Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 20
________________ તંત્રશાસ્ત્રની મહત્તા ૧૯ ત્યારે તંત્રવાદીએ તેમને ઉગારી લેતા. મહાકવિ તથા તંત્રવિશારદ શ્રી સિદ્ધસેન-દિવાકરે પોતાના ભક્ત રાજા માટે વિદ્યાબળથી હજારે અશ્વ ઉત્પન્ન કર્યા હતા અને તેને જિત અપાવી હતી. ભૂત, પ્રેત, યક્ષ, પિશાચ, રાક્ષસ, વ્યંતર વગેરેની સતામણથી માણસે ત્રાસ પિકારી જાય અને તેમને કઈ ઉપાય કામ આવે નહિ, ત્યારે તંત્રવાદીઓ તેમની વહારે ધાતા અને તેમનું રક્ષણ કરતા. કહેવાનું તાત્પર્ય એ છે કે આ રીતે અનેક અસાધારણ પ્રસંગોએ તંત્રવાદની તાકાત ઝળકતી હતી અને તેથી તેનું નામ ભારતવર્ષમાં ગૌરવવંતુ બન્યું હતું. પરંતુ વચ્ચે કેટલાક કાળ એ આવી ગયો કે આ તંત્રવાદ સ્વાર્થ પટુ વિષયલોભી મનુષ્યના હાથમાં પડી ગયે અને તેમણે તંત્રવાદનાં નામે ખૂબ ધતીંગ ચલાવ્યું. તેથી તંત્રવાદનાં નામને ઝાંખપ લાગી અને કેટલાકને તેના માટે નફરત પેદા થઈ. પરંતુ તે માટે વધારે ગેરસમજુતી તે અંગરેજોના સમયમાં ફેલાઈ. આ દેશમાં અંગ્રેજોનું રાજ્ય સ્થપાયું અને તે લાંબે વખત કેમ કે, તે માટે તેમણે અહીં ચાલતાં પ્રાચીન વિદ્યાલયે તથા ટેલે (પાઠશાળાઓ) ને નાશ ઊભું કરી તેની જગાએ પિતાનાં હિતની પિષક એવી નવી ઢબની કેળવણી દાખલ કરી. તેણે આપણામાં એક પ્રકારનું પરાધીન ગુલામી માનસ પેદા કર્યું, અને તેથી એ વખતે અંગ્રેજો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66