SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા દેહાદિનું પોષણ કરવામાં આયુષ્યના અમૂલ્ય દિવસો નકામા પસાર કરે છે, પણ શુદ્ધ આત્માના ચિંતનમાં કે તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારા કોઈ વિરલ જીવો જ હોય છે. જે જે ક્રિયાઓ કરવામાં આવે તે તે ક્રિયાઓ શુદ્ધ આત્માની પ્રાપ્તિના કારણરૂપ છે કે નહિં? તેનો વિચાર કરી તેમાં મદદરૂપ કે સાધનરૂપ હોય તો તે ક્રિયા કરવી. તેની વિરાધી ક્રિયા હોય તો ન કરવી. આત્મા જ્ઞાતા અને દ્રષ્ટા રૂપ છે, તે આત્મા પોતાનો જ ય અને દુશ્યરૂપે બનાવી, તેમાં જ ચિત્તને ધારી રાખવાથી ઉત્તમ જ્ઞાનદર્શનનો લાભ ઘણી સહેલાઈથી મેળવે છે. આત્મપ્રાપ્તિના ઉપાયરૂપ જે કાંઈ હોય તે સર્વ આત્માને પ્રિય હોવું જોઈએ. કેમકે પોતે તેના જ અર્થી છે, તેમાં પ્રીતિ ન હોય તો તે વસ્તુ મળી શકતી જ નથી. જેમ આધળા આગળ નાચવું અને બહેરા આગળ ગાવું નકામું છે, તેમ જેનું મન, બહાર વિષયોમાં ભટકતું છે તેની આગળ શુદ્ધ આત્માની વાતો કરવી તે નિરૂપયોગી છે. ભૂખ્યા અને તરસ્યા આગળ ભોજન તથા પાણી ધરવાં તે જેમ સફળ છે તેમ આંતરદૃષ્ટિ કે આંતરવૃત્તિવાળા આગળ શુદ્ધ આત્માની વાતો કરવી તે હિતકારી છે. શુદ્ધ ચિદ્રુપની પ્રાપ્તિના અનેક ઉપાયો છે. પણ તેમાં ધ્યાન સમાન બીજો કોઈ ઉપાય ઉપયોગી થયો નથી અને થશે પણ નહિ. - ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001172
Book TitleAtmavishuddhi
Original Sutra AuthorN/A
AuthorKesharsuri
PublisherPremji Hirji Shah Mumbai
Publication Year
Total Pages103
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy