SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ મહાવીર દેવની માફક કોઈ આત્મા વિશેષ બળવાન હોય તો તે સાથે સત્તામાં પડેલાં કર્મોની ઉદીરણા કરીને જે મોડાં ઉદય આવવાના હોય તેને તે નિમિત્તો વડે બહાર લાવી. સમભાવે ભોગવીને નિર્જરી નાખે છે. આવા સમર્થ આત્માઓ માટે નિર્જન પ્રદેશમાં રહેવાનો હેતુ કર્મથી ડરવાનો કે તેને હઠાવવાનાં સાધનો પોતાની પાસે ઓછાં છે તે મેળવવા માટેનો નથી પણ પોતાના કર્મક્ષય કરવાના આત્મધ્યાનાદિ સાધનોમાં મનુષ્યો વિઘ્નરૂપ ન થાય. વિક્ષેપ કરનારાં ન થાય તે હોય છે. અને તેટલા માટે પણ નિર્જન સ્થાન તેવા મહાત્માઓને વિશેષ ઉપયોગી છે. પોતાના કાર્યની સિદ્ધિ માટે શત્રુંજય પર્વતની ગુફામાં શુકરાજા છ મહિના સુધી પરમાત્માના જાપ અને ધ્યાનમાં નિર્જન સ્થાનમાં રહ્યા હતા. નેમનાથ પ્રભુ આત્મધ્યાન માટે ગીરનારજીના પ્રદેશમાં રહ્યા હતા. પ્રભુ મહાવીર દેવ પણ આત્મધ્યાન માટે શૂન્ય ઘરો સ્મશાનો, પહાડો, ગુફાઓ અને નિર્જન પ્રદેશવાળા વનાદિમાં રહ્યા હતા, મહાત્મા અનાથીમુનિ વૃક્ષોની ગીચ ઝાડીમાં ધ્યાનસ્થ રહ્યા હતા. ક્ષત્રીયમુનિ અને ગર્દભાલી મુનિ પણ વનના શાંત પ્રદેશમાં ધ્યાનસ્થ રહ્યા હતા. આ શાંત પ્રદેશના અભાવે મહાત્મા પ્રસન્નચંદ્ર રાજર્ષિએ શ્રેણીક રાજાના સુમુખ અને દુર્મુખ નામના દૂતોના મુખથી પોતાની પ્રશંસા અને નિંદાનાં વચનો સાંભળીને રૌદ્રધ્યાને સાતમી નરકનાં દલિયાં એકઠાં કર્યાં હતાં. એમના ધ્યાનની ધારા ધર્મ અને શુક્લધ્યાનને બદલે આર્ત અને રૌદ્રધ્યાનના રૂપમાં બદલાઈ ગઈ હતી. છેવટે પાછી અન્ય નિમિત્તના યોગ ઘ્યાનની ધારા બદલાણી ત્યારે જ કેવળ પદપામ્યા હતા. ગીરનારજીની ગુફામાં ધ્યાન કરતા રહેનેમીમુનિની ધ્યાનની ધારા પણ રાજીમતીના નિમિત્તથી બદલાણી હતી, પરંતું રાજીમતીની આત્મ જાગૃતિએ પાછા તેને ધ્યાનમાં સ્થિર કર્યા હતા. Jain Education International ૭૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001172
Book TitleAtmavishuddhi
Original Sutra AuthorN/A
AuthorKesharsuri
PublisherPremji Hirji Shah Mumbai
Publication Year
Total Pages103
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy