Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 681
________________ ૬૪૦] ચાર પ્રકારની બુદ્ધિનાં દષ્ટાંતો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પારિણામિક બુદ્ધિ એક રાજાને યુવાનમંત્રીઓએ કહ્યું : સ્વામી, આ ઘરડા મંત્રીઓને કાઢીને નવા મંત્રીઓને જ રાખો. રાજાએ કહ્યું. ભાઈ, ઘરડા ગાડા વાળે. યુવાનો ન માન્યા રાજાએ એક પ્રશ્ન કર્યો : જે પોતાના પગથી મારા માથા પર પ્રહાર કરે, મને મારે, એને શો દંડ આપવો જોઇએ ? યુવાનોએ તરત જ જવાબ આપ્યો : એના તલતલ જેવડા ટુકડા કરી નાંખવા જોઇએ. રાજાએ વૃદ્ધમંત્રીઓને આ પ્રશ્ન કર્યો : એમણે એકાંતમાં જઈને વિચાર્યું. આપણો રાજા તો સર્વાધિક બળી છે. એમને મારવાની વળી કોનામાં તાકાત હોય? માટે આ પ્રશ્ન રહસ્યવાળો છે રાજાને મારવાની તાકાત એમના નાના બાળ પાસે જ હોઇ શકે, એથી જવાબ વાળ્યો કે એનું તો વિશેષ સન્માન કરવું જોઇએ. યુવાનો ઉશ્કેરાયા. વૃદ્ધોએ વિગતથી વાત કહી, ત્યારે એમના માં શરમથી નીચા થઈ ગયા. આનું નામ પારિણામિક બુદ્ધિ. આ ચારે પ્રકારની બુદ્ધિનાં વિશેષ દૃષ્ટાંતો નંદિસૂત્રથી જાણી લેવાં. IIMa સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 679 680 681 682