Book Title: Atmavishuddhi
Author(s): Kesharsuri
Publisher: Premji Hirji Shah Mumbai
Catalog link: https://jainqq.org/explore/001172/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ લેખક આચા ) મહા For Private & Perschal Use Only ત્યકાર, Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મવિશુદ્ધિ જેમાં આત્માનું સ્વરૂપ, આરાધન, આત્મપ્રાપ્તિનાં સાધનો વગેરે આત્માના ઉચ્ચ આદર્શ બતાવે છે. લેખક આચાર્ય શ્રીમદ્દ વિજયકેશરસૂરીજી મહારાજ પ્રકાશક: થી પ્રેમજી હીરજી શાહ (નાની ખાખર કચ્છ) ૧૮૦/૩ એ ગાંજાવાલા એપાર્ટમેન્ટ, બોરીવલી, મુંબઈ - ૪૦૦ ૦૯૨ સંવત ૨૦૪૭ મુદ્રક : જયંત પેકેજિંગ, ફોન ઃ ૫૬૦ ૦૩૧૯ કિંમત ઃ સદુઉપયોગ Page #3 -------------------------------------------------------------------------- ________________ श्रीमद आचार्य महाराज श्री विजयकेशर सूरीश्वरजी. योगशास्त्र ध्यानदीपीका, सम्यकदर्शन, गृहस्थधर्म, मलयसुंदरी, आनंद अने प्रभू. महावीर तत्त्वप्रकाश, आत्मविशुद्धि इत्यादिना कर्ता. Page #4 -------------------------------------------------------------------------- ________________ મોટા ... જ પ્રસ્તાવના આ વિશ્વમાં જ્યાં જ્યાં નજર કરવામાં આવે છે ત્યાં ત્યાં સર્વ સ્થળે જીવો ત્રિવિધ તાપથી તપતા જોવામાં આવે છે. પછી તે સામાન્ય મનુષ્ય હોય કે મોટો રાજા- મહારાજા હોય પણ કોઈ ને કોઈ દુઃખથી તો પીડાતોજ હોય છે. વધારે સંપત્તિ કે ઉપાધિવાળાને વધારે દુઃખ અને થોડી સંપત્તિ કે ઉપાધિવાળાને થોડું પણ દુઃખ હોય છે. આત્મા સિવાય એક એવી વસ્તુ છે કે જેની સર્વ જીવોને જરૂરિયાત મનાણી છે, અને તેને મેળવવા સર્વ જીવો પ્રયત્ન કરી રહ્યા છે. આ વસ્તુ મેળવવા અને મેળવ્યા પછી તેનો ઉપયાગ કરવામાં કે તેનું રક્ષણ કરવામાં જીવને જીવનનો મોટો ભાગ તેની પાછળ ખરચવો પડે છે. છતાં તે વસ્તુથી છેવટે તો જીવ નિરાશ જ થાય છે, કેમકે તે વસ્તુ તેનું રોગથી, વહાલના વિયોગથી, વૃદ્ધાવસ્થાથી કે મરણથી રક્ષણ કરી શકતી નથી. છેવટે નિરાશ થયેલ જીવ આ સર્વ દુઃખથી મુકિત મેળવવા પ્રયત્ન કરે છે. આ મુક્તિ આ વસ્તુઓની હૈયાતીથી મળતી નથી પણ તેનો ત્યાગ કરવાથીજ મળે છે. તેના તરફના મોહ-મમત્ત્વવાળા સ્નેહભાવનો ત્યાગ કરવાથી જ મળે છે. આ છેવટના નિશ્ચયવાળું જ્ઞાન છે. આ જ્ઞાન થયા પછી તે સર્વસ્વના ત્યાગ માટે તેને પુરુષથ કરવો પડે છે. આ ત્યાગ કાંઈ માથે ઉપાડેલો બોજો ફેંકી દેવા જેટલો સહેલો નથી. પણ યુકિતપૂર્વક ધીમે ધીમે પોતાની લાયકાત પ્રમાણે ત્યાગ કરવાની જરૂર પડે છે. આસક્તિ અને જરૂરિયાત ઓછી કર્યા વિનાનો ત્યાગ રૂપાંતરે તેને ફ્સાવનારો અને અજ્ઞાન તથા અભિમાન વધારનારો થાય છે. વસ્તુતત્ત્વના નિશ્ચય પછીનો ત્યાગ, પોતાના ખરા કર્તવ્યને સમજ્યા પછીનો ત્યાગ તેનો માર્ગ સરળ કરી આપનારો, વિઘ્નોને હટાવનારો અને . Page #5 -------------------------------------------------------------------------- ________________ આત્માની નિર્મળતા કરાવી આપનારો થાય છે. આ ગ્રંથનો ઉદ્દેશ એ જ છે, અને એટલા માટે આ ગ્રંથને આત્મવિશુદ્ધિ એવું નામ આપવામાં આવ્યું છે. કેમકે આ ગ્રંથની અંદર વસ્તુતત્ત્વનો નિશ્ચય કરાવીને જીવને પોતાના ખરા કર્તવ્ય તરફ દોરવામાં આવેલ છે. આ માયાના ખરા સ્વરૂપને સમજીને જીવ તે તરફથી પાછો હટી પોતાના સત્ય સ્વરૂપ આત્મા તરફ વળે તે આ ગ્રંથનો ઉદ્દેશ છે.માયાના-પુદ્ગલના ત્યાગ વિના આત્મસ્વરૂપ પ્રગટ થતું નથી. માયા, અજ્ઞાન, કર્મો, પુદ્ગલો, આસક્તિ વિગેરે જે કાંઈ આત્માને આવરણ રૂપ થઈને તેના ખરા સ્વરૂપને પ્રકટ કરવા દેતું નથી તેનો ત્યાગ કરવો જ જોઈએ, એ ગ્રંથનો વિષય છે. એટલા માટે જુદાં જુદાં સાધનો દ્વારા શુદ્ધ આત્માને પ્રકટ કરવાનું આ ગ્રંથમાં બતાવવામાં આવેલ આ ગ્રંથ ઘણો નાનો છે. છતાં ઉપયોગી વિષયોથી ભરપૂર છે. આ ગ્રંથનાં અઢાર પ્રકરણો છે. જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે તે શુદ્ધ આત્માનું પ્રતિપાદન કરનાર પ્રથમ પ્રકરણ છે. આ શુદ્ધ આત્મા જ આરાધવા યોગ્ય છે. બાકી વગર ઉપદેશે પણ જીવો માયાની આરાધના તો કરી રહ્યા જ છે. એટલે શુદ્ધ આત્માના. આરાધના કરવાનો ઉત્સાહ ઉત્પન્ન કરનાર બીજું પ્રકરણ છે. આ શુદ્ધ આત્માની પ્રાપ્તિમાં ઉપયોગી સાધનોની જરૂરિયાત જીવોને હોય છે. તેના વિના આરાધના કેવી રીતે કરી શકાય ? તેટલા માટે ત્રીજા પ્રકરણમાં આત્મપ્રાપ્તિના સાધનો બતાવવામાં આવ્યાં છે. આ સાધનોમાં મનના અનેક પ્રકારના વિકલ્પો આડે આવે છે. આ વિકલ્પો એ જ દુઃખનું બીજ છે તે સમજવા માટે ચોથું પ્રકરણ આપવામાં આવેલ છે. વિકલ્પો એ જ દુખનું બીજ છે એમ જ્યારે જીવને બરાબર સમજાય છે ત્યારે જીવ પોતાની પાછલી જિંદગી અને તેમાં કરેલાં સત્ય માર્ગથી વિરુદ્ધ વર્તનો યાદ કરીને તેનો પશ્ચાત્તાપ કરે છે. તે બાબતને જણાવનારું પાંચમું પ્રકરણ છે. આમ પોતાના ખરા જીવનનો દુરુપયોગ કરનાર પશ્વાત્તાપ કરીને છે Page #6 -------------------------------------------------------------------------- ________________ નિરાશ ન થઈ જાય પણ શૂરવીર થઈને થયેલી ભૂલોને સુધારે અને પ્રભુના માર્ગમાં આગળ વધે તેટલા માટે જાગૃત થયેલ આત્મા આગળ વધવા માટે આત્મસ્મરણની પ્રતિજ્ઞા કરે છે એ વાતને જણાવનારું છઠું પ્રકરણ આપવામાં આવેલ છે. આત્મસ્મરણથી પ્રતિજ્ઞા કરનાર જીવ જે પોતાને ક૨વા યોગ્ય માર્ગનો અજાણ હોય તો આત્મણની પ્રગટ થતી શક્તિનો ઉપયોગ એકમાર્ગે કરી બેસે, અથવા એકલા વ્યવહારને માર્ગે દોરવાઈ જઈ ખરું કર્તવ્ય ભૂલી જાય અથવા એકલા નિશ્ચયના માર્ગને જાણીને કર્તવ્ય કરતો અટકી બેસે તેટલા માટે નિશ્વય અને વ્યવહાર માર્ગની સમજ આપનારું સાતમું પ્રકરણ આપવામાં આવ્યું છે. આ નિશ્ચય અને વ્યવહારને જડ વસ્તુની બનેલી વિવિધ આકૃતિઓમાં તથા ચેતન આત્મામાં બનતા વિવિધ ઉપયોગોમાં યથાયોગ્યપણે મૂળ વસ્તુનું ભાન કાયમ રાખીને યોજવાની જરૂર છે. જો તેમ કરવામાં ન આવે તો નિશ્ચય વ્યવહારના એકલા જ્ઞાનથી વિશેષ લાભ થતો નથી. એટલા માટે આઠમા પ્રકરણમાં જડચેતનનો વિવેક બતાવવામાં આવ્યો છે. આમ જડચેતનના વિવેકનું જ્ઞાન કરનાર જીવે મોહનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. જો મોહનો ત્યાગ કરવામાં ન આવે તો જડચેતનનો વિવેક નકામો છે. એ બતાવવા માટે નવમા પ્રર્કરણમાં મોહનો ત્યાગ કરવા સંબંધી વિવેચન કરવામાં આવેલ છે. મોહનો ત્યાગ કરનાર જરૂર અહંકારનો ત્યાગ કરે, કેમકે અહંકાર એ ભવવૃક્ષનું બીજ છે. અહંવૃત્તિ કામ ક્રોધાદિ મોહના બધા સુભટોનું જીવન છે. તે હોય તો જ તેમની હૈયાતી છે. અહંકારથી તેમને પોષણ મળે છે. માટે દશમા પ્રકરણમાં અહંકારનો ત્યાગ કરવાનું કહેવામાં આવ્યું છે. વ્યવહારમાં મોહ તથા અહંકાર વગેરેનો ત્યાગ કરનારા મળી આવે છે. પણ તેઓ આત્મા તરફ પ્રવૃત્તિ કરતા ન હોવાથી આત્માની ઉજજવળતા પ્રકટ કરી શકતા નથી. આત્માની ઉપાસના વિના આત્માની નિર્મળતા પ્રકટ થતી Page #7 -------------------------------------------------------------------------- ________________ નથી એ બતાવવા માટે આત્માની ઉપાસના કરનારા જીવો કોઈકજ હોય છે તે બાબતનું અગિયારમું પ્રકરણ છે. આત્માની ઉપાસના તેના ગુણો દ્વારા બની શકે છે. જ્ઞાનદર્શન, ચારિત્ર એ આત્માના મુખ્ય ગુણો છે. તેની ઉપાસના કરવા માટે જ્ઞાનાદિ રત્નત્રયના સ્વરૂપને બારમા પ્રકરણમાં બતાવવામાં આવેલ છે. જ્ઞાનાદિ રત્નત્રયમાં પ્રવેશ કરવા માટે સાધનોની જરૂર છે. કેમકે સાધન વિના આત્માની નિર્મળતા થવી મુશ્કેલ છે, એટલે તેરમા પ્રકરણમાં વિશુદ્ધિનાં અનેક સાધનો બતાવવામાં આવ્યાં છે. આ સાધનોનું સેવન કરવા છતાં પોતાનું મૂળ સાધ્ય સાધકોએ ભૂલવું ન જોઈએ. મૂળ નિશાન તરફ લક્ષ રાખીને બધાં સાધનો સેવવાં અને સાધનોનો મૂળ સાધ્ય સાથે સંબંધ જોડાય છે કે કેમ તે બરોબર લક્ષમાં રહે તે માટે ચૌદમાં પ્રકરણમાં આત્મલક્ષ રાખવા સાધકોનું દયાન ખેંચવામાં આવ્યું છે. મૂળ સાધ્ય તરફ લક્ષ રાખવા છતાં પૂર્વના લાંબાં કાળના સંસ્કારને લીધે, વારંવાર આત્મા સિવાય પદ્રવ્યના ચિંતનમાં મન દોડયું જાય છે. તે સંબંધી જાગૃતિ આપવા માટે દૃઢતાથી પણ પરવસ્તુના ચિંતનનો ત્યાગ કરવાનું પંદરમાં પ્રકરણમાં કહેવામાં આવ્યું છે. આત્મા નિમિત્તને આધિન છે. નિમિત્તો મળતાં વારંવાર ઉપયોગ બદલાઈ જાય છે. એટલે ઈચ્છા ન છતાં પદ્રવ્યનું ચિંતન નિમિત્તોના કારણે થઈ જાય છે તે અટકાવવા માટે બાહ્ય નિમિતા પણ દૂર કરવાની આ જીવને અમુક હદ સુધી જરૂર છે તે જણાવવા માટે નિર્જન સ્થાન નામનું સોળમું પ્રકરણ કહેવામાં આવ્યું છે. આ નિર્જન સ્થાનમાં રહી જ્ઞાતા અને શેય જાણવા લાયક પદાર્થો અને Page #8 -------------------------------------------------------------------------- ________________ જાણનારો એ બે ભાવોનો પરસ્પર લોઢું અને લોહચુંબકની માફક જે ખેંચાણવાળો આકર્ષણ કરવાવાળો, રાગદ્વેષની લાગણીથી સંબંધ જોડાયેલો છે તેને જુદો પાડવા-મધ્યસ્થતાવાળા જ્ઞાતા અને દુષ્ટ ભાવે રહેવા માટે સત્તરમા પ્રકરણમાં જ્ઞાતા અને શેય સંબંધી હકીકત બતાવવામાં આવી છે. આમ જ્ઞાતા અને શેયનો નિશ્ચય કર્યા પછી સાધકના માટે બે માગ પ્રયોગ કરવાના રહે છે. એક ક્રમનો ધીમો માર્ગ. બીજો ઉત્કમનો ઉતાવળો માર્ગ પોતાની યોગ્યતાની તપાસ કરીને સાધકે બેમાંથી એક માર્ગ ગ્રહણ કરીને તે માર્ગે પોતાની બધી શક્તિ કામે લગાડવી. આ વાતને જણાવવા માટે કટિકા અને વિહંગમ માર્ગ એક જમીનનો યા આધારવાળો માર્ગ અને બીજો આકાશી નિરાલંબન માર્ગ અઢારમા પ્રકરણમાં બતાવવામાં આવ્યો છે. અને આ પ્રમાણે ગ્રંથની પૂર્ણાહુતી કરવામાં આવી છે. આમ આ પ્રકરણનો અન્યોન્ય કાંઈક સંબંધ છે એમ જણાવવા સાથે આ ગ્રંથનો વિષય બતાવવામાં આવ્યો છે. આ ગ્રંથના અધિકારી આત્મસુખના અભિલાષી જીવો છે. તેમને આ ગ્રંથમાંથી કાંઈક કર્તવ્યના ભાન થવા સાથે વર્તનમાં મૂકવાનો માર્ગ હાથ લાગે અને તેઓ આ માર્ગે પ્રવૃત્તિ કરી પરમશાંતિ પામે એ આ ગ્રંથ લખનારનો હેતુ છે. આ ગ્રંથ મેં કાંઈ સ્વતંત્ર લખ્યો નથી પણ પૂર્વના અનુભવી મહાન પુરુષોના સંગ્રહી રાખેલા વિચારોનું દોહન કરીને આત્માર્થી જીવો માટે આ આકારમાં ગોઠવ્યો છે. એટલે ગ્રંથના કત તરીકેનું ખરું માન તો તે મહાત્માઓને ઘટે છે. જે સારું તે મહાન પુરુષોનું છે, અને તેને આ ભાષામાં ઉતારતાં ભૂલ થઈ હોય તે મારી છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથ ગયા ચાતુમાંસમાં રાણપુર મુકામે તૈયાર કરવામાં આવ્યો હતો. સંવત ૧૯૮૨નું ચાતુમસિ ભાવનગરમાં રહીને તેમાં સુધારો-વધારો કરીને ફરી લખવામાં આવ્યો છે. આ ગ્રંથનો લાભ અનેક મનુષ્યોને આત્મશાંતિ માટે થાય એમ ઈચ્છીએ તથા પ્રભુ પાસે પ્રાર્થના કરીને વિરમું છું. સંવત ૧૯૮૩ માગસર વદ ૫. લિ. કેશરવિજયજી મુ. શીહોર. Page #10 -------------------------------------------------------------------------- ________________ નિવેદન આ આત્મવિશુદ્ધિ ગ્રંથ કે જેમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ આત્માનું આરાધન, આત્મપ્રાપ્તિનાં સાધનો વિકલ્પોથી થતું દુધ જીવનો પશ્વાત્તાપ વગેરે વિષયોથી ભરપૂર સારી, સરલ ગુજરાતી ભાષામાં આ ગ્રંથ આચાર્ય શ્રીમદ વિજયકેશરસૂરીજીએ લખેલો છે. તેઓશ્રીએ ભાષાંતર તેમ જ સ્વતંત્ર લગભગ અઢાર ગ્રંથો જનસમાજ ઉપર ઉપકાર કરવા માટે લખેલ જે પ્રકટ થયેલ છે. તેઓશ્રીની લેખન શૈલી સાદી, સરલ તેમ જ સર્વ જન ગ્રહણ કરી શકે તેવી છે. તેમ તેઓશ્રીએ પ્રકટ કરેલા ગ્રંથોને વાચક જાણી શકે છે. આ ગ્રંથ આત્મસ્વરૂપની જાગૃતિ આપે તેવો છે. શ્રીમતી ઝવેરબહેન પ્રેમજી શાહ Page #11 -------------------------------------------------------------------------- ________________ કરતા કરતા હો થત 2 કપ ક રહી નિરીનીes.fr shi શી પ્રેમજી હીરજી શાહ શ્રીમતી ઝવેરબહેન પ્રેમજી શાહ Page #12 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ્રકરણ પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠું સાતમું આઠમું નવમું દશમું અગિયારમું બારમું તેરમું ચૌદમું પંદરમું સોળમું સત્તરમું અઢારમું વિષય શુદ્ધ આત્મા શુદ્ધ આત્માનું આરાધન આત્મપ્રાપ્તિનાં સાધનો વિકલ્પથી ઉત્પન્ન થતું દુઃખ જીવનો પશ્ચાત્તાપ. આત્મસ્મરણ પ્રતિજ્ઞા નિશ્ચય વ્યવહાર જડચેતનનો વિવેક મોહત્યાગ અહંકાર ત્યાગ આત્મઉપાસકોની દુર્લભતા જ્ઞાનાદિ રત્નત્રય વિશુદ્ધિનાં સાધનો આત્મલક્ષ પરવસ્તુના ચિંતનનો ત્યાગ નિર્જન સ્થાન જ્ઞાતા અને શેય. કીટિકા અને વિહંગમ માર્ગ ૮૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ પ્રકરણ પહેલું (૧) શુદ્ધ આત્મા अर्थान यथास्थितान सर्वान,समं जानाति पश्यति निराकुला गुणी योडसौ, शुद्धचिद्रूप उच्यते ।।१।। વિશ્વમાં રહેલા સર્વ પદાર્થોને, જેવી રીતે છે તેવી રીતે બરોબર જે જાણે છે અને જુએ છે, તે વ્યાકળતા વિનાના અને ગુણી આત્માને શુદ્ધ જ્ઞાન સ્વરૂપ કહેવામાં આવે છે.” શુદ્ધ આત્મા સત્તામાંથી પોતાના ખરા સ્વરૂપમાં પ્રકાશિત થાય છે ત્યારે તે દેહ અને કર્મના કોઈ પણ અણુઓથી વીંટાએલો હોતો નથી. તે એકીવખતે આ વિશ્વને જાણે છે અને જુએ છે. વિશ્વના તમામ પદાથોને તેના ખરા સ્વરૂપમાં જાણે છે. તે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દરહિત હોવાથી નિરંજન છે. ઈન્દ્રિયો તેને કોઈ પણ રીતે ગ્રહણ કરી શકતી નથી. પોતાના અનુભવથી જ તે જાણી શકાય છે. તે શુદ્ધ આત્માને ત્યાગ કરવા યોગ્ય, ગ્રહણ કરવા યોગ્ય કે જાણવા યોગ્ય કાંઈ બાકી રહેતું નથી. તેને હવે ધ્યાન કરવા યોગ્ય કે જાણવા યોગ્ય કાંઈ બાકી રહેતું નથી તેને હવે ધ્યાન કરવા યોગ્ય કાઈ ધ્યેય નથી. કેમકે પોતાનું પૂર્ણ સ્વરૂપ પ્રકટ થઈ ગયું છે. તેનાથી આગળ કોઈ ભૂમિકા ન હોવાથી તે સર્વથી ઉત્કૃષ્ઠ તત્ત્વ છે. જ્ઞાતા અને દષ્ટા એ આત્માનો સ્વભાવ પૂર્ણ સ્વરૂપે પ્રકાશિત થયેલો છે. અન્ય સર્વ દ્રવ્યોથી તે મુક્ત હોવાથી શુદ્ધ છે. નિર્મોહી મનુષ્યોને તે Page #15 -------------------------------------------------------------------------- ________________ ઘણી સહેલાઈથી પ્રાપ્ત થવા યોગ્ય છે. મોહવાળાં પ્રાણીઓ આ આત્માને મેળવી કે અનુભવી શકતા નથી. આ આત્માની આદિ નથી, તેમ તેનો નાશ પણ નથી. અપેક્ષાએ સ્થિતિ, ઉત્પત્તિ અને વ્યય સ્વરૂપ છે. આત્મા જ્યારે કોઈ વસ્તુને પોતાના જ્ઞાન દ્વારા એ જુવે છે ત્યારે આ જોવા રૂપ ઉપયોગપરિણમવું તે રૂપે તેની ઉત્પત્તિ છે. જાણવારૂપ ઉપયોગમાંથી ખસીને જોવા ૩૫ ઉપયોગે પરિણમવું તે તે સ્થિતીનો વ્યય-નાશ છે. અને જોવા તથા જાણવાના બન્ને ઉપયોગમાં પોતાની હૈયાતિ હોવી તે તેની સ્થિતિ છે. એમ ઉપયોગની અપેક્ષાએ આત્મા ઉત્પન્ન થાય છે. પૂર્વ ઉપયોગે નાશ પામે છે અને સ્વ સ્વરૂપે કાયમ ટકી રહેતો હોવાથી આત્મા અમર છે. ઉપયોગ બે પ્રકારના છે. એક સાકાર ઉપયોગ અને બીજો નિરાકાર ઉપયોગ. સાકાર ઉપયોગ તે જ્ઞાન છે. નિરાકાર ઉપયોગ તે દર્શન છે. આત્મા જ્ઞાન દ્વારા પોતાની વિશ્વ પ્રકાશક શક્તિરૂપે પ્રકાશે છે તે જ્ઞાન ઉપયોગ છે. જ્ઞાન દ્વારા આ વિશ્વને જાણે છે. વિશેષ પ્રકારે જાણવું તે જ્ઞાન છે. સામાન્ય પ્રકારે જાણવું તે દર્શન છે. અથવા સ્વ પરસ્વરૂપ વિશ્વ છે તે જ્ઞાનથી જાણવામાં આવે છે. ત્યારે નિરાકાર સ્વરૂપ દર્શન ઉપયોગે આત્મા પોતાના સ્વરૂપમાં લીન જ્યાં સુધી કર્મની સાથે તે જોડાયેલો રહે છે ત્યાં સુધી તે અશુદ્ધ છે અને કર્મથી મુક્ત થતાં તે શુદ્ધ થાય છે આવ્યવહારુ દષ્ટિ છે. ખરી રીતે સત્તાગત તેના સ્વરૂપમાં ફેરફાર થતો નથી. જેમ કે દૂધની અંદર પાણી ભેળવવામાં આવ્યું હોય છતાં જે દૂધના પરમાણું છે તે દૂધનાં છે, અને પાણીના પરમાણુ છે તે પાણીનાજ છે. દૂધ પાણી થતું નથી અને પાણી છે તે દૂધ થતું નથી. હંસની ચાંચ લાગતાં જ દૂધ અને પાણી હતાં તેમ જુદાં થઈ જાય છે. તેમ આત્મા અને કર્મના અણુઓ અનુભવ જ્ઞાન થતાં પોતપોતાના ખરા સ્વરૂપમાં પ્રગટ થઈ રહે છે. અથવા લોઢું અગ્નિમાં પડવાથી લાલચોળ જેવું થઈ રહે છે. એકરૂપ થઈ જાય છે. લોઢું જ અનેઅગ્નિ એ વખતે જુદાં ન પાડી શકાય તેવાં લાગે છે છતાં બંને પોતપોતાના પવન લાગવાથી ધીમે ધીમે અગ્નિનાં પરમાણું લૌઢાથી Page #16 -------------------------------------------------------------------------- ________________ અલગ થઈ જાય છે અને બાકી જેવું હતું તેવું લોઢું જ પડયું રહે છે. અથવા પાણી નાખવાથી અગ્નિા ઉષ્ણ પરમાણુ હવામાં ઊડી જાય છે અને લોઢું જુદું થઈ રહે છે. અથવા એક રત્ન છે, તેના ઉપર રેશમી કપડું લપેટવું તેને દોરેથી બાંધી એક નાની ડબીમાં મૂક્યું ડબી નાની પેટીમાં મૂકી, નાની પેટી એક મોટી પેટીમાં મૂક, મોટી પેટી તેજુરીમાં મૂકી, તેજુરી ઓરડામાં મૂકી, આરડો ઘરની. અંદર આવ્યો છે ત્યાં તાળું વાસ્તુ, હવે વિચાર કરતાં સમજાશે કે તે રત્નની ઉપર ધણાં આવરણો આવેલાં છે છતાં રત્ન જ્યાં છે ત્યાં તો જેમ છે તેમજ છે, નથી તેમાં ધટાડો થયો કે નથી તેમાં ફેરફાર થયો. જેવું પ્રથમ પ્રકટ હતું તેવુંજ બંધન વખતે પણ છે. તેમ જ આત્મા સત્તાગતે જેવો છે તેવો જ પ્રગટ થાય છે ત્યારે પણ છે. ફેરફાર એટલો થાય છે કે જેવું બહાર પ્રકટ રત્ન દેખાય છે તેવું આ દ્રષ્ટિએ સત્તામાં પડેલું દેખી શકાતું નથી. એટલા માટે જ તે રત્ન ઉપરનાં આવરણો દૂર થાય તો પ્રત્યક્ષ અનુભવ અને ઉપયોગ થઈ શકે છે. તેમજ સત્તાગત આત્મા પ્રકટ થાય તો આનંદરૂપે તેનો અનુભવ થાય છે. અને કર્મબંધનો ને લઈને વારંવાર અશાતિ, જન્મ-મરણ કરવાં પડે છે તે બધ થઈ જાય છે. સાત ધાતુના બનેલા આ અચેતન દેહની અંદર રહેવા છતાં કર્મનાં આવરણો દૂર થતાં આત્મા આ વિશ્વને જાણે છે, જુએ છે, જન્મ થી માંડીને થયેલાં અનુભવો તે સર્વને જે જાણે છે, સંભારે છે, જુવે છે, તે કર્મથી બંધાયેલો છતાં હું આત્મા છું. ત્રણે કાળમાં રહેલી જડચૈતન્ય વસ્તુને જે જાણે છે, જોવે છે. તે શાન સ્વરૂપ હું આત્મા છું. સર્વજ્ઞ ભગવાનની વાણીરૂપ સમુદ્રનું મંથન કરવાથી છેવટે આજ શુદ્ધચિદ્રપ આત્મરત્નની પ્રાપ્તિ થાય છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બીજું (૨) શુદ્ધ આત્માનું આરાધન. येयाता यांतियास्यंति, योगिन : सर्वसंपदं समाराध्यैवचिद्रूपं, शुद्धमानंदमंदिरं ।। १ ।। “જે યોગીઓ આત્માની સર્વ સંપત્તિને પામ્યા છે, પામે છે, પામશે, તે સર્વે શુદ્ધ અને આનંદના મંદિર સમાન જ્ઞાનસ્વરૂપ આત્માનું આરાધાન કરીને જ છે. જેમ માટી વિના ઘડો ન બને, સૂતર વિના વસ્ત્ર ન થાય, ધાતુ વિના ઘરેણાં ન બને, લાકડાં વિના ગાડું ન થાય અને બીજ વિના ધાન્યની ઉત્પત્તિ ન બને, તેમ બીજાં અનેક મદદગાર સાધનો હોવાં છતાં શુદ્ધ આત્માના સ્મરણ વિના મોક્ષની પ્રાપ્તિ ન થાય. શુદ્ધ આત્માનું સ્મરણ કરવું તે મોક્ષવૃક્ષનું બીજ છે. સંસારસમુદ્ર તરવાની તે નાવ છે. દુખરૂપ અટવીને બાળનાર અગ્નિ છે. કમથી ભય પામેલાનું રક્ષણ કરનાર કિલ્લા સમાન છે. વિકલ્યોરૂપી ધુળને ઉડાડી દેનાર વાયું છે. આત્મસ્મરણથી પાપનો વિરોધ થાય છે. મોહને જીતવાનું તે બળવાન શસ્ત્ર છે. અશુદ્ધ પરિણામરૂપ રોગનું તે અવંધ્ય ઔષધ છે અને તપ, વિદ્યા તથા ગુણોને રહેવાના ઘર સમાન છે. શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્માના ધ્યાનથી જે કાંઈ આનંદ પ્રગટે છે તેના એક અંશ જેટલો પણ આનદ આ દુનિયાના સ્વામીને પ્રાપ્ત થતો નથી. શુદ્ધ આત્માના સ્મરણથી આત્મિક સુખ થાય છે, મોહ-અંધકાર દૂર થાય છે, આવતા આશ્રવો કમને આવવાના માર્ગો રોકાય છે, દુષ્કર્મોનો નાશ થાય છે, વિશુદ્ધિ વધે છે, ભગવાનની તાત્ત્વિક આરાધના થાય છે, જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ થાય છે, મનુષ્યજન્મ સફળ થાય છે, સંસારના ભયનો નાશ થાય છે, સમતા વધે Page #18 -------------------------------------------------------------------------- ________________ છે, સત્પરુષોનો મેળાપ થાય છે, અને યશ-કીર્તિમાં વધારો થાય છે. શુદ્ધ આત્મભાવમાં રહેનારમાં શ્રુતજ્ઞાન, વિરતિભાવ અને શીયળ ગુણ પ્રગટે છે, ઈન્દ્રિયોનો જય થાય છે, તપ વધે છે, સમ્યફષ્ટિ ખૂલે છે. સદ્ભાવના વધે છે, મૂળ ઉત્તમ ગુણોરૂપ ધર્મ નજીક આવે છે. ઉત્તમ ગુણોનો સમુદાય પ્રકટે છે, પાપ ઓછું થાય છે બાહ્ય અત્યંતર સંગમાંથી આસક્તિ ધટે છે, ઉગ્ર ઉપસગો દૂર થાય છે અને અંતરંગ વિશુદ્ધિમાં વધારો થાય છે. શુદ્ધ આત્માનું સ્મરણ કરવું તેના જેવું કોઈ ઉત્તમ તીર્થ નથી. શ્રુત સમુદ્રથી ઉત્પન્ન થયેલું તે ઉત્તમ રત્ન છે. શુદ્ધ આત્માનું સ્મરણ એ સુખનું નિદાન છે. મોક્ષનું શીઘગામી વાહન છે. પહાડોમાં જેમ મેરૂપર્વત, વૃક્ષોમાં કલ્પવૃક્ષ,ધાતુઓમાં સુવર્ણ, પીવા લાયક પદાથોમાં અમૃત, મણિમાં ચિંતામણિ, પ્રામાણિક પુરુષોમાં તીર્થંકર, ગાયોમાં કામધેનુ, મનુષ્યોમાં ચક્રવર્તી અને દેવોમાં જેમ ઈન્દ્ર ઉત્તમ છે તેમ સર્વ પ્રકારના ચિંતનમાં અને સર્વ પ્રકારના ધ્યાનમાં શુદ્ધ આત્માનું ચિંતન અને ધ્યાન સર્વથી ઉત્તમ છે. જેઓને આ શુદ્ધ ચિદ્રપ આત્માની પ્રાપ્તિ થાય છે તેઓને નવનિધાન, કલ્પવૃક્ષો, કામઘેનુ ચિંતામણિ, દેવાંગનાઓનો સમાગમ, સુખદાઈ ભોગોની પ્રાપ્તિ, લબ્ધિઓ અને ઈન્દ્રાદિકની ઋદ્ધિ ઈત્યાદિ દુર્લભ વસ્તુઓ કાંઈ પણ સંતોષ આપી શકતી નથી. કોઈ મનુષ્ય અસુંદર રૂપવાળો, કાન વિનાનો, વામણો, કુબડો, નાક છેરાયેલો, અમધુર, મૂંગો, હાથ-પગ વિનાનો, ભણ્યા વિનાનો, બહેરો અને કોઢાદિ રોગવાળો હોય, છતાં પણ જો તે શુદ્ધ આત્માનું સ્મરણ કરનારો હોય તો તે આત્મભાન ભૂલેલા વિદ્વાનો કરતાં પણ વિશેષ પ્રશંસા કરવાને લાયક છે. હે આત્મદેવ ! તું તારા જ્ઞાનસ્વરૂપ આત્માનું દરેક ક્ષણે સ્મરણ કર, તેના Page #19 -------------------------------------------------------------------------- ________________ સ્મરણથી તત્કાળ કર્મોનો ક્ષય થાય છે. “હું શુદ્ધ ચિદ્રપ છું ' હું શુદ્ધાત્મા છું. શુદ્ધવિનોદ' આ શબ્દના જેવું ઉત્તમ સ્મરણ વિશ્વમાં બીજું કોઈ નથી. એના અર્થનો ભાસ મનમાં થાય તેવી રીતે આ શબ્દનો જાપ કરવો. મનને તેમાં એકતાર કરવું તે જ શુદ્ધ આત્માનું સ્મરણ છે. ભગવાનના કથન કરેલા દશાંગ રૂપ બાહ્યશ્રુતમાં આ ચિદ્રપજ ગ્રહણ કરવા યોગ્ય જ છે. જો યોગીઓ શુદ્ધ આનંદમંદિરમાં ગયા છે, જાય છે અને જશે તે સર્વ આ શુદ્ધ ચિદ્રપનું આરાધન કરીને જ તે સ્થિતિ પામ્યા છે. વિશ્વમાં એવો કોઈ પણ બલવાન દોષ નથી કે જે આ શુદ્ધ આત્માનું સ્મરણ કરનારમાં ટકી શકે અને એવો કોઈ પણ ગુણ નથી કે શુદ્ધાત્માનું સ્મરણ કરનારમાં તે પ્રગટ ન થાય અથતિ શુદ્ધાત્માના સ્મરણથી સર્વ દોષો નાશ પામે છે અને સર્વ ગુણો પ્રકટ થાય છે. જે નિરંતર શુદ્ધાત્માનું સ્મરણ કરે છે તેણે પગથી ચાલીને બધી તીર્થભૂમિઓ સ્પર્શ કરી લીધી એમ સમજવું. અરે ! આ શુદ્ધાત્માનું સ્મરણ કરનારને દેવો પણ નમન કરે છે અને તેની સેવા પણ કરે છે. લોઢાથી લોઢાનું પાત્ર બને છે અને સોનાથી સોનાનું પાત્ર બને છે એમ શુદ્ધ આત્માના સ્મરણથી આત્મા પરમાત્મા રૂપ થાય છે ત્યારે જડ માયાનું સ્મરણ કરવાથી આત્મા અજ્ઞાન રૂપે પરિણમે છે અને વારંવાર દેહ ધારણ કરે છે. શુદ્ધ આત્મામાં મગ્ન થયેલામાં બીજા પુસ્તકોનું જ્ઞાન ન હોય છતાં તે જ્ઞાની. છે, કેમકે છેવટે આત્મજ્ઞાન જ આત્મકલ્યાણ કરનાર છે. . હે આત્મદેવ ! હવે તમે જાગો, ઊઠો, અને આ સાત ધાતુમય મળમૂત્રના ભાજનરૂપ જે શરીર છે તેને શુદ્ધ આત્માનું સ્મરણ કરવા વડે ગતને પૂજનિક બનાવો. Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ત્રીજું (૩) આત્મપ્રાપ્તિના સાધનો. चिद्रपः केवलः शुद्ध आनंदात्मेत्यहंस्मर મુત્યે સર્વજ્ઞોપદેશ : ઓકાન નિતિ : || 9 || “મોક્ષ માટે સર્વજ્ઞનો ઉપદેશ અશ્લોકમાં કહેલો છે કે કેવળ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ આનંદમય આત્મા હું છું તેનું સ્મરણ કરો.” કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય તો તેમાં એક સાધન મુખ્ય હોય છે કે જેના વિના ચાલી શકે જ નહિ. ત્યારે બીજાં અનેક સાધનો ગૌણ તરીકે મદદગાર હોય છે. એટલે મૂળ ઉપાદાન કારણ એક હોય છે અને નિમિત્ત કારણો અનેક હોય છે. તે બન્નેની મદદથી કાર્ય સિદ્ધ થાય છે. અહી આત્મા એ જ પરમાત્મા થાય છે એટલે આત્માનું સ્મરણ કરવું, દરેક ક્ષણે આત્માકારે પરિણમવું એ ઉપાદાન કારણ હોઈ તે મુખ્ય છે. અને હૃદયની વિશુદ્ધિ કરવા માટે અનેક નિમિત્ત કારણોની જરૂરિયાત રહે છે. ઉપર આનંદ સ્વરૂપ શુદ્ધ આત્મા હું છું એનું સ્મરણ કરવાનું બતાવી હૃદય વિશુદ્ધિમાં ઉપયોગી બીજાં સાધનો બતાવે છે કે, તમે જિનેશ્વર ભગવાન કે જે શુદ્ધ આત્માનો આદર્શ છે તેના જેવું તમારે થવાનું છે તેનું સ્નાન કરો તેમની પૂજા કરો , તેમના ગુણોની સ્તુતિ કરો, તેમના નામનો જાપ કરો, તેમનું મંદિર બંધાવો, સાધુ સંતો ને દાન આપો, આત્મજાગૃતિ થાય તેવું જ્ઞાન ભણો ઈન્દ્રિયોનો જય કરો. ગૃહસ્થનાં વ્રતો અથવા ત્યાગ માર્ગનાં વ્રતો ગ્રહણ કરો, બ્રહ્મચર્ય પાળો. તીર્થભૂમિમાં પ્રવાસ કરોસંયમપાલન કરો, ધ્યાન કરો, ક્ષમાદિ દશ પ્રકારનો ધર્મ પાળો. આ સર્વ શુદ્ધ આત્માની પ્રાપ્તિમાં મદદગાર ઉપાયો છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ દેવ. ગુરુજ્ઞાન, તીર્થ અને પ્રભુની આકૃતિ આ શુદ્ધ આત્માનું ધ્યાન ધરવામાં ઉપયોગી સાધનો છે, માટે બુદ્ધિમાનો એ વારંવાર તેની સેવા કરવી. શુદ્ધ આત્માનું સ્મરણ કાયમ બન્યું રહે તે માટે તેમાં વિઘ્ન રૂપ દ્રવ્યક્ષેત્ર, કાળ અને લાગણીઓનો ત્યાગ કરવો અને આત્માને હિતકારી દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવવાળાં સાધનો ગ્રહણ કરવાં. આ શુદ્ધ આત્માના અખંડ સ્મરણ માટે જ્ઞાની પુરુષો સર્વત્ર નિઃસ્પૃહ થઈને સંગનો ત્યાગ કરીને નિર્જન વનમાં કે પહાડોની ગુફામાં જઈને બેસે છે, કેમકે જ્યાં સંગ છે ત્યાં જરૂર ચિંતા પ્રકટે છે, અને આત્મા સિવાય અન્ય કાર્યની ચિંતા શુદ્ધ ચિદ્રપના ઘ્યાનરૂપ પર્વતને ભાંગવામાં વની માફક કાર્ય કરે છે. તેમ જ આત્મધ્યાનરૂપ સૂર્ય અત્યંત નિર્મળ હોય છે છતાં મનુષ્યોની સોબતથી ઉત્પન્ન થતા વિકલ્પોરૂપ વાદળોથી તે ઢંકાઈ જાય છે માટે સર્વ સંગ અને સર્વ વિકલ્પોનો ત્યાગ કરવાની આત્મપ્રાપ્તિમાં મુખ્ય જરૂરઆત છે. આ સાથે શુદ્ધ આત્માનું ધ્યાન કરનારમાં લાયકાતની પણ જરૂરિઆત છે. ગમે તેટલો પુરુષાર્થ કરવાં છતાં વાંઝણીને પુત્રની પ્રાપ્તિ થતી નથી ગધેડાને શીંગડાં ઊગતાં નથી તેમ અભવ્ય જીવોમાં શુદ્ધ ચિદ્રપના ધ્યાનની ઉત્પત્તિ થતી નથી. જેમ અર્જીણના વિકારવાળાને અન્નની રુચિ થતી નથી તેમ દૂરભવ્ય જીવોને શુદ્ધ ચિદ્રપ આત્માના ધ્યાનની રુચિ થતી નથી. જેમ પિતા વિના પુત્રાદિની ઉત્પત્તિ સંભવતી નથી તેમ ભેદજ્ઞાન વિના શુદ્ધ આત્માની પ્રાપ્તિ સંભવે નહિ. ક્રિયામાં, શરીરમાં અને સર્વસંગમાં નિર્મમતા રૂપ માતા હોય તો જ આત્મધ્યાન રૂપ પુત્રની પ્રસૂતિ થાય. માતા વિના પુત્રની પ્રસૂતિ ન હોય તેમ વિશ્વના સર્વે પદાર્થોમાંથી મમતાભાવ ગયા વિના આત્મધ્યાન પ્રકટ ન જ થાય. ચિંતા વિનાનું હૃદય, જીવોના સંસર્ગ વિનાનું સ્થાન, થોડા ભવમાં મોક્ષ જવાની લાયકાતવાળી આસન્નભવ્યતા, જડચૈતન્યના વિવેકવાળું ભેદજ્ઞાન અને ८ Page #22 -------------------------------------------------------------------------- ________________ પરભાવમાં મમતા વિનાનું જીવન આ સર્વ આત્માપ્તિ થવાનાં સાધનો છે. જ્ઞાની પુરુષો પોતે જ્ઞાતા અને દુષ્ટારૂપે આ વિશ્વને જાણતા અને જોતા હોવાથી આ વિશ્વના કોઈ પણ પદાર્થો તેને પોતા તરફ આકર્ષી શકતા નથી. દેવો અને દેવાંગનાઓ, સુંદર પુરુષો અને સ્ત્રીઓ, મોહક પશુ-પક્ષીઓ, તેઓની સ્થિતિ, ગતિ, વચનો, નૃત્યો, સમજશકિત અને શૃંગારાદિ એ સર્વને નાટક સમાન ગણીને, પોતાના જ્ઞાતા. દુષ્ટાપણાને ક ભોકતા થવાના રૂપમાં ખંડિત થવા દેતા નથી. સભામાં બેઠેલા ઈન્દ્રને અને ચક્રવર્તીને દેખીને તેની આ વિભાવ દશાની આસક્તિ માટે જ્ઞાનીઓને તેના ઉપર દયા આવે છે. રૂપાંદિ ગુણવાન સ્ત્રીઓના પરિવારમાં બેઠેલા ઈન્દ્રાદિકને દેખીને આત્મભાન ભૂલવા માટે ધૃણા ઉત્પન્ન થાય છે. ઈન્દ્રિયોનાં સુખોનું સ્મરણ થતાં આત્મજાગૃતિનો નાશ થતો જોઈને તેમને અતિકષ્ટ થાય છે. આવા મહાત્માઓ તત્ત્વજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ હોય છે. તેવા મહાત્માઓ એકાંતમાં બેસીને ઈન્દ્રિયોથી ઉત્પન્ન થતા સુખની અને આત્મસ્થિરતામાંથી પ્રગટ થતા સુખની સરખામણી જ્યારે કરે છે ત્યારે તેમને એટલું બધું આંતરૂં દેખાય છે કે ક્યાં ઝાડનાં પાંદડાંની બનાવેલી ઝૂંપડી અને ક્યાં બાદશાહી મહેલ, ક્યાં કેરડાનું ઝાડ અને ક્યાં કલ્પવૃક્ષોની ઘટા, ક્યાં કોડાયેલી કાંજી અને ક્યાં અમૃતરસનું પાન, ક્યાં પથ્થર અને ક્યાં સોનું! આમ બન્નેના વચમાં મહાન અંતર દેખાય છે. કેટલાક આત્મ જાગૃતિવિનાના જીવો રાજાદિકોની વાર્તાઓમાં, વિષય રતિની કડાઓમાં, આપસઆપસના ક્લેશમાં, ધનપ્રાપ્તિની ચિંતામાં, સંતાનની ઉત્પત્તિના ઉપાયોમાં, બાગબગીચાઓ બનાવવાના વિચારમાં, ગાય, બળદ, ઘોડા પ્રમુખ ઉછેરવાની પ્રવૃત્તિમાં, અન્યની સેવા-નોકરી કરવામાં કેટલાક લાંબો વખત નિદ્રા લેવામાં, ઔષધાદિની શોધમાં, દેવ-મનુષ્યાદિને રંજન કરવામાં Page #23 -------------------------------------------------------------------------- ________________ અથવા દેહાદિનું પોષણ કરવામાં આયુષ્યના અમૂલ્ય દિવસો નકામા પસાર કરે છે, પણ શુદ્ધ આત્માના ચિંતનમાં કે તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારા કોઈ વિરલ જીવો જ હોય છે. જે જે ક્રિયાઓ કરવામાં આવે તે તે ક્રિયાઓ શુદ્ધ આત્માની પ્રાપ્તિના કારણરૂપ છે કે નહિં? તેનો વિચાર કરી તેમાં મદદરૂપ કે સાધનરૂપ હોય તો તે ક્રિયા કરવી. તેની વિરાધી ક્રિયા હોય તો ન કરવી. આત્મા જ્ઞાતા અને દ્રષ્ટા રૂપ છે, તે આત્મા પોતાનો જ ય અને દુશ્યરૂપે બનાવી, તેમાં જ ચિત્તને ધારી રાખવાથી ઉત્તમ જ્ઞાનદર્શનનો લાભ ઘણી સહેલાઈથી મેળવે છે. આત્મપ્રાપ્તિના ઉપાયરૂપ જે કાંઈ હોય તે સર્વ આત્માને પ્રિય હોવું જોઈએ. કેમકે પોતે તેના જ અર્થી છે, તેમાં પ્રીતિ ન હોય તો તે વસ્તુ મળી શકતી જ નથી. જેમ આધળા આગળ નાચવું અને બહેરા આગળ ગાવું નકામું છે, તેમ જેનું મન, બહાર વિષયોમાં ભટકતું છે તેની આગળ શુદ્ધ આત્માની વાતો કરવી તે નિરૂપયોગી છે. ભૂખ્યા અને તરસ્યા આગળ ભોજન તથા પાણી ધરવાં તે જેમ સફળ છે તેમ આંતરદૃષ્ટિ કે આંતરવૃત્તિવાળા આગળ શુદ્ધ આત્માની વાતો કરવી તે હિતકારી છે. શુદ્ધ ચિદ્રુપની પ્રાપ્તિના અનેક ઉપાયો છે. પણ તેમાં ધ્યાન સમાન બીજો કોઈ ઉપાય ઉપયોગી થયો નથી અને થશે પણ નહિ. - ૧૦ Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ચોથું (૪) વિકલ્પથી ઉત્પન્ન થતું દુઃખ विकलपजालजबाला-निर्गतोय सदा सुखि, आत्मा तव श्चिीतो दुःखि- त्यनुभूयप्रतीयतां ॥१॥ “વિકલ્પોના સમૂહરૂપ કાદવમાંથી નીકળેલો આ આત્મા સદા સુખી છે અને તે વિકલ્પની જાળમાં રહેલો આત્મા સદા દુખી છે આ વાતનો અનુભવ કરીને ખાતરી કરો.” અમને તો ખાતરી છે જ પણ જેને ખાતરી ન થતી હોય તેમણે જાતે અનુભવ મેળવી નિશ્ચય કરવો વિકલ્પો કરવા તે મનનો ધર્મ છે. આત્માનો ધર્મ તેને જાણવાનો છે. આત્મા જ્ઞાતા દ્રષ્ટારૂપ પોતાના ધર્મમાં-પોતાના સ્વભાવમાં રહે તો સુખી થાય છે પણ મનના ધર્મમાં માથું મારવા જાય, પારકી વસ્તુને પોતાની કરવા જાય તો ત્યાં માર ખાય એ સ્વાભાવિક જ છે. દરેક મનુષ્ય પોતે પોતાના સ્થાનમાં જ શોભા પામે છે. સ્થાનથી ભ્રષ્ટ થતાં સન્માન પામતો નથી. આ વ્યવહારુ બાબત જેટલી સાચી છે. તેટલી જ આત્માના સંબંધમાં પણ સાચી છે. આત્મા પોતાના સ્વરૂપમાં હોય તે વખતે એ વિશ્વનો બાદશાહ છે. જડ સ્વભાવવાળી માયાએ તે વખતે તેના ચરણમાં શિર નમાવવું જ જોઈએ. પણ જ્યારે આત્મા પોતાના સ્થાનથી પતિત થઈ જડ માયામાં સુખ માની તે લેવા ઘરની બહાર નીકળે છે તે વખતે, પ્રથમ મન અનેક વિકલ્પોની જાળ તેની આગળ-પાછળ ઊભી કરીને, આ સારું, આ નઠારું, આ મારું, આ પારકું. આ જોઈએ, આ ન જોઈએ, ઈત્યાદિ રાગ ષવાળા વિકલ્પની જાળમાં ફસાવે છે, આત્મભાન ભુલાવે છે. જ્ઞાતા દાપણા રૂપ પોતાનો ધર્મ ભૂલી કર્તા ભોક્તા રૂપે બનેલો આત્મા એ મનનું કોકડું ઉકેલવા પ્રયત્ન કરે છે. પણ જેમ જેમ વધારે વિકલ્પો કરે છે તેમ તેમ તેનું કોકડું વધારે Page #25 -------------------------------------------------------------------------- ________________ ને વધારે ગૂંચવાતું જાય છે આખરે શક્તિ ગુમાવી, ભાન ભૂલી આ માયાના ચકરાવામાં-વમળમાં ગોથા ખાધા કરે છે. પણ જો આત્મા પોતાના સ્વરૂપમાં પાછો આવે તો જેમ હજારો વરસનું સ્વપ્ન આંખો ઉધાડતાં નાશ પામે છે તેમ અનંતકાળનું અજ્ઞાન કે લાંબા કાળની ભૂલો તરત જ સુધરી જાય છે અને આત્મા પોતાના સ્વરૂપ માં આનંદ કરે છે. સ્વરૂપમાં પાછું આવવું એટલે હું અનંત શક્તિવાન જ્ઞાન દુષ્ટારૂપ શુદ્ધ આત્મા છું આ ભાન થવું. આમાં કાંઈ વધારે મહેનત નથી. ફક્ત દિશા બદલાવી નાખવી. પશ્ચિમ ભણી પગ ચાલે છે તેને બદલે પૂર્વ સન્મુખ મુખ રાખવું એટલે પગ પણ પૂર્વ સન્મુખ ચાલવા માંડશે. માયા તરફની પ્રવૃત્તિને મૂકીને આત્મા તરફ પ્રવૃત્તિ કરવી એ દિશા બદલાવવા બરોબર છે. આટલું કરવામાં આવે તો આત્મપ્રાપ્તિ સુગમ છે. તેટલું કરવામાં ન આવે તો અનંતકાળે પણ આત્મપ્રાપ્તિ થવી દુર્લભ છે. આત્મપ્રાપ્તિ થવી એટલે આત્મા ક્યાંથી મળી આવે છે એમ નહિ, પોતે જ આત્મા છે, તેનું તેને ભાન થવુંતે આત્મપ્રાપ્તિ થવા બરોબર છે. આ ભાન થયા પછી તેને ઉદ્દેશીને જ બધી પ્રવૃત્તિ કરતો હોવાથી તેની પ્રવૃત્તિઆત્મપ્રેમના પ્રમાણમાં થોડા કે ઝાઝા • વખતમાં પોતાનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ કર્યા વિના રહેશે નહિ. હું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું, હું આત્મા છું આ વાતનું સ્મરણ કરવું. આ ભાન ટકાવી રાખવું તે આત્મસૂર્યવાળી પૂર્વ દિશામાં પ્રયાણ કરવા બરોબર છે. આ સ્મરણ કરવામાં કલેશ થતો નથી, ધનનો વ્યય કરવો પડતો નથી, દેશાંતરમાં જવું પડતું નથી કોઈની પ્રાર્થના કરવી પડતી નથી, બળનો ક્ષય થતો નથી, પરનો ભય નથી, પીડા ઉત્પન થતી નથી, પાપની પ્રવૃત્તિ કરવી પડતી નથી, રોગનું કારણ નથી, જન્મ-મરણનો હેતુ નથી, કોઈની સેવા કરવી પડતી નથી, અને ફળ ધણું પ્રાપ્ત થાય છે છતાં ઓ વિદ્વાનો ! ઓ શાણાઓ ! આ તરફ તમારું લક્ષ કેમ ખેંચાતું નથી? અનાદિકાળના આ માયાના પાશથી છૂટા થાઓ. તમારી અજ્ઞાનમાં મીંચાએલી આંખોને ખોલો. Page #26 -------------------------------------------------------------------------- ________________ ભોગભૂમિ, સ્વર્ગનું સ્થાન વિદ્યાધરની અવની અને નાગલોકની પૃથ્વી મેળવવામાં થોડુંઘણું પણ કષ્ટ રહેલું છે પણ શુદ્ધ ચિદ્રપ આત્માની ભૂમિકાની પ્રાપ્તિ તો તેનાથી પણ વધારે સુગમ છે. નિશાન બરોબર રાખી યોગ્ય પ્રયત્ન કરવાથી સુખની પ્રાપ્તિ, જ્ઞાનનો ઉદય, કમનો મોક્ષ, મીઠી શાંતિ અને ખરી નિર્ભયતા તમને અહીં જ પ્રાપ્ત થશે, માટે જ આત્મપ્રાપ્તિ સુગમ છે. આત્માની નિર્મળતાના કારણરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની નિરંતર ઈચ્છા કરવી. આત્મપ્રાપ્તિ થયા પછી તેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની વિશેષ અગત્યતા રહેતી નથી. પરમાત્મા, પરબ્રહ્મ, ચિદાત્મા, શિવ ઈત્યાદિ એક જ વસ્તુનાં નામ છે. ગમે તે નામે તેનું સ્મરણ કરો. અમૃતના સમદ્રનું મંથન કરીને તેમાંથી સારભૂત પરમાત્માના નામરૂપ રત્નને મેં ગ્રહણ કર્યું છે, કેમકે સર્વ વસ્તુઓમાં તે જ ઉત્તમ વિશ્વમાં કેવળ શુદ્ધ ચિદ્રપ મારા આત્મા સિવાય બીજું કાંઈ પણ ગ્રહણ કરવા યોગ્ય નથી, એટલે તેના વિના બીજી ચિંતા કરવી તે મારા માટે ફોગટ છે. મારે પોતે તેમાં જ લય પામવાની જરૂર છે. હું અનુભવથી જાણું છું કે આ મારો આત્મા મહાન બળવાન છે, કેમકે લોકાલોકરૂપ વિશ્વને તે પોતાની અંદર લીન કરી દે છે. જ્ઞાનબળથી લોકાલોકને તે જોઈ શકે છે. છતાં આડું કાંઈક છે કે તે તેને બરોબર જાણવા દેતું નથી, પ્રથમ સ્મરણમાં આવતું નથી, પાછળથી કાંઈક આત્માનું સ્મરણ થાય છે, એ જ જણાવી આપે છે કે ચિદાત્માની આડે કર્મનો પડદો છે. પ્રથમ મનમાં કાંઈક ફુરણ થાય છે, પછી જાગૃતિ થતાં મનમાં ફુરણ થતું નથી. એથી સમજાય છે કે આ કર્મનો ઉદય છે અને આ આત્માની શાંતિ છે, અથવા ઉપશમભાવ છે. આ ઉપશમભાવને વધારવાની પ્રથમ જરૂર છે, તેના બળથી શાકભાવ પણ પ્રકટ કરી શકાય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ જેમ મહાન મોહના ઉદયથી મનુષ્યોનું મન લક્ષ્મીમાં તેમ જ સ્ત્રઓિમાં રમતું રહે છે તેવી જ રીતે જો પોતાના ચિદ્રપમાં હૃદય રમતું થાય તો આત્માની મુક્તિ પાસે જ છે. જે પ્રમાદિ જીવો શુદ્ધ આત્માના ચિંતનને મૂકીને બીજાં પુદ્દગલિક કાર્યોનું ચિંતન કર્યા કરે છે તે અમૃતને મૂકીને વિષનું પાન કરે છે. વિષયના અનુભવમાં વ્યાકુળતા સાથે રાગદ્વેષ હોવાથી પરિણામે દુઃખદાયી છે, પણ આત્માના ચિંતનમાં પરમ શાંતિ હોવાથી કેવળ સુખરૂપ જ પરિણામ આવે છે એટલે તેમાં જ તાત્વિક સુખ છે. આત્મચિંતન કરવાના વખતે આત્મા તન્મય થઈ નિરાકુળ શાંત થઈ રહે છે. મનુષ્ય જેનું સ્મરણ કરે છે તે તેને મળે છે. પથિક જે માર્ગે જાય છે તે જ નગર તેને પ્રાપ્ત થાય છે. તેમ આત્માનું સ્મરણ કરનારને આત્મા મળે છે. જડનું સ્મરણ કરનારને જડ વસ્તુ પ્રાપ્ત થાય છે. આત્માને માર્ગે ચાલનાર આત્માના સ્થાનમાં જઈ પહોંચે છે, જડના માર્ગે ચાલનાર જડના સ્થાને જઈ પહોંચે છે. જે માર્ગ ઠીક લાગે તે માર્ગે ચાલો. વિશ્વમાં સર્વ માર્ગો ચાલનાર માટે ખુલ્લા છે. ૧૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ 66 પ્રકરણ પાંચમું (૫) જીવનો પશ્ચાત્તાપ. ज्ञातदृष्टं मयासर्वं, सचेतन मचेतनम् स्वकीयं शुद्धसद्रपं, न कदाचिच्च केवलम् ||१ | સજીવ અને નિર્જીવ બધા પદાર્થો મેં જાણ્યા અને જોયા પણ કેવળ મારું "" પોતાનું શુદ્ધ સ્વરૂપ કોઈ પણ વખત મેં જાણ્યું કે જોયું નથી. કે ઉત્તમોત્તમ રત્ન, હીરા, માણેક, મોતી, પ્રવાળાં, સોનું, રૂપું, ઔષધીઓ, ૨સોરસાયણો, વસ્ત્રો, પુરુષો, સ્ત્રીઓ, હાથી, ઘોડાઓ, સુંદર પક્ષીઓ, પશુઓ અને જળચર પ્રાણીઓ ઈત્યાદિ સજીવ અને નિર્જીવ પદાર્થોનાં નામ, ઉત્પત્તિના સ્થાન વગરે નિર્મળ બુદ્ધિ અને અનુકૂળ સંયોગોને લઈને ઘણે ભાગે મેં જાણ્યા છે અને જોયા છે પણ ખેદની વાત એ છે કે મેં મારું પોતાનું શુદ્ધ ચિદ્રપ કોઈ વખત જાણ્યું કે જોયું નથી. મેં પહેલાં કોઈ વખત જેની ચિંતા કે વિચાર ર્યો નથી તે વસ્તુ મને કોઈ પણ વખત મળી નથી. મોહના ઉદયને લઈને મારા શુદ્ધ આત્માનું ચિંતન મેં કોઈ વખત કર્યું હોવાથી તે મને પ્રાપ્ત થયું નથી. અહો ! મે અનેક વાર જીવન ધારણ કર્યાં છે પણ કોઈ જીવનમાં હું શુદ્ધ આત્મસ્વરૂપ છું એવું શુદ્ધ આત્માનું ચિંતન મેં કર્યું નથી. અહો ! દુર્લભ કલ્પવૃક્ષો, નિધાનો, ચિંતામણી રત્નો, અને કામધેનું ઈત્યાદિ પદાર્થો અનેક વાર મેળવ્યા પણ શુદ્ધ આત્માની સંપત્તિ કોઈ વખત મેળવી નહિં. આ જ સુધીમાં અનંત પુદ્દગલ પરાવર્તન જેવા ગહન કાળનો અનુભવ મેં લીધો, પણ તેવા કોઈ પુદ્દગલ પરાવર્તનમાં એકાદ વખત પણ મારા શુદ્ધ સ્વરૂપનો અનુભવ મને ન મળ્યો. ૧૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ દેવો અને વિદ્યાધરોના સ્વામીત્વનું પદ અનેક વાર મેં મેળવ્યું પણ કેવળ મારા પોતાના સ્વરૂપને હું પામી ન શક્યો. અહો ! ચાર ગતિની અંદર અનેક વાર મેં મારા શત્રુઓ ઉપર વિજય મેળવ્યો પણ મારા સદાના વિરોધી મોહશત્રુ ઉપર આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે વિજય મેળવવા પ્રયત્ન ન કર્યો. અહો ! મેં અનેક શાસ્ત્રો ભણ્યાં અને સાંભળ્યાં પણ તેની અંદર મારા શુદ્ધ સ્વરૂપને જાગૃત કરે તેવું એક પણ શાસ્ત્ર હું ભણ્યો નહિ કે સાંભળ્યું પણ નહિ. મેં વૃદ્ધ પુરુષોની સેવા કરી, વિદ્વાનોની મોટી સભાઓમાં હું બેઠો ત્યાં પણ મારી ભ્રમણાને લીધે શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય કરવા પ્રયત્ન ન કર્યો. મનુષ્ય જીવન, આદિશ, ઉત્તમ કુલ અને પ્રથમ સંહનન ઈત્યાદિ અનેક વાર હું પામ્યો પણ આત્મસ્વરૂપની જાગૃતિ કોઈ વખત ન મળી. શૌચ, સંયમ, શીયળ, અને દુષ્કર તપશ્ચર્યા ઈત્યાદિ મેં અનેક વાર કર્યા પણ તે શુદ્ધ આત્માના લક્ષવિના દુનિયામાં ઘમિષ્ટ ગણવાને માટે જ કય. એકેઢિયાદિ જીવોમાં તે તે જાતનાં અનેક શરીરો ધારણ કર્યો, પણ અજ્ઞાનપણામાં મારા શુદ્ધ આત્માનો અનુભવ મેં ન કર્યો. લોકોનો વ્યવહાર, રાજાઓની નીતિ, સંબંધીઓનાં સગપણ, દેવોનો આચાર, સ્ત્રીઓના સદાચાર, અને સાધુઓની ક્રિયાઓ એ બધું હું સમજ્યો, ક્ષેત્રના સ્વભાવો જાણ્યા, કાળની અકળ ગતિમાં પણ પ્રવેશ કરવા માથું માર્યું પણ તીવ્ર મોહના ઉદયને લઈ હું જ્ઞાન સ્વરૂપ છું! આવો દ્રઢ નિશ્ચય પહેલાં મને કોઈ વાર ન થયો. અરે ! શિયાળાના દિવસોમાં નદીને કિનારે વસ્ત્રો વિના રહો, ગ્રીષ્મઋતુમાં પહાડી પ્રદેશોના પ્રખર તાપમાં ક્યાં અને વર્ષાઋતુમાં અનેક વાર વૃક્ષોની નીચે રહ્યો પણ મારા શુદ્ધ સ્વરૂપમાં હું કોઈ પણ વખત ન રહ્યો. ૧૬ Page #30 -------------------------------------------------------------------------- ________________ અરે ! સ્વગદિની ઈચ્છાથી સ્વ સ્વરૂપને જાણ્યા વિના મેં અનેક કષ્ટો ઉઠાવ્યાં, વિવિધ પ્રકારે કાયકલેશ સહન કર્યો, શાસ્ત્રો ભણવા પાછળ મહેનત કરવામાં પણ મેં કચાશ ન રાખી, પણ આત્મજાગૃતિ વિના ખારી જમીનમાં બીજ વાવવાની માફક મારો સર્વપ્રયાસ નિષ્ફળ ગયો. આત્મજાગૃતિ કરાવનાર શાસ્ત્ર કે સક્રિયાની પ્રાપ્તિ મને ન થઈ. વિશ્વમાં પર્યટન કરતાં અનેક ગુરુઓ કર્યા અને મેળવ્યા પણ શુદ્ધ આત્મસ્વરૂપને બતાવનાર, કહેનાર કે જમાડનાર ગુરુની પ્રાપ્તિ મને કોઈ વખત ન થઈ. અને તેવા ગુરુ વિના શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ ક્યાંથી થાય ? આહા ! સચેતન અને અચેતન શુભ દ્રવ્યામાં અનેક વાર મેં પ્રિતી ધારણ કરી પણ પ્રબળ મોહના ઉદયને લીધે જ્ઞાનસ્વરૂપ આત્મામાં મેં ન કરી અરે ! દુષ્કરમાં દુષ્કર શુભાશુભ અનેક કમ મેં અનેક વાર કર્યો પણ શુદ્ધ આત્માનું ચિંતન કરવાનો વખત મને ન મળ્યો. પ્રભુની કૃપા થઈ. મોહનો ઉદય મંદ પડયો, સદૂગરનો સમાગમ થયો. આત્મજાગૃતિનો પ્રકાશ પડયો. અજ્ઞાન અંઘકાર ગયો. સન્શાસ્ત્રોનું શ્રવણ કર્યું. હવે મને શુદ્ધ આત્મા તરફ પ્રીતિ થઈ, તેને લઈને મન ઈચ્છા વિનાનું થયું. હવે પ્રથમનાં આસક્તિવાળાં સ્થાનો અને પાત્રો મને હળાહળ ઝેર જેવા લાગે છે. આત્મજ્ઞાની મનુષ્યોની સોબત ગમે છે. આત્મજાગૃતિ કરાવનારાં શાસ્ત્રો સારાં લાગે છે. મન પણ વિવિધ ઈચ્છાથી મુકાણું હોવાથી વિકલ્પો વિનાનું રહે છે, તેથી હવે શુદ્ધ આત્માના ચિંતનમાં હું કચાસ નહિ રાખું. આત્મજાગૃતિ થવી તે જ ધર્મની યુવાવસ્થાનો કાળ મારા માટે છે. નિરોગી શરીર, લાંબું આયુષ્ય. અનુકૂળ સંયોગો અને સદ્દગુરુનો સમાગમ, એ આગળ વધવામાં મહાન મદદગારો છે, માટે આત્માની પ્રાપ્તિ કરવામાં કચાશ નહિ રાખું. Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છઠું (૬) આત્મસ્મરણની પ્રતિજ્ઞા सुखे दुःखे महारोगे, क्षुधादीना मुपद्गवे ॥ . વતુર્વોપસ , સુવિદુર ચિંતન || 9 || “સુખમાં દુઃખમાં, મહાન રોગમાં, સુધા આદિના ઉપદ્રવમાં અને દેવાદિકના ચાર પ્રકારના પ્રસંગમાં પણ હું આત્માનું ચિંતન કરીશ. ૧.” જેવી રીતે દુઃખમાં અધિક વેદનાને લઈને મનુષ્યો આત્મભાન ભૂલી જાય છે તેવી જ રીતે સુખમાં સુખની અધિકતાને લઈને પણ આત્મભાન ભુલાય છે. મહાન રોગમાં પણ દેહાધ્યાસને લઈને જીવો આત્મભાન ભૂલે છે. સુધાને લઈને પણ આત્મભાન યાદ આવતું નથી. તેમ જ દેવ, મનુષ્ય અને તિર્યંચના તેમ જ સ્ત્રી આદિકના અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગો પણ આત્મભાન ભૂલાવી દે છે. આત્મસ્વરૂપની ખરી દૃઢતા, અને પૂર્ણ જાગૃતિ હોય તો જ આ ઉપસર્ગોના પ્રસંગમાં આત્મજાગૃતિ બની રહે છે. આત્મભાનમાં જાગૃત થયેલો આત્મા દ્રઢ સંકલ્પ કરે છે કે આવા વિષમ પ્રસંગમાં પણ હું આત્મસ્વરૂપનું ચિંતન કરવાનું ભૂલીશ નહિ. મનુષ્યોની સાથે તેમના વ્યવહારમાં હું નહિં જોડાઉં તેથી કરીને કોઈ મને ધેલો કહેશે કોઈ કહેશે કે પિશાચ વળગ્યો છે, કોઈ ગ્રહને લઈને ચિત્તના વિભ્રમવાળો માનશે, અસાધ્ય રોગ થયો છે એમ વૈદો કે સંબંધીઓ કહેશે, વ્યવહારથી કંટાળેલો કોઈ ગણશે, કોઈ દુઃખમાં ઘેરાયેલો સમજશે, કોઈ મરણની નજીક જઈ પહોંચેલો માનશે. આ પ્રમાણે લોકો ગમે તેમ માને, પણ “હું શુદ્ધ આત્મસ્વરૂપ છું” એ મારી જાગૃતિ અને સ્મૃતિમાં ભંગ પડવા દઈશ નહિ. ૧૮ Page #32 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ આત્મદ્રષ્ટિવિનાના અને ભયના ખરા ભેદને નહિ જાણનારા મનુષ્યોને મોહરાજાએ ઉન્મત્ત,ભ્રાંતિવાળા, આત્મનેત્ર વિનાના, દિમૂઢ થયેલા, અજ્ઞાન નિદ્રામાં સૂતેલા આત્મચિંતા વિનાના, મોહમૂછમાં પડેલા દુનિયાના પ્રવાહમાં તણાતા, બાળક અવસ્થામાં રહેલા, ઘેલાની ગતિએ પામેલા અને આકુળ-વ્યાકુળ કરીને પોતાને આધિન કરી લીધા છે. સ્ત્રીઓને જેમ પતિ પ્રિય હોય છે, નિબળોને રાજા, રાજાઓને જેમ પૃથ્વી, ગાયોને જેમ પોતાનો વાછડો, ચક્રવાકોને જેમ સૂર્ય, ચાતકોને જેમ વરસાદ, જળચરોને જેમ સરોવરાદિ, મનુષ્યોને જેમ અમરપણું દેવોને જેમ સ્વર્ગલોક અને રોગાતુરને જેમ વૈદ્ય પ્રિય હોય છે તેમ શુદ્ધ આત્માનું નામ મારા હૃદયને પ્રિય મનુષ્યો જેમ પોતાને જે વિષય પ્રિય હોય તેમાં જોડાયેલા રહે છે તેમ હું નિરંતર શુદ્ધ પરબ્રહ્મના સ્વરૂપમાં જોડાયેલો રહીશ. જેમ ચંદ્ર-સૂર્ય પોતાની અખિલિત ગતિમાં નિરંતર પર્યટન કરતા રહે છે, દેવનદીની ધારાનો પ્રવાહ જેમ અખંડ વહ્યા કરે છે. વ્યહવાર અને કાળની ગતિ અવિચ્છિન પણે ચાલ્યા કરે છે, દ્રવ્યમાં જેમ પયયો કાયમ જોડાયેલા રહે છે અને જેમ તીર્થંકરાદિની ઉત્પત્તિ નિયમિત થયા કરે છે તેમ હું જ્ઞાન-સ્વરૂપ છું એવું અખંડ આત્મભાન મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી ભૂલીશ નહિં. પરમ શાંત દશામાં રહી શુદ્ધ આત્માનું સ્મરણ કરતાં, મન, વચન, કાયાની ક્રિયા મને અત્યંત નિઃસાર દેખાય છે. દરેક ક્ષણે શુદ્ધચિદ્રપના સ્મરણ સિવાય મને કાંઈ બીજું ઉત્તમ લાગતું નથી. આ બાહ્ય અને અત્યંતર વસ્તુઓનો સંગ, સુંદર શરીર, દેવો અને મનુષ્યોના રાજાનું પદ, વિદ્યા, વિજ્ઞાન, બળ, શોભા, કીર્તિ, રૂપ, પ્રતાપ, ૧૯ Page #33 -------------------------------------------------------------------------- ________________ આભૂષણો અને તીર્થંકરપણું પણ મને અનિત્ય લાગે છે. કેવળ શુદ્ધ આત્માના સ્વરૂપમાં લીન થવું તે જ પરમ, અચળ અને શાંતિરૂપ લાગે છે. પોતાના શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણનારે વસ્તુઓ મળે કે ન પણ મળે છતાં તેને માટે તેણે જરા પણ રાગદ્વેષ કરવો ન જોઈએ. અને તે સ્વરૂપમાં જ નિરંતર એકતાર થવામાં આનંદ માનવો જોઈએ. હું જ્ઞાનસ્વરૂપ છું માટે તે જ વસ્તુ મારી છે તેને જ હું જોઉં છું. તેથી હું સુખી છું. તેનાથી જ બધા કર્મ-શત્રુઓથી હું મુક્ત થઈશ. નિત્ય આનંદમય પોતાના શુદ્ધ ચિદ્રપમાં જ્યારે સ્થિરતા કરવામાં આવે છે ત્યારે પરમાર્થથી પોતામાં સ્થિરતા થઈ કહેવાય છે. પૃથ્વી ઉપર મેરૂ પર્વત નિશ્ચળ રહે છે તેમ આ મારું શરીર ન છૂટે ત્યાં સુધી તે શુદ્ધ જ્ઞાનમય આત્મામાં મારા પરિણામ નિર્ચાળ બન્યાં રહે પાંચમી ગતિમાં સિદ્ધ પરમાત્માઓ જેમ સ્થિર રહેલા છે તેમ મારી શુદ્ધઆત્મ પરિણતિની અચળ સ્થિરતા થાઓ. હે ઉત્તમ મુનિઓ ! શુદ્ધ ચિદ્રપના ઉત્તમ ધ્યાનમાં મનને નિશ્ચલ કરો, તેનો દ્દઢ અભ્યાસ વધારો. અનાદિ કાળથી આ વિશ્વમાં ભવ-ભ્રમણ કરતા આવો છો, પણ આ શુદ્ધ આત્મામાં મનને નિશ્ચળ નથી કર્યું તેને લઈને જ તમે મહાન દુખનો અનુભવ કર્યો છે. આ જન્મને તમે હવે નિરર્થક ગુમાવશો નહિ. જે મહાન પુરુષો ભૂતકાળમાં મોક્ષે ગયા છે. વર્તમાનકાળમાં મોક્ષે જાય છે, અને ભવિષ્યકાળમાં મોક્ષે જશે તે સર્વે પોતાના ચિદ્રપમાં મનને નિશ્ચળ કરીનેજ ગયા છે તેમાં જરા પણ સંશય નથી નિશ્ચળ થઈને જ્યારે આ જીવ હું શુદ્ધ ચિદ્ર સ્વરૂપ છું એવું સ્મરણ કરે ૨૦ Page #34 -------------------------------------------------------------------------- ________________ છે અને તે ભાન ટકાવી રાખે છે તે જ વખતે તે ભાવથી મુક્ત થાય છે અને તેમાં સતત પુરુષાર્થ કરવાથી અનુક્રમે દ્રવ્યથી પણ મુક્તિ પામે છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સાતમું (૭) નિશ્વય અને વ્યવહાર व्यवहारं विना केचित्रष्टा : केवल निश्चयात् । निश्चयेन विना केचित् केवलव्यवहारतः ।।१।। द्धाभ्यां इंग्भ्यां विना न स्थात् सम्यग् गव्यावलोकनम। यथ तथा नयाभ्यां चेत्युक्त स्याद्वादवादिभिः ॥२॥ જેમ બે નેત્રો વિના વસ્તુનું અવલોકન બરાબર થતું નથી તેમ બે નય વિના દ્રવ્યોનું અવલોકન યથાર્થ થતું નથી. વ્યવહાર નય વિના કેવલ નિશ્ચય નય થી કેટલાક નાશ પામ્યા છે. ત્યારે કેટલાએક જીવો નિશ્ચય નય વિના એકલા વ્યવહાર નથી માર્ગથી પતિત થયા છે એમ તીર્થંકર દેવોએ કહેલું છે. વ્યવહાર અને નિશ્ચય બને નયોને ગૌણ મુખ્ય રાખી પ્રવૃત્તિ કરતાં વસ્તનો યથાર્થ બાધ થાય છે. જે વખતે વ્યવહારની મુખ્યતા હોય તે વખતે નિશ્વયની ગૌણતા હોય અને જે વખતે નિશ્ચયની મુખ્યતા હોય તે વખતે વ્યવહારની ગૌણતા હોય. આમ બને દૃષ્ટિઓમાં જ્યારે જેની જરૂરિયાત હોય ત્યારે તેનો ઉપયોગ, બીજી દષ્ટિનો તિરસ્કાર ન કરતાં સમભાવની દ્રષ્ટિએ કરવામાં આવે તો વજી તત્ત્વનો યથાર્થ અનુભવ થાય છે. જેનો અનુભવ મેળવવાનો હોય છે તે તરફ વ્યવહાર પ્રવૃત્તિ કરાવે છે ત્યારે નિશ્ચય તે વસ્તુ જ્યાં છે ત્યાં પહોંચી સ્પજ્ઞાનથી અનુભવ કરાવે છે. શુદ્ધ વ્યવહાર એ કારણરૂપ હોય છે. ત્યારે શુદ્ધ નિશ્ચય એ બરોબર કાર્યની સિદ્ધિના રૂપમાં હોય છે. ૨૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ જે વ્યવહાર નિશ્ચય તરફ લઈ જતો નથી, નિશ્ચયના અનુભવમાં મદદગાર થતો નથી તે વ્યવહાર શુદ્ધ વ્યવહાર નથી. જો વ્યવહારને આપણે સુતરરૂપ માનીએ તો નિશ્ચય તેના બનેલાં કપડાંરૂપે છે. મતલબ કે વ્યવહાર કારણ છે, નિશ્ચય કાર્ય છે. એકલો વ્યવહાર કાર્યનો સાધક નથી તેમ એકલો નિશ્ચય પણ કાર્યનો સાધક નથી. કેટલા એક જીવો કેવળ વ્યવહારમાં જ પ્રવૃત્તિ કર્યા કરે છે અને નિશ્ચય શું છે તે સમજતા પણ નથી, અને તેના તરફ લક્ષ વિનાના બાણની માફક કાર્યનો સાધક નહિ બને. તેમ કેટલાએક કેવળ નિશ્ચયને જ પકડી વ્યવહારનો તિરસ્કાર કરે છે. તેમના હાથમાં નિશ્ચય આવવાનો નથી. હા નિશ્ચયનું જ્ઞાન તેમની સમજમાં આવશે, પણ તે પ્રમાણે વ્યવહારુ વર્તન ન હોવાથી પાણીમાં પેસી હાથ-પગ ન ચલાવનાર માણસ જેમ તરવાની કળાનું જ્ઞાન ધરાવતા છતાં પાણીમાં ડૂબે છે, તેમ તત્ત્વનું જ્ઞાન ધરાવનાર તે તરફ પ્રવૃત્તિ ન કરે તો ખરા નિશ્ચયનો અનુભવ તેને થવાનો જ નહિ. જે ગુણસ્થાને મિથ્યાત્વનો ઉદય નથી તેવા ચોથા ગુણસ્થાનથી લઈને આગળનાં તમામ ગુણસ્થાને એકએકથી ચડીયાતો આત્મબાધવા આત્મજાગૃતિ હોય છે, અને કર્મોનું ઓછાપણું એટલે આત્માની વિશુદ્ધતા પણ વૃદ્ધિ પામતી હોય છે. જે મનુષ્ય મોક્ષનો અર્થિ છે તેનો માર્ગ તાત્ત્વિક છે. અને જે સ્વર્ગનો ઈચ્છુક છે તેનો માર્ગ વ્યવહારિક છે. શુદ્ધ આત્મા તરફ દૃષ્ટિનિશાન બાંધી તેના તરફ પ્રવૃત્તિ કરનારનો માર્ગ તે માક્ષનો માર્ગ છે. ખરું તત્ત્વ તે જ હોવાથી તે માર્ગને તાત્ત્વિક માર્ગ કહેવામાં આવે છે. ત્યારે આત્મભાન ભૂલેલા અને આ વિશ્વની માયાજાળમાં જ સુખ માનનારા તે સુખની ઉચ્છાથી ધાર્મિક ક્રિયાઓ દેવલોકનું નિશાન બાંધીને કરે છે તો તે સ્થિતિ તેને પ્રાપ્ત તો થાય છે પણ આ માર્ગ તે વ્યવહારુ એટલે દુનિયાનો માર્ગ છે, સંસારના ચક્રમાં પરિભ્રમણ કરવાનો માર્ગ છે, એટલે ખરી રીતે તે માર્ગ જ નથી. જેમ ત્યાગીઆનો અને ગૃહસ્થીઓનો માર્ગ જુદો છે, તેમ પરમાર્થનો અને દુનિયાનો માર્ગ જુદો જુદો જ છે. ક્રિયા ભલે બને એક જ જાતિની કરે છતાં દૃષ્ટિનો ભેદ હોવાથી નિશાન જદું હોવાથી જેમ ૨૩ Page #37 -------------------------------------------------------------------------- ________________ સાધનો એક સરખાં હોવા છતાં બીજના ભેદને લીધે ફળમાં ભેદ પડે છે તેમ આ માર્ગમાં પણ ફળનો ભેદ પડવાનો જ. એક કર્મની નિર્જરા કરશે ત્યારે બીજો શુભ ક્રિયા કરતો હોવાથી પુન્યનો બંધ કરશે. હે આત્મ દેવ ! વ્યામોહ ઉત્પન્ન કરનાર આ વ્યવહારના માર્ગની ગતિને મૂકીને દોષરહિત સુખદાઈ નિશ્વય નામના માર્ગમાં તુ પ્રવૃત્તિ કર. આ માર્ગમાં ચિંતા, કલેશ, કષાય, શોક, પરાધિનતા, ભય અને આશા જેવું કાંઈ નથી. કેમકે તે સર્વે દુનિયાની માયામાં છે, પુદ્ગલ દશામાં છે, પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં છે. નિશ્ચયનયનું નિશાન એ શુદ્ધ આત્મા જ હોવાથી આત્મામાં આવી અશાંતિ જેવું કાંઈ પણ નથી. ભક્તોનો સમુદાય, શિષ્યવર્ગ, પુસ્તકાદિ ઉપકરણો, શરીર અને કર્મ સાથે પણ શુદ્ધ આત્માને કાંઈ સંબંધ નથી. આ સર્વ પણ વિભાવરૂપ ઉપાધિ હોવાથી તેનો પણ ત્યાગ કરી શુદ્ધ આત્મામાં જ મનનો લય કરવાની જરૂર છે. કેવળ પોતાના શુદ્ધ આત્માને મૂકી કોઈ સ્થળે, કોઈ કાળે, કોઈ પણ પ્રકારે આશુદ્ધ નિશ્ચયનય બીજાનો સ્પર્શ કરતો નથી, છતાં વ્યવહારનું અવલંબન. લઈને નિશ્ચયમાં તે પહોંચે છે. આમ વ્યવહારના આલંબનને લઈ નિશ્ચય વર્તતો હોવાથી. તે શુદ્ધ આત્માસ્વરૂપની પ્રાપ્તિ કરે છે.. મેલની સોબતથી વસ્ત્ર જેમ મલીન કહેવાય છે, તેમ કર્મના સંબંધથી આત્મા વ્યવહારે અશુદ્ધ છે, તે જ આત્મા નિશ્ચયનયના આશ્રયથી શુદ્ધ છે. અન્ય દ્રવ્ય સાથે મિશ્રણ થવાથી વ્યવહારે સોનું જેમ અશુદ્ધ કહેવાય છે, નિશ્ચય નયની અપેક્ષાએ તે જ શુદ્ધ કહેવાય છે. બહારથી જે વસ્તુ આવેલી હોય છે તે તરફ નજર રાખીને વ્યવહાર બોલે છે, ત્યારે નિશ્ચય અંદરમાં પોતાની જે વસ્તુ છે તે તરફ નજર રાખીને વાતો ૨૪ Page #38 -------------------------------------------------------------------------- ________________ કરે છે. વસ્ત્ર ઉપર લાગેલો મેલ અને સોનામાં મળેલી માટી, એ તરફ નજર રાખી વ્યવહાર તેને અશુદ્ધ કહે છે, ત્યારે વસ્ત્ર અને સોના સામી દૃષ્ટિ આપી નિશ્ચય કહે છે કે આપણી જે વસ્તુ છે તે તો બરોબર છે. વસ્ત્ર અને સોનું ક્યાંઈ ગયું નથી, માટે નકામી હાયવોય શા માટે કરો છો ? તમે ગમે તેટલો પ્રયત્ન કરો પણ જે અંદર છે તે જ બાહર આવશે. અને બહાર આવેલું છે તે આપણું છે જ નહિં. તે ભલે આવ્યું પણ આપણે તે ગ્રહણ કરવાની જરૂર નથી. અંદર રહેલ આત્મા તે કાયમ છે, બહારનાં આવેલાં કર્મો તે આપણાં છે જ નહિં, પછી ભલેને તે આંહી રહે કે બીજે સ્થળે રહે તેની સાથે આપણે લેવાદેવા નથી. આ પ્રમાણે પોતાની મૂળ વસ્તુ સામે લક્ષ બાંધી નિશ્ચય પોતાના માર્ગમાં આગળ વધે છે. છતાં બાહારનો અને અંદરનો અન્ય સાથેનો સંબધ જેટલે અંશે ઓછો થાય છે તેટલે અંશે વ્યવહારમાં સોનાની માફક આત્માની વિશુદ્ધિ થાય છે. अलिप्तो निश्चयेनात्मा लिप्तश्च व्यवहारत : शध्यत्यलिप्त या ज्ञानी क्रियावान् लिप्तया द्दश 191 श्रीमान यशोविजयजी - નિશ્ચયનયથી આત્મા લેપાયેલો નથી, વ્યવહારનયથી લેપાયેલો છે. જ્ઞાની હું લેપાયો નથી' એવી નિર્લેપ દુષ્ટિએ નિવૃત્તિને માર્ગે શુદ્ધ થાય છે અને ક્રિયાવાનું “હું લેપાયેલો છું ' એમ માનીને પ્રવૃત્તિ કરતાં શુદ્ધ થાય છે. શુદ્ધ ચિદ્રપના સદ્દધ્યાનરૂપ પર્વત ઉપર આરોહણ કરવા માટે બુદ્ધિમાને વ્યવહારનું આલંબન લેવું અને તે ધ્યાનમાં- તે ભૂમિકામાં જ્યાં સુધી સ્થિર રહી શકાય ત્યાં સુધી વ્યવહારના આલંબનનો ત્યાગ કરી નિશ્ચય આત્માસ્વરૂપમાં રહેવું. આ ધ્યાનરૂપ પર્વતથી જ્યારે નીચે ઊતરવાનું થાય ત્યારે તરત જ વ્યવહારનું આલંબન લઈ લેવું. ૨૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ મહેલ ઉપર ચડતાં જેમ નિસરણી-દાદરનું અને દોરડું પકડવાનું આલંબન લેવામાં આવે છે તે વ્યવહારરૂપ છે. અને ઉપર ચડી ગયા પછી આ બને આલંબનો મૂકી દઈ ઉપર જે કાર્ય કરવાનું હોય તે રૂપ નિશ્ચયનું આલંબન લેવામાં આવે છે. પાછું જ્યારે ઊતરવાનું હોય છે ત્યારે વ્યવહારરૂપ દાદરાનું અને દોરડાનું આલંબન લેવું પડે છે. તેમ આત્માના શુદ્ધ સ્વરૂપમાં જવા માટે કોઈ ઉત્તમ વિચાર, સદ્ગુણ, જાપ કે આકૃતિ આદિનું આલંબન લેવામાં આવે છે. આ આલંબનની મદદથી મન જ્યારે આત્મામાં લય પામી જાય છે એટલે આત્માનો ઉપયોગ બીજાં આલંબનો મૂકી આત્માકારે થઈ રહે છે તે નિશ્ચય છે. આ કાર્ય છે. આ વખતે આલંબનની જરૂર પડતી નથી, છતાં કોઈ કદાગ્રહી આલંબન પકડવા જાય તો આ ભૂમિકામાંથી નીચો પડે છે. આવી નિર્વિકલ્પ સ્થિતિમાંથી પાછો સવિકલ્પ સ્થિતિમાં આવે એટલે તેણે પાછું કોઈ આલંબન પકડી લેવું. આવી રીતે નિશ્ચય અને વ્યવહાર અને ઉપયોગી થાય છે. જેઓ મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે તે સર્વે પ્રથમ શુદ્ધ વ્યવહારનું આલંબન લઈને પછી નિશ્ચયનો આશ્રય લઈને પામ્યા છે. આ ઠેકાણે એટલી વાત ધ્યાનમાં રાખવાની છે કે જેને પોતે વ્યવહાર માને છે તે વ્યવહાર શુદ્ધ આત્મસ્વરૂપ પ્રકટ કરવામાં મદદગાર થાય છે કે નહિ? જો આત્મસ્વરૂપ પ્રકટ કરવામાં મદદગાર કારણરૂપ હોય તો તે સાચો વ્યવહાર છે, તેમ ન હોય તો તે અશુદ્ધ વ્યવહાર હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય તેમ શુદ્ધ વ્યવહાર વિના નિશ્ચયની ઉત્પત્તિ ન હોય. જેના વડે જિનેશ્વર ભગવાનના સિદ્ધાંતની અને તેમના આચરણની પ્રતીતિ થાય તેવા નિશ્ચય વ્યવહારનું વિધિપૂર્વક સેવન કરવુ કોઈ વખતે નિશ્ચયનું આલંબન લેવું. તેમાં સ્થિરતા ન કરી શકાય તો તે વખતે વ્યવહારનું આલંબન લેવું. આ પ્રમાણે વિધિ પૂર્વક પ્રભુની વાણીથી વિભૂષિત થઈ જીવન વ્યતિત કરવું. જેટલાં વિધિ નિયોજિત કાર્યો છે તે સધળાં વ્યવહાર દષ્ટિએ છે. નિશ્ચયને ૨૬ Page #40 -------------------------------------------------------------------------- ________________ અંતરમાં સનિશ્ચયપણે ધારણ કરી બહારથી વ્યવહારનાં કાર્યો કરતાં શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિ નયોને આધિન જ્યાં સુધી જણાય ત્યાં સુધી નયોનો આદર કરવો. કેવળ શુદ્ધ ચિદ્રપમાં કોઈ પણ સંકલ્પને અવકાશ કે પ્રવેંશ નથી, તો પછી નય એટલે અપેક્ષા અથવા અભિપ્રાય એવો અર્થ થાય છે તે નયોનો પ્રવેશ પણ ત્યાં ક્યાંથી હોય? અથતિ શુદ્ધ સ્વરૂપમાં તો કેવળ શાંતિમય સ્થિરતા જ હોય ૨૭ Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ આઠમું (૮) જડચેતનનો વિવેક ! मेदोविधिीयते येन, चेतनाद्देहकर्मणो : । तज्जात विक्रियादीनां, भेदज्ञानंतदुच्यते ॥ १ ॥ “ચેતનાથી (આત્માથી) દેહ તથા કર્મનો અને તેનાથી ઉત્પન્ન થયેલી. વિક્રિયાદિનો - ઉપાધિનો જે જ્ઞાનવડે ભેદ કરાય છે તેને ભેદજ્ઞાન કહે છે.” કતકફળ જેમ પાણીથી મેલને જુદો પાડે છે અને હંસ જેમ પાણીથી દૂધને જુદું કરે છે તેમ જેઓ આત્માને દેહ તથા કર્મોથી જુદો અનુભવે છે તેઓને શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. ગમે તેવું પાણી મેલું હોય પણ તેમાં કતક નામના ફળનું ચૂર્ણ કરીને નાખવામાં આવતાં મેલ નીચે બેસી જાય છે અને પાણી નિર્મળ થઈને ઉપર રહે છે. આ દ્રષ્ટાંતે પાણીમાં મેલની માફક આત્મામાં કર્મો એકરસ થઈ રહેલાં છે. તેને કર્મ તથા આત્માના જુદાંજુદાં લક્ષણો દ્વારા જુદાં જુદાં નિર્ણિત કરવામાં આવતાં આત્માને દેહ માનવાની ભૂલ દૂર કરાય છે. આનું નામ ભેદજ્ઞાન છે. આ ભેદજ્ઞાનની મદદથી, કમ આત્માથી જુદાં થઈ વિખરાય જાય છે, અથવા ખરી પડે છે. અને આત્મા નિર્મળ રહે છે. મનુષ્યો જેમ પથ્થરમાંથી સોનાને જુદું કરે છે, શરીરથી વસ્ત્રને જુદું અનુભવે છે, તપાવેલાં લોઢાથી અગ્નિને જુદી કરે છે, શેરડીમાંથી રસને જુદો કરે છે, કાદવથી જળને જુદું જોવે છે, મોરપીંછમાંથી ત્રાંબુ જુદું પાડે છે, તલમાંથી તેલને અલગ કરે છે, અને દૂધમાંથી અમુક ઉપાયો વડે ઘીને જુદું પાડે છે, તેમ જ્ઞાનીઓ ભેદજ્ઞાન મદદથી દેહ તથા કર્મોને અને તેમાંથી ઉત્પન્ન થયેલી રાગદ્વેષાદિ અનેક પ્રકારની ઉપાધિઓને જુદી જાણે છે, કરે છે, અને અનુભવે છે. ૨૮ Page #42 -------------------------------------------------------------------------- ________________ આત્મામાં જ્ઞાનગુણની મુખ્યતા છે. પુદ્ગલોમાં જડતાની મુખ્યતા છે. જ્ઞાતાપણું અને દુષ્યપણું એ આત્માનાં લક્ષણો છે. જ્ઞાતાપણાના ગુણને લઈને આત્મા આખા વિશ્વને જાણવાની શક્તિ ધરાવે છે. અને દુષ્ટાપણાના ગુણને લઈને આખા વિશ્વને જોવાની શક્તિ ધરાવે છે. પુદ્ગલોમાં જડતા હોવાથી આ ગુણો તેમાં નથી. તેને અજીવ, જડ, પુદ્ગલ, માયા, વગેરે નામોથી સંબોધવામાં આવે છે. સડવું, પડવું, વિખરાવું મળવું, વિવિધ આકારો ધારણ કરવા એ જડતાનો સ્વભાવ છે. જેમાં શબ્દ, રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ હોય તે પુદ્ગલો કહેવાય છે. શરીર, વચન, મન, અને વિવિધ પ્રકારનાં કમો તે જડતામાંથી જ ઉત્પન્ન થાય છે. કુળની, વર્ણની, પક્ષની, જ્ઞાતિની, પરિજનોની, સંબંધીઓની, ભાઈની પુત્રની, સ્ત્રીની, દેહની, વિકારોની, ગુણોની, નગરની, દેશની અને રાષ્ટ્રની ઈત્યાદિ વિવિધ પ્રકારની હૃદયમાં રહેલી લાગણીઓને ભેદીને સહજ ગુણના નિધાનરૂપ આત્મા રહેલો છે. સેવાળને દૂર કરીને જેમ તળાવ પ્રમુખમાંથી મનુષ્યો પાણી પીવે છે, તેમ વિકલ્પોરૂપ સેવાળને દૂર કરીને પોતાની અંદર રહેલા આત્માના ધ્યાનરૂપ અમૃતને કર્મ કલેશના નાશ માટે પીવું જોઈએ. આત્માના ધ્યાનથી પર બીજું કોઈ તાત્ત્વિક સુખ નથી, આત્મધ્યાનથી પર બીજું કોઈ તપ નથી. અને આત્મધ્યાનથી પર બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી. આત્મભાન ભૂલી મોહમાં આશક્ત બનેલા કેટલાએક જીવો યશને, સખને, રાજ્યને, સુંદર સ્ત્રીને પુત્રને, સેવકને, સ્વામિત્વને, ઉત્તમ વાહનને, બળને, મિત્રોને, શબ્દ પાંડિત્યને અને રૂપાદિકને પામીને હર્ષ પામતા છતાં પોતાના જન્મને સફળ માને છે, પણ ખરી રીતે વિચારતાં તેઓ આત્મભાન ભૂલેલા હોવાથી આ સર્વ વસ્તુઓ તેમને અહિતકારી થાય છે. આ સુખમાંથી જ દુઃખ પ્રકટ થાય છે. આ વસ્તુઓમાં મારા-તારાપણાની માન્યતાથી અને રાગદ્વેષથી ૨૯ Page #43 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થયેલાં કમ તેમને દુઃખના અને પુનર્જનમના ખાડામાં ઘસડી જાય છે. હે મનુષ્યો ! જડચૈતન્યના ભેદવાળા દુર્લભ જ્ઞાનને પામીને ખુશી થાઓ. આ ભેદજ્ઞાનની મદદથી નવીન કમ આવવાનો માર્ગ અટકાવો અને આત્મજાગૃતિના બળે પૂર્વનાં કમને તોડીને તમારા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરો. આ દુઃખે ભેદી શકાય તેવા કર્મરૂપ પર્વતોને ભેદ જ્ઞાનરૂપ વજના બળ વડે ધણા થોડા વખતમાં ભેદી નાખો. અહો ! આ વિશ્વમાં આત્મજ્ઞાનની રુચિ ઉત્પન્ન કરાવનારા મનુષ્યો મળવા દુર્લભ છે, તેમ જ આત્મજ્ઞાનવાળા જીવોનો સમાગમ થવો તે પણ મુશ્કેલ છે. આત્માનો ઉપદેશ કરનારા ગરની પ્રાપ્તિ થવી તે વિશેષ દુર્લભ છે. તપ કરનારા તપસ્વીઓ મળી આવવા સુલભ છે, શાસ્ત્રો ભણેલા પંડિતો પણ મળી આવવા સુલભ છે, પણ તેઓની અંદર ભેદ જ્ઞાનની પ્રાપ્તિ કરનારા જીવો ઘણા થોડાજ હોય છે. અગ્ની જેમ ઘાસના ઢગલાને ક્ષણવારમાં બાળીને રાખ કરી દે છે તેમ ભેદજ્ઞાની ચિદ્રપની પ્રાપ્તિમાં વિધરૂપ કર્મના ઢગલાને ઘણા થોડા વખતમાં બાળીને ક્ષય કરે છે. ઓ શાસ્ત્રવિશારદ બુદ્ધિમાનો! તમે શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિ માટે અખંડ ધારાએ ભેદજ્ઞાનની ભાવના કરો. પોતાના આત્માનો બાધ ભેદજ્ઞાનથી પ્રગટ થાય છે, માટે મુમુક્ષુ જીવોએ ભેદજ્ઞાનની વારંવાર ભાવના કરવી. આ જીવે વસ્તુની પરીક્ષા, શિલ્પાદિ સર્વ કળાઓ, અનેક શક્તિઓ અને વિભૂતિઓ પ્રાપ્ત કરી છે પણ ભેદજ્ઞાનની પ્રાપ્તિ કરી નથી. ભેદજ્ઞાનના પ્રકરણમાં શુદ્ધ ચિદ્રપનું દર્શન થાય છે. મોહરૂપ અધકાર નાશ પામે છે, ભેદજ્ઞાન રૂપ નેત્રો વડે યોગીઓ ચિદ્રપનો અનુભવ કરે છે. ગરૂડના આવવાથી સપો જેમ ચંદનના વૃક્ષને મૂકીને ચાલ્યા જાય છે તેમ ૩૦ Page #44 -------------------------------------------------------------------------- ________________ ભેદજ્ઞાનના આગમનથી ર4 ક આત્માને મૂકીને ચાલ્યા જાય છે. ભેદજ્ઞાનના બળથી શુદ્ધ આત્માને પામીને કેવળજ્ઞાની તેમ જ દેવાધિદેવ તીર્થંકર પણ થઈ શકાય છે, માટે હે ભવ્ય જીવો ! તમે આ ભેદજ્ઞાન પ્રાપ્ત કરવા તમારા સંપૂર્ણ બળથી પરુષાર્થ કરો. Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ નવમું (૯) મોહ ત્યાગ यावन्मोहोबलीपुंसि दीर्ध संसार तापि च न तावशुद् चिद्गपे संचरत्यंत निश्चला ॥ १ ॥ “મનુષ્યમાં જ્યાં સુધી મોહની પ્રબળતા અને દીર્ઘ સંસાર પરિભ્રમણ કરવાનું હોય છે ત્યાં સુધી શુદ્ધ આત્મામાં અત્યંત નિર્ચાળ રુચિ થતી નથી.” મુંઝાવે તે મોહ આત્મા તરફ પ્રીતિ ન થવા દે તે મોહ પાંચ ઈન્દ્રિયના વિષયોમાં આસક્તિ કરાવે તે મોહ. તેની પ્રબળતા જ્યાં સુધી જીવમાં હોય ત્યાં સુધી આત્મામાં ખરી પ્રીતિ ન થાય, તેમ જ સંસારમાં લાંબા કાળ સુધી ભ્રમણ કરવાનું હોય તેવાને પણ આત્મા તરફ લાગણી ન જ હોય. આ મારા અને પારકા, એમ સજીવ તથા નિર્જીવ પદાર્થના સંબંધમાં ચિંતન કરવું તે મોહ છે, કેમકે તાત્ત્વિક દ્રષ્ટિએ વિચાર કરતાં વિશ્વમાં કોઈનું કાંઈ પણ નથી. આણે મને માન આપ્યું. આણે મારું અપમાન કર્યું આણે મારી ઉજ્જવળ કિતિ િવધારી અને આ માણસે મારી અપકીર્તિ કરી, આ ચિંતન કરવું તે જ મોહ છે. હું શું કરું? ક્યાં જાઉં? ક્યાંથી કેવી રીતે સુખી થાઉં? કોનો આશ્રય લઉં? બોલું? એવું બધું મોહનું જ ચિંતન કહેવાય. સજીવ અજીવ પદાર્થમાં રાગ કરવો કે દ્વેષ ધરવો આ સર્વ મિથ્યા બુદ્ધિ જ ગણાય. કેમકે આત્મા તો કેવળ શુદ્ધ ચિપજ છે. હું દેહ છું અથવા દેહ મારો છે, હું પરુષ છું, હું સ્ત્રી છું, અથવા આ સંબંધીઓ છે તે મારા છે, એવું તાત્ત્વિક દ્રષ્ટિએ ચિંતવવું તે ૩૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ મોહ છે, એ મોહને જીતવાનો ઉપાય એ છે કે તે હું નથી અને મારાં તે નથી. હું શુદ્ધ આત્મા છું. આવું વારંવાર ચિંતવવું અને તેના દ્ઢ સંસ્કાર મન ઉપર પાડવા. હે આત્મન્ ! તું તારી પોતાની ચિંતા કર, બીજાની ચિંતા કરવાનું મૂકી દે. ચિંતા કરવાથી કાર્યની સિદ્ધિ થતી નથી. બીજાના સુખ-દુઃખમાં તુ વધારો કે ધટાડો કરી શકે તેમ નથી. જે મનુષ્ય જેને પરિણામે જે સરે જે જે કર્મ બાંધ્યાં છે, તો તે કર્મ તેવા તેવા રસે અને પરિણામે તેને ભોગવ્યા સિવાય છૂટકો નથી. કાળ, કાળનું કામ કરે છે, દિવસ આવે છે, રાત્રી આવે છે, ઋતુઓ નિયમિત આવ્યા કરે છે, શિયાળા પછી ઉનાળો અને ઉનાળા પછી વષઋિતુ, એમ કાળનું યંત્ર વ્યવસ્થાસર આ વિશ્વમાં ચાલ્યા કરે છે, તેમ કર્મનું ચક પણ કોઈનો પક્ષપાત કર્યા વિના રાજાને અને રંકને, ઈન્દ્રને અને વિષ્ટના કીડાને તેના યોગ્ય કર્તાવ્યનો બદલો આપ્યા જ કરે છે. આમાં પક્ષપાત ચાલતો નથી. સપારસ કામ આવતી નથી, લાંચ રુશવત આપી શકાતી નથી, ગરીબ અને ધનાઢયોનો ન્યાય, ન્યાયને એક છાબડે જ તોળાય છે. પોતાનો ઉદ્ધાર કે વિનાશ એ પોતાનાં સારાં ખોટાં કમથીજ થાય છે. જેમ કાળ કાળનું કામ કરે છે તેમ કમ કમનું કામ કરે છે પોતાને કે પરને, ઉત્તમ કે અધમ જે જે સુખ-દુઃખ મળે છે તે પૂર્વે ઉપાર્જન કરેલ કર્મ જ આપે છે. તે છતાં ભાન ભૂલીને આણે મને દુખ આપ્યું અને આણે મને સુખ આપ્યું. આને હું સુખી કરીશ અને આને હું દુખી કરીશ, આવું ચિંતન કરવું કે માનવું તે મોહનો જ પ્રભાવ છે. ઓ આત્મદેવ! પારકી ચિંતા મૂકી દે. ખરા શત્રુને શોધી કાઢ, ખરા ગુનેગારને પકડ અને તેને શિક્ષા કર. તારી ભૂલ તું જ સુધાર. ખરો ગુનોગાર તુ પોતે જ છે. આત્મભાન ભૂલી મોહને આધીન થયેલો તારો આત્મા જ તારો શત્રુ છે તેને શિક્ષા કર, તેને સુધાર. તેને સુધારવા માટે તે શુદ્ધ આત્માના ઉપયોગમાં તદાકાર પરિણમી રહે. મોહનું નજીકનું પ્રથમ સ્થાન તારું શરીર છે. તેનો વિચાર કર . જેને સખી કરવા માટે રાત્રી-દિવસ ન કરવાના કાર્ય કરે છે, અનેક જીવોનો • Page #47 -------------------------------------------------------------------------- ________________ સંહાર કરે છે, અનેક જીવોનો કષ્ટો આપે છે, રાગદ્વેષ કરે છે તે શરીરની ઉત્પત્તિનો વિચાર કર. દુર્ગધી અને મળના ભાજનરૂપ વીર્ય અને રજમાંથી અમુક વિધિ વડે બનેલું અને પોતાની ઈચ્છાનુસાર મનુષ્યોએ નામ આપેલું તે આ શરીર તારું કેવી રીતે થઈ શકે ? તેનું કોઈ વર્ણન સ્તુતિ-કરે કે કોઈ નિંદા કરે તેનાથી તને શો લાભ? અને કઈ જાતની હાનિ? આત્મદેવ ! તમે તો શુદ્ધ ચિદ્રપ છો એટલે તત્ત્વથી તે સ્તુતિ કે નિંદાએ શરીરની જ છે, તમારી નથી. અહો ! મોહને લઈ આત્મભાન ભૂલેલા જીવો, કોઈ કીતિને માટે વલખાં મારે છે, કોઈ બીજાને ખુશી કરવા પ્રયત્ન કરી રહ્યા છે, ભાટ ચારણની માફક હાજી હા કહી તેના જ રાજીયા ગાયા કરે છે, કોઈ ઈન્દ્રિયોના વિષયો મેળવવા તલપી રહ્યા છે, કોઈ આ શરીરને લાંબો વખત ટકાવી રાખવા વિવિધ પ્રકારની ઔષધીઓ અને માત્રાઓનું સેવન કરી રહ્યા છે, કોઈ વંશ વધારવા માટે અનેક બાવા-જોગી પારે ભટકી રહ્યા છે, કોઈ ધન સંચય કરવા માટે દેશ-પરદેશ ખેડી રવા છે, કોઈ ધનના રક્ષણ માટે હથિયારથી સજ્જ કરેલા પહેરેગીરોને ઘરની ચારેબાજુ ગોઠવી રહ્યા છે, કોઈ પંડિતતા મેળવવા અનેક પુસ્તકો અને ભાષાઓ શીખી રહ્યા છે, કોઈ પોતાના વાડાના રક્ષણ માટે અનેક વિધિ નિષેધની મોટી મોટી દીવાલો ચણી રહ્યા છે અને વાડામાં બકરાંઓને પુરે તેમ અજ્ઞાની મનુષ્યોને ભરમાવીને વિવિધ લાલચો બતાવીને તેમાં પૂરી રહ્યા છે. આવી આવી અનેક પ્રવૃત્તિઓમાં આ વિશ્વના જીવો જોડાઈ ગયા છે. આમાં સુખી થવું શાંતિ મેળવવી, મોટા થવું એ તેમનો ઉદ્દેશ હોય છે. આ ઉદ્દેશ તેમનો પાર પડતો નથી કેમકે આ ભૂલભુલામણીવાળી મોહરાજાની બિછાવેલી જાળ છે, તેમાં પક્ષીઓની માફક ઉપર ઉપરની મોહક ચેષ્ટઓથી ભાન ભૂલી જીવ સપડાય છે અને છે "વટે સુખને બદલે દુઃખ પામી પોતાનો પ્રાણ ખોવે છે. ખરા બુદ્ધિમાનો તો એક જ્ઞાનસ્વરૂપ આત્માને જ સુખ અને શાંતિનું સ્થાન માનીને મોહનો ત્યાગ કરી આત્મામાં પ્રીતિ કરે છે. પુન્યપ્રકૃતિથી પ્રાપ્ત થયેલા દેવોના અને મનુષ્યોના સખ તે સૂકા ઘાસ જેવા છે. તેને જો કેળવી જાણે તો ગાય અગર ભેંસોની માફક ૩૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ સૂકા ઘાસમાંથી દૂધ અને દૂધમાંથી ઘી બનાવી શકાય છે. જે ન કેળવી જાણ તો એટલે તેનો દુરુપયોગ કરે તો ઘાસમાં અગ્નિ મૂકવાથી તેની રાખ થાય છે, તેમ તે સુખનો નાશ થવા સાથે ભાવી જન્મ પણ દુઃખમય પ્રાપ્ત કરે છે. પુન્ય પ્રકૃતિને લઈને મળેલી અનુકૂળતાનો લાભ લઈને આત્મમાર્ગમાં આગળ પણ વધી શકાય છે અને મોહમાં આસક્ત બની શક્તિનો દુરુપયોગ કરી અનેક જીવોને દુખ આપી વિષયોમાં આસક્ત થઈને પાછળ પણ હઠી જવાય છે. આશ્વર્ય છે કે અલ્પ બુદ્ધિવાળા જીવો આ મોહના ઘર તુલ્ય લક્ષ્મી, સ્ત્રી, શરીર, સંતતિ, અને જમીનમાં સુખ માની બેઠા છે ! ! આ જીવ પરમાર્થથી બંધાયેલો નથી છતાં મોહના પાશથી ભીરુ બની. પોપટની માફક કે વાનરાની માફક પોતાના અજ્ઞાનથી પોતાને બંધાયેલો માની તેમાં જ વધુ ને વધુ હેરાન થાય છે. પવનચક્કીના એક ભાગ ઉપર બેઠેલો પોપટ આનંદ કરતો હતો, તેવામાં પવચક્કી ફરવા લાગી. પોપટે જાણ્યું કે હું પડી જઈશ, તેથી તે સળિયાને તેણે મજબૂતાઈથી પકડયો. તેથી તે પવનચક્કીની સાથે સાથે ઊંચે નીચે ફરવા લાગ્યો. જેમ જેમ તેને મજબૂત પકડે છે તેમ તે પોતાને મજબૂત રીતે તેની સાથે ચોંટાડી રાખે છે. જો તેને મૂકી દે તો તરત જ તેનાથી છૂટો થઈ શકે તેમ છે પણ પોતાની ભૂલથી અને તેને છોડી દઈશ તો હું પડી જઈશ આવા ખોટા ભ્રમથી હેરાન થાય છે. તેમ આ જીવ પણ આ મોહને તથા મોહનાં સાધનોને જેમ જેમ વળગતો જાય છે તેમ તેમ તે વધારે ને વધારે બંધાતો જાય છે. પોપટની માફક ખરી મુકિતનો ઉપાય તો એ જ છે કે તેણે તે સર્વને છોડી દેવું. તે સિવાય આ જીવને છૂટવાનો બીજો કોઈ પણ ઉપાય નથી. સાંકડા મોઢાવાળા વાસણમાં વાનરાએ હાથ નાખી તેમાની વસ્તુની મૂઠી ભરી. મોઢું સાંકડું એટલે ભરેલી મૂઠી નીકળી ન શકી. અજ્ઞાનતા અને મોહને લઈ વાનરાએ જાણ્યું કે અંદરથી મને કોઈએ પકડયો છે, તેથી ચિચિયારી કરી મૂકી, પણ મૂઠી છોડી ન દેવાથી ત્યાંથી તે ખસી શક્યો નહિ અને તેના માલિકના ૩૪ Page #49 -------------------------------------------------------------------------- ________________ હાથે માર ખાધો. આ વાનરાની મુક્તિનો ઉપાય એ જ હતો કે તેણે મૂઠીમાં ભરેલી વસ્તુ મૂકી દેવી. આ જ પ્રમાણે મોહમાં મૂંઝાયેલા મનુષ્યો જડ ક્ષણભંગુર વસ્તુને પોતાની માની મમત્વની મૂઠીમાં તેને પકડી રાખીને પછી હેરાન થાય છે, દુઃખો અનુભવે છે અને પોતાને બંધાયેલો કે કોઈ સંબંધીએ પકડી રાખેલો માને છે, પણ વાનરાની માફક પોતાની મમત્વની મૂઠી ખાલી કરી દે મૂકી દે તો તે મુક્ત જ છે. પોતાની અજ્ઞાનતા યા પોતાનો મોહ જ આ જીવને બધનમાં નાખનાર છે. તે સિવાય કોઈ તેને પકડી રાખનાર નથી. ઈન્દ્રિયોના વિષયોમાં અને સાધનોના રક્ષણમાં સદા વ્યગ્ર થયેલા જીવોમાં આત્માની ચિંતા ક્યાંથી હોય? તેની બુદ્ધિમાં નિર્મળતા ક્યાંથી થાય? તેને શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિ ક્યાંથી મળે? અને તેના અભાવે આત્માથી ઉત્પન્ન થતું સુખ કેમ મળે? જીવને પ્રથમ દેહમાં આત્માપણાની ભ્રાંતિ થાય છે, પછી મોહને લઈને જગતમાં ભ્રાંતિ થાય છે, પછી પદ્રવ્યોને અંગે થતી અતિ સંતાપ કરવાવાળી ચિંતામાં સતત વધારો થાય છે. ધન્ય છે તે આત્માઓને ! કે જેઓ પદ્રવ્યનો ત્યાગ કરીને જ્ઞાન અને આનંદના ઘર તુલ્ય પોતાના આત્મભાવમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે તેવા નિભગી જીવો ચિંતામણિ રત્નનો ત્યાગ કરીને પથ્થરને ગ્રહણ કરે છે. જ્ઞાન એ સ્વાધિન સુખને પ્રકટ કરનાર છે. આત્મચિંતનથી તેની પ્રાપ્તિ થાય છે, છતાં હતભાગી જીવો તેનો ત્યાગ કરીને કોઈ વિલક્ષણ વસ્તુ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. આંધળા આગળ નાચ, બહેરા આગળ ગીત, મરણની છેલ્લી ઘડીએ રોગનો ઉપચાર, અજ્ઞાની જીવોનો તપ, ઉખર જમીનમાં વાવણી તૃષા વિનાનાને પાણી, સ્વાર્થી મનુષ્યોની મિત્રતા, અભવ્યને નિદોંષ વિધિની રૂચિ, કાળી કામળીને ચડાવાતો રંગ અને શ્રદ્ધા વિનાનાને આપેલો મંત્ર જેમ વૃથા છે તેમ ૩૫. Page #50 -------------------------------------------------------------------------- ________________ જડ માયામાં પ્રીતિવાળાને આપવામાં આવતું આત્મજ્ઞાન વૃથા છે. મોહમાં મૂઢ બનેલા જીવો દરેક ક્ષણે પદ્રવ્યોનું સ્મરણ કરે છે, પણ મોક્ષને અર્થે જ્ઞાનાનંદમય પોતાના આત્માને કોઈ પણ વખત યાદ કરતા નથી. વિચાર કરતાં જણાય છે કે મોહ કરતાં બીજો કોઈ પણ બળવાન શત્રુ નથી, માટે પ્રબળ પરુષાર્થ કરીને પણ તેને જીતવો જોઈએ. આ સંસારરૂપ કુવાના મોહરૂપ કાદવમાં અનાદિકાળથી ગત ખેંચેલું છે તેનો આત્માના જ્ઞાન અને ધ્યાનરૂપ દોરડાં વડે ઉદ્ધાર કરવો. સિવાયનાં બીજા બધાં કાર્યોને એક બાજુ રાખ મોહરૂપ શત્રુનો નાશ કરવા તમે શુદ્ધ ચિપ આત્માનું ઉત્તમ જ્ઞાન મેળવો અને તેનું ધ્યાન કરો. ૩૬ ... Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ દશમું (૧૦મું) અહંકારનો ત્યાગ નિરંતરમહંારં, મુદ્રા : ઝુાંત તેન તે स्वकीय शुद्धचिद्रयं, विलोकंते न निर्मलं ॥ १ ॥ “અજ્ઞાની જીવો નિરંતર અહંકાર કરે છે. આ કારણે તેઓ પોતાના નિર્મળ શુદ્ધ આત્માને જોઈ શકતા નથી.” આત્મજાગૃતિ ન હોય ત્યાં જ અભિમાન અને મમત્વભાવ પ્રગટે છે તેમજ અભિમાન અને મમત્વથી આત્મજાગૃતિ દબાતી પણ જાય છે, આ બન્ને વસ્તુઓ માયાના પ્રદેશમાં રહેલી છે. જડ માયાથી જ તેને પોષણ મળે છે. હું અને મારૂં એ શબ્દોમાં મારું એ શબ્દ આત્માથી જુદી કોઈ વસ્તુના સંગ્રહની ખાતરીઆપે છે અને હું શબ્દ તેથી થયેલા અર્જીણ યાને અહંકારરૂપ વિકારનો ખ્યાલ આપે છે. આ બન્ને સ્થાનમાં આત્મજાગૃતિનું નામનિશાન જણાતું નથી અને જ્યાં આત્મપ્રકાશ આવે છે ત્યાં આ અંધકાર રહેવા પામતો નથી. આત્મા સિવાય અન્ય વસ્તુની ઉપાધિમાંથી આ બન્નેની ઉત્પત્તિ છે. જેમકે હું મનુષ્ય છું. દુર્બળ છું, મજબૂત છું, ગૌર છું, શ્યામ છું, ક્ષત્રીય છું, બ્રાહ્મણ છું, વૈશ્ય છું, શુદ્ર છું, વિદ્વાન છું, મૂર્ખ છું, ધનવાન છું, રોગી છું, નિરોગી છું, ગરીબ છું ઈત્યાદિ જે જે વિચારો કરાય છે, મનમાં ચિંતન કરાય છે તે સર્વમાં પુદ્દગલીક વસ્તુની જ મુખ્યતા હોવા છતાં તેમાં મિથ્યા હુંપણાનુંજ મુખ્યતાએ સૂચન કરાય છે, અને મનાય છે. આવું ચિંતન કરવું તે અહંકારના ઘરનું છે. તે દુનિયાનો માર્ગ છે. પૂર્વને બદલે પશ્ચિમ તરફ લઈ જનારી એ લાગણીઓ છે. પ્રકાશને બદલે અંધારામાં હડસેલનારો તે માર્ગ છે. આવા વિચારો કે 39 Page #52 -------------------------------------------------------------------------- ________________ લાગણીઓમાંથી જ રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે. ઊંઘતા ઊંઘતા ચાલવાનો આ રસ્તો છે. આખા વિશ્વનો મોટો ભાગ આ માર્ગે પ્રયાણ કરી રહ્યો છે, પણ ચોક્કસ રીતે હું કહું છું કે આ ભુલાયેલો અને દુઃખનો જ માર્ગ છે. જે જાગૃત થયેલા મનુષ્યો દરેક ક્ષણે અહંકાર વિનાની સ્થિતિમાં રહે છે, તેઓ સ્વરૂપમાં સ્થિરતા કરવા રૂપ અદ્વૈત માર્ગે થઈને પોતાના શુદ્ધ ચિપને પામે છે એમાં જરા પણ સંશય નથી. તેઓ એમ વિચાર કરે છે કે, દેહ હું નથી, કર્મો હું નથી. મન હું નથી, વચન હું નથી, હું બ્રાહ્મણ નથી, હું ક્ષત્રીય નથી, હું વૈશ્ય નથી, હું શુદ્ધ નથી, હું જાડો નથી, હું પાતળો નથી, નિર્ધન નથી, ધનવાનું નથી, રાજા નથી, રાંક નથી, ગૌર નથી, શ્યામ નથી, પંડિત નથી, મૂર્ખ નથી પણ જ્ઞાનસ્વરૂપ છું. ઉપર જણાવેલા ભાગોમાં હુંપણું ન માનવાનું કારણ એ છે કે તેમાં કોઈ દેહના ધર્મો છે, કોઈ મનના ધર્મો છે, કોઈ જાતિના ધર્મો છે, અને કોઈ આત્માથી જુદી જડ માયાની ઉપાધિઓ છે. પણ તેમાં આત્માનો ધર્મ કોઈ નથી. આત્મા અને જડના વિભાગને સમજનાર ભેદજ્ઞાની, પર વસ્તુમાં પોતાપણાનો આરોપ કે માન્યતા કરેજ નહિ, પર વસ્તુમાં પોતાપણાની માન્યતા એ જ અજ્ઞાન અને એ જ અભિમાન છે. કર્મનાં બંધનો વધારવાનો અને મજબુત કરવાનો આ માર્ગ છે. અભિમાન વિનાનું ચિંતન કરવું, આત્મસ્વરૂપને વારંવાર યાદ કરવું તે શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિનું પરમ કારણ છે. જે જીવો મોહને લઈ પર વસ્તુમાં મારાપણા રૂપ મમત્વ કરે છે તેઓને સ્વપ્ન પણ શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિ થતી નથી. આ શુભાશુભ ક મારાં છે, શરીર મારુ છે, માતાપિતા ભાઈ, બહેન, સ્ત્રી, પુત્ર, પુત્રી, ઈત્યાદિ કુટુંબીઓ મારાં છે. આ દેશ, નગર, ગામ, જમીન, ઘર, હાટ, મંદિર, મહેલ, હાથી, ઘોડા, ગાય, ભેંસ, ઉંટ, બળદ, નોકર, ચાકર, દાસ, દાસી, ઈત્યાદિ મારાં છે. તે સર્વ મમત્વભાવને સૂચવે છે. ૩૮ Page #53 -------------------------------------------------------------------------- ________________ ભાષા વિના વ્યવહાર થતો નથી એટલે વ્યવહારને ખાતર આ મારું છે કે મારાં છે. એમ બોલવું પડે, તેમાં આત્મ જાગૃતિ રાખીને મારા, તારાદિ શબ્દોનો વ્યવહાર કરવો પડે, તેમાં અડચણ નથી. પણ અભિમાન કે મમત્વ ભાવના અંગે આત્મભાન ભૂલી હું અને મારું કરતાં નવીન કર્મ બંધ થાય છે તે અટકાવવાની જરૂર છે. é હું અને મને મારું આ મોહ રાજાનો મંત્ર છે, અને તેણે જગતને દેખાતી આંખે આધળું કરી દીધું છે, તેને જીતવા માટે નાર્દન મ. હું કોઈનો નથી. અને મારું કાંઈ નથી, આ મંત્રનો જાપ જ્ઞાનીઓએ બતાવેલો છે. મતલબ કે હું અને મારાપણાથી જીવ બંધાય છે અને હું કોઈનો નથી અને મારું કોઈ નથી આ વિચાર વડે જીવ બંધનથી મુકાય છે. મમતાનો ત્યાગ કરવાના વિચારો કરવા, આત્માનું ધ્યાન કરવું વ્રતો પાળવાં, બ્રહ્મચર્ય ધારણ કરવું અને ઈન્દ્રિયોનો વિરોધ કરવો એવા બીજા પણ કાય નિમમતામાં વધારો કરનારા છે. જે મહાત્માઓ અચળ મોક્ષપદને પામ્યા છે, પામે છે અને પામશે, તે સર્વે આ નિમમતાનો આશ્રય લઈને જ. જેમ લીલો ચીકાશવાળો માટીનો પિંડો ભીંત ઉપર નાખતાં તે ભીંતની સાથે ચોંટી જાય છે અને સૂકો ચીકાશ વિનાનો માટીનો પિંડો તે જ ભીંત સામે ફેંકતા પછડાઈને ભાંગીને ચોંટયા વિના ભૂકો થઈ નીચે પડી જાય છે. આ જ દૃષ્ટાંતે જ્યાં સુધી જીવને કોઈ પણ પદાર્થમાં મારાપણા રૂપ મમતાની ચીકાશ અને ઢીલાશ હોય છે ત્યાં સુધી રાગદ્વેષમાં તે લેપાવાનોજ. કમ સાથે ચોંટવાનો જ. આ મારા પણાની મમતાવાળી ચીકાશ ગઈ કે પછી તેને કર્મ કોઈપણ ચોંટવાના નહિ. મમતા મૂકી દેવાથી તપ થાય છે, મમતા જવાથી વ્રતો પાળી શકાય છે, અને ઉત્તમોત્તમ ધર્મ પણ નિર્મમતાથી પ્રાપ્ત થાય છે. નિમમતા લાવવા માટે કલેશ સહન કરવો પડતો નથી, બીજા પાસે યાચના કરવી ૩૯ Page #54 -------------------------------------------------------------------------- ________________ પડતી નથી, દેશાટન કરવાની જરૂર નથી, ચિંતા કરવી પડતી નથી અને કાંઈ ખરચ પણ કરવું પડતું નથી. ફક્ત એક વિચારની દિશા બદલાવવી પડે છે. જેને મારું માન્યું છે તેને મારું નથી, એવું મનને મનાવો કે તરત જ નિર્મમતા આવીને ઊભી રહે છે. નિમમતામાં કમને આવવાની જગ્યા નથી, અશુભ કર્મનો બંધ નથી, આત્મદ્દષ્ટિનું પોષણ થાય છે, ઉપયોગની તીવ્રતા વધે છે, નિસ્પૃહતા સ્વાભાવિક આવે છે, જ્ઞાનવાનું બને છે, સંયમી થાય છે, અને તપ ન કરવા છતાં ખરો તપસ્વી તે થાય છે. જેમ જેમ નિમિતા વૃદ્ધિ પામે છે તેમ તેમ રાગદ્વેષાદિ દોષો નાશ પામે છે, માટે આત્માર્થી જીવોએ જેમ બને તેમ મમતા અને અહંકારનો ત્યાગ કરવા પ્રયત્ન કરવો. આ પ્રમાણે વિચાર કરીને જે જીવો અહંકાર મમકારનો ત્યાગ કરે છે તે જીવો શુદ્ધ આત્માના ધ્યાનને અવશ્ય પામે છે. ૪૦ Page #55 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ અગિયારમું (૧૧ મું) આત્મઉપાસકોની દુર્લભતા प्रतिक्षणं प्रकुर्वति, चिंतनं परवस्तुन : સર્વે વ્યામોદિતા નીવા : કા ઢોર વિદ્વાત્મન : || 9 || મોહમાં ફસાયેલા સર્વે જીવો દરેક ક્ષણે પરવસ્તુનું ચિંતન કરે છે. કોઈક જીવ ક્યારેક ચિદાત્માનું ચિંતન કરતો હશ”. જગતના જીવોનો મોટો ભાગ રાત્રી અને દિવસ અનેક પ્રકારના પ્રયત્નમાં લાગી રહેલો છે. નાનામાં નાના જંતુ, ખનિજ અને વનસ્પતિ આદિના જીવો અને પશુ-પક્ષી-મનુષ્યાદિ પણ કોઈ ને કોઈ વ્યાપારમાં-પ્રવૃત્તિમાં લાગી ગયેલા જણાય છે, તે તે જીવોના હાલવા ચાલવામાં, બોલવામાં, અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં જો બારીક નજરથી જોવામાં આવે તો ખાતરી થશે કે તેની આ સર્વ પ્રવૃત્તિ પર વસ્તુ મેળવવાની, સંગ્રહ કરવાની, કે રક્ષણ કરવાની જ હોય છે. નાના બાળક-બાળકીઓથી લઈ મોટા ગણાતા રાજા-મહારાજા અને મહારાણીઓની પણ પ્રવૃત્તિ તપાસવામાં આવે તો ખાવા-પીવામાં મોજ મજામાં, પહેરવા-ઓઢવામાં, અને પરવસ્તુના સંગ્રહ તરફ જ હોય છે. આત્મા તરફ પ્રવૃત્તિ કરનારા તો કોઈ વિરલ જીવ જ જણાઈ આવશે. ધનનો ત્યાગ કરનારા, ભગવાનના નામે મંદિરો બંધાવનારા મહોત્સવો કરનારા, દાન દેનારા અને પરોપકાર કરનારા અનેક જીવો મળી આવવા સુલભ છે. પણ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રકટ કરવા તરફ પુરુષાર્થ કરનારા કોઈક જીવો જ મળી આવશે, કેમકે એમની પ્રવૃત્તિ બાહ્ય વસ્તુનો ત્યાગ કરવાની છે. પણ આત્માને જગાડનારી પ્રવૃત્તિ નથી. ૪૧ Page #56 -------------------------------------------------------------------------- ________________ યમ નિયમ પાળનારા, વ્રત ધારણ કરનારા, ઘોર તપશ્ચર્યા કરનારા, પ્રભુનું પૂજન, અર્ચન, નમન કરનારા, વ્યસનોનો ત્યાગ કરનારા, તીર્થયાત્રામાં પર્યટન કરનાર, પરિષહોસહન કરનારા, રૂપવાન, બળવાન, ધનવાન, લાવણ્યતાવાળા, પુત્રાદિ સંતતિવાળા ઘણા જીવો જગતમાં મળી આવવા સંભવિત છે. પણ, રાગદ્વેષ મોહનો ત્યાગ કરીને આત્મતત્ત્વમાં લીન થયેલા જીવો મળવા મહાન દુર્લભ છે, કેમકે ઉપર બતાવેલી સર્વ પ્રવૃત્તિનો મોટો ભાગ દેહથી કરવા યોગ્ય કાર્યનો છે અને આત્મા તો દેહથી પર છે. ધર્મશ્રવણ કરનારા, ઈન્દ્રિયોને દમવાવાળા, મૌનપણું ધારણ કરનારા જ્યગુણને જાણનારા, મનુષ્યોની સોબતથી દૂર રહેનારા અને પંડિતતા ધારણ કરનારા ઘણા જીવો વિશ્વમાં મળી શકશે, પણ આત્મતત્ત્વના અનુભવી જીવો મળવા મુશ્કેલ છે, કેમકે આત્મતત્ત્વ એ સર્વથી પર રહેલું છે. જ્યોતિષવિદ્યામાં પારગામી, વૈદકશાસ્ત્રના પાકા પરિચયવાળા, પુરાણોમાં પ્રવિણ, વાસ્તુશાસ્માં નિપુણ, અને સંગીતાદિમાં નિષ્ણાંત વિદ્વાનો વિશ્વમાં મળવા સુલભ છે, પણ આત્મતત્ત્વમાં પ્રવીણ જીવો મળવા દુર્લભ છે, કેમકે એ બાહ્યકળાઓ અને વિદ્યાઓથી આત્મા પેલી તરફ રહેલો છે. અર્થાત્ એ શાસ્ત્રોના જ્ઞાનથી આત્મા પામી શકાતો નથી. જળમાં તરનારાઓ, જુગારમાં જીતનારાઓ, વનમાં રહેનારાઓ, યુદ્ધમાં વિજય મેળવનારાઓ, હૃદયદ્રાવક ગાયન કરનારાઓ અને સ્ત્રીઓ સાથે ક્રીડા કરનારાઓ ઘણા જીવો જોવામાં આવે છે, પણ આત્મામાં આનંદ કરનારા જીવો કોઈક ભાગ્યે જ દેખાય છે, કેમકે શારીરિક પ્રવૃત્તિથી આત્મા પેલી તરફ છે. સિંહોને વશ કરનારા, સર્પોને પકડનારા, હાથીઓને સ્વાધિન કરનારા, વાધને ત્રાસ દેનારા અને શત્રુઓ ઉપર વિજય મેળવનારા ઘણા જીવો મળી આવે ૪૨ : Page #57 -------------------------------------------------------------------------- ________________ છે પણ પોતાના ચિદાત્માનો વિજય મેળવનારા કોઈ વિરલ આત્મા દેખાય છે કેમકે બાહ્ય વિજયથી આત્મા પર છે. પાણીને, અગ્નિને, રોગને, હાથીઓને, સપને, ચોરને, શત્રુને અને વિદ્યાધરોને સ્તંભન કરવાની શક્તિવાળા ઘણા જીવો મળી આવશે, પણ ઉન્માર્ગે ચાલનારા પોતાના મનને તંભન કરનારા કોઈ વિરલાજ જીવો મળી આવે છે, કારણકે આત્માને સ્થિર કરવાનો માર્ગ તેનાથી જુદો છે. શાંત જિંદગી ગુજારનારા, મહાવ્રતો પાળનારા, ઉપસર્ગના પ્રસંગમાં વૈયા રાખનારા, ગંભીરતા ધરનારા, એવા પણ અનેક જીવો મળી આવવા સુલભ છે, પણ આત્મસ્વરૂપમાં લીન થનારા જીવો કોઈક જ હોય છે, કેમકે આ માર્ગ જ ઉપાધિ વિનાનો છે. એકેન્દ્રિયાદિ સંજ્ઞાવાળા. પૂર્ણપયપ્તિ કરનારા અનંત જીવો છે. પણ તેમાં શુદ્ધ આત્મગુણની પૂર્ણતા કરનારો કોઈ જીવ નથી. પાચ ઈન્દ્રિયવાળા સંશી. આસન્ન ભવ્યતાવાળા, મનુષ્ય જન્મ પામેલા ઉત્તમ વ્રતધારી, શુદ્ધ ચિદ્રપમાં લીન થનારા જીવો મનુષ્યલોકની બહાર અસંખ્યતા દ્વીપ સમુદ્રમાં કોઈ પણ નથી. અઘોલોકથી ઓળખાતા નીચલા ભાગમાં અને ઊર્ધ્વલોકથી જણાવતા ઉપરના ભાગમાં પણ તેવા કોઈ નથી. મનુષ્યલોકમાં પણ જે જીવ ઉત્પન્ન થાય છે, તેમાં અકર્મભૂમિમાં તથા મ્લેચ્છ ખંડવાળી ભોગભૂમિમાં પણ પ્રાયે તેવો કોઈ જીવ હોતો નથી. આયખંડમાં ઉત્પન્ન થયેલા જીવોમાં પણ કોઈ વિરલાજ જીવો આત્મજ્ઞાનમાં લીન થનારા હોય છે. - આ ક્ષેત્રમાં અત્યારે ઘણા થોડા જીવો જ આત્માના માર્ગે ચાલનારા છે. તેમાં પણ સમ્ય-દર્શનવાળા, અણવ્રતધારી, મહાવ્રત ધારણ કરનારા, ધીર પુરુષો તો અત્યંત દુર્લભ છે. તેમાં પણ તત્ત્વવેત્તા અને તેમાં પણ આત્મામા રક્ત-લીન થયેલા જીવો તો અત્યંત દુર્લભ છે. આ અવસપિણિ કાળમાં, વ્રતધારી, જ્ઞાનમાં ૪૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ આસક્ત, ગુણવાન, પાત્રતાવાળા અને સદ્ગતિગામી જીવો ઘણા થોડા હોય છે. મિથ્યાત્વાદિ ચાર ગુણસ્થાનમાં શુદ્ધ આત્મામાં આસક્ત જીવો સંભવે જ નહિ. વ્રત ધારણ કરનારા જીવો કોઈક વખત જ આત્મામાં આસક્ત હોય છે. પાંચમાં ગુણસ્થાનથી ચૌદમા સુધીના દશ ગુણસ્થાનોમાં તેવા જીવો મળી આવે છે, પણ તેવા ઘણા થોડા જ હોય છે. અત્યારે ઘણા જીવો તો શરીરમાં, ધનમાં, ભાઈઓમાં, પુત્રમાં, પુત્રીમાં, સ્ત્રીઓમાં માતાપિતામાં, ઘરમાં ઈન્દ્રિયોના ભોગમાં, વનમાં, નગરમાં આકાશી વાહનમાં, રાજકાર્યની ખટપટમાં, ભોજનમાં, બાગ-બગીચામાં, વ્યસનમાં, ખેતીમાં, વાવોમાં, કૂવામાં, તળાવોમાં, નદીઓમાં, નાટકોમાં, યશ મેળવવામાં, માન-પ્રવૃત્તિ કરતા પ્રત્યક્ષ દેખાય છે, પણ પોતાના શુદ્ધ ચિદ્રપમાં આસક્ત થનારા કોઈ વિરલા જ જીવો હોય છે. જ્ઞાનીઓએ આ કાળને દુષમકાળ કહ્યો છે તેનું કારણ માત્ર એ જ છે કે ઉપર બતાવેલા બાહ્ય દ્રવ્યમાં, ઈન્દ્રિયોમાં શરીરમાં,વચનમાં મનમાં અને બાહ્ય વિદ્યા કળામાં જીવો પ્રવૃત્તિ કરી રહ્યા છે કે જે વિભાવ દશા છે.આત્માના માર્ગની તે પ્રવૃત્તિ નથી પણ આત્માના માર્ગમાં વિઘ્નરૂપ તે પ્રવૃત્તિ છે, તેમાં જીવો મોહિત થઈ સ્યા છે તેને માટે અહોનિશ પ્રવૃત્તિ કરી રહ્યા છે.પરિણામે તે વસ્તુ જુદી છે. નાશ પામનારી છે,દગો દેનારી છે, દુઃખી કરનારી છે, છતાં તે સંબંધમાં આંખો મીંચીને જીવો પ્રવૃત્તિ કરી રહ્યા છે અને જે વસ્તુ સાચી છે,કાયમ ટકી રહેનારી છે, સદા સાથે રહેનારી છે, સુખરૂપ છે તે પોતાનો આત્મા જ છે, તેને માટે જરા પણ વિચાર કે પ્રવૃત્તિ કરતા નથી. માટેજ આત્માતરફ પ્રવૃત્તિ કરવી,તેની ઉપાસના કરવી છે.આ દુષમકાળમાં પણ આત્માને ઓળખીને તે તરફ પ્રવૃત્તિ કરનારા જીવો સહેલાઈથી પોતાનું કલ્યાણ કરી શકે છે. માટે ઉત્તમ વખત અને જે અનુકૂળ સાધનો પોતાને મળ્યાં હોય તેનો આત્માને માર્ગે ઉપયોગ કરવા ચૂકવું નહિ. ૪૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બારમું (૧૨ મું) જ્ઞાનાદિ રત્નત્રય. : રત્નત્રય દ્વિના વિદ્રપબ્ધિ ગાયતે || यथद्धिस्तपस : पुत्रा पितुर्वृष्टिर्बलाहकात् ॥ १ ॥ તપ વિના જેમ લબ્ધિઓ થતી નથી, પિતા વિના પુત્ર થતો નથી અને વાદળ વિના વૃષ્ટિ થતી નથી, તેમ રત્નત્રય-જ્ઞાન, દર્શન, ચરિત્ર વિના ચિદ્રપની પ્રાપ્તિ થતી નથી.” જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં આત્માની પ્રવૃત્તિ થાય તેને રત્નત્રય કહેવામાં આવે છે. આત્મા આ ત્રણ રત્ન સ્વરૂપ જ છે. તેમ જ સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ જ મોક્ષનો માર્ગ છે. આ રત્નત્રય વ્યવહારે તેમ નિશ્ચયથી એમ બે પ્રકારે છે. દ્વાદશાંગી અથવા ચૌદપૂર્વનું જ્ઞાન કરવું તે વ્યવહાર જ્ઞાન છે. જેના સારભૂત જીવ-અજીવ બે પદાર્થો છે. તેનો વિસ્તાર તે ચૌદપૂર્વનું જ્ઞાન છે. જીવ-અજીવના મધ્યમ વિસ્તારરૂપ પુન્ય , પાપ, આશ્રવ, સંવર, બધ, નિર્જરા અને મોક્ષ એ નવ તત્ત્વો બને છે. જેમાં ચેતના છે તે જીવ છે. તેનાથી વિપરીત લક્ષણ તે અજીવ છે. તેમાં જડતા છે. શુભ કર્મનાં પુદ્ગલો તે પુન્ય છે. અશુભ કર્મનાં પુદ્ગલો તે પાપ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મન, વચન, કાયાની પ્રવૃત્તિ રૂપ યોગ એ હેતુથી જે આવે તે આશ્રવ છે. વિરતિથી આવતાં કર્મને અટકાવવાં તે સંવર છે. આવેલાં કર્મોનું પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના ભેદ અન્યોઅન્ય જોડાવું તે બંધ છે. બંધાયેલા કર્મોને આત્માના પ્રદેશથી ભોગવીને જુદાં કરવા તે નિર્જરા અને આત્મપ્રદેશથી કર્મોનું નિર્જરી જવું તે મોક્ષ છે. ૪૫ Page #60 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન ભણવાના વખતે જ્ઞાન ભણવું, કાળ વેળાએ ન ભણવું. વિનયપૂર્વક જ્ઞાન શીખવું. બહુમાનપૂર્વક ભણવું, ઉપધાન અને યોગ વહનની તપશ્ચર્યા કરીને જ્ઞાન શીખવું. જ્ઞાન આપનાર ગુફને ઓળવવા નહિં તેનો ઉપકાર ન ભૂલવો. અક્ષરો, કાનો, માત્ર, બિન્દુ પડયા ન રહે તેમ શીખવું, અર્થ સાથે ભણવું. જે ભણવામાં આવે તેનો અર્થ બરોબર સમજવો-યા-ધારી રાખવો. અક્ષર અને અર્થ બન્નેનું જ્ઞાન મેળવવું. આ સર્વ વ્યવહાર જ્ઞાન છે. તેનાથી સર્વ તત્ત્વોનું જ્ઞાન : થાય છે. આત્માના સ્વરૂપનું જ્ઞાન કરવું તે નિશ્ચયજ્ઞાન છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. આત્માથી જ્ઞાન જુદું નથી. છતાં સ્વભાવનું જ્ઞાન સ્વરૂપમાં સ્થિરતા કરાવે છે ત્યારે વિભાવનું જ્ઞાન, આત્મજાગૃતિ ન હોય તો ભાન ભુલાવી રાગ દ્વેષ કરાવી નવીન કર્મ બંધ કરાવે છે. માટે સ્વભાવમાં આવવા માટે વિભાવ જ્ઞાનને જાણવાની જરૂર છે. કેમકે વિભાવથી સ્વભાવને જુદો કરવા માટે તેના પ્રતિપક્ષીને જાણવાની જરૂર રહે છે. તે જાણ્યા પછી સ્વભાવમાં સ્થિરતા કરવાનું કાર્ય ચાલુ રાખવાનું છે. આ જ્ઞાન ઉત્તમ છે. કર્મ રેણુને ઉડાવનાર પવન સમાન છે અને મોક્ષનું હેતુ છે. મોહના અભાવથી પોતાના આત્મતત્ત્વનો અનુભવ થાય છે. બાલા અત્યંતર સંગથી મુક્ત થયેલ આ પરમ જ્ઞાન છે. જીવઅજીવ આદિ નવ તત્ત્વોની શ્રદ્ધા થવી તેને વ્યવહારે દર્શન કહેવામાં આવે છે. નિશ્ચય દર્શનના ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયક એવા ભેદો છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, સમક્તિ મોહનીય મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય આ સાત પ્રકૃત્તિના ઉપશમ સમ્યકત્વ કહેવાય છે અને સાત પ્રકૃતિના ક્ષયથી ક્ષાયક સમ્યકત્વ યાને દર્શન કહેવામાં આવે છે. જે વિચાર કે વર્તનથી અનંત કર્મ પરહાણું આવે, તેમાં તીવ્ર કર્મોનો રસ પડે તે અનંતાનુબંધી કષાય કહેવાય છે. આ વિચાર કે વર્તન ક્રાધથી, માનથી, ૪૬ Page #61 -------------------------------------------------------------------------- ________________ માયાકપટથી અને લોભથી એમ ચાર પ્રકારે થાય છે. મનુષ્યોના દરેક વિચાર કે વર્તનમાં પ્રાયે કરી ક્રોધ, માન, માયા અને લોભ તો હોય છે જ, પણ તે સર્વમાં કિાંઈ અનંતો રસ પડતો નથી, છતાં આત્મ સન્મુખ થવા રૂપ આત્મદ્રષ્ટિ જ્યાં સુધી જાગૃત ન થઈ હોય ત્યાં સુધી સત્તામાં તેનાં બીજ હોય છે, એટલે તે જીવની આ દેહ દષ્ટિથી કે પુદ્ગલાનંદીપણાથી તે બીજને પોષણ મળ્યા કરે છે. મિથ્યાત્વનાં પુદ્ગલો શોધેલાં હોવાથી ઊજળાં થયેલાં હોય તે સમ્યકત્વ મોહનીય છે. અડધાં શુદ્ધ અને અડધાં અશુદ્ધ એવાં મિશ્ર મિથ્યાત્વનાં પુદ્ગલો મિશ્ર મોહનીય કહે છે. અને સર્વથા અશુદ્ધ મિથ્યાત્વનાં પુદ્ગલો તે મિથ્યાત્વ મોહનીય છે મિથ્યાત્વ મોહનીય એ કર્મોનું બીજ છે, અથવા મૂળ છે. ડાળાં, પાંખડાં કાપી નાખવાં છતાં જો મૂળ સાજું હોયતો પાછું ઝાડ નવપલ્લવિત થાય છે, તેમ જો આ મિથ્યાત્વનું મૂળ કાયમ હોય તો સંસારવૃક્ષ નવપલ્લવિતજ રહે છે. તેવા જીવોને ભવમાં લાગે છે. પુદ્ગલોમાં જ સુખ દેખાય છે. આત્મામાં પ્રેમ થતો નથી, તેના સુખમાં શાંતિ દેખાતી નથી. અરે ! તે આત્માનું નામ પણ તેને ગમતું નથી. આવા જીવોને મિથ્યાત્વી કહેવામાં આવે છે. કેમકે પાંચ ઈન્દ્રિયના કે વિશ્વના મિથ્યા સુખમાં તેને પ્રીતિ હોય છે. મિથ્યાત્વનાં અરધાં અશુદ્ધ પુદ્ગલવાળો જીવ તેના કરતાં સારો છે. તેને મનમાં મધ્યસ્થતા હોય છે. તેની સત્ય આત્મા તરફ પ્રવૃત્તિ તો નથી છતાં તેના ઉપર દ્વેષ કે ખેદ પણ નથી. એ પણ ઠીક છે અને આ પણ ઠીક છે. એવી માન્યતા હોય છે. એમ છતાં મિથ્યાત્વનાં પુદ્ગલોનું વદન હોવાથી તેને પડતાં વાર લાગતી નથી, તેમ જ નિમિત્ત સારું મળી આવે તો તે આગળ પણ વધી શકે છે અને આત્મદ્રષ્ટિ પ્રાપ્ત કરી શકે છે. મિથ્યાત્વના ઉજ્જવળ પુદ્ગલવાળો તેના કરતાં સારો છે. વસ્તુગતે વસ્તુને તે જોઈ શકતો નથી પણ તેની તે નજીક છે. પારદર્શક પુગલોના આંતરાની ૪૭. Page #62 -------------------------------------------------------------------------- ________________ માફક તેના વચમાં ઊજળો પણ પડદો છે, તેથી તેના મનમાં પ્રસંગે પ્રસંગે શંકા કાંક્ષાઓ થયા કરે છે. વસ્તુનો તાત્ત્વિક નિશ્ચય તેને નથી છતાં કોઈ જ્ઞાની પુરુષોનું નિમિત્ત મળી જાય તો સમ્યકત્વ પ્રાપ્તિની તૈયારી તેનામાં છે. અને જો વિપરીત નિમિત્ત મળી જાય તો આ શુદ્ધ પુદ્ગલને મિથ્યાત્વનાં મેલાં પુદ્ગલો થતાં પણ વાર ન લાગે. કેમકે મિથ્યાત્વનું બીજ તેનામાં કાયમ છે. આ સાત પ્રવૃત્તિઓ ઉપર બતાવી તે આત્મજાગૃતિના બળે સત્તામાં દબાવી હોય તેને ઉપશમ સમ્યકત્વ અથવા દર્શન કહે છે. જેમ નીચે અગ્નિ પડેલો હોય છતાં ઉપર રાખ વગેરે કોઈ પદાર્થ નાખવાથી અંદરમાં તે દબાયેલો રહે છે તેમ પરમાત્મસ્મરણની અખંડ ધારા ચાલતી હોય તે વખતે આ સાતે પ્રકૃતિઓ સત્તામાં દબાયેલી રહે છે. આત્મસ્મરણ ચાલતું હોવાથી આ પ્રસંગે તેને બહાર નીકળવાનું નિમિત્ત મળતું નથી. આ પરમાત્મસ્મરણ તે રાખની માફક તેને સત્તામાં દબાવી રાખે છે. આ વખતે ઉપશમનું બળ વધે છે. આત્માનો ઝાંખો પ્રકાશ કે મધુર આનંદ તેને મળે છે. આવા ઉપશમનું બળ જો બહુ જ વધારવામાં આવે તો પ્રસંગે તે સાતે પ્રકૃતિનો ક્ષય થઈ, ઉપશમમાંથી અનુક્રમે ક્ષાયક ભાવ પ્રકટે છે. માટે જ્યાં સુધી ક્ષય કરવાનું બળ ન પ્રકટે ત્યાં સુધી મનુષ્યોએ ઉપશમનું બળ વધારતા રહેવું જેમ દબાયેલા અગ્નિમાંથી પણ બારીક વરાળ બહાર આવે છે અને અગ્નિ દબાયેલો રહે છે તેમ કાંઈક મિથ્યાત્વનાં પુદગલો વેદાય અને કાંઈક દબાયેલાં રહે. આ સ્થિતિને ક્ષયોપશમની સ્થિતિ કહે છે. પરમાત્માનું સ્મરણ કરતાં અને આત્મજાગૃતિવાળા ઉપયોગમાં રહેવાની પ્રવૃત્તિ કરતાં એકાગ્રતા ન હોવાથી વચમાં વિકલ્પો આવ્યા કરે અને કાંઈક સ્થિરતા હોય. આ સ્થિરતા તે પુદ્ગલોને દબાવી રાખે છે અને કાંઈક વિકલ્પવાળી અસ્થિરતાને લીધે તે પુદ્ગલો બહાર આવે છે. આને ક્ષયોપશમ કહે છે. ક્ષાયક દશામાં તો આ સાતે પ્રકૃતિઓનો મૂળથી ક્ષય કરવામાં આવે છે. ૪૮ Page #63 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના વિશેષ બળને લીધે આત્મજાગૃતિમાં વધારો થતો રહે છે. આ આત્મજાગૃતિના બળે છેવટે તે શુદ્ધ મિથ્યાત્વના મુદ્દગલોનો નાશ કરવામાં આવે છે. એટલે ાયફદર્શન પ્રકટે છે. આ વખતે આવેલું પાછું ન જાય- પ્રગટેલો આત્મપ્રકાશ કોઈ પણ પ્રસંગે ન બુઝાય તેવું આત્મદર્શન થાય છે. તેને લઈને એ સાધકના આનંદનો પાર રહેતો નથી. હવેથી તે પોતાના આત્માના કાયમ દર્શન કરે છે. માટેજ તેને લાયક દર્શન કહે છે. ઉપશમમાં અને ક્ષયોપશમમાં પણ આત્મદર્શન તો હોય છે પણ તે અખંડ નથી, તેમ શુદ્ધ પણ નથી, ઉપશમમાં આત્મદર્શન વધારે શુદ્ધ થાય છે, પણ તેની સ્થિરતા ઓછી થતાં પાછો પડદો તેની આગળ આવી પડે છે. ક્ષયોપશમાં ઝાંખી વિશુદ્ધિ હોય છે. પરિણામની ધારામાં ફેરફાર થતાં તેની આડે પણ વિશષ ઝાંખો પડદો આવી રહે છે. આ સ્થળે દર્શનમોહનીય કર્મના ઉપશમ કે ક્ષયને લઈને જેટલો આત્મા ઉજ્જવળ બન્યો છે, જેટલાં કર્મો આત્મા ઉપરથી ઓછાં થયાં છે, તેટલો આત્મગુણ પ્રકટયો છે. આ આત્મગુણને દર્શન કહેવામાં આવે છે. તે નિશ્ચય સમ્યગુદર્શન છે. પાપવાળા વ્યાપારોની નિવૃત્તિ કરવી અને શુભ કર્મમાં પ્રવૃત્તિ કરવી તેને વ્યવહારચરિત્ર કહે છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપ મૂળ ગુણ અને કર્મકાંડ તે ઉત્તર ગુણ, આ બન્ને મૂળ ઉત્તર ગુણોનું મોક્ષને અર્થે પાલન કરાય તે ચારિત્ર છે. પ્રથમનાં જ્ઞાન અને દર્શન સાથે હોય તોજ આ ચારિત્ર કર્મક્ષય કરવામાં પરંપરા ઉપયોગી છે. તે સિવાય શુભવર્તન હોવાથી પુન્ય બંધનું કારણ થાય છે. જ્યાં જ્યાં શુભ ઉપયોગ અને શુભ પ્રવૃત્તિ છે ત્યાં ત્યાં વ્યવહાર ચારિત્ર છે અને તે પુન્ય બંધનું કારણ છે. પરંપરા એ મોક્ષનું કારણ થાય છે. ૪૮ Page #64 -------------------------------------------------------------------------- ________________ પોતાના શુદ્ધ આક્રમામાં અત્ય`ત નિશ્ચળ સ્થિતિ તે ઉત્તમ નિશ્ચય ચારિત્ર છે. તેથી ક્રમનાય છે. દર્શન અને શાન બળથી પાતાના યુદ્ધ ચિક્ષમાં સ્થિતિ કરવી અને એ વિશુદ્ધિના બળ પર દ્રનું મરણ ન યાય તેવી સ્વરૂપમાં લીનતા કરવી તે ઉત્તમ ચારિત્ર છે. આત્મદર્શન સ્થિર થવા પછી તેમાં એકરસ થવી દુલભ નથી. આ એકરસતા તે જ નિર્વિકલ્પ સ્વરૂપય દશા છે. આ વ્યવહાર રત્નત્રય સાધનરૂપ છે. અને નિશ્ચય રત્નત્રય તે સાધ્વરૂપ છે, સત્ પુરૂપે એ તેનુ સેવન કરેલું છે. આ ચારિત્ર જાતને પુજ્ય છે. વ્યવહાર ચારિત્ર જે શુભ ઉપચેમની પ્રવૃત્તિરૂપે છે તે વદિસુખનું સાધન છે, શુદ્ધ ઉપયાગમાં સ્થિરતારૂપ નિશ્ચય ચારિત્ર મેક્ષનું કારણ છે. વ્યવહાર નત્રયથી નિશ્ચય રત્નત્રય પ્રગટ લાવે છે. ાં રત્નત્રય વિના ઉઇને કોઈ પણ કાળે પોતાના પરમ શુદ્ધ ચિની પ્રાપ્તિ થતી નથી. આ શાનીનો હાનિશ્ચય છે, 5555 ૫૦ Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ તેરમું (૧૩મું) વિશુદ્ધિનાં સાધનો येनोपायेन संक्लेश श्चिद्गपाधातिवेगत : । વિશુદ્વિતિ વિષે, સ વિધેયો મુમુક્ષુ |9 || “જે ઉપાય વડે આત્મામાંથી મલીનતા જલદી નાશ પામે અને આત્મામાં વિશુદ્ધિ આવે તે ઉપાય મોક્ષના ઈચ્છુક જીવોએ કરવો.” આત્મામાં રાગદ્વેષની લાગણીઓ છે તે જ મલીનતા છે. જેટલે અંશે આ મલીનતા ઓછી થાય છે તેટલે અંશે વિશુદ્ધિ પ્રગટ થાય છે. મન બે પ્રકારનું છે. એક દ્રવ્ય મન, બીજું ભાવ મન. પુદ્ગલનાં પરમાણુઓનું બનેલું મન તે દ્રવ્ય મન છે. જેમાંથી અનેક આકૃતિઓ બંધાય છે અને આંતરદ્વષ્ટિથી તે જોવામાં પણ આવે છે. અનેક પ્રકારના વિકલ્પો અને કલ્પનાઓ તે દ્રવ્ય મન છે. ભાવ મન આત્માના ઘરનું છે. તે ઉપયોગ રૂપ છે. ઉપયોગ, શુભ, શુદ્ધ, અશુભ અને અશુદ્ધ એમ અનેક પ્રકારે છે. શુદ્ધ ઉપયોગ જે કેવળ સહજ સ્વરૂપનિર્વિકલ્પ રૂપ છે. વીતરાગ દશામાં સાકાર અને નિરાકાર રૂપ ઉપયોગ છે, જેમાં કર્મમળનો અભાવ છે તેવા શુદ્ધ ઉપયોગ સિવાયનો શુભ-અશુભ, અને અશુદ્ધ ઉપયોગ છે તે મલીનતાવાળો છે. આ ભાવ મન કે જે શુભાશુભ ઉપયોગ રૂપ છે, તેને આત્માની મલીનતાવાળી સ્થિતિ કહો તો પણ એકજ વાત છે, આ આત્માને અથવા આ ભાવ મનને શુદ્ધ કરવાની જરૂર છે, આત્માનું કલ્યાણ ઈચ્છનારાઓએ પ્રથમ આ મનને શોધવું જોઈએ. તેમાં રહેલા મળને દૂર કરવો જોઈએ, જેમ જ ૫૧ Page #66 -------------------------------------------------------------------------- ________________ દૂરોગી માણસને મળ શુદ્ધિ કર્યા વિના શરીરની પુષ્ટિ કરનારું રસાયણ પણ કાંઈ ઉપયોગી થતું નથી, તેમ મન શુદ્ધિ કર્યા વિના આત્મજ્ઞાન ફાયદો આપતું નથી, રોગીને પ્રથમ વૈદ્ય લોકો જુલાબ આપી તેનો કોઠો સાફ કરે છે પછી દવા કે રસાયણ જે આપે છે તે તેને ફાયદાકારક થાય છે. તેમ જ્ઞાની ગરુઓ રૂપ વૈદ્યો પ્રથમ મનને શુદ્ધ કરવા શુભ કાર્યમાં મનને અખંડ પ્રવૃત્તિ કરાવવા રૂપ જુલાબ આપી, અશુભ વિચારો અને વર્તનો બંધ કરાવે છે, તે પછી આત્માનું ધ્યાન કરવા રૂપ રસાયણ આપે છે તે સિવાય કરાયેલી મહેનત આત્મ સ્વરૂપ પ્રકટ કરાવનારી થતી નથી. જેમ પાણીના પ્રવાહને અટકાવવા આડી મજબૂત પાળ બાંધવારૂપ બંધ નાખવામાં આવે છે તેથી પાણી રોકાઈ રહે છે, છતાં તે રોકાયેલા પાણીને બીજી બાજુ વાળવાનો પ્રયત્ન કરવામાં ન આવે તો તે પાણી પાળને તોડી નાખશે. અથવા પાળ ઉપર થઈને ચાલ્યું જશે, તેમ મનથી કોઈ પણ અશુભ વિકલ્પ ન કરવા રૂપ નિશ્વય કરવામાં આવે તેથી તે નિશ્ચયની પાળ આગળ અશુભ વિકલ્પો અટકશે, છતાં તે મનને બીજે રસ્તે જોડવામાં ન આવે તો છેવટે મન તેના સ્વભાવ પ્રમાણે પોતાના નિશ્ચયને તોડી નાખશે. માટે મનને સારા વિચારો કરવા તરફ વાળવું જોઈએ. સારા વિચારો કે જાપ કરવા તરફ વળેલો મનનો પ્રવાહ અશુભ માર્ગ તરફ વહન નહિ થાય અને અશુભ વિચારો ન કરવાના નિશ્ચયવાળો પાળનો બંધ પજબુત બન્યો રહેશે. આ વિચાર પ્રમાણે મનને શુભ માર્ગમાં જોડવાથી અશુભ વિચારોને અટકાવવાની જરૂર પણ રહેશે નહિ. અર્થાત્ શુભ વિચારો કરવા આડે તેને ફુરસદ નહિં મળે, તેથી અશુભ વિચારો કરતું મન સ્વાભાવિકજ બંધ થશે. જેમ કાંટો કાંટાને કાઢે છે તેમ શુભ વિચારો અશુભ વિચારોને હઠાવે છે. કાંટો કાઢવા માટે સોય કે શૂળ રૂપ બીજો કાંટો પગમાં નાખવો પડે છે. આ કાંટો પ્રથમના કાંટાને કાઢી નાખે છે, કાંટો નીકળ્યા પછી તે બન્નેને દૂર કરવામાં આવે ૫૨ WWW.jainelibrary.org Page #67 -------------------------------------------------------------------------- ________________ છે. તેમ મનની વિશુદ્ધિ માટે, મનનો મેલ દૂર કરવા સારુ પરમાત્માના નામનો જાપ કરવા રૂપ કે તેમની વીતરાગ ભાવવાળી સજીવન મૂર્તિનું યા શુદ્ધ આબભાવને સૂચક પ્રતિમાજી પ્રમુખનું આલંબન લેવામાં આવે છે. આ આલંબનની મદદથી મનની વિશુદ્ધિ કરવામાં આવે છે. મલીનતા રૂપ કાંટો આ આલંબનના કાંટાથી કાઢવામાં આવે છે, તે મલીનતા દૂર થતાં આલંબન રૂપ કાંટાને પણ મૂકી દેવામાં આવે છે. આ આલંબનમાં મન સર્વથા શાંત થતું નથી. જાપ કરવો કે આકૃતિ સામે જોવામાં મનને રોકવું પડે છે. આટલી પણ વિભાવ દશા છે. આટલી પણ મનની પ્રવૃત્તિ રહે છે છતાં અશુભ વિચારમાં પ્રવર્તતા મન કરતાં આટલી મનની પ્રવૃત્તિ રહે છે તે ઉત્તમ છે. મનની ઘણી પ્રવૃત્તિ બંધ થયેલી છે. જેમ મંત્રવાદિ મંત્રના પદને બોલીને ધીમે ધીમે સાપ પ્રમુખના ઝેરને દૂર કરે છે, તેમ પરમાત્માના નામ સ્મરણ રૂપ મંત્રના પદો વડે મનની અશુદ્ધતારૂપ ઝેરને સાધક ધીમે ધીમે દૂર કરે છે. (ઝેર ઊતરી ગયા પછી મંત્રના શબ્દો બોલવાની જરૂર નથી) શબ્દના બળથી ઝેરનાં પરમાણુ હઠી જાય છે. અથવા રૂપાંતરમાં બદલાઈ જાય છે. જેમ અંધકારના પરમાણુઓ પ્રકાશના પરમાણુના બળથી પ્રકાશના રૂપમાં બદલાઈ જાય છે તેમ મનની અશુદ્ધિવાળાં પરમાણુઓનું પરમાત્માના નામ સ્મરણ રૂપ પ્રકાશના બળે રૂપાંતર પામી જાય છે, એટલે અશુદ્ધ કે અશુભ અધ્યવસાયમાંથી મનને પાછું હઠાવીને શુભ આલંબનમાં જોડી દેવું તે શરૂઆતમાં ઘણું સારું છે. ત્યાર પછી “હું શુદ્ધ આત્મસ્વરૂપ છું નિરંજન છું નિરાકાર છું જ્યોતિ સ્વરૂપ છું.” આવા જાપ કે પ્રતિમાજી આદિના આલંબનને મૂકી દેવું અને એ શુદ્ધતા, કર્મ અંજન રહિતતા, નિરાકારતા કે જ્યાનિ સ્વરૂપતામાં એક રસ થઈ રહેવું. તેમાં રહેવાય તેટલીવાર રહેવું અને ન રહેવાય તો પાછું પ્રથમનું આલંબન પકડી લેવું. તેમાંથી પાછું નિર્વિકલ્પાદિના સ્વરૂપમાં આવવું. આમ થોડીવાર આલંબન લેવું અને થોડીવાર નિરાલંબન મનને રાખવું. આ પ્રમાણે કેટલાક લાંબા પ૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ વખતના અભ્યાસ પછી મન આત્મામાં આવીને લીન થઈ જાય છે, આ વખતે વિશુદ્ધિ ધણી થયેલી હોય છે અને જેમ જેમ આત્માના નિર્વિકલ્પ સ્વભાવમાં વધુ વખત રહેવાય છે તેમ તેમ વિશુદ્ધિ વધતી જાય છે. કોઈની પણ નિંદા ન કરવી. પાપી મનુષ્યોને જોઈને તેના કર્મની તેવીજ રચના છે એવો વિચાર કરવો. અથવા તેના કર્મનો જોખમદાર કે જવાબદાર તેજ છે, કરશે તે ભરશે, વાવશે તેવું લણશે, એમ વિચાર કરીને તેની નિંદા ન કરતાં ઉપેક્ષા કરવી. ગુણવાનું મનુષ્યોની સેવા કરવી, ગુણાનુરાગ કરવો. દરેક મનુષ્યોમાંથી અને દરેક વસ્તુમાંથી ગુણ જોવાની અને લેવાની ટેવ રાખવી, તત્ત્વનો નિશ્ચય કરવો લોકસંજ્ઞા (લોકો જેમ કરે તેમ કરવા રૂપ) નો ત્યાગ કરવો. આત્મશ્રદ્ધા રાખવી, જડચૈતન્યનો વિવેક કરવો. બાળક પાસેથી પણ હિતકારી વચન ગ્રહણ કરવાં. દુર્જન મનુષ્યોના ઉપર પણદ્વેષ ન કરવો. પારકી આશાનો ત્યાગ કરવો. વિષયોને પાશ સમાન લેખવવા કોઈ સ્તુતિ કરે તો ખુશી ન થવું. કોઈ નિંદા કરે તો ક્રોધ ન કરવો. ધર્મ ગુરની સેવા કરવી. તત્વ પ્રાપ્ત થાય તેની ઈચ્છા રાખવી. મનની પવિત્રતા વધારવી. આત્મ સ્થિરતા કરવી. છળપ્રપંચ ન કરવા વૈરાગ્ય ધારણ કરવો. મનનો નિગ્રહ કરવો. ભવમાં રહેલા દોષો જોવા. દેહાદિની વિકૃતિ- યા વિરૂપતાનો વિચાર કરવો. સર્વ જીવ સાથે મિત્રતા રાખવી. દુઃખી જીવો ઉપર કરુણા કરવી. અનિત્યાદિ બાર ભાવનાનો વિચાર કરવો. પરમાત્મા તરફ ભક્તિ વધારવી. એકાંતવાસ સેવવો અથવા નિર્જન પ્રદેશમાં રહી આત્મ તુલના કરવી. પ્રમાદનો વિશ્વાસ ન કરવો. આગમને મુખ્ય કરીને વર્તન રાખવું મનમાં કુવિકલ્પો આવવા ન દેવા. જ્ઞાની અને વયોવૃદ્ધ પરુષની નિશ્રામાં રહેવું આત્માનું ધ્યાન કરવું. શ્વાસોચ્છવાસે પરમાત્માનું સ્મરણ કરવું આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરવો અને આત્માના આનંદમાં લીન થવું આ સર્વ ઉપાયો મનની વિશુદ્ધિ વધારવા માટેના છે. ઘણી વખત બીજા જીવોના દુર્ગુણો જોઈને તેની નિંદા કે વાતોમાં આ જીવ ૫૪ Page #69 -------------------------------------------------------------------------- ________________ એટલો બધો રસ લે છે કે વિના પ્રયોજને પોતાની વિશુદ્ધિ ગુમાવીને મલીનતામાં વધારો કરે છે, પણ એવા જીવો વિચાર નથી કરતા કે તેના ગુણ દોષોના જવાબદાર તે છે. તેનો સારો કે ખોટો બદલો તેને મળશે. તમારા વિચારથી તેનું સારું કે બુરું થવાનું નથી. માટે તે તરફ ઉપેક્ષા કરવી અને આત્મભાન જાગૃત રાખવું માયામાં બીજું શું હોઈ શકે? માટે પોતાની નિર્મળતાની ખાતર પારકી ચિંતાનો ત્યાગ કરવો યોગ્ય છે. વિશુદ્ધિ એજ અમૃત છે. તેજ પરમ ધર્મ છે. સુખની ખાણ છે. મોક્ષનો માર્ગ પણ તેજ છે. સિદ્ધાંતોનું આજ રહસ્ય છે. ૫૫ Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ચૌદમું (૧૪મું) આત્મલક્ષ चितं निधाय चिपे, कुर्याद्वागंगचेष्टितं । सुधी निरंतरं कुंभे यथा पानीयहारिणी ।। १ ।। “જેમ પનીહારી માથે પાણીનું બેડું હોય છતાં પોતાનું મન પાણીના ભરેલા ઘડા તરફ રાખીને પોતાની સખીઓની સાથે, વચનથી, બોલવાનું અને શરીરથી એટલે હાથદ્વારા તાળીઓ પાડવી, હસવું ઈત્યાદિ વિવિધ પ્રકારની ચેષ્ટાઓપ્રવૃત્તિઓ કરે છે છતાં બેડાને પડવા દેતી નથી, તેવી રીતે આત્મ કલ્યાણના ઈચ્છુક મનુષ્ય પોતાનું ચિત્ત આત્મા તરફ રાખીને વ્યવહારથી ઉપરથી વચન અને શરીરની પ્રવૃત્તિ કરવી.” આયુષ્ય અલ્પ છે, વિબો અનેક છે. પૂર્વ કર્મને લઈને વ્યવહારની ઉદર નિવહિની મુશ્કેલીઓ પણ હોય છે. રોગાદિકનો ઉપદ્રવ કે કુટુંબની ચિંતાઓ પણ નડે છે, આવી સ્થિતિમાં આજીવ આત્માનું કણ્યાણ કેવી રીતે કરવું ? સત્ય સમજ્યા પછી વ્યવહારની પ્રવૃત્તિ કંટાળા ભરેલી કેટલાકને લાગે છે. અને આત્મા તરફ પ્રવૃત્તિ કરવામાં ચિત્ત ખેંચાયા કરે છે તે સાથે વ્યવહારની પ્રવૃત્તિમાંથી કે જવાબદારીમાંથી કે ફરજમાથી છૂટી શકાય તેવું પણ હોતું નથી, આવા મનુષ્યોએ આત્મ સ્મરણ માટે વ્યવહાર આડે વખત કેવી રીતે મેળવવો અને પોતાનું કલ્યાણ કેવી રીતે કરવું? પ્રથમ આ બાબત લક્ષમાં રાખીને જ્ઞાની પુરૂષો તેવા જીવોને ઉદ્દેશીને કહે છે કે, પનીહારી વાતો કરવા હસવા અને તાળીઓ પાડવાદિ ક્રિયા કરતાં જેમ પાણીના બેડામાંથી પોતાનું લક્ષ ચૂકતી નથી તેવી રીતે આત્મલક્ષ જાગૃત રાખીને તમે વ્યવહારમાં પ્રવૃત્તિ કરો. અથવા ગાય જેમ ચારો ચરવાને વનમાં જાય છે, તેનું વાછરડું ઘેર હોય છે, આ ગાય ચારો ચરે પs Page #71 -------------------------------------------------------------------------- ________________ છે, વનમાં ચારે બાજુ હરે ફરે છે, પાણી પીવે છે અને પોતાના સમુદાયમાં પણ ઘૂમે છે, છતાં તે ગાયની આ દરેક પ્રવૃત્તિમાં સુરતા કે ઉપયોગ, યા લાગણી તો પોતાના વહાલા વાછરડામાં જ હોય છે. આવી રીતે આત્મભાનમાં જાગૃત આત્મા, વ્યવહારના કાર્ય કરવા છતાં પોતાના શુદ્ધ સ્વરૂપનું લક્ષ ચૂકતો નથી.. અથવા ભરબજારમાં નટ પોતાના ખેલ કરે છે, વાંસ લઈને દોર ઉપર ચડે છે, લોકો કોવાહલ કરે છે, નીચે તેના સોબતીઓ ઢોલ કે બીજાં વાજીંત્રો વગાડે છે, કોઈ ગાયન કરે છે, આટલા બધાં વિક્ષેપનાં સાધનો-કારણો હોવા છતાં દોર પર ચડેલો નટ ત્યાં પોતાની રમત શરૂ કરે છે, તે વખતે પોતાની સુરતા દોર તરફ ની ચૂકતો નથી, લોકોના કોલાહલને ગણકારતો નથી, કોણ કોણ લોકો જોવા આવ્યા છે અને તેઓ કેવા છે, તે તરફ ધ્યાન આપતો નથી. વાજીંત્ર વગાડનાર કે ગાયન કરનાર શું બોલે છે અને કેવું વગાડે છે તે પણ તે વખતે તેના લક્ષમાં નથી. કેવળ પોતાની સુરતા દોર ઉપર જ રાખતો હોવાથી ખેલ પૂરો કરી શરપાવ મેળવે છે. એ વખતે જરા પણ લક્ષ બીજા તરફ કરે તો ઉપરથી પડે, હાડકાં ભાગે કે મરે અને લોકોમાં હાંસીપાત્ર થાય, વળી શરપાવ પણ ન મળે, છતાં તેવા પ્રસંગો ભાગ્યે જ આવે છે. આ દ્દષ્ટાંત આત્મકલ્યાણનો ઈચ્છુક જીવ વ્યવહારમાં બધી પ્રવૃત્તિ કરે છે છતાં તે પોતાનું ભાન ભૂલતો નથી. કામીઓના મનમાં જેમ રાત્રી-દિવસ કામનું જ લક્ષ, કામનીજ ભાવના, કામનું જ ચિંતન રહે છે, સર્વ સ્થળે તે પોતાના કામી પુરુષ પોતાના પ્રેમપાત્રને જોયા કરે છે. દરેક શબ્દમાં તેના જ ભણકારા તેને સંભળાય છે, સ્વપ્ના પણ તેના જ આવે છે. વિચારોમાં પણ તેની જ આકૃતિઓ મનમાં ખડી થાય છે, ખાવાનું પીવાનું, સુવાનુ, ઊંઘવાનું અને તેના માટે લોકલાજને પણ તેઓ ભૂલી જાય છે. આતો એક ક્ષણિક, વિયોગશીલ, દુઃખદાઈ અને વિરસ પરિણામવાળી કામની ભાવના છે. તેને માટે જ્યારે મનુષ્યો પોતાનું ભાન ભૂલીને એકતાર તેમાં બને છે તો પછી જે શાશ્વત, અખંડ સુખરૂપ, સુંદર પરિણામવાળો પરમાત્માનો માર્ગ છે તેની અંદર આ જીવે કેટલી બધી જાગૃતિ રાખવી જોઈએ ? કેટલો પરુષાર્થ ૫૭ Page #72 -------------------------------------------------------------------------- ________________ કરવો જોઈએ ? આવી લાગણીથી પરમાત્માનું સ્મરણ કરાય તો આત્મા તે પરમાત્મા બની રહે છે. જે જે ક્રિયાઓ કરવામાં આવે તે તે સર્વ ક્રિયામાં આત્મ ઉપયોગની જાગૃતિ હોવીજ જોઈએ. તે ક્રિયા પણ આત્માને માટેજ કરવી જોઈએ, આત્માની સાથે તે ક્રિયાનો સંબંધ જોડાવો જોઈએ, તોજ તે ક્રિયા કર્મની નિર્જરા કરી આત્મ સ્વરૂપ પ્રકટ કરી આપે છે. ભગવાન મહાવીર દેવ કહે છે કે “આ માર્ગ ધીર પુરુષોનો છે, આ માર્ગમાં ધીર પુરુષોએ પ્રવૃત્તિ કરી છે. એટલે આ માર્ગમાં અનેક વિઘ્નો આવવા સંભવ છે પણ તે વખતે પોતાનું આત્મભાન ન ભૂલવું, આત્મભાન જાગૃત રાખી શકે તેજ ધીર પુરુષ છે. વિઘ્નો તો આવવાનાજ. પણ આ વિઘ્નો તે પ્રભુમાર્ગના પ્રવાસીની કસોટીરૂપ છે. કસોટીમાંથી પાસ થાય તો જ તે સોનાની કિંમત બરોબર ઊપજે છે તેમ વિઘ્નની કસોટીમાંથી આ જીવે પસાર થવાનું છે. પોતાના પ્રભુસ્મરણના માર્ગમાં રોગ, શોક, ઉપાધિ, આળસ્ય, સ્નેહવાસના, ઈત્યાદિ આડાં આવી ઊભાં રહે છે, તે વખતે જો આ જીવ પામર, રાંક, હતાશ, નિરાશ, અને ઉત્સાહ રહિત થઈને હું શુદ્ધ આત્મા છું એ સ્મરણ મૂકી દે તો વિઘ્નો મજબૂત થઈને તેના ઉપર ચડી બેસે છે. તે વખતે જીવ એમ વિચારે છે કે આજે નહિ પણ કાલે સ્મરણ કરીશ, મહિના પછી કરીશ, કે આ કાર્ય પરું થયા પછી કરીશ તો જરૂર સમજવું કે તે ધીર પુરુષ નથી, પણ કાયર છે. ધીમે ધીમે તેની કાયરતામાં વધારો થશે અને એક વખત એવો આવશે કે તેની આ સુંદર પ્રવૃત્તિ છૂટી જશે. આવા વખતે પૂર્વના આ મહાન પુરુષોના જીવનો યાદ કરી, તેઓના અખંડ પરુષાર્થને દ્રષ્ટિમાં રાખી,સંગમદેવ જેવાના છ છ મહિનાના ઉપસર્ગમાં પણ નિશ્ચલ અને અડોલ રહેલા પ્રભુ મહાવીર જેવા વીર પુરુષો તરફ લક્ષ રાખીને ઉદય આવેલાં કર્મોથી પરાભવ ન પામતાં, વિઘ્નોને હઠાવી દેવાથી તેના પરુષાર્થમાં, ઉત્સાહમાં અને જીવનમાં કોઈ અપૂર્વ શકિત પ્રકટ થશે. આ બળ ૫૮ Page #73 -------------------------------------------------------------------------- ________________ અનેક તેવાં બળને મેળવશે. આ ઉત્સાહ તેથી મહાન ઉત્સાહને પ્રકટ કરશે, માટે તેવા વિઘ્નના પ્રસંગે પૂરોશથી બળ વાપરવું અને આત્મભાન અને આત્મસ્મરણ ચૂકવું નહિ. આવાં વિઘ્નો આપણને શુદ્ધ કરવા માટે આવે છે. આપણી અંદર છુપાયેલી-સૂતી પડેલી શક્તિને બહાર લાવવા માટે આવે છે. વિઘ્નની સામે બળ વાપરવાથી સત્તામાં રહેલી વિશેષ શક્તિ બાહાર આવે છે. જેમ વિઘ્ન મોટું તેમ તેને જીતવા પુરુષાર્થ વધારે કરવો પડે છે અને જેમ પુરુષાર્થ કરાય છે તેમ સત્તામાં રહેલી શક્તિ બહાર આવે છે અને તેટલો જ આત્મા શુદ્ધ થાય છે તથા આગળ વધે છે. માટે વિઘ્નથી નિરુત્સાહી ન થતા તે વખતે બમણા જોરતી પરુષાર્થ કરવો. રાગદિક પાપ પ્રકૃતિના ઉદય રૂપ છે, તે ભોગવ્યાથી ઓછા થાય છે, તે સાથે આત્મ જાગૃતિ વધારવામાં આવે તો જે વિપાકે ભોગવાય છે તેના કરતાં આત્મ શુદ્ધિથી, આત્મ ઉપયોગની તીવ્ર જાગૃતિથી પ્રદેશ દ્વારા ઘણી સહેલાઈથી અને ટૂંકા વખતમાં તે કર્મો ઓછાં કરી શકાય છે. શાસ્ત્રોમાં કે પરંપરા દ્વારા એમ સંભળાય છે કે પ્રભુ મહાવીરને જેટલાં કર્મો છેલ્લા ભવમાં હતા, તેટલાં તેવીશ તીર્થંકરોનાં ભેગાં મળીને હતાં, છતાં રીષભદેવ ભગવાનને એક હજાર વર્ષ કર્મ ખપાવતાં લાગ્યાં, બીજા તીર્થંકરોને થોડો, ઝાઝો પણ વખત લાગ્યો, ત્યારે મહાવીર પ્રભુએ તે સર્વ કર્મો સાડાબાર વર્ષમાં બાળીને ભસ્મ કરી નાખી કેવળજ્ઞાન પ્રકટ કર્યું. આનું કારણ એજ છે કે પ્રભુ મહાવીરે પ્રબળ પરુષાર્થ અને અખંડ જાગૃતિ રાખી, તેથી ટૂંકા વખતમાં કર્મોનો નાશ કર્યો. કેટલાક નિકાચિત કર્મો વિપાકે ભોગવ્યા અને કેટલાંક સોપક્રમિક કર્મો આત્માની નિર્મળતાએ પ્રદેશે ભોગવ્યાં. કહેવાનો આશય એ છે કે આવાં પ્રબળ અને ઘોર કર્મના ઉદય વખતે પણ તે મહાન પુરુષો પોતાના ચિદ્રપનું સ્મરણ ભૂલતા કે મૂકતા નહિં. ખરું કહો તો આવાં વિઘ્નોએ જ તેમને ૫૯ Page #74 -------------------------------------------------------------------------- ________________ ટૂંકા વખતમાં પ્રબળ પુરુષાર્થ કરાવીને નિર્મળ બનાવ્યા છે. ઓ સોહં, શુદ્ધાત્મા છું. વગેરેમાંથી કોઈપણ શબ્દનો અખંડ જાપ વધારવાની જરૂર છે. આ જ આત્મ સ્મરણ છે. પરમાત્માના નામને સૂચવનારો કોઈ પણ શબ્દ લ્યો, અમુક જ શબ્દ લેવો તેવો આગ્રહ કરવાનું કોઈ પણ કારણ નથી, કેમકે ભગવાનનાં-શુદ્ધ આત્માનાં હજારો નામ છે. માટે ગમે તે નામે શુદ્ધાત્માને યાદ કરો. તેનું સ્મરણ કરો. એક આંખમીંચીને ઉઘાડો તેટલો વખત કે શ્વાસોચ્છુવાસ લ્યો તેટલો વખત પણ તે સ્મરણ ભૂલો નહિં. ત્યાર પછી તે અખંડ સ્મરણ થાય છે. વગર જણે તે તરફ ઉપયોગ રાખો એટલે જપાયા કરે છે. આનું નામ પદસ્થધ્યાન છે. આ પદસ્થધ્યાન આવ્યા પછીજ રૂપસ્થ ધ્યાનથી શરૂઆત થાય છે. એ પદસ્થ ધ્યાનને છેડેજ રૂપ પ્રકટે છે, આત્મ સ્વરૂપ દેખાય છે, અને પછી તે રૂપનું ધ્યાન કરાય છે તે રૂપસ્થનું ધ્યાન કહેવાય છે અને આ રૂપસ્થ ધ્યાન તે જ રૂપાતિત ધ્યાનનું કારણ છે, માટે ભોજન કરતાં, પાણી પીતાં, સૂતાં, બેસતાં, ઊઠતાં, હાલતાં, ચાલતાં, હું શુદ્ધ આત્મા છું આ વાતને ભૂલો નહિં. તપ કરતાં, મૌનપણું ધારણ કરતાં, વ્રતો પાળતાં, આગમ ભણતાં, પ્રભુને નમસ્કાર કરતાં મંદિર જતાં, ગાયન કરતાં, પૂજન કરતાં, યાત્રા કરતાં, અભિષેક કરતાં કોઈના સમાગમમાં આવતાં અને વાહન પર બેસીને જતાં પણ હું શુદ્ધ આત્મા છું એ ધ્યાન ચૂકશો નહિ. ભણતાં, ભણાવતા, સેવા કરતાં, દાનાદિ દેતાં, પરોપકાર કરતાં, યમ નિયમ પાળતાં, સંયમ ધારણ કરતાં પણ હું શુદ્ધ આત્મા છું એ ધ્યાનને ભૂલશો નહિ. તેથીજ મોક્ષ પમાય છે. આત્મજાગૃતિ વિનાની ક્રિયા કરતાં સ્વગદિની પ્રાપ્તિ થાય છે. અને હું આત્મા છું એ જાગૃતિવાળો આત્મા કર્મની નિર્જરા કરી આતમાને ઉજ્જવળ બનાવે છે. તે સિવાયની ધાર્મિક ક્રિયાથી પુન્ય બંધાય છે. ૬૦ Page #75 -------------------------------------------------------------------------- ________________ મુમુક્ષુઓ! વૈરાગ્યમાં વૃદ્ધિ કરો, સર્વ સંગનો ત્યાગ કરો, તત્ત્વજ્ઞ ગરુનો આશ્રય લ્યો, સંયમ સ્વીકારો, સર્વ શાસ્ત્રોસિદ્ધાંતોનો અભ્યાસ કરો, નિર્જન અને નિરુપદ્રવ સ્થાનમાં જઈને રહો, સર્વ ચિંતાનો ત્યાગ કરો, સિદ્ધાસન કે પવાસનાદિ આસને લાંબા વખત સુધી શાંતિથી બેસી શકાય તેવું આસન દ્રઢ કરો, સમભાવ ધારણ કરો અને મનને નિચળ કરી હું શુદ્ધ ચિદ્રપ છું. આ પદસ્થ ધ્યાનનો અભ્યાસ કરો. એથી કમનો નાશ થાય છે. ઉત્તમ ધર્મ ધ્યાનની વૃદ્ધિ થાય છે અને છેવટે શાશ્વત શાંતિવાળા મોક્ષની પ્રાપ્તિ થાય છે. પૂર્વે ઉત્પન્ન થયેલાં વૃક્ષો વરસાદ થવાથી વૃદ્ધિ પામે છે તેમ નિર્મળ આત્માના ધ્યાનથી ધર્મની વૃદ્ધિ થાય છે. વરસાદ વરસવાથી અંકુરાઓ પ્રકટી. નીકળે છે તેમ શુદ્ધ આત્માના દર્શનથી મોક્ષ દેવાવાળો ધર્મ પ્રકટે છે. વ્રતો લીધા ન હોય, શાસ્ત્રો ભણ્યા ન હોય, નિર્જન સ્થાનમાં નિવાસ ન કરાતો હોય, બાહ્ય અત્યંતર સંગનો ત્યાગ ન કર્યો હોય, મૌન ધારણ ન કર્યું હોય, અને યોગ ધારણ ન કર્યો હોય ઈત્યાદિ કર્યા વિના પણ જો તે નિરંતર અખંડ આત્મજ્ઞાનનું જ ચિંતન કરતો હોય તો તે જીવનો મોક્ષ થઈ શકે છે. આત્મસ્મરણ એ એવી પ્રબળ વસ્તુ છે કે તેની અંદર વ્રતાદિ લીધા વિના પણ વ્રતાદિનું પાલન થઈ જ જાય છે. છ ખંડનું રાજ્ય પાળતા છતાં પણ શુદ્ધ આત્માનું અખંડ સ્મરણ કરનાર, શુદ્ધ આત્મામાં રક્ત થયેલ, નિરંતર તે તરફ લક્ષ બાંધી વર્તન કરનાર ભરત મહારાજા વિશેષ કર્મબંધન કરતાં આરીસા ભુવનમાં કેવળજ્ઞાન પામ્યા. આ શુદ્ધ આત્માના સ્મરણનો જ મહિમા છે. સદા શુદ્ધ આત્માનું સ્મરણ કરનાર ઉપરથી વ્યવહારના સેંકડો કાર્ય કરતો હોય છતાં પણ અશુભ કર્મથી બંધાતો નથી. તેનો આત્મા અલગ રહી શકે છે-રહી જાણે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ રોગથી પીડાતા છતાં, યષ્ટિ મુષ્ઠિથી તાડના કરતાં છતાં અને દોરડાં પ્રમુખથી બંધાયા છતાં આત્મસ્વરૂપનું ચિંતન કરવાનું ભૂલવું નહિં. આત્માનું ચિંતન કરનાર ભૂખથી, ટાઢથી, તાપથી, તૃષાથી, અને આ તાપથી આર્તધ્યાન કરતો નથી, સ્તુતિ કરવાથી તેને હર્ષ થતો નથી, નિંદાથી તેને ખેદ થતો નથી, શુભાશુભ પર દ્રવ્યના આવવા કે જવાથી તેને રાગદ્વેષ થતો નથી, સંપત્તિમાં તેને પ્રમોદ જણાતો નથી ને વિપત્તિમાં તેને શોક થતો નથી. નિરંતર શુદ્ધ આત્માનું સ્મરણ કરનાર બીજા લોકોના સમાગમમાં આવે છતાં તે પોતાનું આત્મભાન ભૂલે નહિ એ ભાન ભુલાવનાર કારણો-નિમિત્તો છે એમ જાણીને તેને પ્રસંગે વિશેષ જાગૃત રહે છે. આવા વિરોધી પ્રસંગોમાં જાગૃત રહેવાથી અનુકૂળ પ્રસંગમાં તેની જાગૃતિ ટકી રહે તેમાં આશ્ચર્ય નથી. હે મુમુક્ષો ! તમે એટલી બધી જાગૃતિ રાખો. આત્માનું સ્મરણ એટલું બધું વધારો કે કોઈ રોગથી, કલેશથી કે અનેક મનુષ્યોના સમાગમથી તમારા આત્માનું તમને વિસ્મરણ થાય નહિ. ૬૨ Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પંદરમું (૧૫મું) પરચિંતનનો ત્યાગ कारगं कर्मबंधस्य, परद्रव्यस्याचिंतनं । स्वद्गव्यस्य विशुद्धस्य, तन्मोक्षस्वैव केवलं ॥ १ ॥ “પરદ્રવ્યનું ચિંતન કરવું તે જ કર્મબંધ થવાનું કારણ છે અને પવિત્ર આત્મદ્રવ્યનું ચિંતન કરવું તે કેવળ મોક્ષનું જ કારણ છે. ૧” સજીવ અને નિર્જીવ બન્ને પદાર્થોથી આ વિશ્વ ભરેલું છે. સજીવ પદાર્થમાં અનંત જીવ દ્રવ્યો છે. અજીવ પદાર્થમાં જીવદેવ્ય કરતાં અનંતગુણા જડ દ્રવ્યો છે. અનંત જીવદ્રવ્યમાંથી પોતાના આત્માને જુદો કરીને તેનો વિચાર કરવો, તેનું ચિંતન કરવું અને તેમાં જ સ્થિર થઈ રહેવું તે જ મોક્ષનું કારણ છે, તે સિવાય બાકી રહ્યા તે સર્વે સજીવ અને નિર્જીવ દ્રવ્યો છે, તે પરદ્રવ્ય છે તેનું ચિંતન કરવું, તેમાં શુભાશુભ ઉપયોગ દેવો, તેમાં તદાકારે પરિણમવું તે પરદ્રવ્યનું ચિંતન કરવાનું કહેવાય છે, તે કર્મબંધનું કારણ છે. ચિંતન બે પ્રકારે થાય છે. એક તો તેના સ્વરૂપનો વિચાર કરી, પરિણામે દુઃખરૂપ જાણી તેનાથી પાછું હઠવા રૂપે હોય છે. બીજું ચિંતન રાદ્વેષની લાગણીથી થાય છે. આવહીં જે વાત કહેવામાં આવે છે તે રાગદ્વેષની લાગણીઓ પેદા કરનાર ચિંતનના ત્યાગ માટે છે. જડ વસ્તુનું ચિંતન તેના આકર્ષક ગુણને લઈને થાય છે અને બીજું તેના સ્વભાવથી આત્માનો સ્વભાવ જુદો છે, તેની સરખામણી અથવા નિશ્ચય કરવા માટે થાય છે. પ્રથમનું ચિંતન ત્યાગ કરવા યોગ્ય છે. બીજું ચિંતન વસ્તુત્વના ૩ Page #78 -------------------------------------------------------------------------- ________________ નિર્ણય માટે કરીને તેનો નિશ્ચય થયા પછી જ ત્યાગ કરવા યોગ્ય છે. આત્મવસ્તુના ચિંતનમાં પણ અનંત આત્મદ્રવ્યો છે, તેમાંથી જ્ઞાતાદ્રષ્ટા-પણું, સુખ-દુઃખના અનુભવ કરવાપણું પોતાનું પોતાને ઉપયોગી છે, અને પોતા માટે પોતામાં જ અનુભવો થાય છે, માટે બીજા અરિહંતાદિ પવિત્ર આત્મા સાથે પોતાના આત્મદ્રવ્યની સરખામણી કે નિશ્ચય કરી લીધા પછી પોતાનામાં જ સ્થિરતા કરવાની છે, અને તે સિવાયના બીજા જીવોના ચિંતનનો તો અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે. આગળ વધવામાં આલંબન માટે અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય અને મુનિરાજ આ પાંચ પરમેષ્ટિની મદદ લેવામાં આવે છે, પણ માળ ઉપર ચડવામાં જેમ દાદરાની સહાય લેવામાં આવે છે તેમ આત્મદ્રવ્યથી જુદા તે અરિહંતાદિની મદદથી આગળ વધવું અને માળ ઉપર ચડી ગયા પછી જેમ દાદરનો ત્યાગ કરવામાં આવે છે તેમ શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિ થયા પછી આ મદદગારોના ચિંતનનો પણ છેવટે ત્યાગ કરવો. જે જે આત્માઓ જેટલા જેટલા આગળ વધ્યા હશે તેમનો આત્મા જેટલો નિર્મળ થયો હશે, તેના પ્રમાણમાં તે પરવસ્તુના ચિંતનનો ત્યાગ કરી શકશે. આગળ વધવામાં પ્રથમ વૈરાગ્યની ભૂમિકા છે. દોષદર્શન વૈરાગ્યવાળાને દુનિયાની ઘણીખરી વસ્તુમાં દુઃખ જ દેખાય છે. તે દરેક વસ્તુની કાળી બાજુ જોઈને તેમાં દોષ જણાતાં તેનો ત્યાગ કરશે. આવા ત્યાગની પ્રથમ ઘણી જરૂર છે. આવો ત્યાગ તેના માર્ગમાં મુખ્યતાએ વિM રૂપ જણાતી રાજ, વૈભવ, સ્ત્રી, પુત્ર, ધન, મિત્રો, કુટુંબો, સંબંધીઓ, ઘર, જમીન, આદિ તમામ વસ્તુઓનો ત્યાગ કરાવશે. આ ત્યાગથી મોહ ઉત્પન્ન કરાવનારાં દુનિયાના બંધનમાં બાંધી રાખનારા કર્મબંધનનાં કારણો ઓછાં થશે. છતાં શરૂઆતનો આ ત્યાગ હોવાથી એકનો ત્યાગ કરાવી બીજી વસ્તુઓનો સંગ્રહ કરાવશે. તે ત્યાગી થશે, ત્યાં માતા-પિતાને ઠેકાણે તેને ગુરુની જરૂર પડશે, ભાઈઓને ઠેકાણે ગુરુભાઈઓ ૬૪ Page #79 -------------------------------------------------------------------------- ________________ સ્થાન લેશે, પુત્ર-પુત્રીઓને ઠેકાણે શિષ્યશિષ્યાઓ આવશે, ઘરને ઠેકાણે ઉપાશ્રય, મઠ, ધર્મશાળાદિ સ્થાન ગ્રહણ કરવાં પડશે, ધનને ઠેકાણે પુસ્તકો આવશે, તાંબાપિત્તળ સોનારૂપાનાં વાસણોને સ્થાને લાકડાનાં ઉપગરણો ગોઠવાશે, વસ્ત્રોનો રૂપાંતરે સંચય કરવો પડશે અને નોકર-ચાકરાદિના સ્થાને ગૃહસ્થ શિષ્યોનો સમુદાય હાજરી આપશે. આમ એકના ત્યાગ પછી બીજાનું ગ્રહણ કરવાનું આવે છે. છતાં પ્રથમ કરતાં આ રૂપાંતર ઘણું સારું છે. આગળ વધવામાં મદદગાર સાધન છે. પાપ આશ્રવનાં સાધનોને ઠેકાણે પુન્ય આશ્રવનાં કારણો આ છે. અશુભને સ્થાને એ શુભ સાધનો છે. તાત્ત્વિક મમત્વવાળાને બદલે ઉપર ઉપરની લાગણીવાળા છે એટલે મજબૂત બંધન કે પ્રતિબંધ રૂપ નથી આટલું છતાં જો પ્રથમ વૈરાગ્ય બન્યો રહે, ચાલ્યો ન ગયો હોય એટલું જ નહિ પણ તેમાં દિન-પર-દિન વધારો થતો રહ્યો હોય તો આગળ વધતાં, સૂત્ર-સિદ્ધાંત ભણતાં, ગુવાદિકની સેવા કરતાં અને સત્સમાગમમાં રહેતાં, તાત્ત્વિક ત્યાગ જેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવામાં આવે છે. તે પ્રકટ થાય છે, પણ જો તે વૈરાગ્ય અમુક દિવસ પૂરતો જ હોય, વ્યવહારના કંટાળાથી જ ઉત્પન્ન થયેલો હોય અથવા અમુક વસ્તુના અભાવથી ઉત્પન્ન થયેલો હોય તો આ પપ્તકાદિ જે રૂપાંતરે ગ્રહણ કરેલાં છે તે જ પ્રતિબંધ અને મમત્વનાં સ્થાન થઈ પડશે. સ્ત્રી, પુત્રાદિ જે બંધનનાં કારણો હતાં તેના કરતાં આ શિષ્ય-શિષ્યાદિ વધારે બંધનનાં નિમિત્તો થશે. પ્રથમનાં કમબંધનાં કારણોથી આ વિશેષ બંધનનાં કારણો થઈ પડશે, પ્રથમ જેને પ્રતિબંધરૂપે પ્રભુના માર્ગમાં આ જીવ માનતો હતો, તેને હવે આ રૂપાંતરે ગ્રહણ કરેલાં સાધનો પ્રભુના માર્ગમાં વિશેષ પ્રકારે પ્રતિબંધ રૂપે થશે, આત્મભાન ભુલાવશે, આસક્ત બનાવશે એને છેવટે આગળ વધવામાં અશક્ત બનાવી મૂકશે. ૬૫. Page #80 -------------------------------------------------------------------------- ________________ પણ જો પ્રથમના ચાલુ વૈરાગ્યમાં વધારો થતો રહે, આત્મા તરફનું નિશાન મજબૂત થાય, ગમે તે ભોગે આત્મસ્વરૂપ પ્રગટ કરવું જ છે એ નિશ્ચય દેઢ થાય, આ શુભ બંધનોમાં પણ તે ક્યાંઈ ન બંધાયો હોય, ક્રાધ માનાદિ કષાયોને પાતળા કરી નાખ્યા હોય, અને ગુરુ કૃપાથી આત્મતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થતું હોય તો તેનો વૈરાગ્ય તત્ત્વજ્ઞાનના રૂપમાં બદલાઈ જશે. હવે તેને કર્મકાંડથી પડેલા મતભેદ નજીવા લાગશે, અપેક્ષાએ તે બધાં મતમતાંતરોના સવળા અર્થો અને નિર્ણયો કરી શકશે, તેને મન પોતાનું અને પારકું હવે રહેશે નહિ કોઈ પોતાનું કે પારકે નથી, અથવા બધા પોતાના છે એવો દિવ્ય પ્રેમ પ્રગટ થશે, ગમે તે મતનો હોય છતાં આ ગુણીને દેખીને તે મતાંતર-વાળાને પણ પ્રેમ અને પૂજ્ય બુદ્ધિ પ્રગટ થશે. તેનું નિશાન એક સત્ય આત્મા જ રહેશે. તેની નજરમાં હજારો માર્ગો દેખાઈ આવશે અને કોઈ પણ માર્ગે પ્રયાણ કરનારાને કાં તો તેનું નિશાન બદલાવીને અને કાં તો તેની અપેક્ષા સમાવીને બીજા માર્ગ તરફ અપ્રીતિ કે દ્વેષ ની લાગણી બંધ કરાવી શકશે. તેના ગમે તે કર્મમાર્ગમાં પણ જ્ઞાનની મુખ્યતા હશે, તેના સહજ વાર્તાલાપમાં પણ આત્માન ભરેલું હશે, તેની ધાર્મિક દેશનામાં પણ આત્મમાર્ગ જ ડગલે ને પગલે પોષાતો રહેશે. તે વ્યવહારથી બધાને બોલાવશે, બધાને ચાહશે. છતાં તેનું દય નિર્લેપ જ રહેશે. હું આત્મા છું, શુદ્ધ આત્મા છું. આ નિશાન અને દયની ભાવના તદાકારે પરિણમતી રહેશે. પહેલા જે વસ્તુની કાળી બાજુને તે જોતો હતો. હવે તેની દ્રષ્ટિ વસ્તુની બધી બાજુ જોનારી થશે. છતાં તેનું Êય ઉજજવળ બાજુ તરફ જ પ્રવૃત્તિ કરતું રહેશે અને કાળી બાજુની ઉપેક્ષા કરશે, અથવા કાળી બાજુના સ્વભાવને જાણીને અમુક ભૂમિકામાં એમ જ વર્તન હોય, એવી જ લાગણી હોય, એમ માનીને પોતે પોતાના નિશાન તરફ સુરતા રાખીને આગળ ને આગળ ચાલ્યા કરશે દોષવાળી કાળી બાજુ તરફ પોતાની ઉપેક્ષા દ્રષ્ટિ રાખીને તે દોષો પોતામાં તો દાખલ થવા નહિ આપે, પણ લીંબડાને કોઈ પૂછે કે તું કડવો શા માટે ? અને આંબાને કોઈ પૂછે કે તું મીઠો શા માટે ? આના ၄၄ Page #81 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરમાં બન્ને તરફનો એવો જ જવાબ મળે કે અમારો એવોજ સ્વભાવ છે, જેને જેની જરૂઇરયાત હોય તે તેનો સત્કાર કરે. તેમ બને વસ્તુના સ્વભાવને જાણનાર તે તરફ રાગદ્વેષ ન કરતાં પોતાના સ્વભાવમાં જ તે રહેશે. જેમ જેમ આત્મા આગળ વધતો જાય છે તેમ તેમ પરવસ્તુના ચિંતનનો ત્યાગ તેનામાં વધારે ને વધારે થયા કરે છે. આ વૈરાગ્ય છેવટે સ્વભાવના રૂપમાં બદલાઈ જાય છે. એ સમભાવમાં નહિં રાગ કે નહિં દ્વેષ. પણ કેવળ મધુર શાંતિ જ હોય છે. તેની મીઠી નજરથી બીજાને શાંતિ મળે છે. તેનો ઉપદેશ ઘણેભાગે અમોધ હોય છે. એકવાર કહેવાથી જ બીજા ઉપર સારી અસર થાય છે. તેની આજુબાજુ નજીક આવેલા જીવોનાં વેર વિરોધ શાંત થાય છે. આ તેના સમભાવની છાયા છે. આ ભૂમિકા પછીની ભૂમિકામાં મનમાં ઊઠતી વૃત્તિઓનો ક્ષય થાય છે. હવે તેના મનમાં સંકલ્પો કે વિકલ્પો બિલકુલ ઊઠતા નથી. જે છે તે વસ્તુ છે. તેમાં વચનને કે મનને પ્રવેશ કરવાનો અધિકાર નતી. તેનું મન મનાતિત વસ્તુમાં લયપામી જાય છે. આત્માના અખંડ સુખનો તે ભોકતા બને છે. આ વિશ્વ તેને હસ્તામલકવતું દેખાય છે. હાથમાં રહેલું આમળું જેમ જોઈ શકાય છે તેમ તે વિશ્વને જોઈ શકે છે. આ સર્વ પ્રતાપ આત્મા સિવાય અન્ય વસ્તુનું ચિંતન ન કરવાનો છે. આ પર વસ્તુના ચિંતનનો ત્યાગ આમ ક્રમસર વૈરાગ્યની વૃદ્ધિથી અને સત્યતત્ત્વના જ્ઞાનથી બને છે. હે આત્મદેવ ! તમે ચિદાનંદ સ્વરૂપ છો. આ વિભાવ પયયના ચિંતનથી તમને કાંઈ લાભ નથી. તે ચિંતનમાં રાગ દ્વેષના બીજ રહેલા છે તેને પોષણ આપશો તો તેમાંથી કડવાં ફળો પેદા થશે. હે આત્મનું! જેવી રીતે તમે પર દ્રવ્યોનું નિરંતર ચિંતન કરો છો તેવી જ રીતે જો આઅત્મ દ્રવ્યનું સ્મરણ કરો તો મુક્તિ તમારા હાથમાં જ છે. લોકોને રંજન કરવા ને નિરંતર પ્રયત્ન કરો છો, તેવો પ્રયત્ન ને તમારા આત્માને માટે કરો તો મોક્ષપદ તમારા માટે છેટું નથી. પરને વૈજન કરવા તે વિભાવ પરિણામ ૬૭ Page #82 -------------------------------------------------------------------------- ________________ છે. આત્મા સ્વભાવરૂપ છે. સ્વભાવ દશામાં આવ્યા વિના તાત્ત્વિક સુખ નથી.. હે જીવ ! ગુરૂ પાસેથી આત્મજ્ઞાન મેળવ. અન્ય સંગનો ત્યાગ કરી આત્માનું અવલંબન લઈ તેમાં સ્થિર થા. હું ચોક્કસ કહું છું કે આ પરદ્રવ્યનો અવશ્ય વિયોગ થશે માટે તેમાં પ્રીતિ ન કર. તત્વદ્દષ્ટિવાળાને શું ત્યાગ કરવા યોગ્ય નથી ? અર્થાિત્ સર્વ છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ વિના રાજ્યથી, સ્ત્રીઓથી, ઈન્દ્રિયોના વિષયોથી, કલ્પવૃક્ષો અને કામધેનું આદિથી પણ કોઈ કાપી થયો નથી અને થશે પણ નહિ. સર્વસ્થ ત્યાગી, ઈચ્છા રહિત, સામ્ય આરૂઢ, તત્ત્વજ્ઞ, વિવેકી અને પોતાના સ્વરૂપમાં આસક્ત થયેલ આત્મા પોતાના પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરે છે. ૬૮ Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સોળમુંમું) નિર્જન સ્થાન निर्जनं सुखदं स्थाने, ध्यानाध्ययन साधनं રષિ વિમોદીનાં, શાંતને સેવત સધી : || 9 | “બુદ્ધિમાન સુખદાયી નિર્જન સ્થાનને સેવે છે, તે ધ્યાનમાં અને ભણવામાં સાધનરૂપ છે તથા રાગદ્વેષ અને મોહને શાંત કરનાર છે.” જેને આત્માનું સાધન કરવાનું છે. ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરવાનો છે તથા ધ્યાન કરવાનું છે તેઓને મનુષ્યાદિના સંસર્ગ વિનાનું સ્થાન ઘણું ઉપયોગી છે, સંસાર પરિભ્રમણ કરવાથી જેઓ થાક્યા છે, કંટાળ્યા છે, આત્માનું ભાન ગુરુ કૃપાથી મેળવ્યું છે, મનને નિર્મળ તથા સ્થિર કરવાનાં સાધનો જાણી લીધાં છે, અને તે પ્રમાણે વર્તન કરવા તૈયાર થયેલ છે, તેવા આત્માઓને મનુષ્ય, પશુ, સ્ત્રી, નપુંસકાદિ વિનાનું સ્થાન સુખદાઈ છે. મનુષ્ય ઉપરથી બધી વસ્તુનો ત્યાગ કર્યો હોય છે, બ્રહ્મચર્ય પાળવાનો તથા ક્રોધાદિ ન કરવાનો નિયમ લીધો હોય છે. છતાં સત્તામાં તે તે કમ રહેલા તો હોય છે, કાંઈ નિયમ લેવાથી કર્મો ચાલ્યા જતાં નથી, પણ નિયમ પ્રમાણે વર્તન કરવાથી ધીમે ધીમે તે તે કર્મનો થતો ઉદય નિષ્ફળ કરવામાં આવે છે. નિમિત્તોને લઈને સતામાં પડેલાં કર્મો ઉદીરણારૂપે થઈને જે મોડાં ઉદય આવવાનાં હોય તે પહેલા બહાર આવે છે. આ વખતે તે સાધકની જો પૂરેપૂરી તૈયારી ન હોય, ઉદય આવેલ કર્મને નિષ્ફળ કરવા જેટલું બળ તેની પાસે ન હોય તો ઉદય આવેલા કર્મો જીવને તેના માર્ગથી ભ્રષ્ટ કરે છે. એટલા ખાતર આવાં નિમિત્તોથી દૂર રહેવાની જરૂર છે. જેમ ઘાસ વિનાના સ્થાનમાં પડેલો SU Page #84 -------------------------------------------------------------------------- ________________ અગ્નિ બાળવાનું કાંઈ ન હોવાથી પોતાની મેળે બુઝાઈ જાય છે, તેમ નિમિત્તોના અભાવે સત્તામાં રહેલું કર્મ દબાઈ રહે છે અને ધીમે ધીમે આત્મબળ વધતાં જીવને તેના માર્ગથી પતિત કરવાનું તેનું બળ ઓછું થઈ જાય છે, અને આત્મજાગૃતિ વખતે ઉદય આવેલ કર્મ, આત્મસત્તા સામે પોતાનું જોર વાપરી શકતું નથી. જેમ કોઈ બળવાન છતાં ગફલતમાં રહેલા રાજાના શહેર ઉપર બીજો રાજા ચડી આવે, એ વખતે રાજાની પાસે લડવાની સામગ્રીની તૈયારી ન હોવાથી પોતાનો બચાવ કરવા ખાતર તે રાજા પોતાના શહેરના દરવાજા બંધ કરે છે, અને અંદરખાનેથી તેટલાં વખતમાં બધી તૈયારી કરે છે. શત્રુને હઠાવવાની શક્તિ મેળવીને પછી તે રાજા પોતાના શત્રુ ઉપર એકી વખતે હલ્લો કરે છે અને શત્રુને હરાવે છે. આ દ્રષ્ટાંતે આત્માની આગળ ઉપશમ ભાવનું કે કર્મક્ષય કરવાનું બળ નથી હોતું તેવા પ્રસંગે મોહશત્રુ તેના પર ચડાઈ કરે છે, તે વખતે આ જીવ અમુક અમુક જાતનાં વ્રત, જપ, નિયમ, જ્ઞાન,ધ્યાનાદિના વ્રતો ગ્રહણ કરીને એકાંત સ્થાનમાં જાય છે કે જ્યાં રાગદ્વેષ, મોહાદિને પ્રગટ થવાના કારણો હોતાં નથી. આ નિમિત્તોના અભાવે સત્તામાં પડેલાં કર્મોનો ઉપશમ કે ક્ષયોપશમ થાય છે અને તેટલા વખતમાં નિર્મળતરૂપ આત્મબળ, વધારે છે, આ વ્રતાદિ લેવાં તે મોહશત્રની સામે કિલ્લો બંધ કરવાં જેવાં છે. કિલ્લો બંધ કર્યાથી કાંઈ શત્રુ ચાલ્યો જતો નથી કે શત્રુનો નાશ થતો નથી, તેની સામે ખુલ્લી લડાઈ તો કરવીજ પડવાની છે, પણ તેટલા વખતમાં અશુભ નિમિત્તોના અભાવે મોહનો ઉપદ્રવ જીવને ઓછો હોય છે અને તે વખતમાં રાજા જેમ લડાઈની સામગ્રી મેળવી લે છે તેમ આ જીવ ઉપશમ ભાવનું બળ વ્રત, તપ, જપ, ધ્યાનાદિથી મેળવે છે. આ એકઠું કરેલું બળ જ્યારે જ્યારે સત્તામાં પડેલ કર્મ ઉદયમાં આવે છે ત્યારે ત્યારે તેના ઉપર વાપરે છે અને તેથી કમનો ઉદય નિષ્ફળ કરીને કર્મની નિર્જરા કરે છે. નવા કર્મો ન બાંધવા અને જૂના સત્તાગત ઉદય આવેલ કમ સમભાવે ભોગવી લેવા તે કર્મના ઉદયને નિષ્ફળ કરવા બરોબર છે. ૭૦ Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીર દેવની માફક કોઈ આત્મા વિશેષ બળવાન હોય તો તે સાથે સત્તામાં પડેલાં કર્મોની ઉદીરણા કરીને જે મોડાં ઉદય આવવાના હોય તેને તે નિમિત્તો વડે બહાર લાવી. સમભાવે ભોગવીને નિર્જરી નાખે છે. આવા સમર્થ આત્માઓ માટે નિર્જન પ્રદેશમાં રહેવાનો હેતુ કર્મથી ડરવાનો કે તેને હઠાવવાનાં સાધનો પોતાની પાસે ઓછાં છે તે મેળવવા માટેનો નથી પણ પોતાના કર્મક્ષય કરવાના આત્મધ્યાનાદિ સાધનોમાં મનુષ્યો વિઘ્નરૂપ ન થાય. વિક્ષેપ કરનારાં ન થાય તે હોય છે. અને તેટલા માટે પણ નિર્જન સ્થાન તેવા મહાત્માઓને વિશેષ ઉપયોગી છે. પોતાના કાર્યની સિદ્ધિ માટે શત્રુંજય પર્વતની ગુફામાં શુકરાજા છ મહિના સુધી પરમાત્માના જાપ અને ધ્યાનમાં નિર્જન સ્થાનમાં રહ્યા હતા. નેમનાથ પ્રભુ આત્મધ્યાન માટે ગીરનારજીના પ્રદેશમાં રહ્યા હતા. પ્રભુ મહાવીર દેવ પણ આત્મધ્યાન માટે શૂન્ય ઘરો સ્મશાનો, પહાડો, ગુફાઓ અને નિર્જન પ્રદેશવાળા વનાદિમાં રહ્યા હતા, મહાત્મા અનાથીમુનિ વૃક્ષોની ગીચ ઝાડીમાં ધ્યાનસ્થ રહ્યા હતા. ક્ષત્રીયમુનિ અને ગર્દભાલી મુનિ પણ વનના શાંત પ્રદેશમાં ધ્યાનસ્થ રહ્યા હતા. આ શાંત પ્રદેશના અભાવે મહાત્મા પ્રસન્નચંદ્ર રાજર્ષિએ શ્રેણીક રાજાના સુમુખ અને દુર્મુખ નામના દૂતોના મુખથી પોતાની પ્રશંસા અને નિંદાનાં વચનો સાંભળીને રૌદ્રધ્યાને સાતમી નરકનાં દલિયાં એકઠાં કર્યાં હતાં. એમના ધ્યાનની ધારા ધર્મ અને શુક્લધ્યાનને બદલે આર્ત અને રૌદ્રધ્યાનના રૂપમાં બદલાઈ ગઈ હતી. છેવટે પાછી અન્ય નિમિત્તના યોગ ઘ્યાનની ધારા બદલાણી ત્યારે જ કેવળ પદપામ્યા હતા. ગીરનારજીની ગુફામાં ધ્યાન કરતા રહેનેમીમુનિની ધ્યાનની ધારા પણ રાજીમતીના નિમિત્તથી બદલાણી હતી, પરંતું રાજીમતીની આત્મ જાગૃતિએ પાછા તેને ધ્યાનમાં સ્થિર કર્યા હતા. ૭૧ Page #86 -------------------------------------------------------------------------- ________________ ચૌદપૂર્વધર મહાત્મા નંદીષેણની ધર્મધ્યાનની ધારા વેશ્યાના નિમિત્તે બદલાણી હતી. મહાત્મા દમસાર મુનિની આત્મધારા બ્રાહ્મણે ગામનાં ઘરોની. ભીંતવાળો પાછલો તપેલો માર્ગ બતાવવાથી ક્રોધના રૂપમાં બદલાઈ ગઈ હતી. આવાં આવાં સેંકડો દ્રષ્ટાંતો સારા નિમિત્તથી આત્મબળ જાગૃત થવાના અને ખરાબ નિમિત્તોથી આત્મમાર્ગમાંથી પતિત થવાનાં શાસ્ત્રોમાંથી મળી આવે છે. તેમજ આપણે પણ પ્રત્યક્ષ અનુભવીએ છીએ, માટે નિર્જનસ્થાનની આત્મધ્યાન કરનારને ગહુ જરૂર છે. એ વાત નિર્વિવાદ છે. સદ્દબુદ્ધિ, સમભાવ, તત્ત્વાર્થનું ગ્રહણ,મનવચન કાયાનો નિરોધ, વિરોધી નિમિત્તોનો અભાવ, સારાં નિમિત્તોની હૈયાતિ, રાગદ્વેષાદિનો ત્યાગ અને આત્મજાગૃતિ એ સર્વ આત્માની વિશુદ્ધિનાં જેમ પ્રબળ નિમિત્ત કારણો છે, તેમ ધ્યાન માટે નિર્જનસ્થાન એ પણ એક ઉત્તમ નિમિત્ત કારણ છે. ચંદ્રને દેખીને જેમ સમુદ્રમાં વેળાવૃદ્ધિ પામે છે, મેઘની વૃષ્ટિથી નદીઓમાં પાણીનો વધારો થાય છે, મોહથી જેમ કર્મમાં વધારો થાય છે, અનિયમિત ભોજન કરનારમાં રોગ વધે છે અને ઈન્દ્રિયોના વિષયોમાં વિશેષ પ્રવૃત્તિ કરનારમાં દુઃખનો વધારો થાય છે, તેમ મનુષ્યોના સંસર્ગથી વિકલ્પોનો, આશ્રવવાળાં વચનોનો તથા પ્રવૃત્તિનો વધારો થાય છે. લાકડાંથી જેમ અગ્નિ વધે છે, તાપથી તૃષા અને ઉકળાટ-ધામ વધે છે, રોગથી પીડા વધે છે તેમ મનુષ્યોની સોબતથી વિચારો અને ચિંતા વધે છે. બાહા તપ કરતાં પણ સ્ત્રી, પશુ નપુંશકદિ રહિત શયન અને આશન હોવાં તે મોટો તપ છે, કેમકે તેથી રાગદ્વેષાદિનો ઘટાડો થાય છે અને ગુણોમાં વધારો થાય છે. અજ્ઞાન મનુષ્યોની સોબત એ જ્ઞાનનો નાશ કરનારી મહાન મૂચ્છ છે, ક્રોધમાનાદિ પ્રગટ થવાનાં બળવાન નિમિત્તો છે, અને ચિંતાનાં કારણો ૭૨ Page #87 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન કરાવનાર સાધનો છે. વિષયોનો ત્યાગ, નિર્જનસ્થાન, તત્ત્વજ્ઞાન, ચિંતારહિતન, નિરોગી શરીર અને યોગનો વિરોધ (મન-વચન-કાયાનો વિરોધ) એ સર્વમુનિઓને મોક્ષને અર્થે ધ્યાનનાં પ્રબળ નિમિત્તો છે. વિકલ્પો દૂર કરવા સંગત્યાગની જરૂર છે, મનુષ્યોની સોબત કાંઈને કાંઈ સ્મરણ કરાવ્યા સિવાય રહેતી નથી, એકી સાથે વળગેલા વીંછીઓ જેમ મનુષ્યોને પીડા ઉત્પન્ન કરે છે તેમ વિકલ્પો આત્માને પીડા કરનારા છે. અરે ! આ વિકલ્પો જ્યાં સુધી હોય ત્યાં સુધી આત્માને શાંતિ ક્યાંથી હોય ? જો બાહૃા સંગના ત્યાગથી આ જીવને આટલું સુખ થાય છે તો પછી આત્માના સંગથી ખસુખ તેણે શા માટે ન ભોગવવું? અજ્ઞાની જીવો બાહ્ય વસ્તુના સંગથી સુખ માને છે જ્યારે જ્ઞાનીઓ તેના ત્યાગમાં જ સાચું સુખ અનુભવે છે. અહો ! જેઓ ઉણોદરી કરવાથી અને નિર્જન પ્રદેશના સેવનથી વિશેષ પ્રકારે સાધ્ય થતા અધ્યયન અને સધ્યાન રૂપ તપ કરે છે તે મુમુક્ષુઓને ધન્ય છે ! તેઓ ગુણી છે, વંદનીય છે, અને વિદ્વાનોમાં મુખ્ય છે કે જેઓ નિરંતર શુદ્ધ આત્મજ્ઞાનમાં મગ્ન થઈ નિર્વિકલ્પ દશા રૂપ નિર્જન સ્થાન પ્રદેશ સેવે છે. જ્ઞાન ધ્યાનમાં વિઘ્ન રૂપ ન હોય એવું નિર્જન સ્થાન તેને સત્યરૂષો અમૃત કહે છે. બાકી બીજી અમૃત માટેની વાત મને તો કવિઓની કલ્પના જ લાગે છે. અહો ! તે મહાત્માઓને દૂન્ય છે કે જેઓ ભોંયરામાં, ગુફાઓમાં, સમુદ્ર યા સરિતાને કિનારે, સ્મશાનમાં, વનમાં, અને તેવાજ શાંત પ્રદેશમાં શુદ્ધ આત્મધ્યાનની સિદ્ધિને માટે વસે છે. આવા શાંત પ્રદેશનાં અભાવે યોગીઓને મનુષ્યોનો સમાગમ થાય છે, ૭૩ Page #88 -------------------------------------------------------------------------- ________________ તેમને જોવાવડે અને વચનથી બોલાવવા વડે મનનું હલન ચલન થાય છે, તેમાંથી રાગદ્વેષાદિ પ્રકટે છે, તેમાંથી કલેશ થાય છે અને છેવટે વિશુદ્ધિનો નાશ થાય છે. વિશુદ્ધિ વિના શુદ્ધ ચિદ્રપનું ચિંતન બરાબર થતું નથી અને તેના વિના કર્મોના નાશથી પ્રકટ થતી આત્માની અનંત શક્તિઓ બહાર આવતી નથી, માટેજ વિવિક્તસ્થાન કલેશનું નાશ કરનાર અને મુમુક્ષુ યોગીઓને પરમશાંતિનું કારણ છે, એમ મહાત્માઓએ સ્વીકારેલું છે. ૭૪ Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સતરમું (૧૭મું) જ્ઞાતા અને શેય જ્ઞેયજ્ઞાનું સરારોળ, શ્વેતા દુઃવશન : || निश्चयाच्च विरागेण, चेतसा सुखमेव तत् ॥ १ ॥ “ સરાગ હૃદય વડે જાણવા યોગ્ય પદાર્થનું જ્ઞાન કરવું તે મનુષ્યોને દુઃખનું કા૨ણ થાય છે ”અને રાગ વિનાના મન વડે જ્ઞેયનું જ્ઞાન કરવું તે નિશ્ચયથી સુખનું કારણ થાય છે. જ્ઞાતા, જ્ઞાન અને શેય એ ત્રણે એકબીજાની અપેક્ષા રાખનાર છે. શાતા એટલે જાણવાવાળો આત્મા, શેય એટલે જાણવા યોગ્ય પદાર્થો અને જ્ઞાતા તથા શેયના સંબંધ રૂપ ક્રિયા તે જ્ઞાન છે. શેયનો જ્ઞાતા કોઈ હોવો જોઈએ, અને જ્ઞાતાનું શેય પણ કોઈ હોવું જોઈએ. આત્મા જ્ઞાતા જાણનાર છે, તેનું જ્ઞેય જાણવા યોગ્ય આ સકળ વિશ્વ છે. જ્ઞાતા પોતાની શક્તિ વડે શેયને પોતાની જાણવા રૂપ સત્તામાં લે છે તે જ્ઞાન છે. જ્ઞાતા અને જ્ઞેયનો સંબંધ જોડનાર જ્ઞાન છે. જ્ઞાતાથી જ્ઞાન જુદું નથી એટલે જ્ઞાતા આત્મા અને જ્ઞેય વિશ્વના પદાર્થો એમ બે ભાગમાં વિશ્વને વહેંચવામાં આવ્યું છે. અર્થાત જડ અને ચેતન બે પદાર્થો વિશ્વમાં છે. અથવા વિશ્વ જડ ચેતન એમ બે રૂપે છે. તે શાતા રાગવાળી લાગણીને જ્યારે પોતાના શાયનું જ્ઞાન કરે છે ત્યારે તે જીવને તેમાંથી દુઃખની પ્રાપ્તિ થાય છે, પણ જ્ઞાતા જ્યારે પોતાની રાગ વિનાની મધ્યસ્થતાવાળી લાગણીને જાણવા યોગ્ય પદાર્થનું જ્ઞાન કરે છે તયારે જીવને સુખની પ્રાપ્તિ થાય છે. ૭૫ Page #90 -------------------------------------------------------------------------- ________________ આત્માનો સ્વભાવ જ્ઞાતા અને દષ્ટા છે. તે દરેક પદાર્થને જાણશે અને જોશે, તેથી કાંઈ નુકસાન જેવું નથી પણ જ્યારે આત્મા પોતાના રાગદ્વેષવાળા પરિણામે પરિણમીને પોતાના શેય પદાર્થ તરફ જુવે છે ત્યારે જેમ લોહચુંબકની શક્તિ વડે લોઢું લોહચુંબક તરફ ખેંચાઈ આવે છે તેમ આત્માના રાગદેષવાળા પરિણામરૂપ લોહચુંબક તરફ કર્મ વર્ગણાને લાયકનાં પરમાણુઓનો જથ્થો ખેંચાઈ આવે છે અને તે રાગદ્વેષ રૂ૫ ચીકાશની સાથે જોડાઈને આત્મપ્રદેશની સાથે, લોઢાની સાથે જેમ અગ્નિ, અથવા દૂધની સાથે જેમ પાણી રહે છે તેમ એકરસ થઈને આવરણવા મળરૂપે રહે છે. બીજી રીતે કહીએ તો આ રાગદ્વેષની તીવ્રતા કે મંદતાના પ્રમાણમાં ખેંચાઈ આવેલી કમની. વર્ગણાઓ બીજરૂપે સત્તામાં જમે થઈને રહે છે. અને કાળાંતરે તેમાંથી તેના ફળરૂપે સુખ દુઃખ પ્રગટ થાય આ જ કારણથી ઉપર કહેવામાં આવ્યું છે કે સરાગ ચિત્ત વડે જ્ઞાતા શેયને જાણે તો તે જીવને પરિણામે દુઃખરૂપ થાય છે. તેમાંથી દુઃખ પ્રકટે છે. આત્મા રાગદ્વેષની લાગણી વડે શેયને જાણે એ એક જાતની આત્માની ગતિ છે. આત્મા જાણવારૂપ કાર્યમાં પ્રવૃત્તિ કરે તે પોતાના સ્થિર સ્વરૂપમાંથી ગતિ મૂકવા રૂપ છે, છતાં આ ગતિ તે અવળી ગતિ છે, તે જાગૃતિવાળી ગતિ ન હોવાથી આત્મા કર્મના બંધનથી બધાય છે. આત્મા વૈરાગત મન વડે અથવા રાગદ્વેષ સિવાયની લાગણી વડે પોતાના શેય પદાર્થનું જ્ઞાન કરે છે ત્યારે તેને સુખની પ્રાપ્તિ થાય છે. આ પ્રવૃત્તિ તે આત્માની સવળી બાજુની છે. જેથી તે કર્મથી બંધાતો નથી પણ ઊલટો છૂટે છે. ગતિ તો પ્રથમની અને આ બને કહેવાય, છતાં પ્રથમની ગતિ અવળી છે અને આ બીજી ગતિ રાગદ્વેષ સિવાય થતી હોવાથી સવળી છે. તેથી નવીન કર્મબંધ થતો નથી, કેમકે આત્મા મધ્યસ્થ દ્રષ્ટિએ દરેક પદાર્થને જોવે છે અને ૭૬ Page #91 -------------------------------------------------------------------------- ________________ જાણે છે. જેમ ધરની અંદર દીવાના પ્રકાશ વડે અને બહાર સૂર્યના પ્રકાશ વડે મનુષ્યો સારી અને ખોટી બને જાતની પ્રવૃત્તિ કરે છે. તેમાં દીવો તથા સૂર્ય મધ્યસ્થ હોવાથી જ્ઞાતા દ્રષ્ટા તરીકે વર્તાવ ન હોવાથી, રાગદ્વેષની લાગણીવાળા ન હોવાથી, કત ભોક્તા તરીકે વર્તતા ન હોવાથી, અને પોતાના સ્વભાવ પ્રમાણે પ્રકાશ કરતા હોવાથી, પેલા મનુષ્યની માફક રાગદ્વેષથી બંધાતા નથી. તેમ આત્મા પણ શુભ-અશુભ કે અશુદ્ધ ઉપયોગે પરિણમેલો ન હોવાથી શુભાશુભ બંધન પામતો નથી, અને છેવટે-પરિણામે તેને સુખની-આત્માના આનંદની પ્રાપ્તિ થાય છે. મધ્યસ્થ દ્રષ્ટિએ વસ્તુ તત્ત્વનો નિર્ણય કરવા માટે કોઈ પણ જીવ વિશ્વના જાણવા યોગ્ય પદાર્થનો વિચાર કરે કે જોવે તો તેથી કર્મબંધન થતું નથી, પણ રાગદ્વેષની લાગણીવાળા કે ક ભોકતાપણાના અભિમાની વિચાર કે વર્તનથી જ કર્મ બંધાય છે. આ જોય જાણવા યોગ્ય પદાર્થો સજીવ અને નિર્જીવ બે પ્રકારનાં છે અને તે લોકાલોકમાં આવી રહેલા છે. લોક કે જેમાં ધમસ્તિકાય, અધમસ્તિકાય આકાશાસ્તિકાય, કાળ પુદ્ગલ અને આત્મા. આ છ પદાર્થો રહેલા છે તેને કહે છે. અલોકમાં કેવળ આકાશ છે. અલોક લોક કરતાં પણ તે અનંત ગુણો છે. તે જ્ઞાનનો વિષય છે, પણ તેમાં આકાશ સિવાય જાણવા જોવા જેવું કાંઈ નથી. લોક ત્રણ ભાગમાં વહેંચાયેલો છે, આ જે પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ તેની નીચે આવેલા ભાગને અધોલોક કહે છે. આપણી ઉપરના ભાગને ઊર્ધ્વલોક કહે છે. અને આપણે જ્યાં રહીએ છીએ તે ભાગને તિર્થો-લોક કહે ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ આ ચાર દ્રવ્યો ૭૭ Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રાયે આપણને કર્મ બંધનમાં કારણ ભૂત નથી. તે આ દ્રષ્ટિએ દેખાય તેવા નથી, તેમજ તેનો લાભ અનિચ્છાએ આપણને મળે છે. જેનો પ્રત્યક્ષ સમાગમ થતો નથી, તેમજ ઈચ્છાપૂર્વક તેની જરૂરિયાત આપણને નથી એટલે તેઓની અદ્રશ્ય હયાતી આપણને નુકસાન કારક પણ નથી. દેહ વિનાના આત્માઓ તે સિદ્ધ પરમાત્માના જીવો છે. તેઓ પણ આપણને કોઈ રીતે નુકસાન કરતા નથી. હવે બાકી રહ્યા તે દેહ ધારી આત્માઓ અને પુદ્ગલો. પુદ્ગલોમાં કેટલાંક આત્માની સાથે જોડાએલાં દેહ કમદિ રૂપે છે અને કેટલાંક છૂટાં છે, તે બન્ને ય મોટે ભાગે કર્મ બંધનમાં નિમિત્ત કારણ છે. આ બને સજીવ નિર્જીવ પદાર્થમાં આત્મા તે તે આકારે રાગદ્વેષના પરિણમવાનો સંભવ છે. આવા પદાર્થો ત્રણે લોકમાં રહેલા છે. ઊર્ધ્વલોકમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાનાં અનેક વિમાનો છે. તેમાં ઘણા દેવ અને દેવીઓ છે. તેઓની સુખ, રૂપ, વૈભવ, અને દેવી શક્તિઓનાં વર્ણનો સાંભળીને તેની અભિલાષા કરવામાં રાગદ્રષ્ટિએ તેનું જ્ઞાન કરવામાં આત્મા વિપરીત ગતિમાં મૂકાતાં કર્મ બંધન પામે છે. તેથી આગળ બારદેવલોક, નવગ્રેવયક, પાંચ અનુત્તર વિમાન વિગેરે ઉચ્ચ કોટિના દેવોનાં અનેક વિમાનો છે અને તેમાં અનેક દેવો તથા દેવીઓ રહેલાં છે. ઈન્દ્રો અને ઈન્દ્રાણીઓ પણ અમુક દેવલોક સુધી છે. તેઓના વૈભવી જીવનો, સુંદર રૂપો, મોહકસ્થાનો, આકર્ષક અલંકારો, અચિંત્ય શક્તિઓ અને અગમ્ય ગતિઓ એનું સરાગ દષ્ટિએ જ્ઞાન મેળવતાં રાગનાં પ્રબળ નિમિત્તો થવા સંભવ છે. તેમજ વેર વિરોધનાં કારણો કોઈ જન્મનાં તેમની સાથે હોય તો ષના પણ નિમિત્તો બને છે. તેની ઉપરના ભાગમાં શાંત, પવિત્રાત્મા સિદ્ધ પરમાત્માનું સ્થાન છે. ૭૮ , Page #93 -------------------------------------------------------------------------- ________________ તેઓ અનંત જ્ઞાનાદિ શક્તિવાળા તથા દેહાદિથી રહિત છે. તેમાં જો દ્વેષ બુદ્ધિથી, તેમના તરફ વિચારણા કરવામાં આવે તો કર્મ બંધન થવા સંભવ છે. નીચેના અધોલોકમાં ભુવન પ્રતિના દેવો, વ્યંતરના દેવા, વાણવ્યંતરાદિ દેવો તથા દેવીઓ આવેલાં છે. તેઓનું જ્ઞાન પણ સરાગ દ્રષ્ટિએ બંધનું કારણ છે. તેમ જ વ્યંતરાદિની જાતિવાળા ત્યાં રહેલા ભૂત-પિશાચ-રાક્ષાસાદિ હલકી જાતિના દેવો તરફ દ્વેષ દૃષ્ટિએ ઉપયોગ પરિણમાવતાં દ્વેષના કારણે કર્મ બંધનનાં નિમિત્તો તેથી નીચે નારકીના જીલો રહેલા છે. તે નીચે સાત ભાગમાં વહેંચાયેલા છે. તેઓ દુઃખમય જિંદગી ગુજારનારા છે. કરેલાં ઘોર કર્મનો બદલો ત્યાં ભોગવતા હોવાથી તેઓને થોડી પણ શાંતિ નથી. વૈરાગ્ય દ્રષ્ટિએ આ જ્ઞાન કરવામાં આવે તો, કરેલાં કર્મનો બદલો મળ્યા સિવાય રહેતો નથી એ નિશ્ચય થતાં, પાપ કર્મ કરવાથી નિવૃત થવાનું કારણ મળે છે અને દ્વેષ વૃત્તિથી તે જ્ઞાન કરવામાં આવતાં બંધનમાં કારણ થાય છે. આપણા તિર્લ્ડલોકમાં પણ કર્મભૂમિ અને અકર્મ ભૂમિઓ આવેલી છે. જ્યાં લડાઈ ટંaઓ માટે હથીયારો સજવામાં આવે છે, નીતિ અને વ્યવહાર ચલાવવા કલમ વાપરવામાં આવે છે અને ઉદર નિહિ અર્થે ખેતી આદિ કરવામાં આવે છે તે કર્મભૂમિ કહેવાય છે. જ્યાંના મનુષ્યો સંતોષી, અલ્ય કષાયવાળા, ભદ્રિક પરિણામી પુન્યાત્માઓ હોય છે જેમને હથીયાર, કલમ કે ખેતી આદિની જરૂર પડતી નથી પણ સ્વભાવિક ઉત્પન્ન થયેલાં કલ્પવૃક્ષોમાંથી ભરણપોષણ આદિના સાધનો મળી આવે છે તે અકર્મભૂમિ છે. તે બને ભૂમિમાં બીજા પણ નાના મોટા ઘણા જીવો હોય છે. પશુ, પક્ષીઓ જળચરો, પૃથ્વીના, પાણીના, અગ્નિના, વાયુના, વનસ્પતિના, બે ઈન્દ્રિયવાળા, ત્રણ ઈન્દ્રિયવાળા,ચાર ઈન્દ્રિયવાળા જીવો હોય છે. આ સર્વ જીવોનું જ્ઞાન Page #94 -------------------------------------------------------------------------- ________________ મઘ્યસ્થ દ્દષ્ટિએ તત્ત્વ નિશ્ચય કરવા માટે કરાય તો બંધનનું કારણ થતું નથી, પણ મોહક પુરુષો, સ્ત્રીઓ, દેવો, ઈન્દ્રો, ઈન્દ્રાણીઓ, અપ્સરાઓ, દેવીઓ, હીરા, માણેક, મોતી, રત્ન, પ્રવાલ, લાલ નીલમ, અલંકારો, સોના, રૂપા, વસ્ત્રો, કલ્પવૃક્ષો, સુંદર ભૂમિઓ, વનો, આરામો, બગીચાઓ, આરામનાં સ્થાનો, ચક્રવર્તીરાજા, બળદેવ, વાસુદેવ, માંડલિક, વિદ્યાધરો, ઔષધ્ધિ, મણિ, મંત્રાદિ અનેક વસ્તુઓ આ ચૌદ૨ાજલોકમાં ભરી છે. તે તરફ સરાગ દ્દષ્ટિ બંધનકર્તા છે. અને વીતરાગ દ્દષ્ટિથી વિચાર કરતાં બંધન છુટવામાં મદદગાર થાય છે. વિશ્વમાં જે જે સારામાં સારી વસ્તુઓ દેખાય છે તે તે પુન્ય પ્રકૃતિનું કારણ છે. પુન્યથી તે વસ્તુ મળે છે. જેઓ તે તે વસ્તુને, અધિકારને અને સ્થિતિને પામ્યા છે તે તે વસ્તુને સર્વ જીવો પોતાની કરેલી સારી કમાણીનો જ અનુભવ કરે છે. અને વિશ્વમાં જે જે દુઃખી જીવો છે, નિર્ધન છે, વહાલાના વિયોગી છે, રોગી છે, મૂર્ખ છે, તિરસ્કારને પાત્ર છે, દાસપણું કરનારા છે અને પોતાનો નિહિ દુઃખે કરી શકે છે તે સર્વે જીવો પોતાના પૂર્વના હલકા કર્તવ્યનો બદલો અનુભવે છે. આત્મા ધારે તો આ વિશ્વનો પૂજનીક બની શકે તેમ છે. અને ખરાબ રસ્તે આત્માને દોરવે તો વિશ્વનો દાસ પણ થઈ શકે છે બન્ને બાજુ આત્માના ઘરની અને હાથની છે. આ સુખ દુઃખ સિવાયની ત્રીજી સ્થિતિ આત્મજાગૃતિની છે. પ્રથમની પુન્ય પાપની સ્થિતિમાં આત્મજાગૃતિ ભુલાયેલી હોય છે. આત્મજાગૃતિ પૂર્વક આ વિશ્વવમાં વર્તન કરવામાં આવે તો વિશ્વમાં એવો કોઈ મોહક કે દ્રવ્યવાળો પદાર્થ નથી કે તેને પરાણે વળગી પડે અને કર્મબંધન કરાવે. ખરી રીતે નિમિત્ત કારણો આત્માની નબળાઈનો જ લાભ લે છે, જો આત્મા બળવાન અને પૂરી જાગૃતિવાળો હોય તો કોઈ પદાર્થ તેને પરાણે રાગદ્વેષ કે કર્મ વળગાડવાને સમર્થ નથી. જ્યારે આ જીવ આત્મભાન ભૂલી પદાર્થો તરફ રાગદ્વેષવાળી લાગણીથી પરિણમે છે, જોવે છે, ત્યારે જ તે પદાર્થો તેના તરફ આકર્ષાય છે, અથલા પોતે તેમાં આસક્ત બની તેને પોતાના કરવા પ્રયત્ન કરતાં ८० Page #95 -------------------------------------------------------------------------- ________________ તેમાં ફક્સાઈ પડે છે. માટે જ તેને પોતાના કરવા પ્રયત્ન કરતાં તેમાં ફસાઈ પડે છે. માટે જ ઉપર કહેવામાં આવ્યું છે કે આત્માનો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે, છતાં જો સરાગ દ્દષ્ટિએ તે જ્ઞાતા, શેય પદાર્થ તરફ પરિણમે તો દુઃખદાઈ કર્મ બંધન પામે છે અને વિરાગ દષ્ટિએ પરિણમતાં વસ્તુનો નિશ્ચય કરી તેમાંથી વિરક્ત બને છે તો સુખી થાય છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ "1 પ્રકરણ અઢારમું (૧૮મું) કીટિકા અને વિહંગમ માર્ગ પહાડ કે વૃક્ષ ઉપર રહેલા ફળ પાસે જેમ કીડી અને પોપટ ક્રમે અને અક્રમે જાય છે તેમ પરુષ પોતાની અંદર રહેલ શુદ્ધ ચિદ્રપના ચિંતન પ્રત્યે ક્રમે અને અક્રમે પહોંચે છે ૧.’' મતો મનોવાંત, ઝીટિા, ગુવન, नगस्थं स्वस्थितं ना शुद्धचिद्रप चिंतनं ॥ १ ॥ પહાડ ઉપર રહેલા વૃક્ષ ઉપર કે જમીન ઉપર રહેલા વૃક્ષ ઉપર પાકેલું ફળ છે તે ખાવા માટે કીડી ની અને પોપટની ઈચ્છા થઈ છે. તેમાં કીડી ધીમે ધીમે એક પછી એક પગ મૂકતી તે ફળ પાસે લાંબે વખતે પહોંચે છે, ત્યારે પોપટ પોતાની પાંખોવતી ઊડીને એકદમ ઘણા થોડા વખતમાં તે ફ્ળ પાસે પહોંચીને તેનો આસ્વાદ લે છે. આદૃષ્ટાંતે મનુષ્ય પોતાની અંદર રહેલા શુદ્ધ સ્વરૂપ પ્રત્યે કીડીની માફક ધીમે ધીમે પહોંચે છે,ત્યારે પોપટના જેવા વિશુદ્ધિ રૂપ પાંખોના બળ વડે કોઈ પણ જાતનો ક્રમવાળો માર્ગ લીધા સિવાય આકાશી માર્ગે તે પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ મેળવે છે. કીડીની માફક અનુક્રમે ધીમી ગતિએ ચાલનારો માર્ગ તે કીટિકા માર્ગ કહેવાય છે અને કોઈ પણ જાતના ક્રમ સિવાય શુદ્ધ આત્મ સ્વરૂપમાં પ્રવેશ કરનારાઓનો માર્ગ તે વિહંગમ માર્ગ છે. કોઈ પણ શહેર કે ગામમાં પહોંચવાના અનેક માર્ગો હોય છે. કોઈ નજીકનો ૮૨ Page #97 -------------------------------------------------------------------------- ________________ હોય છે, કોઈ દૂરનો હોય છે, કોઈ સુગમ માર્ગ હોય છે, કોઈ કાંટા કાંકરાદિને લીધે કઠણ માર્ગ હોય છે. કોઈ ચાલનાર બાળક હોય છે, કોઈ યુવાન હોય છે, કોઈ વૃદ્ધ હોય છે, કોઈ રોગી હોય છે, કોઈ નિરોગી હોય છે, કોઈ બળવાન હોય છે, કોઈ નિર્બળ હોય છે, તેથી નિશ્ચિત કરેલા સ્થાને પહોંચવાને કોઈને થોડો સમય લાગે છે કોઈને વિશેષ લાગે છે. એમ મોક્ષના માર્ગમાં ચાલનારા અને નજીકના કે દૂરના માર્ગે જનારામાં જેવો જેના હાથમાં માર્ગ આવ્યો હોય છે તેના પ્રમાણમાં તેઓ લાંબા વખતે કે થોડા વખતમાં આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે. રાગદ્વેષની ગ્રંથિનો ભેદ કર્યા વિનાના અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળથી અધિક ભવસ્થિતિવાળા જીવો તે બાળજીવો છે. તેઓની પરમાત્માના માર્ગ તરફની ગતિ બાળકોના જેવી હોય છે. બાળક જેમ થોડું ચાલે, પાછો બેસી જાય, • તેમ ગ્રંથિભેદ વિનાના, સમ્યફ દર્શન નહિ પામેલા પણ વ્યવહારમાં સુખી થવાને ધર્મનો આશ્રય લેનારા બાળ જીવો થોડા માર્ગ તરફ ચાલે, પાછા ઈન્દ્રિયોના વિષયોમાં અટકી પડે અને કોઈ કોઈતો એટલી બધી ક્રોધાદિ કસાયની પ્રબળતા કરી દે કે તેઓએ જે સ્થાનેથી ધર્મની શરૂઆત કરી હતી તેના કરતાં વધારે પાછા જઈ પડે. અતત્િ કર્મની અને તેમાં મોહનીય કર્મની સ્થિતિ વધારી પણ મૂકે. આવા જીવોની ધાર્મિક પ્રવૃત્તિ બાળ ભાવની હોય છે. આ કૃષ્ણ પક્ષી જીવો • છે. તેઓએ રાગદ્વેષની ગ્રંથિનો ભેદ કર્યો હોય છે, સમ્યક દર્શન પ્રપ્ત કર્યું હોય છે, ચોથા ગુણસ્થાનમાં કે તેની પણ આગળના ગુણસ્થાનમાં રહેલા હોય છે. આ સંસારને બાળકોએ બનાવેલા ધૂળના ઘર સમાન કત્રિમ સમજે છે, ભવ ભ્રમણથી કંટાળેલો હોય છે, આત્મભાન મેળવેલું હોય છે, અને શુદ્ધ આત્મસ્વરૂપ પ્રકટ કરવાને પ્રબળ ઉત્સાહવાન હોય છે. તેઓની આત્માની વિશુદ્ધિ મેળવવા માટેની પ્રવૃત્તિ તે યુવાનોના જેવી હોય છે. જેમ યુવાન પોતાના શારીરિક બળથી અને માનસિક ઉત્સાહથી હાથમાં લીધેલું કાર્ય ગમે તેવાં વિઘ્નો ૮૩ Page #98 -------------------------------------------------------------------------- ________________ છતાં પડતું ન મૂકતાં સિદ્ધ કરે છે, તેમ આટલી નિર્મળતા વાળાનો પુરુષાર્થ સફળ થાય છે, તે પ્રભુના માર્ગમાં જેટલી પ્રવૃત્તિ કરે છે તેટલી પ્રવૃત્તિ આત્માને નિર્મળ કરનારી હોય છે, કર્મોને તોડનારી હોય છે, કષાયાદિને હઠાવનારી હોય છે, અને નિવણિના માર્ગ સન્મુખની આગળ વધારનારી હોય છે. આ વખતને શુક્લપક્ષ કહે છે, આમાં આત્મચંદ્રનો પ્રકાશ પ્રકટેલો હોય છે. આજ ધર્મનો યૌવનકાળ છે. આમાં પ્રવૃત્તિ કરનારા એ ખરેખર યુવાન છે. ઉંમરમાં વૃદ્ધ મનુષ્ય તે બાળકોના જેવા છે. તેઓ પણ આગળ વધી શકતા નથી, તેમના સાધનો- હથિયારો શરીર ઈન્દ્રિયાદિ બાળકોની માફક લાયકાત વિનાનાં થયેલાં હોય છે. બાળકોમાં લાયકાત આવી નથી. આ વૃદ્ધોમાંથી લાયકાત આવીને ચાલી ગયેલી હોય છે. વખતનો ઉપયોગ તેઓ કરી શકતા નથી. અનુભવમાં, જ્ઞાનમાં અને વ્રતમાં જે વૃદ્ધો છે તે તો લાયકાતવાળા છે જ. તેઓના વિષય કષાયો શાંત થયેલા હોવાથી આ માગમાં ઘણી ઝડપથી ચાલી શકે છે. જેમ વિષય કષાયોની શાંતિ તેમ આ માર્ગ વધારે સુગમતા ભરેલો ગણાય છે. જેમ કમ વધારે, વિષય કષાય, વેર વિરોધ, વધારે તેમ આ માર્ગ ઘણીજ કઠિનતાવાળો મુશ્કેલી ભરેલો ગણાય છે. શુદ્ધ આત્માનુંજ લક્ષ રાખી, ઉપયોગની જાગૃતિ રાખી, અપ્રમત્તપણે અખંડ પ્રમાણે આ માર્ગમાં ચાલવું તે મોક્ષનો નજીકનો માર્ગ છે. અને વિવિધ પ્રકારની ક્રિયાવાળા શુભ માગમાં પ્રવૃત્તિ કરવી તે દૂરનો લાંબો માર્ગ છે કેમકે આત્માની વિશુદ્ધિનો અને શુભ પ્રવૃત્તિનો એ બે માર્ગ એક સરખા ફળદાયક હોઈ શકે નહિ. વિશુદ્ધિ કર્મની નિર્જરા કરે છે ત્યારે શુભ પ્રવૃત્તિ શુભ કર્મનો બંધન કરે છે. વિશુદ્ધિથી આત્મા નિર્મળ બને છે ત્યારે શુભ પ્રવૃત્તિથી શુભ કર્મનો વધારો થાય છે. આમ સામાન્ય રીતે માર્ગ અને માર્ગમાં ચાલનારા સંબંધી વિચાર કર્યા ૮૪ Page #99 -------------------------------------------------------------------------- ________________ પછી આમાં કીટિકા માર્ગ કોને કહેવો અને વિહંગમ માર્ગ કોને કહેવો તેનો વિચાર કરવામાં આવે છે. સદ્ગુરુનો સમાગમ મેળવી તેમની પાસેથી ધર્મ સાંભળી, જડચૈતન્યની ભિન્નતાનું જ્ઞાન ગ્રહણ કરી શાસ્ત્રોનો અભ્યાસ કરી, બાવ્રતો ગ્રહણ કરી, વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરી, સત્પાત્રોમાં દાન આપી, દેવની પૂજા કરી તીર્થયાત્રઓ કરી ગુરુની સેવા કરી, સ્વામી ભાઈઓનો ઉદ્ધાર કરી, સાત ક્ષેત્રમાં ધન ખર્ચી, શ્રાવકની અગિયાર પડિમાઓ વહન કરી, નમસ્કાર મહામંત્રનું આરાધન કરી, પાંચ મહાવ્રતો લઈ, ઘોર પરીષહ અને ઉપસર્ગો સહન કરી, સૂત્ર સિદ્ધાંતો ભણી બાલ, તપસ્વી, સ્થવિર અને જ્ઞાનીની વૈયાવચ્ચ કરી, શાન ધ્યાનાદિમાં શક્તિ અનુસાર પ્રવૃત્તિ કરવી તે કીટિકાની ગતિનોધીમો અને લાંબો માર્ગ છે. આત્મા પણ અપેક્ષાઓ છે. ગૃહસ્થના માર્ગ કરતા ત્યાગીઓનો માર્ગ ધણો ઝડપથી આગળ વધ શકાય તેવો છે. એટલે ગૃહસ્થ ધર્મ તે કીટિકાની ગતિવાળો માર્ગ છે અને ત્યાગીઓનો માર્ગ વિહંગમ માર્ગ જેવો છે. એમ અપેક્ષાએ કહી શકાય. બાકી વિહંગમગતિનો આકાશી માર્ગતો આથી જુદો જ છે. આ બન્ને માર્ગમાં ક્રમ છે. એક પછી એક ડગલે આગળ વધવાનું છે. છતાં ગૃહસ્થ ધર્મ કરતાં ત્યાગ ધર્મ ઉતાવળો ચાલનારો છે. વિહંગમ એટલે આકાશી માર્ગ. આ માર્ગ તે નિરાલંબનતાનો માર્ગ છે કીડી ઝાડના થડ, ડાળી, શાખા, પત્રાદિનો આધાર લઈને ચડે છે તેમ પોપટ કોઈનો આશ્રય લેતો નથી તેતો સિધોજ આકાશમાં ઊડે છે અને ફ્ળ ઉપરજ જઈને બેસે છે, તેમ બાહ્ય કોઈ પણ આલંબન લીધા સિવાય જે યોગીઓ કેવળ શુદ્ધચિદ્રપનાજ ચિંતનથી આત્મ સ્વરૂપને પામે છે તે ક્રમ વિનાનો વિહંગમ માર્ગ છે. આ માર્ગમાં જ્ઞાનનીજ મુખ્યતા છે. બાહ્યા ક્રિયા આ માર્ગની અંદર નથી. આંતરક્રિયા તો છે જ. ૮૫ Page #100 -------------------------------------------------------------------------- ________________ હું શુદ્ધ ચિદ્રપ છું, આ વાક્યનું ચિંતન, મનન, અને તદાકારે પરિણમન કરવું તે ક્રિયા છે, પણ આ આંતરક્રિયા છે, એટલે બાહ્ય ક્રિયાની અપેક્ષાએ આમાં જ્ઞાનની મુખ્યતા કહેવામાં આવી છે. અને બાહા આલંબનની અપેક્ષાએ આમાં નિરાલંબનતા જણાવી છે, નહિંતર હું શુદ્ધ ચિદ્રપ છું આ વાક્યનું સ્મરણ મનન તે પણ આલંબનજ છે. અનુક્રમનો, ક્રિયાની મુખ્યતાવાળો અને આત્મ લક્ષ સાથેનો કીટિકાગતિવાળો માર્ગ સુગમ છે, એટલે દરેક જાતના જીવો આ માર્ગમાં ચાલી શકે છે, છતાં લાંબો તો છે. એટલે લાંબે કાળે પહોંચી શકાય. આ માર્ગે અનંત જીવો મોક્ષે પહોંચ્યા જે સંસારથી ઉજિત થયેલા અને મોક્ષની રુચિવાળો જીવો હોય છે તેને મોક્ષ પ્રાપ્તિનો ઉપાય સુગમ થઈ પડે છે. હું જ્ઞાન સ્વરૂપ છું એ વાકય લઈને તેમાં અખંડ ઉપયોગ રાખી સતત પ્રયત્ન કરી આગળ વધવાનું વિષમ કાર્ય કોઈ નિકટ ભવીનેજ પ્રાપ્ત થાય છે. શુદ્ધ ચિદ્રપમાં લય પામનારા નિર્વિકલ્પ દશાવાળા યોગીઓને કમનો ક્ષય અને તાત્ત્વિક સુખ એકી સાથે પ્રાપ્ત થુય છે. હું શુદ્ધ ચિદ્રપ છું હું શુદ્ધ આત્મા છું સોહં, જે પરમાત્મા તે હું છું આ સ્મરણ કરવાથી બીજા રાગદ્વેષાદિ ભાવથી મુક્ત થવાય છે. તો આ ભાવના શા માટે ન કરવી? આ ક્રમ વિનાનો વિહંગમ માર્ગ છે. શુદ્ધ ચિદ્રપના ચિંતનથી ક્ષણે ક્ષણે આત્મા કર્મના બંધનોથી છૂટતો જાય છે અને તે સિવાય પુદ્ગલિક વસ્તુના ચિંતનથી બંધાતો જાય છે તેમાં જરાપણ શંકા જેવું નથી. આ આકાશી માર્ગમાં મારૂદેવાજી માતા પહેલે નંબરે આવે છે. તેમને કોઈપણ જન્મમાં ધર્મની પ્રાપ્તિ થઈ નથી. અને મરૂદેવાજીના ભાવમાંજ આયાશી ૮૬ Page #101 -------------------------------------------------------------------------- ________________ માર્ગ પ્રાપ્ત થયો છે. પાછલા જન્મની આત્મિક કમાણીવાળા જીવો ચાલુ મનુષ્ય જીવનમાં આકાશી માર્ગ પ્રાપ્ત કરેલા ભરત મહારાજા, દઢપ્રહારી, ચિલતિપત્ર, એલાઈચીપત્ર દરેક કાળમાં થયેલા તીર્થકરો અને ગૌતમસ્વામીને પ્રતિબોધેલા પન્નરસો તાપસી આદિ અનેક જીવો છે. આ માર્ગ વીર પુરુષોનો છે. આ માર્ગમાં વીર પુરુષો ચાલેલા છે. કાયર માણસ વીર પુરષોના વેશ પહેરી વીર પુરુષના હથિયાર બાંધે તો ઉપરથી તે એક શુભટ કે વીર પુરુષ જેવો તો દેખાશે પણ જ્યારે લડાઈમાં ખરાખરીનો ખેલ આવશે તયારે આ વીર પુરુષનો વેશ લેનાર કાયરને પ્રથમજ નાસવું પડશે. તેમ પ્રભુમાર્ગનો વેશ અને સાધનોરૂપ હથિયારો પકડનારા, વખત અને લાયકાત આવ્યા પહેલાં આ માર્ગમાં પ્રવેશ કરનારાઓ મોહરાજા સાથેના યુદ્ધમાં કોઈ ક્રોધનો ઉદય થવાથી ક્રોધને હાથે, કોઈ માનને હાથે, કોઈ માયાના પ્રપંચને હાથે કોઈ લોભને હાથે, કોઈ રાગને હાથે કોઈષ ઈષનેિ હાથે, કોઈ કામને હાથે. અને કોઈ મમત્વને હાથે માર ખાધા સિવાય નહિ રહે. દેખી તો સાધુનો વેશ અને તેના ઉપગરણો રૂપ હથિયારો પકડવા છતાં તેઓ અંદરખાનેથી હારી ગયેલા કાયર પુરુષોજ છે. આવા જીવોએ આત્મભાનને જાગૃત કરાવે તેવા સદ્દગુરુનો આશ્રય કરી તેઓ જે સસ્તો બતાવે તે રસ્તે આજ્ઞારુચિ થઈને ચાલવું. પોતાનું ડહાપણ ન કરવું તેથી તેમની લાયકાતમાં વિદ્યારો થશે અને તે જ્ઞાની ગરુની નિશ્રાએ અને આજ્ઞામાં રહેતા હોવાથી, તેમના કહેવા પ્રમાણે જ વર્તન કરતાં તેઓની સદ્દગતિ થશે. અને અનુક્રમે જ્ઞાની પુરુષોએ સેવેલો આ મહાન પવિત્ર માર્ગ તેમના હાથમાં પણ આવશે. આ અનુક્રમવાળા કટિકા ગતિવાળા માર્ગે પ્રવૃત્તિ કરતાં એક વખત એવો પણ આવશે કે તે મહાન પુરુષોની માફક આ આકાશી વિહંગમ માર્ગ માટે પણ લાયક બનશે અને આત્માનું પૂર્ણ સ્વરૂપ પ્રકટ કરી શકશે. ૮૭ Page #102 -------------------------------------------------------------------------- ________________ इतिश्री तपागच्छिय गच्छाधिपति श्रीमान् मुक्तिविजयगणि शिष्य आचार्य महाराजश्री विजयकमलसूरीणां शिष्येन आचार्यश्री विजयकेशरसूरिणा संकलितो सुसंस्कारितो आत्मविशुद्धि नामकग्रंथः विक्रमिय संवत एकोनविंशति सत व्यशितिसंवत्सरे मार्गशिर्ष शुक्लतृतो यायां भावनगर वंदरे समाप्तः लेखक वाचकयोः शुभंभवतुं ॐ शांतिः शांतिः शांतिः ८८ Page #103 -------------------------------------------------------------------------- ________________