Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 30
________________ રા શ્રમનિવારણ ઠેકાણે આવી જશે. તેને અમારી પાસે મોકલજો.” પિતાની આજ્ઞા થતાં કમલ તેમની પાસે ગયા અને વદન કરીને સામે બેઠે. તે વખતે ગુરુએ તેનું મન જાણવા માટે કહ્યું કે “હે કમલ! તારા હાથના મણિબંધ ઉપર મસ્યનાં મુખ સહિત મોટી ધનની રેખા દેખાય છે.” આ શબ્દો સાંભળતાં જ કમલે પૂછયું કે “તેનું ફળ શું?” ગુરુએ કહ્યું: “મસ્યરેખાથી ઘણું ધન પ્રાપ્ત થાય છે. વળી તારા હસ્તની રેખા પરથી જણાય છે કે તારો જન્મ શુકલ પક્ષમાં થયેલે હે જોઈએ અને તે એ વખતે અમુક ગ્રહો અમુક સ્થાનમાં પડેલા હોવા જોઈએ.' તે સાંભળીને કમલ આશ્ચર્ય પામ્યું. તેણે ત્યાંથી ઘરે જઈ પોતાની જન્મ-પત્રિકા લાવી ગુરુ આગળ મૂકી. આ જન્મપત્રિકા જેઈ ધર્માચાર્યે કહ્યું કે “તારાં લગ્ન અમુક ઉમરે થયેલા હોવા જોઈએ અને તારી પત્ની અમુક પ્રકારની હોવી જોઈએ. આ પત્રિકા પરથી એમ પણ જણાય છે કે તને થોડાં વર્ષ પહેલાં એક મોટી બિમારી આવી ગઈ હશે.” કમલે કહ્યું: “આપે જે કહ્યું, તે અક્ષરશઃ સાચું છે.” આ બનાવ પરથી કમલે પિતાનાં મનમાં નિર્ણય કર્યો કે આ ગુરુ જ્ઞાની દેખાય છે, માટે તેમની પાસે જ આવવું.” બીજા દિવસે ગુરુએ કામ–દેવના પરિવારનું વર્ણન કર્યું અને સ્ત્રીના ચાર ભેદે વર્ણવ્યા. કમલને એ સાંભળવામાં ઘણે આનંદ આવ્યું. ત્રીજા દિવસે ગુરુએ પદ્મિનીનું વર્ણન કર્યું, ચોથા દિવસે ચિત્રિણીનું વર્ણન કર્યું, પાંચમા દિવસે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66