________________
[૪]
શ્રી અંતરિક્ષ (હિંદુઓ) એને મોટું તીર્થધામ માને છે. નદીના કાંઠા ઉપર જ બરાબર કૃષ્ણ (વિઠ્ઠલ)-રુકિમણીનું એક મંદિર છે અને ત્યાં કાર્તિકી પૂર્ણિમા ઉપર પ્રતિવર્ષ ઘણું મેટી યાત્રા (મેળો) ભરાય છે. કુંડિનપુરને લેકે કૌડિન્યપુર પણ કહે છે.
. श्री अन्तरिक्षपार्श्वनाथजी तीर्थनो इतिहास
આવા આ પ્રાચીન વિદર્ભ દેશની ભૂમિને પવિત્ર કરી રહેલા આપણા તીર્થની સ્થાપના કયારે કેના હાથે અને શી રીતે થઈ વગેરે જાણવું આવશ્યક અને ખાસ રસદાયક છે. આ તીર્થની યાત્રા કરવા માટે પૂર્વ અનેક આચાર્યાદિ મુનિવરે આવી ગયા છે. વાચકપ્રવર ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ પણ અહીં આવી ગયા છે અને તેમણે અંતરિક્ષજીના બે સ્તવને બનાવ્યા છે. યાત્રાર્થે આવેલા મુનિરાજે પૈકી કેટલાક આ તીર્થના સંબંધમાં સંક્ષિપ્ત અથવા વિસ્તૃત નોંધ પણ લખતા ગયા છે કે જેમાંથી આપણને આ તીર્થને લગતી ઐતિહાસિક માહિતી મળી શકે છે. આપણે પણ આ તીર્થને ઇતિહાસ જાણવા માટે એ જ પ્રાચીન ઉલેખો અને પ્રમાણે તરફ વળવું જોઈએ.
શ્રી અંતરિક્ષજીના સંબંધમાં તપાસ કરતા પ્રાચીન ઉલ્લેખ ઘણું મળી આવે છે. જો કે તેમાંના ઘણુંખરામાં અંતરિક્ષપાશ્વ નાથ ભગવાનના નામનો જ ઉલ્લેખ છે, છતાં પાંચ-સાત એવા પણ ઉલ્લેખ છે કે જેમાં શ્રી અંતરિક્ષજી તીર્થને ઈતિહાસ પણ , આપેલે છે. આ ઉલેખે કેટલીક વાતોમાં પરસ્પર મળતા છે
જ્યારે કેટલીક વાતેમાં પરસ્પર ભેદ પણ પડે છે. ઉલ્લેખ વાંચવાથી અને સરખાવવાથી ભેદ આપોઆપ સમજાઈ જશે.
આ ઉલ્લેખ સંસ્કૃત, પ્રાકૃત તથા ગુજરાતી એમ ત્રણે ભાષામાં અને તે લેખના છેવટના ભાગમાં યથાલભ્ય યથાશકર્યો