Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૪૨
તંત્રોનું તારણ મંત્રદીક્ષા કેને અપાય?? તે અંગે તંત્રસારમાં કહ્યું
शान्तो विनीतः शुद्धात्मा, श्रद्धावान् धारणक्षमः । समर्थश्च कुलीनश्च, प्राज्ञः सच्चरितो यतः ॥
જે શાંત હોય, વિનીત એટલે વિનય ગુણવાળે હેય, શુદ્ધાત્મા એટલે પવિત્ર અંત:કરણવાળે હય, શ્રદ્ધાવાન હોય, ધારણ શક્તિવાળો હોય, સમર્થ હોય, કુલીન હોય, બુદ્ધિમાન હોય અને સચ્ચારિત્રવાળે હોય તેને મંત્રદીક્ષા આપવી.”
એજ ગ્રંથમાં નીચેના પુરુષોને મંત્રદીક્ષા માટે અયોગ્ય ગણાવ્યા છે?
पापिने क्रूरचेष्टाय, शठाय कृपणाय च । दीनायाचारशून्याय, मन्त्रद्वेषपराय च ॥
જે પાપી હોય, ક્રૂર હલનચલન કરનારે હોય, શઠ હોય, કૃપણ હોય, કંગાળ હોય, આચારશૂન્ય હોય અને મંત્રને દ્વેષ કરનાર હાય (તે તેને મંત્રદીક્ષા આપવી નહિ અર્થાત મંત્ર કે વિદ્યાનું દાન દેવું નહિ. આટલું અહીં પૂર્વ સંબંધથી સમજવાનું છે.)
જેમ શિષ્યમાં મંત્રગ્રહણની યોગ્યતા જોઈએ, તેમ ગુરુમાં મંત્ર આપવાની યોગ્યતા જોઈએ. તે અંગે શારદાતિલકમાં કહ્યું છે કે
मातृतः पितृतः शुद्धः, शुद्धभावो जितेन्द्रियः । सर्वागमानां सारज्ञः, सर्वशास्त्रतत्त्ववित् ॥ परोपकारनिरतो, जपपूजादि तत्परः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66