Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 675
________________ ૬૩૪] ચાર પ્રકારની બુદ્ધિનાં દાંતો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૧ એક વખત ભરત કંઈ કામ પ્રસંગે અવન્તી જેવા તૈયાર થયો. તેની સાથે રોહક પણ તૈયાર થયો. અવન્તીમાં બન્ને પિતા પુત્ર ગયા. ત્યાં નગરની શોભા જોઇને રોહક વિસ્મય પામ્યો. કામ પૂરું કરીને પિતા-પુત્ર પાછા ઘેર આવવા નીકળ્યા. નગર બહાર આવ્યા એટલે ભરત કંઈ ચીજ લેવાની ભૂલી ગયો. તેથી રોહકને ક્ષિપ્રાનદીના તટપર બેસાડીને પોતે પાછો શહેરમાં ગયો. રોહકે નદીના કાંઠામાં રહીને રમત કરતાં કરતાં કિલ્લા સહિત આખી નગરી રેતીમાં આલેખી. તેવામાં અશ્વ પર બેસી ફરવા ગએલ તે નગરીનો રાજા ત્યાં થઈને નીકળ્યો, એટલે રોહકે કહ્યું અરે રાજકુમાર ! એ માર્ગે ન ચાલો. રાજાએ કહ્યું એ માર્ગે ન ચાલવાનું કારણ ? રોહકે કહ્યું એમાં કારણ શું પૂછો છો ? આ રાજદરબાર છે તે તમે નથી જોતા ? રાજાએ નીચે ઉતરીને જોયું તો આખી નગરી બરાબર આલેખેલી જોઇ. તેથી રાજાએ પૂછયું-અરે બાલક ! તે આ નગરી પહેલાં કોઇવાર જોઇ છે, કે આજેજ જોઈ ? રોહકે કહ્યું-ના, પહેલાં જોઈ નથી, આજેજ પ્રથમ જોઇ છે. આથી વિસ્મય થએલા રાજાએ વિચાર્યું કે અહો ! આ બાળકની બુદ્ધિ કેવી તીવ્ર છે ? પછી રાજાએ તેનું નામ પૂછ્યું એટલે તે બોલ્યો, કે- મારું નામ રોહક છે. આ વાતચીત ચાલે છે એવામાં રોહકનો પિતા શહેરમાંથી આવ્યો, એટલે તેની સાથે રોહક પોતાને ગામ ગયો. રોહકના ગયા પછી રાજાએ વિચાર્યું કે મારે ચારસોને નવાણું પ્રધાનો છે; પરંતુ તે સર્વની બુદ્ધિ એકજ પ્રધાનમાં હોય, એવો એક પ્રધાન હોય તો ઘણું સારું, કેમકે એથી રાજયનો પ્રતાપ વૃદ્ધિ પામે. આ પ્રમાણે વિચારીને રોહકની પરીક્ષા કરવા રાજાએ રોહકના ગામના મુખ્ય માણસોને ઉદ્દેશીને એવો હુકમ કર્યો કે તમારા ગામની બહાર એક મોટી શિલા છે, તે શિલાને ઉપાડ્યા સિવાય વા યોગ્ય મંડપ કરીને, એ શિલાનું ઉપર ઢાંકણ કરો. આ પ્રમાણે રાજાનો હુકમ સાંભળીને ગામના લોકો ઘણી ચિન્તા કરવા લાગ્યા. વિચાર કરતાં મધ્યાન્હ સમય થયો, તે વખતે રોહક તેના પિતાને જમવા તેડવા આવ્યો; એટલે તેના પિતાએ કહ્યું-બેટા ! તું બાળક હોવાથી નિશ્ચિત છે, એટલે ગામના કષ્ટને જાણતો નથી, અમને તો કંઈ પણ ચેન પડતું નથી, એટલે ખાવા પીવાનું ક્યાંથી સૂઝે ? આથી રોહકે પૂછયું-પિતાજી એવું શું કષ્ટ છે? કે જેથી સર્વને આટલી બધી ચિન્તા થાય છે. તેના ઉત્તરમાં તેના પિતાએ રાજાની આજ્ઞા કહી સંભળાવી, એટલે રોહકે કહ્યું-ઓહો ! એમાં એટલી બધી ચિન્તા શા માટે કરો છો ? મંડપ કરવાને એ શિલાની નીચે ખોદવાનું શરૂ કરો, પછી જયાં જયાં જોઇએ, ત્યાં ત્યાં થાંભલા મુકો, અને શિલાને ઉપાડયા સિવાય ભોંયરાની જેમ ફરતી ભીંત વિગેરે કરો. એટલે રાજાને યોગ્ય મંડપ તૈયાર કરી શકાશે. આ યુક્તિ સાંભળીને સર્વ લોકો હર્ષ પામીને ભોજન માટે ઉક્યા, પછી રોહકના કહ્યા મુજબ ખોદીને મંડપ તૈયાર કર્યો. રાજા પણ એ મંડપ જોઇને પ્રસન્ન થયો, તપાસ કરતાં માલુમ પડ્યું કે આ મંડપ રોહકની બુદ્ધિના અનુસારે થયો છે. ફરી બીજી વખત રાજાએ એજ ગામમાં એક ઘેટું મોકલીને હુકમ કર્યો કે-“ આ ઘેટું અત્યારે તોલમાં છે, તેટલું પાછું પંદર દિવસે આપવું. તોલમાં જરા પણ ન્યૂનાધિક ન થવું જોઇએ.” રાજાની આ આજ્ઞા સાંભળીને ગામના સર્વ લોકો એકઠા થયા, અને રોહકને બોલાવીને રાજાની આજ્ઞા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 673 674 675 676 677 678 679 680 681 682