SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ચૌદમું (૧૪મું) આત્મલક્ષ चितं निधाय चिपे, कुर्याद्वागंगचेष्टितं । सुधी निरंतरं कुंभे यथा पानीयहारिणी ।। १ ।। “જેમ પનીહારી માથે પાણીનું બેડું હોય છતાં પોતાનું મન પાણીના ભરેલા ઘડા તરફ રાખીને પોતાની સખીઓની સાથે, વચનથી, બોલવાનું અને શરીરથી એટલે હાથદ્વારા તાળીઓ પાડવી, હસવું ઈત્યાદિ વિવિધ પ્રકારની ચેષ્ટાઓપ્રવૃત્તિઓ કરે છે છતાં બેડાને પડવા દેતી નથી, તેવી રીતે આત્મ કલ્યાણના ઈચ્છુક મનુષ્ય પોતાનું ચિત્ત આત્મા તરફ રાખીને વ્યવહારથી ઉપરથી વચન અને શરીરની પ્રવૃત્તિ કરવી.” આયુષ્ય અલ્પ છે, વિબો અનેક છે. પૂર્વ કર્મને લઈને વ્યવહારની ઉદર નિવહિની મુશ્કેલીઓ પણ હોય છે. રોગાદિકનો ઉપદ્રવ કે કુટુંબની ચિંતાઓ પણ નડે છે, આવી સ્થિતિમાં આજીવ આત્માનું કણ્યાણ કેવી રીતે કરવું ? સત્ય સમજ્યા પછી વ્યવહારની પ્રવૃત્તિ કંટાળા ભરેલી કેટલાકને લાગે છે. અને આત્મા તરફ પ્રવૃત્તિ કરવામાં ચિત્ત ખેંચાયા કરે છે તે સાથે વ્યવહારની પ્રવૃત્તિમાંથી કે જવાબદારીમાંથી કે ફરજમાથી છૂટી શકાય તેવું પણ હોતું નથી, આવા મનુષ્યોએ આત્મ સ્મરણ માટે વ્યવહાર આડે વખત કેવી રીતે મેળવવો અને પોતાનું કલ્યાણ કેવી રીતે કરવું? પ્રથમ આ બાબત લક્ષમાં રાખીને જ્ઞાની પુરૂષો તેવા જીવોને ઉદ્દેશીને કહે છે કે, પનીહારી વાતો કરવા હસવા અને તાળીઓ પાડવાદિ ક્રિયા કરતાં જેમ પાણીના બેડામાંથી પોતાનું લક્ષ ચૂકતી નથી તેવી રીતે આત્મલક્ષ જાગૃત રાખીને તમે વ્યવહારમાં પ્રવૃત્તિ કરો. અથવા ગાય જેમ ચારો ચરવાને વનમાં જાય છે, તેનું વાછરડું ઘેર હોય છે, આ ગાય ચારો ચરે પs Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001172
Book TitleAtmavishuddhi
Original Sutra AuthorN/A
AuthorKesharsuri
PublisherPremji Hirji Shah Mumbai
Publication Year
Total Pages103
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy