Book Title: Uttaradhyayana Sutra Pravachano
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 84
________________ છે. એક લાખ અને બાણું હજાર સ્ત્રીઓમાં પણ જેઓ લેપાયા ન હતા તેમને પણ બ્રહ્મચર્યની નવ વાડનું પાલન કરવાનું કહ્યું છે : આ ભગવાનનું શાસન છે ! અહીં જણાવે છે કે લુહારની શાળા વગેરેમાં, ગૃહસ્થના ઘરમાં, બે ઘરની વચ્ચેની ગલીમાં કે મહાપથ અર્થાત્ રાજમાર્ગ ઉપર સાધુ એકલો ન ઊભો રહે કે એક સ્ત્રીની સાથે ઊભો ન રહે, તેમ જ સ્ત્રી સાથે ઊભા રહીને કે ચાલતા વાત પણ ન કરે – આ મર્યાદા સાધુની છે. આ બધું શ્રી સુધર્માસ્વામી શ્રી જંબૂસ્વામીજીને જણાવે છે કે જેઓ આઠ સ્ત્રીને પ્રતિબોધીને પાંચ સો સત્યાવીસ સાથે દીક્ષા લઇને આવ્યા છે. ભગવાનના શાસનમાં આચારમાંથી મુક્તિ કોઇને ન મળે, આચારના પાલનથી જ મુક્તિ મળે. जं मे बुद्धाणुसासंति सीएण फरुसेण वा । मम लाभोत्ति पेहाए पयओ तं पडिस्सुणे ॥१-२७।। સાધુપણું મળે. તો શ્રાવકની નજર ચારિત્રમોહનીયની નિર્જરા ઉપર જ હોય, પુણ્ય ઉપર નહિ. સવ શાસ્ત્રમાં જ ફળ બતાવ્યું છે કે આટલું પુણ્ય બંધાય... એ તો અનુષ્ઠાનનું સામર્થ્ય બતાવવા માટે જણાવ્યું છે, પુણ્ય ખંખેરવાની ત્યાં વાત જ નથી, લોઢું જો પગ પર પડે તો લોહી કાઢે - એવું કહેતી વખતે લોહી કાઢવા માટે લોઢું પગ ઉપર પાડવાની વાત નથી કરી, માત્ર લોઢાનું સામર્થ્ય જણાવ્યું છે - એવું જેમ સમજાય તેમ ધર્માનુષ્ઠાન આટલા પુણ્યબંધનું સામર્થ્ય ધરાવે છે – એમ જણાવ્યું તે વખતે પણ તે પુણ્યની લાલચ આપવાનો ઇરાદો નથી, સુલભ સામગ્રીમાં નિર્જરાની અનુકૂળતા સારી મળે છે - એ જણાવવાનો ઇરાદો છે. તો કહો પુણ્ય ભેગું કરવું છે કે નિર્જરા સાધવી છે ? સ0 હજુ એવો વૈરાગ્ય પ્રગટ્યો નથી. એનું કારણ એ છે કે વૈરાગ્ય વગર આપણું કાંઇ અટક્યું નથી. લાઇટ જાય તો તરત અંધારું દૂર કરવા કામે લાગીએ. બટન ચાર-પાંચ વાર દબાવીએ, લાઇટનું બોર્ડ ખોલીને વાયર તપાસીએ. કશું ન થાય તો છેવટે દીવો પ્રગટાવીએ. ખરું ને ? વૈરાગ્ય પ્રગટાવવા માટે કશું કરવું જ નથી. કારણ કે વૈરાગ્ય વિના આપણું કશું બગડ્યું નથી, બરાબર ને ? સ0 વૈરાગ્ય પ્રગટાવવા શું કરવું ? પહેલા રાગ ખટકે છે ખરો ? વૈરાગ્ય જોઇએ છે ખરો ? વૈરાગ્યની જરૂર પડે પછી આ પ્રશ્ન પૂછજો . શાસ્ત્રમાં વૈરાગ્ય પ્રગટાવવાનો ઉપાય બતાવ્યો છે કે વૈરાગ્ય પામવા માટે રાગ મારવો પડે અને રાગ મારવા માટે રાગનાં સાધનોથી દૂર રહેવું, પાત્રથી દૂર થવું. પત્ની પર રાગ થાય તો મહિના માટે પત્નીને પિયર મોકલી આપવી. ગુલાબજાંબુ પર રાગ થાય તો વરસ માટે બંધ કરી દેવાના. શાક ઉપર રાગ થાય તો ચાર મહિના માટે એ શાકનો ત્યાગ કરી લેવો. ચક્રવર્તીના આત્માઓને પણ અંતમાંત ભિક્ષા વાપરવાની આજ્ઞા કરી છે. જેઓ પર્સ ભોજન જમીને વૈરાગ્ય પ્રગટાવીને આવ્યા છે તેમને પણ અંતકાંત ભિક્ષા વાપરવાનું કહ્યું સાધુભગવંતોએ એકલા ક્યાંય જવું નહિ – એવું જણાવ્યું તેનું કારણ એ હતું કે એકાંત અવસ્થાના કારણે ક્યાંય પણ પાપ કરવાનો પ્રસંગ ન આવે. ભગવાનના શાસનમાં આપણે અત્યાર સુધી શું કર્યું તે મહત્ત્વનું નથી, આપણે શું કરવાનું છે – એ મહત્ત્વનું છે. એક વસ્તુ તો નક્કી છે કે અત્યાર સુધી જે રીતે વર્યા તેના કારણે જ આપણે સંસારમાં ભટકીએ છીએ. હવે એ વનનો ત્યાગ કરીને જ્ઞાનીઓએ બતાવેલી મર્યાદાને સ્વીકારવા માટે તૈયાર થઇ જવું છે. જ્ઞાનીઓને આપણી ઉપર આટલો બધો અવિશ્વાસ કેમ ? – આવી ચિંતા કરવાની જરૂર નથી. આ અવિશ્વાસ વ્યક્તિ ઉપરનો નથી, વ્યક્તિની વૃત્તિ ઉપરનો છે. આપણે બહારથી ગમે તેટલા સારા દેખાતા હોઇએ તોપણ આપણી વૃત્તિઓ તો પાપ કરવાની લગભગ પડેલી જ છે. તેથી જ શાસ્ત્રકારોએ આપણી પાપવૃત્તિઓ કાર્યરત ન બને એવું ચોકઠું ગોઠવી આપ્યું છે. માટે જ્ઞાનીઓના વચનમાં કોઇ જ વિકલ્પ કર્યા વિના તેમની વાત સ્વીકારી લેવી છે. ૧૬o શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૬૧

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222