SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ મુમુક્ષુઓ! વૈરાગ્યમાં વૃદ્ધિ કરો, સર્વ સંગનો ત્યાગ કરો, તત્ત્વજ્ઞ ગરુનો આશ્રય લ્યો, સંયમ સ્વીકારો, સર્વ શાસ્ત્રોસિદ્ધાંતોનો અભ્યાસ કરો, નિર્જન અને નિરુપદ્રવ સ્થાનમાં જઈને રહો, સર્વ ચિંતાનો ત્યાગ કરો, સિદ્ધાસન કે પવાસનાદિ આસને લાંબા વખત સુધી શાંતિથી બેસી શકાય તેવું આસન દ્રઢ કરો, સમભાવ ધારણ કરો અને મનને નિચળ કરી હું શુદ્ધ ચિદ્રપ છું. આ પદસ્થ ધ્યાનનો અભ્યાસ કરો. એથી કમનો નાશ થાય છે. ઉત્તમ ધર્મ ધ્યાનની વૃદ્ધિ થાય છે અને છેવટે શાશ્વત શાંતિવાળા મોક્ષની પ્રાપ્તિ થાય છે. પૂર્વે ઉત્પન્ન થયેલાં વૃક્ષો વરસાદ થવાથી વૃદ્ધિ પામે છે તેમ નિર્મળ આત્માના ધ્યાનથી ધર્મની વૃદ્ધિ થાય છે. વરસાદ વરસવાથી અંકુરાઓ પ્રકટી. નીકળે છે તેમ શુદ્ધ આત્માના દર્શનથી મોક્ષ દેવાવાળો ધર્મ પ્રકટે છે. વ્રતો લીધા ન હોય, શાસ્ત્રો ભણ્યા ન હોય, નિર્જન સ્થાનમાં નિવાસ ન કરાતો હોય, બાહ્ય અત્યંતર સંગનો ત્યાગ ન કર્યો હોય, મૌન ધારણ ન કર્યું હોય, અને યોગ ધારણ ન કર્યો હોય ઈત્યાદિ કર્યા વિના પણ જો તે નિરંતર અખંડ આત્મજ્ઞાનનું જ ચિંતન કરતો હોય તો તે જીવનો મોક્ષ થઈ શકે છે. આત્મસ્મરણ એ એવી પ્રબળ વસ્તુ છે કે તેની અંદર વ્રતાદિ લીધા વિના પણ વ્રતાદિનું પાલન થઈ જ જાય છે. છ ખંડનું રાજ્ય પાળતા છતાં પણ શુદ્ધ આત્માનું અખંડ સ્મરણ કરનાર, શુદ્ધ આત્મામાં રક્ત થયેલ, નિરંતર તે તરફ લક્ષ બાંધી વર્તન કરનાર ભરત મહારાજા વિશેષ કર્મબંધન કરતાં આરીસા ભુવનમાં કેવળજ્ઞાન પામ્યા. આ શુદ્ધ આત્માના સ્મરણનો જ મહિમા છે. સદા શુદ્ધ આત્માનું સ્મરણ કરનાર ઉપરથી વ્યવહારના સેંકડો કાર્ય કરતો હોય છતાં પણ અશુભ કર્મથી બંધાતો નથી. તેનો આત્મા અલગ રહી શકે છે-રહી જાણે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001172
Book TitleAtmavishuddhi
Original Sutra AuthorN/A
AuthorKesharsuri
PublisherPremji Hirji Shah Mumbai
Publication Year
Total Pages103
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy