮૪ ૮૫ Page #7 -------------------------------------------------------------------------- ________________ પૃ′ ૧૭ ૧૯ ,, ૨૪ ૨૭ ૨૯ ૪૫ ૬૩ ઉ ૭૧ પંક્તિ ૫ 22 23 ૧૫ ૨૨ હા .હ ૨૧ ૧૦ ૧૬ શુદ્ધિ પ ત્ર ક અશુદ્ધ સ્વે,સ્થી વિરાધનાને વાય છે. તિ ક્રિમિ’ તીય રી વર્ત સવ્વચઈયવ ણુ નાણુ નૈવેદ્ય યુદ્ધ સ્વેચ્છાથી વિરાધનાને થાય છે. ખડિત રિžનેસિ તીકરા વા સવ્વચેઈયવંદણુ નિયાણુ નૈવેદ્ય Page #8 -------------------------------------------------------------------------- ________________ 3 જીe e GO 'JP) સુરસરિ સાયર કહ તીરથનાં જળકુંભા ભરી લાવો નિમલ નિજ આતમને કરવા ભા વધારી નવ રા . Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ || 8 મર્દ નમ: || ૧ નમુક્કારો નમસ્કાર મંત્ર] નમો અરિહંતાણું ! નમો સિદ્ધાણું નમો આયરિયાણું નમો ઉવજઝાયાણું નમે એ સવ્વસાહૂણું || ( સિલેગે) એસે પંચનમુક્કારો, સવ્વપાવપણાસણે મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલં પલા શબ્દાર્થ – નમો-નમસ્કાર હે. | સવ્વપાવપણુસણ-સર્વ અરિહંતાણું–અરિહંત ભગ- 3 પાપનો વિનાશ કરનાર, વ તને. સિદ્ધાણું-સિદ્ધ ભગવંતને. સવ-બધાં. પાવ-પા૫. આયરિયાણું–આચાર્ય મહા પણાસણ-વિનાશ કરનાર, રાજેને ઉવજઝાયાણ-ઉપાધ્યાય મહા મંગલાણું–મંગલોનું, મંગલેમાં. - રાજેને. ચ–અને, તથા. એલેકમાં અઢીદ્વીપમાંરહેલા. સલૅસિં–સનું સવસાહૂણં-સર્વ સાધુઓને. પઢમં ઉત્કૃષ્ટ. એસ-. પંચનમુકકાર-પાંચ પરમેષ્ઠીને હવઈ–છે. કરેલે નમસ્કાર. મંગલ-મંગલ. Page #11 -------------------------------------------------------------------------- ________________ અર્થસંકલના – અરિહંત ભગવંતેને નમસ્કાર છે. સિદ્ધ ભગવંતને નમસ્કાર છે. આચાર્ય મહારાજને નમસ્કાર હો. ઉપાધ્યાય મહારાજોને નમસ્કાર હો. લોકમાં રહેલા સર્વસાધુઓને નમસ્કાર હે. આ પાંચ પરમેષ્ઠીને કરેલે નમસ્કાર સર્વ પાપને વિનાશ કરનાર તથા બધાં મંગલેમાં ઉત્કૃષ્ટ મંગલ છે. ૧. સૂત્રપરિચય– આ સૂત્રવડે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવે છે. તેથી તે “પંચ પરમેષ્ઠિ નમરકાર” કે “નમસ્કાર મંત્રીના નામથી ઓળખાય છે. શાસ્ત્રોમાં આ સૂત્રને પંચમંગલ” તથા “પંચમંગલમહાગ્રુતસ્કંધ' તરીકે પણ ઓળખાવેલું છે. નમવાની ક્રિયાને નમસ્કાર કહેવામાં આવે છે. આ ક્રિયા દ્રવ્યથી પણ થાય છે અને ભાવથી પણ થાય છે, તેથી નમસ્કારના દ્રવ્યનમસ્કાર અને ભાવ-નમસ્કાર એવા બે પ્રકારો પડે છે. માથું નમાવવું, હાથ જોડવા, ઘૂંટણે પડવું વગેરે દ્રવ્યનમસ્કાર” કહેવાય છે અને મનને વિષય તથા કષાયમાંથી મુક્ત કરી તેમાં નમ્રતાને ભાવ લાવે, તેને ભાવનમસ્કાર કહેવાય છે. દ્રવ્યનમસ્કાર તથા ભાવનમસ્કારથી નમસ્કારની ક્રિયા પૂર્ણ થઈ ગણાય છે. નમસ્કાર-મંત્રનું સ્મરણ કરવાથી સર્વ અશુભ કર્મોને નાશ થાય છે તથા સર્વશ્રેષ્ઠ મંગલ થયું ગણાય છે, તેથી શાસ્ત્રને અભ્યાસ કરવો હોય, શાસ્ત્રને ઉપદેશ દેવો હૈય, ધાર્મિક ક્રિયા કરવી હોય, ધાર્મિક ઉત્સવ કરવો હેય અથવા માઈ પણ શુભ કાર્ય કરવું હેય, Page #12 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર તો શરૂઆતમાં તેનું સ્મરણ કરવામાં આવે છે. વળી ઊંઘતાં, જાગતાં, ભજન કરતાં, પ્રવાસે જતાં, તેમજ મરણ નજીક આવતાં પણ તેનું શરણુ લેવામાં આવે છે. આ સૂત્રમાં ૬૮ અક્ષરો છે, ૮ સંપદાઓ છે અને ૯ પદે છે, તે આ પ્રમાણે અક્ષરે સંપદા | ૫૬ - નમે અરિહંતાણું ... પહેલી | પહેલું નમો સિદ્ધાણું બીજી બીજ નમો આયરિયાણું ત્રીજુ નમો ઉવઝાયાણું ચેથી ચોથું નમો લોએ સવ્વસાહૂણું પાંચમી પાંચમું એસો પંચ નમુક્કારે છઠ્ઠી | સવ્વપાવ પણાસણે સાતમી સાતમું મંગલાણં ચ સન્વેસિ આઠમી આઠમું પઢમં હવઈ મંગલ ,, | નવમું પંચપરમેષ્ઠી પ્રશ્ન–પરમેષ્ઠી કોને કહેવાય? ઉત્તર–જેઓ પરમે એટલે પરમપદમાં કે ઊંચા સ્થાનમાં “શ્વિની એટલે રહેલા હોય, તેને પરમેષ્ઠી કહેવાય. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ સર્વ જીવોમાં ઊંચે સ્થાને રહેલા છે, તેથી તેમને પરમેષ્ઠી કહેવામાં આવે છે. પ્રશ્ન-પાંચ પરમેષ્ઠીમાં દેવ કેટલા અને ગુરુ કેટલા ? ઉત્તર–પાંચ પરમેષ્ઠીમાં અરહિંત અને સિદ્ધ એ બે દેવ છે અને આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ એ ત્રણ ગુરુ છે. " Page #13 -------------------------------------------------------------------------- ________________ ૪ પ્રશ્ન–અરિહંતને અર્થ શો ? ઉત્તર–અરિહંત એટલે રાજા-મહારાજાઓ તથા દેવો વગેરેથી પૂજા વાને યોગ્ય વીતરાગ મહાપુરુષ. પ્ર–અરિહંતને બીજો અર્થ છે? ઉત્તર–અરિ એટલે શત્રુ અને હેત એટલે હણનાર. જે પરમ પુરુષે કર્મરૂપી શત્રુને હણ્યા છે, તે અરિહંત. પ્રશ્ન–અરિહંત ભગવાન કેવી રીતે ઓળખાય છે? ઉત્તર–અરિહંત ભગવાન બાર ગુણોથી ઓળખાય છે. પ્રશ–તે કેવી રીતે ? ઉત્તર–(૧) જ્યાં અરિહંત ભગવાનનું સમવસરણ રચાય છે, ત્યાં દેવ તાએ તેમનાં શરીરથી બાર ગણું ઊંચું અશોકવૃક્ષ રચે છે. (૨) પુપોની વૃષ્ટિ કરે છે. (૨) દિવ્યધ્વનિથી તેમની દેશનામાં સૂર પૂરે છે, (૪) ચામર વીંઝે છે, (૫) બેસવાને માટે રત્નજડિત સુવર્ણનું સિંહાસન રચે છે, (૬) મસ્તકની પાછળ તેજને સંવરી લેનારું ભામંડળ રચે છે, (નહિ તો અતિ તેજને લીધે ભગવાનનું મુખ જોઇ શકાય નહિ) (૭) દુંદુભિ વગાડે છે અને (૮) મસ્તકની ઉપર ત્રણ મનહર છત્રો રચે છે. આ આઠ ગુણોને આઠ પ્રાતિહાર્ય કહેવામાં આવે છે, કારણ કે તે પ્રતિહારી (રાજસેવક)ની જેમ સાથે રહે છે. (૯) તેઓ જ્ઞાનાતિશયવાળા હોય છે, એટલે સમસ્ત વિશ્વનું સંપૂર્ણ સ્વરૂપ જાણે છે. (૧) તેઓ પૂજાતિશયવાળા હેય છે, એટલે દેવ-દાનવો પણ તેમની પૂજા કરે છે. (૧૧) તેઓ વચનાતિશયવાળા હોય છે, એટલે તેમના કહેવાને અર્થે દેવ, મનુષ્ય અને પશુ (તિર્યંચ) પણ સમજી જાય છે, અને Page #14 -------------------------------------------------------------------------- ________________ (૧૨) તેઓ અપાયાપગમાતિશયવાળા હેય છે, એટલે જ્યાં - જ્યાં વિચરે છે, ત્યાંથી અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ (દુષ્કાળ), રોગ, : મરકી વગેરે અપાને (અનિષ્ટને) નાશ થઈ જાય છે. પ્રસિદ્ધનો અર્થ શું ? ઉત્તર–જેણે કર્મના સંપૂર્ણ નાશ વડે પિતાનું શુદ્ધ સ્વરૂપ પ્રકટ * કરેલું છે, તેવો આત્મા. પ્રમ–સિદ્ધ ભગવાન કેવી રીતે ઓળખાય છે? ઉત્તર-સિહ ભગવાન નીચેના આઠ ગુણથી ઓળખાય છેઃ (૧) અનંતજ્ઞાન, (૨) અનંતદશન, (૩) અનંતઅવ્યાબાધ સુખ (4) અનંતચારિત્ર, (૫) અક્ષયસ્થિતિ, (૬) અરૂપીપણું, (૭) અગુરુલઘુ (જેનામાં ઊંચાપણાને કે નીચા પણાને વ્યવહાર થઈ શકે નહિ) અને (૮) અનંતવીય. પ્રશ્ન–આચાર્ય કાને કહેવાય ? ઉત્તર–જે સાધુ ગચ્છના વડા હોય, આચારનું સારી રીતે પાલન કરતા હોય અને બીજાને તે આચાર પાળવાનો ઉપદેશ આપતા હૈય, તે આચાર્ય કહેવાય. તેઓ પાંચ ઇંદ્રિના વિષયોને જીતનારા હોય છે, બ્રહ્મચર્યની નવ વાડાનું પાલન કરનારા હોય છે, ચાર પ્રકારના કષાયોથી રહિત હોય છે, પાંચ મહાવ્રતને પાળનારા હેય છે, તથા પાંચ સમિતિ અને ત્રણે ગુપ્તિનું પાલન કરનારા હોય છે. આમ તેઓ છત્રીશ ગુણ વડે ઓળખાય છે.* પ્રશ્ન-ઉપાધ્યાય કોને કહેવાય ? ઉત્તર–જે સાધુ જ્ઞાન અને ક્રિયાને અભ્યાસ કરાવે તે ઉપાધ્યાય કહેવાય. તેમની ઓળખાણ નીચેના પચીશ ગુણેથી થાય છે ? અગિયાર અંગશાસ્ત્રો તથા બાર ઉપાંગશાસ્ત્ર ભણાવવા, તેમ જ ચારિત્ર તથા ક્રિયામાં કુશલ થઈને અન્ય સાધુઓને તેમાં કુશલ કરવા. આ ગુણોની ગણના બીજી રીતે પણ થાય છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રમ–સાધુ કોને કહેવાય? ઉત્તર-નિર્વાણુ અથવા મેક્ષમાર્ગની સાધના કરતા હોય તેને સાધુ કહેવાય. તેમની એાળખાણ નીચેના સત્તાવીશ ગુણઈવડે થાય છે? તેઓ પાંચ મહાવ્રતનું પાલન કરે છે,પ રાત્રિભોજનને ત્યાગ કરે છે, છકાય છની રક્ષા કરે છે. પાંચ ઇન્દ્રિ પર સંયમ રાખે છે, ત્રણ ગુપ્તિનું પાલન કરે છે, તેમ રાખતા નથી, ક્ષમા ધારણ કરે છે, મનને નિર્મળ રાખે છે, વસ્ત્ર વગેરેની શુદ્ધ પડિલેહણ કરે છે, પ્રેક્ષા-ઉપેક્ષાદિ સંયમ પાળે છે, તથા પરિષહ અને ઉપસર્ગો સહન કરે છે.' આ રીતે પંચપરમેષ્ઠીને કેટલા ગુણ થયા ! ઉત્તર –એક ને આઠ. ૧૨ + ૮+ ૩૬ + ૨૫ + ૭ = ૧૦૮. ૨ ૫ચિદિયસુત્ત [ગુરુસ્થાપના સૂત્ર] [ ગાહા ] પંચિંદિયસંવરણેતહ નવવિહબંભરગુત્તિધરે છે ચઉવિકસાયમુક્કો, ઈઅ અકાસગુણહિં સંજુ ૧ પંચમહેશ્વયજુત્ત, પંચવિહાયારપાલણસમસ્થા પંચસમિઓ તિગુત્તો, છત્તીસગુણે ગુરુ મઝ મેરા Page #16 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ – પચિંદિયસંવરણે-પાંચ અારસગુણે હિં-અઢાર ગુણો ઈન્દ્રિયોને કાબૂમાં રાખનારા. પંચિંદિય-પાંચ ઇન્દ્રિયને. સંજુરો-યુક્ત, સહિત. સંવરણો-કાબૂમાં રાખનારા. પંચમહત્વયજુત્તો-પચિ તાહ-તથા મહાવ્રતાથી યુક્ત. પંચ-પાંચ. મહન્વય-મહાવ્રત, નવવિહબભગુત્તિધરે સાધુઓનાં વ્રત. જુનો-યુક્ત. નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિ પંચવિહાયારપાલણસમા(વાડ)ને ધારણ કરનારા. પાંચ પ્રકારના આચાર પાળવામાં નવવિ-નવ પ્રકારની. સમર્થ. બંજરગુત્તિ-બ્રહ્મચર્યની પંચવિહ-પાંચ પ્રકારના. ગુપ્ત (વાડ)ને. આયાર-મર્યાદાપૂર્વક વર્તવાની ધર–ધારણ કરનારા. ક્રિયા, આચાર. ચઉવિકસાયમુકો-ચાર પાલણસમથો-પાળવામાં સમર્થ. પ્રકારના કષાયથી મૂકાયેલા. પંચસમિઓ-પાંચ સમિતિઓથી યુકત. ચવિહ-ચાર પ્રકારના. તિગુત્ત-ત્રણ ગુપ્તિઓથી યુક્ત. કસાયકષાયથી. છત્તીસગુણે-છત્રીસ ગુણોવાળા. મુક્કો-મુક્ત, મૂકાયેલા. ગુ -ગુરુ. ઈ -આ. મઝ-મારા. અર્થ સંકલના– પાંચ ઈન્દ્રિયેને કાબૂમાં રાખનારા, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનારા, Page #17 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના કષાયથી મૂકાયેલા, આ અઢાર ગુણો વડે સહિત, પાંચ મહાવ્રતોથી યુક્ત, પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ, પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓથી યુક્ત, (આ રીતે) છત્રીશ ગુણવાળા મારા ગુરુ છે. સૂત્રપરિચય– સઘળી ધાર્મિક ક્રિયાઓ ગુરુની આજ્ઞા લઈને તેમની સમક્ષ કરવી જોઈએ, પરંતુ જ્યારે તેવો યોગ ન હોય અને ધાર્મિક ક્રિયા કરવી હોય ત્યારે જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં ઉપકરણોમાં તેમની સ્થાપના કરીને કામ ચલાવવામાં આવે છે. આવી સ્થાપના કરતી વખતે આ સૂત્ર બેલાય છે. ગુ પ્રશ્ર–ગુરુ ઠેને કહેવાય ? ઉત્તર–જે અજ્ઞાનને દૂર કરે તે ગુરુ કહેવાય. પ્રશ્ન– ગુરના કેટલા પ્રકારો છે? ઉત્તર–ગુના બે પ્રકાર છેએક સદ્દગુરુ અને બીજા કુગુરુ. પ્રશ્ન–સશુરુ કોને કહેવાય? ઉત્તર–જે પિતે તરે અને બીજાને તારે તે સદ્ગ કહેવાય. પ્રશ્ન- કુગુરુ કોને કહેવાય ? ઉત્તર––જે પિતે ડૂબે અને બીજાને પણ ડૂબાડે તે ગુરુ કહેવાય. પ્રમ– સશુનાં લક્ષણ કયાં? ઉત્તર–ગુરુ સ્પર્શનેંદ્રિય ( ચામડી), રસનેંદ્રિય (જીભ), ઘાણે Page #18 -------------------------------------------------------------------------- ________________ દ્રિષ ( નાક ), ચક્ષુરિંદ્રિય ( આંખ ) અને શ્રોત્ર દ્રિય ( કાન ) એ પાંચ ઈંદ્રિયાને કાબૂમાં રાખનારા હાય. પ્રશ્ન—વળી બીજાં લક્ષણા શું હુંાય ? ઉત્તર્——સદ્ગુરુ નવ વાડથી બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન કરે. જેમકે(૧) સ્ત્રી, પશુ અને નપુસથી રહિત સ્થાનમાં રહે. (ર) સ્ત્રીએ સમ્ધી વાતે કરે નહિ. (૩) સ્ત્રી જે આસન પર બેઠેલી હાય તે આસન પર એ ઘડી સુધી એસે નહિ. (૪) સ્ત્રીઓનાં અંગેપાંગ આસક્તિથી જુએ નહિ. (૫) ભીંતનાં આંતરે ઓ-પુરૂષનું જોડુ રહેતુ હેાય તેવા સ્થાનમાં રહે નહિ. (૬) પૂર્ણાંક લમાં સ્ત્રીની સાથે જે ક્રીડા કરી ઢાય, તેનું સ્મરણ કરે નહિ. (૭) માદક આહારપાણી વાપરે નહિ. (૮) પ્રમાણથી વધારે આહાર કરે નહિ. (પુરુષના આહારનું પ્રમાણુ ૩૨ કાળિયા છે અને સ્ત્રીના આહારનું પ્રમાણુ ૨૮ કાળિયા છે.) (૯) શરીરને શણગારે હેિ. પ્રશ્ન—વળી બીજા લક્ષણા શુ ાય ? ઉત્તર —સદ્ગુરુ ચાર પ્રકારના કષાયાનું સેવન કરે નહિ. જેમ કે (૧) ક્રોધ કરે નહિ. (ર) માન રાખે નહિ. (૩) માયા ( કપટ ) રાખે નહિ. (૪) લાભ-લાલચમાં પડે નહિં. પ્રશ્ન~વળી બીજા લક્ષણો શું હોય? Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ઉત્તર—સદ્ગુરુ પાંચ મહાવ્રતાનું ખરાખર પાલન કરે. જેમ કે— (૧) મન, વચન, કાયાથી કાઈ પ્રાણીની હિંસા કરે નહિ. (ર) મન, વચન, કાયાથી અસત્ય મેલે નહિ. (૩) મન, વચન, કાયાથી ન દીધેલુ' લે નહિ. (૪) મન, વચન, કાયાથી મૈથુન સેવે નહિ. (૫) મન, વચન, કાયાથી પરિગ્રહ રાખે નહિ. પ્રશ્ન—વળી ખીજાં લક્ષણે શુ* હ્રાય ? ઉત્તર—સદ્ગુરુ પાંચ આચારાનું પાલન કરે, જેમ કે— (૧) જ્ઞાનાચાર પાળે. (૨) દનાચાર પાળે. (૩) ચારિત્રાચાર પાળે. (૪) તપાચાર પાળે. (૫) વીચાર પાળે. પ્રશ્ન~વળી બીજા લક્ષણા થ્રુ હાય ! ઉત્તર—સદ્ગુરુ પાંચ સમિતિએ અને ત્રણ ત્રુપ્તિઓનુ પાલન કરે. જેમ કે (૧) ચાલવામાં સાવધાની રાખે. (૨) ખેલવામાં સાવધાની રાખે. (૩) આહાર પાણી મેળવવામાં સાવધાની રાખે. (૪) વસ્ત્ર, પાત્ર લેવા-મૂકવામાં સાવધાની રાખે. (૫) મૂત્ર–પુરીષ વગેરે પરાવવામાં સાવધાની રાખે. અને (૧) મન પર પૂરેપૂરી કાબૂ રાખે. (૨) વચન પર પૂરેપૂરા કાબૂ રાખે. (૩) કાયા પર પૂરેપૂરા કાબૂ રાખે. આ પ્રકારે છત્રીશ લક્ષણેાથી સદ્ગુરુ પરખાય અને તેમનાં ચરણની સેવા કરતાં જન્મ સફળ થાય. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૩ ભવિંદસુત્ત [ખમાસમણ સૂત્ર મૂળ-- ઈચ્છામિ ખમાસમણે ! વંદિઉં, જાવણિજજાએ નિસીહિઆએ, મીએણુ વંદામિ છે શબ્દાથ – ઈચ્છામિ-હું ઇચ્છું છું. નિશીહિઆએ-પાપ-પ્રવૃત્તિને ખમાસમણે !–હે ક્ષમાવાળા ત્યાગ કરીને અથવા અવિનય સાધુજી! આશાતના ખમાવીને. વંદિઉં–વંદન કરવા. મર્થીએણ-મસ્તક વડે, મસ્તક જાણિજજાએ–શક્તિ સહિત વગેરે પાંચે અંગે નમાવીને. અથવા સુખશાતા પૂછીને. | વંદામિ–હું વંદન કરું છું. અર્થસંકલના હે ક્ષમાવાળા સાધુજી! આપને હું સુખશાતા પૂછીને તથા અવિનય-આશાતના ખમાવીને વંદન કરવા ઈચ્છું છું. મસ્તક વગેરે પાંચે અંગે નમાવીને હું વંદન કરું છું. સૂત્રપરિચય– ગુરુવંદનના ત્રણ પ્રકાર છે: (૧) ફિદાવંદણ, (૨) ભવંદણુ અને (૩) બારસાવવંદણ. તેમાં રસ્તે ચાલતાં માત્ર માથું નમાવીને જે વંદન કરવામાં આવે છે, તે “ફિટ્ટાવંદણ કહેવાય છે, ઊભા રહીને તથા શરીરનાં પાંચ અંગે નમાવવા પૂર્વક જે વંદન કરવામાં આવે Page #21 -------------------------------------------------------------------------- ________________ છે, તે “ભવંદણ કહેવાય છે, અને સવારે તથા સાંજે બાર આવત પૂર્વક જે વંદન કરવામાં આવે છે. તે બારસાવવંદ' કહેવાય છે. આ સૂત્ર શૈભવંદણ કરતાં બેલાય છે અને ખમાસમણ' શબ્દ ઉપરથી “ખમાસમણ સૂત્ર' તરીકે ઓળખાય છે. ક્ષમાશ્રમણ પ્રશ્ન—ખમાસમણ શબ્દનો અર્થ શો ? ઉત્તર–હે ક્ષમાસમણુ! અથવા હે ક્ષમાશ્રમણ ! પ્રશ્ન–ક્ષમાસમણું કોને કહેવાય ? ઉત્તર-જે સમણ ક્ષમા વગેરે દશ પ્રકારને યતિધર્મ પાળે તે ક્ષમા સમણ કહેવાય. પ્રશ્ન–સમણ કોને કહેવાય ? ઉત્તર જે સાધુ બધા જીવો સાથે સમભાવથી વર્તે તે સમણ કહેવાય. પ્રન–શ્રમણ કેને કહેવાય ? ઉત્તર–જે સાધુ પાંચ ઇનેિ કાબૂમાં રાખવા માટે શ્રમ કરે, તે શ્રમણ કહેવાય; અથવા જે સાધુ આત્મશુદ્ધિ માટે શ્રમ એટલે તપશ્ચર્યા કરે, તે શ્રમણ કહેવાય. પ્રશ્ન-યતિધર્મના દશ પ્રકારે કયા ? ઉત્તર–(૧) ક્ષમા રાખવી, (૨) મૃદુતા રાખવી, (૩) સરલતા રાખવી, . (૪) પવિત્રતા રાખવી, (૫) સત્ય બોલવું, (૬) સંયમ પાળ, (૭) તપ કરવું, (૮) ત્યાગવૃત્તિ રાખવી, (૯) પિતાની પાસે પસેટ રાખવો નહિ અને (૧૦) બ્રહ્મચર્યનું પાલન કરવું. પ્રશ્ન–પંચાંગપ્રણિપાત કોને કહેવાય? ઉત્તર––બે હાથ, બે ઘૂં ટણ અને મસ્તક એ પાંચ અંગે ભેગાં કરીને જે પ્રણામ કરવામાં આવે તેને પંચગપ્રણિપાત કહેવાય. થેભવંદણુ કરતી વખતે આ પંચાંગપ્રણિપાત કરવામાં આવે છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ 'ઇરછામિ ખમાસમણો વંદિઉં જાણિએ નિશીહિએ, મથએ વંદાપ્તિ. પંચાંગ પ્રણિપાત Page #23 -------------------------------------------------------------------------- ________________ ૪ સુસુખશાતા પુચ્છા [ ગુરુનિમંત્રણુસૂત્ર ] મૂળ~~ ઈચ્છકાર ! સુહરાઇ ! (સુહદેવસિ! ) સુખતપ ! શરીરનિરાખાધ ? સુખ સજમ જાત્રા નિર્વાહા । જી : સ્વામી ! શાતા છે જી ? ૧૪ [અહી ગુરુ જવાબ આપે દેવગુરુ પસાય’. તે સાંભળીને શિષ્ય કહેઃ ] ભાતપાણીના લાભ દેજો જી શબ્દા— ઈચ્છકાર !−ઢે ગુરુજી ! આપની ઈચ્છા હાય તે પૂ સુહરાઇ ?–રાત્રિ સુખ-પૂર્ણાંક પસાર થઇ ? (સુદાસ ?-દિવસ સુખપૂર્ણાંક પસાર થયા ? ) સુખતપ ?-તપશ્ચર્યાં સુખ પૂર્ણાંક થાય છે ? શરીરનિરાબાધ ? –શરીર પીડા રહિત છે ? સુખ સજમ જાત્રા નિહા છે. જી? –આપ ચારિત્રનુ પાલન સુખ-પૂક કરી શકે છે? આપની સયમયાત્રાના નિર્વાહ સુખે કરીને થાય છે? સજમ-ચારિત્ર.જાત્રા--પ્રવૃત્તિ, નિર્વાહ--પાલન. ભાતપાણી-આહાર પાણી. * અહીં. ભકત–પાનના અર્થમાં ભાત-પાણી ખેલાય છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ - ૧૫ અથસંકલન– [ શિષ્ય ગુરુને સુખશાતા પૂછે છે, તે આવી રીતેઃ] હે ગુરુજી! આપની ઈચ્છા હોય તે પૂછું. રાત્રિ સુખપૂર્વક પસાર થઈ? (અથવા દિવસ સુખપૂર્વક પસાર થયે ? ) આપની તપશ્ચર્યા સુખપૂર્વક થાય છે ? આપનું શરીર પીડા રહિત છે ? વળી, હે ગુરુજી ! આપની સંયમયાત્રાને નિર્વાહ સુખે કરીને થાય છે? હે સ્વામી ! આપને સર્વ પ્રકારે શાતા છે ? [ ગુરુ કહે છે–દેવ અને ગુરુની કૃપાથી તેમજ છે.” શિષ્ય આ વખતે પોતાની હાદિક ઈચ્છા વ્યક્ત કરે છે. ] મારે ત્યાંથી આહાર–પાણી વહેરી ધર્મને લાભ આપવા કૃપા કરશે.” [ ગુરુ એ આમંત્રણને સ્વીકાર કે ઈનકાર ન કરતાં વર્તમાનગ”—જેવી તે સમયની અનુકૂલતા. સૂત્રપરિચય– ગુરુને સુખશાતા પૂછવા માટે આ સૂત્રનો ઉપયોગ થાય છે. તેમાં પહેલું એ પૂછવામાં આવે છે કે “ હે ગુરુજી ! રાત્રિ સુખપૂર્વક પસાર થઈ અર્થાત આપે જે રાત્રિ ગાળી તેમાં કોઈ પ્રકારની અશાતા તો નથી થઈ? જે વંદન દિવસના બાર વાગ્યા પછી કરવામાં આવ્યું હેય તે રાત્રિની જગાએ દિવસ બોલાય છે. તેનો અર્થ એ છે કે આપે જે દિવસ ગળ્યો, તેમાં કોઈ પ્રકારની અશાતા તો નથી થઈ ? બીજો પ્રશ્ન એ પૂછવામાં આવે છે કે આપ જે તપશ્ચર્યા કરી રહ્યા છે, તેમાં કોઈ પ્રકારનું વિન તો નથી આવતું ? ત્રીજો પ્રશ્ન એ Page #25 -------------------------------------------------------------------------- ________________ પૂછવામાં આવે છે કે આપનું શરીર પીડારહિત છે ? અર્થાત આપને નાની-મેટી કઈ વ્યાધિ પીડા તે ઉપન્ન નથી કરતી ને ? અને એ પ્રશ્ન એ પૂછવામાં આવે છે કે આપ ચારિત્રનું પાલન સુખપૂર્વક કરી શકો છો ? આ પ્રશ્નો પૂછવાને હેતુ એ છે કે ગુને તપ-સંયમ વગેરેની આરાધના કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડતી હોય તે ઉપયોગી થવું. પછી ગુરુને આહાર-પાણુ માટે નિમંત્રણ આપવામાં આવે છે, પણ ગુરુ પિતાને સાધુધમ વિચારી “વર્તમાન ગ” એટલે “જેવો તે સમયને સંયોગ” એવો જવાબ આપે છે. પ ઈરિયાવહિયંસુરં || ‘ઈરિયાવહિય સત્ર) પીઠિકા ઇચ્છાકારેણ સંદિસહ ભગવં! ઈરિયાવહિયં પડિક્રમામિ ! ઈચ્છા મૂળ – ઇચ્છામિ પડિકમિઉં ઈરિયાવહિયાએ વિરાહણાએ ! ગમણગમણે ! પાણુક્રમણે, બીયક્રમણે, હરિક્રમણ, એસાઉરિંગપગદગમટ્ટીમક્રવાસંતાણસંકમાણે છે જે મે જવા વિરાતિયા | એબિંદિયા, બેઈદિયા, તેઈદિયા, ચઉરિદિયા, પંચિંદિયા ! Page #26 -------------------------------------------------------------------------- ________________ અભિહયા, વત્તિયા, લેસિયા, સધાઈયા, સંઘટ્ટિયા, પરિયાલિયા, કિલામિયા, ઉદ્વિયા, ઠાણાએ ઠાણું સકામિયા, જીવિયા વવરેાવિયા, તરસ મિચ્છામિ દુક્કડ' I શબ્દા ઈચ્છાકારેણુ–સ્વેચ્છાચ્છી. સદિસહુ-આજ્ઞા આપે. ભગવ !-હે ભગવન્ ! ઈરિયાવહિયં પરિમાસિ– અયોપથિકી ક્રિયાનુ પ્રતિક્રમણુ કરુ છુ. ઈર્ષ્યાપથને લગતી ક્રિયા તે અય્યપથિકી. Īપથ-જવા આવવાને રસ્તા. પ્રતિક્રમણ પાછા ફરવાની ક્રિયા. પ્રતિપાછુ. ક્રમણ કરવું તે. ઈચ્છું છુ ઇચ્છામિ-ચ્છુિં છું. પદ્ધિમિઉં-પ્રતિક્રમણ કરવાને, ઇરિયાવહિયાએ વિરહણાએ -અ*પથિકી ક્રિયા અંગે લાગેલા અતિચારથી. વિરાહા–વિકૃત થયેલી 'આરાધન દાસ. ગમાગમણે-કાય–પ્રયેાજને જવામાં અને ત્યાંથી પાછવળવામાં. ૧૭ પાણમણે-પ્રાણીઓને ચાંપતાં. મીયમણે-ખીને ચાંપતાં. હેરિયમણે—લીલેતરીને ચાંપતાં આસા-ઉત્તિ ગપણગ-દ્રુગ - મટ્ટી – મહાસંતાણા સંક્રમણે-ઝાળ, કીડિયારું, લીલ-ફૂગ, કાદવ અને રીળિયાની જાળને ચાંપતાં. આસા-ઝાકળ, ઉત્તિ ગ–કાRsિયારું’. પગ-લીલ—ફૂગ, ડ્રગમટ્ટી-કાવ. મઢડા-સતાણારાળિયાની જાળ ૨ થા—જે પ્રાણી. મે વિરાહિયા–મારાથી દુઃખ પામ્યા હાય. એગિક્રિયા-એક ઇંદ્રિયનાળા વા એઇ ક્રિયા-એ ઇંદ્રિયવાળા જીવે. તૈઇંદ્રિયા-ત્રણ-ઇંદ્રિયવાળા જીવા. રિક્રિયા ચાર ઇંદ્રિયવાળા વા. પચિક્રિયા-પાંચ ઇંદ્રિયવાળા વા. અભિયા-લાતે મરાયા હોય, વત્તિયા-ધૂળ વડે ઢંકાયા ટ્રાય Page #27 -------------------------------------------------------------------------- ________________ લેસિયા-ભેય સાથે ઘસાયા હોય. ઠાણાઓ ઠાણું–એક સ્થાનેથી સંઘાઈયા–અરસપરસ શરીર બીજા સ્થાને. વડે અફળાવાયા હાય. સંકામિયા-ફેરવાયા હેય. સંઘટ્ટિયા-થોડો સ્પર્શ કરાયા જીવિયાએ વવવિયા-જીવહોય. નથી છૂટા કરાયા હેય પરિયાવિયા-દુઃખ ઉપજાવાયા તસ્ય–તે સર્વ અતિચારનું. મિચ્છા-મિથ્યા. કિલામિયા ખેદ પમાડાયા હેય. મિ–મારું. ઉદ્દવિયા-બિવરાવાયા હેય. | દુક્કડં-દુષ્કત. અર્થસંકલના– હે ભગવંત ! સ્વેચ્છાથી ઈપથિકી-પ્રતિક્રમણ કરવાની મને આજ્ઞા આપે. [ ગુરુ તેને પ્રત્યુત્તરમાં- “પકિકમેહ – પ્રતિક્રમણ કરે ” એમ કહે એટલે ] શિષ્ય કહે કે-હું ઈચ્છું છું આપની એ આજ્ઞા સ્વીકારું છું. હવે હું રસ્તે ચાલતાં થયેલી જીવ વિરાધનાનું પ્રતિકમણ અંતઃકરણની ભાવના પૂર્વક શરૂ કરું છું. જતાં-આવતાં મારા વડે પ્રાણીઓ, બિયાં, લીલેરી, ઝાકળનું પાણી, કીડીનાં દર, સેવાળ, કાચું પાણી, માટી કે કરોળિયાની જાળ વગેરે ચંપાયાં હોય; જતાં-આવતાં મારા વડે જે કઈ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય કે પંચેન્દ્રિય જીવોની વિરાધના થઈ હોય જતાં-આવતાં મારાવડે ઠેકરે મરાયા હેય, ધૂળે કરીને ઢંકાયા હોય, ભેંય સાથે ઘસાયા હોય, અરસપરસ શરીરે વડે અફળાવાયા હોય, થોડા સ્પર્શાયા હોય, દુઃખ Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉપજાવાયા હેય, ખેદ પમાડાયા હોય, બિવરાવાયા ( વાસ પમાડાયા ) હોય, એક સ્થાનેથી બીજા સ્થાને ફેરવાયા હોય કે જીવનથી છૂટા કરાયા હોય, અને તેથી જે કાંઈ વિરાધના થઈ હય, તે સંબંધી મારું સઘળું દુષ્કૃત મિથ્યા થાઓ. સૂત્રપરિચય આ સૂત્રનો ઉપયોગ જાપા-આવવાની ક્રિયા કરતાં જીવોની જે વિરાધના થઈ હૈય, તેનું પ્રતિક્રમણ કરવા માટે થાય છે અને તે જ કારણે સામાયિક, પ્રતિક્રમણ, ચૈત્યવંદન તેમજ દેવવંદન વગેરેમાં આ સૂત્ર બોલાય છે. ચાલવાની ક્રિયા નીચું જોઈને ખૂબ સાવધાની પૂર્ણાક કરવી જોઈએ અને તેમાં કઈ જીવ ચંપાઈ ન જાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ. આમ છતાં શરત-ચૂકથી કે ઉપયોગની ખામીને લીધે જતાંઆવતાં કોઈ પણ જીવ ચંપાઈ ગયા હોય અને તેને કઈ પણ પ્રકારે દુઃખ ઉપજાવ્યું હોય તે આ સૂત્ર વડે તેનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. નાનામાં નાની છા-વિરાધનાને પણ દુષ્કત સમજવું અને તે માટે દિલગીર થવું, એ આ સૂત્રનો પ્રવાન સૂર છે. “ મિચ્છા મિ દુક્કડં' એ ત્રણ પદે પ્રતિક્રમણનું બીજ મનાય છે. ઈરિયાવહી પડિકકમણુના ૧૮૨૪૧૨૦ ભાંગા ગણાય છે. તે આ રીતેઃ છવના ૫૬૩ ભેદે છે, તેની વિરાધના દસ પ્રકારે થાય છે, તેને રાગ-દ્વેષ, ત્રણ કરણ,* ત્રણ યોગ, ત્રણ બાળક અને અરિહંત વગેરે છની સાક્ષીએ ગુણતાં અનુક્રમે ૫૬ ૩ ૪ ૧૦ ૪૨ ૪૩ ૪ ૩ ૪ ૬ =૧૮૨૪૧૨૦ ભેદ વાય છે. કરવું, કરાવવું અને અનુમોદવું. +મન, વચન અને કાયા 'ભૂત, વર્તમાન અને ભવિષ્ય. અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરુ અને આત્મા. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૬ ઉત્તરીકરણુસુત્ત [ ‘તસ્સ ઉત્તરી’ સુત્ર) મૂળ-– તસ્ય– ઉત્તરીકરણું, પાયચ્છિત્તકરણેણં, વિહીકરણેણું, વિસલ્લીકરણેણં, પાવાણું કમ્માણે નિગ્લાયકાએ ઠામિ કાઉસ્સગ્ગ || શબ્દાર્થ—તસ્સ તેનું વિહીકરણણું વિશેષ ચિત્ત જે જીવવિરાધનાનું પ્રતિક્રમણ શુદ્ધિ કરવાવડે. કર્યું તેનું અનુસંધાન કરીને વિસલીકરણું-ચિત્તને શલ્યઆ સૂત્ર કહેવાય છે. રહિત કરવા વડે ઉત્તરીકરણ–વિશેષ આલે- પાવાણું કમ્બાણુંપાપ કર્મોને. ચના અને નિંદા કરવા વડે. નિશ્વાયઠાએ–સંપૂર્ણ નાશ પાયચ્છિત્તકરણેણું–પ્રાયશ્ચિત કરવા માટે. કરવાવડે. ઠામિ કાઉસ્સ-કાયેત્સર્ગ કરું છું. અર્થસંકલના— જીવવિરાધનાનું મેં જે પ્રતિક્રમણ કર્યું તેનું અનુસંધાન કરીને આ સૂત્ર કહું છું. વિશેષ આલોચના અને નિંદા કરવા Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૧ વડે, પ્રાયશ્ચિત્ત કરવાવડે, વિશેષ ચિત્તશુદ્ધિ કરવાવડે તથા ચિત્તને શલ્ય રહિત કરવાવડે, પાપકર્મોને સંપૂર્ણ નાશ કરવા માટે હું કાયોત્સર્ગ કરું છું. સૂત્રપરિચય પ્રતિક્રમણથી સામાન્ય શુદ્ધિ થાય છે અને કાયોત્સર્ગથી વિશેષ શુદ્ધિ થાય છે. તેથી મિચ્છા મિ દુક્કડ રૂ૫ પ્રતિક્રમણ કર્યા પછી કાયોત્સર્ગ કરવામાં આવે છે. આ કાયોત્સર્ગમાં ચાર ક્રિયાઓ કરવાની હોય છે. પહેલી ક્રિયા થયેલા અતિચાર માટે વિશેષ આલેચના અને નિંદા કરવાની હોય છે. બીજી ક્રિયા તે અંગે શાસ્ત્રમાં કહેલું પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાની હોય છે. ઈરિયાવહીના અતિચાર માટે રૂ૫ ઉચ્છવાસનો કાયોત્સર્ગ કરવાથી પ્રાયશ્ચિત લીધું ગણાય છે. ત્રીજી ક્રિયા ચિત્તની વિશેષ શુદ્ધિ કરવાની હોય છે અને એથી ક્રિયા મનની અંદર ઊંડે ઊંડે છુપાઈ રહેલા શ દૂર કરવાની હોય છે. શો ત્રણ છે: માયાશલ્ય, નિદાનશલ્ય, અને મિથ્યાત્વશલ્ય, તેમાં પટ કરવું, દંભ સેવ એ માયા કહેવાય છે, ધર્મકરણીનાં ફલ તરીકે સંસારના સુખભેગની ઈછા કરવી તે નિદાન કહેવાય છે. અને સાચી વસ્તુને ખોટી સમજતી ને ખોટી વસ્તુને સાચી સમજવી તે મિથ્યાત્વ કહેવાય છે. ૭ કાઉસ્સગ્ગસુત્ત [ “અન્નત્થ સત્ર) મૂળ અન્નીઊસિએણું નીસસિએણું ખાસિએણું છીણું ભાઈએણું ઉણું વયનિસગેણં, Page #31 -------------------------------------------------------------------------- ________________ ભમલીએ પિત્તમુચ્છાએ, સુહમેહિં અંગસંચાલેહિં સહમહિં ખેલસંચાલેહિ સુહુમેહિ દિકિસંચાલેહિં, એવભાઈએહિં આગારેહિં; અભગે અવિરાહિએ હુજ એ કાઉસગે જાવ અરિહંતાણું ભગવંતાણં નમુક્કારેણું ન પારેમિ, તાવ કાર્ય ઠાણેણં મેણેણું ઝાણેણં અપાણે વિસિરામિ | શબ્દાર્થ અનW-નીચેના અપવાદ પૂર્વક:- 1 સુમેહિ અંગસંચાલેહિ. ઊસસિએણું–શ્વાસ લેવાથી. સૂક્ષ્મ રીતે શરીર ફરકી નીસિએણું–શ્વાસ મૂકવાથી. જવાથી. ખાસિએણું–ઉધરસ આવવાથી. સુહમેહિં ખેલસંચાલેહિંછીએણું–છીક આવવાથી. સૂક્ષ્મ રીતે કફ વગેરેને જભાઇએણું–બગાસું ખાવાથી. સ ચાર થવાથી. ઉએણું-ઓડકાર આવવાથી. સુહમેહિં દિસંચાલેહિં– વાયનિસગ્ગણું–વાછૂટ સુક્ષ્મ રીતે દષ્ટિ ફરકી જવાથી થવાથી. એવામાઈહિં આગારેહિંભ મલીએ-ચક્કર આવવાથી. ઈત્યાદિ (અપવાદના) પ્રકાર પિત્તમુછાએ-પિત્ત ચડવાને વડે. લીધે મૂછ આવવાથી. અભો -ભાંગેલ નહિ તે. Page #32 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગની બેમુદ્દાઓ Page #33 -------------------------------------------------------------------------- ________________ અવિાહિ-ખંડિત નહિ થયેલા તેવા. હુજ હાજો. એનમારા. કાઉસગ્ગા-કાયાત્મગ', જાવ જ્યાં સુધી. અરિહંતાણ ભગવ તાણ નમુક્રકારેણ –અરહંત ભગ– વાનના નમરકાર વડે, અર્થાત્ “નમે અરિહંતાણું” પદ વડે. ૨૪ ન પારેમિ–પૂર્ણ કરું' નહિ. તાવ-ત્યાં સુધી. કાય–શરીરને. રાણે સ્થાન વર્ડ. માણ્ણ -વાણી-વ્યાપાર સદંતર ધ કરીને. આણ્ણ-ધ્યાન વડે. અપાણ મારી. વેસિરામિતદ્દન તજી દઉં' છું. અ સકલના શ્વાસ લેવાથી, શ્વાસ મૂકવાથી, ઉધરસ અવવાથી, છીંક આવવાથી, બગાસુ આવવાથી, એડકાર આવવાથી, વાછૂટ થવાથી, ચક્કર આવવાથી, પિત્ત ચડવાને લીધે મૂર્છા આવવાથી, સૂક્ષ્મ રીતે શરીર ફકી જવાથી, સૂક્ષ્મ રીતે કફ વગેરેના સંચાર થવાથી, સૂક્ષ્મ રીતે ષ્ટિ સૂકી જવાથી તથા (અગ્નિ સ્પર્શી, શરીર છેદ્દન અથવા સમ્મુખ થતા પંચેન્દ્રિય વધ, ચાર કે રાજાની દખલગીરી અને સર્પ દેશ) ઇત્યાદિ કારણેા ઉપસ્થિત થવાથી જે કાય વ્યાપાર થાય, તેનાથી મારા કાર્યોત્સર્ગ ભાંગે નહિ કે વિરાધિત થાય નહિ, એવી સમજ સાથે હું ઊભા રહીને મૌન ધારણ કરું છુ તથા ચિત્તને ધ્યાનમાં જોડું છુ અને જ્યાં સુધી ‘નમા અરિહંતાણું” એ પદ ખાલીને કાર્યાત્સગ પારુ' નહિ, ત્યાં સુધી મારી કાયાને સંપૂર્ણ ત્યાગ કરું છું. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૫ સૂત્રપરિચય આ સૂત્રમાં કાર્યાત્મગના આગારી ગણાવેલા છે તથા કાયાત્મગને સમય, સ્વરૂપ અને પ્રતિજ્ઞા દર્શાવેલાં છે. તેમાં અન્નત્ય ઊસસિગ્મેણું' થી ‘હુ મે કાઉસગ્ગા' સુધીના ભાગમાં કાર્યાત્મના માગારા છે, જાવ અરિહંતાણું થી ન.પારેમિ તાવ' સુધીના ‘ભાગમાં કાર્યાત્સગનૈા સમય છે, કાય ’.થી ‘ ઝાણેણું ” સુધીના ભાગમાં કાર્યાત્મનું સ્વરૂપ છે અને ‘ અપ્પાણુ વેસિરામિ' એ શબ્દોમાં ઢાયાસની પ્રતિજ્ઞા છે. ' કાર્યાત્મ 6 પ્રશ્ન-કાયાત્સના અથશા? ઉત્તર-કાયાને ઉત્સંગ' તે કાયાત્સર. પ્રશ્ન—કાય એટલે? ઉત્તર-દેહ કે શરીર. પરંતુ અહીં તેને અથ પ્રવૃત્તિવાળું શરીર સમજવાના છે. પ્રશ્ન-ઉત્સગ એટલે ? ઉત્તર-ત્યાગ. પ્રશ્ન—આ રીતે કાચાસના અથ શા થયા ? ઉત્તર-પ્રવૃત્તિવાળા શરીરના ત્યાગ કરવા તે કાયાત્સ`, અર્થાત્ શરીરવડે પ્રવૃત્તિ કરવાનું છેડી દેવું, તેનું નામ કાયાત્સ પ્રશ્ન—શું કાર્યાત્સગ માં શરીર વડે કાઈ જાતની પ્રવૃત્તિ કરવાની હાતી નથી ? ઉત્તર—-કાચેત્સર્ગોમાં શરીર વડેતેટલી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે કે જે યાનમાં સ્થિર રહેવા માટે ઉપયોગી હૈાય. મન—દાખલા તરીકે Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઉત્તર——એક આસને સ્થિર રહેવુ અને વાણીના પ્રવાહને રાકી રાખવે, તે એ જાતની પ્રવૃત્તિ છે. પ્રશ્ન—એ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ થઈ શકે? ઉત્તર્ -- ના. એ સિવાય ઈચ્છાપૂર્વકની ખીજી કાઈ પ્રવૃત્તિ થઈ શકે નહિ, પણ શરીરની કેટલીક પ્રવૃત્તિ એવી છે, જે ઈચ્છા વિના પશુ થયા કરે છે, એટલે તેવી પ્રવૃત્તિઓને કાયાત્મમાં અપવાદ રાખવામાં આવે છે. આવા અપવાદને શાસ્ત્રીય ભાષામાં ‘આગાર’ કહેવામાં આવે છે. પ્રશ્નકાયેટ્સમાં ઠેટલા આગાર રખાય છે ? ઉત્તર—સાળ. તેમાં ખારના નામેા સ્પષ્ટ આપેલાં છે અને ચારનાં નામે ‘એવમાઇએદ્ધિઃ પથી સમજવાનાં છે. પ્રશ્ન—સાળ આગારનાં નામ ગણાવા ? ઉત્તર—(૧) શ્વાસ લેવા, (૨) શ્વાસ મૂકવા, (૩) ખાંસી આવવી, (૪) છીંક આવવી, (૫) બગાસું આવવું, (૬) એડકાર આવવા, (૭) વાછૂટ થી, (૮) ચકરી આવવી. (૯) પિત્તનેા ઉછાળે! આવવેા, (૧૦) સૂક્ષ્મ રીતે અંગ હાલવુ, (૧૧) સુક્ષ્મ રીતે ના ખળખે. હાલવે!, (૧૨) સુક્ષ્મ રીતે દૃષ્ટિ હાલી જવી, તથા (૧૭) અગ્નિ ફેલાતા આવે, (૧૪) કાઈ શિકારી પ્રાણી સામે આવી જાય કે પ ંચેન્દ્રિય પ્રાણીનું છેદન-ભેદન કરવા લાગે, (૧૫) કોઈ ચાર કે રાજ્ર ત્યાં આવીને કુકમ કરવા લાગે અને (૧૬) સર્પદંશ થાય કે થવાની સ ́ભાવના ઊભી થાય તેા તે સ્થાન છે।ડી જવું. તાત્પર્ય કે આટલી વસ્તુએથી કાયાત્સગની પ્રતિજ્ઞાને ભંગ થયા ગણાય નહિ. પ્રશ્ન—કાય।ત્સગ માં શુ કરાય ? ઉત્તર—ધમ ધ્યાન. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૮ ચઉવીસથય સુરં [ લોગસ્સ સત્ર ] [ સિલેગ] લેગસ ઉજ્જો અગરે, ધમ્મતિયરે જિણે અરિહંતે કિન્નઈમ્સ, ચઉવીસ પિ કેવલી ૧ [ ગાહા ] ઉસભામજિઆંચ વદે, સંભવમમિણુંદણું ચ સુમઈ ચા ૫ઉમપહં સુપાસ, જિણું ચ ચંદપહં વદે મેરા, સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલસિજર્જ સવાસુપૂજજં ચ | વિમલમણુતં ચ જિણું, ધમ્મ સંતિ ચ વંદામિ 3. કુંથું અરં ચ મલિં, વંદે મુસુિવયં નમિનિણું ચ વંદામિ રિદિનેમિં, પાસ તહ વક્રમાણું ચ | ૪ એવું મને અભિશુઆ, વિહુયાયમલા પહીજરમરણું ચઉવીસ પિ જિવરા, તિર્થયરા મે પસીયંતુ | ૫ | કિતિયવન્દ્રિય મહિયા, જે એ લેગસ ઉત્તમ સિદ્ધા . આ...બહિલાભ, સમાવિવરમુત્તમ દિg iાદા ચંદેસુ નિમ્મલયરા, આઈચ્છેસુ અહિયં પયાસયરા ! સાગરવરગંભીર, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ ૭ |. Page #37 -------------------------------------------------------------------------- ________________ શબ્દાથલેગલોકને, પચાસ્તિકાય , ચ-અને. સ્વરૂપ લેકને, ચૌદ રાજલોકને. પઉમhહ-શ્રી પદ્મપ્રભુસ્વામી ઉજજે અગરે પ્રકાશ કરનારા- નામના છઠ્ઠા તીર્થકરને. ને. સુપાસ-શ્રી સુપાર્શ્વનાથ નામના ધર્મતિથયરે-ધર્મરૂપી તીર્થને સાતમા તીર્થકરને. પ્રવર્તાવનારાઓને. જિ-જિનને. જિણે-જિનાને, રાગદ્વેષના વિજે- | ચ–અને તાઓને. ચંદષ્પહ-શ્રી ચન્દ્રપ્રભસ્વામી અરિહંત-મહંતોને ત્રિલોક પૂને નામના આઠમા તીર્થંકરને કિસ્સ-હું નાચ્ચારણ પૂર્વક વંદે-વંદુ છું. સ્તવીશ. ચઉવી સં–ચોવીસને. સુવિહિં–શ્રીસુવિધિનાથ નામના પિ- અને, વળી (અર્થાત બીજા નવમા તીર્થકરને. એને પણ) ચ–અથવા. કેવલી-કેવળજ્ઞાનીઓને, મુફદંતં પુષ્પદનને. [શ્રોસુવિ ઉસભા -શ્રીષભદેવ નામના ધિનાથનું આ બીજું નામ છે] પ્રથમ તીર્થકરને. સીઅલસિકંસવાસુપુજજ. અજિઅ-શ્રી અજિતનાથ શ્રી શીતલનાથ નામના દસમા નામના બીજા તીર્થકરને. તીર્થકરને, શ્રીશ્રેયાંસન થ ચ -અને. નામના અગિયારમા તીર્થ કરને, તથા શ્રીવાસુપૂજ્ય સ્વામી સંભવ-શ્રી સંભવનાથ નામના ત્રીજા તીર્થકરને. નામના બારમા તીર્થકરને. ચ–અને. અભિણુંદણું-શ્રીઅભિનંદનસ્વામી નામના ચોથા તીર્થકરને. વિમલં–શ્રીવિમલનાથ નામના ચ-અને. તેરમા તીર્થકરને. -સુમઇ--શ્રી સુમતિનાથ નામના અણુત–શ્રોઅનંતનાથ નામના પાંચમા તીર્થકરને. ચૌદમા તીર્થ કરને. Page #38 -------------------------------------------------------------------------- ________________ ચ–અને. જિણુંજિનને. ધર્મ-શ્રીધર્મનાથ નામના પંદ રમા તીર્થ કરને. સંતિં–શ્રીશાતિનાથ નામના સેળમા તીર્થંકરને ચ–અને. વંદામિ-વંદુ છું. કુંથું-શ્રીકુન્થનાથ નામના સત્ત રમાં તીર્થકરને. અર–શ્રીઅરનાથ નામના અઢા રમા તીર્થ કરને. ચ અને મહિલ-શ્રીમલિનાથ નામના ઓગણીસમા તીર્થકરને. વંદે-વંદુ છું. મુણિસુરવયં–શ્રી મુનિસુવ્રતસ્વામી નામના વશમાં તીર્થકરને. નમિનિણું-શ્રી નમિનાથ ના મની એકવીસમા તીર્થકરને. ચ–અને. વંદામિ-વંદન કરું છું. રિકનેમિ-શ્રીઅરિષ્ટનેમિ અથવા નેમિનાથ નામના બાવીસમા તીર્થકરને. પસં–શ્રીપાર્શ્વનાથ નામના ત્રેવીસમા તીર્થકરને. તહ-તીથી. વદ્ધમાણું- શ્રીવર્ધમાનસ્વામી અથવા શ્રી મહાવીરસ્વામી નામના વીસમા તીર્થકરને. ચ-અને. એવં એવી રીતે. મએ મારા વડે. અભિથુઆ નામપૂર્વકસ્તવાયેલાવિહુ યમલા-દૂર કર્યા છે જ અને મલરૂપી કર્મોને જેમણે. વિહુય–દૂર કર્યા છે. રય–બંધાતાં કર્મ. મલ-પૂર્વે બંધાયેલાં કર્મ. પીણુજરમાણુ-સંપૂર્ણ રીતે નષ્ટ થયા છે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ જેમના એવા. પછીણ-સંપૂર્ણ રીતે નષ્ટ થયા છે. જરા વૃદ્ધાવસ્થા મરણ–મૃત્યુ. ચઉવસં પિ–ચોવીસ અને બીજા. જિવરા-જિનવર,કેવળજ્ઞાનીઓ. તિર્થયરા-તીર્થકરી. મે-મારા ઉપર. પસીયંતુ-પ્રસન્ન થાઓ, પ્રસાદવાળા થાઓ. કિત્તિયવદિયમહિયા–પિત– પિતાના નામથી સ્તવાયેલા, મન વચન કાયા વડે નમસ્કાર કરાયેલા અને પુષ્પ આદિથી Page #39 -------------------------------------------------------------------------- ________________ પુજાયેલા. કિત્તિય–પેાતપેાતાના નામથી સ્તવાયેલા. વદિય–મન, વચન કાયા વડે નમસ્કાર કરાયેલા. મહિય-પુષ્પો આદિથી પૂજાયેલા. જે એ-જે આ. લોગસ્સ-લેાકને વિષે, પ્રાણીસમૂહને વિષે. ઉત્તમા–ઉત્તમ. સિદ્ધા-સિદ્ધ (કૃતકૃત્ય) થયેલા. આરુષ્ત્ર મહિલાભ‘-સિદ્ધપણુ અને તે માટે (ભવતરમાં) શ્રી જિનપ્રણીત ધમ ની પ્રાપ્તિને આરુગ-રાગ ન હૈાય તેવી સ્થિતિ એટલે સિદ્ધપણું મેડિલાભ-પરાકમાં જિનધની પ્રાપ્તિ. ૩૦ સમાહિવર' શ્રેષ્ઠ એવી સમાધિ,ભાવ સમાધિ. ઉત્તમ’-શ્રેષ્ઠ. જિં ́તુ-આપે. ચ દેસુ-ચ-દ્રોથી. નિમ્મલયરા-વધારે વધારે સ્વચ્છ. આઈÅસુ-સૂર્યાથી. અહિંય વધારે નિલ, પચાસયરા-પ્રકાશ (અજવાળુ) કરનારા. સાગરવરગભીરા-શ્રેષ્ઠ સાગર એટલે સ્વયંભૂરમણુ સમુદ્ર, તે કરતાં પણ વધારે ગભીર. સિદ્ધા–કૃતકૃત્ય થયેલા. સિદ્ધિ –સિદ્ધિ મમ-મને. દિસંતુ-પા. અથ સકલના— પંચાસ્તિકાય સ્વરૂપ લેાકના યા તે ચૌદ રાજલેાકના પ્રકાશ કરનારા, ધર્મરૂપી તીર્થ ને પ્રવર્તાવનારા, રાગ-દ્વેષના વિજેતા, કેવળજ્ઞાની એવા ચાવીસેય તેમ જ બીજા પણ (અન્ય ક્ષેત્રમાં થયેલા) અંત્ ભગવાને હું. નામેાચ્ચારણપૂર્વક સ્તવીશ. ૧. શ્રીઋષભદેવ અને શ્રીઅજિતનાથ, શ્રીસ ભવનાથ, શ્રીમિનનસ્વામી, શ્રીસુમતિનાથ, શ્રીપદ્મપ્રભસ્વામી, શ્રીસુપાર્શ્વનાથ અને શ્રીચંદ્રપ્રભજિનને હું વંદન કરું છું. ૨. શ્રીસુવિધિનાથ કે જેમનું બીજું નામ પુષ્પદંત છે તેમને શ્રીશીતલનાથ, શ્રીશ્રેયાંસનાથ, શ્રીવાસુપૂજ્યસ્વામી શ્રીવિમલનાથ, શ્રીઅન તનાથ, શ્રીધમ નાથ તથા શ્રીશોન્તિનાથ જિનને હું વંદન કરુ છુ. ૩. શ્રીકુન્થુનાથ, શ્રીઅરનાથ, શ્રીમલ્લિનાથ, શ્રીમુનિસુવ્રતસ્વામી, શ્રીનમિનાથ, શ્રીઅરિષ્ટનેમિ, શ્રીપાર્શ્વનાથ તથા શ્રીવ માનજિનને (શ્રીમહાવીરસ્વામી)ને હું વંદન કરું છું. ૪. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૧ એવી રીતે મારા વડે નામપૂર્વક સ્તરાયેલા, દૂર કર્યા છે. રજ અને મલરૂપી કને જેમણે અને જેમનાં જરા મરણ સંપૂર્ણ રીતે નષ્ટ થયેલાં છે એવા વીસેય તેમજ અન્ય પણું કેવળજ્ઞાની શ્રી તીર્થકર ભગવંતે મારા પર પ્રસન્ન થાઓ. પિતપતાના નામથી સ્તવાયેલા, મનવચન-કાયા વડે વંદાયેલા અને પુષ્પ આદિથી પૂજાયેલા જે આ લેકમાં ઉત્તમ છે અને કૃતકૃત્ય થયેલા છે, તેઓ (શ્રી તીર્થકર ભગવંત) મને આરોગ્ય સિદ્ધપણું) પ્રાપ્ત કરવા માટે બેધિલાભ અને શ્રેષ્ઠ ભાવસમાધિ આપો. ૬. ચંદ્રો કરતાં પણ વધારે નિર્મળ, સૂર્યો કરતાં પણ વધારે પ્રકાશ કરનારા, સ્વયંભૂરમણ સૂમુદ્ર કરતાં પણ ગંભીર અને કૃતકૃત્ય થયેલા તેઓ મને સિદ્ધિ-મેક્ષ આપે. ૭, સૂત્રપરિચય આ સૂત્રમાં ચોવીસ તીર્થંકરોનું સ્તવન કરવામાં આવ્યું છે, તેથી તે ચવીસત્ય સુત્ત ” કે “ચતુર્વિશતિજિન–સ્તવ' તરીકે ઓળખાય છે. સૂત્રની પહેલી ગાથામાં જણાવ્યું છે કે હું જે ચોવીશ અહંતુ ભગવંતોની સ્તુતિ કરીશ તે લેકનો પ્રકાશ કરનારા છે અર્થાત આ વિશ્વના તમામ પદાર્થોનું સર્વસ્વરૂપ જાણુનારા છે, ધર્મરૂપી તીર્થની સ્થાપના કરનારા છે, જિન છે અને કેવળજ્ઞાની છે. સૂત્રની બીજી ત્રીજી અને ચોથી ગાથામાં ચોવીશ તીર્થકરોનાં નામ લઈને વંદના કરવામાં આવી છે અને પાંચમી, છઠ્ઠી તથા સાતમી ગાથામાં તેમને પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં પ્રથમ તેમનો પ્રસાદ (કપા) માગે છે, પછી આરોગ્ય એટલે મોક્ષ, તેને માટે બોધિલાભ અને ઉત્તમ ભાવસમાધિ માગી છે અને છેવટે સિદ્ધિની ઈચ્છા પ્રકટ કરી છે. અરિહંત ભગવાનનું સ્તવન કરવાથી સમ્યકત્વની શુદ્ધિ થાય છે અને પરિણામે મુક્તિ પ્રાપ્ત થાય છે. કાયોત્સર્ગમાં આ સૂત્રના પ્રત્યેક શબ્દને અર્થે વિચારવામાં આવે તે ભાવને ઉલ્લાસ થાય છે, ચિત્તની શુદ્ધિ થાય છે અને ધ્યાન માટેની યોગ્યતા આવે છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧.વૃષભ ચોવીશ તીર્થંક૨તાં લાઇનો ૨. હસ્તી ૪.વાનર ૩૨ ૫. કાંચ ૭. સ્વસ્તિક 甑 COLORIER E ૧૦.શ્રીપત ૧૧. ગેંડો ૩.વ ૬.પા ૯.મગર શ્રી ઋષભદેવથી શ્રી વાસુપૂજયરવામી સુધીના અર્હત્ ભગવાનાં લાંછને ૧૨. પાડો Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૩. વરાહ ૧૬મૃગ ૩૩ ચોવીશ તીર્થંકરનાં લાંછનો ૧૪. સિંચાણો ૧૫. વજ્ર ૧૯. કુંભ રર. શખ ૧૭. બકરો ર૦,કાચબો ૨૩. સર્પ & JDE ૧૮. નંદ્યાવર્ત 鱷 ર૧.નીલકમલ શ્રી વિમલનાથથી શ્રી મહાવીરરવામી સુધીના અત્ ભગવતાનાં લાંછને . ૨૪. સિંહ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તીથ કરાનાં માતાપિતા, જન્મસ્થાન, તી કરીનાં નામ ૧ ઋષભદેવ ૨ અજિતનાથ ૩ સભવનાથ ૪ અભિનંદનવામી ૫ સુમતિનાથ ૬ પદ્મપ્રભવામી ૭ સુપાર્શ્વનાથ ૮ ચંદ્રપ્રભસ્વામી ૯ સર્વધિનાથ ૧૦ શીતલનાથ ૧૧ શ્રેયાંસનાથ ૧૨ વાસુપૂજ્યસ્વામી ૧૩ વિમલનાથ ૧૪ અનતનાથ ૧૫ ધનાય ૧૬ શાંતિનાથ ૧૭ કુંથુનાથ ૧૮ અરનાથ ૧૯ મલ્લિનાથ ૨૦ મુનિસુવ્રતસ્વામી ૨૧ મિનાથ ૨૨ નેમિનાથ ૨૩ પાર્શ્વનાથ ૨૪ વ માનસ્વામી ૩૪ પિતા નાભિ જિતશત્રુ જિતારિ સવર મેમ્બરથ શ્રીધર સુપ્રતિષ્ટ મહાસેન સુગ્રીવ દરથ વિષ્ણુરાજ વસુપૂજ્ય કૃતવર્મા સિંહસેન ભાતુ વિશ્વસેન સૂર સુન કુંભ સુમિત્ર વિજય સમુદ્રવિજય અશ્વસેન સિદ્ધા માતા મરુદેવા વિજયા સેના સિદ્ધાર્થો સુમગલા સુસીમા પૃથ્વી લક્ષ્મણા રામા નદા વિષ્ણુ જયા સામા સુયશા સુવ્રતા ચિરા પદ્મા વમા શિવા વામા ત્રિશલા જન્મસ્થાન અયેાવ્યા .. શ્રાવસ્તી અયેાધ્યા ,, કૌશાંબી કાશી ચંદ્રપુરી કાકદી લિપુર સિદ્ધપુર ચંપા શ્રી દેવી પ્રભાવતી મિથિલા રાજગૃહ મિથિલા શોરપુર કાશી ક્ષત્રિયકુંડ કાંપિલ્યપુર અયેા ધ્યા રત્નપુર હસ્તિનાપુર "" Page #44 -------------------------------------------------------------------------- ________________ લાંછન, શરીરમાન વગેરેના કાઠો. લાંન વૃષભ હસ્તી અશ્વ વાનર કૌંચ પક્ષી કમલ સ્વસ્તિક ચંદ્ર મગર શ્રીવત્સ ગા પાડા વરાહ સિચાણા વ મૃગ અકશ નવાવ કુંભ કાચ નીલકમલ શખ સ સિંહ શરીર ૫૦૦ ધનુષ્ય ૪૫૦ ૪૦૦ ૩૫૦ ૩૦. ૨૫૦ ૨૦૦ ૧૫૦ ૧૦૦ ૯૦ .. .. "" , . . .. . ,, , .. ७० ૬. ૫૦ ૪૫ ૪૦ ૩૫ ૩૦ ૨૫ ૨૦ ૧૫ ૧૦ '' ૯ હાથ ૭ હાથ ܝܙ " ,, .. "" "" "" ' ૩૫ ,, વ સુવ .. ::: રક્ત સુવ શ્વેત સુવ "" રક્ત સુવ .. ?? .. ક ,, નીલ શ્યામ સુવ શ્યામ નીલ સુવ આયુષ્ય ૮૪ લાખ પૂર્વ ***** . .. "" ܕܕ "" 99 ܕ .. "" ૧ ૮૪ ર ૬૦ ૩. ૧૦ . ૧ .. .. ૯૫ હજાર 19 ૫૪ "" ૧૫ ૩૦ ૧૦ ૧ ... ૧૦૦ વર્ષ ૭૨ "9 "" . .. "9 ******તે કરઃ ઃ در વર્ષ ... "" 19 "" "" Page #45 -------------------------------------------------------------------------- ________________ ૯ સામાઈયસુત્ત [‘કરેમિ ભંતે” સૂત્ર ] મૂળ— કરેમિ ભંતે ! સામાઇય, સાવજ્જ જોગ પચ્ચક્ખા જાવ નિયમ પન્નુવાસામિ દુવિšં તિવિહેણ, મણેણુ વાયાએ કાએણું, ન કરેમિ, ન કારવેમિ । તરસ ભંતે ! પરિક્રમામિ નિંદ્યામિ ગરિહામિ અપાણ વેસિરામિ ॥ શબ્દાર્થ કરેમિ-કરું છું. ભતે ! હે ભગવન્ ! હે પૂજ્ય ! સામાઈયઃ-સામાયિક. સાવજ જોગ–પાપવાળી પ્રવૃત્તિને. પચ્ચક્ખામિ-પ્રતિજ્ઞાપૂર્વક છેડી દઉં છું. જાવ જ્યાં સુધી. નિયમ –નિયમને. પજુવાસામિ–સેવુ. દુવિહ’–કરવા અને કરાવવાપ એ પ્રકારે તિવિહેણ “મન, વચન અને કાયા, એ ત્રણ પ્રકારે. મણેણ-મનથી. વાયાએ-વાણીથી. કાએણ-શરીરથી, ન કરેમિ—નહિ કરું, કરીશ નહિ. ન કારવેમિ-નહિ કરાવું, કરાવીશ નહિ. તસ્સ-તે પાપવાળી પ્રવૃત્તિનું 'તે !–હે ભગવન્ ! હે પૂજ્ય ! પડિમામિ-પ્રતિક્રમણ કર છું, નિવૃત્ત થાઉં છુ. નિદામિનિ દું છું, ખેાટી ગણું છેં. ગરિહામિ-ગુરુ સાક્ષીએ નિંદુ હું', આપની સમક્ષ સ્પષ્ટ એકરાર કરું છું. અપાણ–પાપવાળી પ્રવૃત્તિ કરનાર મલિન આત્માને. વાસિરામિ–છોડી દઉં છું. Page #46 -------------------------------------------------------------------------- ________________ ત૭ અર્થ સંકલના– હે પૂજ્ય ! હું સામાયિક કરું છું. તેથી પાપવાળી પ્રવૃત્તિઓને પ્રતિજ્ઞાપૂર્વક છોડી દઉં છું. જ્યાં સુધી હું આ નિયમને સેવું, ત્યાં સુધી મન, વચન અને કાયાવડે પાપવાળી પ્રવૃત્તિ કરીશ નહિ કે કરાવીશ નહિ. અને હે પૂજ્ય ! અત્યાર સુધી તે પ્રકારની જે પાપવાળી પ્રવૃત્તિ કરી હોય, તેમાંથી હું નિવૃત્ત થાઉં છું, તે પાપવાળી પ્રવૃત્તિને હું બેટી ગણું છું અને તે બાબતને આપની સમક્ષ સ્પષ્ટ એકરાર કરું છું. હવે હું પાપવાળી પ્રવૃત્તિ કરનાર મલિન આત્માને છોડી દઉં છું. સૂત્રપરિચય આ સૂત્ર વડે સામાયિક કરવાની પ્રતિજ્ઞા લેવાય છે. સામાયિક (૧) પ્રશ્ન–સામાયિક શું છે ? ઉત્તર–સામાયિક એક ધાર્મિક ક્રિયા છે. પ્રશ્ન–સામાયિક શબ્દને અર્થ શું ? ઉત્તર–સમયની ક્રિયા. પ્રશ્ન-સમાય છેને કહેવાય ? ‘ઉત્તર–જેમાં સમ એટલે રાગદ્વેષ રહિત સ્થિતિને આય એટલે લાભ થાય, તેને સમાય કહેવાય. પ્રશ્ન–સામાયિકની ક્રિયા કેણ કરી શકે ? ઉત્તર–સામાયિકની ક્રિયા કેઈ પણ સ્ત્રી-પુરુષ કરી શકે. પ્રિ -તે માટે શું કરવું પડે છે ? Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮. ' ' ઉત્તર્—તે માટે શુદ્ધ વસ્ત્ર પહેરીને તથા કટાસણું, મુહપત્તી, ચરવળે નવકારવાળી અને કોઈ પણ ધાર્મિક પુસ્તક લઈ ને ગુરુ આગળ જવું પડે છે અને ત્યાં વિધિપૂર્વક સામાયિકની પ્રતિજ્ઞા લેવી. પડે છે. પ્રશ્ન—સામયિકની પ્રતિજ્ઞા કેવી રીતે લેવાય છે ? ઉત્તર---તેમાં પ્રથમ ગુરુને ઉદ્દેશીને કહેવું પડે છે કે કરેમિ ભંતે સામાય ' એટલે હૈ પૂજ્ય ! હું સામાયક કરુ છું' અને પછી તરત જ કહેવું પડે છે કે ' સાવજ જોગ' પચ્ચક્ખામિ એટલે હુ પાપવાળી પ્રવૃત્તિને પ્રતિજ્ઞાપૂર્વક છોડી દઉં છું.' પ્રશ્ન—પાપવાળી પ્રવૃત્તિ ઍટલા વખતને માટે છેાડવામાં આવે છે ઉત્તર તેના ખુલાસા કરવા જાવ નિયમ પન્નુવાસામિ ' એવા પાઠ એલવામાં આવે છે તેના અર્થ એ છે કે જ્યાં સુધી હુ આ નિયમને સેવું, ત્યાં સુધી પાપવાળી પ્રવૃત્તિ કરીશ નહિ. એક સામાયિકને નિયમ એ ઘડી એટલે ૪૮ મિનિટ સુધીન હાય છે, તેથી પાપવાળી પ્રવૃત્તિ ૪૮ મિનિટ સુધી હેાડી દેવાની હાય છે. " પ્રશ્ન——સામાયિક્રમાં પાપવાળી પ્રવૃત્તિ કેટલી રીતે છેડી દેવામાં આવે છે? ઉત્તર—સામાયિકમાં પાપવાળી પ્રવૃત્તિ છ કાટીથી એટલે છ પ્રકારે છેડી છે દેવામાં છે. પ્રશ્ન તે કેવી રીતે ? ઉત્તર-(૧) પાપવાળી પ્રવૃતિ હું નથી કરું નિહ. (ર) પાપવાળી પ્રવૃત્તિ હુંમનથી કરાવુ નહિ. (૩) પાપવાળી પ્રવૃતિ હું વચનથી કરું નહિ. (૪) પાપવાળી પ્રવૃત્તિ હુ વચનથી કરાવું નહિં. (૫) પાપવાળી પ્રવૃત્તિ હું કાયાથી કરુ નહિ. (૬) પાપવાળી પ્રવૃત્તિ હું કાયાથી કરાવું નહિ. Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન—પાપવાળી પ્રવૃત્તિ કુલ કેટલી કૅટિથી છેડી શકાય છે ? ઉત્તર—નવ કાટિથી. પ્રશ્ન—તેમાંની કઈ ત્રણ કેાટિ આ પ્રતિજ્ઞામાં આવતી નથી ? ઉત્તર— (૧) કાઈ પાપવાળી પ્રવૃત્તિ કરતા હાય તા તેને મનથી હું અનુમાદું નહિ. (ર) àાઈ પાપવાળી પ્રવૃત્તિ કરતા હાય તે તેને વચનથી હું અનુમા નહિ. (૩) કાઈ પાપવાળી પ્રવૃત્તિ કરતા હાય તે। તેને કાયાથી હું અનુમાદું નહિ. ગૃહથદશામાં છે," તેએ આ ત્રણ કાટિથી પ્રતિના જે કરી શકે નહિ. ૩૯ પ્રશ્ન—પછી શું કરવામાં આવે છે? ઉત્તર——પછી તફ્સ ભંતે ! પડિક્કમામિ નિંદ્યામિ ગરિહામિ અપ્પાણુ વાસિરામિ એ પાઠ એલીને અત્યાર સુધીમાં જે પાપવાળી પ્રવૃત્તિ કરી હાય, તેનું પ્રતિક્રમણુ કરવામાં આવે છે. ફરી પાપવાળી પ્રવૃત્તિ કરવાનું મન ન થાય તે માટે આવું પ્રતિક્રમણ જરૂરી છે. , પ્રશ્ન—સાધુએ કેવી રીતે સામાયિક કરે ? ઉત્તર~સાધુએ દીક્ષા લેતી વખતે જીવનભર સામાયિક કરવાની પ્રતિજ્ઞા લે છે, એટલે તેઓ હર વખત સામાયિકમાં જ હાય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ મૂળ— ૧૦ સામાઈયપારણુસુત્ત [સામાયિક પારવાનું સૂત્ર] [ ગાહા ] સામાઇયવયનુત્તો, જાવ મણે ઢાઇ નિયમસનુત્તો । છિન્નઈ અસુહ કમ્, સામાઇય જત્તિયા વારા ॥ ૧ ॥ સામાઈયમ્મિ ઉ કએ, સમણા ઇવ સાવ હવઈ જમ્હા । એએણ કારણેણુ, બહુસા સામાઇય કુબ્જ ॥ ૨ ॥ સામાયિક વિધિએ લીધુ, વિધિએ પાયું, વિધિ કરતાં જે કાઈ વિવિધ હુવા હાય, તે સિવ હું મન— વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં ।। (દસ મનના, દસ વચનના ખારી કાયાના એ બત્રીસ રાષમાંથી જે કાઈ દાષ લાગ્યા તે, મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ ) શબ્દા સામાઈયવયજુત્તો-સામાયિક વ્રતથી યુક્ત, સામાયિક વ્રતધારી, જાવ જ્યાં સુધી. અણુ–મનમાં. હાઈ-ટાય છે, કરે છે. નિયમસ જુત્તો-નિયમથી જોડાયેલા, નિયમ રાખીને. છત્ર-કાપે છે. અમુહુ-અશુભ, પાપવાળા. કમ્મૂ-કમને. સામાઈયસામાયિક. જત્તિયા જેટલી. વારા–વાર. સામાઈયગ્નિ-સામાયિકમાં. ઉ-તા. કએ-કયે છતે. સમણા-સાધુ, ઇવ-જેવા. Page #50 -------------------------------------------------------------------------- ________________ સાવએ-શ્રાવક. બહુસે-ઘણી વાર. હવઈ–થાય છે. સામાઈયં-સામાયિક. જમહા-જે કારણથી. કુજા કરવું જોઈએ. એએણકારણેણું–એ કારણ વડે. | વિધિ-નક્કી કરેલી પદ્ધતિ. અર્થસંકલના-- સામાયિક વ્રતધારી જ્યાં સુધી અને જેટલી વાર મનમાં નિયમ રાખીને સામાયિક કરે છે, ત્યાં સુધી અને તેટલી વાર તે અશુભ કર્મને નાશ કરે છે. ૧. સામાયિક કર્યો છતે તે શ્રાવક સાધુ જે થાય છે, તેથી સામાયિક વારંવાર કરવું જોઈએ. ૨. આ સામાયિક મેં વિધિપૂર્વક ગ્રહણ કર્યું છે અને વિધિપૂર્વક પૂર્ણ કર્યું છે. તે બંને પ્રકારની ક્રિયામાં, જે કઈ પણ અવિધિ કે ભૂલ થઈ ગઈ હોય, તે સંબંધી મારું પાપ નિલ થાઓ. વળી આ સામાયિકના સમય દરમિયાન દસ મનને, દસ વચનના અને બાર કાયાના એમ કુલ બત્રીસ દોષમાંથી જે કઈ દોષનું સેવન થઈ ગયું હિય, તે સંબંધી મારું પાપ નિષ્ફલ થાઓ. સૂત્રપરિચય - આ સૂત્ર વડે સામાયિક પારવામાં આવે છે અને ફરી પણ સામાયિક કરવાની ભાવના થાય, તે માટે તેમાં સામાયિકના લાભો દર્શાવેલા છે. વળી સામાયિક ૩૨ દે ટાળીને કરવું જોઈએ, તે વાત પણ તેમાં દર્શાવેલી છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સામાયિક (૨) પ્રશ્ન—સામાયિકથી શું લાભ થાય છે ? ઉત્તર—સામાયિકથી અશુભ કર્મના નાશ થાય છે. પ્રશ્નબીજો શો લાભ થાય છે? ઉત્તર—સામાયિશ્રી ખીજો લાભ એ થાય છે કે સાધુના જેવું પવિત્ર જીવન ગાળી શકાય છે, એટલે ચારિત્રમાં સુધારા થાય છે. પ્રશ્ન—શ્રાવકે એક અહેારાત્રમાં કેટલી વાર સામાયિક કરવું જોઇએ? ઉત્તર—જો પરિસ્થિતિ અનુકૂળ હૈાય તે શ્રાવક એક અહે।રાત્રમાં ધણુાં સામાયિક કરે અને અનુકૂળ ન હેાય તે એછામાં એન્ડ્રુ એક સામાયિક પણ કરે. પ્રશ્ન—સામાયિકમાં કેટલા દાષો ટાળવા જોઈએ ? ઉત્તર—ખત્રીશ. પ્રશ્ન—તેમાં મનના કેટલા ? વથનના કેટલા ? અને કાયાના કેટલા ? ઉત્તર—તેમાં મનના દેશ, વંચનના દેશ, અને કાયાના ભાર. પ્રશ્ન—સામાયિકમાં મનના દોષો ટાળવા શું કરવું જોઈએ ? ઉત્તર—(૧) આહિત સિવાય બીજા વિચાા કરવા નહિ. (૨) લેાકે! વાહવાહ એલે એવી ઇચ્છા રાખવી નહિ. (૩) સામાયિક-દ્વારા ધનલાભની ઇચ્છિા રાખવી નહિ. (૪) બીજા કરતાં સારું સામાયિક કરુ` બ્લુ, માટે ચઢિયાતા છુ, તેવા ગવ રાખવા નહિ. (૫) ભયનું સેવન કરવું નહિ. (૬) સામાયિકના દલનું નિયાણુક કરવું ન હ. (૭) સામાયિકના કુલ સંબંધી સંશય રાખવા નહિ. (૮) રાષ રાખીને સામાયિક કરવું નહિ. (૯) અવિનયથી સામાયિક કરવું નહિ. (૧૦) અબહુમાનથી સામાયિક કરવું નહિ. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩ પ્રશ્ન—સામાયિકમાં વચનના દાષો ટાળવા માટે શુ કરવુ જોઈએ ? ઉત્તર—(૧) કડવું, અપ્રિય અે અસત્ય વચન ખેલવું નહિ. (ર) વગર વિચાયે ખેલવું નહિ. (૩) શાસ્ત્રની દરકાર રાખ્યા વિના ખેલવું નહિ. (૪) સૂત્રસિદ્ધાંતના પાઠ ફૂંકાવી ખેલવા નિહ. (૫) ાઈની સાથે કલહકારી વચન ખેલવું નહિ. (૬) વિથા કરવી નહિ. ( સ્ત્રીકથા, ભક્તકથા, (ભાજનની કથા) દેશક્યા અને રાજકથા એ ચાન વકથા કહેવાય છે. ) (૭) ૐારની હાંસી કરનારું વચન કહેવું નહિ. (૮) સામાયિકના સૂત્રપાઠ અશુદ્ધ ખેલવા નહિ. (૯) અપેક્ષા રહિત ખેલવું નહિ. (૧૦) ગણગણતાં ખેલવુ' નહિ. પ્રશ્ન——સામાયિકમાં કાયાના ધ્રુષો ટાળવા માટે શુ કરવુ' જોઇએ ? ઉત્તર—(૧) પગ પર પગ ચડાવીને બેસવું નહિ. (ર) ડગમગતા આસને બેસવું નહિ કે જ્યાંથી ઉઠવું પડે તેવા આસને એસવું નહિ. (૩) ચારે બાજુ નજર ફેરવીને જોયા કરવું નહિ. (૪) ધરકામ કે વેપારવણજને લગતી વાતને સંજ્ઞાથી પણ ઇશારા કરવા નહિ. (૫) ભીત કે થાંભલાનું આલંબન લેવુ નહિ. (૬) હાથ–પગને લાંબાટૂંકા કર્યો કરવા નહિ. (૭) આળસ મરડવું નહિ. (૮) હાથ-પગની આંગળીના ટાચકા ફોડવા નહિ. (૯) શરીર પરથી મેલ ઉતારવા નહિ. (૧૦) એદીની માક બેસી રહેવું નહિ. (૧૧) ઊંધવું નિહ. (૧૨) વઅને સઢારવા નહિ O ર Page #53 -------------------------------------------------------------------------- ________________ મૂળ— ૧૧ જગચિંતામણુસુત્ત [ ‘જગચિંતામણિ’-ચૈત્યવંદન ] [ રાલાછ 4 ] જગચિન્તામણિ ! જગહ નાહ ! જગદ્ગુરુ જગર ́ણું ! જગબંધવ ! જગસત્થવાહ ! જગભાત્રવિણ ! અાવયસ’વિરૂવ ! કમ્મવિણાસણ ! ચઉત્રીસ વિ જિવર ! જયંતુ અપ્પડિહયસાસણું ! ॥૧॥ [ વસ્તુ દુ કમ્મભૂમિહિં કમ્મભૂમિહિ પઢમસધણુ, ક્રોસય સત્તરિસય, જિરાણુ વિહર`ત લખ્સઈ; નવકાડિહિ. કેવલીણ, ક્રાડિસહસ નત્ર સાહુ ગમ્મઇ । સંપઇ જિવર વીસમુણુિ, બિહુ (હિ) કાડિહિ વરનાણિ, સમણુહ કાડિસહસ દુઇ, યુણિજજઈ નિચ્ચ વિહાણુિં ૫ રા જયઉ સામિય ! જયઉ સામિય ! રિસહ ! સત્તુંજિ, ઉજિન્નતિ પહુ નૈમિજિષ્ણુ ! જયઉ વીર ! સચ્ચઉરમ ડણુ ! ભરુઅહિં મુસુિત્રય ! મહુરિપાસ ! દુદુરિઅ ખડણુ ! | અવર વિદેહિ તિર્થંયરા, ચિ ુ દિસિ વિદિસિ જિ કે વિ તીઆણાગયસ પર્દય, દઉં' જિણ સત્રે વિ॥ ૩ ॥ شه Page #54 -------------------------------------------------------------------------- ________________ [ ગાહા ] સત્તાવઈસહસ્સા લફખા છપન્ન અકાડીઓ ! બત્તીસ સય બાસીયાઈ, તિલેએ ચેઈએ વંદે મઝા પન્નસ કોડિ સયાઈ કેડી બાયોલ લકૂખ અડવન્ના | છત્તીસ સહસ અસીઈ, સાસયબિંબાઈ ૫ણમામિ પા. શબ્દાર્થ – જગચિંતામણિ ! –જગતમાં જિણવર !–હે જિનવરે ! હે ચિંતામણિરત્ન સમાન ! કષભાદિ તીર્થ કરો ! જગહનાહ! જગતના જયંતુ ય પામે, જયવંતા વતે સ્વામીઓ ! અપડિહયસાસણ ! –અખં જગગુ ! –સમસ્ત જગતના ડિત શાસનવાળા ! અબાધિત ગુરુઓ ! ઉપદેશ દેનારા ! જગરખણ!-જગતનું રક્ષણ કસ્મભૂમિ હિં-કર્મભૂમિઓમાં. કરનારાઓ ! ૫મસંઘયણિ-પ્રથમ-સંધયણજગબંધવ!-જગતના બંધુઓ! જગસત્યવાહ —જગતને ઈષ્ટ વાળ, વજુષભનારાચ સ્થલે () પહેચાડનારાઓ ! સ ધયસુવાળા. જગતના ઉત્તમ સાર્થવાહ ! સંઘયણ-હાડકની વિશિષ્ટ જ ભાવવિઅફખણ ! – રચના. જગતના સર્વભાવને જાણુ- ઉકોસય-વધારેમાં વધારે. વામાં તથા પ્રકાશવામાં નિપુણ! સત્તરિસયએસેને સિત્તેર. અઠ્ઠાવયસંકરિઅરૂવ ! જિણવરાણ-જિનેશ્વરેની. અષ્ટાપદ પર્વત ઉપર સ્થપાયેલી પ્રતિમાવાળા ! વિહરંત-વિચરતા. કમ્મદૃવિણસણ ! -આઠે ય લભઈ-પમાય છે. કર્મનો નાશ કરનારા ! નવકડિહિં-નવ મટિ (ડ)ચકવીસ વિ–ચોવીસે કેવલીહુ-કેવલીઓની. Page #55 -------------------------------------------------------------------------- ________________ | કેહિસહસ–હજાર ક્રોડ (દસ | પહુનેમિજિણ ! હે પ્રભુ અબજ). નેમિજિન ! નવ-નવ. જય-આપ જયવંત વર્તે. સાધુ-સાધુઓ. વીર!–હે વીર ! હે મહાવીર ! ગમ્મઈ–જણાય છે. સચ્ચરિમંડણ!-સત્યપુર સંપઈ-વર્તમાનકાળમાં. (સાચોર)ના શણગારરૂપ ! જિણવર-જિનેશ્વરે, તીર્થકરે. ભરૂઅછહિં મુણિસુવય!વીસ-વીસ. ભરૂચમાં રહેલા કે મુનિસુવ્રતમુણિ-સાધુઓ. સ્વામી ! બિહુ (હિં)-એ. મહુરિપાસ!-મથુરામાં વિરાકેડિહિં-કોડ. જતા હે પાર્શ્વનાથ! વરનાણિ-કેવલજ્ઞાનીઓ. દુહદુરિઅખંડણ! દુઃખ સમણ-શ્રમણની (સંખ્યા) અને પાપનો નાશ કરનારી કેડિસહસ્સ દુઈ-બે હજાર અવર-બીજા (તીર્થકરે). કોડ (વીસ અબજ). વિદેહિ-વિદેહમાં, મહાવિદેહ શુણિજઈ સ્તવન કરાય છે. ક્ષેત્રમાં. નિશ્ચ-નિત્ય. તિસ્થયર-તીર્થકરે. વિહાણિ-પ્રાતઃકાળમાં. ચિહું–ચારે. જયઉ–જય પામે. દિસિ વિદિસિ–દિશાઓમાં સામિય? સ્વામી ! રિસ?–શ્રીષભદેવ ! અને વિદિશાઓમાં. સત્તેજિ-શત્રુંજયગિરિ ઉપર. | જિ-જે. ઉજિતિ-ગિરનાર ઉપર. કે વિ-કોઈ પણ. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૭. તીઆણાગઈયસંપર્ય-અતીત, { તિઅલએ-ત્રણે લોક (સ્વર્ગ અનાગત અને સાંપ્રતિક. મર્યા અને પાતાળ)માં. ભૂતકાળ, ભવિષ્યકાળ અને ચેઈએ-જિન પ્રસાદને. વર્તમાનકાળમાં થયેલા. વંદે હું વંદુ છું. વદઉં-હું વંદુ છું. પન્નરસકેસિયાઈ-પંદરસો જિણ જિનેને. ક્રોડ (૧૫૦૦૦૦૦૦૦૦૦). સવે વિ-સર્વેને પણ. કેડી બાયાલ-બેંતાલીસ ક્રોડસત્તાણવઈસહસ્સા-સત્તાણું (૪ર૦૦૦૦૦૦૦). હજાર ૯૭૦૦૦). લખ અડવના-અઠ્ઠાવન લાખ લખાછપન્ન–છપન લાખ (૫૮૦૦૦૦૦). (૫૬ ૦૦૦૦૦). છત્તીસસહસ-છત્રીસ હજાર અકેડીએ-આઠ દેડ (૩૬૦૦૦). (૮૦૦૦૦૦૦૦). અસીઈએંશી (૮૦). બત્તીસસ-બત્રીસ સે સાસયબિંબઈ–શાશ્વત (૩ર૦૦). બિંબોને. આસીયાઈ–ભ્યાશી (૮૨). ! પણમામિ-હું પ્રણામ કરું છું. અર્થસંકલના – જગતમાં ચિંતામણિ રત્નસમાન ! જગતના સ્વામી ! જગતના ગુરુ ! જગતના રક્ષક ! જગતના નિષ્કારણું બંધુ ! જગતને ઉત્તમ સાર્થવાહ ! જગતના સર્વ ભાવેને જાણવામાં તથા પ્રકાશવામાં નિપુણ ! અષ્ટાપદ પર્વત પર (ભરત ચકવતી દ્વારા) સ્થપાયેલી પ્રતિમાવાળા ! આઠે ય કર્મોને નાશ કરનારા ! તથા અબાધિત ઉપદેશ દેનારા ! હે રાષભાદિ ચાવીસે તીર્થકરો ! આપ જ્યવંતા વ. ૧. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ કર્મભૂમિઓમાં–પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહમાં વિચરતા વાકાષભનારાચસંઘયણવાળા જિનેશ્વરેની સંખ્યા વધારેમાં વધારે ૧૭૦ની હોય છે, સામાન્ય કેવલીઓની સંખ્યા વધારેમાં વધારે ૯ કોડની હોય છે. અને સાધુઓની સંખ્યા વધારેમાં વધારે નવ હજાર ઝાડ એટલે ૯૦ અબજની હોય છે. વર્તમાન કાળમાં તીર્થકરે ૨૦ છે, કેવલજ્ઞાની મુનિએ ૨ કેડ છે અને શ્રમણે ૨૦૦૦ ક્રોડ એટલે ૨૦ અબજ છે કે જેમનું નિત્ય પ્રાતઃ કાળમાં સ્તવન કરાય છે. ૨. હે સ્વામી ! જય પામે, જય પામે. શત્રુજ્ય પર રહેલા અષભદેવ ! ઉયંત (ગિરનાર) પર વિરાજમાન હે પ્રભુ નેમિજિન ! સાચેરના શણગારરૂપ હે મહાવીર ! ભરુચમાં રહેલા હે મુનિસુવ્રતસ્વામી! મથુરામાં વિરાજમાન, દુઃખ અને પાપને નાશ કરનાર હે પાર્શ્વનાથ ! આપ જયવંતા વ તથા મહાવિદેહ અને અરવત આદિ ક્ષેત્રોમાં તથા ચાર દિશાઓ ને ચાર વિદિશાઓમાં જે કોઈ તીર્થકરે ભૂતકાળમાં થઈ ગયા હોય; વર્તમાનકાળમાં વિચરતા હોય અને ભવિષ્યમાં હવે પછી થનારા હોય, તે સર્વેને પણ હું વંદું છું. ૩. ત્રણ લેકમાં રહેલા આઠ કોડ, સત્તાવન લાખ, બસે ને ખ્યાશી (૮,૫૭,૦૦,૨૮૨) શાશ્વત ચિને વંદું છું. ૪. ત્રણ લેકમાં રહેલા પંદર અબજ, બેંતાળીસ કોડ, અવન લાખ, છત્રીસ હજાર ને એંશી-(૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦). શાશ્વત બિંબને હું પ્રણામ કરું છું. ૫. Page #58 -------------------------------------------------------------------------- ________________ સુત્રપરિચય આ સૂત્રનો ઉપયોગ જુદા જુદા સમયે કરવામાં આવતાં ચયવંદન પ્રસંગે થાય છે. તેની પહેલો ગાથામાં ગ્રેવીસ જિનવરોની સ્તુતિ કરવામાં આવી છે. બીજી ગાથામાં તીર્થકરે કઈ ભૂમિમાં જન્મે છે, તેમનું સંધયણ (શરીરને બાંધે) કેવું હોય છે, તેમની ઉત્કૃષ્ટ અને જધન્ય સંખ્યા કેટલી હોય છે. તથા તે સમયે કેવળજ્ઞાની અને સાધુ કેટલા હોય છે, તેનું વર્ણન કરેલું છે. ત્રીજી ગાથામાં પાંચ સુપ્રસિદ્ધ તીના મૂળનાયકોને વંદન કરવામાં આવ્યું છે. તેમાં પહેલું નામ શ્રી શત્રુંજયગિરિનું છે કે જ્યાં શ્રી આદિનાથ ભગવાન વિરાજે છે. બીજું નામ શ્રી ઉજજયંતગિરિ એટલે ગિરનારનું છે કે જ્યાં શ્રીનેમિનાથ પ્રભુ વિરાજે છે. ત્રીજું નામ સત્યપુર એટલે સાચારનું છે કે જ્યાં શ્રી મહાવીર જિનેશ્વર વિરાજે છે. ચોથું નામ ભૃગુકચ્છ એટલે ભણ્યનું છે કે જ્યાં શ્રી મુનિસુવ્રતસ્વામી વિરાજે છે અને પાંચમું નામ મથુરાનું છે કે જ્યાં એક કાળે શ્રી પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય ચમત્કારિક મૂર્તિ વિરાજમાન હતી. ચોથી ગાથામાં શાશ્વત ચોની સંખ્યા ગણાવીને તેને વંદના કરવામાં આવી છે તથા પાંચમી ગાથામાં શાશ્વત બિંબોની સંખ્યા ગણાવીને તેને વંદના કરવામાં આવી છે. આ ચિત્યવંદન દબદ્ધ હોવાથી સુંદર રીતે ગવાય છે. તેની ભાષા અપભ્રંશ છે. [ A C Page #59 -------------------------------------------------------------------------- ________________ મૂળ— ૧૨ તિત્થવ ણુસુત્ત [‘જ કિંચિ’ સૂત્ર ] (ગાહા) જ કિંચિ નામ તિર્થં, સગે પાયાલિ માસે લેએ ! જાઈં જિષ્ણુભિખા, તાઈં સવ્વાઈં વંદ્યામિ ॥ ૧॥ શબ્દા — જ-જે કિચિ-ક્રાઈ નામ–આ પ૬ વાકયને અલ કાર છે. તિલ્થ-તી. સો-દેવલાકમાં પાયાલિ–પાતાલમાં. અથ સંકલના—— દેવલાક, પાતાળ અને મનુષ્યલેાકમાં જે કઈ તીર્થં હાય અને જેટલાં જિનબિંબે! હાય તે સર્વેને હું વન કરું છું. સૂત્રપરિચય— આ સૂત્ર ત્રણ લાકમાં રહેલાં સદ્ તી અને સવ જિનબિમાને વંદન કરવા માટે ઉપચાગી છે. માણસે લાએ-મનુષ્યલ કમાં. જાણજેટાં. જિણમિ બાઇં–જિનબિંબે.. તા તે. સવાઈ–સર્વે ને. વામિ-હું વંદન કરું છું. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સત્થયસુત્ત [‘નમો ત્યુ ણુ' સૂત્ર ] મૂળ નમે ત્યુ ણું અરિહંતાણુ ભગવંતાણું ॥૧॥ આઈગરાણુ તિર્થંયરાણું સયસબુદ્ધાણું રા પુરિમુત્તમાં પુસિસીહાણું પુસિનરપુંડરીઆણુ પુરિસવરગંધહત્થીણું ઘ લેગુત્તમાં લેગનાહાણું લેગહિઆણું લેગ-પઇવાણું લાગપોઅગરાણું ૫૪૫ અભયદયાણું ચખુદયાણું મગદયાણું સરણ્યાણુ બાદિયાણુ ાપાા ધમ્મદયાણ ધર્માંદેલયાણુ ધમ્મસારહીણુ ધમ્મવરચાઉર તચક્રવઢીણુ અપ્પડિહયવરનાણુદ સણુધરાણું વિયટ્ટઋઉમાણું રાણા જિણાણું જાયાણું તિન્નાણું તારયાણું મુટ્ઠાણુ બાહયાણ મુત્તાણુ મેામગાણુ ૫૮૫ સન્વન્ત્રણ સરસીણુ સિવમયલમયમણું તમયમન્ત્રાબાહમપુરાવિત્તિ સિદ્ભિગઇનામધેયં ઠાણુ સંપત્તાણું નમે જિણાણુ જિઅભયાણું ૯૫ ધમ્મુનાયગાણું માદા Page #61 -------------------------------------------------------------------------- ________________ થી 2 - - 3 - - . ૧. યોગાસા * = == ૩.જિનમુદ્રા મુકતશુકમુદ્રા ત્રણ મુદ્રાઓ Page #62 -------------------------------------------------------------------------- ________________ [ ગાહા ] જે આ અઇ સિદ્ધા, જે એ ભવિસતિ ણાગએ કાલે 1 સંપઈ અ વમાણા, સવે તિવિહેણ વંદામિ ।।૧૦। શબ્દા નમા ત્થ-નમસ્કાર હૈ।. વાક્પાલ કાર તરીકે વપરાતા શબ્દ. અરિહ`તાણ-અરિહતેાને, ભગતાણ’-ભગવાને આઈગરાણ —આદિકરાને, શ્રુતધમ ની આદિ કરનારાઓને. તિર્થંયરાણ–તીકરાને, ૫૩ ચતુર્વિધ શ્રમણ્ સ ધરૂપી તીર્થોની સ્થાપના કરનારાઓને. સયસ’બુદ્ધાણુ –સ્વયંસ’બુદ્ધોને, પોતાની મેળે આવ પામેલાઓને. પુરિસત્તમાણ-પુરુષાત્તમે ને, પુરુષામાં જ્ઞાનાદિ ગુણુાવા ઉત્તમાને. પુરિસસીહાણ -જે પુરુષામાં સિંહે સમાન નિભ ય છે, તેઓને. પુરિસવરપુ ડરીઆણુ – જે પુરુષામાં શ્રેષ્ઠ શ્વેતક્રમલ સમાન નિલેષ છે, તેઓને. પુરિસવરગ બૃહથીણ – જેઓ પુરુષામાં શ્રેષ્ઠ ગ હસ્તી સમાન છે, તેઓને લાગુત્તમાણ–જે લેકમાં ઉત્તમ છે, તેઓને. લેાગનાહાણ-લાકના નાથેાને. લાગહણ –લાકનું હિત કરનારાઓને. લોગપવાણ-જેએ લેકમાં દીપક સમાન છે, તેઓને. લોગપજ્જોઅગરાણ’–લાકમાં પ્રકાશ કરનારાઓને. અભયદયાણ-અભય નારાઓને. આપ ચક્ર ખુદયાણ–નેત્રો નારાઓને, શ્રદ્ધારૂપી નેત્રોનું દાન કરનારાઓને. મગદયાણ -મા નારાઓને. સરણદયાણ-શરણુ રાઓને. આપ ઃખાડ ના Page #63 -------------------------------------------------------------------------- ________________ બેદિયાણું–બાધિબીજની | જિણાણું જાવયાણું-જિતનારાપ્રાપ્તિ કરાવનારાઓને. ઓને તથા જિતાવનારાઓને,. જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિને બોધિ” કહેવામાં આવે છે. જેઓ સ્વયં જિન બનેલા છે ધમયાણું–ધમ સમજાવ તથા બીજાઓને જિન બના વનારા છે, તેઓને. નારાઓને. ધમ્મદે સયાણું-ધર્મની દેશના તિનાણું તાયાણું-જેઓ આપનારાઓને. સંસાર સમુદ્રને પાર પામી ગયા છે તથા બીજાઓને પાર ધમનાયગાણું-ધર્મના સાચા પમાડનારા છે, તેઓને. સ્વામીઓને. ધમસાણં-ધર્મના સાર બુદ્ધાણં બહયાણું-જેઓ પોતે થિઓને, ધર્મરૂપી રથને ચલા બુદ્ધ છે અને બીજાઓને વવામાં નિષ્ણાત સારથિઓને. બોધ પમાડનારા છે, તેઓને. ધમવરચાઉરંતચવટીણું – ! મુત્તાણું અગાણું-જેઓ ધર્મરૂપી શ્રેષ્ઠ ચતુરંત મુક્ત થયેલા છે તથા બીજાઓને ચક્રવતઓને, ચાર ગતિને મુક્ત કરાવનાર છે તેઓને. નાશ કરનારા ધર્મચક્રનું સવનૂર્ણ સવદરિસીણું– પ્રવર્તન કરનારા ચક્રવતી એને. સર્વશીને, સર્વદશ એને. વરબ્રેષ્ઠ. સિવમયલમયમર્ણતમખચારિંતચક્કવટ્ટી-ચાર ગતિ થમવ્હાબાહમપુણવિત્તિનો નાશ કરનાર ધર્મચક્રનું શિવ, અચલ, અરજ, અનંત, પ્રવર્તન કરનારા. અક્ષય, અવ્યાબાધ અને અપરિહયવરનાણદંસણ અપુનરાવૃત્તિ. ધરાણું–જેઓ હણાય નહિ શિવ-ઉપદ્રવથી રહિત. એવા કેવલજ્ઞાન અને કેવલદર્શનને અયલ–સ્થિર. ધારણ કરનારા છે, તેઓને. અય-વ્યાધિ અને વેદનાથી રહિત અપડિય-હણાય નહિ એવું અનંત-અંતથી રહિત. વિયટ્ટમાણું જેમનું છઘ અફખય–ક્ષય રહિત. સ્થપણું ચાલ્યું ગયું છે, તેઓને, અવ્વાબાહ-કર્મજન્ય પીડાછાસ્થપણાથી રહિતને. આથી રહિત. Page #64 -------------------------------------------------------------------------- ________________ - ૫ અપરાવિતિ-જ્યાં ગયા પછી | આઇઆ સિદ્ધા-ભૂતકાળમાં પાછું સંસારમાં આવવાનું રહેતુ સિદ્ધ થયા છે. નથી તેવા. ભવિસ્મૃતિ-થશે. સિદ્વિગઈ નામધેય-સિદ્ધિ (અ)ણાગએ કાલે-ભવિષ્યગતિ નામવાળા કાલમાં. ઠાણું–સ્થાનને. સપત્તાણ-પ્રાપ્ત થયેલાઓને. સંપઈ–વર્તમાનકાલમાં. અ–અને. નમો-નમસ્કાર હો. જિણાણું-જિનેને. વકમાણુ-વર્તમાન. જિઅભયાણું-ભયોને જિત સલ્વે-સર્વેને. નારાઓને. તિવિહેણ-મન, વચન અને જે-જે . કાયાવડે. અ-વળી. વંદામિનું વંદું છું. - અથસંકલના– નમસ્કાર હે અરિહંત ભગવંતને. ૧. જેઓ મૃતધર્મની આદિ કરનારા છે, ચતુર્વિધ શ્રમણ સંઘરૂપી તીર્થની સ્થાપના કરનારા છે અને પિતાની મેળે બેધ પામેલા છે. ૨. જેઓ પુરુષમાં જ્ઞાનાદિ ગુણવડે ઉત્તમ છે, સિંહસમાન નિર્ભય છે. ઉત્તમ વેત કમલ સમાન નિલેંપ છે, અને (સાત પ્રકારની ઈતિઓને દૂર કરવામાં) ગંધહસ્તી સમાન પ્રભાવશાલી છે. ૩. જેઓ લેકમાં ઉત્તમ છે, લેકના નાથ છે, લેકના હિતકારી - છે, લેકના પ્રદીપ છે અને લેકમાં પ્રકાશ કરનાર છે. ૪. જેઓ અભયને આપનારા છે, શ્રદ્ધારૂપી નેત્રોનું દાન Page #65 -------------------------------------------------------------------------- ________________ પદ કરનારા છે, માર્ગને દેખાડનારા છે, શરણને દેનાર છે અને બેધિ બીજની પ્રાપ્તિ કરાવનારા છે. પ. જેઓ ધર્મને સમજાવનારા છે, ધર્મની દેશના આપનારા છે, ધર્મના સાચા સ્વામી છે, ધર્મરૂપી રથને ચલાવવામાં નિષ્ણાત સારથિ છે અને ચાર ગતિને નાશ કરનારા ધર્મચક્રનું પ્રવર્તન કરનારા ચક્રવતી છે. ૬. જેઓ હણય નહિ એવા કેવલજ્ઞાન અને કેવલદર્શનને ધારણ કરનારા છે તથા છદ્મસ્થપણાથી રહિત છે. ૭. જેઓ સ્વયં જિન બનેલા છે તથા બીજાઓને પણ જિન બનાવનારા છે; જેઓ સંસાર સમુદ્રને પાર પામી ગયેલા છે અને બીજાઓને પણ પાર પમાડનારા છે. જેઓ પોતે બુદ્ધ છે અને બીજાઓને પણ બોધ પમાડનારા છે, જેઓ મુક્ત થયેલા છે તથા બીજાઓને પણ મુક્ત કરાવનારા છે. ૮. જેઓ સર્વજ્ઞ અને સર્વદશી છે તથા ઉપદ્રવથી રહિત, સ્થિર, વ્યાધિ અને વેદનાથી રહિત, અનંત, અક્ષય, કર્મજન્ય પીડાઓથી રહિત અને જ્યાં ગયા પછી પાછું સંસારમાં આવવાનું રહેતું નથી, એવાં સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા છે, તે જિનેને-ભય જિતનારાઓને નમસ્કાર હો. ૯. જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા છે, જેઓ ભવિષ્યકાલમાં સિદ્ધ થનારા છે અને જેઓ વર્તમાનકાલમાં અરિહંતરૂપે વર્તમાન છે, તે સર્વેને મન, વચન અને કાયાવડે હું વંદું છું. ૧૦. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૭ સૂત્રપરિચય— ‘ સમ્પ્રત્યયસુત્ત’’ એટલે શતવ નામનું સૂત્ર. જ્યારે જિનેશ્વરદેવ એટલે તીર્થંકર ભગવાન દેવલાકમાંથી ચ્યવીને માતાના ગલમાં આવે છે, ત્યારે * મહારાજ (ઈંદ્ર) આ સૂત્ર વડે તેમનું સ્તવન કરે છે, તેથી આ સૂત્રને ‘શક્રસ્તવ’ કહેવાય છે. આ સૂત્રનુ` બીજું નામ ‘પ્રણિપાત દ’ડક' છે. અરિહંતનુ સ્વરૂપ પ્રશ્ન—જિના કેટલા પ્રકારના છે ? ઉત્તર-ચાર પ્રકારના : નામજિન, સ્થાપનાજિન, દ્રવ્યજિન અને ભાવજિન. પ્રશ્ન—નામજિન કાને કહેવાય ? ઉત્તરઋષભ, અજિત વગેરે જિનનાં નામેાને નામજિન હવાય. પ્રશ્નસ્થાપનાજિત ાને કહેવાય ? 'ઉત્તર—સુવર્ણ', રત્ન, પાષાણુ વગેરેની જિનપ્રતિમાઓને સ્થાપનાર્જિન કહેવાય. પ્રશ્ન—દ્રજિન કે ને કહેવાય ? ઉત્તર-ભવિષ્યમાં જિત થનારા શ્રેણિક વગેરેના જીવાને દ્રજિન કહેવાય. પ્રશ્ન- ભાવજિત કોને કહેવાય ? ઉત્તર—જેઓ કેવલજ્ઞાન પામીને, અહંત બનીને, સમવસરણમાં બેસી ઉપદેશ આપે છે, તેમને ભાજન કહેવાય. પ્રશ્ન—શક્રસ્તવમાં કયા જિતાની વંદના-સ્તુતિ કરવામાં આવી છે ? ઉત્તરભાવજિનાની. તેની છેલ્લી ગામામાં દ્રવ્યજિનેની પણ વંદનાસ્તુતિ કરવામાં આવી છે, Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-એ ભાવજિનો કેવા છે ? ઉત્તર–અરિહંત (અહંત) છે, ભગવંત છે. પ્રશ્ન– અરિહંત (અહંત) ને કહેવા ! ઉત્તર–જે મહાપુરુષ મનુષ્ય, રાજાઓ અને દેવો વડે પૂજાવાને યોગ્ય હોય તે અહત કહેવાય છે. પ્રશ્ન–ભગવંત કોને કહેવાય ? ઉત્તર–જે ભગવાળા હોય તેને ભગવંત કહેવાય. ભગ એટલે એશ્વર્ય, જ્ઞાન, રૂપ, યશ, શ્રી, ધર્મ અને પુરુષાર્થ. પ્રશ્ન–અરિહંત ભગવંતોની વંદના-સ્તુતિ કરવાનું કારણ શું ? ઉત્તર–કારણ એ જ કે તેઓ આદિકર છે, તીર્થકર છે અને સ્વયં સંબુદ્ધ છે. પ્રશ્ન—આદિકર કોને કહેવાય? ઉત્તર–જેઓ આદિ કરે તેને આદિર કહેવાય. અરિહંત ભગવંતે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી “scજોર વ, વિમેર વા, gવે વા' (ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને છતાં સ્થિર રહે છે. જગતના સ્વભાવનું આ વર્ણન છે), એ ત્રિપદીવડે નવી દ્વાદશાંગી કે નવાં શાસ્ત્રોની આદિ કરે છે, તેથી આદિર કહેવાય છે. પ્રશ્ન–તીર્થકર કોને કહેવાય ? ઉત્તર–જેઓ તીર્થની સ્થાપના કરે તેને તીર્થકર કહેવાય. તીથી બે જાતનાં છે. દ્રવ્યતીર્થ અને ભાવતીય. તેમાં દ્રવ્યતીર્થડે નદીઓને પાર પામી શકાય છે અને ભાવતીર્થ વડે સંસારસાગરને પાર પામી શકાય છે. અરિહંતો આવા ભાવતીર્થની સ્થાપના કરે છે, તેથી તીર્થકર કહેવાય છે. ભાવતીર્થ એટલે Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૯ સાધુ, સાડવી, શ્રાવક અને શ્રાવિકાને મને ચતુર્વિધ સંઘ, પ્રવચન કે પ્રથમ ગણધર. પ્રશ્ન–સ્વયંસષ્ણુદ્ધ કોને કહેવાય ? - ઉત્તર–જેઓ ગુના ઉપદેશ વિના પિતાની જાતે જ સંપૂર્ણ બંધ પામેલા હેય, તેમને સ્વયંસખ્ખદ કહેવાય. પ્રશ્ન–અરિહંત ભગવંતની વન્દના-રતુતિ કરવાનું વિશેષ કારણ ઉત્તર – અરિહંત ભગવંતની વન્દના-સ્તુતિ કરવાનું વિશેષ કારણ એ છે કે તેઓ પુરુષોત્તમ છે, પુરુષસિંહ છે, પુરુષવરપુંડરીક છે અને પુરુષવરગંધહસ્તી છે. પ્રશ્ન–પુરુષોત્તમ માને કહેવાય ? ઉત્તર–પુરુષમાં ઉત્તમ હેય તેમને. અરિહંત જ્ઞાનાદિ ગુણો વડે સર્વ પુરુષમાં ઉત્તમ હેય છે. પ્રશ્ન–-પુરુષસિંહ કોને કહેવાય ? ઉત્તર-પુરુષમાં સિંહ જેવા નિર્ભય હોય તેમને. અરિહંત ભગવંત સિંહ જેવા નિર્ભય ભરીને સત્ય ધર્મની ગર્જના કરે છે. પ્રશ્ન–-પુરુષવરપુંડરીક કોને કહેવાય ? ઉત્તર–પુરુષોમાં શ્રેષ્ઠ કમલ જેવા નિલેપ હેય તેમને. અરિહંત ભગવંતે સંસારમાં ઉત્પન્ન થવા છતાં તેના ભાગોમાં આસક્ત ન બનતાં કમલપત્રની જેમ નિર્લિપ્ત રહીને પવિત્ર જીવન ગુજરે છે. પ્રશ્ન-પુરુષવરગંધહસ્તી કોને કહેવાય ? ઉત્તર–પુરુષોમાં ઉરામ ગંધહરતી જેવા પ્રભાવશાળી હોય તેમને. ગંધ હસ્તીનું આગમન થતાં તે પ્રદેશમાંથી બીજા હાથીઓ ભાગી જાય છે તેમ અરિહંત ભગવંતેને વિહાર થતાં તે પ્રદેશમાંથી Page #69 -------------------------------------------------------------------------- ________________ અતિવૃષ્ટિ, દુષ્કાળ, મહામારી વગેરે સાતેય પ્રકારની ઇતિએ ભાગી જાય છે. પ્રશ્ન–અરિહંત ભગવતે લેકને કઈ રીતિએ ઉપયોગી થાય છે ? -ઉત્તર-અરિહંત ભગવંતે લોકોત્તમ હોય છે, તેથી લોકને અનેક રીતે ઉપયોગી થાય છે. પ્રશ્નન-તેના થડા દાખલાઓ આપશો ? ઉત્તર–જરૂર. અરિહંત ભગવંતે લોકના નાથ બને છે, અર્થાત રક્ષણ કરવા યોગ્ય સર્વ પ્રાણુઓનું યોગક્ષેમ કરે છે. (યોગ એટલે નહિ મળેલી વસ્તુ મેળવી આપવી અને ક્ષેમ એટલે મળેલી વસ્તુનું રક્ષણ કરવું.) વળી તેઓ લેક હિતકારી બને છે. અર્થાત સભ્યપ્રરૂપણુવડે વ્યવહારરાશિમાં આવેલા સર્વ જીવનું હિત કરે છે. વળી તેઓ લોકપ્રદીપ બને છે, અર્થાત સર્વ સંજ્ઞી પ્રાણુઓનાં હદયમાંથી મેહને ગાઢ અંધકાર દૂર કરી તેમને સમ્યક્ત્વ પમાડે છે અને તેઓ લોકપ્રદ્યોતકર પણ બને છે, અર્થાત ચૌદ પૂર્વધરોના પણ સક્ષમ સંદેહે દૂર કરી, તેમને વિશેષ ધ પમાડી જ્ઞાનને પ્રકાશ કરે છે. આમ અરિ હંત ભગવંતો લેકને અનેક રીતે ઉપયોગી થાય છે. પ્રશ્ન--અરિહંત ભગવંતની ઉપયોગિતા કેટલા હેતુઓથી સિદ્ધ થાય છે? ઉત્તર-પાંચ હેતુઓથી. પ્રશ્ન–તે કેવી રીતે ? ઉત્તર-અરિહંત ભગવંતે અભયદાન આપે છે; અર્થાત પ્રાણુઓને સાત પ્રકારના ભયમાંથી મુક્ત કરે છે. ચક્ષુદાન આપે છે, અર્થાત આધ્યાત્મિક જીવન માટે જરૂરી એવી શ્રદ્ધા પમાડે છે. માન દર્શન કરાવે છે; અર્થાત કર્મને વિશિષ્ટ ક્ષાપાય રસ્તો બતાવે છે. શરણનું દાન કરે છે. • • ૧૧ ૧૧ : -; અર્થાત તરવચિંતનરૂપ થાય તે Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧ સાચુ' શરણ આપે છે અને એષિ પમાડે છે; અર્થાત્ સર્વાંનથિત ધર્મની પ્રાપ્તિ કરાવે છે. આમ પાંચ હેતુઓવડે અરિક્રુત ભગવ ંતની ઉપયાગિતા સિદ્ધ થાય છે. પ્રશ્ન-અરિહંત ભગવતાની વિશિષ્ટ ઉપયાગિતા કેટલા હેતુઓથી સિદ્ધ થાય છે ? ઉત્તર--પાંચ હેતુઓથી. પ્રશ્ન—-તે કેવી રીતે ? ઉત્તર--અરિહંત ભગવતા ધર્મોનું દાન કરે છે; અર્થાંત સવિનંત અને દેશવિરતિરૂપ ચારિત્ર ધમ આપે છે. ધમ'ની દેશના આપે છે; અર્થાત પ્રૌઢ પ્રભાવવાળી ચમત્કારિક વાણીવડે ધર્મનું રહસ્ય સમજાવે છે. ધર્મોના નાયક અને છે; અર્થાત ચારિત્ર ધમને પામે છે, તેનું નિરતિચાર પાલન કરે છે અને તેનું ખીજાઓને દાન આપે છે. ધર્માંના સારથિ મને છે; અર્થાત્ ધર્માંસંધનું કુશલતાપૂર્વક સંચાલન કરે છે; અને ધર્માંના ચતુર ંત ચક્રવતી અને છે; અર્થાત્ ચાર ગતિનો નાશ કરનારા ધચક્રનું પ્રવર્તન કરે છે. આમ આ પાંચ હેતુઓ વડે અરિહંત ભગવ તાની વિશિષ્ટ ઉપયેાગિતા સિદ્ધ થાય છે. પ્રશ્ન——રિહંત ભગવ ંતાનું સ્વરૂપ કેવ' રાય છે ? ઉત્તર--અરિહંત ભગવ'ત દી ન હણાય એવા ડેવલજ્ઞાન અને દેવલદ'ન વાળા હોય છે તથા હાથપણાથી રહિત હોય છે, જેના જ્ઞાનાદિ ગુણે! આડે ધાતી કર્માનું આવાણુ હૈાય, તે હાથ કહેવાય. પ્રશ્ન---અરિહંત ભગવતા મુક્ષુઓને વિકાસ કેટલી હદે કરે છે ? ઉત્તર---અરિહ ંત ભગવડતા રાગાદિ ષોને જીતીને જિન બનેલા છે, તેથી મુમુક્ષુઓને પણ રાગાદિ દોષો જીતાડી આપે છે. તેઓ સસાર સાગર તરીને તીલુ થયેલા છે, તેથી મુમુક્ષુઓને પણ સંસાર સાગરથી તારે છે. તેઓ અજ્ઞાનને નાશ કરી યુદ્ધ થયેલા Page #71 -------------------------------------------------------------------------- ________________ છે, તેથી મુમુક્ષુઓને પણ બંધ પમાડે છે અને ઘાતી કર્મોને નાશ કરીને મુક્ત બનેલા છે તેથી મુમુક્ષઓને પણ ઘાતી કર્મોથી . મુક્ત બનાવે છે. પ્રશ્ન--અરિહંત ભગવંતે ચરમદે (છેલું શરીર) છડયા પછી કેવું સ્થાન પ્રાપ્ત કરે છે ? ઉત્તર--અરિહંત ભગવન્ત ચરમ દેહ છોડ્યા પછી જ્યાં કોઈ જાતને ઉપદ્રવ નથી, જ્યાં કેઈ જાતની અસ્થિરતા નથી, જ્યાં કોઈ જાતને રોગ નથી, જ્યાં અંત આવવાની કોઈ શક્યતા નથી, જ્યાં થડે પણ ઘટાડે નથી, જ્યાં કોઈપણ જાતની પીડા નથી અને જ્યાં ગયા પછી સંસારમાં ફરી પાછું આવવું પડતું નથી એવું સિદ્ધિગતિ નામનું સ્થાન પ્રાપ્ત કરે છે. પ્રશ્નદ્રષ્યજિનોને કેવી રીતે વંદના રસ્તુતિ કરેલી છે ? ઉત્તર–અતીત કાલમાં જે જિનો થઈ ગયા હૈય, ભવિષ્યકાલમાં જે જિને થવાના હેય અને વર્તમાન કાળમાં જે જિને વિદ્યમાન હેય, તે સર્વેને મન, વચન અને કાયાથી વંદના-સ્તુતિ કરેલી છે, પ્રશ્ન– આ પ્રકારે ભાવજિને તથા દ્રવ્ય જિનેને વંદના-સ્તુતિ કરવાનું ઉત્તર–-દર્શન ગુણની શુદ્ધિ અને તે દ્વારા ઉત્તરોત્તર આત્માને વિકાસ. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સન્વચઈયવંદણ સુરં [ “જાવંતિ ચેઈયાઈ સૂત્ર) મૂળ (ગોહા) જાવંતિ ચેઇયાઈ ઉઢે આ અહે આ તિરિઅલએ આ સવાઈ તાઈ વદે ઈહિ સંતો તથા સંતાઈ . ૧ શબ્દાર્થ – જાવંતિ-જેટલાં. અ–પણુ. ચેઈયાઇ-ચૈ, જિનપ્રતિમાઓ, | સવ્વાઈ તાઈ તે અને. ઉડૂ-વંકમાં. વંદે-હું વંદન કરું છું. અ-અને. ઈહ–અહીં. અહે–અધેલકમાં. સંતો-રહ્યો છે, અ–અને. તથ-ત્યાં. તિરિઅલોએ-મનુષ્યલકમાં. ' સંતાઈ રહેલાંને. અર્થ સંકલના– ઊર્ધલેક, અલેક અને મનુષ્યલેકમાં જેટલાં પણ ચિ-જિનબિંબ હોય, તે સર્વેને અહીં રહ્યો છે ત્યાં રહેલાંને હું વંદન કરું છું. સૂત્રપરિચય– ત્રણ લેકમાં રહેલા જિનોને વંદન કરવા માટે આ સૂત્ર ઉપયોગી છે અને તે આશયની શુદ્ધિ કરનારું હેલાથી પ્રણિધાનત્રિકમાં સ્થાન પામેલું છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સવસાહૂવંદસુત્ત [‘જાવંત કે વિ સાહૂ-સૂત્ર) મૂળ (ગાહ) જાવંત કે વિ સાહ, ભરહેરવયમહાવિદેહે આ / સન્વેસિં તેસિં પણુએ, તિવિહેણુ તિરંડવિયાણું ? શબ્દાર્થ જાવંત કે વિ-જે કંઈપણ. તિદડવિરયાણું-જેઓ ત્રણ સાહુ-સાધુઓ. દંડથી વિરામ પામેલા છે. રહે૨વયમહાવિદેહે ભરત તેઓને. ઐરવત અને મહાવિદેહ ત્રણ દંડ-મનથી પાપ કરવું ક્ષેત્રમાં. તે મનોદંડ, વચનથી પાપ અ-અને. કરવું તે વચનદંડ અને સલૅસિં તેસિં-તે સને. કાયાથી પાપ કરવું તે. પણુઓ-નમેલ છું. કાયદંડ. તિવિહેણુ-કરવું કરાવવું અને અમેદવું એ ત્રણ પ્રકારે. અર્થ સંકલના– ભરત-અરવત અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા છે કોઈ પણ સાધુઓ, મન, વચન અને કાયાથી પાપવૃત્તિ કરતા નથી, કરાવતા નથી, તેમજ કરતાને અનુદતા નથી, તે સર્વેને હું નમેલો છું-નમું છું. સુત્રપરિચય આ સૂત્રને ઉપયોગ સર્વ સાધુઓને વંદન કરવા માટે થાય છે અને તે આશયની શુદ્ધિ કરનારૂં હોવાથી પ્રણિધાનત્રિકમાં સ્થાન પામેલું છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પંચપરમેષ્ઠિનમસ્કારસૂત્રમ્ [‘નમોહં' સૂત્ર] મૂળનમે હસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ૧ શબ્દાર્થ – નમે-નમસ્કાર છે. સર્વ સાધુભ્ય –અરિહંત, સિદ્ધ, અહંત સિદ્ધાચાર્યોપાધ્યાય- આચાર્ય, ઉપાધ્યાય તથા સર્વસાધુઓને. અર્થસંકલના અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વસાધુઓને નમસ્કાર હો. સુત્રપરિચય – આ સૂત્રવડે પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવે છે. 4 hit, Page #75 -------------------------------------------------------------------------- ________________ SASSIZED OM ૧૭ ઉવસગ્ગહર થોત્ત [ ‘ઉપસર્ગહરસ્તોત્રમ ] મૂળ (ગાહા ) ઉવસગ્ગહરંપાસ, પાસે વંદામિ કમ્મઘણુમુક્ર વિસહરસિનિન્નાલં, મંગલકલ્લાઆવાસં છે ૧ | વિસહર કુલિંગમંત, કંઠ ધાઈ જો સયા મથુઓ તસ્સ ગહરેગમારી-દુકજરા જંતિ ઉવસામ છે ર છે ચિદઉ દૂરે મતે, તુજઝ પણ વિ બહુફ હેઈ નરતિરિએસુ વિ જીવા, પાવંતિ ન દુખદેગઍ ૩ તુહ સમ્મત્તે લદ્દે, ચિન્તામણિકપિપાયવળ્યહિએ ! પાવંતિ અવિઘેણું જીવા અયરામ ઠાણું ૪ ઈઅ સંયુઓ મહાયસ! ભક્તિભરનિષ્ણરેણ હિએણ તા દેવ ! દિજજ બોહિં, ભવે ભવે પાસ! જિણચંદ! પા શબ્દાર્થ – ઉવસગહર પાસ-ઉપદ્રવ ને દૂર | કમ્મઘણુમુક્ક-કમ્મરૂપી મેથી કરનાર પાર્થ નામનો યક્ષ મુકત થયેલ. જેમને છે એવા. કમ–આત્માની શકિતઓને પાસ-તેવીસમા તીર્થંકર શ્રી આવનારી એક પ્રકારની - પાર્શ્વનાથ ભગવાનને. પુગલની વર્ગણા. ઘનવંદામિ-હું વંદુ છું. મેધ. મુક્ત-મૂકાયેલ, રહિત. Page #76 -------------------------------------------------------------------------- ________________ વિસત્તુરવિસ નન્નાસ–સપેર્યાંના ઝેરને નાશ કરનાર, મિથ્યાત્વ આદિ દાષાને દૂર કરનાર. મગલકહેલાણ આવાસ --મગલ અને કલ્યાણુના ગૃહરૂપ. વિસ હું રફુલિ’ગ મ ત -‘વિસહર ફુલિંગ' નામના મંત્રને કહૈ ધારેઈકઠને વિષે ધારણ કરે છે, સ્મરણુ કરે છે. જો-જે. સયા–નિત્ય. મ-મનુષ્ય. તરસ-તેના. ગહર ગમારીધ્રુજરા--ગ્રહા, રેગે, મરકી આદિ ઉત્પાત તથા વિષમજ્વરા. ડ્ડા-ગ્રહોની માઠી અસર. રાગ–સાળ મહારેગ. મારી-અભિચાર કે મારણપ્રયાગ વડે ફ્રાટી નીકળેલે રાગ કે મરકી, જરા— દુર, કવર, વિષમજર, સન્નિપાત આદિ. જતિ-ન્ના છે, પામે છે. ૬૭ ઉવસામ’–શાંતિને. ચિઠ્ઠ૩–રહેા. દૂર દૂર. મતા-(એ) મંત્ર, તુજ્જી-તમને કરેલા. પણામા–પ્રણામ, ત્રિ—પણ. અહુલા—બહુ કુલ આપનારા. હાઇ--થાય છે. નરતિરિઅસુ-મનુષ્ય (ગતિ) અને તિયચ ગતિમાં. વિ-પશુ. જીવા-આત્માએ. પાવતિ-પામે છે. ન-નહિ. દુખદ ગચ્ચ દુઃખ દુર્દશાને. તુહ-તમારા. સમ્મત્ત લગ્ને-સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવાથી. ચિંતામણિકપાયવ— ૠહિએ-ચિંતામણિ ક રત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક, પાવતિ-પામે છે. અવિશ્લેષ્ણ -સરલતાથી, નિવિઘ્નપણે. જીવા-પ્રાણીઓ. તથા Page #77 -------------------------------------------------------------------------- ________________ અયરામ ઠાણું-અજરામર તા–તેથી. સ્થાનને, મુકિત પદને. દેવ-હે આરાધ્યદેવ ! ઈ-આ પ્રમાણે. દિજ-આપે. સયુએ-સ્તવાયેલા. હિં-બધિને, જિન ધર્મની મહાચસ!-હે મહાયશસ્વી ! હે પ્રાપ્તિને. મહાકતિ વાળા ! ભક્તિભરનિર્ભરેણ-ભક્તિના ભવે ભવે–ભવોભવ, પ્રત્યેક સમૂહથી ભરપૂર. ભવમાં. ભર-સમૂહ. નિર્ભર-ભરેલું પાસ–હે પાર્શ્વનાથ સ્વામી ! હિઅએણું--હદય વડે, અન્તઃ જિણચંદ-જિનેશ્વરમાં ચંદ્રકરણથી. સમાન ! અર્થસંકલના – સઘળા ઉપદ્રવને દૂર કરનાર પાર્શ્વ યક્ષ જેમને છે, જેમને સેવક છે, જેઓ કર્મરૂપી મેઘોથી મુક્ત થયેલા છે, જેનું નામસ્મરણ) સર્પોનાં ઝેરને નાશ કરે છે, તથા મિથ્યાત્વ આદિ દે દૂર કરે છે અને જેઓ મંગલ તથા કલ્યાણનાં ગૃહરૂપ છે તેવા શ્રી પાર્શ્વનાથને હું વંદન કરું છું. ૧. | [શ્રી પાર્શ્વનાથ પ્રભુના નામથી યુક્ત “વિસહર કુલિંગ” નામના મંત્રને જે મનુષ્ય કંઠને વિષે ધારણ કરે છે, તેના ગ્રહો, (ગ્રહદોષ.) રેગે, મરકી વગેરે ઉત્પાત અને દુષ્ટવરે શાંતિને પામે છે. ૨. એ (‘વિસહરકુલિંગ') મંત્ર તે દૂર રહો, હે પાર્શ્વનાથ સ્વામી! તમને કરેલે પ્રણામ પણ બહુ ફલ આપનારે થાય છે. તેનાથી તમને પ્રણામ કરવાથી મનુષ્ય અને તિર્યંચ-ગતિમાં રહેલા છે કેઈ પણ પ્રકારના દુઃખ કે દુર્દશાને પામતા નથી. ૩. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૯ ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક શક્તિ ધરાવનારું તમારું સમ્યકત્વ પામવાથી જ નિર્વિધનપણે મુક્તિપદને પામે છે. ૪. હે મહાયશસ્વી! ભક્તિથી ભરપૂર હૈયાવડે આ પ્રમાણે મેં તમને સ્તવ્યા. તેથી હે આરાધ્યદેવ! જિનેમાં ચંદ્ર સમાન! શ્રી પાર્શ્વનાથ ભગવંત! મને ભવભવ બધિ (જિન ધર્મની પ્રાપ્તિ) આપ. ૫. સૂત્રપરિચય– આ સ્તોત્રમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના ગુણેની સ્તવના બહુ સુંદર રીતે કરવામાં આવી છે અને તેને ઉપગ ચૈત્યવંદનમાં સ્તવન તરીકે થાય છે. નવસ્મરણમાં તેનું સ્થાન બીજું ગણાય છે આ સ્તોત્રની રચના વિષે નીચેની કથા પ્રચલિત છે. શ્રી ભદ્રબાહુસ્વામીને વરાહમિહિર નામને એક ભાઈ હતો. તેણે પણ જન દીક્ષા લીધી હતી, પરંતુ કેઈ કારણવશાત પાછળથી તે છોડી દીધી હતી અને જોતિષશાસ્ત્રદ્વારા પિતાની મહત્તા બતાવી જનસાધુઓની નિંદા કરતો હતો. એકવાર રાજાના પુત્રની જન્મકુંડળી વરાહમિહિરે બનાવી આપી અને કહ્યું કે “પુત્ર સે વર્ષને થશે.” રાજાને આ સાંભળી અત્યંત હર્ષ થયા અને વરાહમિહિરનું બહુમાન કર્યું. આ પ્રસંગનો લાભ લઈ વરાહમિહિરે રાજાના કાન ભંભેર્યું કે મહારાજ ! આપને ત્યાં કુંવરને જન્મ થવાથી બધા રાજી થઈ આપને મળવા આવી ગયા પણ જેનાના આચાર્ય ભદ્રબાહુ નથી આવ્યા. તેનું કારણ તે જાણે ! રાજાએ તે સંબંધમાં તપાસ કરી તો શ્રીમદ્રબાહુસ્વામીએ જવાબ આપે કે નકામું બે વખત શું કામ જવુંઆવવું ? એ પુત્ર તો સાતમે દિવસે બિલાડીથી મરણ પામવાનો છે. રાજાએ આ વાત સાંભળી પુત્રની રક્ષા માટે ચોકી પહેરા મૂક્યા અને ગામની Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૦ બધી બિલાડીઓને દૂર મોકલાવી દીધી. પરંતુ બન્યું એમ કે સાતમા દિવસે ધાવમાતા બારણામાં બેઠી બેઠી પુત્રને ધવરાવતી હતી, તેવામાં બાલકિપર અકસ્માત લાકડાનો આગળિયો પડવો અને બાલક મરણ પામે. વરાહમિહિર તો એથી ખૂબ જ શરમાઈ ગયો. શ્રીભદ્રબાહુ એ વખતે રાજાને મળવા ગયા અને સંસારનું સ્વરૂપ સમજાવી ધીરજ આપી. રાજાએ તેમના જ્યોતિષશાનની પ્રશંસા કરી અને સાથે એ પણ પૂછ્યું કે બિલાડીથી મરણ થશે એ વાત કેમ સાચી ન પડી ? એ વખતે સરિજીએ લાકડાને આગળિયો મંગાવ્યો. તે તેના છેડા ઉપર બિલાડીનું મોટું કરેલું હતું. આ પ્રસંગથી વરાહમિહિરને દેશ વચ્ચે અને મરીને તે વ્યંતરદેવ થતાં જૈન સંઘમાં મહામારી-ગ જેવો રોગચાળો ફેલાવવા લાગ્યા પરંતુ શ્રીભાવબાહુવામીએ “ઉવસગહર સ્તોત્ર બનાવીને સંધને મુખપાઠ કરવા કહ્યું અને તેથી તે ઉપદ્રવ દૂર થશે, ત્યારથી આ સ્તોત્ર પ્રચલિત થયું છે. આ સ્તોત્રમાં અનેક ચમત્કારી મંત્ર-યંત્રો ગોઠવેલા છે, જે તેના પર રચાયેલી વિવિધ ટીકાઓથી જાણી શકાય તેમ છે. આ સ્તોત્રની મૂળ ગાથાઓ પાંચ જ છે, એટલે વધારે ગાથાવાળા જે તેને મળે છે, તે પાછળથી રચાયેલાં છે.* * “ઉવસગ્ગહર સ્તોત્ર'નું વિશેષ રહસ્ય જાણવા માટે જુએ “પ્રબોધટીકા, ભાગ પહેલે, સૂત્ર ર૭, Page #80 -------------------------------------------------------------------------- ________________ મૂળ— ૧૮ પણિહાણુ સુત્ત [ ‘જયવીયરાય’ સૂત્ર ] ( ગાઢા ) જય વીયરાય ! જગદ્ગુરુ!, હાઉ મમ' તુષ પભાવ ભયવ !! ભવનિવ્યે લેગવિરુદ્ધચ્ચા, ગુજણુપૂઆ પરત્યકરણ ચ । સુગુરુજોગ તન્વયણુસેવણા આભવમખંડા ારા મગાસારિઆ ઇલસિદ્દી ૧૫ વારિજ્જઈ જઇ વિ નિયાણુ--öધણુ વીયરાય ! તુહ સમએ । તહ વિ મમ હુજ સેવા, ભવે ભલે તુમ્હેં ચલણાણું till દુખખકખ, સમાહિમરણું ચ બેાહિલાનેા ખા સંપજ્જઉ મહ એમ, તુતુ નાહ ! પણામકરણેણું ॥૪॥ (અનુષ્ટુપ) સ મ ગલમાંગલ્ય, સકલ્યાણુકારમ્ । પ્રધાન સ ધર્માણાં, જૈન જયતિ શાસનમ્ ॥પા { } Page #81 -------------------------------------------------------------------------- ________________ રાથ– જય–તમે જયવંત વર્તો. વીયરાય !-- હે વીતરાગ પ્રભુ! જગુરુ ! હે જગદ્ગુરુ ! હાઉ–હો. મમ–મને. તુહ–તમારા. પભાવ-પ્રભાવથી, સામર્થ્યથી. ભયવં ! હે ભગવન! ભવનિવે-સંસ પ્રત્યે વેરાગ્ય. મગાસારિઆ-માન સારિપણું. ઈફલસિદ્ધી-ઈષ્ટલની સિદ્ધિ લેગવિરુદ્ધચ્ચાઓ–લેક વિરૂદ્ધ પ્રવૃત્તિને ત્યાગ, લેકવિરુદ્ધ ગણાય એવા કોઈ પણ કાર્યને ત્યાગ. ગુજણ પૂઆ-ધર્માચાર્ય તથા માતા-પિતાદિ વડીલો પ્રત્યે પૂરેપૂરો આદરભાવ. પરત્યકારણુ-પરોપકાર કરે, બીજાનું ભલું કરવું તે. સુહગુરુગે-સદ્ગુરુને ગ. તલ્લયણસેવા-તેમનાં વચન પ્રમાણે ચાલવાની શક્તિ. આભનં-જ્યાં સુધી સંસારમાં પરિભ્રમણ કરવું પડે ત્યાં સુધી અખંડા -અખંડ. વારિજજઇ--વાયું છે. જઇ વિ-જે છે. નિયાણબંધણું-નિયાણું બાંધવું તે. તુ તમારા. સમયે–શાસ્ત્રમાં, પ્રવચનમાં. તહુ વિ-તેમ છતાં. મમ-મને. હુજ-હેજે સેવા-ભક્તિ, ઉપાસના. ભવે ભવે-જન્મ જન્માંતરને વિષે. તુમહુ-તમારાં. ચલણાણું-ચરની, પગની. દુકૂખખ-દુઃખને નાશ. કશ્મખ--કર્મનો નાશ. સમાહિમણું-સમાધિમરણ, સમાધિપૂર્વકનું મૃત્યુ. ચ–અને. બહિલા-બધિલાભ, ભવાન્તરમાં જિન ધર્મની પ્રાપ્તિ. અ–અને. Page #82 -------------------------------------------------------------------------- ________________ સંપજજઉ-પ્રાપ્ત થજે. સવકલયાણકારણમ-સર્વ મહમને. કલ્યાણનાં કારણુપ. એ અં–આ. પ્રધાનં-શ્રેષ્ઠ. તુહ-તમને. સર્વધર્માણામ-સર્વ ધર્મોમાં. નાહ!–હે નાથ ! પણમકરણેણું-પ્રણામ જૈન-જૈન. કરવાથી. જયતિ–જ્ય પામે છે, જયવંતુ સર્વમંગલમાંગલ્ય–સર્વ વસે છે. મંગલેમાં મંગલરૂપ. || શાસનમ-શાસનઅર્થસંકલન હે વીતરાગ પ્રભુ! હે જગદ્ગુરુ! તમે જયવંત વર્તે. હે ભગવન ! તમારા સામર્થ્યથી મને સંસાર પ્રત્યે વૈરાગ્ય, માગનુસારપણું, અને ઈષ્ટફલની સિદ્ધિ પ્રાપ્ત થાઓ (જેથી હું ધર્મનું આરાધન સરળતાથી કરી શકું). ૧. હે પ્રભુ ! (મને એવું સામર્થ્ય પ્રાપ્ત થાઓ કે જેથી, મારું મન લેકવિરૂદ્ધ ગણાય એવું કોઈ પણ કાર્ય કરવા માટે પ્રેરાય નહિ, ધર્માચાર્ય તથા માતાપિતાદિ વડીલે પ્રત્યે પૂરેપૂરે આદરભાવ અનુભવે અને બીજાનું ભલું કરવા માટે ઉજમાળ બને. વળી હે પ્રભો ! મને સદ્ગુરુનો પેગ સાંપડે, તથા તેમનાં વચને પ્રમાણે ચાલવાની સંપૂર્ણ શક્તિ પ્રાપ્ત થશે. આ બધું જ્યાં સુધી મારે સંસારમાં પરિભ્રમણ કરવું પડે, ત્યાં સુધી મને પ્રાપ્ત થશે. ૨, હે વીતરાગ ! તમારા પ્રવચનમાં જે કે નિયાણું બાંધવાનું વાર્યું છે, તેમ છતાં હું એવી ઈચ્છા કરું છું કે દરેક ભવમાં તમારા ચરણેની ઉપાસના કરવાને વેગ મને પ્રાપ્ત થજે. ૩. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ હે નાથ ? તમને પ્રણામ કરવાથી દુઃખને નાશ, કર્મને નાશ, સમાધિપૂર્વક મરણ અને ભવાંતરમાં જિનધર્મની પ્રાપ્તિ મને પ્રાપ્ત થજો. ૪. સર્વ મંગલેમાં મંગલરૂપ, સર્વ કલ્યાણેનું કારણ અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવું જૈન શાસન જયવંતુ વતે છે. ૫. સુપરિચય શ્રાવક તથા સાધુઓને દિવસ અને રાત્રિના ભાગમાં જે ચેત્યવંદને કરવાનાં હોય છે, તેમાં આ સૂત્ર બોલાય છે. મનનું પ્રણિધાન કરવામાં આ સન્ન ઉપયોગી છે, તેથી તેને “પણિહાણસુત્ત' કહેવાય છે. તેમાં વીતરાગ દેવ આગળ નીચેની વસ્તુઓ માટે પ્રાર્થના કરવામાં આવે છે – (૧) ભવનિર્વેદ કરી ફરીને જન્મ લેવાને કંટાળે. - (૨) માનસારિતાજ્ઞાનીઓએ બતાવેલા મેક્ષમાર્ગને અનુસરવાપણું. (૩) ઇષ્ટ સિદ્ધિ–ઈછિત ફળની પ્રાપ્તિ. (૪) લોકવિરુહત્યાગ – લેકમાં નિન્ય ગણાય તેવાં કામોને ત્યાગ. (૫) ગુરુજનોની પૂજ—ધર્મગુરુ, વિદ્યાગુરુ, વડીલે વગેરેની પૂજા (૬) પરાર્થકરણ–પરોપકાર કરવાની વૃત્તિ. (૭) સદ્દગુરુને ગ. (૮) સગુનાં વચન પ્રમાણે ચાલવાની શકિત. (૯) વીતરાગનાં ચરણોની સેવા. (૧૦) દુઃખને નાશ. (૧૧) કાને નાશ. (૧૨) સમાધિમરણ-સમાધિપૂર્વકનું મૃત્યુ. (૧૩) બાધિલાભ-ભતરમાં જિનધર્મની પ્રાપ્તિ. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ચેઈથયસુત્ત [‘અરિહંતઈયાણું' સૂત્ર ] મૂળ– અરિહંતઈયાણું કરેમિ કાઉસગ્ગા વંદણુવત્તિયાએ પૂઅણુવત્તિયાએ સકારવત્તિયાએ સન્માવત્તિયાએ બેહિલાભવત્તિયાએ નિરુવસગ્નવરિયાએ, સદાએ મેહાએ ધિઈએ ધારણુએ અણુપેહાએ. વઢમાણીએ, કામિ કાઉસગ્ગ છે શબ્દાર્થ – રહેતઈયાણું-અહંત- | સમ્માણવત્તિયાએ–સન્માનના ચેયનાં, અહંત પ્રતિમાઓનાં. નિમિતે, સન્માનનું નિમિત્ત અત્ય-બિંબ, મૂર્તિ કે પ્રતિમા. I લઈને. કરેમિ-કરું છું. બેહિલાભવત્તિયાએ–બોધિકાઉસ્સગ્ન-કાયોત્સર્ગ. લાભના નિમિતે, બધિના લાભનું વંદણુવત્તિયાએ-વંદનનિમિત્તે, નિમિત્ત લઈને. વંદનનું નિમિત્ત લઈને. | નિમવસગવત્તિયાએ-મોક્ષના પૂઅણવત્તિયાએ-પૂજનનિમિતે, નિમિતે, મોક્ષનું નિમિત્ત લઇને. પૂજનનું નિમિત્ત લઈને. | સદ્ધાએ-શ્રાવ, પિતાની સારવત્તિયાએ-સત્કારના નિ-II ઈછાવડે. મિતે, સત્કારનું નિમિત્ત લઈને.!! મેહાએ-મેધાવડે, સમજણુવડે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ७६ ધિઈએ-વૃતિવડે, ચિત્તની સ્વ. | વઢમાણુએ વૃદ્ધિ પામતી, સ્થતા વડે. વધતી જતી. ધારણાએ-ગુણોને યાદ રાખવા વડે, ધારણવડે. આપતાએ-વારંવાર ચિંતન ઠામિ કાઉસ્સગ્ન-કાયોત્સર્ગમાં કરવાવડે, અને પ્રેક્ષાવડે. | સ્થિર થાઉં છું. અર્થસંકલના અર્હત્ પ્રતિમાઓનાં આલંબનવડે કાત્સર્ગ કરવા ઈચ્છું છું. વંદનનું નિમિત્ત લઈને, પૂજનનું નિમિત્ત લઈને, સત્કારનું નિમિત્ત લઈને, સન્માનનું નિમિત્ત લઈને, બંધિના લાભનું નિમિત્ત લઈને તથા મેલનું નિમિત્ત લઈને વધતી જતી ઈચ્છાવડે, વધતી જતી સમજણવડે, વધતી જતી ચિત્તની સ્વસ્થતાવડે, વધતી જતી ધારણુવડે અને વધતી જતી અનુપ્રેક્ષાવડે હું કાયેત્સર્ગમાં સ્થિર થાઉં છું. સૂત્રપરિચય આ સૂત્રમાં અરિહંતનાં ચિને (સ્થાપના જિનેને ) કાયોત્સર્ગ વડે વંદનાદિ કરવાને વિધિ બતાવે છે, તેથી એ ચૈત્યસ્તવ” કહેવાય છે. પ્રશ્નચૈત્ય એટલે ? ઉત્તર–ચય એટલે બિંબ, મૂર્તિ કે પ્રતિમા. જિનમંદિરને પણ ચિત્ય કહેવામાં આવે છે. પ્રશ્ન–ચત્ય કેનાં બનાવવામાં આવે છે? ઉત્તર –ચય અરિહંત ભગવંતનાં બનાવવામાં આવે છે, કારણ કે મુખ્ય ઉપાસના-આરાધના તેમની જ કરવાની હોય છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ H પ્રશ્ન-અરિહંતનાં ચૈત્ય શેનાં મનાવવામાં આવે છે? ઉત્તર્—અરિહંતનાં ચૈત્ય રત્ન, સુવણુ, પાષાણુ વગેરેનાં બનાવવામાં આવે છે. તે દેખાવમાં ઘણાં સુંદર હોય છે. પ્રશ્ન-અરિહંતનાં ચૈત્યમાં વિશેષતા થી ઢાય છે ? ઉત્તર—અરિહંતનાં ચૈત્યમાં વિશેષતા એ હાય છે કે તેનુ" મુખકમલ પ્રસન્ન હેાય છે, તેના ચક્ષુએમાં શાંતરસ ભરેલા હ્રાય છે, તેના હાથમાં કાઈ જાતનાં શસ્ત્ર-અસ્ર હૈાતાં નથી, એટલે તે વીતરાગતાનું અપૂર્વ દૃશ્ય ખડુ કરે છે. પ્રશ્ન-અરિહંતનાં ચૈત્યાની ઉપાસના કેવી રીતે કરવામાં આવે છે ઉત્તર—અરિહંતનાં ચૈત્યાની ઉપાસના અંગપૂજન, અગ્નપૂજા અને ભાવપૂજાવડે કરવામાં આવે છે. પ્રશ્ન—અંગપૂજા ીને કહેવાય ? ઉત્તર—જલ, ચંદન, પુષ્પ વગેરે વડે અરિહંતનાં અગાનું પૂજન કરવું, તેને અંગપૂજા કહેવાય. પ્રશ્ન—અમ્રપૂજા કોને કહેવાય ? ઉત્તર—અરિહંતનાં ચૈત્ય આગળ ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફૂલ વગેરે મૂકવાં, તેને અત્રપૂજા કહેવાય. પ્રશ્ન—ભાવપૂજાને કહેવાય ? ઉત્તર—અરિહંત ભગવંતની સ્તુતિ-સ્તવના કરવી તથા તેમનું યાન ધરવું, તેને ભાવપૂજા કહેવાય. પ્રશ્ન-અરિહુ ત ભગવંતનું ધ્યાન શી રીતે ધરાય ? ઉત્તર- તે માટે ખાસ કાયાસ કરવામાં આવે છે અને તેમાં અરિવંત ભગવંતનાં ચૈત્યનું માલંબન (ટેક) લેવામાં આવે છે. પ્રશ્ન—આલમન લેવાનુ કારણ શું ! ઉત્તર—આલ અન લેવાથી મન તેના પર સ્થિર થાય છે. જો માલઅન ન લઈએ તે મન તેના પર સ્થિર થતું નથી. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ પ્રશ્ન-અરિહંત ભગવંતનાં ચયનું આલંબન લીધા પછી શું કરવામાં આવે છે ? ઉત્તર –પ્રથમ તેમનાં વંદનનું નિમિત્ત લઈને ચિત્તને એકાગ્ર કરવામાં આવે છે. પછી તેમનાં પૂજનનું નિમિત્ત લઈ ચત્તને એકાગ્ર કરવામાં આવે છે. આ રીતે સત્કારનું નિમિત્ત લઈને, સન્માનનું નિમિત્ત લઈને, બંધિલાભનું નિમિત્ત લઈને તથા મોક્ષનું નિમિત્ત લઈને ચિત્તને એકાગ્ર કરવામાં આવે છે અને તેના વડે વંદનાદિથી જે લાભ મળે છે, તે મળે એવી ઈચ્છા રાખવામાં આવે છે. પ્રશ્ન-જુદા જુદા વિષયમાં રમવાની ટેવવાળું ચિત્ત એકાગ્ર શી રીતે થાય? ઉત્તર–જે શ્રદ્ધા કેળવવામાં આવે, સમજણ (મેધા) ખીલવવામાં આવે, ધૃતિ (ચિત્તની સ્વસ્થતા) રાખવામાં આવે, ધારણાને અભ્યાસ કરવામાં આવે અને અનુપ્રેક્ષા વારંવાર ચિંતન)ને ફરી ફરીને આશ્રય લેવામાં આવે, તો ચિત્ત એક વિષયમાં એકાગ્ર થઈ શકે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ મૂળ– ર૦ કલાકંદ' થઈ [પંચજિન સ્તુતિ) (ઉપેન્દ્રવજા) કલ્યાણકદે પઢમં જિણિંદ, સંતિ તઓ નેમિજિણું મુર્ણિ પાસ પયાસં સુગુણિwઠાણું ભdઈ વદે સિવિદ્દમાણું ૧n (ઉપજાતિ) અપારસંસારસમુદ્રપાર, પત્તા સિવં રિંતુ સુઈસારે સવે જિણિંદ સુરવિંદવંદા,. કલાણુવલ્લીણ વિસાલકંદા રા નિવ્વાણુમગે વજાણક૫, પણુસિયાસેયસકુવાઈદળ્યું મયં જિjણું સરણું બુહાણું, નમામિ નિર્ચ તિજગપહાણું વા કુંદિ દુગોખીરતુસારવન્ના, સરજહથા કમલે નિસન્ના | વાઈસરી પુત્યયવગ્રહસ્થા સુહાય સા અમહ સયા પસત્યા Page #89 -------------------------------------------------------------------------- ________________ રામ્બા કલાણ ઈ-કલ્યાણરૂપી વૃક્ષના મૂળને, કલ્યાણનાં કારણને. પઢમ’-પહેલા, આદિ. જિશુિદ—જિનેન્દ્રને, તીર્થંકરને સતિ –શ્રીશાન્તિનાથને, ત-ત્યાર પછી. નેમિજિણ — મિજિનને, શ્રીનેમિનાથને. સુણિદ-મુનિઓમાં શ્રેષ્ઠ. પાસ –શ્રીપાશ્વનાથને. યાસ–પ્રકાશ સ્વરૂપ, સુગુણુિઠાણું -સદગુણુનાં એક સ્થાનરૂપ, બધા સદ્ગુણા જ્યાં એકત્ર થયા છે તેવા. સત્તી”-ભક્તિથી. વઢે-વંદુ છું. સિરિવન્દ્વમાણુ શ્રીવધ માનને, ૮૦ શ્રીમહાવીરસ્વામીને. અપારસ સારસમુદ્દપારજેને પાર પામવા મુશ્કેલ છે, એવા સંસાર–સમુદ્રના કિનારાને, પત્તા-પ્રાપ્ત થયેલા. સિવ –કલ્યાણ, મેક્ષપદ જંતુ-આપે. મુઇસાર-જીતના એક સારરૂપ, અથવા પવિત્ર વસ્તુઓમાં વિશેષ સારરૂપ. સવે–સવ. જિણિ દ્વા–જિનેન્દ્રો. સુરવિ ધ્રુવ દ્યા-દેવસમૂહાવર્ડ વદન કરવાને ચેાગ્ય. કલાણુવલ્લીણ-કલ્યાણુરૂપી વેલડીઓના. વિસાલકદા-મોટાં મૂળ સમાન.. નિવ્વાણુ મળ્યે નિર્વા પ્રાપ્તિના માર્ગ માં. વરજાણુખ-શ્રેષ્ઠ વાહનસમાન. પાસિયાસેસકુવાઇદ્રપ્’– જેણે કુવાદીઓનું અભિમાન પૂરેપૂરૂં નષ્ટ કર્યું છે, જેણે એકાંતવાદોએના સિદ્ધાંતાને ખાટા સાબીત કરી બતાવ્યા 3. મય-મત, સિદ્ધાંત, દન. Page #90 -------------------------------------------------------------------------- ________________ જિણાણ-જિનેાનું, અરિહંતાનુ સરણ-શરણુરૂપ, આશ્રય લેવાને મ્ય. જીહાણ–વિદ્વાનાને. નમામિ− ું નમું છું. નિશ્ર્ચ-નિત્ય, પ્રતિદિન. તિજગપહાણ – ત્રણે જગતમાં શ્રેષ્ઠ, ।જિંદુંગા ખીરનુસારવનામેાગરાનું ફૂલ, ચન્દ્રમા, ગાયનું દૂધ અને ખર જેવા શ્વેતવર્ણીવાળી. સરાજહત્યા-હાથમાં કમલને ધાણ્યુ કરનારી. અસ કલના— ૨૧ ક્રમલે-કમલ ઉપર. નિસન્ના-બેઠેલી. વાઇસરી–વાગીસરી, શ્રુતદેવી, સરસ્વતી. પુત્થયવગહત્થા-પુસ્તકને હાથમાં ધારણ કરનારી. સુહાય-સુખને માટે થાઓ. સાતે. અહુ અમારા. સયા–સદા. પસત્થા-પ્રાત, સર્વ રીતે શ્રેષ્ઠ. કલ્યાણના કારણરૂપ પ્રથમતી કર શ્રીઋષભદેવને, શ્રીશાંતિનાથને, મુનિએમાં શ્રેષ્ઠ એવા શ્રીનેમિનાથને, પ્રકાશસ્વરૂપ શ્રીપાર્શ્વનાથને તથા સદ્ગુણ્ણાનાં મુખ્ય સ્થાનરૂપ શ્રીમહાવીરસ્વામીને હું ભક્તિથી વંદન કરું છું, ૧. જેને પાર પામવા મુશ્કેલ છે, એવા સંસારસમુદ્રના નારાને પ્રાપ્ત થયેલા, દેવસમૂહવડે પણ વંદન કરવાને ચેાગ્ય કલ્યાણરૂપી વેલડીએનાં મેટાં મૂળ સમાન એવા સર્વે જિનેન્દ્રી મને શાસ્ત્રના એક સારરૂપ અથવા પવિત્ર વસ્તુઓમાં વિશેષ સારૂપ મેાક્ષ આપેા. ર. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રીજિનેશ્વરદેવે પ્રરૂપેલે સિદ્ધાંત જે નિર્વાણપ્રાપ્તિના માર્ગમાં શ્રેષ્ઠ વાહન સમાન છે, જેણે સઘળા એકાંતવાદીઓના ઘમંડને નાશ કર્યો છે, જે વિદ્વાનેને પણ આશ્રય લેવાને ગ્ય છે, તથા જે ત્રણે જગતમાં શ્રેષ્ઠ છે, તેને હું નિત્ય નમું છું. ૩. ' મેગરાનાં ફૂલ, ચંદ્ર, ગાયનું દૂધ અને બરફના સમાન વર્ણવાળી, એક હાથમાં કમલ અને બીજા હાથમાં પુસ્તક ધારણ કરનારી, કમલ પર બેઠેલી અને સર્વ રીતે પ્રશસ્ત એવી વાગીશ્વરી (સરસ્વતી દેવી) સદા અમારા સુખને માટે થાઓ. ૪. સૂત્રપરિચય – આ સત્રમાં ચાર સ્તુતિઓ છે. તેમાંની પહેલી સ્તુતિમાં શ્રી ઋષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રીઅરિષ્ટનેમિ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામીને ભક્તિપૂર્વક નમસ્કાર કરવામાં આવ્યો છે. બીજી સ્તુતિમાં સર્વ તીર્થકરોની સ્તુતિ કરવામાં આવી છે. ત્રીજી સ્તુતિમાં શ્રુતજ્ઞાન (દ્વાદશાંગી)ની સ્તુતિ કરવામાં આવી છે અને ચોથી સ્તુતિમાં વાગીશ્વરી (સરસ્વતી)ની સ્તુતિ કરવામાં આવી છે. ચિત્યવંદન-દેવવંદનમાં આ સ્તુતિએ બોલાય છે. ૨૧ સામાયિક લેવાની વિધિ સામાયિકમાં જોઈતી વસ્તુઓ ૧. શુદ્ધ વસ્ત્ર. ૨. કટાસણું. ૩. મુહપતી. ૪. સાપડે. ૫. ધાર્મિક પુસ્તક. ૬. ચરવળો. ૭. ઘડી કે ઘડીયાળ. ૮. નવકારવાળી. ૧. પ્રથમ શુદ્ધ વસ્ત્ર પહેરવાં. પછી૨. ચરવળાથી જગા પૂજીને શુદ્ધ કરવી. ૩. ગુરુને યોગ ન હોય તો એક ઊંચા આસન ઉપર ધાર્મિક પુસ્તક કે નવકારવાળી મૂકવી. પછી Page #92 -------------------------------------------------------------------------- ________________ ૪. મુહપતી ડાબા હાથમાં રાખીને જમણે હાથ તેની સન્મુખ રાખો. પછી– ૫. નમસ્કાર મંત્રી તથા ચિંદિયસૂત્ર” કહીને તેમાં આચાર્યની સ્થાપના કરવી, એટલે બધી ક્રિયા આચાર્યની સામે તેમની સંમતિથી થાય છે. એમ સમજવું. પછી– ૬. એક ખમાસમણ દઈને ઇરિયાવહી સૂત્ર” કહેવું. ૭. પછી “તસ્સઉત્તરી” તથા “અન્નત્ય” સૂત્ર કહી (“ચંદેસ નિમ્મલયરા” સુધીના) એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરે. લેગસ્ટ ન આવડતું હોય તે ચાર વાર “નમસ્કારમંત્ર બેલો. ૮. કાઉસ્સગ્ન પારીને પ્રગટ લેગસ” બેલી, એક ખમાસમણુ” દેવું. પછી— ૯. ઈરછાકારેણ સંદિસહ ભગવદ્ ! સામાયિક મુહપત્તી પડિલેહું? “ઈ' એમ કહીને પચાસ બેલથી મુહપત્તી પડિલેવી. ૧૦. પછી એક “ખમાસમણ દઈને “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! સામાયિક સંદિસાહું ? “ઇચ્છે ” એમ કહીનેએક “ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન સામાયિક ઠાઉં?” “ઈચ્છે ' એમ કહેવું. ૧૨. પછી બે હાથ લલાટે જોડી એકવાર “નમસ્કારમંત્ર ગણુ. ૧૩. પછી “ઈચ્છકારી ભગવન ! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવો ?” એમ કહેવું. ત્યારે ગુરુ અથવા વડીલ કરેમિ તે !” સૂત્ર ઉચ્ચરાવે. જે ગુરુ અથવા વડીલ ન હોય તો સામાયિક લેનારે પોતે એ સૂત્ર બોલવું. ૧૪. પછી એક “ખમાસમણ દઈ “ઈરછાકારેણ સંદિસહ ભગવન બેસણે સંદિસાહું?” “ઈચ ” કહી એક “ખમાસમણુ” દઈ – Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧૫. “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! બેસ હાઉં? “ઈચ્છ કહી એક “ખમાસમણુ” દઈ–– ૧૬. "ઇચ્છાકારેણ સંદિસહ ભગવન! સઝાય સંદિસાહું?” ઈરછ ' કહી એક “ખમાસમણ દઈ૧૭. ઈરછાકારેણ સંદિસહ ભગવન! સજઝાય કરું ?' કહી બે હાથ જેડી ત્રણ વાર “નમસ્કાર મંત્ર બેલી, બે ઘડી એટલે અડતાલીસ મિનિટ સુધી ધર્મધ્યાન કરવું. (શાસ્ત્રોને પાઠ લેવો, તેને અર્થ શીખો, તે સંબંધી પ્રશ્નોત્તરો કરવા, ધર્મકથા સાંભળવી, અનાનુપૂરી ગણવી, માળા ફેરવવી, અરિહંતને જાપ કરવો કે ધર્મયાનને અભ્યાસ કરવો. એ ધર્મયાન કહેવાય છે.) ૨૨ સામાયિક પારવાનો વિધિ ૧. પ્રથમ એક ખમાસમણ દઈને ઇરિયાવહી સૂત્ર” કહેવું. ૨. પછી "તસ્સઉત્તરી અન્નત્થ સૂત્ર કહી (ચંદે, નિમલયા સુધી) એક લોગસ્સનો અથવા ચાર નમસ્કારને કાઉસગ્ગ કરો. પછી કાઉસ્સગ પારીને– ૩. પ્રગટ લેગસ્સ કહી એક “ખમાસમણ દેવું. પછી ૪. “ઈચછાકારેણ સંદિસહ ભગવન! મુહપત્તી પડિલેહું ?” “છ” એમ કહીને પચાસ બોલથી મુહપત્તી પડિલેહવી. ૫. પછી એક ખમાસમણ દઈને ઈરછાકારેણ સંદિસહ ભગ વન્ ! સામાયિક પાસે ? યથાશક્તિ' એમ કહી. ખમાસમણ દઈને છાકારેણ સંદિસહ ભગવદ્ ! સામાયિક પાયું ?” “તહત્તિ” એમ કહીને— જમણો હાથ ચરવળા અથવા કટાસણા ઉપર સ્થાપીને એક નમસ્કાર મંત્ર ગણી સાહાઈવવયજુરો' સત્ર કહેવું. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧. ૮. પછી જમણે હાથ સવળે રાખી, એક નમસ્કાર મંત્ર ગણું સ્થાપ નાચાર્ય યોગ્ય સ્થાને મૂકવા. ઉપરા-ઉપર બે કે ત્રણ સામાયિક કરી શકાય, તેમાં દરેક વખતે સામાયિક લેવાને વિવિ કરે, પરંતુ તેમાં બેસજઝાય કરું” ને બદલે “સજઝાયમાં છું” એમ કહેવું, પણ દરેક વખતે સામાયિક પારવું નહિં. બે સામાયિક કરતાં હોય તે બે પૂરાં થયું અને ત્રણ કરવાં હોય તો ત્રણ પૂરાં થયે, એક વાર પારવું. જે એકી સાથે આઠ-દસ સામાયિક ભેગાં કરવાં હોય તો પણ ત્રણ ત્રણ સામાયિક પૂરાં થયે પારવાં. ૨૩ દેવદર્શન તથા ચૈત્યવંદનન વિધિ પ્રથમ શુદ્ધ વસ્ત્ર પહેરી એક વાટવામાં ચેખા, બદામ, નૈવેદ્ય વગેરે લઈ દેરાસરે જવું. પ્રથમ દ્વારમાં પ્રવેશ કરતાં નિશીહિ' બલવી. પછી રંગમંડપમાં પ્રવેશ કરતાં બીજી “નિસાહિ” બેલવી અને જિનેશ્વરની મૂર્તિના દર્શન કરતાં ભાવપૂર્વક સ્તુતિ બલવી. પછી ત્રણ પ્રદક્ષિણા દઈ ચોખા, બદામ, નૈવેદ્ય વગેરે પરમાત્મા સમક્ષ બાજોઠ ઉપર ચડાવવાં. અને પછી ત્રીજી નિશીહિ ” બોલી ચૈત્યવંદન કરવું. પ્રથમ ત્રણ “ખમાસમણ દેવ, પછી ડાબે ઢીંચણ ઉમે રાખી ઉત્તરાયણ નાખી બે હાથ જોડી, ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરું !” “ઈચ્છ' કહી–જગચિંતામણિ ચૈત્યવંદન કહેવું, અથવા “સકલશિલવલિ” સ્તુતિ x કહો કેઈ પણ પૂર્વાચાકૃત ચૈત્યવંદન કહેવું. x સકલકુશલવહિલપુષ્પરાવર્તમે, દુરિતતિમિરભાનુ કલ્પવૃક્ષેપમાનઃ | ભવજલનિધિપતઃ સર્વસંપત્તિહેતુ, સ ભવતુ સતત વઃ શ્રેયસે શાન્તિનાથઃ ૧ FO! ' Page #95 -------------------------------------------------------------------------- ________________ પછી જ ક્રિચિ' કહી ‘ નમાવ્યુ ણું' સૂત્ર કહેવુ . પછી જાવતિ ચેઈઆઇ' સૂત્ર કહો એક ‘ ખમાસમણુ ’ દેવું. 6 પછી જાવંત કેવિ સાદૂ' તથા ‘નમા ત્' સૂત્ર કહેવાં. ઉવસગ્ગહર' સ્નેાત્ર કહેવુ. પછી સ્તવન અથવા પછી એ હાથ મસ્તકે ધરી યવીયરાય' સૂત્ર · આલવમખેડા સુધી કહેવું, પછી એ હાથ નીચા ઉતારી બાકીનું ‘જયવીયરાય ’ સૂત્ર પૂરું કરવુ. ૯. પછી ઉભા થઇ · અરિRs'તચેર્દયાળુ ' સૂત્ર કહી ‘અન્નથ' સૂત્ર કહી એક નમસ્કારના કાઉસગ્ગ ક્રરવેશ. ૪. ૫. }. ૭. e. ૧૦. ( < પછી કાઉસ્સગ્ગ પારીને ‘ નમેડ્યું ત્ ' સૂત્ર કહીને થાય કહેવી. પછી એક ‘ ખમાસમણુ ' દેવું. " Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રી પ્રતિક્રમણુસૂત્ર પ્રમેાટીકા ૨ શ્રી પ્રતિક્રમણસૂત્ર પ્રમેાટીકા ૩ શ્રી પ્રતિક્રમસૂત્ર પ્રાટીકા * ૪ પ્રતિક્રમણની પવિત્રતા * ૫ શ્રી પંચપ્રતિક્રમણુસૂત્ર (પ્રમેાટીકાનુસારી-ગુજરાતી) ** ૬ શ્રી પંચપ્રતિક્રમણ્ત્ર (પ્રધટીકાનુસારી-હિંદી) ૭ સચિત્ર સાથે સામાયિક ચૈત્યવંદન (બીજી આવૃત્તિ) ૮ યેાગપ્રદીપ * અમારાં પ્રકાશના ભાગ ૧ લા ભાગ ૨ જો ભાગ ૩ જો ૯ તજ્જ્ઞાનુશાસન * ૧૦ ધ્યાનવિચાર (સચિત્ર) * ૧૧ નમસ્કારસ્વાધ્યાય (સચિત્ર) (પ્રાકૃત ભાગ) ઋષિમડલસ્તવય ત્રાલેખન ૧૨ • ૧૩ ઋષિમ`ડાયંત્ર (ત્રિરંગી આ પેપર ઉપર) ૧૪ નમસ્કારઞાધ્યાય (સચિત્ર) (સંસ્કૃત વિભાગ) 15 A Comparative Study of The Jain Theories of Reality and Knowledge 15-00 ૧૬ સસિદ્ધાન્તપ્રવેશક ૧-૦૦ ૧૭ જિતસ્નાત્રવિધિ તથા અભિષેકવિવિધ ૨-૦૦ * ૧૮ લાગસસૂત્ર સ્વાધ્યાય ૭-૦૦ ૧૯ ચેગસાર 20 Praman-naya-Tattvalokalamkar (With English Transletion) આ નિશાનીવાળા ગ્રંથા અપ્રાપ્ય છે. ૫૦૦ ૫-૦૦ 4-00 ૦-૩૫ ૨૦૦ ૨-૦૦ ૧-૦૩ ૧-૫૦ ૧-૦૦ અમૂલ્ય ૨૦-૦૦ ૩-૦૦ ૧-૦૦ ૧૫-૦૦ 20-00 Page #97 -------------------------------------------------------------------------- ________________ છપાનાર ગ્રંથો ૧ સુરિમંત્રક૯પસમુચ્ચય ભાગ ૧ લે ૨ ચોગશાસ્ત્રના અષ્ટમ પ્રકાશનું સવિસ્તર વિવરણ: ૩ શ્રી પંચપ્રતિક્રમણ સૂત્ર (પ્રબોધટીકાનુસારી-હિંદી) (બીજી આવૃત્તિ 4 Nyayavatar AND Nayakarnika with: engish Transletion ૫ સામ્યશતક તથા સમતાશતક ૬ શત્રુંજય ધાતુપ્રતિમાલેખસંગ્રહ 1;' Tદ છે Page #98 -------------------------------------------------------------------------- ________________ Go