SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૪] શ્રી અંતરિક ધા ચશોષયત | આ કર્ણરાજા સિદ્ધરાજ જયસિંહને પિતા થતું હતું. એટલે વિક્રમની બારમી સદીના લગભગ પૂર્વાર્ધની આ બધી વાત છે. એટલે સં. ૧૧૪૨ માં માલધારી અભયદેવસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવ્યાની વાત સમયની દષ્ટિએ જોતાં સંપૂર્ણ મેળ ખાય છે. પદ્માવતીદેવીએ વિક્રમ સંવત ૧૧૪૨ ના મહા સુદ ૫ ને રવિવારના દિવસે અંતરિક્ષજીની અભયદેવસૂરિ મહારાજને હાથે પ્રતિષ્ઠા કર્યાનું જણાવ્યું છે. ગણિતશાસ્ત્રની દષ્ટિએ તે દિવસે બરાબર રવિવાર આવે છે. , અભયદેવસૂરિ મહારાજે ભગવાનના ડાબે હાથે અધિષ્ઠાયક શાસનદેવતાની સ્થાપના કર્યાની 'જે વાત પદ્માવતીદેવીએ જણાવી છે તે પણ સંગત થાય છે. અત્યારે જ્યાં શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાન બિરાજે છે તે જ મંદિરમાં એક બીજું પણ નાનું ભેંયરું છે. તેમાં એક ઓટલા જેવી ઊંચી બેઠક છે તેના ઉપર ભગવાન પહેલાં વિરાજમાન હતા એમ માનવામાં આવે છે. આ બેઠકની બરાબર ડાબા હાથે જ અધિષ્ઠાયક દેવની સ્થાપના છે કે જે માણિભદ્ર નામથી ઓળખાય છે. આના ઉપર અત્યારે સિંદૂર ચડેલું છે એટલે મૂલસ્થાને ભગવાન વિરાજમાન હતા ત્યારે ડાબા હાથે જ અધિષ્ઠાયક દેવની સ્થાપના હતી તે વખતે ભગવાન પશ્ચિમાભિમુખ હશે. આ બેઠક ઉપર પણ માણિભદ્ર નામે ઓળખાતા અધિષ્ઠાયક દેવની બીજી સ્થાપના છે કે જે ભગવાનને ત્યાંથી ફેરવ્યા પછી કરવામાં આવી હશે. અત્યારે નવા સ્થાને ભગવાન પૂર્વાભિમુખ છે. મૂલ મંદિર નાનું હોવાથી દેવની સૂચનાથી ભાવવિજયજીએ ઉપદેશ કરી શ્રાવકે પાસે નવું મંદિર બંધાવ્યાની વાત પણ બરાબર છે, કારણ કે જ્યાં પહેલાં પ્રતિમા વિરાજમાન હતી અને
SR No.005693
Book TitleJain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSumtilal Ratanchand Patni
Publication Year2000
Total Pages104
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy