________________
[ ૪૪ ]
શ્રી અંતરિક્ષ
હાવાને લીધે પરસ્પર ઘણુ- અથડામણુ ન થાય તે માટે અને પક્ષના લગભગ હજારેક જેનેાની એક મીટિંગ વિ. સં. ૧૯૬૧ (ઇસ્વીસન-૧૯૦૫)માં શિરપુર મળી ત્યાં શ્વેતાંબરે એ દિગ અને સાષવા માટે તેમની સાથે મળીને અને પક્ષના લેાકેાને નિયત સમયે વારા પ્રમાણે પોતપોતાની વિધિ પ્રમાણે પૂજા કરવાના નિયમ દર્શાવતુ પૃ. ૪૫ ઉપર આપેલ છે તે પદ્ધતિ મુજબ ટાઇમટેબલ તૈયાર કર્યુ..
*
ઉપરાંત એવા પણ નિયમ ઘડવામાં આવ્યે કે શ્વેતાંબરાના પ ણુ–પ ના દિવસેામાં શ્રાવણ વદ ૧૦ થી ભાદરવા શુદ ૪ સુધી દિગબરાએ સવારના ૬ થી ૯ સુધી ત્રણ કલાક જ પૂજા કરવી. બાકીના ૨૧ કલાક શ્વેતાંબર જ કરે. તે જ પ્રમાણે દિગઅરાના દશલક્ષણી (પર્યુષણ) પત્રના ભાદરવા શુદ પ થી અનંતચતુર્દશી-ભાદરવા શુદ ૧૪ સુધીના ૧૦ દિવસોમાં શ્વેતાંબરાએ સવારના ૬ થી ૯ સુધી જ પૂજા કરવી અને બાકીના ૨૧ કલાક દિગંખરાએ કરવી.
કોઇપણ પક્ષના લેાકેાને ગમે ત્યારે દર્શન કરવા જવાની છૂટ છે.
ત્યાર પછી બીજે વર્ષે સ. ૧૯૬૨ માં કારજામાં બંને પક્ષની મીટિંગ મળી અને તેમાં એવા સુધારો કરવામાં આવ્યા કે આસે। વદ ૧૪ના દિવસે વેતાંબરાએ સવારના ૬ થી ૯ સુધી જ પૂજા કરવી. બાકીના ૨૧ કલાક દિગ ંબરવિધિ પ્રમાણે તેમ જ આસે। વદ અમાવાસ્યાને દિવસે સવારમાં ૬ થી ૯ કિંગ'બર વિધિ પ્રમાણે અને માકીના ૨૧ કલાક શ્વેતાંખર વિધિ પ્રમાણે પૂજા વગેરે કરવુ.
આ ટાઇમટેબલ અત્યારે પણ તે જ પ્રમાણે ચાલુ છે.