________________
। नम: श्रीअन्तरिक्षपार्श्वनाथाय ।
श्री अंतरिक्षपार्श्वनाथजीतीर्थ
* ઈતિહાસ અને માહામ્ય અકલ્પ
આ તીર્થનું સતત ચાલતું સ્મરણ. अंतरिक्ष वरकाणो पास, जीरावला ने थंभणपास । गाम नगर पुर पाटण जेह, जिनवर चैत्य नमु गुणगेह ।।
આ વાર્તા વંટન સ્તોત્રની કડીથી પ્રાત:કાલના પ્રતિકમણમાં આપણે જેમને નિત્ય નમન કરીએ છીએ તે શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનનું તીર્થ હમણાં વરાડને નામે ઓળખાતા પ્રાચીન વિદ્યમ દેશના આકેલા જીલ્લાના વાશીમ તાલુકાના લગભગ ૨૦ ઉત્તર અક્ષાંશ અને ૭૦ પૂર્વ રેખાંશ ઉપર રહેલા શિરપુર નામના ગામમાં આવેલું છે ગામના એક છેડા ઉપર આપણું જિનાલય છે. તેમાં ભેંયરાની અંદર એક મેટા ગોખલામાં લગભગ મસ્તક સુધી ૩૬ ઇંચ ઊંચી અને ફણા સુધી ૪ર ઇંચ ઊંચી તથા ૩૦ ઇંચ પહોળી શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથસ્વામીની મૂર્તિ બિરાજે છે. મતરિક્ષ શબ્દનો અર્થ “આકાશ” થાય છે એટલે ઊંચે આકાશમાં અર્થાત કેઈ પણ આધાર વિના ભૂમિથી અદ્ધર રહેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા એ શ્રી મન્તરિક્ષાર્શ્વનાથ શબ્દનો અર્થ થાય છે. અને ખરેખર આ પ્રતિમાજી ભૂમિનો