Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૧૯૫] સારી જૈનધર્મમાં મત-મતાનોને સ્થાન નથી, પાંચમી સ્થિરાદષ્ટિ પામેલ સમ્યગ્રષ્ટિને મતભેદ હતા નથી, આ વાત શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ ગદષ્ટિમાં સૂક્ષ્મ રીતે ટાંકી છે. તેનો ભાવ એ છે કે સ્થિરાદષ્ટિ પામેલ સમ્યગ્રષ્ટા મતાન્તર ન કરતાં નયસાપેક્ષ દરેક ભિન્નતાને સમજે એટલે તેના મંતવ્યો એકાંતરૂપ મિથ્યાત્વને ન સ્પર્શતા સભ્ય બની રહે છે.
આ રહસ્યોથી તુલના કરતાં હાલની નવી પ્રાગતિક આદર્શોની સંસ્થાઓ આત્મવાદની છેલ્લી મર્યાદાઓથી પણ બહાર ચાલી જાય છે. માટે સમજે, સૌને સન્માર્ગે દોર, ભલે અજાણપણથી અથવા જેને નેતાઓ માન્યા તેના તરફની શ્રદ્ધાથી આ ભૂલ થઈ ગઈ તે હજી એટલી દેષરૂપ નથી, કે જેટલા દેવરૂપ તેની દુરાગ્રહરૂપ પકડ થાય છે.
આને માટે આગમમાં સમજાવવામાં આવ્યું છે, કે તીર્થકર વીતરાગદેવ ઉપર પૂરી શ્રદ્ધા હોય, કે તેમણે જે કહ્યું છે તે જ સાચું અને હિતકારી છે. એવી દઢ શ્રદ્ધા મનમાં હોય, અને પોતે એમ માનતે હોય કે હું તેજ રસ્તે જઈ રહ્યો છું.” છતાં અજ્ઞાનતાથી કે ગુરુ-વડીલો-નેતાઓને અનુસરવાથી વાસ્તવમાં તે અવળે રસ્તે હેય, અવળી માન્યતા પકડી બેઠે હોય, છતાં જે આમા સમજાવ્યું સમજી શકે તેવો હોય અને સાચું સમજાવવામાં આવે કે તુરત ખોટું છોડી દે તેવી મનોવૃત્તિ ધરાવતો હોય, તેના સમ્યગદર્શનને વાંધો આવતો નથી. પરંતુ ભલે તપાગચ્છને કદર અનુયાયિ હોય, પરંતુ તેમાં પણ અનેકાંત સાપેક્ષ ન સમજતાં જે દુરાગ્રહી હોય તે તેને મિથ્યાત્વ સ્પર્શે છે. તો પછી બીજા બહારના જીવોના દુરાગ્રહીપણાની તો વાત જ શી ?
સમ્યફત્વ મિથ્યાત્વની આજે ચર્ચા જ નકામી છે” એમ કેટલાક કહે છે. પરંતુ એ તો પ્રગતિવાદીઓને જગતને સત્યથી દૂર ધકેલવા માટે પ્રચાર માત્ર છે. તેઓ પ્રાગતિક–અપ્રાગતિક, જુનવાણીનવામતવાદી, પાછળ પડેલા અને આગળ વધતા, સુધરેલા અને રૂઢિચુસ્ત એવા ભેદોની ચર્ચા શા માટે કરે છે ? એવા વિચારે શા માટે પ્રચારે છે? માટે સમ્યગ અને મિથ્થાનો જે વિવેક કરવામાં ન આવે, તેની જરૂર ન હોય, તે નામથી પણ આપણે આપણને જૈન શા માટે ઓળખાવવા ? ભાઈઓ ! જરા વિચાર કરે. અને જ્યારે આવી નવીન સર્જનને વેગ આપનારી સંસ્થા ધાર્મિક તંત્રનો પૂર્ણ કબજે લે, અને તેનો ભવિષ્યમાં વિદેશીયો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરશે ત્યારે કેટલે અનર્થ મચશે. તેની કલ્પના કરો. જે પરભવ માનતા હે, તેને ડર હોય, જે મેક્ષ માનતા હે, તેની આકાંક્ષા હોય, તે આ વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. ભૂલ્યા ત્યાંથી ફરી ગણે. નહીંતર તમારી ઈચ્છાની વાત છે.
શ્રી સંઘમાં જે કાંઈ ઉચિત કરવા જેવું રચનાત્મક હોય, સાધક દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રય લઈને અને બાધક દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને દૂર રાખીને શ્રી સંધની બેઠકમાં વધુ ઉચિત કરે. ત્યાં અધિકાર છે. તેથી તે બાબત સામે વિરોધ કરવામાં નથી આવતું પરંતુ વિરોધ સંસ્થા અને તેનાં ઉદેશે વગેરે સામે છે. તે હેડી તે માર્ગે લઈ જનારી છે. તેને છોડવાનો આ ઉપદેશ છે. તે સંસ્થાને શ્રી જૈનશાસનના તંત્રમાં અનુકૂળ કે પ્રતિકૂળ બોલવાનો કે કરવાને અધિકાર નથી. તેમાં પ્રવેશવાનો અધિકાર નથી. ૫૦ ૦ મૂ૦ ગૃહસ્થ જ એક સંસ્થા ઉભી કરે કે એક કંપની ઉભી કરે. પરંતુ એ સંસ્થા કે કંપનીને વેમૂળ જૈન સંઘ વિષે કાંઈ પણ બેલવા કે કરવાનો અધિકાર નથી જ. તેઓને . મૂ. જૈન તરીકે શ્રી સંધમાં આવીને તેની નીતિરીતિ પ્રમાણે બોલવાન-કરવાનો અધિકાર છે. પરંતુ તે સંસ્થા કે કંપનીનો તે રૂપે કશો અધિકાર નથી. આ આશય છે. તેથી ગેરસમજ ન થાય માટે આટલી સ્પષ્ટતા કરવામાં આવી છે.
ખૂબી તો એ છે કે આવી સંસ્થાઓ પોતાને સર્વોપરી પ્રતિનિધિ સંસ્થા માનતી હોય છે, છતાં પરંપરાગત મૂળ સંસ્થાની પેટા સંસ્થા પણ માનતી નથી હોતી. એટલી હદ સુધીની શિરજોરી એ જૈન
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org