Book Title: Uttaradhyayana Sutra Pravachano
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 160
________________ પરાભવ થયો - એના કારણે આ પાલક રાજપુરોહિત અંધક પ્રત્યે વૈરા ધારણ કરવા લાગ્યો. અંધકે આ સારું કર્યું કે ખોટું કર્યું ? પોતાના બનેવી રાજાના રાજપુરોહિતને સન્માનપૂર્વક રાખવો જોઇએ ને ?! આ રીતે અપમાન કરાય ?! આચાર્યભગવંતની દેશના સાંભળીને જિનશાસનનાં તત્ત્વોનો જાણકાર બનીને આવું જાહેરમાં અપમાન કરે એ વ્યવહારનો જાણકાર નથી – એમ જ તમે કહો ને ? ધર્મના નામે આ રીતે વૈર બાંધવું એ યોગ્ય ગણાય ? આના કારણે તો આપણા પ્રાણ જોખમમાં મુકાય ને ?! સ0 ધર્મ માટે પ્રાણ જાય તો વાંધો નહિ. પ્રાણ જાય તો વાંધો નહિ, એમ બોલવું એટલું જ. બાકી પ્રાણ આપવાનો વખત આવે તો ખસી જવું છે ને ? આ ધર્મની રક્ષા કરવાનાં લક્ષણ નથી. તમારું અપમાન કરે તો જુદી વાત. પણ દેવગુરુધર્મ માટે જો એલફેલ બોલનારો હોય તો તેનો પ્રતિકાર કરો કે મૌન રહો ? સ0 એ વખતે પેલાની ભાવદયા ચિંતવીએ. અને તમારી પોતાની દ્રવ્યદયા ચિંતવીને બેસી રહો - એમ ને ? તમારે મરવું નથી માટે પેલાની ભાવદયા ચિતવવી છે ? જે પોતાની ભાવદયા ન ચિંતવે તે બીજાની ભાવદયા કઇ રીતે ચિંતવી શકે ? જે આપણા દેવગુરુધર્મના વિરોધી હોય તેનો પ્રતિકાર કરવો જ જો ઇએ. સ0 એવાને જમાડીને પછી ન સમજાવાય ? તમે તો જમાડીને મુખવાસ આપીને રવાના કરવાના તમારી ક્યાં તેવડ છે એને સમજાવવાની ? એક વાર આચાર્યભગવંતે કહેલું કે દેવગુરુધર્મનો પ્રત્યેનીક જો નવકારશી - સાધર્મિકવાત્સલ્યમાં જમવા તમારે ત્યાં આવ્યો હોય તો તેને જમાડતાં કહેવાનું કે – “ઓહો ! તમે આવ્યા છો ? આ જૈન ધર્મમાં જન્મ્યા છો માટે અહીં સ્થાન પામ્યા. બાકી મારા દેવગુરુધર્મના પ્રત્યેનીકને હું જમાડું નહિ.' તમે આટલું કહી શકો ખરા ? તમને પોતાને જ ધર્મનો ખપ ન હોય તો આવું જ બનવાનું. જે પોતે દેવગુરુધર્મ પ્રત્યે શ્રદ્ધા-બહુમાન ધરનારા હોય તેનામાં જ આવું સત્ત્વ પ્રગટે. સ, રક્ષાનું કામ સાધુનું કે શ્રાવકનું ? બંન્નેનું. શાસન તો બંન્નેનું છે ને ? શ્રાવક પાસે પણ શ્રદ્ધા અને સત્ત્વ હોય ને ? તકલીફ એક જ છે કે બધાને માન જોઇએ છે, નેતા થવું છે, પણ વડીલના કહ્યામાં નથી રહેવું. ક્યાંથી રક્ષા થાય ? લોકોમાં અળખા બનવાના ભયે ધર્મની કે સાધુની નિંદા સાંભળી લેવાનું કામ નથી કરવું. આથી જ અંધકે આ રીતે પ્રતિકાર કર્યો.. ત્યાર બાદ અંધકે પાંચ સો પુરુષો સાથે દીક્ષા લીધી અને ક્રમસર શ્રતના પારગામી બન્યા અને એક વાર શ્રી મુનિસુવ્રતસ્વામીજીની પાસે પોતાની બહેનના ગામમાં જવાની અનુજ્ઞા લેવા ગયા. ભગવાને કહ્યું કે ત્યાં તમને મરણાંત ઉપસર્ગ આવવાની સંભાવના છે. તેવા વખતે આ મહાત્મા એમ નથી પૂછતા કે આ ઉપસર્ગ ટળે કઇ રીતે ? અથવા તો એમ પણ નથી વિચારતા કે – ‘તો હવે જવું નથી.’ એ તો ઉપરથી એમ પૂછે છે કે “એ ઉપસર્ગ વેઠતી વખતે અમે આરાધક બનીશું કે વિરાધક બનીશું ?' આને માર્ગાનુસારી પ્રજ્ઞા કહેવાય. ભગવાનનો સાધુ દુ:ખથી ન ગભરાય, વિરાધનાથી ગભરાય. સ0 આવો મરણાંત ઉપસર્ગ કઇ રીતે વેઠી શકાય ? તેઓ એવું માનતા હતા કે આ ઉપસર્ગ વેઠીએ તો સંસારનો ઉપસર્ગ કાયમ માટે ટળી જાય એવું છે. મહાપુરુષો સંસારને જ ઉપસર્ગ માનતા હોય છે, તેથી સંસારમાં આવનાર એક પણ ઉપસર્ગથી તેઓ ગભરાતા હોતા નથી. આથી જ અહીં જણાવ્યું છે કે – આરાધનામાં સાધક એવો ઉપસર્ગ, તપસ્વી એવા સાધુ મહાત્મા માટે દુ:ખનું કારણ નથી બનતો, પરંતુ મહાનંદસ્વરૂપ મોક્ષને આપનારો હોવાથી મહાનંદનું કારણ બને છે. તેઓને તકલીફ પડશે – એવો વિચાર નથી આવતો, નિર્જરા થશે – એવો જ વિચાર આવે છે. આજે તો અમારા મુમુક્ષુ અમને પૂછવા આવે કે સાધુપણામાં ઓછામાં ઓછું કેટલું દુ:ખ ભોગવવું આવશ્યક છે ?! કારણ કે દુ:ખ ભોગવવામાં નિર્જરા છે - એ વસ્તુ હજુ તેમને સમજાઇ જ નથી. ૩૧૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૧૩

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222