SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદપૂર્વધર મહાત્મા નંદીષેણની ધર્મધ્યાનની ધારા વેશ્યાના નિમિત્તે બદલાણી હતી. મહાત્મા દમસાર મુનિની આત્મધારા બ્રાહ્મણે ગામનાં ઘરોની. ભીંતવાળો પાછલો તપેલો માર્ગ બતાવવાથી ક્રોધના રૂપમાં બદલાઈ ગઈ હતી. આવાં આવાં સેંકડો દ્રષ્ટાંતો સારા નિમિત્તથી આત્મબળ જાગૃત થવાના અને ખરાબ નિમિત્તોથી આત્મમાર્ગમાંથી પતિત થવાનાં શાસ્ત્રોમાંથી મળી આવે છે. તેમજ આપણે પણ પ્રત્યક્ષ અનુભવીએ છીએ, માટે નિર્જનસ્થાનની આત્મધ્યાન કરનારને ગહુ જરૂર છે. એ વાત નિર્વિવાદ છે. સદ્દબુદ્ધિ, સમભાવ, તત્ત્વાર્થનું ગ્રહણ,મનવચન કાયાનો નિરોધ, વિરોધી નિમિત્તોનો અભાવ, સારાં નિમિત્તોની હૈયાતિ, રાગદ્વેષાદિનો ત્યાગ અને આત્મજાગૃતિ એ સર્વ આત્માની વિશુદ્ધિનાં જેમ પ્રબળ નિમિત્ત કારણો છે, તેમ ધ્યાન માટે નિર્જનસ્થાન એ પણ એક ઉત્તમ નિમિત્ત કારણ છે. ચંદ્રને દેખીને જેમ સમુદ્રમાં વેળાવૃદ્ધિ પામે છે, મેઘની વૃષ્ટિથી નદીઓમાં પાણીનો વધારો થાય છે, મોહથી જેમ કર્મમાં વધારો થાય છે, અનિયમિત ભોજન કરનારમાં રોગ વધે છે અને ઈન્દ્રિયોના વિષયોમાં વિશેષ પ્રવૃત્તિ કરનારમાં દુઃખનો વધારો થાય છે, તેમ મનુષ્યોના સંસર્ગથી વિકલ્પોનો, આશ્રવવાળાં વચનોનો તથા પ્રવૃત્તિનો વધારો થાય છે. લાકડાંથી જેમ અગ્નિ વધે છે, તાપથી તૃષા અને ઉકળાટ-ધામ વધે છે, રોગથી પીડા વધે છે તેમ મનુષ્યોની સોબતથી વિચારો અને ચિંતા વધે છે. બાહા તપ કરતાં પણ સ્ત્રી, પશુ નપુંશકદિ રહિત શયન અને આશન હોવાં તે મોટો તપ છે, કેમકે તેથી રાગદ્વેષાદિનો ઘટાડો થાય છે અને ગુણોમાં વધારો થાય છે. અજ્ઞાન મનુષ્યોની સોબત એ જ્ઞાનનો નાશ કરનારી મહાન મૂચ્છ છે, ક્રોધમાનાદિ પ્રગટ થવાનાં બળવાન નિમિત્તો છે, અને ચિંતાનાં કારણો ૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001172
Book TitleAtmavishuddhi
Original Sutra AuthorN/A
AuthorKesharsuri
PublisherPremji Hirji Shah Mumbai
Publication Year
Total Pages103
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy