________________
મારા પિતાશ્રીએ શત્રુઓથી ઘેરાયેલા અને એકલપંડે ઝઝૂમતા કોઈ રાજાને મારી સહાયથી વિજયી બનતા જોયો હતો, એનો અર્થ એ છે કે, પ્રભુનું શરીર ભુખતરસથી સુકાઈ રહ્યું હતું – ઈક્ષુરસથી થયેલ પારણાથી આંતરશત્રુને જીતવા સહયોગી બન્યો.
આપે (નગરશેઠ) સૂર્યની કિરણોથી વિખૂટો પડેલો અને મારા દ્વારા એ કિરણોનું અનુસંધાન થતા પુનઃ પ્રકાશિત બનતો નીહાળેલો, એનો અર્થ એ છે કે, આહાર પાણીના અંતરાય દૂર થતાં શરીર સુદૃઢ થતાં જ તે વહેલી તકે કેવળજ્ઞાન રૂપી સૂર્યને પ્રાપ્ત કરી શકશે.
આ વાત સાંભળી સંતુષ્ટ થયેલાં પ્રજાજનોએ શ્રેયાંસકુમારને પ્રશ્ન કર્યો : ઓ ૠષભ કુલદીપક ! દયાળુ, માયાળુ, ત્રિલોકીનાથને પણ આટલો સમય ક્ષુધા-પિપાસા શા કારણે નડી ?
શ્રેયાંસકુમાર કહે, કરેલા કર્મ તીર્થંકરને પણ છોડતાં નથી !
એકવાર રાજાૠષભ કોઈ માર્ગેથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે શંબલ આદિ ખેડૂતોએ રાજા ૠષભ પાસે ફરીયાદ કરી કે પ્રભુ આ બળદો અમારું ધાન્ય ખાઈ જાય છે તો અમારે શું કરવું ? ત્યારે પ્રભુએ સમજાવ્યું કે, જ્યારે બળદો ખેતરમાં કામ કરતાં હોય ત્યારે મોઢે મોસરીયું (શીકલી) બાંધવાથી તમારી વિટંબણા દૂર થશે. પ્રભુ ! મોસરીયું બનાવતા કે બળદને બાંધતા અમને આવડતું નથી ! મહેરબાની કરી આપ એ કરી બતાવો. ખેડૂતોએ કહ્યું.
રાજા ઋષભે પાતળી દોરી લીધી એને આંટા પાડીને બળદને મોંઢે ભરાવી શકાય એવું મોસરીયું ગૂંથી આપ્યું.
-
ખેડૂતે એ મોસરીયું બળદને મોઢે બાંધ્યું ! ભૂખ્યા બળદોનું મોં હવે બંધાઈ ગયું હતું. હવે એતો અનાજ ખાઇ શકતા ન હતાં. તેઓ સવારના ભૂખ્યા હતાં. તેમણે ભૂખના દુઃખે ને ત્રાસે દીર્ઘ નિ:શ્વાસ
નાખ્યા.
તપાધિરાજ વર્ષીતપ
(૧૬)