SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ સોળમુંમું) નિર્જન સ્થાન निर्जनं सुखदं स्थाने, ध्यानाध्ययन साधनं રષિ વિમોદીનાં, શાંતને સેવત સધી : || 9 | “બુદ્ધિમાન સુખદાયી નિર્જન સ્થાનને સેવે છે, તે ધ્યાનમાં અને ભણવામાં સાધનરૂપ છે તથા રાગદ્વેષ અને મોહને શાંત કરનાર છે.” જેને આત્માનું સાધન કરવાનું છે. ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરવાનો છે તથા ધ્યાન કરવાનું છે તેઓને મનુષ્યાદિના સંસર્ગ વિનાનું સ્થાન ઘણું ઉપયોગી છે, સંસાર પરિભ્રમણ કરવાથી જેઓ થાક્યા છે, કંટાળ્યા છે, આત્માનું ભાન ગુરુ કૃપાથી મેળવ્યું છે, મનને નિર્મળ તથા સ્થિર કરવાનાં સાધનો જાણી લીધાં છે, અને તે પ્રમાણે વર્તન કરવા તૈયાર થયેલ છે, તેવા આત્માઓને મનુષ્ય, પશુ, સ્ત્રી, નપુંસકાદિ વિનાનું સ્થાન સુખદાઈ છે. મનુષ્ય ઉપરથી બધી વસ્તુનો ત્યાગ કર્યો હોય છે, બ્રહ્મચર્ય પાળવાનો તથા ક્રોધાદિ ન કરવાનો નિયમ લીધો હોય છે. છતાં સત્તામાં તે તે કમ રહેલા તો હોય છે, કાંઈ નિયમ લેવાથી કર્મો ચાલ્યા જતાં નથી, પણ નિયમ પ્રમાણે વર્તન કરવાથી ધીમે ધીમે તે તે કર્મનો થતો ઉદય નિષ્ફળ કરવામાં આવે છે. નિમિત્તોને લઈને સતામાં પડેલાં કર્મો ઉદીરણારૂપે થઈને જે મોડાં ઉદય આવવાનાં હોય તે પહેલા બહાર આવે છે. આ વખતે તે સાધકની જો પૂરેપૂરી તૈયારી ન હોય, ઉદય આવેલ કર્મને નિષ્ફળ કરવા જેટલું બળ તેની પાસે ન હોય તો ઉદય આવેલા કર્મો જીવને તેના માર્ગથી ભ્રષ્ટ કરે છે. એટલા ખાતર આવાં નિમિત્તોથી દૂર રહેવાની જરૂર છે. જેમ ઘાસ વિનાના સ્થાનમાં પડેલો SU Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001172
Book TitleAtmavishuddhi
Original Sutra AuthorN/A
AuthorKesharsuri
PublisherPremji Hirji Shah Mumbai
Publication Year
Total Pages103
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy