________________
આપણે જોઇ ગયા કે સાધુ કે સાધ્વી એકલાં ક્યાંય જાય નહિ. હવે કોઇ વાર જો સહસાકાર અથવા અનુપયોગાદિ કોઇ પણ કારણસર એકલા જવાનું બને તો તેવા વખતે આચાર્યભગવંતો હિતશિક્ષા આપવાના જ. એ હિતશિક્ષા જો આપણને ન ગમે તો પછી સમજવું કે આપણું ભાગ્ય પરવારી ગયું. સાચું કહો : ગુરુભગવંત હિતશિક્ષા આપે તો શું થાય ? સ0 અંધારામાં દીવો મળ્યો.
આ સાચું છે કે માત્ર બોલવા માટે ? ગુરુ હિતશિક્ષા જો આપે. તો બીજા દિવસથી ગુરુ પાસે જવાનું બંધ કરી દે ને ? આ તો પાછા કહે કે “મારું કામ એમને ગમતું નથી. નકામો એમને સંક્લેશ, અમને સંક્લેશ : એના કરતાં આપણે આઘા રહેવું સારું !' આ બધા સંક્લેશના એટલા ભીરુ હોય કે પોતાનું અકલ્યાણ થતું હોય તો ભલે થતું પણ સંક્લેશ’ ન થવો જોઇએ. આવાઓને હિતશિક્ષા ન અપાય ને ? સાધુપણામાં પ્રજ્ઞાપનીયતા એ સૌથી મોટો ગુણ કહ્યો છે. કોઇ આપણને બે શબ્દ કહી ન શકે - એ કાંઇ આપણી લાયકાત છે ? હિતશિક્ષા આપણને શિક્ષારૂપ લાગે છે – આ હકીકત સ્વીકાર્યા વિના ચાલે એવું નથી. આથી જ જ્યારે ગુવાદિક હિતશિક્ષા આપે ત્યારે શું કરવું તે હવે જણાવે છે. તેમાં સૌથી પહેલાં એમ જણાવે છે કે ન જે વૃદ્ધાળુ સાસંતિ અહીં ગુરુને બુદ્ધ તરીકે સંબોધ્યા છે. આપણને જે અનુશાસન કરે છે તે બુદ્ધપુરુષ છે. બુદ્ધ એટલે બોધ પામેલા. જેઓ ભગવાનના વચનથી બોધને પામ્યા છે, જ્ઞાની બનેલા છે તેઓ આપણને હિતશિક્ષા આપે છે, કોઇ મૂરખ, અજ્ઞાન કે રસ્તે રખડતા માણસ હિતશિક્ષા નથી આપતા. આટલું સમજાય તો હિતશિક્ષાનો અનાદર કરવાનું બને જ નહિ, આપણને હિતશિક્ષા આપનાર વ્યક્તિ પ્રત્યે બહુમાનભાવ જગાડવા માટે જ અહીં ‘બુદ્ધ’ પદ આપ્યું છે. જે વ્યક્તિ પ્રત્યે બહુમાન જાગે તેમનું અનુશાસન ગમ્યા વિના ન રહે, ગુરુ પ્રત્યે બહુમાનભાવ નથી અને હિતનું અર્થીપણું નથી તેથી હિતશિક્ષા ગમતી નથી. આ જણાવવા માટે અહીં ગુરુને બુદ્ધ કહીને બહુમાન પેદા કરાવ્યું છે અને હિતમાં જે લાભ છે એમ જણાવી ૧૬૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
હિતનું અર્થીપણું પેદા કરાવ્યું છે. આજે ગુરુનું કામ કરવું ગમે છે, બીજું બધું જ ગમે છે માત્ર હિતશિક્ષા ગમતી નથી. ખરું ને ? સ, એનું કારણ શું ?
મોક્ષમાં જવું નથી, સંસારમાં જલસા કરવા છે. જેને સંસારમાં રખડવું નથી, મોક્ષમાં જવું છે તેને હિતશિક્ષા ગમ્યા વિના ન રહે. આપણે સંસારમાં ફરવાના નામે રખડવાનું કામ શરૂ કર્યું છે એટલે હિતશિક્ષા ગમતી નથી. આજે તમારે ત્યાં કે અમારે ત્યાં સૌથી મોટી તકલીફ જ આ છે કે બે શબ્દ હિતશિક્ષાના કહીએ એ ગમતું નથી. આજના ધર્માત્માનું આ મોટામાં મોટું અપલક્ષણ છે કે એને કોઇ બે શબ્દ કહી ન શકે. સ0 કાળનો પ્રભાવ હશે !
કાળનો પ્રભાવ કઇ રીતે કહેવાય ? આ કાળમાં પણ માથે જ વાળ આવે છે, પગમાં વાળ નથી ઊગતા. લીમડાના ઝાડ ઉપર કેરી નથી આવતી, આંબાના ઝાડ ઉપર જ કેરી આવે છે. તેથી કાળનો પ્રભાવ નથી, આપણી ભૂલોનો પ્રભાવ છે.કાળ બદલાયો માટે આપણે નથી બદલાયા, આપણે બદલાયા છીએ માટે કાળ બદલાયો છે. સ0 સંઘયણબળ નથી.
સંઘયણબળ તો બધાનું છેવટું છે. છતાં આવા સંઘયણમાં પણ સાધુ થઇને ભણનારા, વિનયવેયાવચ્ચ કરનારા આજના કાળમાં છે જ ને ? તમને જ સંઘયણબળ નડે છે ? સ0 જડતા અને વક્રતા પડી છે.
જો એવું લાગતું હોય તો જડતા અને વક્રતા બંને કાઢવાનો ઉપાય છે. જડતા ટાળવી હોય તો ભણવા માંડો અને વક્રતા ટાળવી હોય તો ગુરુપરતંત્ર્ય કેળવી લો. ભણવાના કારણે જડતા દૂર થાય અને ગુરુપરતંત્ર્ય કેળવી લો તો સરળતા આવે. વક્ર માણસો ગુરુનું પાતંત્ર્ય કેળવી ન શકે. એક વાર ગુરુ કહે છે તે પ્રમાણે કરવાનું જો નક્કી કરી લઇએ તો કોઇ જાતની માયા કરવી ન પડે. ગુરુનું પારતંત્ર કેળવવા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૬૩