SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ શ્રીજિનેશ્વરદેવે પ્રરૂપેલે સિદ્ધાંત જે નિર્વાણપ્રાપ્તિના માર્ગમાં શ્રેષ્ઠ વાહન સમાન છે, જેણે સઘળા એકાંતવાદીઓના ઘમંડને નાશ કર્યો છે, જે વિદ્વાનેને પણ આશ્રય લેવાને ગ્ય છે, તથા જે ત્રણે જગતમાં શ્રેષ્ઠ છે, તેને હું નિત્ય નમું છું. ૩. ' મેગરાનાં ફૂલ, ચંદ્ર, ગાયનું દૂધ અને બરફના સમાન વર્ણવાળી, એક હાથમાં કમલ અને બીજા હાથમાં પુસ્તક ધારણ કરનારી, કમલ પર બેઠેલી અને સર્વ રીતે પ્રશસ્ત એવી વાગીશ્વરી (સરસ્વતી દેવી) સદા અમારા સુખને માટે થાઓ. ૪. સૂત્રપરિચય – આ સત્રમાં ચાર સ્તુતિઓ છે. તેમાંની પહેલી સ્તુતિમાં શ્રી ઋષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રીઅરિષ્ટનેમિ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામીને ભક્તિપૂર્વક નમસ્કાર કરવામાં આવ્યો છે. બીજી સ્તુતિમાં સર્વ તીર્થકરોની સ્તુતિ કરવામાં આવી છે. ત્રીજી સ્તુતિમાં શ્રુતજ્ઞાન (દ્વાદશાંગી)ની સ્તુતિ કરવામાં આવી છે અને ચોથી સ્તુતિમાં વાગીશ્વરી (સરસ્વતી)ની સ્તુતિ કરવામાં આવી છે. ચિત્યવંદન-દેવવંદનમાં આ સ્તુતિએ બોલાય છે. ૨૧ સામાયિક લેવાની વિધિ સામાયિકમાં જોઈતી વસ્તુઓ ૧. શુદ્ધ વસ્ત્ર. ૨. કટાસણું. ૩. મુહપતી. ૪. સાપડે. ૫. ધાર્મિક પુસ્તક. ૬. ચરવળો. ૭. ઘડી કે ઘડીયાળ. ૮. નવકારવાળી. ૧. પ્રથમ શુદ્ધ વસ્ત્ર પહેરવાં. પછી૨. ચરવળાથી જગા પૂજીને શુદ્ધ કરવી. ૩. ગુરુને યોગ ન હોય તો એક ઊંચા આસન ઉપર ધાર્મિક પુસ્તક કે નવકારવાળી મૂકવી. પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001540
Book TitleSachitra Sarth Samayika Chaityavandan
Original Sutra AuthorN/A
AuthorJain Sahitya Vikas Mandal Vileparle Mumbai
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages98
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy