Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 538
________________ ભાષાંતર] વચનાનુયોગનું સ્વરૂપ. [૪૭ કાળની મુખ્યતા છે. તથા અવસર્પિણીકાળના સુષમદુઃખમા દુ:ખમસુખમા અને દુઃખમારૂપ ત્રણ આરામાં તેમજ ઉત્સર્પિણીકાળના દુઃષમા સુષમદુઃખમા રૂપ બે આરાઓમાં (સૂત્રવ્યાખ્યાનરૂપ) અનુયોગ પ્રવર્તે છે, તે સિવાયના આરાઓમાં નથી પ્રવર્તતો, તેથી તે કાળોમાં અનુયોગ કહેવાય. આ પ્રમાણે છ પ્રકારે કાલાનુયોગ છે. હવે છ પ્રકારે વચનનો અનુયોગ કહે છે. આ પ્રમાણે એકવચન હોય, આ રીતે દ્વિવચન હોય, અને આવા પ્રકારે બહુવચન હોય, એ પ્રમાણે એકવચનાદિમાંથી કોઈપણ એકવચનની વ્યાખ્યા કરવી તે વચનનો અનુયોગ કહેવાય છે. અને ઘણાં વચનોનો અનુયોગ તે પણ વચનાનુયોગ કહેવાય છે. તે વચનાનુયોગ સોળ પ્રકારે થાય છે, આ પ્રમાણે “આ સ્ત્રી, આ પુરૂષ, આ નપુંસક' એમ લિંગપ્રધાન વચનો તે લિંગત્રિક કહેવાય. એક-બે અને બહુ વ્યક્તિનું કથન કરનાર શબ્દો તે વચનત્રય કહેવાય. કર્યું છે, કરે છે, અને કરશે એમ ભૂતાદિકાળનું પ્રતિપાદન કરનાર શબ્દો તે કાળત્રિક કહેવાય. ‘તે’ એમ પરોક્ષ અર્થ પ્રતિપાદન કરનાર વચન તે પરોક્ષવચન, “આ” એમ પ્રત્યક્ષ અર્થનો નિર્દેશ કરવો તે પ્રત્યક્ષવચન, ઉપનય એટલે સ્તુતિવચન અને અપનય એટલે નિંદાવચન, તે બેના ચાર પ્રકાર છે. જેમ કે - “આ સુન્દર સ્ત્રી છે.” આ ઉપનય વચન કહેવાય. “આ કુરૂપા સ્ત્રી છે” આ અપનયવચન કહેવાય. આ સ્ત્રી સુન્દર છે, પરંતુ દુઃશીલા છે,” ઉપનયાપનયવચન કહેવાય. “આ સ્ત્રી કુરૂપા છે, પરંતુ સુશીલા છે.” એ અપનયોપનયવચન કહેવાય. મનમાં કંઈ બીજું ધારીને વિપ્રતારક બુદ્ધિએ (ઠગવાની બુદ્ધિએ) કંઈક બીજું જ કહેવાની ઈચ્છા હોય, પણ સહસા જે મનમાં હોય, તેજ બોલી જવાય; અધ્યાત્મવચન કહેવાય. આ પ્રમાણે ત્રણ લિંગ-ત્રણવચન-ત્રણકાળ-પરોક્ષપ્રત્યક્ષ-ચાર પ્રકારે ઉપનયાપનય અને અધ્યાત્મવચન એ સોળ પ્રકારના વચનોની વ્યાખ્યા કરવી તે વચનોનો અનુયોગ કહેવાય. તેમજ સાતવિભક્તિઓનાં ત્રણ ત્રણ વચન હોવાથી એકવીસ વચનોની વ્યાખ્યા, તે પણ વચનોનો અનુયોગ જાણવો. ૧૪૦૩. હવે વચનવર્ડ-વચનોવડે અને વચનમાં અનુયોગ, એ ત્રણ ભેદોનું સ્વરૂપ કહે છે. वयणायरियाई, एक्केणुतो बहूहिं वयणेहिं । वयणे खओवसमिए, वयणेसु उ नत्थि अणुओगो || १४०४ || આચાર્ય આદિને એકવાર પ્રાર્થના કરવાથી વ્યાખ્યા કરે તે વચનવડે અનુયોગ કહેવાય, અને બહુવાર પ્રાર્થના કરવાથી વ્યાખ્યા કરે તે વચનોવડે અનુયોગ કહેવાય. તથા ક્ષાયોપમિક વચનમાં વ્યાખ્યા કરે તે વચનમાં અનુયોગ કહેવાય, અને વચનોમાં અનુયોગ તો હોતો જ નથી. ૧૪૦૪. કોઈ આચાર્ય મહારાજ સાધુએ એકવાર એકજ વચનથી પ્રાર્થના કરવાથી વ્યાખ્યા કરે, તો તે વચનવડે અનુયોગ કહેવાય અને ઘણીવાર ઘણા વચનોથી પ્રાર્થના કર્યાથી વ્યાખ્યાન કરે, તે વચનોવડે અનુયોગ કહેવાય તથા ક્ષયોપમિક વચનમાં રહેલા આચાર્યનું વ્યાખ્યાન તે વચનમાં અનુયોગ કહેવાય. અને વચનોમાં અનુયોગ સંભવતો નથી. કારણ કે વચનનું ક્ષાયોપમિકપણું અનેક પ્રકારે હોતું નથી. આ સંબંધમાં બીજાઓ વ્યક્તિઓની વિવક્ષાએ બહુ ક્ષાયોપમિક ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682