SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ છઠું (૬) આત્મસ્મરણની પ્રતિજ્ઞા सुखे दुःखे महारोगे, क्षुधादीना मुपद्गवे ॥ . વતુર્વોપસ , સુવિદુર ચિંતન || 9 || “સુખમાં દુઃખમાં, મહાન રોગમાં, સુધા આદિના ઉપદ્રવમાં અને દેવાદિકના ચાર પ્રકારના પ્રસંગમાં પણ હું આત્માનું ચિંતન કરીશ. ૧.” જેવી રીતે દુઃખમાં અધિક વેદનાને લઈને મનુષ્યો આત્મભાન ભૂલી જાય છે તેવી જ રીતે સુખમાં સુખની અધિકતાને લઈને પણ આત્મભાન ભુલાય છે. મહાન રોગમાં પણ દેહાધ્યાસને લઈને જીવો આત્મભાન ભૂલે છે. સુધાને લઈને પણ આત્મભાન યાદ આવતું નથી. તેમ જ દેવ, મનુષ્ય અને તિર્યંચના તેમ જ સ્ત્રી આદિકના અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગો પણ આત્મભાન ભૂલાવી દે છે. આત્મસ્વરૂપની ખરી દૃઢતા, અને પૂર્ણ જાગૃતિ હોય તો જ આ ઉપસર્ગોના પ્રસંગમાં આત્મજાગૃતિ બની રહે છે. આત્મભાનમાં જાગૃત થયેલો આત્મા દ્રઢ સંકલ્પ કરે છે કે આવા વિષમ પ્રસંગમાં પણ હું આત્મસ્વરૂપનું ચિંતન કરવાનું ભૂલીશ નહિ. મનુષ્યોની સાથે તેમના વ્યવહારમાં હું નહિં જોડાઉં તેથી કરીને કોઈ મને ધેલો કહેશે કોઈ કહેશે કે પિશાચ વળગ્યો છે, કોઈ ગ્રહને લઈને ચિત્તના વિભ્રમવાળો માનશે, અસાધ્ય રોગ થયો છે એમ વૈદો કે સંબંધીઓ કહેશે, વ્યવહારથી કંટાળેલો કોઈ ગણશે, કોઈ દુઃખમાં ઘેરાયેલો સમજશે, કોઈ મરણની નજીક જઈ પહોંચેલો માનશે. આ પ્રમાણે લોકો ગમે તેમ માને, પણ “હું શુદ્ધ આત્મસ્વરૂપ છું” એ મારી જાગૃતિ અને સ્મૃતિમાં ભંગ પડવા દઈશ નહિ. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001172
Book TitleAtmavishuddhi
Original Sutra AuthorN/A
AuthorKesharsuri
PublisherPremji Hirji Shah Mumbai
Publication Year
Total Pages103
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy