Book Title: Tantronu Taran Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Jain Sahitya Prakashan Mandir View full book textPage 8
________________ તંત્ર કોને કહેવાય? આપે તથા સંસારમાંથી તારે તે તંત્ર કહેવાય.” તત્વને વિપુલ અર્થ આપ, એટલે ધર્મશાસ્ત્રના મર્મને વિશેષ પ્રકાશ કરે અને મંત્રને વિપુલ અર્થ આપે, એટલે મંત્રશાસ્ત્રની સમૃદ્ધ પૂતિ કરવી. વિશેષમાં અહીં જણાવ્યું છે કે તે સંસારમાંથી તારનાર હોય છે, એટલે આપણે તેને ધર્મશાસ્ત્રોને જ એક ભાગ સમજે જોઈએ. હિંદુ, બૌદ્ધ અને જૈન એ ત્રણે તંત્રને સામાન્ય રીતે આ વ્યાખ્યા લાગુ પડે છે, એટલે તે એક સર્વ સામાન્ય વ્યાખ્યા છે, એમ કહેવામાં અમને સંકેચ થતું નથી. અહીં કે આ વસ્તુને વધારે સ્પષ્ટ સમજવા માટે ઉદાહરણની અપેક્ષા રાખતું હોય, તે એ આપવા અમે તૈયાર છીએ. જૈન ધર્મશાસ્ત્રોએ નમસ્કારની પ્રરૂપણા કરી છે, તેમાં નમસ્કારસૂચક પાંચ પદે આપીને જણાવ્યું છે કે– एसो पंच-नमुकारो, सव्व-पावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ।। કે “પંચપરમેષ્ટિને કરાયેલે આ નમસ્કાર સર્વ પાપને નાશ કરનાર છે તથા સર્વ મંગલેમાં ઉત્કૃષ્ટ મંગલ છે.” - આ વિધાનથી આપણને એમ સમજાયું કે પંચપરમેઝિને અવશ્ય નમસ્કાર કરે જોઈએ, કારણ કે તેનાથી સર્વ પાપને નાશ થાય છે તથા ઉત્કૃષ્ટ મંગલની પ્રાપ્તિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66