________________
[૨]
શ્રી અંતરિક્ષ જરા પણ આધાર રાખ્યા સિવાય તેમ જ પાછળ તથા બંને પડખે ભીંતને જરા પણ સ્પર્શ કર્યા વિના ભૂમિથી એક આંગળ અદ્ધર જ વિરાજે છે. પ્રતિમાજીની નીચેથી બરાબર અંગભૂંછણું પસાર થાય છે. તેમ જ પ્રતિમાજીની પલાંઠી પાસે બંને પડખે દીવા મૂકીને પણ મૂર્તિની નીચે તેમ જ પાછળ સર્વત્ર પથરાઈ જતા પ્રકાશ જોઈ શકાય છે.
એક નાનું સરખું પાંદડું પણ આકાશમાં અદ્ધર નથી રહી શકતું, છતાં આટલા મોટા અને વજનદાર પ્રતિમાજી સેંકડો વર્ષોથી કઈ પણ આધાર વિના અદ્ધર બિરાજે છે એ એક મહાન અતિશય જ છે. અંધકારમય કલિયુગમાં પણ અપાર તેજથી ઝગમગતી ખરેખર આ તેજસ્વી ત છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનને મહિમા અને પ્રગટ પ્રભાવ સુપ્રસિદ્ધ છે જ, છતાં સર્વ માણસે પ્રત્યક્ષ જોઈ શકે એ પ્રભાવ તે અહીંયા જ દષ્ટિગોચર થાય છે. આ પ્રતિમાનાં દર્શન કરીને આસ્તિકના આનંદ અને વિસ્મયને તે પાર રહેતા નથી જ, પરંતુ નાસ્તિકની બુદ્ધિ પણ
અહીંયા તે આવીને નમી જાય છે અને તેને આસ્તિક બનાવી દે તે આ ચમત્કાર છે. માત્ર જેને જ નહીં, પણ શિરપુરમાં તેમ જ આજુબાજુના ગામમાં વસતા જૈનેતરે પણ આ મૂર્તિ ઉપર અપાર શ્રદ્ધા ધરાવે છે અને દર્શનાર્થે તથા વંદનાર્થે આવે છે.
આવા પ્રભાવશાળી આ તીર્થની યાત્રા કરવા માટે સેંકડે વર્ષોથી ભારતવર્ષના ખૂણેખૂણેથી લાખોની સંખ્યામાં આજ સુધી યાત્રાળુઓ આવ્યા છે અને અત્યારે પણ યાત્રાળુઓને પ્રવાહ સતત ચાલુ રહ્યા જ કરે છે. જિનાલયના કંપાઉંડમાં તેમ જ કંપાઉંડ બહાર મોટી ધર્મશાળા છે. યાત્રાળુઓને માટે ભેજનશાળા પણ અત્યારે ચાલુ છે. શિરપુર જવા માટે મધ્ય (Central) રેલવેના આકેલા સ્ટેશને ઉતરવું પડે છે. આકેલામાં તાજના પેઠમાં