SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પાશ્વનાથ [૨૧] મંદિરમાં પધાર્યા નહીં આથી ખિન્ન થયેલા રાજાએ ધરણેન્દ્રનું મરણ કર્યું પણ રાજાના અભિમાનથી ધરણેન્દ્ર પણ ન આવ્યા તેથી અતિ ખિન્ન થયેલા રાજાએ મંત્રીએ પૂછ્યું કે ભગવાન ચૈત્યમાં આવતા નથી માટે શું કરવું ? મંત્રીએ વિચાર કરીને કહ્યું કે–રાજ ! એક ઉપાય છે. સર્વ શાસ્ત્રોમાં વિશારદ, અનેક રાજાઓને માન્ય તથા દેવીની જેમને સહાય છે એવા અભયદેવ નામના આચાર્ય છે. કર્ણ જેવા પરાક્રમી ગુજરાત દેશના કર્ણ (સિદ્ધરાજ જયસિંહના પિતા) રાજાએ તેમને “માલધારી એવી માપદવી આપી છે. ગયા જ વર્ષે આ આચાર્ય ખંભાતના સંઘ સાથે (કુપાકજી તીર્થમાં રહેલા) માણિક્ય દેવની યાત્રા કરવા માટે આ બાજુ પધાયો છે. અને હમણાં તેઓ દેવગિરિ (આજનું દૌલતાબાદ)માં બિરાજે છે. જે કંઈ પણ રીતે તેઓ અહીં પધારે તે નકકી તમારું કામ સિદ્ધ થશે.” આ પ્રમાણે મંત્રીનું કથન સાંભળીને રાજાએ મંત્રી દ્વારા ગુરુ મહારાજની ત્યાં પધરામણી કરાવી. આકાશમાં અદ્ધર રહેલી પ્રતિમા જોઈને આચાર્ય મહારાજને પણ ઘણું આશ્ચર્ય થયું. રાજાના મર્થ બધી વાત સાંભળીને તેમણે અડ્રમ કરીને ધરણંદ્રનું સ્મરણ કર્યું. ધરણે જે આવીને આચાર્ય મહારાજને કહ્યું કે “આ જિનમંદિર બંધાવીને રાજાએ મનમાં ઘણે મદ (અભિમાન-ગવ) કર્યો છે, તેથી રાજાના મંદિરમાં આ મૂર્તિ નહીં પધારે પણ સંઘે બધાવેલા મંદિરમાં જ પધારશે.” ધરણેન્દ્રનું વચન સાંભળીને આચાર્ય મહારાજે શ્રાવક સંઘને બોલાવીને કહ્યું કે–શ્રાવકે ! તમે અહીં જલદી નવું મંદિર બંધાવે. તમે બંધાવેલા મંદિરમાં પ્રતિમા પધારશે. આચાર્ય મહારાજનું વચન સાંભળીને તેમની સાથે આવેલા શ્રદ્ધાળુ અને ભક્તિમાન શ્રાવકેએ મળીને જિનમંદિર બંધાવ્યું.
SR No.005693
Book TitleJain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSumtilal Ratanchand Patni
Publication Year2000
Total Pages104
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy