Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni
Catalog link: https://jainqq.org/explore/005693/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Rયા છે. [i li Tી श्री ITH લેખક : પૂજ્ય ગુદૈવ મુનિરાજ શ્રીભુવનવિજ્યાન્તવાસી | મુનિ શ્રી જબૂવિજયજી મહારાજ અનુવાદક : સાહિત્યચંદ્ર બાલચંદ હિરાચંદ Page #2 -------------------------------------------------------------------------- ________________ ఆచరించించించించించండి અદભુત અને ચમત્કારપૂર્ણ જૈન શ્વેતાંબર તીર્થ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ (તીર્થોત્પત્તિ, ઈતિહાસ અને સંપૂર્ણ વસ્તુદર્શન) લેખકઃપૂજ્ય ગુરુદેવ મુનિરાજશ્રી ભુવનવિજયાનેવાસી મુનિશ્રી જખ્ખવિજયજી મહારાજ કકકકકકક છકકકકકકકકકકકકકકકકરે - સંપાદક:સાહિત્યચંદ્ર બાલચંદ હીરાચંદ, માલેગામ પ્રકાશક :સુમતિલાલ રતનચંદ પટણી , બી. એ., એલ.એલ. બી. કાંતિલાલ વીરચંદ શાહ એલ.એલ. બી. - માનદ મંત્રીઓ- શ્રી તીર્થરક્ષક કમિટી ఉంగరంగరించిందని Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન ઃ વ્યવસ્થાપક, શ્રી જૈન શ્વેતાંબર શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તી શિરપુર ( વરાડ ) શ્રી કાન્તિલાલ વીરચંદ શાહ `LL.B. માલેગામ ( નાસીક ) મૂલ્ય રૂ. ૧-૨૫ દ્વિતિયાવૃત્તિ : ૨૦૦૦ 1 મુદ્રકઃ સાધના મુદ્રા લય દાણાપીઠ : ભાવનગર Page #4 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ સંઘસ્થવિર શાન્ત-વેપમૂર્તિ અચાર્યદેવશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ દાદાના પટ્ટશિષ્ય પૂજ્યપાદ આ. ભ. શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય પૂજ્યપાદ ગુરુદેવ મુનિરાજશ્રી ૧૦૦૮ ભુવનવિજયજી મહારાજે 5 માં 5 6 દીક્ષા : વિક્રમ સંવત ૧૯૮૮ જેઠ વદ ૬ અમદાવાદ જન્મ : વિક્રમ સંવત ૧૯૫૧ શ્રાવણ વદ ૫ માંડલ સ્વર્ગવાસ : વિક્રમ સંવત ૨૦ ૧પ મહા સુદ ૮ શંખેશ્વરજી તીર્થ” Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ કુસુમાંજલિ પરમ પૂજ્ય, પ્રાતઃ સ્મરણીય, મેક્ષમાર્ગના દાતા, અનંત ઉપકારી, ગુરુદેવ મુનિરાજ શ્રી ૧૦૦૮ ભુવનવિજયજી મહારાજ ! અનંત પુણ્યના ઉદયથી પ્રાપ્ય અતિદુર્લભ માનવજન્મ આપીને, પરમ વાત્સલ્યથી લાલન-પાલન તથા પિષણ કરીને તેમજ ધર્મના ઉત્તમ સંસ્કારો આપીને પિતાશ્રી તરીકે આપે ગૃહસ્થાવસ્થામાં મારા ઉપર અનંત ઉપકાર કરેલા છે. ત્યારપછી આપે દીક્ષા અંગીકાર કરીને મને પણ એ જ પવિત્ર માર્ગે ચઢાવીને મારે પરમ ઉદ્ધાર કર્યો દીક્ષા આપ્યા પછી શાસ્ત્રોક્ત વિધિ મુજબ અનેક દેશોમાં મને તીર્થયાત્રા કરાવીને, અનેકવિધ શાસ્ત્રોનું અધ્યયન કરાવીને તથા જ્ઞાન દર્શનચારિત્રના ઉત્તમોત્તમ સંસ્કારોથી મારા આત્માને સુવાસિત કરીને આપે મારા ઉપર અનંતાનંત ઉપકાર કરેલા છે. મારા અસંખ્ય અવિનય અને અપરાધની પરમકૃપાળુ આપે સદા ક્ષમા જ આપી છે. પરમ વત્સલ ગુરુદેવ ! મારું શ્રેય કેવી રીતે થાય એ માટે આપે સદૈવ ચિંતન કર્યું છે. મારી ઉન્નતિ તથા ઉદ્ધાર કરવા માટે આપે આપની મન વચનકાયાની સર્વ શક્તિએને સદા ઉપયોગ કર્યો છે. ગુરુદેવ! આપના મારા ઉપર એટલા બધા અનંત અનંત ઉપકારે છે કે તેનું શબ્દોથી કેઇ પણ રીતે વર્ણન થઈ શકે તેમ જ નથી તેમ તેના અનંતમા ભાગને પણ બદલી કઈ પણ રીતે મારાથી કદી વાળી શકાય તેમ જ નથી, છતાં ભક્તિના પ્રતીકરૂપે, હે સદૈવ પરમહિતચિંતક પરમકૃપાળુ પરમવત્સલ મોક્ષમાર્ગના દાતા જ્ઞાની ગુરુદેવ! આપશ્રીની જ પ્રરણ. સૂચના તથા માર્ગદર્શનથી તૈયાર થયેલા આ લઘુ પુસ્તકરૂપી પુષ્પને અનંતશઃ વંદનાપૂર્વક આપના પવિત્ર કરકમલમાં અર્પણ કરીને આજે પરમ આનંદ અનુભવું છું. આપશ્રીના ચરણકમળને ઉપાસક અંતેવાસી શિશુ -જબૂ Page #7 -------------------------------------------------------------------------- ________________ શિરપુર આવવાના માર્ગો ૧. મુંબઈથી નાગપુર જનારી ગાડીમાં આકેલા ઉતરવું. ત્યાંથી શિરપુર ૪ર માઈલ થાય છે. મોટરની સગવડ થઈ શકે છે. આકાલામાં મંદિર, ધર્મશાળા છે. રસ્તામાં માલેગામ નામનું ગામ આવે છે. ત્યાં ધર્મશાળા છે ૨. સુરતથી ભુસાવળ આવી નાગપુર તરફની ગાડીથી આકેલા આવવું. ૩. કલકત્તા તરફથી નાગપુર માર્ગે આકેલા આવવું. ૪. મદ્રાસ તરફથી બારશા તરફથી વધુ થઈ આકેલા અવાય છે. ૫ ખાંડવા-હિંગેલી મીટરગેજ લાઈન હાલમાં નખાઈ છે. તેના જવળકા નામના સ્ટેશનથી શિરપુર ૮ માઈલ દૂર રહેશે. Page #8 -------------------------------------------------------------------------- ________________ बांडव्याकडे हिवरखेड reamine शाको जल्हा पटसूक गांधीग्राम मुंबईकडे पारस .... मूर्तिजापूर DHAN (बागपूर पातूर । मांगरूक A - . मालेगांव जवळका मनोरा शिरपूर वाम -पुसदकड़े हिंगोली लोणी શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થની યાત્રાએ જવા માટે માર્ગ સૂચવતે નકશે Page #9 -------------------------------------------------------------------------- ________________ Acળા દેવાધિદેવ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવંતના અદ્ભુત અને . ચમત્કારપૂર્ણ તીર્થને ઈતિહાસ અને એ તીર્થનું ગૌરવ બતાવતું પુસ્તક પ્રકાશિત થાય એવું મારું સ્વપ્ન પરમપૂજ્ય પંડિતપ્રવર મુનિશ્રી જબૂવિજય મહારાજની કૃપાથી મૂર્ત સ્વરૂપમાં આવ્યું તે જોઈ મને પરમ . સંતોષ થયો. અને અલ્પકાળમાં જ તે પુસ્તકની બીજી આવૃત્તિ છપાવવાને પ્રસંગે ઉપસ્થિત થયે એ જોઈ મારા આનંદને પાર રહ્યો નહીં. વિદ્વાન મુનિ શ્રી જંબુવિજય મહારાજે સંશોધનપૂર્વક વિદ્ય ટિપ્પણીઓ આપી હતી, તે સામાન્ય વાચકે માટે તદ્દન નિરૂપયોગી છે. માટે તે બાદ કરી બીજી આવૃત્તિ વધુ સુલભ કરે તે સારૂ, એવી અનેક તરફથી સૂચનાઓ મળી. તેથી આ આવૃત્તિમાં તેની ટિપ્પણીઓ કાઢી નાખી અગર મૂળ સાથે ભેળવી દેવામાં આવી છે. જેથી પુસ્તકના આકારમાં ઘટાડો થયો છે. પણ મૂળ વસ્તુમાં જરાએ ઓછું કરવામાં આવ્યું નથી. આ મૂળ પુસ્તકને મરાઠી ભાષામાં અનુવાદ કરી તે પણ પ્રગટ કરવામાં આવ્યું છે. એ પુસ્તક પણ અત્યંત લોકપ્રિય થયેલું છે. આ બીજી આવૃત્તિના આધાર પર જ હિંદી આવૃત્તિ પણું પ્રગટ કરવામાં આવશે. માલેગામ ) અક્ષય તૃતિયા સાહિત્યચંદ્ર બાલચંદ હીરાચંદ ૨૫૧ , "સંવત ૨૦૧૮ ! Page #10 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રસંશોધક પ્રાચ્ય અને પાશ્ચાત્ય અનેક ભાષાવિદ બાલબ્રહ્મચારી, કવિ અને અનેક શાસ્ત્રપારંગત સંત મહાત્મા **** * મુનિવર્ય શ્રી અંબૂવિજયજી મહારાજ Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ । नम: श्रीअन्तरिक्षपार्श्वनाथाय । श्री अंतरिक्षपार्श्वनाथजीतीर्थ * ઈતિહાસ અને માહામ્ય અકલ્પ આ તીર્થનું સતત ચાલતું સ્મરણ. अंतरिक्ष वरकाणो पास, जीरावला ने थंभणपास । गाम नगर पुर पाटण जेह, जिनवर चैत्य नमु गुणगेह ।। આ વાર્તા વંટન સ્તોત્રની કડીથી પ્રાત:કાલના પ્રતિકમણમાં આપણે જેમને નિત્ય નમન કરીએ છીએ તે શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનનું તીર્થ હમણાં વરાડને નામે ઓળખાતા પ્રાચીન વિદ્યમ દેશના આકેલા જીલ્લાના વાશીમ તાલુકાના લગભગ ૨૦ ઉત્તર અક્ષાંશ અને ૭૦ પૂર્વ રેખાંશ ઉપર રહેલા શિરપુર નામના ગામમાં આવેલું છે ગામના એક છેડા ઉપર આપણું જિનાલય છે. તેમાં ભેંયરાની અંદર એક મેટા ગોખલામાં લગભગ મસ્તક સુધી ૩૬ ઇંચ ઊંચી અને ફણા સુધી ૪ર ઇંચ ઊંચી તથા ૩૦ ઇંચ પહોળી શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથસ્વામીની મૂર્તિ બિરાજે છે. મતરિક્ષ શબ્દનો અર્થ “આકાશ” થાય છે એટલે ઊંચે આકાશમાં અર્થાત કેઈ પણ આધાર વિના ભૂમિથી અદ્ધર રહેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા એ શ્રી મન્તરિક્ષાર્શ્વનાથ શબ્દનો અર્થ થાય છે. અને ખરેખર આ પ્રતિમાજી ભૂમિનો Page #13 -------------------------------------------------------------------------- ________________ [૨] શ્રી અંતરિક્ષ જરા પણ આધાર રાખ્યા સિવાય તેમ જ પાછળ તથા બંને પડખે ભીંતને જરા પણ સ્પર્શ કર્યા વિના ભૂમિથી એક આંગળ અદ્ધર જ વિરાજે છે. પ્રતિમાજીની નીચેથી બરાબર અંગભૂંછણું પસાર થાય છે. તેમ જ પ્રતિમાજીની પલાંઠી પાસે બંને પડખે દીવા મૂકીને પણ મૂર્તિની નીચે તેમ જ પાછળ સર્વત્ર પથરાઈ જતા પ્રકાશ જોઈ શકાય છે. એક નાનું સરખું પાંદડું પણ આકાશમાં અદ્ધર નથી રહી શકતું, છતાં આટલા મોટા અને વજનદાર પ્રતિમાજી સેંકડો વર્ષોથી કઈ પણ આધાર વિના અદ્ધર બિરાજે છે એ એક મહાન અતિશય જ છે. અંધકારમય કલિયુગમાં પણ અપાર તેજથી ઝગમગતી ખરેખર આ તેજસ્વી ત છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનને મહિમા અને પ્રગટ પ્રભાવ સુપ્રસિદ્ધ છે જ, છતાં સર્વ માણસે પ્રત્યક્ષ જોઈ શકે એ પ્રભાવ તે અહીંયા જ દષ્ટિગોચર થાય છે. આ પ્રતિમાનાં દર્શન કરીને આસ્તિકના આનંદ અને વિસ્મયને તે પાર રહેતા નથી જ, પરંતુ નાસ્તિકની બુદ્ધિ પણ અહીંયા તે આવીને નમી જાય છે અને તેને આસ્તિક બનાવી દે તે આ ચમત્કાર છે. માત્ર જેને જ નહીં, પણ શિરપુરમાં તેમ જ આજુબાજુના ગામમાં વસતા જૈનેતરે પણ આ મૂર્તિ ઉપર અપાર શ્રદ્ધા ધરાવે છે અને દર્શનાર્થે તથા વંદનાર્થે આવે છે. આવા પ્રભાવશાળી આ તીર્થની યાત્રા કરવા માટે સેંકડે વર્ષોથી ભારતવર્ષના ખૂણેખૂણેથી લાખોની સંખ્યામાં આજ સુધી યાત્રાળુઓ આવ્યા છે અને અત્યારે પણ યાત્રાળુઓને પ્રવાહ સતત ચાલુ રહ્યા જ કરે છે. જિનાલયના કંપાઉંડમાં તેમ જ કંપાઉંડ બહાર મોટી ધર્મશાળા છે. યાત્રાળુઓને માટે ભેજનશાળા પણ અત્યારે ચાલુ છે. શિરપુર જવા માટે મધ્ય (Central) રેલવેના આકેલા સ્ટેશને ઉતરવું પડે છે. આકેલામાં તાજના પેઠમાં Page #14 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ [3] આપણું જિનાલય, ઉપાશ્રય તેમ જ ધર્મશાળા છે. અહીંથી શિરપુર ૪૪ માઇલ દૂર છે. આકાલાથી ઠેઠ શિરપુર સુધીની મેટર સડક બંધાયેલી છે અને મેટર વ્યવહાર હમેશાં ચાલ્યા જ કરે છે. પાસ દશમ (માગશર વદ ૧૦)ના શ્રી પાર્શ્વનાથ ભગવાનના જન્મકલ્યાણક દિવસે દર વર્ષે મેળા ભરાય છે. विदर्भदेश જે દેશમાં આ તીર્થ આવેલુ છે તે દેશ આજકાલ વરાડના નામથી પ્રસિદ્ધ છે, પરંતુ તેનું પ્રાચીન નામ વિક્ર છે. કુરુસા ચંદ્રનવાજા મનોરમા મયળરેટ્ટા રૂમયંતિ આ ભરહેસરની પક્તિથી આપણે જેનુ નિત્ય પ્રાત:કાલમાં સ્મરણ કરીએ છીએ તે નળ રાજાની પત્ની મહાસતી ક્રમયંતીના જન્મ પણ આ વિદર્ભ દેશની રાજધાની કુડિનપુરમાં થયા હતા. વિદર્ભ દેશના રાજાની પુત્રી હોવાને લીધે દમયંતી વૈવર્મીના નામથીપણ ઓળખાય છે. અત્યારે પણ કુડિનપુર વિદ્યમાન છે અને તે અમરાવતી જિલ્લાના ચાંદૂર તાલુકામાં અમરાવતી શહેરથી લગભગ ૨૮ માઇલ દૂર પૂર્વ દિશામાં વર્ધા નદીનાં ખરાખર પશ્ચિમ કિનારે ૨૦/૫૮ ઉત્તર અક્ષાંશ અને ૭૮/૯ પૂર્વ રેખાંશ ઉપર આવેલુ છે. पउमावई अ गोरी गंधारी लक्खमणा सुसीमा य । जंबूबाई सच्चभामा रुप्पिणी कorg महिसीओ | આ મરદેશની ગાથામાં જેમનેા ઉલ્લેખ છે અને જે અતે શ્રી નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લઇને મેક્ષમાં ગયાં છે તે મહાસતી રૂકિમણીના જન્મ પણ આ વિદર્ભ દેશના તે કાળના પાટનગર કુડિનપુરમાં જ ભીષ્મક રાજાને ત્યાં થયા હતા. અત્યારે જો કે કુંડનપુર બહુ નાનુ ગામડું જ રહ્યું છે, છતાં પણ વૈદિક Page #15 -------------------------------------------------------------------------- ________________ [૪] શ્રી અંતરિક્ષ (હિંદુઓ) એને મોટું તીર્થધામ માને છે. નદીના કાંઠા ઉપર જ બરાબર કૃષ્ણ (વિઠ્ઠલ)-રુકિમણીનું એક મંદિર છે અને ત્યાં કાર્તિકી પૂર્ણિમા ઉપર પ્રતિવર્ષ ઘણું મેટી યાત્રા (મેળો) ભરાય છે. કુંડિનપુરને લેકે કૌડિન્યપુર પણ કહે છે. . श्री अन्तरिक्षपार्श्वनाथजी तीर्थनो इतिहास આવા આ પ્રાચીન વિદર્ભ દેશની ભૂમિને પવિત્ર કરી રહેલા આપણા તીર્થની સ્થાપના કયારે કેના હાથે અને શી રીતે થઈ વગેરે જાણવું આવશ્યક અને ખાસ રસદાયક છે. આ તીર્થની યાત્રા કરવા માટે પૂર્વ અનેક આચાર્યાદિ મુનિવરે આવી ગયા છે. વાચકપ્રવર ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ પણ અહીં આવી ગયા છે અને તેમણે અંતરિક્ષજીના બે સ્તવને બનાવ્યા છે. યાત્રાર્થે આવેલા મુનિરાજે પૈકી કેટલાક આ તીર્થના સંબંધમાં સંક્ષિપ્ત અથવા વિસ્તૃત નોંધ પણ લખતા ગયા છે કે જેમાંથી આપણને આ તીર્થને લગતી ઐતિહાસિક માહિતી મળી શકે છે. આપણે પણ આ તીર્થને ઇતિહાસ જાણવા માટે એ જ પ્રાચીન ઉલેખો અને પ્રમાણે તરફ વળવું જોઈએ. શ્રી અંતરિક્ષજીના સંબંધમાં તપાસ કરતા પ્રાચીન ઉલ્લેખ ઘણું મળી આવે છે. જો કે તેમાંના ઘણુંખરામાં અંતરિક્ષપાશ્વ નાથ ભગવાનના નામનો જ ઉલ્લેખ છે, છતાં પાંચ-સાત એવા પણ ઉલ્લેખ છે કે જેમાં શ્રી અંતરિક્ષજી તીર્થને ઈતિહાસ પણ , આપેલે છે. આ ઉલેખે કેટલીક વાતોમાં પરસ્પર મળતા છે જ્યારે કેટલીક વાતેમાં પરસ્પર ભેદ પણ પડે છે. ઉલ્લેખ વાંચવાથી અને સરખાવવાથી ભેદ આપોઆપ સમજાઈ જશે. આ ઉલ્લેખ સંસ્કૃત, પ્રાકૃત તથા ગુજરાતી એમ ત્રણે ભાષામાં અને તે લેખના છેવટના ભાગમાં યથાલભ્ય યથાશકર્યો Page #16 -------------------------------------------------------------------------- ________________ પાશ્વનાથ [૫] અક્ષરશઃ આપવામાં આવ્યા છે તે પહેલાં તેને ભાવાર્થ ગુજરાતીમાં નીચે મુજબ આપવામાં આવે છે. કાળકમને મુખ્ય રાખીને આ પણ એ ઉલ્લેખમાં આવતા ઇતિહાસને અનુક્રમે જોઈએ. શ્રી જિનપ્રભસૂરિજીએ આપેલો ઇતિહાસ -ખરતરગચ્છના શ્રી જિનપ્રભસૂરિકે જેમને દિલ્હીના બાદશાહ મડમદ તઘલક ઉપર ઘણો પ્રભાવ પડતો હતો. તેમણે ભારતવર્ષના ચારે ખૂણાના અનેક તીર્થોની માહિતી આપતા લગભગ ૫૮ જેટલા કપની રચના કરી હતી. આ કલ્પ વિવિધતા નામના ગ્રંથમાં છપાયેલા છે. આમાં અંતરિક્ષના સંબંધમાં એક ટીપુરબનતાશ પાથનાથ + પણ છે કે જેની રચના વિક્રમ સં. ૧૩૬૪ થી ૧૩૮૯ દરમિયાન થઈ હશે એમ લાગે છે. શ્રી જિનપ્રભસૂરિ ગ્રામાનુગ્રામ ચિત્યપરિપાટી કરતા દક્ષિણ દેશમાં મહારાષ્ટ્રમાં પધાર્યા હતા અને દેવગિરિ (વર્તમાન દોલતાબાદ) તથા પ્રતિષ્ઠાનપુર(વર્તમાન પઠાણ ની યાત્રા કરી હતી. પ્રાય: તે અરસામાં જ તેમણે આ તીર્થની યાત્રા કરીને શ્રીપુરમતરિક્ષ પાર્શ્વનાથજપની રચના કરી હતી. અંતરિજીના સંબંધમાં આપણે ત્યાં મળતાં ઉલ્લેખમાં બહથી પ્રાચીન ઉલ્લેખ હેય તે હજુ સુધી આ જિનપ્રભસૂરિજીવાળો જ ઉલ્લેખ છે. આ કલ્પમાં શ્રી જિનપ્રભસુરિજી નીચે પ્રમાણે જણાવે છે કે શ્રીપૂરનગરના આભૂષણ સમાન પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરીને અંતરિક્ષમાં (આકાશમાં અદ્ધર) રહેલી તેમની પ્રતિમાના ક૯પને કંઈક કહું છું પૂવે લંકાનગરીના રાજા પ્રતિવાસુદેવ રાવણે માલિ અને સમાલિ નામના પિતાના સેવકને કઈક કારણસર કેઈક સ્થળે મોકલ્યા હતા. વિમાનમાં બેસીને આકાશમાર્ગે જતાં તેમને વચમાં Page #17 -------------------------------------------------------------------------- ________________ [૬] શ્રી અંતરિક્ષ જ ભેજનને અવસર થયે. વિમાનમાં બેઠેલા ફૂલમાળી નેકરને ચિંતા થઈ કે–આજે ઉતાવળમાં હું જિનપ્રતિમાના કરંડિયાને ઘેર જ ભૂલી ગયો છું. અને આ બંને પુણ્યવાને જિનપૂજા કર્યા સિવાય કયાંયે પણ ભજન કરતા નથી. જ્યારે તેઓ પૂજાના અવસરે પ્રતિમાને કરંડિયે નહીં જુએ ત્યારે નક્કી મારા ઉપર કપાયમાન થશે.” આ ચિંતાથી તેણે વિદ્યાબળથી પવિત્ર વાલુકા(વાળુ-રેતી)ની ભાવજિનેશ્વર શ્રી પાર્શ્વનાથ ભગવાનની એક નવી પ્રતિમા બનાવી. માલિ અને સુમાલિએ પણ તે પ્રતિમાની પૂજા કરીને જોજન કર્યું. પછી જ્યારે તેઓ ફરીથી આકાશમાર્ગે ચાલવા લાગ્યા તે વખતે ફુલમાલી કરે તે પ્રતિમાને નજીકમાં રહેલા કેઈ સરેવરમાં પધરાવી. પ્રતિમા દેવીપ્રભાવથી સરોવરમાં અખંડિત જ રહી કાલકમે તે સરોવરનું પાણી ઘટી ગયું અને તે નાના ખાચિયા જેવું દેખાતું હતું. આ બાજુ કાલાંતરે વિંગઉલ્લી (વિંગેલી-હિંગોલી) દેશમાં વિંગલ્ફ નામનું નગર છે, ત્યાં શ્રીપાલ નામને રાજા રાજ્ય કરતે હતે. આ રાજા સર્વાગે કઢના વ્યાધિથી પીડાતે હતે. એક વખત શિકાર માટે તે બહાર ગયે હતું, ત્યાં તરસ લાગવાથી શ્રી અંતરિક્ષજીની પ્રતિમાવાળા તે ખાબોચિયા પાસે અનુક્રમે આવી પહોંચ્યા. ત્યાં પાણી પીધું અને હાથ માં ધોયા તેથી રાજાના હાથ–મેં નીરોગી અને કનક જેવી કાંતિવાળા થઈ ગયા. ત્યાંથી રાજા ઘેર ગયા પછી જોતાં આશ્ચર્ય પામવાથી રાણીએ પૂછ્યું કે સ્વામી! તમે આજે કઈ સ્થળે સ્નાન વગેરે કર્યું છે? રાજાએ સર્વ હકીકત કહી સંભળાવી. રાણીએ વિચાર કર્યો કે નક્કી પાણીમાં જ કઈ દેવી પ્રભાવ હેવો જોઈએ.” આથી બીજે દિવસે રાજાને ત્યાં લઈ જઈને રાજુએ સર્વ અંગે સ્નાન કરાવ્યું. તેથી રાજાનું શરીર નિરોગી અને નવું-સુંદર કાંતિવાળું થઈ ગયું. પછી રાણીએ બલિપૂજા વગેરે કરીને પ્રાર્થના કરી કે Page #18 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ [૭] અઈ છે કે દેવ હોય તે પ્રગટ થાઓ ત્યાંથી રાણી ઘેર આવ્યા પછી દેવે સ્વપ્નમાં રાણીને કહ્યું કે “અહીં ભાવી તીર્થકર શ્રી પાધન છે ભગવાનની પ્રતિમા છે, અને તેના પ્રભાવથી જ રાવતનું શરીર નીરોગી થયું છે. આ પ્રતિમાને ગાડામાં મૂકીને અને ભાડાન - ત દિલ એના જન્મેલા વાછરડા જોડીને રાજાએ પોતે સાથ બના માં બેસવું. અને પછી કાચા સુતરની બનાવેલી રીથી ( લબા થાંવાછરડાઓને પિતાના નગર તરફ રાજાએ ચલાવવી. ( પર પાછું વાળીને જોવું નહીં, કેમકે) રાજા જ્યાં પાછું વળીને વશે. ત્યાં જ પ્રતિમા સ્થિર થઈ જશે.” બીજે દિવસે રાજાએ ત્યાં જ ન ખોચિયામાંથી પ્રતિમા શોધી કાઢી અને દેવે કથા પ્રમાણ ગડામાં સ્થાપાને પોતાના સ્થાન તરફ ચાલવા લાગ્યા. કેટલક કર ગયા પછી તેના મનમાં શંકા આવી ક–પ્રતિમા આવે છે કે નહીં ? એટલે પાછું વાળીને જોયું, તેથી પ્રતિમા ત્યાં જ આકાશમાં સ્થિર થઈ ગઈ અને ગાડું તેની નીચેથી આગળ નીકળી ગયું. પ્રતિમાં આગળ ન આવવાથી ખેદ પામેલા રાજાએ પછી ત્યાં જ નાના નામ અનારે પુર (રાજપુર } ગામ જસાવ્યું અને ત્યાં અને લચ બધાવીને તેમાં અનેક મહત્સવપૂર્વક પતિમાની પ્રતિષ્ઠા કરી. - ડમેશાં તેની ત્રિકાળ પૂજા કરતું હતું. અત્યારે પણ તે પ્રતિમા તે જ પ્રમાણે આકાશમાં અદ્ધર રહેલી છે. પૂર્વ, માથા ઉપર પાણીનું બેડું ચડાવીને પ્રતિમાજીની નીચેથી નીકળી જાય એટલી અદ્ધર પ્રતિમા હતી, પરંતુ કાળક્રમે નીચેની બૂ ર ચડી જવાથી અથવા મિથ્યાત્વ આદથી દૂષિત કાલના પ્રભાવથી પ્રતિમા નીચે નીચે દેખાવા લાગી. છેવટે અત્યારે તેની નથી માત્ર બંગલુછણું નીકળી શકે છે, અને પ્રતિમાની) બંને બાજુએ નીચે દીવા મૂકવાથી પ્રતિમા અને તેની નીચેની ભૂમિ વચ્ચે દીવાને પ્રકાશ બરાબર દેખાય છે એટલી અદ્ધર છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ [૮] શ્રી અંતરિક્ષ - જે વખતે રાજાએ પ્રતિમાને ગાડામાં સ્થાપી હતી તે વખતે અંબાદેવી અને ક્ષેત્રપાલ પણ પ્રતિમા સાથે હતા. અંબાદેવીને સિદ્ધ અને બુદ્ધ નામના બે પુત્ર હતા. ઉતાવળ ઉતાવળમાં અંબાદેવીએ તેમાંથી એક પુત્ર સાથે લીધે, પણ એક પુત્ર ભૂલથી પાછળ રહી ગયા. અંબાદેવીએ ક્ષેત્રપાળને હુકમ કર્યો કે પાછળ રહી ગયેલા પુત્રને લઈ આવ.” પણ અતિ વ્યાકુળપણે ચાલતો ક્ષેત્રપાળ પણ પાછળ પાછળ રહી ગયેલા પુત્રને ન લાવ્યું, તેથી અંબાદેવીએ કે પાયમાન થઈને ક્ષેત્રપાળના માથામાં ટુંબે માર્યો. અત્યારે પણ ક્ષેત્રપાળની મૂર્તિના માથામાં તે પ્રમાણે જ જોવામાં આવે છે. આ પ્રમાણે અંબાદેવી અને ક્ષેત્રપાલ જેની સેવા કરી રહ્યા છે અને ધરણેન્દ્ર તથા પદ્માવતી જેની ઉપાસના કરે છે, એવી શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભવ્ય લેકેથી અત્યારે પૂજાય છે, તેમ જ યાત્રાળુ લેકે યાત્રા મહોત્સવ કરે છે. આ પ્રતિમાના હુવણનું પાણી આરતી ઉપર છાંટવામાં આવે તે પણ આરતી બુઝાતી નથી, તેમ જ પ્રતિમાના ન્હવણનું પાણું લગાવવાથી દાદર, ખસ તથા કેઢ વગેરે રે નાશ પામે છે એ અત્યારે પણ પ્રભાવ છે. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના સંબંધમાં જે કંઈ સાંભળવામાં આવ્યું તે પ્રમાણે શ્રી જિનપ્રભસૂરિએ સ્વ–પરના ઉપકારને માટે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના ક૫માં લખ્યું છે. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થકલ્પને સાર આ પ્રમાણે શ્રી જિનપ્રભસૂરિજીએ આપેલા ઉપરના વૃત્તાંતમાંથી નીચેની મુખ્ય વાતે તરી આવે છે. રાવણના સેવક માલી અને સુમાલી કેઈ કાર્યાથે વિમાનમાં બેસીને જતા હતા તે વખતે વચમાં ભેજનને અવસર થવાથી નીચે ઉતર્યા, પણ પ્રતિમા સાથે લાવવી ભૂલાઈ ગઈ હતી અને Page #20 -------------------------------------------------------------------------- ________________ અદ્દભુત અને ચમત્કારપૂર્ણ દેવાધિદેવ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાન શ્રી શિરપુર ( વિદર્ભ દેશ ) Page #21 --------------------------------------------------------------------------  Page #22 -------------------------------------------------------------------------- ________________ પાશ્વનાથ પૂજા વિદાય ભોજન ન કરવાની તેમની પ્રતિજ્ઞા ડ : તેથી તેમના ફાળા નોકરે વિદ્યાબળથી વાળ( રેતી)ની કરી પાવ ના વર ની સ્મૃતિ બનાવી હતી અને જતી વખતે નજીકના નવમા પધરાવી દીધી હતી. પાણીમાં પધરાવવાથી સ્વાભાવિક રીતે જ મૃત નાશ પામી જાય, પરંતુ દેવપ્રભાવથી અખંડ જ ડ, કાલક્રમે આ સરોવર નાનું ખાબોચિયું બની ગયું. વિગલી વિગલિ-હિંગેલિ) પ્રદેશના વિંગઉલ (હિંગેલિ) તરિના રાજા શ્રી પાલને સવાગે કઢને રેગ થયે હ. તે રોગ આ પ્રતિમાના .પથી પવિત્ર થયેલા ખાબોચિયાને પાણીથી -નાન કરવાથી હવે ચા મૂવમી નાશ પામ્યા હતા. રાત્રે રાજાની ને સ્વપનમાં દેવે આવીને કહ્યું કે—“ આ પાણીની અંદર વિષ્યમાં થનાર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાં છે, તેને ગાડીમાં સ્થાપીને સાત દિવસના જન્મેલા વાછરડા જોડીને. રાજાએ ગાડીમાં આગળ બેસીને કાચા સુતરના તાંતણાથી બનાવેલી દેરીની લગામ વાછરડા હાંકીને પોતાના સ્થાન તરફ ગાડીને લઈ જવી, પણ પાછું વાળીને ન જેવું. રાજાએ તે પ્રમાણે બધું કર્યું, પણ કેટલેક દૂર ગયા પછી મૂર્તિ આવે છે કે નહીં એવી શંકાથી પાછું વાળીને જોવાથી મૂર્તિ ત્યાં જ ઊંચે સ્થિર થઈ ગઈ મૂર્તિ આગળ ન આવવાથી રાજાએ પોતાના નામ ઉપથી ત્યાં જ રપુર (પુર) ગામ વસાવ્યું અને ત્યાં જ ચિત્ય બંધાવીને તેમાં પ્રતિમા પ્રતિષ્ઠિત કરી. શ્રી જિનપ્રભસૂરિના આ લખાણથી એમ ફલિત થાય છે કે શ્રી પાળરાજા સંબંધી આ આખાય પ્રસંગ શ્રી પાર્શ્વનાથ ભગવાન થયા તે પહેલાં જ બની ગયેલે છે. શ્રી જિનપ્રભસૂરિજી લખે છે કે “પહેલાં નીચેથી પાણિયારી આ નીકળી જાય એટલી અદ્ધર પ્રતિમા હતી, પણ કલિયુગના Page #23 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] શ્રી અ' તરિક્ષ પ્રભાવથી અત્યારે અગલુછણું જ નીચેથી નીકળે તેટલી અદ્ધર છે” આથી એમ લાગે છે કે જિનપ્રભસૂરિના વખતમાં એટલે કે આજથી લગભગ સવા છસેા (૬૨૫) વર્ષ પહેલાં પણ આપણે અત્યારે (૨૧મી સદીમાં) જેટલી અદ્ધર પ્રતિમા જોઇએ છીએ તેટલી જ અદ્ધર હતી. અત્યારે પણ અગલુછણું નીચેથી નીકળે તેટલી અદ્ધર છે જ * શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથજી તીર્થના સ. ૧૩૮૫ આસપાસ શ્રી જિનપ્રભસૂરિજીએ લખેલા ઐતિહાસિક વૃત્તાંત આવી ગયે છે ત્યારપછી કાલાનુક્રમે જોતાં દેવિગિર(દોલતાખાદ)માં વસતા રાજા નામના સંવીએ વિ. સ. ૧૪૭૩ પૂર્વે અંતરિક્ષજીતીની યાત્રા કર્યાંના ઉલ્લેખ મળે છે, પરંતુ આમાં અંતરિક્ષજીના માત્ર નામેાલેખ જ હાવાથી આ અને આવા બીજા માત્ર નામેહ્લેખવાળા ભાગા અ ંતે અક્ષરશઃ ચથાશકય આપવામાં આવ્યા છે. હમણાં તા આ તીર્થની ઐતિહાસિક માહિતી આપતા હાય તેવા ઉલ્લેખ જ તપાસીશું. આ દૃષ્ટિએ કાલાનુક્રમે જોતાં શ્રી જિનપ્રભસૂરિએ રચેલા વિવિધતી કપાન્તગત શ્રીપુર અન્તરિક્ષપાર્શ્વનાથવ પછી વિ. સ’. ૧૫૦૩માં રચાયેલા સામધમ ગણિકૃત પદ્માસન્નતિ નામના ગ્રંથનુ સ્થાન આવે છે. વતંરાસન્નતિના કર્તા તપાગચ્છાધિપતિ આ.શ્રી સામસુંદરસૂરિજીના શિષ્ય મહેાપાધ્યાય શ્રી ચારિત્રરત્નગણીના શિષ્ય પં. શ્રી સામધમ ગણી છે. તેમણે ઉપદેશસતિમાં બીજા અધિકારના દશમા ઉપદેશમાં ૨૪ ક્ષેાકેામાં અતારક્ષજીના ઇતિહાસ વર્ણવ્યેા છે. તેમાં આવતુ વન અમુક પ્રકારના શાબ્દિક ભેદ હોવા છતાં પણ શ્રી જિનપ્રભસૂરિજીએ કરેલા વનને જ બહુ અંશે મળતુ છે. ઉપદેશસતિમાં અંતરિક્ષજીના અધિકારમાં ૨૧, ૨૨ તથા ૨૪મા શ્ર્લાકમાં ગ્રંથકાર જણાવે છે કે— Page #24 -------------------------------------------------------------------------- ________________ પાધનાથ [૧૧] निवेदय नगरं नव्यं श्रीपुरं तत्र भूपतिः । अचीकरच प्रोत्तुंगं प्रासादं प्रतिमोपरि ।। २१ ॥ घटौ गर्गरिकायुक्तौ न्यस्य नारी स्वमस्तके । तविम्वा यः प्रयाति स्म पुरेति स्थविरा जगुः ।। २२ ।। कियदन्तरमद्यापि भूमि-प्रतिप्रयोः खलु । अस्तीति तत्र वास्तव्या वदन्ति जनता अपि ॥ २४ ।। ભાવાર્થ:-“ત્યાં રાજાએ શ્રીપુર (સિરિપુર નગર વસાવીને પ્રતિમા ઉપર (ફરતો) ઊંચો પ્રાસાદ બંધાવ્યું. ઉપરાઉપરી બે ઘડા ઉપર ગાગર મૂકીને તે માથા ઉપર ઉપાડીને પહેલા (પાણીયારી) ની પ્રતિમાજી નીચેથી નીકળી શકે એટલી મૂર્તિ અદ્ધર હતી એમ જૂના માણસે કહે છે. હમણું પણ ભૂમિ અને પ્રતિમા વચ્ચે કેટલુંક અંતર છે. એમ ત્યાંના (સિપુરના) વતની લેકે કહે છે. આ જોતાં એમ સ્પષ્ટ લાગે છે કે સેમધર્મગણિજીએ અંતરિજી સંબંધી વૃત્તાંત અંતરિક્ષજીતીર્થનાં સ્વયં દર્શન કરીને લખ્યો નથી. પણ પળમ્ કાનપરંપરાએ સાંભળીને કિવા પહેલાંના લખાણને આધારે જ લખ્યા છે. અધિક સંભવ તે એ છે કે-તેમણે જિનપ્રભસૂરિજીને અનુસરીને અંતરિક્ષજીને વૃત્તાંત લખ્યું છે. રાવણની, માલિસુમાલિની પ્રતિમા પવિત્રિત જલથી સ્નાન કરવાથી વિગિલ્ટ (ગેલી) નગરના શ્રીપાળ રાજાને કોઢ રેગ ગયાની, અધિષ્ઠાયક દેવે કહેલી વિધિ પ્રમાણે તે સમયની અપેક્ષાએ ભાવિતીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ગાડામાં લાવ્યાની, રસ્તામાં રાજાએ પાછું વાળીને જોતાં મૂતિ અદ્ધર રહી ગયાની, પછી ત્યાં શ્રીપુર નગર વસાવીને મંદિર બંધાવ્યા વગેરેની એની એ જ હકીક્ત આમાં પણ છે. મહત્વનો ભાગ એ છે કે-શ્રી જિનપ્રભસૂરિએ અંબાદેવી અને ક્ષેત્રપાલ સંબંધી Page #25 -------------------------------------------------------------------------- ________________ [૧૨] શ્રી અંતરિક્ષ જે હકીકત આપી છે, તે આ ઉપદેશસપ્તતિમાં બિલકુલ નથી. તેમજ બીજા કેઈ લખાણમાં પણ જોવામાં આવતી નથી. કવિશ્રી લાવણ્યસમય મુનિવિરચિત શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ છંદ આ પછી શ્રી લાવણ્યસમયજીએ વિ. સં. ૧૫૮૫ની અક્ષયતૃતીયાને દિવસે ગુજરાતી ભાષામાં રચેલા ૫૪ કડીના શ્રી અંતરિક્ષપાશ્વનાથ છંદનું કાલાનુક્રમે સ્થાન આવે છે. આમાં તીર્થની સ્થાપના આદિના સંબંધમાં વર્ણનાત્મક તેમ જ અલંકારા ત્મક ભાગ ઘણે છે, પરંતુ શ્રી જિનપ્રભસૂરિજી અને શ્રી સેમધર્મ ગણિજીએ વર્ણવેલા વૃત્તાંતથી આમાં કેટલીક મહત્ત્વની ભિન્નતા નજરે પડે છે. જિનપ્રભસૂરિજી અને શ્રી મધર્મગણિએ જ્યાં રાવણના સેવક માલિ અને સુમાલિનું નામ આપ્યું છે ત્યાં લાવણ્યસમયજીએ રાવણના બનેવી ખરે દૂષણ રાજાનું નામ આપ્યું છે. (લાવણ્યસમયજીના છંદ પછી રચાયેલાં બીજાં તમામ લખાણોમાં પણ પ્રદૂષણ રાજાનું જ નામ જોવામાં આવે છે.) બીજે એક ખાસ મહત્વનો ભેદ એ છે કે-અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના અધિષ્ઠાયક દેવે વિગઉઠ્ઠી (ગેલિ) નગરના શ્રીપાલ રાજાને “ભાવિતીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની આ પ્રતિમા છે એમ કહીને ખાબોચિયામાંથી પ્રતિમા કાઢવાનું જણાવ્યાની જે હકીકત શ્રી જિનપ્રભસૂરિજી તથા શ્રી મધમગણિજીએ આપી છે, તેના બદલે લાવણ્યસમયજીએ એલચપુરના એલચદેવ રાજાનું નામ આપ્યું છે. અને “ભાવિતીર્થકર એવે ઉલેખ નથી. એલચપુર નગર વરાડ (વિદર્ભ) દેશમાં ૨૧/૧૮ ઉત્તર અક્ષાંશ તથા ૭૭/૩૩ પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે. વરાડના ઐતિહાસિકેની પરંપરાનુસારી માન્યતા પ્રમાણે રૂઝ (આને જ Page #26 -------------------------------------------------------------------------- ________________ પાશ્વનાથ [૧૩] રૂ તથા સ્ત્રી પણ કહે છે) નામનો જૈન રાજા વિ. સં. ૧૧૧૫ માં એલચપુરની રાજગાદી ઉપર આવ્યું હતું. આ જોતાં આ તીર્થની સ્થાપના શ્રી પાર્શ્વનાથ ભગવાન થયા તે પૂર્વે નહીં, પણ પાર્શ્વનાથ ભગવાનના નિવાણ પછી ઘણ કાળે વિ. સં. ૧૧૧૫ પછી જ થઈ છે, એમ લાવણ્યસમયજીના કથન ઉપરથી અનુમાન થઈ શકે છે. આ વાતનું આગળ આવતા શ્રી ભાવવિજયજી ગણના કથનથી પણ સમર્થન થાય છે. ભાવવિજયજી ગણિને પદ્માવતી દેવીએ પ્રત્યક્ષ આવીને કહ્યું છે કે “આ તીર્થની સ્થાપના વિ. સં. ૧૧ર ના મહા સુદ ૫ ને રવિવારને દિવસે વિજયમુહૂર્તમાં એલપુર નગરના શ્રી પાલ અપરનામ એલચ રાજાની વિનંતિથી પધારેલા શ્રી અભયદેવસૂરિ મહારાજના હાથે થયેલી છે. અને લાવણ્યસમયજી પછીના બધાં લખાણોમાં પણ એલચપુરના એલચ (અથવા રૂચ) રાજાનું નામ આવે છે. લાવણ્યસમયજીના છંદથી અંતરિક્ષજીના ઇતિહાસમાં આ મહત્ત્વનો ફેરફાર શરૂ થાય છે. જ્યારે શ્રી જિનપ્રભસૂરિજી અને સેમધર્મગણિજીના કથન પ્રમાણે આ રાજા અને તીર્થની સ્થાપના પાર્શ્વનાથ ભગવાન થયા પૂર્વે થયેલાં છે. આ સિવાયનો શ્રી જિનપ્રભસૂરિ અને સેમધર્મગણિજીએ આપેલા વૃત્તાંતથી લાવણ્યસમયજીના છંદમાં જે ભેદ જોવામાં આવે છે તે માત્ર શાબ્દિક અને વર્ણનાત્મક જ છે. મુખ્ય બનાવે અને નામે વગેરે એક જ છે. શ્રી ભાવવિજ્યજી ગણિરચિત श्री अन्तरिक्षपार्श्वनाथस्तोत्र આ પછી તપાગચ્છાધિપતિ આ. શ્રી વિજયદેવસૂરિમહારાજના શિષ્ય શ્રી ભાવવિજયજી ગણિએ સંસ્કૃતભાષામાં રચેલા ૧૪૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ [૧૪] શ્રી અંતરિક્ષ લેકના શ્રી સત્તાવાર્થનાથસ્તોત્રનું સ્થાન આવે છે. આ સ્તોત્ર અનેક દષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવે છે. વર્તમાનમાં અંતરિક્ષાની પ્રતિમા જ્યાં વિરાજમાન છે તે જિનાલય ભાવવિજયજીગણિના ઉપદેશથી જ બંધાયેલું છે અને પાસેના બીજ મંદિરમાંથી ફેરવીને ફરીથી તેમાં અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા વિ. સં. ૧૭૧૫ ના ચૈત્ર સુદ ૬, ને રવિવારે તેમના હાથે જ થયેલી છે. આજે પણ પાસેના માણિભદ્રજીની સ્થાપનાવાળા બીજા ભેંયરામાં શ્રી વિજયદેવસૂરિજીની તેમજ શ્રી ભાવવિજયજીગણિની પાદુકાઓ (પગલાં) વિદ્યમાન છે. એકના ઉપર પં. શ્રીવિષયવસૂરિપદુક્યા અને બીજી ઉપર ઉ. શ્રી માવનગwળપાટુ એવા તરલા અક્ષરે સ્પષ્ટ વાંચી શકાય છે. આ માણિભદ્રજીની સ્થાપનાવાળા બીજા સેંયરામાં જ પહેલાં અંતરિક્ષજીની મૂર્તિ વિરાજમાન હતી. એમનું પ્રાચીન આસન અત્યારે પણ વિદ્યમાન છે. અત્યારે તે આસન પર બીજી માણિભદ્રજીની સ્થાપના કરેલી છે. ભેંયરામાં કુલે ૨, માણિભદ્રજી છે. વર્તમાન પ્રતિષ્ઠા કરનાર શ્રી ભાવવિજયજીગણિએ જ રચ્યું હેવાથી તેમજ બીજી ઘણું નવી તથા બાહ્ય પ્રમાણેથી પણ પુષ્ટ થતી માહિતી તેમાં હોવાથી આ સ્તંત્રનું મહત્વ ઘણું જ ઘણું વધી જાય છે. પોતાનાં માતા-પિતા, જન્મસ્થાન, દીક્ષા આદિથી માંડીને સ્તંત્રની રચના કરી ત્યાંસુધી બધી પ્રાસંગિક રસપ્રદ માહિતી તેમણે આપી છે એ આખા તેત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે. શાંતરસપૂર્ણ પરમ આનંદસ્વરૂપ(પરમાત્મા)ને નમસ્કાર કરીને હું (ભાવવિજયજીગણિએ) સ્વયં અનુભવેલા ચમત્કારનું બીજાઓના ઉપકારને માટે વર્ણન કરું છું-જંબુદ્વીપના ભરતક્ષેત્રના મધ્યખંડને શોભાવતું સત્યપુર (સાચેર) નામનું વનખંડેથી સુશોભિત નગર હતું. તે નગરમાં એશવાલવંશમાં રાજમલ્લ નામના ગૃહસ્થ હતા. તેમને ભૂલી નામની પત્નીથી ભાનિરામ Page #28 -------------------------------------------------------------------------- ________________ પાશ્વનાથ [૧૫] નામના એક પુત્ર થયું હતું. એક વખત તે નગરમાં ઉપશમ આદિ ગુના ભંડાર શ્રી વિજયદેવસૂરિજી સાધુઓના પરિવાર સાથે પધાર્યા હતા. જેમ મયૂરી મેઘના આગમનથી ખુશી-રાજી થાય તેમ ગુરુtહારાજના આગમનથી આનંદિત થયેલા શ્રાવકે તેમને વંદન કરવા માટે ગયા. જેમ ચાતકે મેઘના જલને પીવા માટે અતિ ઉત્કંઠિત હોય છે તેમ શ્રાવકે ગુરુમહારાજના મુખમાંથી વરસતા વચનામૃતનું પાન કરવા માટે ઉત્કંઠિત બનીને ગુરુમહારાજને વંદન કરીને તેમની દેશના સાંભળવા માટે બેઠા. પછી આચાર્ય મહારાજે સાત નય અને ચતુર્ભગીથી યુક્ત તથા દુરિત-(પાપ)ને દૂર કરનારી અમૃત કરતાં પણ અધિક મીઠી ધમાં દેશના આપી. તેમની દેશનાથી પ્રતિબંધ પામીને મેં બહુ હર્ષપૂર્વક દીક્ષા લીધી. દીક્ષા ગુરુમહારાજે મારું ભાવવિજ્ય એવું નામ રાખ્યું. ત્યારપછી ગુરુમહારાજની સાથે મારવાડમાં વિચરતા મેં સૂત્ર વગેરેનો યથારુચિ અભ્યાસ કર્યો. પછી તેથી સંતુષ્ટ થયેલા ગુરુમહારાજ જોધપુર નગરમાં સંઘસમક્ષ મને ગણિ પદવી આપી. ત્યાર પછી પાટણના સંઘની વિજ્ઞપ્તિથી ગુરુમહારાજ વચમાં આવ્યું (અબુદગિરિ ની યાત્રા કરીને શિષ્ય સાથે ગુજરાતમાં પધાર્યા. રસ્તામાં જતાં થામનાતુની ઉષ્ણતાને લીધે મારી આંખમાં રોગ લાગુ પડ્યો, પણ જેમ તેમ કરીને કષ્ટથી ગુરુમહારાજ સાથે પાટણ પહોંચ્યા. ત્યાંના શ્રીમંત શ્રાવકોએ ઘણું ઘણા ઔષધેપચાર કર્યો, પણ મારી આંખમાં કશો ફાયદે થયે નહીં. છેવટે મારી આંખો ચાલી ગઈ અને હું અંધ બન્યા. દીવા વિના ઘરની જેમ નેત્રરહિત થયેલાં મેં એક વખત આ શ્રી વિજયદેવસૂરિને ગયેલી આખે ફરી પ્રાપ્ત થાય તે માટે ઉપાય પૂછયો આચાર્ય મહારાજે કૃપા કરીને પૂર્ણ વિધિવિધાન સાથે પદ્માવતી દેવીને મહાન મંત્ર અને આરાધવા માટે આપે. Page #29 -------------------------------------------------------------------------- ________________ [૧૬] શ્રી અંતરિક્ષ પછી ચોમાસું પૂર્ણ થયે, એક સાધુને મારી પાસે મૂકીને આચાર્ય મહારાજ અન્યત્ર વિહાર કરી ગયા. પછી ગુરુમહારાજે બતાવેલી વિધિપૂર્વક પદ્માવતી મંત્રનું આરાધન કરવાથી પદ્માવતી દેવીએ પ્રત્યક્ષ આવીને વિસ્તારથી નીચે મુજબ મને વૃત્તાંત કહ્યો : “હરીવંશમાં ઉત્પન્ન થયેલા તથા કાચબાના લાંછનવાળા શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના શાસનમાં રાવણ નામને મહાબલવાન પ્રતિવાસુદેવ થયે હતે. એક વખત તેણે પિતાના બનેવી ખરદૂષણ રાજાને કઈક કાર્યોથે શીધ્ર કર્યો હતે. પાતાલલંકાને અધિપતિ તે ખરદૂષણ રાજ પણ વિમાનમાં બેસીને પક્ષીની જેમ આકાશમાર્ગે પ્રયાણ કરતે ચાલતાં ચાલતાં અનુક્રમે અનેક નગર, દેશ, વનખંડ તથા પર્વતને ઓળંગીને ભજનના અવસરે વિગલી દેશમાં આવી પહોંચ્યું. ભજનને અવસર થયે હોવાથી ત્યાં ભૂમિ ઉપર ઉતરીને સ્નાન કરીને પૂજાપાત્ર હાથમાં ધારણ કરીને ખરદૂષણ રાજાએ રસેઈઆને જિનચૈત્ય (પ્રતિમા) લાવવા માટે કહ્યું. સાથે જિનપ્રતિમા લાવવાનું ભૂલી ગયે હોવાથી ભયભીત બનેલા રસઈઆએ હાથ જોડીને પ્રણામ કરીને કહ્યું કે હે સ્વામિન્ ! ગૃહચૈત્ય(ઘરમંદિર) તે હું પાતાલલંકામાં ભૂલી ગયે છું. આ સાંભળીને તરત જ રાજાએ વાલ(રતી) છાણ ભેગાં કરીને પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બનાવી. અને નમસ્કાર મહામંત્રથી પ્રતિષ્ઠા કર્યા બાદ પૂજા કરીને આશાતના ન થાય તે માટે પાસેના કૂવામાં મૂર્તિને પધરાવી દીધી કૂવામાં રહેલા દેવે . તે પ્રતિમાને પડતાંની સાથે જ ઝીલી લીધી અને વા જેવી દઢમજબૂત કરી દીધી. ખરદૂષણ રાજા પણ ભેજન કરીને ત્યાંથી નીકળે અને રાવણનું કાર્ય કરીને લંકા નગરીમાં પહોંચી ગયે. ત્યારપછી ઘણા કાળ સુધી કૂવાના દેવે ભાવિતીર્થકર શ્રી પાર્શ્વ નાથ ભગવાનની પ્રતિમાની બહુ ભક્તિપૂર્વક પૂજા કરી Page #30 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ [૧૭] વરાડ દેશના એલચપુર નામના નગરમાં શ્રીપાલ નામે ચંદ્રવંશી રાજા થયા. માતા-પિતાએ તેનું પાત્ર નામ પાડયું હતું પણ રૂા એટલે પૃથ્વીનું સારી રીતે રાજ્ય કરતો હોવાથી લાક તેને રૂઝવ કહી સંબોધતા હતા. એક વખત, પૂર્વ જન્મમાં કરેલા પાપના ઉદયથી રાજાના શરીરમાં કેકને ભયંકર વ્યાધિ લાગુ પડ્યો અને તેથી રાજાને વારંવાર મૂછ આવતી હતી. વૈદ્યોએ ઘણા ઘણા ઔષધે પચાર કર્યો પણ રાજને જ પણ શરીરે શાંતિ થઈ નહીં. વેદનાથી પીડાતે રાજા રોગને શાંતિને માટે એક વખત-નગર બહાર નીકળે. પાણીની તરસથી વ્યાકુલ થયેલે રાજા પાણી માટે આમતેમ ફરતા ફરતા આંબલીના ઝાડ નીચે જેમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા હતી તે કૂવા પાસે આવ્યા. તે કૂવાના જલથી હાથ-પગ મહે છેઈને તથા સ્વચ્છ સ્વાદિષ્ટ પાણી પીને રાજા પતાની છાવાડી ચાલ્યા ગયે. થાકેલા રાજાને સાંજ પડતાં જ ઊંઘ આવી ગઈ. રોગની પીડાથી આખી રાત માછલાંની જેમ તરફડીને જ પૂરી કરતા હતા, તે રાજા તે રાત્રિએ નિશ્ચિત થઈને છાનુસાર ઊંડ્યા. સવારમાં ઉડ્યા પછી રાજાના હાથ, પગ તથા મેં નીરોગી જોઈને રાણીએ રાજાને પૂછયું કે-“સ્વામિ ! ગઈ કાલ તમે કયાં હાથ-પગ મેં ધેયા હતા કે જેથી તેટલા ભાગ ઉપરથી કેદ્ર રોગ બિલકુલ નષ્ટ થઈ ગયું દેખાય છે. આજે પણ ત્યાં ચાલે અને સર્વ અંગે સ્નાન કરે કે જેથી સર્વ અંગને રેગ ચાલ્યા જાય.” રાણીના કહેવાથી પ્રતીતિવાળા રાજાએ ત્યાં જઈ સ્નાન કર્યું અને શરીર તત્કાળ ની રેગી થઈ ગયું. આથી રાજા અને રાણી બંનેને ખૂબ આશ્ચર્ય થયું અને અન્ન-પાણીનો ત્યાગ કરીને દેવની આરાધના કરવા માંડી. “હે કૂવાની અંદરના અધિષ્ઠાયક Page #31 -------------------------------------------------------------------------- ________________ [૧૮] શ્રી અંતરિક્ષ દેવ ! હે ક્ષેત્રદેવ! તમે જે કઈ છે તે કૃપા કરી અમને તમારું દર્શન આપે.” આ પ્રમાણે કહીને દેવની આરાધના કરતાં રાજાને ત્રણ દિવસ વીતી ગયા. છેવટે રાજાને દઢ નિર્ણયવાળે જોઈને દેવે પ્રત્યક્ષ આવીને કહ્યું “રાજન ! ખરદૂષણ રાજાએ પધરાવેલી આ કૂવામાં શ્રી પાર્શ્વ નાથ પ્રભુની પ્રતિમા છે. તેના સ્પર્શથી આનું પાણી મહાપવિત્ર થયેલું છે, તેથી આ પાણીથી સ્નાન કરવાથી તારું શરીર નીરોગી થઈ ગયું છે. આ મૂર્તિના સ્પર્શથી પવિત્ર થયેલા પાણીથી શ્વાસ, ખાંસી, તાવ, શૂલ તથા કોઢ વગેરે રે અસાધ્ય થઈ ગયા હોય તે પણ નિશ્ચયે નાશ પામે છે; નેત્રહીનને નેત્ર પ્રાપ્ત થાય છે, બહેરાને સાંભળવાની શક્તિ પ્રાપ્ત થાય છે, મૂંગે બોલતે થાય, લંગડે-પાંગળો ચાલવા લાગે છે, અપસ્માર રેગવાળાને નવું શરીર પ્રાપ્ત થાય છે, વીર્ય-પરાક્રમહીનને મહાવીર્ય પ્રાપ્ત થાય, ધન જોઈએ તેને ધન મળે છે, સ્ત્રી જોઈએ તેને સ્ત્રી મળે છે, પુત્ર જોઈએ તેને પુત્ર-પૌત્ર મળે છે. રાજ્ય ગુમાવ્યું હોય તે રાજ્ય મળે છે, પદવી ન હોય તેને ઉત્તમ પદવી મળે છે, વિજ્ય જોઈએ તેને વિજય મળે છે, વિદ્યાહીનને વિદ્યા પ્રાપ્ત થાય છે. ભૂત વેતાલ તથા ડાકણે પલાયન થઈ જાય છે. આ મૂર્તિના સ્પર્શથી પવિત્ર થયેલા પાણીથી સર્વે દુષ્ટ ગ્રહ શમી જાય છે. િવહુના ? બહુ શું વર્ણન કરવું? હે રાજન ! સર્વ મનેરને પૂર્ણ કરનારી આ મૂર્તિ કલિયુગમાં સાક્ષાત ચિન્તામણિરત્ન સમાન છે. હું નાગરાજ ધરણેન્દ્રને સેવક છું અને તેને આદેશથી અહીં રહીને ભગવાનની મૂર્તિની ભક્તિથી ઉપાસના કરું છું. આ પ્રમાણે દેવનું કથન સાંભળીને ભક્તિથી ઉલ્લસિત મનવાળા રાજાએ દેવ પાસે પ્રત્યક્ષ ચમત્કાર કરનારી મૂર્તિની માગણી કરી. દેવે કહ્યું કે “રાજન્ ! ધન-ધાન્ય વગેરે તું જે કંઈ માગે તે Page #32 -------------------------------------------------------------------------- ________________ પાશ્વનાથ [ ૧૮ ] આપીશ, પણ મૂર્તિ નહીં આપું.” આ પ્રમાણે દેવે ઘણું સમજાવ્યું તે પણ મૂતિ જ લેવાની ઈચ્છાવાળા રાજાએ પારણું ન કર્યું. પ્રાણ જાય તો ભલે જાય; પણ મૂર્તિ લીધા વિના પાછો નહીં ફરું.” આ પ્રમાણે દઢ નિશ્ચય કરીને બેઠેલા રાજાને ભેજન– પાણી લીધા વિના સાત દિવસો વીતી ગયા. તેના તપના પ્રભાવથી ધરણે દ્ર જાને ત્યાં આવીને કહ્યું- “રાજા ! તું શા માટે હઠ કરે છે ? આ મહાવમક રી સ્મૃતિ ની પૂજા તમારાથી નહીં થઈ શકે. તારું (રેગ નાશ પામવાનું) કાર્ય સિદ્ધ થઈ ગયું છે, માટે તું ચાલ્યા જા.” રાજાએ કહ્યું -નાગરાજ ! પેટ ભરવાથી શું? હું તે જગતના ઉપકાર માટે પ્રતિમાની માગણી કરું છું માટે મને મૂર્તિ આપો. મારા પ્રાગ જય તો ભલે ચાલ્યા જાય. પણ નાગરાજ ! પ્રતિમા લીધા વિના હું પાછો ફરવાનો નથી. મૂતિ આપે કે ન આપે, એ તમારી મરજીની વાત છે. મારા પ્રાણ તો એ ભગવાનમાં જ રહેલા છે. આ પ્રમાણે રાજાનું કથન સાંભળીને સાધમિકબંધુને કષ્ટ ન થાય તે માટે ધરણે એલ રાજાને કહ્યું- “રાજન ! હું તારી ભકિતથી પ્રસન્ન થયો છું, અને તેથી પ્રાણથી પણ અધિક પ્રિય આ ચા-કારી મૃતિને જગતના ઉપકાને માટે તેને આપીશ, પર તુ આ પ્રતિમાની આશાતના ન કરીશ, નહીંતર મને ઘણું દુઃખ થશે.” રાજાએ આ વાતને સ્વીકાર કર્યો ત્યારે ધરણે જે કહ્યું કે-રાજન ! સંભળ, સવારમાં સ્નાન કરીને સ્વચ્છ થઈને તું અહીં કૂવા પાસે આવજે, પછી નાલ(જવારીના સાંઠા)ની પાલખી બનાવીને સુતરના તાંતણાથી બાંધીને કૂવામાં ઘડાની જેમ ઉતાજે. હું તેમાં મૂર્તિ મૂકી દઈશ, પછી બહાર કાઢીને નાલના( જવારીના સાંઠાના) બનાવેલા રથમાં નું પ્રતિમા મૂકી દેજે અને Page #33 -------------------------------------------------------------------------- ________________ [૨૦]. શ્રી અંતરિક્ષ પછી સાત દિવસના જન્મેલા વાછરડા રથને જોડીને તું આગળ ચાલજે અને રથ તારી પાછળ ચાલ્યા આવશે. તારી જ્યાં આ પ્રતિમા લઈ જવાની ઈચ્છા હોય ત્યાં લઈ જજે પણ પાછું વાળીને જોઈશ નહીં, જે જોઈશ તે પ્રતિમા નહીં આવે. આ પંચમ કાલ હવાથી અદશ્યપણે મૂર્તિમાં અધિષ્ઠિત રહીને આ પ્રતિમાની ઉપાસના કરનારના મનોરથ હું પૂર્ણ કરીશ.” આ પ્રમાણે કહીને નાગરાજ ધરણેન્દ્ર ચાલ્યા ગયા પછી સવારમાં રાજાએ ધરણેન્દ્રના કહ્યા પ્રમાણે બધું કર્યું. કૂવામાંથી પ્રતિમા બહાર કાઢીને રાજાએ નાલના રથમાં મૂકી અને બે વાછરડા રથને જોડીને રાજા આગળ ચાલવા લાગ્યા. કેટલેક દૂર ગયા પછી રાજાના મનમાં શંકા ઉત્પન્ન થઈ કે “રથને અવાજ સંભળાતું નથી, તે શું ભગવાન નથી આવતા?” આમ શંકાથી રાજાએ પાછું વાળીને જોયું તેથી તરત જ રથ મતિ નીચેથી આગળ નીકળી ગયા અને મૂર્તિ આકાશમાં સ્થિર થઈ ગઈ. ત્યાં વડના ઝાડ (આ ઝાડ હાલ બગીચામાં છે ) નીચે સાત હાથ ઊંચે આકાશમાં અદ્ધર રહેલી ભગવાનની પ્રતિમા જોઈને લોકો અંતરિક્ષપાર્શ્વનાથ” કહેવા લાગ્યા. રસ્તામાં જ પ્રતિમાજી સ્થિર થઈ જવાને લીધે ખિન્ન થયેલા રાજાએ ફરીથી ધરણંદ્રની આરાધના કરી. ધરણે કહ્યું કે આ પ્રતિમા અહીં જ રહેશે તેથી રાજાએ ત્યાં જ એક લાખ મુદ્રા (સિક) બચીને રંગમંડપથી સુશોભિત વિશાલ ચૈત્ય કરાવ્યું (આ મંદિર પનવીના નામે હાલમાં છે.) સંપૂર્ણ થયેલા મંદિરને જોઈને રાજાએ વિચાર કર્યો કે અહે! આ મંદિરથી મારું નામ કાયમ થઈ જશે-ચિરકાળ સુધી ચાલશે. રાજાના મનમાં આ જાતનું અભિમાન ઉત્પન્ન થવાથી રાજાએ મંદિરમાં પધરાવવા માટે પ્રતિમાજીને પ્રાર્થના કરી તે પણ પ્રતિમાજી Page #34 -------------------------------------------------------------------------- ________________ પાશ્વનાથ [૨૧] મંદિરમાં પધાર્યા નહીં આથી ખિન્ન થયેલા રાજાએ ધરણેન્દ્રનું મરણ કર્યું પણ રાજાના અભિમાનથી ધરણેન્દ્ર પણ ન આવ્યા તેથી અતિ ખિન્ન થયેલા રાજાએ મંત્રીએ પૂછ્યું કે ભગવાન ચૈત્યમાં આવતા નથી માટે શું કરવું ? મંત્રીએ વિચાર કરીને કહ્યું કે–રાજ ! એક ઉપાય છે. સર્વ શાસ્ત્રોમાં વિશારદ, અનેક રાજાઓને માન્ય તથા દેવીની જેમને સહાય છે એવા અભયદેવ નામના આચાર્ય છે. કર્ણ જેવા પરાક્રમી ગુજરાત દેશના કર્ણ (સિદ્ધરાજ જયસિંહના પિતા) રાજાએ તેમને “માલધારી એવી માપદવી આપી છે. ગયા જ વર્ષે આ આચાર્ય ખંભાતના સંઘ સાથે (કુપાકજી તીર્થમાં રહેલા) માણિક્ય દેવની યાત્રા કરવા માટે આ બાજુ પધાયો છે. અને હમણાં તેઓ દેવગિરિ (આજનું દૌલતાબાદ)માં બિરાજે છે. જે કંઈ પણ રીતે તેઓ અહીં પધારે તે નકકી તમારું કામ સિદ્ધ થશે.” આ પ્રમાણે મંત્રીનું કથન સાંભળીને રાજાએ મંત્રી દ્વારા ગુરુ મહારાજની ત્યાં પધરામણી કરાવી. આકાશમાં અદ્ધર રહેલી પ્રતિમા જોઈને આચાર્ય મહારાજને પણ ઘણું આશ્ચર્ય થયું. રાજાના મર્થ બધી વાત સાંભળીને તેમણે અડ્રમ કરીને ધરણંદ્રનું સ્મરણ કર્યું. ધરણે જે આવીને આચાર્ય મહારાજને કહ્યું કે “આ જિનમંદિર બંધાવીને રાજાએ મનમાં ઘણે મદ (અભિમાન-ગવ) કર્યો છે, તેથી રાજાના મંદિરમાં આ મૂર્તિ નહીં પધારે પણ સંઘે બધાવેલા મંદિરમાં જ પધારશે.” ધરણેન્દ્રનું વચન સાંભળીને આચાર્ય મહારાજે શ્રાવક સંઘને બોલાવીને કહ્યું કે–શ્રાવકે ! તમે અહીં જલદી નવું મંદિર બંધાવે. તમે બંધાવેલા મંદિરમાં પ્રતિમા પધારશે. આચાર્ય મહારાજનું વચન સાંભળીને તેમની સાથે આવેલા શ્રદ્ધાળુ અને ભક્તિમાન શ્રાવકેએ મળીને જિનમંદિર બંધાવ્યું. Page #35 -------------------------------------------------------------------------- ________________ [૨૨] શ્રી અંતરિક્ષ પછી આચાર્ય મહારાજની સ્તુતિથી અધિષ્ઠાયક દેવે જેમાં સંક્રમણ કરેલું છે એવા (દેવાધિષ્ઠિત) શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાને સર્વજનના દેખતાં આકાશમાંથી ઉતરીને શ્રાવકે બંધાવેલા ચૈત્યમાં સ્વયં પ્રવેશ કર્યો. ત્યાં પણ ભૂમિથી સાત આગળ ઊંચે અદ્ધર રહેલા ભગવાનની વિ. સં. ૧૧૪૨ ના મહા સુદ પંચમી ને રવિવારને દિવસે વિજય મુહૂર્તમાં આચાર્ય મહારાજે વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી. સાથે ભગવાનની આગળ ડાબે પડખે તીર્થરક્ષા માટે આચાર્ય મહારાજે શાસનદેવની પણ સ્થાપના કરી. તે વખતે ઇલચરાજાએ ભગવાનના મસ્તક ઉપર અનેક પ્રકારન રત્નથી સુશોભિત મુગટ ચડાવીને, કાનમાં કુંડલે પહેરાવીને, કપાલમાં હીરાનું તિલક ચડાવીને, અમૃતવષ ચક્ષુ સ્થાપન કરીને, કંઠેમાં મેતીને હાર પહેરાવીને, અંગે સેનાની આંગી ચડાવીને, મસ્તક પાછળ ભામંડળ સ્થાપન કરીને, મસ્તક ઉપર &ત છત્ર બાંધીને, સંઘવીની માળા પહેરીને તથા ગુરુમહારાજને વાસક્ષેપ મસ્તક ઉપર નંખાવીને અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારી આરતી ઉતારી. પછી જિન-પૂજા માટે રાજાએ ત્યાં એક નગર વસાવ્યું અને શ્રીમાન(પ્રભુ)ને વાસ થયે હેવાથી તેનું શ્રીપુર એવું નામ રાખ્યું. જ્યાંથી ભગવાન નીકળ્યા હતા તે કૂવાના પાણીથી બધાને ઉપકાર થાય તે માટે રાજાએ ત્યાં કુંડ બંધાવ્યું. રાજાની વિનંતિથી ત્યાં ચાતુર્માસ કરીને પછી ભવ્યજીને પ્રતિબોધતા ગુરુમહારાજ મલધારી શ્રી અભયદેવસૂરિજી અન્યત્ર વિહાર કરી ગયા. (આ પ્રમાણે અંતરિક્ષજી સંબંધી સર્વ ઈતિહાસ જણાવીને પદ્માવતી દેવીએ ભાવવિજયજી ગણુને કહ્યું કે, માટે હે ભાવવિજય! તું પણ તે જ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુજીનો આશ્રય લે કે જેથી તારી ચાલી ગયેલી બંને આંખે તને ફરીથી પ્રાપ્ત થશે.” Page #36 -------------------------------------------------------------------------- ________________ -- - - - પાશ્વનાથ [૨૩] ( શ્રી ભાવવિજયજી ગણી શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તેત્રમાં જણાવે છે કે-) આ પ્રમાણે પદ્માવતી દેવીની રાત્રે વાણું સાંભળીને એ ગુરુભાઈ તથા શ્રાવકોને બધી હકીકત કહી. પછી ત્યાંથી શ્રાવકનો સંધ સાથે લઈને અમે વિહાર કરતા અનુક્રમે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની છત્રછાયામાં દર્શનાર્થે પહોંચી ગયા. સંઘમાં આવેલા બધા યાત્રાળુઓને શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુજીના દર્શન થયાં, પરંતુ મંદભાગીઓમાં શિરોમણિ એવા મને (આંખો ચાલી ગઈ હોવાથી) ભગવાનનું દર્શન ન થયું. આથી ખિન્ન થયેલા મેં અન્ન-પાનને ત્યાગ કરીને પ્રભુજીના દશનની ઉત્સુકતાથી વિવિધ પ્રકારની સ્તુતિથી શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનની (નીચે મુજબ) સ્તુતિ કરવા માંડી. હે જિનેન્દ્ર ભગવાન! અપકારીઓ ઉપર પણ ઉપકાર કરનાર, કલિયુગમાં જાગતા દેવ તથા વાંછિત ફળને આપનાર એવા આપને નમસ્કાર છે. હે નાથ ! આપે સ્વાર્થ વિના પણ નાગને (અગ્નિમાંથી બળ ઉગારીને) નાગરાજ (ધરણેન્દ્ર) કર્યો છે. અને અતિનિષ્ફર તથા વર ધરાવનાર કમઠને પણ સમક્તિ આપ્યું છે. કરુણારસના ભંડાર હે સ્વામી! આપની ચિરકાલ સુધી સેવા કરનાર આષાઢભૂતિક શ્રાવકને આપે મોક્ષ આપે છે. ભક્તિથી આલિંગન કરતા હાથીને તમે સ્વર્ગમાં પહોંચાડ્યો છે, અને તેથી “કલિફંડ ૨ નામે તમે જગતમાં પ્રસિદ્ધ થયા છે. નવાંગીવૃત્તિકાર શ્રી અભય. દેવસૂરિને કેઢ રોગ હરીને તમે તેમનું સુવર્ણ જેવી કાંતિવાળું શરીર કર્યું છે. પાલનપુરનગરના રાજા પરમારવંશીય પાલણે આપના ચરણકમલની સેવાથી ગયેલું રાજ્ય પાછું મેળવ્યું હતું. ઉદ્દેશી શેઠને ઘેર આપે ઘીની વૃદ્ધિ કરી તેથી હે નાથ! આપ પદ્યુતકલો(લે)લ” નામથી જગતમાં પ્રસિદ્ધ થયા છે. ફલની વૃદ્ધિ કરવાથી આપ ફલવૃદ્ધિ નામથી પૃથ્વીતલ ઉપર પ્રસિદ્ધ Page #37 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪ ] * શ્રી અ’તરિક્ષ થયા છે. હે નાથ ! આપે એલચપુર નગરના રાજાનેા દાહ તેમજ કીડાથી સહિત કુષ્ટ (કાઢ) રાગને દૂર કરીને તેનુ સુવણ જેવુ શરીર કયુ` છે. કલિયુગમાં પણ અહીં આકાશમાં જ રહેવાની આપની ઇચ્છા હતી, પણ મલધારી(શ્રી અભયદેવસૂરિજી)ની સ્તુતિથી સ ંતુષ્ટ થઈને ચૈત્યમાં આવીને આપ રહ્યા છે. હું અનંત વણું ( વર્ણનીય ગુણેાથી) યુક્ત નાથ ! આપનુ કેટલુ વર્ણન કરુ? હજાર જીભવાળા પણ પાર ન પામે તે હું શી રીતે પામું? હું નાથ! આવા આવા ચમત્કાર આપે જગતમાં અતાવ્યા છે, તે શું મારા બે નેત્રા ખાલવા આપને કઠિન છે? હે નાથ ! હે તાત! હે સ્વામિન્! હૈ વામાકુલન દન! હે અર્ધસેનવ શદીપક! પ્રત્યક્ષ દર્શન આપે. જો માતા-પિતા પુત્રને ઇષ્ટ વસ્તુ નહીં આપે તે ખીજુ કાણુ આપવાનુ ? માટે હું તાત! મને નેત્ર આપે.’ આ પ્રમાણે ઉદ્ગાર કરતાં જ મારી આંખાનાં પડળ તૂટી ગયાં, અને લેાકેાના ‘ જય જય ’ નાદની સાથે મેં ત્રણ જગતના નાયક શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કર્યાં. જેમ મેઘ ચાલ્યા ગયા પછી સર્વે પ્રાણીઓ સૂર્યને સ્પષ્ટ જોઇ શકે છે તેમ ચક્ષુગાચર પદાર્થાને હું નજર સામે ફરીથી જોવા લાગ્યા. હું નાથ! આપ લેઢાને સુવણુ કરનારા સાચે જ પારસમણિ છે, તેથી આપના પિતાએ આપનું સાચું જ પારસનાથ' નામ રાખ્યુ છે. પછી પારણું કરીને મેહથી વિકસિત નેત્રે મને દૃષ્ટિ (આખા) આપનાર શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનનાં ફરી કરીને દશ ન કર્યો. < પછી રાત્રે સ્વપ્નમાં આવીને મને દેવતાએ કહ્યું કે ‘હે વત્સ! અહીં નાનું મ ંદિર હાવાથી તુ માટુ (દી) મંદિર કરાવ. પછી ઉઠીને સવારે શ્રાવકેાને ઉપદેશ કરીને ધન એકત્ર કરાવીને મંદિર બંધાવવાની શરૂઆત કરાવી. અન્ય સંઘને રજા આપીને Page #38 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ [ ૨૫ ] ઘેડા શ્રાવકો સાથે હું' ત્યાં કાર્ય અને એક વર્ષમાં નવું મંદિર પૂર્ણ તૈવાર કાલ્યુ. પછી તેમાં વિક્રમ સવત ૧૭૧૫ ના ચૈત્ર સુદ ૬ ને દિવસે રવિવારે તે નવા મંદિરમાં ઉત્સવપૂર્વક શ્રી અંતરિક્ષપાનાથ ભગવાનને સ્થાપન કર્યાં. ત્યાં પશુ તે શ્રી અંતરિક્ષ ભગવાને ભૂતને! સ્પર્શ ન કર્યાં ત્યારે સ્તુતિ કરીને મુશ્કેલીથી ભૂમિથી એક આંગળ ઊંચે સ્થાપન કર્યાં. ત્યાં આસન ઉપર ભગવાનની ભિમુખ પ્રતિષ્ઠા કરીને બેાધિબીજસમ્યક્ત્વને ધા ન કરીને ” કૃતકૃત્ય થયે, ત્યાં જ મારા ગુરુશ્રી વિજયદેવસૂરિજીની પાદુકાની ગુરુભક્તિપરાયણ શ્રાવકો પાસે પ્રતિષ્ઠા કરાવી. પછી ત્યાં કેટલાક દિવસ રહીને દેવાધિદેવ શ્રી અંતરિક્ષપાઘનાથ ભગવાનની ખૂબ ભાવપૂર્વક ભાવના ભાવીન (દર્શન કરીને ભગવાનનાં દર્શન કરવા માટે ફરીથી પાછા આવવાની ઉકડા સાથે હું ત્યાંથી નીકળ્યા. રસ્તામાં મે લેકના ઉપકારને મારું સવ ઠેક,ગે શ્રી તારક્ષ ભગવાન( ના. માહાત્મ્ય )ની સૂચના કરી. આ પ્રમાણે. જે કોઇ મનુષ્ય શ્રી અ ંતરિક્ષ ભગવાનના આશ્રય ટ્રેશે તેના મન ઘેને તે ભગવાન પૂર્ણ કરશે. ગ્રંથકારની પ્રશસ્તિ શ્રી હીરસૂરિ મહારાજે અકબર બાદશાહ પાસેથી સાત તીર્થના પર લખાવી લઇને ચાવચ્ચ¢દિવાકર જય મેળવ્યું. તેનના શિષ્ય શ્રી વિજયસેનસૂરિ થયા કે જેમણે જહાંગીર બાદશાહને પ્રતિબોધીને પ્રતિપદા ( પડવે ), રવિવાર તા ગુરુવારના દિવસમાં જીવયા પળાવી. તેમના શિષ્ય શ્રીવિજયદેવસૂરિ થયા કે ભવિનરૂપી કમળને વિકસિત કરવામાં સૂર્ય સમાન જેમણે યવન ( મુસલાન ) વગેરે ઘણી જ્ઞાતિએમાં દયાધ પ્રવર્તાવ્યું હતા. તેમના મોટા શિષ્ય આચાય શ્રીવિજયપ્રભસૂરછ થયા કે Page #39 -------------------------------------------------------------------------- ________________ [૨૬] શ્રી અંતરિક્ષ આચાર્યના ગુણેથી યુક્ત જેમણે તેમની (શ્રીવિજયદેવસૂરિજીની) પાટ ભાવી તેમને (શ્રી વિજયદેવસૂરિને) જ ના શિષ્ય હું ભાવવિજયગણું છું. શ્રી વિજયપ્રભસૂરિજીના રાજ્યમાં મેં આ ગ્રંથની રચના કરી છે. વિક્રમ સંવત ૧૭૧૫ માં ભવ્ય જીના ઉપકારને માટે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની કૃપારૂપી સ્વચરિત્રની મેં રચના કરી છે.” સ્તોત્રમાં જણાવેલ શ્રી પાર્શ્વનાથ તીર્થો (૧) આષાઢભૂતિ શ્રાવકે ગઈ વીશીમાં નવમા તીર્થંકર શ્રી દામોદર ભગવાનના વખતમાં તેમના મુખેથી પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં પિતાને ઉદ્ધાર થશે” એમ જાણીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી હતી. પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં અષાઢી શ્રાવક મેક્ષમાં ગયા છે. ' (૨) અંગદેશની ચંપાનગરીમાં કરડુ રાજા રાજ્ય કરતે હતે. ચંપાનગરીની પાસે જ કાદંબરી અટવી હતી. તેમાં કલિ નામે એક ડુંગર હતું, તેની નીચે કુંડ નામે સરેવર હતું. શ્રી પાર્શ્વનાથ ભગવાન વિચરતા વિચરતા કુંડ સરોવરની પાસે કાઉસગ્ગ મુદ્રાથી ઊભા હતા. તે વખતે એક હાથી ત્યાં આવી ચડ્યો ભગવંતને જોઈને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું કે પૂર્વભવમાં તે એક વામન (ઠીંગણે) બ્રાહ્મણ હતે. લેકે તેના વામનપણાની ઘણું મશ્કરી કરતા હતા તેથી કંટાળીને તે આપઘાત કરવાની તૈયારી કરતા હતા ત્યારે એક શ્રાવકે આવીને તેને અટકાવ્યું અને ધર્મ પમાડ્યો. ત્યાંથી મરતી વખતે મોટા શરીરની પ્રાપ્તિનું નિયાણું કરીને મરવાથી તે મરીને હાથી થયે.” આ જાતિસ્મરણજ્ઞાનથી પૂર્વજન્મ જાણીને હાથીએ તળાવમાંથી કમળ લાવીને ભગવાનની ખૂબ પૂજા કરી, પાણીથી સિંચન કર્યું અને સુંઢથી ભેટી પડ્યો. પછી તરત જ અનશન Page #40 -------------------------------------------------------------------------- ________________ પર્ધાનાથ [૨૭] કરીને હાથી મહદ્ધિક વ્યંતરરૂપે ઉત્પન્ન થયે. સવારમાં કરકંડુ રાજાને ખબર પડી અને તે ત્યાં આવ્યું પણ ભગવાન ત્યાંથી વિહાર કરી ગયા હતા. રાજાને ઘણે શેક થે. ધરણેન્દ્રના પ્રભાવથી ત્યાં નવ હાથની પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પ્રગટ થઈ. રાજાએ મંદિર બંધાવીને તે પ્રતિમાની તેમાં સ્થાપના કરી. (બીજા મતે રાજાએ જ મૃતિ ભરાવીને મંદિર બંધાવીને તેમાં સ્થાપના કરી.) હાથી મરીને મહઢિક વ્યંતરરૂપે ઉત્પન્ન થયેલા દેવે એ પ્રતિમાને મહિમા ખૂબ વિસ્તાર્યો ત્યારથી કલિકુંડ તીર્થ પ્રગટ થયું. (જુઓ, ઉપદેશસતતિ. આત્માનંદ સભા (ભાવનગર) પ્રકાશિત). (૩) ઠાણ, સમવાયાંગ, ભગવતીસૂત્ર, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અન્તગડદશાંગ, અનુત્તરપપાતિકદશાંગ પ્રશ્નવ્યાકરણ અને વિપાકસૂત્ર આ નવ અંગેની ટીકા કરનાર આ. શ્રી અભયદેવસૂરિ મહારાજ વિકેમના બારમા સૈકામાં થઈ ગયા છે. તેમને કઢને રેગ લાગુ પડ્યો રેગ અતિશય વધતે જતા હોવાથી આખરે તેમણે અનશન કરવાની ઈચ્છા કરી ત્યારે શાસનદેવીએ આવીને કહ્યું કે-સેઢી નદીને થંભનપુર-(ખંભાત)ની પાસે ખાખરાના ઝાડ નીચે સ્થંભનપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે તેનાં દર્શનથી તમારે કેઢ રોગ દૂર થઈ જશે. અને તમે નવ અંગેની ટીકા કરનારા થશે.” આચાર્યશ્રી ત્યાં પધાર્યા અને જયતિહઅણુ સ્તોત્રની સ્ત્રના કરી તેથી મૂર્તિ પ્રગટ થઈ. કેદ્રને રોગ પણ નષ્ટ થયા અને તેમણે ઠાણંગ વગેરે ઉપર જણાવેલાં નવ અંગે ઉપર ટીકા લખી, થંભન પાર્શ્વનાથનું તીર્થ આજે પણ પ્રસિદ્ધ છે અને તે ખંભાતમાં છે. (૪) આબુના પરમારવંશી પાલનરાજાએ સેનાની પલવીઆ પાર્શ્વનાથની મૂર્તિ ગળાવી નાંખીને તેના સેનાના પલંગના પાયા કરાવ્યા હતા. આ પાપથી તેને કઢને રોગ લાગુ પડ્યો હતે. અને તેનું રાજ્ય સ્ત્રીઓએ (ભાયાતે એ) પડાવી લીધું હતું. Page #41 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮ ] શ્રી અ* ત રિક્ષ રાજ્યથી ભ્રષ્ટ થયેલા તેને રખડતાં રખડતાં શીલધવલ આચાર્યને મેળાપ થયા. આચાય મ.ના ઉપદેશથી સાનાની પાર્શ્વનાથ ભગવાનની નવી પ્રતિમા ભરાવીને પ્રહલાદનપુર-પાલનપુર વસાવીને તેમાં સુંદર મ ંદિર બંધાવીને તે પ્રતિમા પધરાવી. પ્રતિમાના પ્રભાવથી કાઢ રોગ પણ ગયા અને ગયેલુ રાજ્ય પણ રાજાને પાછું મળ્યું. મુસલમાનાના અત્યાચારોના વખતમાં ભયથી આ સોનાની મૂર્તિ કયાંક ભડારીને તેને સ્થાને પાષાણની મૂર્તિ પધરાવવામાં આવેલી છે અને અત્યારે તે વિદ્યમાન છે. * (૫) કચ્છ દેશ સુથરી ગામમાં આ તીર્થ આવેલુ છે. આ ગામમાં વસતા ઉદ્દેશી નામના વણિકે સ્વપ્નમાં દેવના કહેવાથી બહાર મળેલા એક માણસને પેાતાનુ રોટલાનુ પોટલુ આપીને બદલામાં તેની પાસેથી પાટલું ખરીદી લીધું. ઘેર આવીને જોયુ તે તેમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા હતી. શ્રાવક ગરીબ હતા તેથી આ ગામમાં વસતા યતિએ સંઘની મદદથી એક નાની દેહરી બંધાવી, અને તેમાં તે પ્રતિમાની પ્રતિષ્ઠા વખતે સ ંધે સ્વામીવાત્સલ્ય કર્યુ. તે વખતે ઘીના કુલ્લામાંથી ઘણુ જ ધી નીકળવા લાગ્યુ. ખૂંટે જ નહિ. લેકોને બહુ આશ્ચર્ય થયું. કુલ્લામાં હાથ નાંખીને તપાસ કરીને જોયુ તે ઉદ્દેશીવાળી મૂર્તિ કુલ્લામાં જ આવીને બેસી ગઇ હતી. પ્રતિમા કાઢીને મહાત્સવપૂવ ક દેરાસરમાં પધરાવી. ત્યારથી આ તી ઘૃતકલ્લેાલપા નાથને નામે પ્રસિદ્ધ છે. ઉદ્દેશી શાહ પણ સુખી થઇ ગયા. (૬) મારવાડમાં મેડતાસિટી પાસે આવેલા લેાધી ગામના ખારસ નામના એક શ્રાવક ગામ બહાર ગયા હતા. ત્યાં તેને માટીના ઢેફામાંથી પાર્શ્વનાથ ભગવાનની એક પ્રતિમા પ્રાપ્ત થઈ હતી. ઘેર લાવીને એક ઝુંપડીમાં તેણે એ મૂર્તિને રાખી. દેવે શ્રાવકને કહ્યું કે ‘ભગવાનની પાસે તને રાજ સાનાના ચાખા મળશે. તે સેાનાથી મ ંદિર બંધાવીને તેમાં ભગવાનની પ્રતિષ્ઠા Page #42 -------------------------------------------------------------------------- ________________ પાશ્વનાથ [ ૨૯ ] કર પણ આ સેનાના ચેખા મળવાની વાત કઈને કહીશ નહીં.” સેનાના ચોખા મળવા લાગ્યા અને શ્રાવકે મંદિર બંધાવવા માંડ્યું મંદિરને એક ભાગ બંધાય તેટલામાં પુત્રના આગ્રહથી ઠે બધી વાત કહી દીધી તેથી સેનાના ચેખા મળવા બંધ થઈ ગયા. પછી એ ૧૨૦૪ માં વાદીદેવસૂરિ મહારાજના હાથે પ્રતિષ્ઠા કરાવવામાં આવી. આ પ્રતિમાના અધિષ્ઠાયક પ્રભાવથી પુત્ર અને દ્ધિ વગેરે ફલની વૃદ્ધિ થવાથી ફલવધિ પાર્શ્વનાથ નામ પડ્યું છે. ભિન્ન ભિન્ન સ્થળના પાર્શ્વનાથ ભગવાનના વૃત્તાંતે જાણવા માટે સારાભાઈ મણિલાલ નવાબે લખેલું પુરિસાદાણી પાર્શ્વનાથજી એ નામનું પુસ્તક જુઓ. પં. શ્રી ભાવવિજયગણિત સ્તોત્રનો સાર શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનના સંબંધમાં ભાવવિજયજી વાણીએ ઉપર જણાવ્યા મુજબ પદ્માવતીદેવીના કથનરૂપે વર્ણવેલા ઈતિહાસની હવે આપણે વિચારણું કરીએ– પદ્માવતી દેવીના કથનમાં પૂર્વનાં કરતાં અનેક અતિ મહત્ત્વની તેમજ વિશિષ્ટ વાત છે કે જે બીજા બાહ્ય પ્રમાણે સાથે પણ મળી રહે છે. શ્રી જિનપ્રભસૂરિજી તથા શ્રી સોમધર્મ ગણીએ રાવણના સેવક તરીકે માલિ અને સુમાલિને ઉલ્લેખ કર્યો છે. પરંતુ વસ્તુત: આ વાત મેળ ખાતી નથી, કેમકે કલિકાલસર્વસ શ્રી હેમચંદ્રસૂરીશ્વરપ્રણીત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના ૭ મા પર્વના ૧ લા સગમાં જણાવ્યા પ્રમાણે સુમાલિ રાવણના પિતા નિશ્રાને પણ પિતા એટલે દાદે થતું હતું અને માલિ સમાલિને મોટો ભાઈ હતા. એટલે રાવણને દાદે સુમાલી અને તેને મેટે ભાઈ માલી રાવણને સેવક હોય એ વાત બંધ બેસે Page #43 -------------------------------------------------------------------------- ________________ [૩૦] શ્રી અંતરિક્ષ જ શી રીતે? વળી ત્રિશષ્ટિશલાકાપુરુષચરિત્ર વાંચતાં એમ પણ જણાય છે કે રાવણના જન્મ પહેલાં જ માલીનું મૃત્યુ થઈ ગયેલું હતું એટલે માલી-સુમાલિની વાત સંગત થતી નથી. જ્યારે પદ્માવતી દેવીએ પાતાળલંકાના સ્વામી અને રાવણના બનેવી તરીકે ખરદૂષણને કરેલે ઉલ્લેખ બરાબર મળી રહે છે. (જો કે ખર અને દૂષણ પરસ્પર બે ભાઈઓ હતા છતાં બંને ભાઈઓની જેડી હોવાને લીધે એકને માટે પણ ખરદૂષણ નામ વાપર્યું હવામાં વાંધો નથી.) ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના ૭મા પર્વના ૨ જા સર્ગમાં જણાવ્યા પ્રમાણે રાવણે ખરેને પિતાની બહેન શૂર્પણખા (અપરનામ ચંદ્રણખા) પરણાવી હતી અને તેને પાતાળલંકા નગરીને રાજા બનાવ્યું હતું. ભૌગોલિક વર્ણને જોતાં જણાય છે કે પાતાળલંકા કિષ્કિન્ધાનગરીની પાસે (પ્રાયે ઉત્તરદિશામાં) હાલના મદ્રાસપ્રદેશમાં કેઈક સ્થળે હતી. રાવણની લંકાનગરીની જેમ સિંહલદ્વીપમાં પાતાળલંકા સમજવાની નથી. (જુએ ત્રિ. શ પુ પર્વ ૭, સર્ગ ૬.). પદ્માવતીના કથનમાં ખરદૂષણ જે વિગેલિ આવ્યાને ઉલ્લેખ છે તે ઇંગલિ ગામ અત્યારે પણ વિદ્યમાન છે અને તે વર્તમાનમાં લગભગ વિશ હજાર મનુષ્યની વસ્તીવાળું મેટું ગામ છે. એલચપુરના એલચ અપરનામ શ્રીપાળ નામના ચંદ્રવંશીય રાજાને જે ઉલ્લેખ છે તે પણ મળી રહે છે. એલચપુર શહેર ઉમરાવતીથી વાયવ્યકોણમાં ૩૦ માઇલ દૂર, તેમજ આકેલાથી ઈશાનકેશુમાં લગભગ ૫૦ માઈલે તથા અંતરિક્ષ-શિરપુરથી લગભગ ૯૫ માઈલે આવેલું છે. અત્યારે પણ આ લગભગ ચાલીશ હજાર મનુષ્યની વસ્તીવાળું શહેર છે. ઈતિહાસ એમ કહે છે કે એલિચપુર અંગ્રેજોના હાથમાં આવ્યું લગભગ ત્યાંસુધી સેંકડે વર્ષ સુધી સમગ્ર વરાડ દેશના પાટનગર તરીકે હતું. છેલ્લા હજાર વર્ષને વરાડને ઈતિહાસ એલિચપુરથી છૂટે પાડી શકાય તેમ Page #44 -------------------------------------------------------------------------- ________________ પાનાથ [૩૧] નથી. એટલે તરિક્ષ-શિરપુર વરાડ દેશનું જ ગામ હોવાને લ, વડનો રાજા ઓલપુરથી નીકળને શાતિ મેળવવા માટે ત્યાં જ હકાય એ સર્વથા બંધબેસતું છે. વળી આ દેશના જેનર ઇતિહાસકારો પણ જૂનાં લખાણ આદિને આધારે જણાવે છે કે “ ઇલાજ સં. ૧૧૧૫માં ઓલપુરની ગાદી ઉપર આવ્યા હતો અને તે ચુસ્ત જેનધમી હતા, તથા તેણે વાડમાં જનધર્મના પ્રચાર માટે ઘણા પ્રયત્ન કર્યો હતે.” આ ઈલ અને આપણે એલચ એક જણાય છે. અહીંના દિગંબર જેને તે અંતરિક્ષાના સ્થાપક જન સ નામ જ જણાવે છે આની સાથે પદ્માવતીદેવીએ - ૧૧ માં એલચ શ્રીપાળ રાજાએ અંતરિક્ષજીની પ્રાઈ કર્યાની જ વાત જણાવી છે તે સરખાવતાં બરાબર મળી રહે છે, કેમકે સ. ૧૧૧પમાં ગાદીએ આવેલ રાજા સં. ૧૧૪રમાં પ્રાણ કરે એ વાત નવ થા સંભવિત છે. તવારીખી ઈ અમજદી નામના એક જૂ ના ફારસી ભાષાના ગ્રંથના મુસિલમ લેખકે એવી કપના કરી છે કે ‘રૂઢ રાજાના નામ ઉપરથી ઢપુર નામ પડયું છે.’ હુંશ શબદને અર્થ રાજા થાય છે. (ફ+ફૅ1 ) શ એટલે લ રાજા, ને રૂાપુર ઉપરથી કાળક્રમે ઘસાઈને ઢપુર થયું હોય એમ સ્થાનિક લેકે ની સંભાવના છે. પરંતુ સંશોધન કરીને હમણા નિણિત કર્યું છે કે “એલિચપુરનું મૂળ નામ અચલપુર જ હતું. અચલપુરના કાળકમે ચપુર વગેરે અપભ્રંશ થઈને હમણાં એલિચ પર બોલાય છે. આ અચલપુરની ગાદીએ રૂઢરાજ સ. ૧૧૧પમાં આવ્યા હતા. વિદર્ભ (વડ)માં વસતા ક્ષત્રિય રજાએ ભોજકુળના હતા અને તેથી ચંદ્રવંશીય જ હતા એમ પણ ઈતિહાસકારો જણાવે છે. એટલે સરવાળે ભાવવિજય ગણીએ જણાવેલી બધી વાતે મળી રહે છે. પાવતીદેવીએ ભાવવિજયજી ગણીને જે જણાવ્યું છે કે ‘શ્રીપાળરાજા અતરિક્ષપાર્શ્વનાથ ભગવાનને ગાડામાં સ્થાપીને લઈને Page #45 -------------------------------------------------------------------------- ________________ [૩૨] શ્રી અંતરિક્ષ આવતાં વડના ઝાડ નીચે આવ્યું. ત્યાં પાછું વાળીને જેવાથી પ્રતિમા આકાશમાં અદ્ધર થઈ ગઈ. રાજાએ તે પ્રતિમા પધરાવવા સુંદર મંદિર બંધાવ્યું, પરંતુ આ પ્રતિમા સ્થાપવાથી આ જિનાલય સાથે મારું નામ પણ કાયમ થઈ જશે.” આ જાતનું રાજાને અભિમાન-કીર્તાિ લાલસા થવાથી તેમાં ભગવાનનાં પ્રતિમાજી પધાર્યો નહીં” આ વાત પણ બરાબર મળી રહે છે. અંતરિક્ષજીશિરપુર ગામની પાસે જ બહાર એક બગીચે છે કે જે આપણા જૈનમંદિરના જ તાબામાં છે. - તેમાં એક કલાપૂર્ણ અને વિશાળ સુંદર જિનમંદિર છે. અને તેની નજીકમાં જ એક વડનું ઊંચું ઝાડ છે. શિરપુરના લોકો કહે છે કે “આ ઝાડ નીચે પ્રતિમાજી અદ્ધર રહી ગયાં હતાં અને આ મંદિર પ્રતિમાજી પધરાવવા માટે જ રાજાએ બાંધ્યું હતું, પણ રાજાના અભિમાનથી ભગવાન ને પધારવાને લીધે અત્યારે ખાલી છે.” આ વાત બીજી રીતે જોતાં પણ સારી રીતે મળી રહે છે. કેટલાક યુરોપિયન અધિકારીઓએ વરાડમાં બધે પ્રવાસ કરી જાતે જોઈને, વરાડના શિલ્પ સ્થાપત્યે વિષે લખ્યું છે, તેમજ વરાડના ઈતિહાસકારોએ પણ વરાડનાં શિ૯૫કામે વિષે લખ્યું છે. તેમણે વરાડ દેશનાં સુંદરતમ અને પ્રાચીનતમ શિલ્પસ્થાપત્યમાં શિરપુર ગામની બહાર બગીચામાં આવેલા ઉપર જણાવેલા આપણા જૈનમંદિરને પણ વર્ણવ્યું છે. સાથે સાથે તેમની શિલ્પશાસ્ત્રના ઐતિહાસિક અભ્યાસને આધારે એ પણ કલ્પના છે કે “શિરપુરનું આ મંદિર લગભગ એક હજાર વર્ષ જૂનું હોવું જોઈએ.” પદ્યાવતી દેવીના કથન પ્રમાણે સં. ૧૧૪૨ માં રાજાએ આ મંદિર બંધાવ્યું છે. તે જોતાં શિલ્પશાસ્ત્રીઓનું સ્વતંત્ર અનુમાન અને પદ્માવતી દેવીનું કથન બંને પરસ્પર મળી રહે છે. ઘણાખરા યાત્રાળુઓને આ બહારના મંદિરની ખબર જ હતી નથી, તેથી અત્યારે જ્યાં અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાન બિરાજે છે ત્યાં જ Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનને પધરાવવા માટે રાજાએ બંધાવેલું મૂળ જિનાલય (જેમાં ભગવાન પધાર્યા ન હતા.) બગીચામાં આવેલ પ્રાચીન મંદિર આ મંદિર બાંધવામાં ઈંટ, ચુના, માટીનો જરા પણ ઉપયોગ કર્યો નથી. પત્થરોને એકબીજા સાથે કળાપૂર્વક જોડી દેવામાં આવ્યા છે. ફેટામાં મંદિર ઉપર જે ઇંટવાળા ભાગ દેખાય છે તે ભાગ મદિરતા મળ પત્થરવાળા ભાગ તૂટી જવાથી પાછળથી રીપેર કરવામાં આવેલા છે. તે Page #47 --------------------------------------------------------------------------  Page #48 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ [33] દર્શોન કરીને પાછા ફરે છે, પરંતુ પ્રત્યેક યાત્રાળુએ બહાર બગીચામાં આવેલા મંદિરને જોવા જવા જેવું છે. પદ્માવતીદેવીએ જે જણાવ્યું છે કે-ગુજરાતદેશના કણ રાજાએ જેમને ‘મલધારી ’ બિરુદ આપ્યુ હતુ અને દેવીની જેમને સહાય છે એવા સ`શાસ્ત્રવિશારદ શ્રી અભયદેવસૂરિ કે જેઓ ખ ંભાતથી સંઘ લઇને કુલપાકજીતીના માણિકયદેવની યાત્રા કરવા માટે નીકળ્યા હતા અને દેવિગિર(ઢોલતાબાદ)માં આવ્યા હતા. તેમની પાસે મંત્રી મેાકલીને વિન ંતિ કરીને રાજાએ શિરપુરમાં તેમને પધરાવ્યા હતા. અને તેમના (મંત્રાદિ) પ્રભાવથી પ્રતિમાએ આકાશમાંથી ઉતરીને પોતાની મેળે ચાલીને સ ંઘે બંધાવેલા મંદિરમાં પ્રવેશ કર્યાં હતા’ આ વાત પણ સંગત થાય છે. વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ, અનુયોગદ્દારસૂત્રવૃત્તિ આદિ ગ્રંથાના કર્યાં, તથા સિદ્ધરાજ જયસિંહની રાજસભામાં (અણહિલપુર પાટણ ) પણ જે મહાવિદ્વાન તરીકે ગણાતા હતા તે સુપ્રસિદ્ધ આચાર્ય - પ્રવરશ્રી મલધારી હેમચંદ્રસૂરીશ્વરજીનાં મલધારી શ્રી અભયદેવસૂરિજી ગુરુ થતા હતા મલધારી શ્રી હેમચંદ્રસૂરિજીની ટીકા આદિ ગ્રંથાની જૈનપર પરામાં એક સરખી પ્રશંસા થતી આવી છે. તેમણે એ ગ્રંથાની પ્રશસ્તિઓમાં તેમના ગુરુશ્રી અભયદેવસૂરિજીનુ જે વર્ણન કર્યુ છે, તથા કેટલાક સમય પછી થયેલા મલધારી શ્રી રાજશેખરસૂરિજીએ ( સ. ૧૩૮૭ માં ) રચેલી પ્રાકૃત દ્વાશ્રયવૃત્તિમાં તથા અન્ય ગ્રંથામાં જે વર્ણન જોવામાં આવે છે તે જોતાં શ્રી અભયદેવસૂરિજીની મહાન શાસનપ્રભાવકતાનેા ખ્યાલ સહેજે આવી શકે તેમ છે. ગુજરાતના કણ રાજાએ તેમને તીવ્ર મલપરિષહુ જોઇને મલધારી ' ખિરુદ આપ્યાની વાત ઘણાયે પ્રાચીન ગ્રંથૅમાં વર્ણવેલી છે. श्रीगुर्जरेश्वरो दृष्ट्वा तीव्रं मलपरीषहम् । श्रीकर्णो बिरुदं यस्य मल : Page #49 -------------------------------------------------------------------------- ________________ [૩૪] શ્રી અંતરિક ધા ચશોષયત | આ કર્ણરાજા સિદ્ધરાજ જયસિંહને પિતા થતું હતું. એટલે વિક્રમની બારમી સદીના લગભગ પૂર્વાર્ધની આ બધી વાત છે. એટલે સં. ૧૧૪૨ માં માલધારી અભયદેવસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવ્યાની વાત સમયની દષ્ટિએ જોતાં સંપૂર્ણ મેળ ખાય છે. પદ્માવતીદેવીએ વિક્રમ સંવત ૧૧૪૨ ના મહા સુદ ૫ ને રવિવારના દિવસે અંતરિક્ષજીની અભયદેવસૂરિ મહારાજને હાથે પ્રતિષ્ઠા કર્યાનું જણાવ્યું છે. ગણિતશાસ્ત્રની દષ્ટિએ તે દિવસે બરાબર રવિવાર આવે છે. , અભયદેવસૂરિ મહારાજે ભગવાનના ડાબે હાથે અધિષ્ઠાયક શાસનદેવતાની સ્થાપના કર્યાની 'જે વાત પદ્માવતીદેવીએ જણાવી છે તે પણ સંગત થાય છે. અત્યારે જ્યાં શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાન બિરાજે છે તે જ મંદિરમાં એક બીજું પણ નાનું ભેંયરું છે. તેમાં એક ઓટલા જેવી ઊંચી બેઠક છે તેના ઉપર ભગવાન પહેલાં વિરાજમાન હતા એમ માનવામાં આવે છે. આ બેઠકની બરાબર ડાબા હાથે જ અધિષ્ઠાયક દેવની સ્થાપના છે કે જે માણિભદ્ર નામથી ઓળખાય છે. આના ઉપર અત્યારે સિંદૂર ચડેલું છે એટલે મૂલસ્થાને ભગવાન વિરાજમાન હતા ત્યારે ડાબા હાથે જ અધિષ્ઠાયક દેવની સ્થાપના હતી તે વખતે ભગવાન પશ્ચિમાભિમુખ હશે. આ બેઠક ઉપર પણ માણિભદ્ર નામે ઓળખાતા અધિષ્ઠાયક દેવની બીજી સ્થાપના છે કે જે ભગવાનને ત્યાંથી ફેરવ્યા પછી કરવામાં આવી હશે. અત્યારે નવા સ્થાને ભગવાન પૂર્વાભિમુખ છે. મૂલ મંદિર નાનું હોવાથી દેવની સૂચનાથી ભાવવિજયજીએ ઉપદેશ કરી શ્રાવકે પાસે નવું મંદિર બંધાવ્યાની વાત પણ બરાબર છે, કારણ કે જ્યાં પહેલાં પ્રતિમા વિરાજમાન હતી અને Page #50 -------------------------------------------------------------------------- ________________ પાશ્વનાથ [૩૫] જેને ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યું છે તે ભેંયરું (માણિભદ્રજી વાળું) એટલું બધું નાનું છે કે મુશ્કેલીથી તેમાં દશ માણસે ઊભા રહી શકે. આ બંને નાનાં મોટાં મંદિર વસ્તુત: એક જ મંદિરનાં બે ભેંયરાં છે અને એક ભેંયરામાંથી બીજા ભેંયરામાં જઈ શકાય છે. ભાવવિજયજી ગણીએ નવા મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા કરી ત્યારે ભગવાન એક આંગળ અદ્ધર જ રહ્યા આ વાત પણ બરાબર છે. અત્યારે ભગવાન એક આંગળ જેટલા બરાબર અદ્ધર છે જ. ભાવવિજ્યજી ગણિએ પૂર્વાભિમુખ ભગવાનની સ્થાપના કરી એ પણ બરાબર જ છે. અત્યારે પૂર્વાભિમુખ જ વિરાજે છે. ભાવવિજયજી ગણિએ તેમના ગુરુ વિજ્યદેવસૂરિના જે પગલાંની સ્થાપના કરી હતી તે પગલાં માણિભદ્રજીવાળા ભોંયરામાં અત્યારે પણ વિદ્યમાન છે જ. શ્રી ભાવવિજયજી ગણિને જેમની ઉપાસના-સ્તુતિ-ભક્તિ કરતાં ચાલી ગયેલી આંખે પણ પ્રાપ્ત થઈ તે શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનને અપૂર્વ અને અદ્ભૂત મહિમા આજે પણ એટલે જ તેજસ્વી અને જાગતે છે. આ રીતે અનેકાનેક વાતે મળી રહેતી હોવાથી શ્રી ભાવવિજયજીગણિએ રચેલું સ્તુત્ર શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના ઇતિહાસમાં અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ભાવવિજયજીએ ગુજરાતી ભાષામાં પણ ૫૦ કડીનું એક શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથસ્તોત્ર રચ્યું છે. આમાં ભગવાનની સ્તુતિ અને મહિમાનું વર્ણન છે. ઐતિહાસિક દષ્ટિએ વિશિષ્ટ કંઇ સેંધવા જેવું નથી. Page #51 -------------------------------------------------------------------------- ________________ [૩૬] શ્રી અંતરિક્ષ તીર્થમાલા આ પછી શ્રીશિવવિજયજીના શિષ્ય મુનિ શ્રી શીલવિજયજીએ સં. ૧૭૪૬ માં રચેલી તીર્થમાળાનું સ્થાન આવે છે. આ મુનિરાજે પૂર્વ, પશ્ચિમ ઉત્તર તથા દક્ષિણ એમ ચારે દિશાઓમાં ખૂબ ખૂબ દૂર સુધી વિહાર કરીને તીર્થમાળા બનાવી છે. સં. ૧૭૨૧ થી ૧૭૩૮ સુધી દક્ષિણ દેશમાં વિચારીને તીર્થયાત્રા કર્યાનું તેઓએ લખ્યું છે. તેઓ નર્મદા નદી ઓળંગીને દક્ષિણ દેશમાં આવીને માંધાતા, ખંડવા, બુરાનપુર (ખાનદેશ) તથા મલકાપુર થઈને દેવળઘાટ ચડીને વરાડમાં દાખલ થયા હતા અને અંતરિક્ષની યાત્રા કરી હતી. તીર્થમાળાની ત્રીજી ઢાળની ૧૪મીથી ૧૯ મી. સુધીની ૬ કડીઓમાં તેમણે અંતરિક્ષજીને બહુ સંક્ષિપ્ત ઈતિહાસ વર્ણવે છે. તેમાં રાવણના બનેવી ખરદ્દષણનું અને એલગરાયનું નામ છે તેમજ પહેલાં પ્રતિમા નીચેથી ઘેડેસ્વાર જતે હતે પણ અત્યારે દેરા જેટલું અંતર છે એમ જણાવ્યું છે. બીજું કઈ વિશિષ્ટ નથી. આ પછી લલિતચંદજીના શિષ્ય વિનરાજે સં. ૧૭૩૮ માં રચેલું એક અંતરિક્ષજીનું સ્તવન છે તેમાં પણ ખરદૂષણ અને એલિચપુરના એલિચરાજાનું સંક્ષિપ્ત કથાનક જ છે. ઐતિહાસિકદષ્ટયા વિશિષ્ટ કંઈ નથી. શ્રી જિનચંદ્રસૂરિત સ્તવન આ પછી સિદ્ધપુર(ગુજરાત)થી સંઘ લઈને આવેલા શ્રી જિનચંદ્રસૂરીશ્વરજીએ સં. ૧૮૫૫ નાં ફાગણ વદ ૧૨ ને દિવસે બનાવેલું ૯ કડીનું ગુજરાતી સ્તવન મળે છે. તેમાં અંતરિજીનું સંક્ષિપ્ત કથાનક છે. વિશિષ્ટ કંઈ નથી. અંતરિક્ષ ભગવાનને માત્ર નામે લેખ તે ઘણાયે આપણા પ્રાચીન-અર્વાચીન લખાણમાં છે કે જે પછી આપવામાં આવશે. Page #52 -------------------------------------------------------------------------- ________________ [૩૭] પાશ્વનાથ પ્રાચીન જૈનેતર સાહિત્યમાં મળતો ઉલ્લેખ આ તે જૈન સાહિત્યમાં મળતા ઉલ્લેખની વાત થઈ, પરંતુ ઘણા જ આનંદની વાત છે કે જેનેતર સાહિત્યમાં પણ આજથી લગભગ ૬૪૦ વર્ષ પહેલાંને શ્રીપુરના અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના સંબંધમાં ઉલ્લેખ મળી આવે છે. મહારાષ્ટ્ર અને વરાડ( વિદર્ભ)માં “મહાનુભાવ પંથ નામને એક હિંદુ સંપ્રદાય ચાલે છે. આ સંપ્રદાયનું પ્રાયઃ તમામ સાહિત્ય પ્રાચીન મરાઠી ભાષામાં જ રચાયેલું છે. પ્રાચીન ગુજરાતી ભાષાના સાહિત્યને ખજાનો જેમ ગુજરાતના જેને પાસે જ છે તેમ પ્રાચીન મરાઠી સાહિત્યને ખજાને મહાનુભાવપંથમાં જ છે વિકમની ચૌદમી સદીમાં થયેલા આ સંપ્રદાયના ધર્મગુરુઓને એક સંવાદ યવતમાલ(વરાડ)ની “સરસ્વતી પ્રકાશન નામની સંસ્થા તરફથી ઈસ્વીસન ૧૯૦૯ માં પ્રકાશિત થયેલા ] મહાનુભાવપંથના સંસ્કૃતિ નામના ગ્રંથમાં વૃાવાર નામના વિભાગમાં ૧૬ મી કંડિકા (પેરેગ્રાફ)માં છપાયેલે છે. તેમાં નીચે મુજબ ઉલ્લેખ છે. कवीश्वरां हरगर्व भटी उग्द्रहणिके कवीश्वरीं आनोबास પ્રાર– हरगर्व ते विद्वांस. एक म्हणति राक्षसभुवनिचे एकु दिस ते कविस्वरासि भेटले थोरि उघानि केली, परि बोधुभेद अव. भेद नोंच ते वाराणसि जात होतें हरगवींदम्हणितलें-आतांचि येवेळे चर्चा असों देवो. मग मागुतें तुमचे दर्शन घेउनि कवीस्वरबासी म्हणितलें- हो कां जाल तरि पारिसनाथाचेया श्रीपुरावरुनि जा तेथ आमुचे गुरुभाउ आनोबा असति, तयांसि भेटावे मग सामोरे जावें' तेव्हेळि ते श्रीपुरासि आले. आनोરાણી જ્ઞાી. તે ૨૬ (ભૂતિથ૭. વૃદ્ધાવા. . ૨૬) Page #53 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮ ] * શ્રી અ`તરિક્ષ “ કવીશ્વર અને હરગવ ભટના વાદિવવાદમાં કવીશ્વરે આનેમાને પ્રકાશિત કર્યો. હરગ વિદ્વાન હતા કેટલાક કહે છે કે તે રાક્ષસભુવનના વતની હતા. એક દિવસ તે કવીશ્વરને મળ્યા. થેડી ચર્ચા થઇ, પરંતુ ( કવીશ્વર વ્યાસની) વાત (હરગના) ગળે ન ઉતરી. તે (હરગČ) વારાણસી-કાશી જતા હતા. હરગવે કહ્યું કે- અત્યારે અત્યારની ચર્ચા કરવા દો. કાશીથી આવીને પછી તમને મળીશ.' કવીશ્વર વ્યાસે કહ્યુ` કે– ઠીક. પણ જાએ। તા પારસનાથના શ્રીપુર ઉપર થઇને જો. ત્યાં અમારા ગુરુભાઈ. આનેાખા છે તેમને મળજો અને પછી આગળ જજો.' પછી તે (હરગ પૉંડિત ) શ્રીપુર (શિરપુર) આવ્યા. આને ખાને મળ્યા. આ પછી વૃદ્ધાચારના ૧૬ મા પેરેગ્રાફના ખાકીના ભાગમાં આનાબા અને હુરગ પંડિતના વાદ થયાનું, આનેાખાની યુક્તિએ હરગ ને ગળે ઉતર્યાંનું, કાશી જવાનું બંધ રાખીને હરગ અને આનેમા આષ્ટીમાં કવીશ્વર વ્યાસ પાસે ગયાનુ તેમજ ત્યાં જઇને હરગવે આનેમાના શિષ્ય થયાનુ વર્ણન છે. મહાનુભાવપથના સાહિત્યમાં મળતા ખીજા અનેક ઉલ્લેખા ઉપરથી સિદ્ધ થાય છે કે આનામા અને હરગવ (ઉર્ફે હયગ્રીવ, હિરણ્યગર્ભ, હરખા,) વિક્રમની ચૌદમી સદીમાં વિદ્યમાન હતા અને હરગ ભટે વિક્રમ સ’. ૧૩૬૬ માં આનેાખા(ઉર્ફે ગોપાળપ ંડિત)નુ શિષ્યપણું સ્વીકાર્યું" હતુ એટલે ઉપર જણાવેલે વાર્તાલાપના પ્રસંગ વિ. સ. ૧૩૬૯ માં બન્યા હતા. જૈનેતર સાહિત્યમાં આ પ્રાચીન ઉલ્લેખનું મહત્ત્વ એ દૃષ્ટિએ છે કે-આ તીની અને આ મૂર્તિના પ્રભાવની પ્રસિદ્ધિ માત્ર નેામાં જ નહીં પણ જૈનેતરોમાં પણ સેંકડો વર્ષો પહેલાં પ્રસરેલી હતી. શિરપુરથી સેંકડો માઈલ દૂર વસતા જૈનેતામાં પણ આ ગામ ‘પાર્શ્વનાથના શિરપુર' તરીકે ઓળખાતુ હશે Page #54 -------------------------------------------------------------------------- ________________ પાશ્વનાથ [૩૯] ત્યારે આ મૂર્તિને ચમત્કાર તથા પ્રભાવ કેટલે બધે વિખ્યાત હશે એની કલ્પના સ્વયં જ કરી લેવા જેવી છે. એક નાનું તણખલું પણ અદ્ધર રહી શકતું નથી, ત્યારે ફણું સુધી ૪૨ ઇંચ ઊંચી મૂર્તિ બીલકુલ અદ્ધર રહે એ ભલભલાને પણ નવાઈ ઉપજાવે એમાં શું આશ્ચર્ય છે? અર્ધ પદ્માસનાવસ્થ મૂર્તિ આ પુસ્તકના પ્રથમ ભાગમાં છપાયેલા શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના ફેટામાં વાચકોએ જોયું જ હશે કે આ મૂર્તિ અર્ધ પદ્માસનાવસ્થ છે ડાબા પગ ઉપર જમણો પગ છે. આવી અર્ધ પાસનાવસ્થ મૂર્તિ ડભેઈમાં શ્રી લઢણ પાર્શ્વનાથ ભગવાનની તથા ભાદક (જિલ્લા ચાંદા, તાલુકા-વરેરા, મધ્યપ્રદેશ) તીર્થમાં વિરાજમાન પાર્શ્વનાથ ભગવાનની (ઊંચાઈ મસ્તક સુધી ૫૦ ઈંચ, ફણે સુધી ૬૦ ઇંચ) અમારા જેવામાં આવી છે. કુપાક તીર્થમાં પણ અર્ધપવાસનાવસ્થ મૂર્તિઓ વિરાજે છે. વાળની પ્રતિમા એક વાત ધ્યાનમાં રહે કે આ પ્રતિમા વાળુની કિંવા છાણવાળની બનાવેલી છે, એ વાત આપણે પરંપરાથી તે ચાલી આવે છે જ. અને તેથી વેતાંબરે અવારનવાર લેપ પણ કરાવે છે. પરંતુ આ તીર્થના વહીવટ અને માલિકીના દિગંબર–વેતાંબર વચ્ચે ચાલેલા ઝઘડા વખતે દિગંબરોએ કેર્ટમાં એ જાતની રજુઆત કરી હતી કે આ મૂર્તિ પાષાણની જ છે. ત્યારે આકેલા કેર્ટમાં કેસનો ચુકાદો આપનાર એડિશનલ જજ શ્રી આર. વી. પરાજપએ (તારીખ ૧૮-૩-૧૯૧૭) અંતરીક્ષજી જઈને જાતે તપાસ કરી હતી. તેમણે પણ ત્યાં લેપ ઉખડી ગયે હતું તે ભાગ ઉપર હાથે તેમજ નખ ફેરવતાં રેતી ખરવાથી આ મૂર્તિ રેતી. મિશ્રિત વસ્તુની બનેલી છે એ જ અભિપ્રાય આપે છે. જો Page #55 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦ ] શ્રી અ’તરિક્ષ Inspection note by the Additional District Judge "After carefully examining the body on the parts thus scraped to ascertain the kind of material out of which the idol was made originally, I came to the conclusion that this idol could not have been originally made of stone, but of some sand-mixed material. For this inquiry, I repeatedly moved my hand and even scraped the surface at those places with my nails and my opinion was confirmed. Thus the necessity of plaster for this idol is obvious. 27-3-1938. 11 R. V. Paranjpe, Additional District Judge, Akola [ R. P. P. C, I, પાનુ ૨૪૧) ( આ મૂર્તિ કઇ વસ્તુમાંથી બનાવવામાં આવી છે એ જાણી લેવા માટે મે મૂર્તિના અંગ ઉપર કાળજીપૂર્વક હાથ ફેરવી જ્યાં મૂર્તિને ખરડી કાઢવામાં આવી હતી ત્યાં નખથી પણ ખાતરી જોયુ તેથી મારી ખાત્રી થઇ છે કે, આ મૂર્તિ પત્થરમાંથી ઘડાએલી નથી. પણ રેતીમાં બીજો કોઇ પદાર્થ મેળવીને બનાવવામાં આવી છે. એ ચેાક્કસ ઠરાવવા માટે મે નખવડે વારવાર મૂર્તિ ઉપર ઘસી જોયુ હતુ. આ મૂર્તિ ઉપર લેપ કરવાની ખાસ જરૂર છે એવી મારી ખાત્રી થઇ છે. ) ઉપરના અનેક ઉલ્લેખાથી સિદ્ધ થાય છે કે આ તીમાં સેકડા વર્ષાથી શ્વેતાંખર મુનિએનુ યાત્રાર્થે આગમન ચાલુ જ છે તેમજ શ્રાવકાનુ` પણ આગમન ચાલુ જ છે. છેલ્લા ભાવવિજયજી ગણિના સ્તાત્રથી પણ ખીલકુલ સ્પષ્ટ છે કે-આ મંદિર શ્વેતાંઅરાએ જ ખંધાવ્યું છે, તેમજ પ્રતિષ્ઠા આદિ પણ શ્વેતાંબરાના Page #56 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ [૪૧] હાથે જ થયું છે. વેતાંબરની માલિકી સિવાય આ વાત કદાપિ ન જ બની શકે. આકોલા કોર્ટના ન્યાયાધીશ R. V. Paranjpe એ બીજા અનેક પુરાવા સાથે શાસ્ત્રીય પ્રમાણને પણ ધ્યાનમાં લઈને જજમેન્ટમાં આ મૂર્તિને વેતાંબરી જ ઠરાવી છે. જુઓ – Thus all this printed matter which originated from the Shwetambar writers show that the idol was a Shwetambar one and not Digambar. આ તીર્થમાં પૂજા વગેરે કરવા માટે જૂના વખતમાં આપણું લેઓએ શિરપુરગામમાં વસતા મરાઠાઓને પૂજારી તરીકે રાખ્યા હતા કે જે પલકને નામે ઓળખાય છે. મંદિરમાં જના વખતથી પેઢી પણ રહેતી હતી અને ચેપડા તથા આંગી, ચક્ષુ, ટકા વગેરે આભૂષણે પણ રહેતાં હતાં. વિ. સં. ૧૮૪૫ થી માંડીને તે પછીના કાળના હિસાબી ચેપડાઓ પણ મળે છે. ત્યાં શિરપુરગામમાં આપણી વસ્તી ન હોવાને લીધે નજીકમાં જ વરામાં રહેતા તથા ખાનદેશમાં રહેતા શ્રાવકે તે તે સમયે અવારનવાર અહીં આવતા જતા હતા અને દેખદેખ રાખતા હતા. હિસાબ વગેરે તપાસી લેતા હતા. તેમાં બાલાપુર(વરાડ)ના શા. પાનાચંદ નથુસા તેમના પુત્ર શા હોંશીલાલ પાનાચંદ, શા. હોંશીલાલ વલલભદાસ, તેમના ચિરંજીવ શા. પંજાસા હૌશીલાલ તથા તેમના ચિરંજીવ શા. કિમનચંદ પુજાસા તથા ખાનદેશમાં અમલનેરના શા હીરાચંદ ખેમચંદ રધુનાથદાસ, ધુલીયાના શા. સખારામ દુલભદાસ તથા યેવલાના શા. લાલચંદ અંબાઈદાસ અને શા. કલ્યાણચંદ લાલચંદ વગેરે શ્રાવકે મુખ્યતયા તે તે સમયે વહીવટ સંભાળતા હતા. Page #57 -------------------------------------------------------------------------- ________________ [૪૨] શ્રી અંતરિક્ષ પિલકરોનાં સમયમાં પણ ઉપર મંદિરના ચેકમાં વિરાજમાન વિજદંડ કે જે ચાંદીના પતરાંથી મઢેલો છે તેના ઉપર પણ વેતાંબરનું નામ કતરેલું છે તે ધ્યાન ખેંચનારું છે– संस्थान शिरपुर अंतरिक्ष महाराज बापुसा नागोसा सावजी साकळे ओसवाल सितंबरी हस्ते पद्या बाई, दुकान कलमनूरी, सन १२८९ मिती चैत्र शुद्ध १० કલમનૂરી ગામ અંતરિક્ષથી દક્ષિણે લગભગ ૫૦ માઈલ દૂર નિજામ રાજ્યમાં આવેલું છે. અત્યારે ત્યાં વેતાંબરની વસ્તી પણ છે જ. વિગેલીથી ૨૦ માઈલ પૂર્વદિશામાં છે. નિજામના મુસ્લિમ રાજ્યમાં ફસલી સન ચાલતું હોવાથી સન ૧૨૮૯ એટલે વિક્રમ સંવત ૧૯૩૫ સમજવાને છે. પરંતુ જેમને પૂજારી તરીકે નીમવામાં આવ્યા હતા, અને બ્રિટિશ સરકારે વરાડને કબજે લીધે તે પહેલાં હૈદ્રાબાદના મુસ્લિમ રાજ્યકર્તા નિજામનાં રાજ્યકાળમાં ચારેબાજુ અંધાધુંધીના વખતમાં તીર્થનું રક્ષણ કરતા હતા તે મરાઠા પલકરે જ પાછળથી તીર્થને દબાવી બેઠા હતા. ગામમાં દિગંબર શ્રાવકનાં પચાસ-પિણે ઘર છે, પણ તેમને તે ત્યાં કંઈ અધિકાર જ ન હતે. માત્ર દર્શન વગેરે માટે આવતા હતા. વેતાંબરે જ વહીવટ હતો, પણ તે દૂર વસતા હોવાથી અને જવા આવવાના સાધને જૂના જમાનામાં બહુ મર્યાદિત હોવાથી પિલકરે ધીમે ધીમે ઉદ્ધત થઈ ગયા હતા, કેઈને દાદ દેતા ન હતા, અને તીર્થ પિતાની જ માલિકીનું હોય તેમ માની લઈને વર્તતા હતા. આથી તેમના હાથમાંથી તીર્થ છોડાવવા માટે વેતાંબરેએ દિગંબરેનો સહકાર સાધીને વાસિમની કેટેમાં પોલક સામે ફોજદારી કેસ દાખલ કર્યો. વિ. સં. ૧૯૫૯ (ઇસ્વીસન ૧૦-૯-૧૯૩)માં તેને Page #58 -------------------------------------------------------------------------- ________________ પાશ્વનાથ [૪૩] ચુકાદો આવ્યો અને તીર્થ જેનેને તાબામાં આવ્યું. આ બધા કાર્યમાં આગેવાની ભાળ વેતાંબરેએ ભજવ્યું છે. આકેલા કેર્ટના ન્યાયાધીશે પણ અનેક પુરાવાઓથી સિદ્ધ કરીને, “વેતાંબર જ વહીવટ કરતાં હતાં, દિગબરેને કશે અધિકાર ન હતો એ જ અભિપ્રાય ચુકાદા(જજમેન્ટ)માં આપે છે જુઓ The whole evidence therefore clearly proves that the Shwetambaris managed the affairs of the Sansthan ( 97277=ud) practically all alone till Samvat 1956 ( ભંવત ૧૬૬) as alleged by them uninterruptedly and that before that period the Digambaris have hardly any hand in the management [R, P. P. C. I. પાનું ૨૭૬] . પિલકરો સાથે છેવટે એ જાતનું સમાધાન કરવામાં આવ્યું કે તેમના તરફથી ચાર માણસે મંદિરમાં ઝાડઝુડ, સફાઈ પાછું લાવવું વગેરે કામ કરે અને બદલામાં આપણું તરફથી તેમને ૨૬૧ રૂપીઆ પ્રતિવર્ષ આપવામાં આવે. ભગવાન પાસે જે કંઈ ફળ-નૈવેદ્ય–અક્ષત ધરવામાં આવે તે પણ તેમને મળે તેમ જ ભગવાન પાસે ૧ થી ૧૦ રૂપીઆ સુધી મૂકવામાં આવે તે પણ તેમને(પિલકને) જ મળે. ૧૦ રૂપીઆથી વધારે મૂકવામાં આવે તે પેઢીમાં જમા થાય.” આથી પ્રત્યેક યાત્રાળુઓએ ભગવાનની પાસે નાણું ન ધરતાં પેઢીમાં ભરાવવું એ જ ઈચ્છનીય છે એ વાતનો ખ્યાલ રાખવે. વેતાંબર અને દિગંબરેએ સંયુક્ત થઈને તીર્થને લિકરોના તાબામાંથી છેડાવ્યું. પછી દિગંબરની પૂજાવિધિ બહુ જુદી Page #59 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪ ] શ્રી અંતરિક્ષ હાવાને લીધે પરસ્પર ઘણુ- અથડામણુ ન થાય તે માટે અને પક્ષના લગભગ હજારેક જેનેાની એક મીટિંગ વિ. સં. ૧૯૬૧ (ઇસ્વીસન-૧૯૦૫)માં શિરપુર મળી ત્યાં શ્વેતાંબરે એ દિગ અને સાષવા માટે તેમની સાથે મળીને અને પક્ષના લેાકેાને નિયત સમયે વારા પ્રમાણે પોતપોતાની વિધિ પ્રમાણે પૂજા કરવાના નિયમ દર્શાવતુ પૃ. ૪૫ ઉપર આપેલ છે તે પદ્ધતિ મુજબ ટાઇમટેબલ તૈયાર કર્યુ.. * ઉપરાંત એવા પણ નિયમ ઘડવામાં આવ્યે કે શ્વેતાંબરાના પ ણુ–પ ના દિવસેામાં શ્રાવણ વદ ૧૦ થી ભાદરવા શુદ ૪ સુધી દિગબરાએ સવારના ૬ થી ૯ સુધી ત્રણ કલાક જ પૂજા કરવી. બાકીના ૨૧ કલાક શ્વેતાંબર જ કરે. તે જ પ્રમાણે દિગઅરાના દશલક્ષણી (પર્યુષણ) પત્રના ભાદરવા શુદ પ થી અનંતચતુર્દશી-ભાદરવા શુદ ૧૪ સુધીના ૧૦ દિવસોમાં શ્વેતાંબરાએ સવારના ૬ થી ૯ સુધી જ પૂજા કરવી અને બાકીના ૨૧ કલાક દિગંખરાએ કરવી. કોઇપણ પક્ષના લેાકેાને ગમે ત્યારે દર્શન કરવા જવાની છૂટ છે. ત્યાર પછી બીજે વર્ષે સ. ૧૯૬૨ માં કારજામાં બંને પક્ષની મીટિંગ મળી અને તેમાં એવા સુધારો કરવામાં આવ્યા કે આસે। વદ ૧૪ના દિવસે વેતાંબરાએ સવારના ૬ થી ૯ સુધી જ પૂજા કરવી. બાકીના ૨૧ કલાક દિગ ંબરવિધિ પ્રમાણે તેમ જ આસે। વદ અમાવાસ્યાને દિવસે સવારમાં ૬ થી ૯ કિંગ'બર વિધિ પ્રમાણે અને માકીના ૨૧ કલાક શ્વેતાંખર વિધિ પ્રમાણે પૂજા વગેરે કરવુ. આ ટાઇમટેબલ અત્યારે પણ તે જ પ્રમાણે ચાલુ છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનના તીર્થમાં વેતાંબર તથા દિગંબરે પૂજન નિયત સમય દર્શાવતું ટાઈમ ટેબલ પાશ્વનાથ દિવસ સવારે ૬ થી ૮ ૯ | ૯થી ૧૨ ૧૨થી ૩ ૩ થી ૬ થી , ૮થી ૧૦ થી ૧૨થી ૨ ૨ થી ૪ ૪થી ૬ દિ | વે| દિ. | દિ| Pવે. | દિવ્ય ગુરુવાર શ્વેતાંબર શુક્રવાર દિગંબર શનિવાર તાંબર રવિવાર દિગંબર સેમવાર શ્વેતાંબર મંગળવાર દિગંબર બુધવાર શુદ વેતાંબર બુધવાર વદ | દિગંબર ન હ ક હ ર હ ? હું 2] || દિવ ૦િ દિ| ક | દિવ | - [ Page #61 -------------------------------------------------------------------------- ________________ [ ૪ ] શ્રી અ* ત રિક્ષ પરંતુ દિગંબરભાઇઓને આટલાથી પણ સંતાષ ન થયા. શ્વેતાંબરાના બધા જ અધિકાર પડાવી લેવાની તેમની મનોવૃત્તિ થઇ અને તેમણે પડદા પાછળ ચાલબાજી શરૂ કરી. જ્યારે જ્યારે અંતરિક્ષ ભગવાનના લેપ ઘસાઇ જાય ત્યારે શ્વેતાંબરો ફ્રીથી લેપ કરાવતા હતા. પૂર્વના લેપ પ્રમાણે જ તેમણે સં. ૧૯૬૪ માં લેપ કરાવ્યા અને તેમાં કટિસૂત્ર (કંદોરા) અને કોટની આકૃતિ પણ પહેલાંની જેમ કરાવી હતી. દિંગ ખરેએ ગુપ્ત રીતે આવીને કટિસૂત્ર, કોટ વગેરે ભાગાને લેાતાના આજારાથી છેદી નાખ્યાંખાદી નાખ્યા. આ ભયંકર બનાવ સંવત ૧૯૬૪ના મહા શુદ્દી ૧૨ ને દિવસે (ઇસ્વી સન ૧૨-૨-૧૯૦૮) અન્ય. શ્વેતાંખરાની લાગણીને ભયંકર આઘાત પહેાંચ્યા. શ્વેતાંખર મત પ્રમાણે ચક્ષુ, ટીકા તથા આભૂષણુ ચડાવવામાં અને નવાંગી પૂજન કરવામાં પશુ કિંગ’બરા તરફથી અવરોધે નાંખવામાં આવ્યા. સમાધાનને મા જ ન રહ્યો. આથી છેવટે કટાળીને શ્વેતાંબરાએ આકેલા કોર્ટમાં ઇસ્વીસન ૧૯૧૦ ના ફેબ્રુઆરીની ૧૦ મી તારીખે દિવાની કેસ દાખલ કર્યાં. આ કેસ છેવટે ડેડ પ્રીવી કાઉન્સીલ સુધી પહોંચ્યા. અને ત્યાંથી સને ૧૯૬૯ માં ચૂકાદો આવ્યા ત્યાં સુધી ચાલ્યા આ પછી આ જ વરસે પૂજ્યપાદ સ્વર્ગસ્થ શ્રી ૧૦૦૮ સાગરજી મહારાજ મુંબઇથી અંતરિક્ષજીના સંઘ લઇને આવ્ય હતા તે વખતે પણ ઘણુ તોફાન થયુ હતું. આ બધા બનાવોથી શ્વેતાંબરાને ઘણા આઘાત પહોંચ્યા. છેવટે થાકીને તેમણે ઇસ્વીસન ૧૯૧૦ ના ફેબ્રુઆરીની ૧૧ મી તારીખે આકાલા જીલ્લાની કોર્ટમાં દિવાની કેસ દાખલ કર્યાં. શ્વેતાંબરા તરફથી શા. હૌશીલાલ પાનાચંદ (ખાલાપુર) શા કલ્યાણચંદ લાલચંદ (યેવલા) વિગેરે પાંચ જણ હતા. વિરુદ્ધમાં હેાનાસા રાસા વિગેરે ૨૨ જણુ સામે કેસ માંડવામાં આવ્યા હતા. શ્વેતાંબરો તરફથી Page #62 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ [ ૪૭ ] ધાર્મિક લાગણી દુ:ખવવા અદલ, લેપને નુકશાન કરવા બદલ તેમજ પેઢીની આવકને હાનિ પહેાંચાડવા વિગેરે અદલ રૂા. ૧૫૪૨૫ ના દાવા વિંગ ખરા સામે કરવામાં આવ્યા હતા અને શ્રી અંતરિક્ષજીની પ્રતિમા શ્વેતાંબર આમ્નાય પ્રમાણે જ છે, પ્રતિમાજીની પૂજા કરવાને વેતાંબરાને અબાધિત અને સંપૂર્ણ અધિકાર છે, તેમજ કચ્છેટ અને કટિસૂત્રવાળા લેપ કરવામાં અને ચક્ષુ-ટીકામુગટ વિગેરે આભૂષણ ચડાવવામાં હરકત કરવાના દિગબરાને કોઈ જ અધિકાર નથી એ જાતની કા પાસેથી માગણી કરવામાં આવી અર્થાત્ આ તીર્થ શ્વેતાંખરી જ છે એ જાતની જાહેરાત કેા પાસેથી માગવામાં આવી. આના સમર્થનમાં ૬૦૦ જેટલાં વહીવટી તથા શાસ્ત્રીય વિગેરે પુરાવા રજૂ કરવામાં આવ્યા. ૧ થી ૭ નખરના આરોપીએ ઉપર લેપ ખાદી નાંખવાના આરોપ મૂકવામાં આવ્યું. * ઉલટ પક્ષે દ્વિગ ખરા તરફથી બધા આરોપોના ઇન્કાર કરવામાં આવ્યા અને તેમણે પણ એવી જ માગણી કરી કે-આ તી સ`થા દિગ ંખરાનુ જ છે એવી કાટ જાહેરાત કરે. ઇસ્વીસન ૧૯૦૫ માં ટાઇમટેખલ કરીને દિગંબરાને પૂજા વગેરેમાં સમાન અધિકાર એક વખત આપીને હવે તી ના સર્વાધિકાર (Absolute Right) માગવાનેા શ્વેતાંબરાને અધિકાર નથી. આ જાતને તેમણે એસ્ટાપેલ ( અટકાવવા )ના કાયદો પણ ઉપસ્થિત કર્યાં. કે અન્ને પક્ષના પુરાવા તથા નિવેદનેાને તપાસ્યાં અને પક્ષની અનેક વ્યક્તિએની જુબાની લીધી. કમીશન નિમાયાં. અંતરિક્ષજીમાં જાતે જઈને તપાસ પણ કરવામાં આવી. છેવટે સન ૧૯૧૮ ના માર્ચની ૨૭ મી તારીખે આાલા કોર્ટના વધારાના ન્યાયાધીશે ( Additional District Judge) ૪૦ પાનાના લખાણ ચુકાદો આપ્યું. તેમાં તેમણે જણાવ્યુ કે તી Page #63 -------------------------------------------------------------------------- ________________ [૪૮] શ્રી અંતરિ ક્ષ અને મૂર્તિ ભવેતાંબરી જ છે, પરંતુ સન ૧૯૦૫ માં વેતાંબરોએ ટાઈમટેબલ કરતી વખતે રાજીખુશીથી દિગંબરેને પણ અધિકાર આપે હોવાથી હવે વેતાંબરેથી દિગંબરના અધિકારને ઇન્કાર કરી શકાય નહીં. લેપના સંબંધમાં ન્યાયાધીશે જણાવ્યું કેપહેલાં પણ જ્યારે જ્યારે લેપ કરવામાં આવ્યું હતું ત્યારે ત્યારે કટિસૂત્ર અને કોટને દેખાવ તેમાં કરવામાં આવતું જ હતું, એમ અનેક પુરાવાઓથી સિદ્ધ થાય છે. સંવત ૧૯૬૪ (ઈસ્વીસન ૧૯૦૮)ના લેપ વખતે તાંબરેએ તેમાં કંઈ પણ ઉમેર્યું હોય એમ હું ક્ષણવાર પણ માની શકતું નથી. આ જજમેન્ટને અનુસરતું હુકમનામું પણ સન ૧૯૧૮ ના એપ્રીલની બીજી તારીખે આપવામાં આવ્યું તેમાં મુખ્ય હકીકત નીચે મુજબ છે -- બંને પક્ષના લેકેએ સં. ૧૯૯૧ (સન ૧૯૦૫)માં થયેલા ટાઈમટેબલને વળગી રહેવું અને તેના નિયમેને પાળવા. પિતાના પક્ષમાં જે કંઈ નાણાંની આવક થાય તે અલગ અલગ એકઠી કરવાને બંનેને અધિકાર છે (લેપ ખેદી નાખ્યાની વાત સાચી હોવા છતાં) ક્યા માણસે લેપ ખેદી નાખે છે, એ વાતને વેતાંબરે સિદ્ધ કરી શક્યા ન હોવાથી નુકસાનીના બદલાની તેમની માગણી કાઢી નાખવામાં આવે છે વેતાંબરને તેમના સમય દરમિયાન ચક્ષુ-ટીકા-મુગટ-આંગી વગેરે રાખવાને હકક છે. તે જ પ્રમાણે દિગંબરેને પણ તેમના સમયમાં ચક્ષુ, ટીકા વગેરે સિવાય તેમની પદ્ધતિ પ્રમાણે પૂજા કરવાને અધિકાર છે. વેતાંબર મૂર્તિને લેપ કરાવે તેમાં તથા લેપમાં કંદરા-લગેટ વિગેરેને આકાર કાઢે તેમાં દિગંબરેએ જરા પણ હરકત નાખવી નહીં, પરંતુ તાંબરેએ કંદરા-કોટ વગેરેનાં ચિહ્ન એવાં આછાંપાતળાં કરવા કે જેથી દિગંબરની લાગણી દુદખાય નહીં 'મૂર્તિ અને મંદિર મૂળમાં તાંબરી હોવા છતાં અત્યારે વેતાંબરેની સર્વાધિકારની માંગણી નામંજૂર કરવામાં આવે છે.” Page #64 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ [ ૪૯ ] આ ચૂકાદાથી શ્વેતાંબર અને દિગંબર અને નારાજ થયા. કોઇને પણ સર્વાધિકાર મળ્યા નહીં. શ્વેતાંખરાને વહીવટ કરવાના પણ સંપૂર્ણ અને અબાધિત અધિકાર ન મળ્યું. લેપ કરવાને અને લેપમાં કચ્છેટ તથા કંદોરાની આકૃતિ કાઢવાના અધિકાર શ્વેતાંબરને અવશ્ય મળ્યો, પણ કોર્ટના હુકમ એટલે બધા અસ્પષ્ટ હતા કે કચ્છેટ અને કદારા વગેરેના આકાર કેટલે માટે કાઢવા એને સ્પષ્ટ ખુલાસા તેમાંથી મળતા ન હતા. * આથી મધ્યપ્રાંતના જયુડીશિઅલ કમીશ્નરની નાગપુરની કા'માં સને ૧૯૧૮ ના જુલાઇની ૧૫ મી તારીખે શ્વેતાંબરીએ અપીલ દાખલ કરી. ગિશ તરફથી પણ શ્વેતાંખરા સામે અપીલ (Cross-appeal) દાખલ કરવામાં આવી. આ અપીલને ચૂકાદા સને ૧૯૨૩ ના એકટોબરની ૧ લી તારીખે આવ્યે. ન્યાયાધીશ પી. એસ. કેાટવાલ તથા એફ. ડબલ્યુ. એ. પ્રીડા (Prideaux)–ખંનેએ મળીને આપેલા ૧૬ પાનાં જેટલા વિસ્તૃત ચૂકાદાના અંતમાં બધા પુરાવાની ફેરતપાસ કરીને જણાવ્યું કે k આ કેસમાં મુખ્ય પ્રશ્ન સ`પૂર્ણ માલીકીના નહીં પણ સંપૂર્ણ વહીવટના છે, તેથી શ્વેતાંબરાને વહીવટને જો સંપૂર્ણ અધિકાર આપવામાં આવે તે તેમને સતાષ થશે. લેપમાં કઠેરા અને કોટ વગેરેને આકાર કેવા કાઢવા એની નિશ્ચિત સૂચના આપવાની અમને જરૂર જણાતી નથી. ” મ ંદિર અને મૂર્તિ તા શ્વેતાંબરી જ કબૂલ રાખવામાં આવ્યા. કોર્ટનું હુકમનામુ નીચે પ્રમાણે છે. (અ) ‘શ્વેતાંબરાને મ ંદિર તથા મૂર્તિના વહીવટને સ ́પૂર્ણ અધિકાર આપવામાં આવે છે. કટિસૂત્રકોટ તથા લેપ કરવાના શ્વેતાંબરાને સંપૂર્ણ અધિકાર છે. તેમની પદ્ધતિ પ્રમાણે ચક્ષુ-ટીકામુગટ અને અન્ય આભૂષણા ચડાવવાના પણ તેમને અધિકાર છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ [ ૫૦ ] શ્રી અ`તરિક્ષ (A) સન ૧૯૦૫ માં થયેલા ટાઇમ-ટેબલની ગોઠવણ પ્રમાણે દિગંબરાને પણ તેમના સમય દરમિયાન ચક્ષુ ટીકા-મુગટ અથવા આભૂષણેાથી રહિત મૂર્તિની પૂજા કરવાનો અધિકાર છે. માત્ર તેમણે કચ્છાટ, કટિસૂત્ર તથા લેપને ન ખસેડવાં કે તે સ ંબંધમાં માથું મારવું નહીં. આ ચૂકાદાથી શ્વેતાંબરેશને અમુક પ્રકારના સંતાષ થયે, પણ દિગંબરા ઘણા જ નારાજ થયા તેથી તેમણે ઇંગ્લાંડમાંની પ્રીવી કાઉન્સીલમાં અપીલ કરી. આ અપીલને ચૂકાદો સન ૧૯૨૯ ના જુલાઇની ૯ મી તારીખે આવ્યે. પ્રીવી કાઉન્સીલે નાગપુર કોર્ટના ચૂકાદાને જ માન્ય રાખ્યું અને દિગબરની અપીલ કાઢી નાખી. તેમજ નાગપુરની કોર્ટમાં શ્વેતાંખીને જે ખર્ચ લાગ્યા હતા તે ખર્ચ અને પ્રીવી કાઉન્સીલમાં કેસ ચાલ્ય તે દરમ્યાન ઇંગ્લાંડમાં શ્વેતાંબરાને થયેલા ૬૮૯ પાઉન્ડ( લગભગ દશ હજાર રૂપિયા)ના ખર્ચે દિગ...ખરીએ શ્વેતાંબરાને આપવા એ જાતને પણ પ્રીવી કાઉન્સીલે હુકમ કર્યો. Their Lordships do this day agree humbly to report to Your Majesty as their opinion that this appeal ought to be dismissed and the decree of the Court of the Judicial Commissioner of the Central Provinces dated the Ist day of October 1923 affir med and that the petition for stay of execution ought to be dismissed. And in case Your Majesty should be pleased to approve of this report then Their Lordships do direct that their be paid by the Appellants to the Respondants their costs of this appeal incurred in Page #66 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ [૫૧] the Court of the said Judicial Commissioner and the sum of £. 689–3 s.-0. d. for their costs their of incurred in England. [ કીવી જાયનીઝનો રિપોર્ટ તા. ૬-૭–૧૧૨૫, ૯-૭-૧૨૯] અત્યારે આ વ્યવસ્થા અનુસાર જ બધે કારભાર ચાલે છે. વેતાંબરી સંપૂર્ણ રીતે વહીવટને સર્વાધિકાર ભોગવે છે. મંદિરમાં સુધારા-વધારા જે કંઈ કરવું હોય તે વિના ડખેલગીરીએ કરી શકે છે. સન ૧૯૦૫ નું ટાઈમ-ટેબલ માત્ર કાયમ રહ્યું છે અને તે પ્રમાણે દિગંબરભાઈઓને તેમની વિધિ પ્રમાણે તેમના સમયમાં પૂજા-અર્ચા કરવાનો અધિકાર મળે છે. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના તીર્થના વહીવટ તથા માલિકી વિગેરે ઉપર અધિકારના સંબંધમાં વેતાંબર તથા દિગંબર વચ્ચે ઘણા લાંબા સમય સુધી ચાલેલા કેસને અને વિવાદને ઉલેખ વિસ્તારથી આવી ગયું છે. આ કેસ ઠેઠ ઇંગ્લડની પ્રવી કાઉન્સીલ સુધી પહોંચ્યું હતું. અને ત્યાંને ચુકાદે ઈસ્વીસન ૧૨ ના જુલાઈની ૯મી તારીખે આવ્યું હતું, એ પણ જણાવાઈ ગયું છે. પ્રીવી કાઉન્સીલને એ ચુકાદ ઇંગ્લીશ ભાષામાં જ અક્ષરશ: નીચે મુજબ આપવામાં આવે છે. એને ભાવાર્થ પહેલા આવી ગયા હોવાથી ગુજરાતી અનુવાદ નથી કર્યો પ્રિવી કાઉન્સીલના ચૂકાદાની મૂળ કેપી Privy Council Appeal No 69 of 1927 Honasa Ramasa Lad Dhakad and others...... Appellants Kalyanchand Lalchand Patni Gujrathi and others... Respondents. . Vs Page #67 -------------------------------------------------------------------------- ________________ [42] શ્રી અંતરિક્ષ From:- . The Court of the Judicial Commissioner of the Central Provinces. Judgement of the Lords of the Judicial Committee of the Privy Council, delivered the 9th July, 1929. Present at the Hearing. Lord Blanesburgh. Lord Tomlin. Sir Lancelot Sanderson. ( Delivered by Lord Blanesburgh ) At Shirpur, in the District of Akola, there has stood for five hundred years and it may be for much longer, the Jain Temple of Antariksha Parasnath. The Jains are roughly ranged into two main divisions the Digambaris, represented in this suit by the appellants, and the Swetambaris, repre. sented by the respondents. One of the essential religious differences between the two is that Digambari idols are worshipped in a state of complete nudity, while the idols of the Swetambaris are revered draped and decorated with jewellery and ornaments. This deep-seated doctrinal or liturgical difference between these influential .sections of the Jain community lies at the root of the dispute which has ripened into this portentious litigation, Page #68 -------------------------------------------------------------------------- ________________ પાશ્વનાથ [ 43 ] In the temple at Shirpur there is an ancient idol, “ Shri Antariksha Parasnath Maharaj,” believed by the Swetambaris to be self-existent. The deity is held in deep veneration by them, also by the Digambaris. It has apparently been a subject of controversy time out of mind whether it is a Swetambari or a Digambari idol, and whether as originally existent it was covered at the waist by a tie or band carved out of the stone or sand of which it is composed-as the Swetambaris assert-or whether, it being apparently agreed that the private parts are not visible to the worshipper, this resulted not from any tie or band, or other physical covering but from the actual posture of the idol itself, as is the contention of the Digambaris. The Swetam. baris had been used from time to time to plaster the idol's body as a result of which that which was alleged by them to be a self-existent waist band had in the Digambari view been produced and the immediate occasion of the suit was that on the 13th February, 1908, the defendants 1 to 7, with other Digambaris acting in the interest of the sect, chiselled, as the plaintiffs alleged, by means of iron instruments, the alleged self-existent tie and waistband from the body of the idol and removed the plaster and erased the lines on its hands and ears, outraging thereby the religious feelings of the Swe Page #69 -------------------------------------------------------------------------- ________________ [48] શ્રી અંતરિક્ષ tambaris. For all this the plaintiffs claimed Rs. 15,003 as damages. But the scope of the suit was not limited to that claim.--. It became the medium for vindicating Swetambari pretensions ranging for beyond its immediate occasion. By their plaint the plaintiffs asserted that the property in and right of management of the entire temple was and always had been exclusively in the Swetambaris. On that footing they claimed substantive relief against the defendants as representing the 'Digambaris. And the defendants were not slow to take up the challenge so thrown down, for althougb from time to time objecting to the regularity of the suit during its progress in India, they joined, without regret apparently in this prolonged conflict, which, after nearly 23 years of litigation in India, has at length been brought before His Majesty in Council for final adjudication. The Swetambari case as put forward by them can be shortly stated. Both the Temple of Shri Antariksha Parasnath at Sirpur and that idol therein belong to their sect of the Jain community. It had been the uninterrupted privilage of the sect from time immemorial to worship the idol with the part showing the male organ covered up by a waist-tie and band and jewels and pastings on the body. The Swetambaris alone had uninterrupedly managed the Page #70 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ [ ૫૫ ] affairs of the temple and of this idol, the Degambaris having no part or lot therein, until 1905, when, with due consideration, as it is put, for the desire of the Digambaris to worship the sacred deity in their own way, some members of the Swetambari sect disinterestedly effected arrangement whereby the Digambaris were permitted to worship the idol at specified times without ornaments and under certain rules which safeguarded the religious beliefs and the customs of the Swetambaris. But after two year's cooperation the Swetambari followers had become convinced that the continuance of the association with the Digambaris was detrimental to the religious sentiments, rights and management of the Swetambaris, and on the 13th February 1908, matters came to a head, when the idol was mutilated by defendants 1-7 in the manner already referred to. Since then the defendants had been obstructing the Swetambaris in placing upon the deity Its accustomed ornaments and in restoring it to its self-existent form. And the plaintiffs claimed damages: injunctions restraining the defendants and other Digambari followers from raising any obstacle to the managements of the Samsthan by the Swetambaris or thy restoration of the image to its original form by them. Declarations were asked for, framed so as to obtain a decision from the Court that the Swetambari management of the temple and Page #71 -------------------------------------------------------------------------- ________________ [49] શ્રી અંતરિક્ષ idol was absolute and uncontrolled; that no worship of the diety except in its self-existent condition and covered as required by the religious principles of the Swetambaris should take place, and injunctions were sought to make these declarations effective at the instance of the Swetambari. The answering case of the Digambaris may not inadequately be described as a complete repudiation of the claims of the Swetambaris, with the counterassertion, by themselves, of rights over the temple and the idol as extensive and as absolute as those put forward by the Swetambaris. Their case is to be found in the written statement of defendant No. 8, which was adopted as their own by the other defendants. In the course of that statement the charges of the plaintiffs with reference to the alleged mutiliation of the idol by defendants are repudiated, and the views of the Digambaris with reference to the original from of the idol are put forward. With reference to these charges it may at once be stated that the plaintiffs’-allegations as to the defendants' responsibility were not established at the trial, aud their claim for damages, which was resisted by the defendants on technical as well on substantial grou. nds, has failed and is no longer persisted in. Page #72 -------------------------------------------------------------------------- ________________ પાશ્વનાથ [49] For the rest, the case presented by the written statement referred to was that the temple in question originally and absolutely belonged to the Digambari Jains, the Digambaris at Shirpur doing all the management, with the help and advice of other followers at Khamgaon and Karanja. The association between the two sects referred to in the plaint was stated to have been brought about by an invitation from the Digambrias to some respectable gentlemen from among the Swetambaris to join in a committee of management under an arrangement which continued until 1908, when the Treasurer and Vice-President of the committee, both Swetambaris, with a view of with holding the wealth of this Digambari temple, had kept back the accounts which, when called upon, they had agreed to present; in consequence of which conduct, as appears te be implied in the written statement, their instance. In confirmation of the assertion that the temple and idol were Digambari, it was pointed out in the statement that the Deity in question was Digambari in its position, having been installed by a Jain Digambari King in a temple of Digambari style and construction and that, itself a principal Idol, it was surrounded by Digambarl idols worshipped only by Digambaris. The Swetambari had never worshipped this diety with the chaksu and tika and ornaments, and they had never been permitted by the Digambari so to do. Page #73 -------------------------------------------------------------------------- ________________ [4] શ્રી અંતરિક્ષ No conflict could be more complete and eleborate. Each of the two sects asserted an exclusive property in the temple and idol, witb a right of management entirely uncontrolled Joint control imposed by the one sect upon the other was a suggestion foreign to the cases of both. It was the common position as pleaded that the period of association, su vaguely referred to by both contestants, in no way impinged upon the absolute and exclusive rights claimed by each of them. The association as put forward on both sides was no more than a temporary arrangement that could at any time be brought to an end by those who by invitation had brought it into being. The vital importance of these identical pretensions will emerge in the sequel. The cases so put forward were litigated at great length and over many years, first in the court of the Additional District Judge of Akola, and on appeal before the learned Judicial Commissioner of the Central Provinces. At the trial, many witnesses were called on both sides and many exhibits produced; 600 of these were put in on the plaintiffs' side alone. In the result, on the cases so made, the findings of both courts are concurrent and are expressed in judgements of great elaboration and meticulous care. Broadly, the findings are in favour of the Swetambaris. These had all along been in actual management Page #74 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ [ ૫૯ ] of the temple and idol; their title and right of management had been exclusive, and they had been worshipping the image with jewels, ornaments and paintings, the male organ of the diety being covered with the waist-tie and band for a period, which could not be definitely ascertained, but at any rate from 1847-48. The Digambaris had also been allowed to worship in their own way in the temple; but the witnesses of the winership of the Digambaris on the point of the ownership of the temple and its management were not believed. As the result, however, of the evidence taken, the period of association, gaurdedly dealt with by both disputants, assumed a significance more decisive than either of them had been prepared to acknowledge. It was disclosed that, at the commencement of the present century, the management of the temple, although nominally in the hands of the Swetambaris, had been in fact usurped by the servants of the temple known as Polkars, who for many years had exercised independent control and had become perfect masters of the situation as the learned Trial Judge expressed it. They set their employers at defiance, and, to consolidate their own position, tried to play off the Digambaris against the Swetambaris. They also maltreated and plundered the pilgrims. The two sects united to face 66 Page #75 -------------------------------------------------------------------------- ________________ [fo] શ્રી અંતરિક્ષ a common enemy, and in order to deprive the Pol. kars of the powers they had usurped, the Digambaris, at the instance of the Swetambaris, agreed to cooperate, with the result that in May 1901, a joint committee of equal numbers of Swetambaris and Digambaris was formed to undertake the management of all affairs, the prime mover in the arrangement on behalf of the Swetambaris having apparently been Kalyanchand Lalchand one of the present respondents. This com:mittee, acting on behalf of both sects, joined in instituting criminal proceedings against the Polkars, who, as a result, were reduced to the position of servants of both. It was clearly the view of the learned Trial Judge, not dissented from on appeal, that but for the aid of the Digambaris then rendered, and but for the monetary assistance then provided by them, the temple and all control over it would have been lost to both sects. This made all the more significant the proceedings at a general meeting of the Jains in 1905, at which, the Joint Committee still being in menagement, there was framed a scheme whereby the worship of the idol was to be performed by both sects in turns according to a regular time- table, which allocated precisely the same length of time Page #76 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ [59] for worship to each sect. The result, as held by both Courts, was that for the further period between the ejectment of the Polkars and the quarrel over the plastering of the idol in 1908, the two sects managed the temple through their committee, and worship was carried on by each sect in accordance with its own ceremonies and observances as prescribed by the time-table propounded in 1905. And in the view of the learned Trial Judge, those arrangements set at rest all disputes as to worship and as to the management of the Samsthan so far as the peculiarities of their worship and devotion went and they practically set a seal upon the recognised privileges af each party. giving effect, therefore, to a plea of estoppel set up by the defendants, he held that the plaintiff Swetambaris could no longer deny the right of the Digambaris to the joint management of the temple and to the worship of the idol in their own way as both of these matters were in the year 1905. The learned judge's decree is dated the 27th March, 1918. Naturally no declaration that the Swetambaris are entitled to any exclusive right of management is made, while the claims of the Swetambaris to exclusive privileges of worship are disallowed. Thes parties are to adhere to the time Page #77 -------------------------------------------------------------------------- ________________ [52] શ્રી અંતરિક્ષ table of 1905 and to obey the time regulations and procedure of worship in their own time as settled then. The collections of money and offerings are to be made by the two sects as hitherto from the time of the separation of their gadis and cash. The swetambaris are to be entitled to worship the image with the ornaments chaksu, tika and the like, according to their forms of worship, but only in their own time; no injunction is to restrain the Digambaris from insiting upon their right to worship the image without ornaments, and in their own way and in their own time according to the timetable. Each party is therefore direc:ed strictly to adhere to the time-table and the time limit imposed therein. Finally, an injunction is granted against the Defendants and all other Digambaris restraining them from interfering with the Swetambaris in the plastering of the idol so as to show the configuration on it of a waistbard and waist-tie and certain marks on the ears and palms, but the order directs that these marks shall not be so bold and prominent so as to be offensive in any way, and they shall be shown with a light touch of plaster and as faintly as possible." Both parties were dissatisfied, and the surviving plaintiff Swetambaris by notice of appeal and the Page #78 -------------------------------------------------------------------------- ________________ પાશ્વનાથ [ $3] defendant Digambaris by cross objections to the decree, set up again before the court of the Judicial Commissioner. Central provinces their respective cases as originally pleaded. Before that court, however, as stated in its judgment, the Swetambari appellants no longer contested the right of the Digambaris, as declared by the decree of the Trial judge, to worship in their own way and in their own time, according to the time-table, to which must be added the statement of their Counsel before the Board that they now make no claim to the collections of money and offerings made by worshippers during the periods of worship assigned to the Digambaris. The cross-objections of the Digam: baris having failed to impress the court, the issue thert, at the end of the day, resolved itself into the question whether the Subordinate judge was wrong in refusing to grant to the Swetambaris a declararion of their exclusive right of management, Counsel for the Digambaris finally contending only for the retention of the joint management as decreed by the Subordinate judge. In the result the Appellate Court declared and held that the Swetambaris were, on the facts found, entitled to the exclusive management of the Temple, and that the plea of estoppel set up by the written statement had no reference to that position. Page #79 -------------------------------------------------------------------------- ________________ [58] શ્રી અંતરિક્ષ The conclusions of the Court are . embodied in its decree of the 1st October, 1923, It is from that decree that the present appeal is brought. . On full consideration of the whole case their Lordships have reached the conclusion that the decree is right. The plea of estoppel contained in the written statement is perfectly general in its terms, and the defendants, when asked, refused to give any particulars of its meaning. In the absence of such particulars it seems to their Lordships impossible for the appellants 10 contend with success that it was thereby intended to set up against the plaintiffs' claim to exclusive inanagement an estoppel which would at once be fatal to the same claim then being substantively put forward by themselves. But the question is not only one of form or of pleading. It is also one of substance. The appellants' case forcibly presented to the Board was that the facts found by the learned Trial Judge imported an agreement between the two sects as definite and permanent in the matter of joint managemeut, as the time table in the matter of worship was now admitted to be. No, such agreement, however, is pleaded even iu the alternative. No issue with regard to it was directed. No such issue could have been Page #80 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ [ પ ] directed as the existence of such an agreement was entirely contrary to the only pleaded case either of the plaintiffs or of the defendants. Moreover the evidence taken was not pointed to any such issue, and as it stands, is, in all its prolixity on this issue, incomplete. In saying this, their Lordships have specially in mind the absence of Kalyanchand from the witness box-as absence only justifiable by the fact that this matter on which his evidence must have been so direct was not in issue at the trial. Lastly, the concession of the time-table now made by the respondents does not, as it seems to their Lordships, carry with it any admission of a right on the part of the Digambaris to participate in the management. No one has, in fact, suggested that the time-table without management is valueless, on the contrary, the evidence shows that this has been the prevailing order since the final rupture between the parties took place in 1908. Their lordships need hardly affirm that they may call the Digambari right to the time-table as now declared, with all its implications, is in no sense a matter of favour. It is a matter of right by the Digambaris will bring them into conflict with the courts. Nor will they forget that, by the admission of their learned counsel before the Board, they make no claim to the collections of money and offerings Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી અંતરિક્ષ made by worshippers during the Digambari periods of worship. With these matters kept fully in 'mind by the Swetambaris there seems to their Lordships to be no reason why under this arrangement the relations between the two sects should not in this matter be in the future entirely harmonious. In the result, therefore, the appeal fails and their Lordships will humbly advise His Majesty that it be dismiseed with costs. Their Lordships will further humbly advise His Majesty that a petition lodged by the appellants for a stay of execution of the decree of the Judicial Commissioner be also dismissed with costs. DECREE “ The court of the judicial Commissioners on the Ist October 1923 made a decree setting aside the decree of Lower Cout and ordering (1) That the Swetambaris are entitled to the exclusive management of the temple and image of Shri Antariksha Parasnathji Maharaj and that they have right to worship the image in accordance with their custom, (2) That the Digambaris have a right of worshipping the image in accordance with an arrangement made in 1905 but are not to interfere with the Swetambari customs of worship, (3) That the Digambari sect be permanently restrained from obstructing the Swetambari sect in getting the image restored to its original form and plastering the same now and hereafter.” Page #82 -------------------------------------------------------------------------- ________________ પાશ્વનાથ [૬૭] “ That the ‘appellants obtained leave to appeal to your Majesty in council.” “ THE LORDS OF THE COMMITTEE in obedience to his late Majesty's said order in concil have taken the appeal and humble petition into consideration and having heard counsel on behalf of the parties on both sides. Their Lordships do this day agree humbly to report to Your Majesty as their opinion that this appeal ought to be dismissed and the decree of the Court of Judicial Commissioners of the Central Provinces dated Ist day of October 1923 affirmed. ” “ HIS MAJESTY having taken the said report into consideration was pleased by and with the advice of HIS privy Council to approve thereof and to order as it hereby ordered that the same be punctually observed obeyed and carried into evecution.” શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના તીર્થને વહીવટ કરવાને વેતાંબરેને સંપૂર્ણ અધિકાર આપતા, અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની પિતપે તાની વિધિ પ્રમાણે વારાફરતી સૌના ટાઈમ દરમિયાન પૂજા કરવાને વેતાંબર દિગંબર બંનેને અધિકાર આપતા, તથા મૂર્તિને લેપ કરવાને વેતાંબરેતે અધિકાર આપતા પ્રિવી કાઉન્સીલના ચૂકાદા સુધીના ઇતિહાસને આપણે જોઈ ગયા છીએ. પલકના હાથમાં તીર્થ હતું તે વખતે પણ મૂર્તિને લેપ કરવામાં આવતું હતું. લિકરેના હાથમાંથી છેડાવ્યા પછી સને ૧૯૦૮ માં લેપ કરવામાં આવે, પણ દિગંબરેએ લેઢાના ઓજારથી કછટ તથા કંદરાના ભાગને ખાદી નાખ્યા તેથી વેતાંબરેએ કેર્ટમાં કેસ દાખલ કર્યો અને તેને નાગપુરની કેર્ટથી સને ૧૯૨૩ માં ચૂકાદે આવ્યા તેમાં મંદિર અને મૂર્તિના Page #83 -------------------------------------------------------------------------- ________________ [૬૮] શ્રી અંતરિક્ષ વહીવટને અને કટિસૂત્ર તથા કરછટ સહિત લેપ કરવાનો વેતાંબરેને અધિકાર મળે. આથી વેતાંબરેએ તરત જે સને ૧૨૪ માં લેપ કરાવ્યું. જો કે આ વખતે દિગંબરેએ કેર્ટમાં અટકાવવા(Stayની) માગણી કરી હતી, પણ તે મંજૂર થઈ નહેતી. આથી તેમણે તેમના પૂજાના ટાઈમ દરમ્યાન જ ગરમ ઉકળતા દૂધ અને પાણીના પ્રક્ષાલ કરીને લેપને ધોઈ નાંખવાને પ્રયત્ન કર્યો અને લેપને ઘણું નુકસાન પહોંચાડ્યું. આ રીતે દિગંબરે તેમને મળેલા પૂજાના અધિકારને સદુપયેગ (!) કરીને રાજી થયા. ત્યારબાદ તેમણે પ્રિવી કાઉન્સીલમાં અપીલ કરી તેને પણ ચૂકાદ નાગપુરના ચૂકાદાની જેમ વેતાંબરેની તરફેણમાં જ આવ્યું. આથી બ્રિä યુવઢું મવતિ ા એ ન્યાયથી વેતાંબરેને અધિકાર પાકે પાકે થઈ ગયે. એટલે તાંબરએ મંદિરમાં રીપેરીંગ કામની શરૂઆત કરી. એ પ્રમાણે વેતાંબરએ મૂર્તિને લેપ કરાવવાની પણ સને ૧૯૩૪ માં તૈયારી કરી, પરંતુ દિગં. બરેએ તે સામે વાંધો ઉઠાવ્યું અને સીવીલ પ્રેસીજર કેડની ૪૭ મી કલમને આધારે આકોલાની કોર્ટમાં તેમણે અરજી (Application ) કરી કે–વેતાંબરેને પ્રિવી કાઉન્સીલના ચૂકાદાથી લેપ કરવાને ભલે અધિકાર મળે છે, પણ તેમાં લેપ ક્યારે કરે તેમજ લેપમાં કટિસૂત્ર અને કચ્છની પહોળાઈ તથા જાડાઈનું પ્રમાણ કેટલું રાખવું, એની કશી સૂચના ન હેવાથી જ્યાં સુધી કોર્ટ તરફથી એ વિષે નિર્ણય કરવામાં ન આવે ત્યાં સુધી વેતાંબરને લેપ કરવાની રજા ન મળવી જોઈએ.” વેતાંબરેએ આ સામે વાંધો ઉઠાવ્યો કે સિવીલ પ્રોસીજર કેડની ૪૭ મી કલમ નીચે આ અરજી થઈ શકતી નથી. આકેલાની કોર્ટના ન્યાયાધીશે કહેતાંબરની આ દલીલને મંજૂર રાખી. અને ૧૧-૧-૧૯૪૭ ના ઓર્ડરથી દિગંબરની અરજી કાઢી નાંખી. એટલે દિગંબરેએ તરત નાગપુરની હાઈ Page #84 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ [ ૯ ] કોટ માં અપીલ કરી. હાઇકોર્ટે દિગંબરોની અરજી મંજૂર રાખી અને લેપની રીત નક્કી કરવા માટે આ કેસને આર્કાલાની કેટ ઉપર પાછા મેકલી આપ્યા. કેસ ચાલ્યે અને તેમાં દિગંબરોએ કટિસૂત્ર અને કચ્છેટના ચિહ્નને બહુ જ આછાપાતળા અને ખારીક અનાવવાની માગણી કરી શ્વેતાંબરીએ કહ્યું કે ભૂતકાળમાં અંતરિક્ષજીની મૂર્તિના લેપમાં જેવી કિટસૂત્ર અને કચ્છેટની આકૃતિ કાઢવામાં આવતી હતી તેવી કાઢવાના અમને અધિકાર મળવા જોઇએ. કે મને પક્ષનાં અનેક સાક્ષીએાની જુખાની લીધી અને પુરાવાઓને આધારે ૧૩-૯-૧૯૪૪ તારીખે આવા આશયને નિકાલ ( Order ) આપ્યા કે શ્વેતાંખીને કટિસૂત્ર તથા કોટની લેપમાં આકૃતિ કાઢવાના અધિકાર છે. કટિસૂત્ર( કઢેરા )ની પહેાળાઇ ૧ ઇંચ જેટલી રાખવી. અને કમરની એક બાજુથી ખીજી માજી સુધી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી કમરને ફરતી કટિસૂત્રની આકૃતિ કાઢવી. કટિસૂત્રની જાડાઈ એકતૃતીયાંશ ઇંચ જેટલી અ ગોળ આકારે કાઢવી. કોટની જાડાઈ - એકઅષ્ટમાંશ ઇંચ જેટલી રાખવી. અને પહેાળાઇ ઉપરના (પ્રારભના) ભાગે ૨ ઇંચ જેટલી અને નીચેના (છેડાના ) ભાગ આગળ રા ઈંચ જેટલી રાખવી. મૂર્તિના લેપ ચાલતા હોય ત્યારે અને સુકાઇ જાય ત્યાં સુધી પૂજા–પ્રક્ષાલ ઉપર શ્વેતાંબરો પ્રતિબ’ધ મૂકે તે સામે દિગબરાએ વાંધો ઉઠાવવા નહીં. અને શ્વેતાંબરોને જયારે લેપ કરવા હાય ત્યારે લેપ કરી શકે છે, એ સામે દિગંબરોને વાંધા ઉઠાવવાના અધિકાર નથી. આ પ્રમાણે હુકમ (Order) મળવાથી શ્વેતાંબરીએ તરત જ લેપ કરવાની તૈયારી કરી દીધી અને જાહેર ખબર પણ આપી દીધી. તેટલામાં કિંગ ખરાએ આકાલાના ચૂકાદા સામે ફ્રી પાછી નાગપુર હાઈ કોર્ટ માં સન ૧૯૪૪ માં અપીલ કરી. હાઈકાના Page #85 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦ ] શ્રી અ`તરિ ક્ષ યુરોપિયન જજ R. E. પેાલેાકે ૮-૭-૧૯૪૭ ના રોજ નિકાલ ( Order ) આપ્યા અને તેમાં આકાલા કોટ ના એરને મંજૂર રાખીને દિગંબરાની અપીલ કાઢી નાંખી. અને ટીકા કરી કે દિગંબરે જાણી જોઇને કેસ લખાવી રહ્યા છે માટે શ્વેતાંબરાને જે કઇ કેા નુખ થયુ છે તે ભરપાઇ કરી આપવા માટે દિગંબરાને હુકમ કર્યાં. આ હુકમ મળતાં જ શ્વેતાંબરાએ લેપની તૈયારી કરી દીધી તેટલામાં તે દિગબરાએ નાગપુરની હાઇકોર્ટમાં લેટસ પેટટ અપીલ ( Letters Patent Appeal ) કરી અને લેપની અટકાયત ચાલુ રાખવાની (Continuation of the stay) માગણી કરી. પણ ૧૭–૩–૧૯૪૮ ના હુકમથી કાર્ટે એ અપીલ પણ કાઢી નાંખી, અને લેપ કરવા ખદલ કોઇ પણ પ્રકારનેા મનાઈ હુકમ આપવાની ના પાડી. આથી કાઇ પણ જાતની આડખીલી વચમાં ન રહેવાથી ૩-૧૦-૧૯૪૮ તારીખે શ્વેતાંખરાએ લેપ કરાવવાની શરૂઆત કરી, અને લેપ સુકાઇ જતાં ૧૩-૧૧-૧૯૪૮ થી પૂજા-પ્રક્ષાલની શરૂઆત પણ કરવામાં આવી. અત્યારે આ સુંદર અને તેજસ્વી લેપથી મૂર્તિ ઝગમગ ઝળકી રહી છે. સંવત ૨૦૧૫ માં પ્રભુ પ્રતિમાને ક્ી લેપ કરવાને પ્રસંગ ઉપસ્થિત થયા. લેપનુ કામ શરૂ થતાં દિગખરીએએ સરકારમાં તદ્દન ખોટી ફરિયાદો નોંધાવી પ્રભુની ઘેર આશાતના કરી. સત્ય હકીકત પુરી પાડતા બધા અવરોધો દૂર થયા. લેપ શાંતિથી પૂર્ણ થયા. નિંગ ખરીઓએ કરેલી આશાતનાઓની શાંતિ કરવા માટે આચાર્ય ભગવંત શ્રી વિજયભુવનતિલકસુરીશ્વરની નિશ્રામાં અઢાર અભિષેક અને અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર વગેરે કરવામાં આવ્યું. સંવત ૨૦૧૭ ના ફાગણ માસમાં ફરી પૂજા પ્રક્ષાલ વગેરે શરૂ કરવામાં આવા. Page #86 -------------------------------------------------------------------------- ________________ પાશ્વનાથ [૭૧] તીથેના બીજા નામોલ્લેખો શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના તીર્થની ઉત્પત્તિ આદિ વર્ણવતાં જે પ્રાચીન ઐતિહાસિક ઉલ્લેખે ઉપલબ્ધ થયા છે, તે લગભગ તમામ ઉલ્લેખનું વર્ણન આવી ગયું છે. બીજા પણ કેટલાંક પ્રાચીન લખાણે છે કે-જેમાં અંતરિક્ષજીને ઈતિહાસ નહીં પણ માત્ર નામોલ્લેખ મળે છે. આવા ઉલ્લેખ પિકીના ખાસ ખાસ નીચે મુજબ છે. શ્રીપુરે સત્તરિક્ષ શ્રીપર્વ ” આ ઉલ્લેખ શ્રી જિનપ્રભસૂરિ. રચિત વિવિધતીર્થકલ્પાન્તર્ગત ચતુરશીતિમહાતીર્થનામસંગ્રહકલ્પ-(પૃ. ૮૬)માં છે. આ જ જિનપ્રભસૂરિએ રચેલા શ્રીપુરમન્તરિક્ષ વાર્ધનાથકાને ઉલેખ પહેલાં આવી ગયે છે. ત્યાં એ પણ સાથે જણાવ્યું છે કે–એની રચના સં. ૧૩૮૭ આસપાસ થઈ હશે. પરંતુ ચતુરશીતિમહાતીર્થનામસંગ્રહક૯૫ની રચના સં. ૧૩૬૯ પહેલાં જ તેમણે કરી હશે એમ લાગે છે, કારણ કે આ કલ્પમાં તેમણે શત્રુંજય તીર્થનું વર્ણન કરતાં સં. ૧૦૮માં નવજાસ્વામી અને જાવડશાહના હાથે પ્રતિષ્ઠિત થયેલા શ્રી આદીશ્વર ભગવાન અને પંડરીકસ્વામીનો ઉલ્લેખ કર્યો છે પરંતુ આ બિંબનેપ્રતિમાજીને સં. ૧૩૬૯ માં મુસલમાનોને હાથે વિનાશ થયે १ तथाहि-श्रीशत्रुञ्जये भुवनदीप: श्रीवरस्वामिप्रतिष्ठितः શ્રીકાર્વિનાથ ...શ્રીરસારિત પ્રતિષ્ઠિત: પુeી: શ્રી જશ: દ્વિતીयस्तु श्रीवरस्वामिप्रतिष्ठितः पूर्णकलशः । "-वि० ती. कल्प. पृ. ८५. "इत्थं जावडिराद्याहत्पुण्डरीककपर्दिनाम् । मूर्तीनिवेश्य सञ्जने स्वर्विमानातिथित्वभाक् ॥ ८३ ॥ दक्षिणाङ्गे भगवतः पुण्डरीक इहादिमः । वामाझे दीप्यते तस्य जागडिस्थपितोऽपरः ૮૪ વિ તીવણપ છુ. ૪ / Page #87 -------------------------------------------------------------------------- ________________ [૭૨] શ્રી અંતરિક્ષ હતે, એમ શત્રુંજયતીર્થકલ્પ (કે જેની સં. ૧૩૮૫ માં રચના થઈ છે.) માં પૃ. ૫ માં તેમણે જ જણાવ્યું છે. એટલે શ્રીપુરે કરતરિક્ષ શ્રીવાર્થી—ચતરશીતિમહાતીર્થનાસંગ્રડકપમાં ઉલ્લેખ સં. ૧૩૬૮ પૂર્વને છે એમ સિદ્ધ થાય છે. સંભવ છે કે તેમણે આ ઉદલેખ તીર્થયાત્રા કર્યા પહેલાં માત્ર સાંભળીને જ કર્યો હોય. સં. ૧૪૭૩ માં લખાયેલી ધર્મઘોષસૂરિવિરચિત કલિકાચાર્ય કથાના અંતમાં લખાવનાર આદિનું વર્ણન કરતી એક પ્રશસ્તિમાં પણ આ જ તીર્થને ઉલ્લેખ છે સંભવતઃ ૧૬ મી સદીના પ્રારંભમાં રચાયેલી શ્રી રત્નશેખરસૂરિશિષ્ય નદી રત્ન. શિષ્ય રત્નમંદિરગણિવિરચિત ઉપદેશતરંગિણીમાં પણ આ તીર્થને ઉલ્લેખ છે. દેવવિમલસૂરિકૃત હીરસૌભાગ્ય મહાકાવ્યમાં પણ આને २ " ही ग्रहर्तुक्रियास्थान ( १३६९ ) संख्ये विक्रमवत्सरे । जावडिस्थापितं बिम्ब म्लेच्छैर्भग्नं कलेर्वशात् ॥ ११९ ।। " વિ. ની જરા. p. ૧. વિસ્તારથી જાણવા માટે જુઓ ૧૪–૨-૫૦ આત્માનંદ પ્રકાશના અંકમાં દેવગિરિના લેખમાં મારું ટિપ્પણું મૃ. ૧૨૦ ૩ શ્રીરાકુલ – ક્ષિતિજ--શ્રીમવું–શ્રીપુર–શ્રીનીउलि-कुल्यपाक-प्रमुखश्रीतीर्थयात्रा मुदा । कालेऽत्रापि कलौ करालललिते चक्रे स संघाधिपो वर्षन्नर्थिजनें घनाघन इव द्रव्याणि पानीयवत् ॥ १० ॥ एतावता निजकुटुम्बयुतेन नूनाह्रसंघपतिना वसताऽमराद्रौ। श्रीअन्तरिक्षमुखतीर्थविचित्रयात्रा मुख्या[:] कृता विविधपुण्यपरम्परास्ताः ॥२४॥-ऐतिहासिक મવી પ્રશસ્તિ p. ૧૪૭-૮ (પ્રેમી મિરરવનગ્રંથાત્તત). જુઓ. ૧૪-૫-૫૦ ના અંકમાં ટિપ્પણ. ૪. “શ્રીની પf–રવર્ધિ-સ્ટિve-ટેશ્વર-વsscriળ ()–રાઉ–ાવણ-વળાવીયા-વિત્રશૂટા Page #88 -------------------------------------------------------------------------- ________________ પા ના થા | [ ૭૩ ] ઉલ્લેખ છે. શીલરત્નસૂરિકૃત ચતુર્વિશતિજિનસ્તુતિ(આત્માનંદ સભા પ્રકાશિત, ભાવનગર)માં પૃ. ૯/ર માં, તથા એ જ પ્રતિમાં છપાયેલી ખુશાલવિજયવિરચિત (સં. ૧૮૮૧) પુરુષાદાની પાશ્વ - દેવનામમાલા(પૃ. ૧૧)માં પણ આ તીર્થનો ઉલ્લેખ છે. શ્રી આત્માનંદ સભા પ્રકાશિત જેન ઐતિહાસિક ગુર્જર કાવ્યસંચય(પૃ. ૩૦, પર, ૭૯, ૨૭૭)માં પણ જુદા જુદા રાસમાં આ તીર્થને ऽऽघाट--श्रीपुर--स्तम्भनपार्श्व--राणपुरचतुर्मुखविहाराद्यनेकतीर्थानि यानि जगतीतले वर्तमानानि यानि चाऽतीतानागतानि तानि सर्वाण्यपि तत्तत्कालप्रधानचतुरनरशिरोरत्नपुरुषपुरन्दर-प्रवर्तितान्यैव न तु स्वयं समुत्पन्नानि...। अत एव वसुधाभरणं पुरुष ga –૩૪૦ તરેહ g૦ ૬ (ચો વિ. પ્રારાત ) આનું સંપાદન સં. ૧૫૧માં લખાયેલી પ્રતિ ઉપરથી કરવામાં આવ્યું છે. એટલે તે પહેલાંને આ ગ્રંથ ખરે જ. ૫. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીગણિવિરચિત તપાગચ્છ પટ્ટાવલી કે જે સં. ૧૬૪૮માં બરાબર રચાઈ ગઈ હતી તેમાં પણ પૃ. ૭૩ માં (પૂ. મુનિરાજશ્રી દર્શનવિજયજી મ. ત્રિપુટી સંપાદિત પટ્ટાવલી સમુચ્ચયાંતર્ગત) હીરસૌભાગ્ય કાવ્યને ઉલ્લેખ હેવાથી સં. ૧૬૪૮ પહેલાં જ આ કાવ્યની રચના થઈ હશે. તેમાં કટ્ટા સર્ગમાં આ પ્રમાણે ઉલ્લેખ છે– ___ अपि पार्श्वजिनान्तरिक्षकाभिध उच्चैःस्थितिकैतवादिह। किमु लम्भयितुं महोदयं भविनां भूवलयात् प्रचेलिवान् ॥१८॥ फणभृद् भगवन्निभालनादनुभूताहि विभुत्ववैभवः । स्पृहयन् भुवनद्वयीशतां મદ્ મવતી ચં પુન: III એક તે “જય જય જય જ્ય પાસ જિાણંદ. અંતરીક પ્રભુ ત્રિભુવનતારક ભવિક કમલ ઉલ્લાસ દિગંદ” -આ ૬ કડીનું સ્તવને છે. તથા બીજું “ભેટે ભેટે સલુને પ્રભુ અંતરીક ભેટે”—આ ૩ કડીનું સ્તવન છે. આ બંને સ્તવને ઘણું પુસ્તકે માં છપાયાં છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪] શ્રી અંતરિક્ષ ઉલ્લેખ છે. યશોવિત્ર ગ્રંથમાલા પ્રકાશિત પ્રાચીનતીર્થમાલાસંગ્રહ(ભાગ ૧ પૃ. ૯૮, ૧૧૪, ૧૫૧, ૧૬૯, ૧૯૮)માં પણ જુદા જુદા મુનિરાજેએ આ તીર્થની યાત્રા કર્યાનો ઉલ્લેખ છે. ન્યાયવિશારદ વાચકવર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા પણ અહિં પધાર્યા હતા અને તેમણે સ્તુતિમાં બે સ્તવન બનાવ્યાં છે. ઐતિહાસિક માહિતી આપતા સંસ્કૃત-પ્રાકૃત ઉલ્લેખનું ગુજરાતી ભાષાંતર તે અગાઉ આપવામાં આવ્યું છે. તેના મૂળ સંસ્કૃત-પ્રાકૃત ભાગે ઘણું લાંબા લાંબા હેવાથી તેમજ સંસ્કૃતપ્રાકૃતભાષાને લીધે ઘણાખરા વાંચકોને પણ કંટાળો આવે તેથી અહીં આપવામાં આવતા નથી. વિશેષ જિજ્ઞાસુઓએ તે તે સંસ્કૃતપ્રાકૃત ગ્રંથે જોઈ લેવા. ગ્રંથનાં નામ, પ્રકાશનસ્થાન, પૃષાંક વિગેરે તે તે સ્થળે જણાવ્યાં જ છે.' કવિશ્રી લાવણ્યસમયજી સં. ૧૫૮૫ માં એક અંતરિક્ષનો છંદ બનાવ્યો છે. આ છંદ ભાવનગરનિવાસી શ્રી સ્વ. કુંવરજીભાઈ આણંદજી ભાઈ તરફથી પ્રકાશિત થયેલા પ્રાચીન સ્તવનાદિસંગ્રહમાં છપાયે છે, અને તે ૪૫ કઠીન છે, પરંતુ બાલાપુરમાંથી મળી આવેલાં હસ્તલિખિત પાનાંઓમાં ૫૪ કડીઓ છે. વળી હસ્તલિખિત સાથે સરખાવતાં પ્રા. સંવમાં છપાયેલ છંદની કડીઓમાં ઘણું અંતર દેખાય છે. એટલે આ છંદ પુન: છાપવા યોગ્ય સમજીને નીચે મુજબ આપવામાં આવે છે.– ૬. આ સિવાય મહિમાસાગર શિષ્યને આનંદવર્ધનકૃત અંતરિક્ષપાર્શ્વનાથ સ્તોત્ર (જૈનધર્મસિંધુ પૃ. ૫૩૭), વિનયપ્રભસૂરિક્ત તીર્થયાત્રાસ્તવન, સમયસુંદરકૃત (સં. ૧૬૮૬) તીર્થમાલા વિગેરે વિગેરે અનેક ગુજરાતી કાવ્યોમાં આ તીર્થને ઉલ્લેખ છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ પાશ્વનાથ . પાશ્વનાથ [૭૧] • કવિ લાવણ્યસમયવિરચિત– શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ છંદ સરસ વચન દે સરસતિ માત, બેલિસ આદિ જિસિ વિખ્યાત; અંતરીક ત્રિભુવનને ધણી, પ્રતિમા પાસ જિનેસરતણું. ૧ લંકધણી જે રાવણ રાય, તેહતણે બનેવી કહેવાય; ખરદૂષણ નામે ભૂપાલ, અહિનિસિ ધર્મતણે પ્રતિપાલ. ૨ સદગુરુ વચન સદા મન ઘરે, વિણુ કાલ જિનપૂજા કરે; મન આખડી ધરી છે એમ, જિનપૂજા વિણ જમવા નેમ. ૩ એક વાર મન ઉલટ ધરી, ગજ રથ ઘેડા પાયક તુરી; ચડ્યો રવાડી સહુ સંચરે, સાથે દેહરાસર વિસરે. ૪ દેરાસરીયે ચિતે ઈસ્યું, વિન દેરાસર કરવું કિસ્યું? રાયતણે મન એ આખડી, જિનપૂજા વિણ નહીં સુખડી. ૫ પ્રતિમા વિણ લાગી ચટપટી, ચડ્યો દિવસ દસ બારહ ઘટી; કર્યા એકઠા વેલુ છાન, સા(મા)થે સાખી કીધે ભાણ. ૬. નહીં કેઈ . બીજી આસન, પ્રતિમા નિપાઈ પાસની; તે કરતાં નવિ લાગી વાર, થા મહામંત્ર નવકાર. ૭ પંચ પરમેષ્ઠિને કરે ધ્યાન, કરી પ્રતિષ્ઠા સહ પ્રધાન દેહરાસરીયે હરખું હસે, પ્રતિમા દેખી મન ઉલ્લશે. ૮ આ રાજા કરી અઘલ, બાવનાચંદન કેશર ઘેલ; પ્રતિમા પૂછ લાગે પાય, મન હરખે ખરદૂષણ રાય. ૯ એક વેલ ને બીજે છાણ, પ્રતિમાને આકાર પ્રમાણ; ધરમી રાજા ચિંતા કરે, રખે કેઈ આશાતના કરે. ૧૦ Page #91 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬ ] શ્રી અ`તરિક્ષ પ્રતિમા દેખી હિયડું ઠરે, સાથ સહિત ભલાં ભાજન કરે; તેહજ વેલા તેહુજ ઘડી, પ્રતિમા વાતણી પરે જડી ૧૧ ખંધ ધરી ખરષણ ભૂપ, પ્રતિમા મેલી તવ જલકૂપ; ગયા કાલ જલમાંહી ઘણા, પ્રતિમા પ્રગટી હવે તે સુણા. ૧૨ અલગપુર એલગઢે રાય, કુષ્ટી છે ભૂપતિની કાય; ન્યાયવંત નવિ ડે લેાક, પૃથિવી વરતે પુણ્યસિલેાક. ૧૩ રાયતણે શિર માટે રાગ,રયણીભર નવિ નિદ્રા જોગ; રામ રામ કીડા સંચરે, રાણી સી નિદ્રા પરિહરે. ૧૪ જે ક્રીડાના ઠામજ જિહાં, તે પાછા વલી મેલે તિહાં; જો નવિ જાઇ તેહને હાય, તતખણુ રાજા અચેતન થાય. ૧૫ રાય રાણી સંકટ ભેળવે, કરમે દેહલા દિન જોગવે; રણીભર નવ ચાલે . રંગ, ક્રીસે કાંયા દીસે ચંગ. ૧૬ એક વાર હુય ગજ રથ પરિવી, રમવા રચવાડી સંચર્યાં; સાથે સમરથ છે પરિવાર, પાળા પાયકનેા નહીં પાર ૧૭ જાતાં ભાણુ મથાળે થયે, માટી અટવીમાંહે ગયે; થાકેા રાજા વડ વિશ્રામ, છાયા લાગી અતિ અભિરામ. ૧૮ લાગી તૃષા નિર મન ધર્યું, પાણી દીઠું ઝાખલ ભર્યું; પાની પીધે ગલણે ગલી, હાથ પગ મુખ ધાયા વલી. ૧૯ કરી રયવાડી પાછા વલ્લ્લા, પહેલાં જઇ. પટરાણી મલ્યા; પટરાણી રલિયાત થઇ, થાકયા શય્યા પાળ્યો જઈ. આવી નિદ્રા રયણી પડી, પાસે રહી પટાણી વડી; હાથ પાય મુખ નીરખે જામ, તે કીડા વિ દ્વેષે ઠામ. ૨૧ Page #92 -------------------------------------------------------------------------- ________________ પાશ્વના થા [ ૭૭ ] રાણીને મન કૌતુક વચ્ચે, હરખી રાણી હિયડે હસ્ય; જાગ્યે રાજા આલસ મોડ, રાણી પૂછે બે કર જોડ. ૨૨ સ્વામી કાલ રચવાડી કિહાં, હાથ પાય મુખ જોયા જિહાં; તે જલને કારણ છે ઘણે, સ્વામી કાજ સરસેં આપને. ૨૩ રાજા જપે રાણું સૂણે, અટવી પંથ અછે અતિ ઘણે વડ તીર ઝાબલ જલ ભર્યો, હાથ પાય મુખ વન કર્યો. ૨૪ મેં પ્રભુ લીધે તેહને ભેદ, આપણે જાણ્યું વડ વિદ; રથ જોતરીઆ તુરગમ લેય, રાય રાણી મીલ ચાલ્યા બેય. ૨૫ તિહાં દીઠું ઝાબેલ વડ તીર, જાણે માન સરોવર નીર; હરખી રાણી હીયડે રંગ, રાજા અંગ પખાળે ચંગ. ૨૬ ગયે કષ્ટ ને વળે વાન, દેહ થઈ સેવન સમાન; આ રજા એલગપુરી, માંડે ઓચ્છવ આણંદ ધરી. ૨૭ ઘર ઘર તલિયા તેર તાટ, આવે વધામણું માણિક માટ; ભારી ઘણું આવે ભેટ, દાન અમૂલક દીજે ઘણે. ૨૮ રાય રાણી મન થ સંતેષ, કર્યો અમારીત નિર્દોષ, સમભૂમિ ઢાલે પર્યક, તિહાં રાજા સુવે નિ:શંક. ૨૯ ચંદન ચંપક પુર કપૂર, મહકે વાસ અગર ભરપૂર રયણભર સુપનાંતર લહે, જાણે નર કેઈ આવી કહે ૩૦ અતિ ઊંચે કરી અંબ પ્રમાણ, નીલે ઘેડે નીલે પલાણ નિલા ટેપ નીલા હથીઆર, નીલ વરણ આવ્યા અસવાર. ૩૧ સુણ રે એલગપુરના ભૂપ, જિહાં જલ પીધે તહાં છે કૃપ; પ્રગટ કરાવે વહેલે થઈ, તિહાં પ્રતિમા માહરી છે સહી. ૩૨ Page #93 -------------------------------------------------------------------------- ________________ [ ૭૮ ] શ્રી અંતરિક્ષ કરી મલેાખાની પાલખી, માણિક મેતી જડી નવલખી; કાચે તાતણે સાથે ધરી, હું આવીશ તિહાં બેસી કરી. `૩૩ * પૂંઠે મ વાલીસ જોવા ભણી, ઇસ્યા સુપન લહી જાગ્યા રાય, ચાલ્યા ભલી સજાઇ કરી, તે જે આજના જાયા તતખેડુ, વાછરડા જોતરો તેહ; સિખામણ દેઉં છું ઘણી. ૩૪ પ્રહ ઉઠી વનમાંહું જાય; આવ્યે વડ પાસે વહી. ૩૫ તે જલ ગ્રૂપ ખણાવ્યે જામ, પ્રગટ્યો કૂપ અચલ અભિરામ; ભર્યાં નીર ગંગા જલ જીસ્યા, હરખ્યા રાજા હિયૐ હસ્યો. ૩૬ કરી મલેાખાની પાલખી, માણિક મેાતી જડી નવલખી; કાચે તાંતણે મેલી ઠામ, આવી બેઠા ત્રિભુવન સ્વામ ૩૭ પાસ પધાર્યાં કઠે કૂવા, ઉચ્છવ મેરૂ સમાના હુઆ; રથે જોતર્યા એ વાછડા, ચાલ્યા તે ખેડ્યા વિણ છડા. ગાય કામિની કરે કિલ્લોલ, ખાજે ભુંગલ ભેરી ઢાલ; પાલખી વાહનને આકાર, નવિ ભાંજે પરમેસર ભાર ૩૮ ૩૯ પ્રૌઢી પ્રતિમા ભારી ઘણી, પાલખી છે મલેખાતણી; રાજા મન આવ્યે સ ંદેહ, કિમ પ્રતિમા આવે છે એ? ૪૦ વાંકી દૃષ્ટિ કર્યાં આરંભ, રહી પ્રતિમા થાનક થિર થંભ; રાજા લેાક ચિંતાતુર થયા, એ પ્રતિમાના થાનક થયા. ૪૧ સૂત્રધાર સિલાવટ સાર, તેડી આવ્યે ગરથ ભંડાર; આલસ અંગતણાં પરિહરા, વેગે ઈહાં જિનમંડપ કરો, ૪૨ સિલાવટ તિહાં રંગરસાલ, કીધા જિનપ્રાસાદ વિસાલ; ધ્વજદંડ તારણુ થિરથંભ, મંડપ માંડ્યા નાટારંભ. ૪૩ Page #94 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ [ ૭૯ ] પબાસણ કીધા છે જિહાં, તે પ્રતિમા નવિ એસે તિહાં; અ ંતરીક ઊંચા એટલે, તલે અસવાર જાયે તેટલે. ૪૪ રાજા રાણી મનને કાડ, ખરચે દ્રવ્યતણી તિહાં કેાડ; સપ્ત કા મિણુ સેહે પાસ, એલગરાયની પૂરી આસ. ૪૫ પૂજે પ્રભુને ઉખેવે અગર, તિન ઠામે વાસ્યા શ્રીનગર; રાજા રાજ્યેક કામિની, આગલ કરે સદા સ્વામિની. ૪૬ સેવા કરે સદા ધરણેન્દ્ર, પઉમાવઇ આપે આનંદ; આવે સંઘ ચિહું દિશિતણા, માંડે એચ્છવ આનંદ ઘણા. ૪૭ * લાખેણી પ્રભુપૂજા કરી, માટો મૂગટ મનેહર ભા; આરતિએ વિ મંગલમાલ, ભુંગળ ભેરી ઝાકઝમાલ. ૪૮ આજ લગે સહ્કો ઇમ કહે, એક જ દોશ ઊંચા રહે; આગલ તેા જાતા અસવાર, જ્યારે એલગઢે રાય અવતાર. ૪૯ જે જીમ જાણ્યું તે તિમ સહી, વાત પરંપર સદ્ગુરુ કહી; ખેલી આદિ જિસી મન રૂલી, નિરતુ જાણે તે કેવળી. ૫૦ અશ્વસેન રાયકુલ અવતસ, વામા રાણી ઉદરી હંસ; વાણારસી નગરી અવતાર, કરો સ્વામી સેવક સાર. ૫૧ ભણે ગુણે જે સરલે' સાદ, સ્વામી તાહરાં સ્તવન રસાલ; ધરમી નર જે ધ્યાને રહે, બેઠા જાત્રાતણા ફળ લડે. પર ઉલટ અખાત્રીજે થયા, ગાયેા પાસ જિનેસર જા; ખેાલીશ એ કર જોડી હાથ, આંતરીક શ્રી પારસનાથ. પ૩ સંવત પંદર પંચાશી જાણુ, માસ શુદ્ધિ વૈશાખ વખાણ; મુનિ લાવણ્યસમય કહે મુદ્દા, તુમ દરસન પામે સુખસંપદા. ૫૪ Page #95 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦] શ્રી અંતરિક્ષ વડેદરાવાસી પં. શ્રી લાલચંદભાઈ ભગવાનદાસ ગાંધીને પણ અમારે ખાસ જ ધન્યવાદ આપ જોઈએ, કેમકે ભાવવિજયગણિવિરચિત શ્રીમતરિક્ષવાર્શ્વનાથમાગ કે જે અંતરિક્ષજીના ઈતિહાસમાં ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે, તે છપાઈ ગયું હેવા છતાં ઘણે ઘણા પ્રયત્ન કરતાં પણ કઈ સ્થળેથી પ્રાપ્ત થઈ શક્યું નહતું તે તેમની પાસેથી મળ્યું હતું. અને જ્યારે જ્યારે દાર્શ નિક અધ્યયન અને સંશોધનમાં અમને કઈ પણ પુસ્તકની જરૂર પડે ત્યારે ત્યારે અલભ્ય અને કિંમતી પુસ્તક પણ વડોદરાની રાજકીય લાયબ્રેરીમાંથી વિના સંકેચે તેમણે પૂરાં પાડ્યાં છે. આ તેમનું સૌજન્ય જ છે. આ તીર્થ ઉપર પૂર્ણ ભક્તિથી યથાશક્તિ યથામતિ રોધ કરીને આ તીર્થને ઈતિહાસ આલેખવા પ્રયત્ન કર્યો છે, છતાં તેમાં જે અપૂર્ણતા રહી ગઈ હોય તેને વિદ્વાન સંશોધકે પૂર્ણ કરવા પ્રયત્ન કરશે એવી આશા રાખીએ છીએ. અંતે દેવાધિદેવ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનને ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજના શબ્દમાં જ વિજ્ઞપ્તિ કરીને સમાપ્ત કરીએ છીએ.–દૂર રો રાત પાણી મવડુકર , વાવ यश कहे दासकुं दीजे परमानंदा ॥ मेरे साहिब तुम ही हो प्रभु पार्श्वजिणंदा ॥ Page #96 -------------------------------------------------------------------------- ________________ પાશ્વનાથ [૧] I : શ્રી રક્ષિાર્શ્વનાથાય , શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથજી તીર્થ વિષે એક મહત્ત્વનો પ્રતિમાલેખ જ્વલંત પુરા શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના તીર્થ સંબંધી ઐતિહાસિક માહિતી બની શકે તેટલાં સાધનો દ્વારા મેળવીને વિસ્તારથી હું જણાવી ચૂક્યો છું, કે જેનાથી વાચકે સુપરિચિત છે. આ પ્રકરણમાં તેની જ પૂર્તિરૂપે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ સંબંધમાં મળી આવેલું એક મહત્વને ધાતુનાં પ્રતિમાજી ઉપર કેરેલે લેખ આપવામાં આવે છે . સંવત ૨૦૦૬ માં અમારું આકેલામાં ચાતુર્માસ હતું, ત્યાંથી વિહાર કરી બાલાપુર, શેગાંવ, ખામગાંવ, મલકાપુર તથા બુહનપુર થઈ અહીં જલગાંવમાં આવવું થયું. વચમાં બુહનપુર કે જે આજથી ત્રણ વર્ષ પૂર્વે જેનેનું મેટું કેન્દ્ર હતું અને જ્યાં અઢાર જિનાલયે હતાં ત્યાં આજે વસ્તી ઘટી જવાથી બધાને ભેગા કરીને એક ભવ્ય જિનમંદિર બાંધવામાં આવ્યું છે, ત્યાંના બધા પાષાણ તથા ધાતુના પ્રતિમાજી ઉપરના લેખે નેંધ્યા કે જે અતિહાસિક દષ્ટિએ ઘણું ઉપયોગી છે. તે જ પ્રમાણે અહીં આવીને પણ અહીંના પાષાણના શ્રી વાસુપૂજ્ય સ્વામીના ભવ્ય જિનાલયમાંની મૂતિઓ ઉપરના લેખે નેંધતા શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના ઉલ્લેખવાળો એક મહત્વને લેખ એક ધાતુનાં પ્રતિમાજી ઉપર મળી આવ્યો અને મારા આનંદને પાર ન રહ્યો. એ લેખ નીચે મુજબ છે – Page #97 -------------------------------------------------------------------------- ________________ [૨] શ્રી અંતરિક્ષ संवत १७०५ वर्षे फागुणवदि ६ बुधे श्रीअवरंगाबादज्ञातीयवास्तव्यप्राग्वाटज्ञातीयन ( ? )-शास्त्रायां सा० अमीचंदभार्या बाइ इंद्राणिनाम्न्या स्वकुट(टुं)बश्रेयसे स्वकारितप्रतिष्ठायां श्रीवासुपूज्यजिन बिम्बं कारितं प्रतिष्ठितं च तपागच्छाधिराजश्रीविजयसेनसूरीश्वरपट्टालंकारभट्टारक श्रीश्रीश्रीविजयदेव सूरिभिः श्रीअंतरिक्षपार्श्वનાથપ્રતિમાકૃત સિરપુરની | ગુમ મag | શ્રી ! ભાવાર્થ–“વિક્રમ સંવત ૧૭૦પ ના ફાગણ વદિ ૬ ને બુધવારે રંગાબાદના વતની પરવાડજ્ઞાતિના દગ્ર(૧)શાખાના અમીચંદની પત્ની ઈંદ્રાણી નામની બાઈએ પિતાના કુટુંબના કલ્યાણના માટે પોતે કરાવેલી પ્રતિષ્ઠામાં શ્રી વાસુપૂજ્ય ભગવાનનું બિંબ કરાવ્યું અને તપાગચ્છાધિરાજ શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર શ્રી વિજયદેવસૂરીએ શ્રી અંતરિક્ષપાશ્વનાથ ભગવાનની પ્રતિમાથી અલંકૃત સિરપુરનગરમાં તેની પ્રતિષ્ઠા કરી.” ઉપરના લેખમાં એમ જણાવ્યું છે કે સં. ૧૭૦૫ માં ઔરંગાબાદના વતની અમીચંદ નામના શ્રાવકની પત્ની ઇંદ્રાણી નામની શ્રાવિકાએ શ્રી વિજયદેવસૂરિજી મહારાજને હાથે અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનાં તીર્થમાં એ ધાતુના પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આથી એ વાત સિદ્ધ થાય છે કે આજથી ત્રણ વર્ષ પૂર્વે વેતાંબરે જ ત્યાં અધિકાર હતા. ઔરંગા બાદમાં તે વખતે જેનોની ઘણું મોટી વસ્તી હતી. ત્યાં દેરાસર પણ ઘણાં હતાં તેમજ ત્યાં અનેક મોટા મેટા આચાયાદિ મુનિરાજેના ચાતુર્માસ થતાં હતાં. અંતરિક્ષજી તીર્થથી (શિરપુરથી ) ઔરંગાબાદ ૧૨૦ માઈલ જ દૂર છે. સંભવ છે કે શ્રી વિજયદેવસૂરિશ્વરજી મહારાજ ઔરંગાબાદથી અંતરિક્ષજી પધાર્યા હોય Page #98 -------------------------------------------------------------------------- ________________ પાશ્વના થ [૮૩] અને ત્યાં ઔરંગાબાદથી આવેલા શ્રાવકેએ તેમને હાથે પ્રતિષ્ઠા કરાવી હોય. આ ધાતુનાં પ્રતિમાજી શિરપુરથી (અંતરિક્ષજીથી) અહીં જલગાંવમાં શી રીતે અને કયારે આવ્યા તે કંઈ કહી શકાતું નથી, કેમકે સામાન્ય રીતે ધાતુની મૂર્તિઓ “ચલ”હેવાથી એક સ્થાનેથી બીજે સ્થાને ગમે ત્યારે લઈ જવામાં આવે છે. આજે તાંબર-દિગંબરનો ઝઘડે ઉપસ્થિત થયે ત્યારથી પ્રત્યેક વખતે હવેતાંબરે એકાદ મૂતિ પણ અંતરિક્ષજીને દેરાસરમાં પધરાવે તે સામે દિગંબરે વાંધો ઉઠાવતા આવ્યા છે. અને આજથી ચાલીશ વર્ષ પહેલાં પૂજ્યપાદશ્રી સાગરાનંદસુરીશ્વરજી મહારાજ સંઘ લઈને ત્યાં પધાર્યા હતા ત્યારે ત્યાં સંઘ રેકાય તેટલા થોડા દિવસ પૂરતી જ સંઘમાં સાથે લાવેલ મૂર્તિને પધરાવવા સામે પણ દિગંબરેએ સખ્ત વધે ઉઠાવ્યું હતો અને ઘણું મોટું તોફાન મચાવ્યું હતું અને છેવટે બધે તેફાની મામલે કોર્ટ સુધી પહેર્યો હતે; પણ ઉપરના લેખનાં લખાણથી સ્પષ્ટ જોઈ શકાય છે કે વેતાંબરેને એ તીર્થ ઉપર અબાધિત અધિકાર હતા અને ત્યાં બીજા પ્રતિમાજી પણ ઈચ્છાનુસાર પધરાવવામાં આવતા હતા. આ દષ્ટિએ જોતાં આ લેખ અંતરિક્ષજી તીર્થના સંબંધમાં ઘણું મહત્ત્વને અને ઉપયોગી છે. सं २००७ फाल्गुन वद ८) श्रीऋषमजिन जन्मदीक्षाकल्याणक . ( પૂર્વ સાનદેશ ) मुनिराजश्री भुवनविजयान्तेवासी - मुनि जम्बूविजय Page #99 -------------------------------------------------------------------------- ________________ [८४] શ્રી અંતરિક્ષ श्रीअंतरिक्षपार्श्वनाथस्तोत्रम् ॥ उपजातिवृत्तम् । श्रीपार्श्वनाथं भुवि सुप्रसिद्धं, वैदर्भदेशे सुविशालकीर्तिम् । अस्पृष्टभूमि सुयथार्थनामं, श्रीअंतरिक्षं शिरसा नमामि ॥ १ ॥ विभूषितं श्रीपूरमध्यभागं, पानालगर्भगृहसंस्थितं यः । अनेकभक्तार्पितभक्तिपुष्पं, श्रीअंतरिक्षं शिरसा नमामि ॥ २ ॥ लङ्कापतेर्बाहुविभूषित यत् , बिम्बं जिनेन्द्रस्य सुभूतकाले । चमत्कृतिर्यस्य जने प्रसिद्ध, श्रीअंतरिक्षं शिरसा नमामि ॥ ३ ॥ वाराणसी यस्य सुजन्मभूमि- माकुले सूर्य इव प्रदीपः । पूज्यं मनोवाञ्छितपूरकं तं, श्रीअंतरिक्षं शिरसा नमामि ॥ ४ ॥ फणीन्द्रविस्फारितमातपत्रं, सुशोभित सुंदरश्यामवर्णम् । आकृष्टभक्तालिमुग्वारविन्दं, श्रीअंतरिक्षं शिरसा नमामि ॥ ५ ॥ सत्योपदेष्टा कमठस्य पार्यो, मन्त्रामृतेनोद्धरित: फणीन्द्रः । सुरेन्द्रसंपूजितदेवदेवं, श्रीअंतरिक्ष शिरसा नमामि ।। ६ ।। धर्मोपदेष्टा भुवि भाविकानां तीर्थंकरः संघविधायको यः । धर्मस्य संस्थापकधर्ममूर्ति, श्रीअंतरिक्षं शिरसा नमामि ॥ ७ ॥ भक्तस्य वाञ्छा भुवि भाग्यलक्ष्मी-विधायको यः परमार्थसिद्धेः । मोक्षस्य दाता परमं पवित्रं, श्रीअंतरिक्षं शिरसा नमामि ॥ ८ ॥ . -बालेन्दु श्रीअन्तरिक्षपार्श्वनाथ जिनेश्वर. स्तवन (राग-जब तुम ही चले परदेश ) श्री अन्तरिक्षप्रभु पास, पूरो हम आश स्वामी सुखकारा, सेवकका करो उद्धारा Page #100 -------------------------------------------------------------------------- ________________ પાશ્વ ના થા [८५] विदर्भदेश के शिरपुरमें, तुम जाकर बैठे दूरदूरमें । - तुम दर्शन को आया हूँ जिनजी प्यारा...सेवक० १ तुम सेवामें मैं आया हूँ, महापुण्यसे दर्शन पाया हूँ। आनंद हुआ है दिलमै आज अपारा...सेवक० २ तुम मूर्ति अद्धर रहती है, अति चमत्कार चित्त देती है। तुम महिमा जगमें सोहे अपरंपारा...सेवक० ३ प्रभु तुमने रोग भिटाया है, श्रीपाल का कोढ हटाया है। मुज दुःख हरो करुणारसके भंडारा....सेवक० ४ तुम नामको नित्य समरता हूँ, करजोडके बिनति करता हूँ। जंबूको है. प्रभु तेरा एक सहारा...सेवक० ५ -रचयिता-मुनिराजश्री जंबूविजयजी महाराज શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ છંદ મધ્ય ભારતે વિદર્ભ દેશે શ્રીપુરનગરીને રાણે. ભવભયવારક જગજનતારક પાપવિદારક સુહામણે ભક્ત મનવાંછિત પૂરક જે સંશય છેદક ભવિ મનના, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષ અધર બિરાજે મન હરણ. ૧ કલિકાલે એ અદ્દભુત દીપે ચમત્કાર ગુણ ભર્યા દિસે, . જસે તેલે નહીં અન્ય તીર્થ કે દર્શન કરતા મન હસે, મખમંડલ જસ અતિવ મનહર નયન સુહંકર સુહાગણ. પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણું. ૨ Page #101 -------------------------------------------------------------------------- ________________ [૬] શ્રી અંતરિક્ષ ભજતા જેને નેત્ર ઉઘાડે બંધન તૂટે બંદીતણા, પુત્રપૌત્રની આશા પૂરે દુ:ખ મટે રેગી જનના ભક્તોનું દારિદ્રય નિવારે મનવાંછિત પૂરે સહના, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં, અધર બિરાજે મનહરણા. ૩ દશ દિશિમાં જસ કીર્તિ સુગંધી પ્રસરી અનુપમ અવનીમાં, ભક્તમધુપ ગુંજારવ કરતા દેડી આવે જંસ પદમાં; મન આનંદ ન મા જતાં મુખ પ્રમુદિત થાએ સહુના, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહર|. ૪ દૂષિત જાણી ધરા પરવશા અધર બિરાજે મહાપ્રભુ, જગજન દુ:ખે નિવારવાને અવતરિયા છે એહ વિભુ; પાપીજન ઉદ્વરે પ્રભુના પ્રભાવથી આ અવનીમાં, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણા૫ વિવિધ નામધારી બહુ દેશે પૂજાએ પારસ દેવા, પર્શ થતાં જસ સુવર્ણ થાએ ભક્ત-લેહ ફળતી સેવા; એવા પ્રભુના નામ ઘણું છે ભક્ત ઘણું દેવેંદ્રતા, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણા. ૬ પરદુષણ રાજાએ નિમીં ભાવી જિનની એ પ્રતિમા, કેઈક વત્સરે જલમાં રહીને પ્રગટ થઈ આ અવનીમાં ઇલ નૃપતિએ ભાવભક્તિથી લાવી અદ્ભુત એ રથમાં, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણ. ૭ શંકા જાગી નૃપતિ ચિત્તમાં સ્થિર થયા પ્રભુ શ્રીપુરમાં, મંદિર બાંધ્યું મનમાં રાખી ગર્વ ન બેઠા પ્રભુ એમાં સંઘે બાંધ્યું સુંદર મંદિર ભૂગર્ભે કીધી રચના, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણા. ૮ Page #102 -------------------------------------------------------------------------- ________________ પાશ્વનાથ [૭] આ વામાનંદનકેરા દર્શન કરવા સહુ આવે, પૂજન ભજન કરીને લેજે માનવ જન્મતણે હા, તારણતરણ ભવિકજનના એ અન્ય ન દીસે આ જગમાં, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણ. ૯ શ્યામસુંદર મૂર્તિ અલૌકિક ફણિધર શિર પર છત્ર ધરે, અર્ધ કરી પદ્માસન બેઠા ભક્તજનેના ચિત્ત હરે સફલ ગણે નિજ નેત્ર ભક્તજન દર્શન કરી પ્રભુ પાસતણું, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણ. ૧૦ મુકુટ કુંડલાલંકૃતિથી મુખમંડલ રત્ન તિલક સેહે, સ્વર્ણઘટિત મણિ મુક્તાફલના હાર કંઠમાં મન મેહે બાલેન્દુ નતમસ્તક થઈને ભાવે ગાવે ગુણ જિનના, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણ. ૧૧ –શ્રી બાલચંદ હીરાચંદ “સાહિત્યચંદ્ર Page #103 -------------------------------------------------------------------------- ________________ [૮૮] શ્રી અંતરિક્ષ શ્રી અંતરિક્ષજી તીર્થ શિરપુર (વરાડ) તીર્થરક્ષક કાર્યકારિણી સમિતિ તેહારા શ્રી બનસલાલજી કેચર, હીંગનઘાટ મેંતીલાલ વીરચંદ શાહ, માલેગામ ઉપપ્રમુખ , હરખચંદ હોશીલાલજી શાહ, બાલાપુર સર્વાધિકારી , કેશવલાલ મણીલાલ શાહ, sc. તેલ્હારા ઉપસર્વાધિકારી , સુમતિલાલ તનચંદ પટણું A. LL. B, એવલા માનદ સેક્રેટરી , કાંતિલાલ વીરચંદ શાહ LL. B. માલેગામ , કચરૂલાલ તેજમલ, ખામગામ સભાસદ , ચાંપશી ધનજી શેઠ ખામગામ , મણીલાલ હરખચંદ શાહ , હીંમતલાલ સાકળચંદ શાહ આકોલા ભેગીલાલ પીતાંબર શાહ ઝવેરચંદ લખમીચંદ શાહ અમલનેર , મણીલાલ ભાગચંદ શાહ અમલનેર ,, સુમતિલાલ ચંદુલાલ શાહ નાસિક , વિજયકુમાર ગિરધરલાલ બાલાપુર , વસંતલાલ ભેગીલાલ શાહ LL. B. માલેગામ , નથુલાલ સાકરચંદ પટણી એવલા ,, સુવાલાલ નેમીચંદ શેઠ હીંગલી , બનસીલાલ છેટુરામ માલીઆ વાશીમા , અખેચંદ મેતીચંદ શેઠ લેણર Page #104 -------------------------------------------------------------------------- _