Page #1
--------------------------------------------------------------------------
________________
មានថា
\r
S
Outdov pur
poo
SUB
ន
તાનું તારણ
ત્રીજી શ્રેણી
TE
For Personal & Private Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
જન શિક્ષાવલી : શ્રેણું ત્રીજી : પુષ્પ દશમું
તે
તંત્રોનું તારણ
સંપાદક : સાહિત્યવારિધિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ
પ્રકાશક : જેન સાહિત્ય-પ્રકાશન–મંદિર
મુંબઈ – ૯.
મૂલ્ય: પચાસ નયા પૈસા
For Personal & Private Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક: . નરેંદ્રકુમાર ડી. શાહ, વ્યવસ્થાપક જૈન સાહિત્યપ્રકાશન–મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીંગ ચીંચબંદર, મુંબઈ
પ્રથમ આવૃત્તિ " સં. ૨૦૧૭ : સને ૧૯૬૧ - સર્વ હક્ક પ્રકાશકને સ્વાધોન
મુદ્રક: મણિલાલ છગનલાલ શાહ ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટારડ, અમદાવાદ
For Personal & Private Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનું નિવેદન સં. ૨૦૧૪ ના શ્રાવણ વદિ આઠમને રોજ જૈન શિક્ષાવલીની યોજના સક્રિય બની હતી. તે વખતે તેની ત્રણ શ્રેણુઓ પ્રકટ કરવાની ભાવના હતી, જે આ શ્રેણીનાં પ્રકાશન સાથે પૂર્ણ થાય છે અને અમારા હૃદયમાં અકર્થ આનંદની લહરિઓ પ્રકટાવતી જાય છે.
આ પુસ્તકો માટે અમને આજસુધીમાં વણમાગ્યા અનેક અભિ પ્રાયો પ્રાપ્ત થયા છે અને તેમાં આ પુસ્તકોની ઉપયોગિતા તથા રસમય શૈલી વિષે સંતોષ કે આનંદ પ્રકટ કરવામાં આવ્યો છે, એટલે અમારા આ પ્રયાસ સફલતાને પ્રાપ્ત થયો છે, એમ માનીએ તો અયોગ્ય નથી.
આ ત્રણ શ્રેણીમાં કુલ ૧૭૦૦ ઉપરાંત પૃષ્ઠોનું વાંચન અપાયું છે અને તેમાં અનેક ઉપયોગી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યા છે, એટલે જેને જૈન ધર્મના વાસ્તવિક મર્મથી પરિચિત થવું છે, તેને માટે તે અત્યંત ઉપયોગી છે, એમ કહેવામાં અમે જરાય સંકોચ અનુભવતા નથી.
દર વર્ષે એક એક શ્રેણીનું પ્રકાશન થઈ શકર્યું, તેમાં પૂજ્ય આચાર્યો, મુનિવરે, ધમરસિક તથા સાહિત્યપ્રિય ગૃહસ્થ, સંબંધીઓ અને મિત્રો એ બધાનો સહકાર કારણભૂત છે, તેથી આ તકે એ બધાને હાર્દિક આભાર માનીએ છીએ અને હવે પછીની અમારી સાહિત્યપ્રકાશનની યોજનાને એ જ રીતે સહકાર આપતા રહેવાની વિનંતિ કરીએ છીએ.
વિશેષ આભારદર્શન આ શ્રેણીનાં છેલ્લાં પુસ્તકમાં આપેલું છે, તે જોઈ જવા વિનંતિ છે.
પ્રકાશક,
For Personal & Private Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ
૧ પ્રાસ્તાવિક ૨ તંત્ર કેને કહેવાય? ૩ તંત્રશાસ્ત્રની મહત્તા
અનેક દૃષ્ટાંતે ૪ ભ્રમનિવારણ
શ્રેષ્ઠિપુત્ર કમલની કથા શ્રી ચૈતન્યદેવે બંગાળમાં કરેલે હરિનામપ્રચાર બૌદ્ધ ધર્મમાં મંત્ર-તંત્ર
અન્ય ધર્મોમાં પણ મંત્ર-તંત્રને સ્થાન છે. ૫ તંત્રમાં તત્વજ્ઞાન ૬ તંત્રશાસ્ત્ર અને મંત્રવિજ્ઞાન ૭ પંચમકારની સાધનાને નિષેધ ૮ જૈન તંત્રના દેવદેવીઓ ૯ જેને તંત્રગ્રંથની યાદી
For Personal & Private Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
છે છે હૂ અર્ણ નમઃ | તંત્રોનું તારણ
૧–પ્રાસ્તાવિક
દીર્ઘ સ્વાધ્યાય અને લાંબા સમયના અનુભવ પરથી એમ જણાયું છે કે તંત્રને વિષય અતિ ઉપયોગી છે, પરંતુ વર્તમાન સમયમાં તેના વિષે ઘણું ગેરસમજૂતી ફેલાચેલી છે અને તેથી તેના પ્રત્યે ભારે ઉપેક્ષા સેવાઈ રહી છે. આ સ્થિતિનું કંઈક નિવારણ થાય એ હેતુથી અમે પ્રસ્તુત નિબંધનું આલેખન કર્યું છે.
અહીં એ જણાવવું જરૂરનું છે કે શિક્ષાવલીના પાઠકેને મંત્ર-યંત્ર-તંત્રને વાસ્તવિક પરિચય આપવાને અમારે મને રથ હતું, તેથી પ્રથમ શ્રેણમાં અમે મંત્રસાધન નામને નિબંધ લખી મંત્રને પરિચય કરાવ્યું, બીજી શ્રણમાં કેટલાક યંત્રો” નામને નિબંધ લખી યંત્રને પરિચય કરાવ્યું અને તેના અનુસંધાનમાં ત્રીજી શ્રેણીમાં
તંત્રોનું તારણ”નામને આ નિબંધ લખાય છે એટલે વિષયને સારી રીતે સમજવા ઈચ્છનારે પૂર્વના બંને નિબંધનું પુનઃ અવલોકન કરી લેવું જરૂરનું છે.
જે કઈ પાઠક તરફથી એ પ્રશ્ન પૂછવામાં આવતું હોય કે આ નિબંધનું નામ “તંત્રોનું તારણ એવું શા
For Personal & Private Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
તંત્રોનું તારણ માટે રાખ્યું ?તે ખુલાસે એ છે કે તેમાં તંત્રોની સારભૂત હકીકતે તારવીને આપવામાં આવી છે. શેરડી કરતાં સાકર અને દૂધ કરતાં મલાઈ વધારે મીઠી લાગે છે, તેમ તંત્ર કરતાં તંત્રોનું તારણ કેઈને વધારે મીઠું લાગે, તે એથી અમને આશ્ચર્ય થશે નહિ. ૨-તંત્ર કેને કહેવાય?
વસ્તુના મુખ્ય કે આગળ પડતા ભાગને તંત્ર કહેવામાં આવે છે. જેનાથી કપડું વણાય તે શાળને પણ તંત્ર કહેવામાં આવે છે. વાત, ચર્ચા કે વિચારણાના મુખ્ય મુદ્દાને પણ તંત્ર કહેવામાં આવે છે અને પ્રક્રિયા કે પદ્ધતિને પણ તંત્ર કહેવામાં આવે છે. વળી સિદ્ધાંત, નિયમ, શાસ્ત્ર તથા કઈ પણ વૈજ્ઞાનિક કૃતિને પણ તંત્ર કહેવામાં આવે છે. આમ તંત્રના અનેક અર્થો થતા હેવાથી “અહી તંત્રને કર્યો અર્થ અભિપ્રેત છે?” એ પ્રશ્ન પાઠકનાં મનમાં ઉઠવાને સંભવ છે. તેને ખુલાસો એ છે કે અહીં તંત્ર શબ્દને “વૈજ્ઞાનિક કૃતિ” એ અર્થ અભિપ્રેત છે, કારણ કે તેની રચના ધર્મશાસ્ત્રના મર્મને વિશેષ પ્રકાશ કરવા અથવા મંત્રશાસ્ત્રની પૂર્તિરૂપે થાય છે. પાઠકે જે આનું પ્રમાણ ઈચ્છતા હોય તે શાક્તગ્રંથ કામિક તંત્રને નિમ્ન શ્લેક અમે અહીં રજૂ કરીએ છીએ –
तनोति विपुलानर्थान्, तत्त्वमन्त्रसमन्विताम् । त्राणं च कुरुते यस्मात् , तन्त्रमित्यमिधीयते ॥ “જે તત્ત્વ અને મંત્રથી સમન્વિત વપુલ અને
For Personal & Private Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
તંત્ર કોને કહેવાય? આપે તથા સંસારમાંથી તારે તે તંત્ર કહેવાય.”
તત્વને વિપુલ અર્થ આપ, એટલે ધર્મશાસ્ત્રના મર્મને વિશેષ પ્રકાશ કરે અને મંત્રને વિપુલ અર્થ આપે, એટલે મંત્રશાસ્ત્રની સમૃદ્ધ પૂતિ કરવી. વિશેષમાં અહીં જણાવ્યું છે કે તે સંસારમાંથી તારનાર હોય છે, એટલે આપણે તેને ધર્મશાસ્ત્રોને જ એક ભાગ સમજે જોઈએ.
હિંદુ, બૌદ્ધ અને જૈન એ ત્રણે તંત્રને સામાન્ય રીતે આ વ્યાખ્યા લાગુ પડે છે, એટલે તે એક સર્વ સામાન્ય વ્યાખ્યા છે, એમ કહેવામાં અમને સંકેચ થતું નથી.
અહીં કે આ વસ્તુને વધારે સ્પષ્ટ સમજવા માટે ઉદાહરણની અપેક્ષા રાખતું હોય, તે એ આપવા અમે તૈયાર છીએ.
જૈન ધર્મશાસ્ત્રોએ નમસ્કારની પ્રરૂપણા કરી છે, તેમાં નમસ્કારસૂચક પાંચ પદે આપીને જણાવ્યું છે કે–
एसो पंच-नमुकारो, सव्व-पावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ।। કે “પંચપરમેષ્ટિને કરાયેલે આ નમસ્કાર સર્વ પાપને નાશ કરનાર છે તથા સર્વ મંગલેમાં ઉત્કૃષ્ટ મંગલ છે.” - આ વિધાનથી આપણને એમ સમજાયું કે પંચપરમેઝિને અવશ્ય નમસ્કાર કરે જોઈએ, કારણ કે તેનાથી સર્વ પાપને નાશ થાય છે તથા ઉત્કૃષ્ટ મંગલની પ્રાપ્તિ
For Personal & Private Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
તંત્રનું તારણ
થાય છે. પરંતુ ઉત્તમ નમસ્કાર કર્યો? મધ્યમ નમસ્કાર કર્યો ? કનિષ્ઠ નમસ્કાર કયો? તેમાંથી કયે નમસ્કાર કરે ઘટે? કેવી રીતે કરવું ઘટે? કયા સમયે કર ઘટે? કેટલી વાર કરવો ઘટે? તે વખતે ચર્યા કેવી રાખવી જોઈએ? વગેરે સંખ્યાબંધ પ્રશ્નો આપણું મનમાં ઉઠે છે. આ પ્રશ્નોનું
ગ્ય સમાધાન થાય તે આપણે નમસ્કાર યથાર્થ રીતે કરી શકીએ અને શાસ્ત્રકારોએ તેનું જે ફળ બતાવ્યું છે, તે બરાબર પામી શકીએ. આ વસ્તુ આપણને સૂત્ર પર રચાયેલ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા પરથી જાણવા મળે છે, પણ તેમાં જે ગૂઢ વિચાર કે મંત્રનું તત્ત્વ છે, તેને રહસ્યશ્કેટ તેમાંથી પ્રાપ્ત થતી નથી. એ તે તે અંગે રચાયેલ ખાસ તંત્રગ્રંથથી જ પ્રાપ્ત થાય છે કે જેને જૈન સાહિત્યમાં સામાન્ય રીતે કલ્પ કહેવામાં આવે છે. એટલે તંત્ર એ ધર્મશાસ્ત્રના મર્મને વિશેષ પ્રકાશ કરનારું તથા મંત્રશાસ્ત્રની પૂર્તિ કરનારું એક ઉત્તરશાસ્ત્ર છે, એમ કહેવામાં આપણે સત્યની કઈ પરિસીમા ઓળંગતા નથી.
અહીં કોઈ એમ કહેતું હોય કે “તંત્રશાસ્ત્રમાં તે બીજા અનેક વિષયે આવે છે, જેમકે વનસ્પતિના પ્રાગે, રસરસાયણના પ્રયે, ચમત્કારિક વસ્તુઓનું સાજન વગેરે, તેનું કેમ?” તે એ બધા વિષયે મંત્રસિદ્ધિ અને પ્રકટેલા છે અને તેથી મંત્રશાસ્ત્રને જ એક ભાગ છે, એમ સમજવું જોઈએ. ધર્મની ચર્ચા કરતાં આત્માને વિષય આવે છે અને આત્માને વિષય ચર્ચતાં કર્મને વિષય
For Personal & Private Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
તંત્ર કોને કહેવાય?
આવે છે. આ કર્મ વિષે જે સાહિત્ય રચાયું હોય, તેને આપણે ધાર્મિક સાહિત્ય કહીશું કે બીજું? તેવું જ આમાં પણ સમજવાનું છે. - શાકતોએ પિતાના તંત્રગ્રથને અનુલક્ષીને તેની એક વિશિષ્ટ વ્યાખ્યા વારાહીતંત્રમાં કરી છે, તે પણ અહીં પ્રસંગવશાત્ જણાવી દઈએ:
सृष्टिश्च प्रलयश्चैव, देवतानां तथार्चनम् । साधनं चैव सर्वेषां, पुरश्चरणमेव च ॥ षट्कर्मसाधनं चैव, ध्यानयोगश्चतुर्विधः । सप्तभिलक्षणैर्युक्तमागमं तद्विदुर्बुधाः ॥
“(૧) આ સૃષ્ટિ એ શું વસ્તુ છે? (૨) તેને પ્રલય કેવી રીતે થાય છે? (૩) દેવતાઓનું અર્ચન-પૂજન કઈ રીતિએ કરવું? (૪) તેમનું સાધન-આરાધન કઈ રીતિએ કરવું? (૫) તેનું પુરશ્ચરણ વગેરે કયા પ્રકારે કરવું ? (૬) ષટ્કર્મસાધન એટલે શાંતિ, વશીકરણ, સ્થંભન, વિદ્વષણું, ઉચ્ચાટણ અને મારણ એ છ ક્રિયાઓમાં નિષ્ણાત શી રીતે થવું ?* અને (૭) ચાર પ્રકારને ધ્યાનયોગ કેવી રીતે કરો?' આ સાત વિષયનું જેમાં વર્ણન હોય તેને વિદ્વાને
આગમ' કહે છે.” ( * ઉ દ્રોનું શમન કરવું તે શાંતિકર્મ, કોઈને વશ કરવા તે વશીકરણકર્મ, કેઈને આગળ વધતાં કે ક્રિયા કરતાં અટકાવી દેવા તે સ્થંભન કર્મ, કેની મિત્રતા તોડવી તે વિઝણકમ, કોઈને સ્થાનકષ્ટ કરે તે ઉચ્ચાટન” અને કોઈને પ્રાણ હરવો તે મારણકર્મ.
For Personal & Private Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
તંત્રોનું તારણ અહીં એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે જેનો આપ્તવચન એટલે શ્રી જિનેશ્વર દેવનાં મુખમાંથી જે વાણી નીકળી તેના સંગ્રહને આગમ કહે છે અને શાકતો જે વાણી શિવનાં મુખમાંથી નીકળી તેને આગમ કહે છે. જેમકે– __ आगतं शिववक्त्रेभ्यो, गतं च गिरिजाहृदि ।।
मतं च वासुदेवेन, आगमस्तेन उच्यते ॥
જે શિવજીનાં મુખમાંથી બહાર આવ્યું હોય, જે પાર્વતીનાં હદયમાં પ્રવેશેલું હોય અને જેને વાસુદેવે માન્ય રાખેલું હોય, તે આગમ કહેવાય છે.” તાત્પર્ય કે શંકરે પાર્વતી સાથેના સંવાદરૂપે જે ગ્રંથને ઉપદેશ કર્યો અને જેને ઘણાએ માન્ય કર્યો, તે આ જગતમાં “આગમ” શબ્દથી ઓળખાયા.
જૈનાગમોના અંગ, ઉપાંગ, પ્રકીર્ણક, છેદસૂત્ર વગેરે વિભાગે છે, તેમ આ આગમેના પણ યામલ, ડામર, સંહિતા વગેરે વિભાગે છે. પરંતુ બંનેને પ્રતિપાદ્ય વિષય જૂદ છે અને તે આપણે ખાસ લક્ષમાં રાખવાનું છે.
જૈન તંત્રે કે કલ્પગ્ર જૈનાગમમાં તત્વની જે પ્રરૂપણા કરી છે, તેને માન્ય રાખીને મંત્રાદિ વિયનું વર્ણન કરનારા છે, જ્યારે શાક્તતંત્રે વૈદિક વિધિ સામેના બળવારૂપ છે અને તે પોતાની રીતે જ તત્ત્વનું અર્થાત્ શક્તિનું વર્ણન કરનારા છે. તે અંગે શાક્તગ્રંથ મહાનિર્વાણતંત્રના નીચેના શબ્દો સાંભળેઃ
कलिकल्मषादीनानां द्विजादिनां सुरेश्वरि । मेध्यामेध्याविचाराणां न शुद्धिः श्रौतकर्मणा ॥
For Personal & Private Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
તંત્ર કોને કહેવાય?
न संहिताद्यः स्मृतिभिरिष्टसिद्धिर्नृणान् भवेत् । सत्यं सत्यं पुनः सत्य, सत्यं सत्यं मयोच्चते ॥
કલિના દોષયુક્ત પ્રભાવથી દીન બનેલા અને તેથી પવિત્રતા-અપવિત્રતાને વિચાર કરવામાં અસમર્થ એવા બ્રાહ્મણ વગેરેની શુદ્ધિ વેદવિહિત કર્મો દ્વારા સંભવતી નથી.
સ્મૃતિ-સંહિતા આદિ દ્વારા પણ કલિયુગના મનુષ્યને ઈષ્ટસિદ્ધિ થઈ શકશે નહિ, એ હું સત્ય, સત્ય, પૂર્ણ સત્ય કહું છું.”
विना मागममार्गेण कलौ नास्ति गतिः प्रिये । श्रुतिस्मृतिपुराणादौ मयैवोक्तं पुरा शिवे ॥ कलावागममुलंध्य योऽन्यमार्गे प्रवर्तते । न तस्य गतिरस्तीति सत्यं सत्यं न संशयः ॥
કલિયુગમાં આગમમાર્ગને યર્થાત્ તંત્રશાને ગ્રહણ કર્યા વિના છૂટકે જ નથી. ભગવતિ! મેં વેદ, સ્મૃતિ, પુરાણ આદિમાં આ પ્રમાણે કહેલું છે.”
કલિયુગમાં જે મનુષ્ય આગમનું ઉલ્લંઘન કરીને અન્ય માર્ગે પ્રવર્તશે, તેમની સગતિ–ઉન્નતિ થશે નહિ, એ સત્ય છે, સત્ય છે, તેમાં સંશય નથી.” ___ कलौ तन्त्रोदिता मन्त्राः सिद्धास्तूर्णफलप्रदाः ।
શસ્ત સર્વે કર્મકપચારિક gિ | निर्वीय्याः श्रौतजाताया विषहीनोरगा इव । सत्यादौ सफलो आसन् कलौ ते मृतका इव ॥ કલિયુગમાં તે તંત્રમાં કહેલા મથે જ સિદ્ધ છે
For Personal & Private Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨
તંત્રોનું તારણ અને શીઘ્રફલ આપનારા છે. વળી જપ અને યજ્ઞક્રિયામાં તથા સર્વ કર્મોમાં પણ તે જ પ્રશંસનીય છે.
- કલિયુગમાં સર્વ વૈદિક મંત્રો વિષહીન સર્મ જેવા નિવર્ય છે. સત્ય, દ્વાપર અને ત્રેતામાં જે મંત્રે સુંદર ફલ આપતા હતા, તે આજે મડદાં જેવા થઈ ગયા છે.”
पांचालिका यथा भित्तौ सव्वेंन्द्रियसमन्विताः । मूढा अशक्ताः कार्थेषु तथान्यमन्त्रराशयः ।। अन्यमन्त्रैः कृतं कर्म वन्ध्यास्त्रीसंगमो यथा । न तत्र फलसिद्धिः स्यात् श्रम एव हि केवलम् ॥
જેમ ભીંત ઉપર ચીતરેલી પુતળીઓ સર્વ ઈન્દ્રિ હોવા છતાં કાર્ય કરવા માટે મૂઢ અને અશક્ત છે, તેમ તંત્રશાસકથિત મંત્ર સિવાય બીજા મંત્ર કાર્ય કરવા માટે અશકત છે. - વધ્યા સ્ત્રીને સમાગમ કરવાથી જેમ સંતાનની પ્રાપ્તિ થતી નથી, તેમ અન્ય મંત્ર વડે કાર્ય કરવાથી કંઈ ફલની પ્રાપ્તિ થતી નથી. તેમાં તે માત્ર શ્રમ જ થાય છે.”
कि वेदैः किं पुराणैश्च, किं शास्त्रैबहुतिः शिवे । विज्ञातेऽस्मिनू महातन्त्र, सर्वसिद्धीश्वरो भवेत् ॥
હે કલ્યાણમયી! વેદેથી શું? પુરાણેથી શું? અને અનેક પ્રકારનાં શાસ્ત્રોથી પણ શું? આ એક મહાતંત્ર જાણવાથી જ મનુષ્ય સર્વ સિદ્ધિઓને સ્વામી થઈ શકે છે.”
જૈન તંત્રમાં સુષ્ટિ કે પ્રલયનું વર્ણન આવતું નથી, પરંતુ તેમાં દેવતાઓનાં અર્ચન-પૂજન વિધિ
For Personal & Private Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૩.
તંત્રશાસ્ત્રની મહત્તા આવે છે, તેમનું સાધન કઈ રીતિએ કરવું એ પણ આવે છે, તેના પુરશ્ચરણને વિધિ પણ આવે છે, તેમ જ ષષ્કર્મસાધન અને ધ્યાનયેગનું વર્ણન પણ આવે છે.
બૌદ્ધ તંત્રમાં પણ લગભગ આવી જ પરિસ્થિતિ છે, એટલે શહીતંત્રે આગમ અર્થાત્ તંત્રશાસ્ત્રમાં જે સાત લક્ષણે બતાવ્યાં છે, તેમાંના પહેલાં બે લક્ષણોને બાદ કરીએ તે બાકીનાં પાંચ લક્ષણે સર્વ તંત્રને સામાન્ય રૂપમાં લાગુ પડે છે.
આ પરથી “તંત્ર કેને કહેવાય?” તેને પાઠકને સ્પષ્ટ ખ્યાલ આવી શકશે. ૩–તંત્રશાસ્ત્રની મહત્તા
ભારતનાં શિષ્ટ સાહિત્યમાં સ્થાન પામેલે નિમ્ન શ્લેક તંત્રશાસ્ત્રની મહત્તા પ્રકટ કરનારે છે :
अन्यान्यशास्त्रेषु विनोदमात्रम् । न तेषु किञ्चिद् भुवि दृष्टमस्ति । चिकित्सित-ज्योतिष-मन्त्रवादाः पदे पदे प्रत्ययमावहन्ति ॥
બીજાં બધાં શાસ્ત્રોમાં તે એક પ્રકારને બુદ્ધિને વિદ માત્ર છે, કારણ કે તેમાંનું કઈ પણ પ્રત્યક્ષ દેખાતું નથી. પણ વૈદક, તિષ અને તંત્ર એ ત્રણ શાસ્ત્રો એવા છે કે જે આપણને પગલે પગલે સત્ય હોવાને અનુભવ. કરાવે છે.”
For Personal & Private Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪
. તંત્રોનું તારણ - આ શબ્દ ક્યારે લખાયા હશે ? તંત્રવાદે પિતાનું પ્રભુત્વ પૂરેપૂરું બતાવ્યું હશે ત્યારે જ ને? ઈતિહાસ એમ કહે છે કે એક વખત સારાયે ભારતવર્ષમાં તંત્રશાસની બેલબાલા હતી, કારણ કે અનેક પ્રકારનાં અદ્ભુત-અચિંત્ય કાર્યો તેના દ્વારા નિષ્પન્ન થતાં હતાં.
મહામારી જે ભયંકર રોગ ફેલાય હાય, માણસે ટપોટપ મરતા હોય અને વૈદ્યહકીમની કેઈ કારી ફાવતી ન હોય, ત્યારે આ તંત્રવાદીઓ આગળ આવતા અને તંત્રપ્રો દ્વારા તેની શીધ્ર શાંતિ કરી બતાવતા. તે માટે શ્રીભદ્રબાહસ્વામી, શ્રી માનદેવસૂરિ વગેરેનાં ચરિત્ર પ્રસિદ્ધ છે.
અનેક પ્રકારના વિષમ રેગે કે જે અન્ય કોઈ ઉપાયે સાધ્ય થતા ન હોય તેને પણ તેઓ તંત્રપ્રયોગો દ્વારા સિદ્ધ કરી બતાવતા. એક વખત પાટલિપુત્રના રાજા મુરુંડનાં મસ્તકમાં વેદના ઉત્પન્ન થઈ. તે કઈ વૈદ્ય-હકીમ મટાડી શક્યો નહિ. એ વખતે મંત્ર-તંત્ર-વિશારદ અનેક શાસ્ત્રોના જ્ઞાતા શ્રીપાદલિપ્તસૂરિ નગરમાં બિરાજતા હતા. તેમની ખ્યાતિ સાંભળી રાજાએ પોતાના પ્રધાન પુરુષને તેમની આગળ મોકલ્યા. તેમણે કહ્યું: “હે ભગવન! રાજાધિરાજની મસ્તકની વેદના દૂર કરે અને તેમ કરીને કીતિ અને ધર્મને સંચય કરે.”
શ્રીપાદલિપ્તસૂરિએ તેમની આ વિનંતિને સ્વીકાર કર્યો અને તેઓ રાજકુલમાં ગયા. ત્યાં રાજાને સામે બેસાડી
For Personal & Private Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
તંત્રશાસ્ત્રની મહત્તા
પિતાની સામે જોઈ રહેવા કહ્યું અને પિતાનાં ઢીંચણ પર તર્જની આંગળી ત્રણ વાર ફેરવી કે રાજાનાં મસ્તકની વેદના શાંત પડી ગઈ. આથી મુસંડરાય અત્યંત પ્રભાવિત થયે અને તેમનાં ચરણે પડી આભાર માનવા લાગ્યું. આ પ્રસંગની નોંધ સાહિત્યમાં સચવાઈ રહી છેઃ
जह जह पएसिणि, जाणुयमि पालित्तउ भमाडेइ । तह तह सुसिरवेयणा, पणस्सइ मुरुंडरायस्स ॥
જેમ જેમ પાદલિપ્ત ઢીંચણ પર ટચલી આંગળી ફેરવતા જાય છે, તેમ તેમ મુરુડરાયની શિવેદના દૂર થતી જાય છે.”
રાજા અન્યાયના માર્ગે ચાલતા હોય, તેમની જેહુકમીને પાર ન હોય, અને સાધુ-સતીઓની સતામણી થતી હેય ત્યારે આ તંત્રવાદીઓ પોતાનું પાણી બતાવતા અને તેમની સાન ઠેકાણે લાવી દેતા.
પાટલીપુત્રમાં દાહક નામે રાજા હતા, જે જુદાં જુદાં દર્શનના વ્યવહારને લેપ કરીને પ્રમેદ પામતે હતે. તેણે નગરમાં વસતા જૈન સંઘને હુકમ કર્યો કે “તમારે હમેશાં બ્રાહ્મને નમસ્કાર કર, નહિ તો તમારે વધ કરવામાં આવશે.”
આ આજ્ઞાથી જૈન મુનિએ વિચાર કરવા લાગ્યા કે દેહનો ત્યાગ થાય, તેથી આપણને કંઈ દુઃખ થતું નથી, પણ શાસનની હીલનાથી આપણું હૃદય અત્યંત દુભાય છે.” તે વખતે ત્યાં રહેલા આચાર્યે કહ્યું કે “હાલમાં આર્ય ખપુટાચાર્યના શિષ્ય ઉપાધ્યાય મહેન્દ્ર મુનિ સિદ્ધપ્રાભૂત
For Personal & Private Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
તંત્રોનું તારણ વિદ્યાથી અલંકૃત છે, માટે શ્રીસંઘ ભૃગુક્ષેત્રમાં અર્થાત્ ભરૂચમાં બે ગીતાર્થ મુનિઓને મેકલી તેમને અહીં લઈ આવે. જે તેઓ અહીં આવશે, તે આ વસ્તુને પ્રતિકાર થઈ શકશે.
શ્રીસંઘે તે પ્રમાણે કર્યું, એટલે આર્ય ખપૂટાચાર્ય ઉપાધ્યાય મહેન્દ્રમુનિને પાટલીપુત્ર જવાની આજ્ઞા કરી અને જતી વખતે કણેરની બે સેટીએ મંત્રી આપી. વધારે સ્પષ્ટ કહીએ તે તેના ઉપર એક જાતને તંત્રપ્રયાગ કર્યો.
અનુક્રમે ઉપાધ્યાય મહેન્દ્રમુનિ પાટલિપુત્ર આવ્યા અને સંઘને મળ્યા. પછી દાહડ રાજાની સમક્ષ જઈને તેને જણાવ્યું કે “તમારી આજ્ઞા અને પ્રમાણ છે, પરંતુ
તિષીઓએ એવું મુહૂર્ત જેવું જોઈએ કે જે ભવિષ્યમાં સુખકારી નીવડે.
તેમનાં આવાં વચન સાંભળી રાજા દાહડ મનમાં અભિમાન લાવીને વિચાર કરવા લાગ્યા કે “અહો ! આવા અપૂર્વકાળમાં પણ મારી સત્તા કેવી ચાલે છે?” પછી તેણે
તિષીઓ પાસે મુહૂર્ત કઢાવ્યું. એ દિવસે ત્યાં બિરાજતા બધા સાધુઓ અને શ્રી સંઘસમેત ઉપાધ્યાય શ્રી મહેન્દ્રમનિ રાજસભામાં આવ્યા. તે વખતે સુશોભિત સિંહાસન પર યાજ્ઞિકે, દીક્ષિત, વેદપાધ્યાયે, હમ કરનારાએ, સંધ્યા અને પ્રભાતનું વ્રત કરનારાઓ, સ્માર્ટ, ગોર વગેરે અનેક પ્રકારના બ્રાહ્મણે બેઠેલા જોવામાં આવ્યા. એટલે ઉ. મહેન્દ્રમુનિએ કહ્યું કે “રાજન ! આ કાળા અમને અપૂર્વ લાગે છે. અમે પ્રથમ પૂર્વ ભણે બેઠેલાઓને નમસ્કાર કરીએ કે પશ્ચિમ ભર્યું બેઠેલાઓને ?? અને
For Personal & Private Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૭
તંત્રશાસ્ત્રની મહત્તા તેમણે પ્રથમ પ્રકારની કણેરની સોટી બ્રાહ્મણે સામે ધરી કે તેઓ નિચેષ્ટ થઈને જમીન પર પડી ગયા.
આ દશ્ય જોતાં જ રાજાનું મુખ ઉતરી ગયું અને તે ઉપાધ્યાયજીનાં ચરણે પડીને કહેવા લાગ્યું કે “હે મહાવિદ્યાશાળી ! અમારું રક્ષણ કરે અને કૃપા કરીને અમારે આ અપરાધ ક્ષમા કરે, કારણ કે સંત પુરુષે વિનતિવત્સલ હોય છે. તમે આ બ્રાહ્મણને જીવિતદાન આપે.”
ઉપાધ્યાયજીએ કહ્યું: “પિતાની શક્તિને નહિ જાણનાર હે રાજન ! તને આ મિથ્યા કદાગ્રહ કે લાગે ! જો કે આનંદ અને જ્ઞાનસ્વરૂપ શ્રી જિનેશ્વર દે મોક્ષપદને પામ્યા છે, તે પણ તેમના અધિષ્ઠાયક દેવે સદા જાગૃત હોય છે. એક પંચમહાવ્રતધારી સાધુ ગૃહસ્થાશ્રમમાં રહેલા એવા સામાન્ય બ્રાહ્મણોને કેવી રીતે પ્રણામ કરે? તેથી કપાયમાન થયેલા દેવોએ આ શિક્ષા કરેલી છે, તેમાં મેં કંઈપણ કરેલું નથી, કારણ કે મારા જેવાનું ભૂષણ તે ક્ષમા જ છે.”
ત્યારે રાજાએ પુનઃ વધારે આગ્રહ કરીને કહ્યું કે હે ભગવન્! તમે જ મારા દેવ, ગુરુ, માતા, પિતા શરણ રૂપ છે. વિશેષ કહેવાથી શું? હે જીના જીવનરૂપ! અમને જીવાડવાની કૃપા કરે.”
એટલે ઉપાધ્યાયજીએ કહ્યું: “હે ભૂપાલ! કુપિત થયેલા દેવને હું શાંત કરીશ.” પછી તેઓ દેવ-દેવીઓને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે “હે વિદ્યાદેવીએ ! હે યક્ષો અને યક્ષિણીઓ! તમને કહું છું કે આ રાજાનાં
For Personal & Private Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
તંત્રોનું તારણ અજ્ઞાનથી બ્રાહ્મણોએ જિનશાસનને જે અપરાધ કર્યો છે, તેને તમે ક્ષમા આપે.”
ઉપાધ્યાયજીએ જ્યારે આ પ્રમાણે કહ્યું, ત્યારે દિવ્ય વાણી પ્રકટ થઈ કે “આ બ્રાહ્મણે દીક્ષા ગ્રહણ કરે તો જ મુક્ત થઈ શકે, અન્યથા નહિ.” પછી પાણી છાંટતાં એ બ્રાહ્મણની વાચા ઉઘડી અને તેમને દીક્ષાની વાત પૂછતાં તેમણે એને સ્વીકાર કર્યો. આ જગતમાં પિતાનું જીવિત કેણ ઈચ્છતું નથી?
પછી ઉપાધ્યાયજીએ કણેરની બીજી સોટી ફેરવતાં કહ્યું કે “ઉઠે” અને બધા બ્રાહ્મણે ઉઠીને બેઠા થયા.
પછી રોમાંચિત થયેલ શ્રીસંઘ સાથે રાજાએ કરેલ મહોત્સવ પૂર્વક ઉપાધ્યાયજી ઉપાશ્રયે આવ્યા.
હવે તે બ્રાહ્મણ દીક્ષા લેવાને તત્પર થયા, ત્યારે ઉપાધ્યાયજીએ કહ્યું કે “એ બધું આર્ય ખપૂટાચાર્ય કરશે.” તે સાંભળી શ્રીસંઘે કહ્યું કે “તમે પોતે આવા પ્રભાવશાળી છે, ત્યારે તમારા ગુરુ કેવા હશે?” ઉપાધ્યાયજીએ કહ્યું કે “તેમની આગળ હું કેણ માત્ર ?”
પછી શ્રીસંઘે અનુમતિ આપતાં ઉપાધ્યાયજી તે બ્રાહ્મણોને લઈને ભરૂચ તેમના ગુરુ આર્ય ખપૂટાચાર્ય આગળ આવ્યા અને આર્ય ખપૂટાચાર્યે તે બધાને દીક્ષા આપી. આ રીતે તંત્રવિશારદ ગુરુશિષ્યની જુગલ જોડીએ શાસનની મહા પ્રભાવના કરી.
યુદ્ધને પ્રસંગ ઊભું થાય, જિતવાની કોઈ આશા ન હાય, હારનું પરિણામ સર્વનાશમાં આવે તેમ હોય
For Personal & Private Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
તંત્રશાસ્ત્રની મહત્તા
૧૯
ત્યારે તંત્રવાદીએ તેમને ઉગારી લેતા. મહાકવિ તથા તંત્રવિશારદ શ્રી સિદ્ધસેન-દિવાકરે પોતાના ભક્ત રાજા માટે વિદ્યાબળથી હજારે અશ્વ ઉત્પન્ન કર્યા હતા અને તેને જિત અપાવી હતી.
ભૂત, પ્રેત, યક્ષ, પિશાચ, રાક્ષસ, વ્યંતર વગેરેની સતામણથી માણસે ત્રાસ પિકારી જાય અને તેમને કઈ ઉપાય કામ આવે નહિ, ત્યારે તંત્રવાદીઓ તેમની વહારે ધાતા અને તેમનું રક્ષણ કરતા.
કહેવાનું તાત્પર્ય એ છે કે આ રીતે અનેક અસાધારણ પ્રસંગોએ તંત્રવાદની તાકાત ઝળકતી હતી અને તેથી તેનું નામ ભારતવર્ષમાં ગૌરવવંતુ બન્યું હતું.
પરંતુ વચ્ચે કેટલાક કાળ એ આવી ગયો કે આ તંત્રવાદ સ્વાર્થ પટુ વિષયલોભી મનુષ્યના હાથમાં પડી ગયે અને તેમણે તંત્રવાદનાં નામે ખૂબ ધતીંગ ચલાવ્યું. તેથી તંત્રવાદનાં નામને ઝાંખપ લાગી અને કેટલાકને તેના માટે નફરત પેદા થઈ. પરંતુ તે માટે વધારે ગેરસમજુતી તે અંગરેજોના સમયમાં ફેલાઈ.
આ દેશમાં અંગ્રેજોનું રાજ્ય સ્થપાયું અને તે લાંબે વખત કેમ કે, તે માટે તેમણે અહીં ચાલતાં પ્રાચીન વિદ્યાલયે તથા ટેલે (પાઠશાળાઓ) ને નાશ ઊભું કરી તેની જગાએ પિતાનાં હિતની પિષક એવી નવી ઢબની કેળવણી દાખલ કરી. તેણે આપણામાં એક પ્રકારનું પરાધીન ગુલામી માનસ પેદા કર્યું, અને તેથી એ વખતે અંગ્રેજો
For Personal & Private Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
તંત્રનું તારણ તથા બીજા યુરોપિયન લેખકોએ જે કંઈ લખ્યું તે આપણે સાચું માની લીધું.
તેમણે કહ્યું: “ભારતવાસીઓને ઈતિહાસને શેખ નથી.” તે આપણે એ કબૂલ કરી દીધું.
તેમણે કહ્યું: “ભારતવાસીઓનું સાહિત્ય કલ્પનાપ્રધાન છે, તેમાં વાસ્તવિકતા બહુ ઓછી છે, તે આપણે એ મંજૂર રાખ્યું.
તેમણે કહ્યું : “ભારતના ધર્મો વહેમથી ભરેલા છે અને તે મંત્ર-યંત્ર-તંત્ર જેવા હંબગો ચલાવે છે તે આપણે તેને રવીકાર કરી લીધું.
આપણું બધું ખરાબ, તેમનું બધું સારું' એ વાત આપણાં મનમાં ઠસાવવાનો તેમને ઈરાદો હતા, કારણ કે તે વિના આપણે તેમની સંસ્કૃતિ ગ્રહણ કરીએ નહિ, એટલે આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલુ રહી. અલબત્ત, તેમાં કેટલાક સત્યપ્રિય ભલા લેખકે પણ હતા, પરંતુ તેમને આ દેશની સંસ્કૃતિનું ઊંડું અધ્યયન નહિ હોવાથી તેમણે અનેક જાતના છબરડા વાળ્યા. પરિણામે આપણામાંના કેટલાય સુશિક્ષિત મંત્ર-યંત્ર-તંત્રને હંબગ માનવા લાગ્યા. આ તે કૂવે ભાંગ પડવા જેવું થયું, એટલે કોને કહીએ અને શું કહીએ? આજે પણ આપણા શિક્ષિત વર્ગની મોટા ભાગે આ હાલત છે અને તેથી તેઓ અઠવાડિકે, માસિકે તથા વર્તમાનપત્રમાં તેની વિરુદ્ધ કંઈને કંઈ લખ્યા જ કરે છે. પરંતુ સત્યશોધક મહાનુભાવોએ આ વસ્તુથી દેરવાઈ ન જતાં
For Personal & Private Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
તંત્રશાસ્ત્રની મહત્તા
૧
તંત્રશાસ્ત્રોને જાતે અભ્યાસ કરવે જોઈએ અને તેમાં જે વસ્તુ સારભૂત જણાય, તેને હંસ-નીર-ક્ષીરન્યાયે સ્વીકાર કરવું જોઈએ.
અહીં અમને બેધડક કહેવા દે કે આ તંત્રશાસ્ત્રોમાં ઘણું વિજ્ઞાન ભરેલું છે અને તેથી વિદેશી વિદ્યાપ્રેમી ગૃહસ્થ મેં–માગ્યું મૂલ્ય આપીને આ વિષયના ગ્રંથ મેળવી રહ્યા છે અને તેમાંથી નવી નવી વસ્તુઓ શોધીને તેને ઉપયોગ હુન્નર, ઉદ્યોગ તથા વૈજ્ઞાનિક પ્રગતિ અંગે કરી રહ્યા છે, ત્યારે આ ગ્રંથની હસ્તલિખિત પ્રતિઓને આપણે નકામી ગણી વેચી રહ્યા છીએ. જે સમાજે જ્ઞાનમાં સંરક્ષણ માટે લાખે-કોડે રૂપિયા ખર્ચા, તેની આ દશા!
આજે આપણામાં જ્ઞાનપ્રેમ રહ્યો નથી, નવું નવું જાણવાની ઉર્મિ લગભગ ઓસરી ગઈ છે, એટલે આ વસ્તુનું મૂલ્યાંકન કરી શકતા નથી, પણ એ આપણું દેશનું ખરું જવાહિર છે, તે આપણે ભૂલવાનું નથી. આજથી છ વર્ષ પહેલાં મુંબઈના સાગરતટે એક મહાલયમાં અમારે સ્વામી માધવાનંદ નામના એક તંત્રવિશારદ સંન્યાસીને મળવાને પ્રસંગ ઊભું થયું હતું. તે વખતે તેમની સાથે આપણું તંત્રવિદ્યા સંબંધી વાત નીકળતાં જાણી શકાયું હતું કે તેઓ અઢી લાખ રૂપિયાનાં ખર્ચે ભારતના તમામ તંત્રગ્રંથને સંગ્રહ કરી રહ્યા હતા અને તેનું ત્રણ ભાગમાં મુદ્રણ કરી ચિગ્ય અધિકારીઓને આપવાની પ્રેજના કરી ચૂક્યા હતા. તેઓ પોતે ચોગ તેમજ તંત્રવિદ્યાના સારા જાણકાર હતા
For Personal & Private Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
તંત્રોનું તારણ અને મૂર્તિનાં મુખમાંથી શ્લેક બેલાવવાની તાકાત ધરાવતા હતા. તેમણે અમને કહ્યું કે “જૈન મહાત્માઓએ પણ તંત્રવિદ્યામાં બહુ સારી પ્રગતિ કરેલી છે અને અમે કેટલાક જૈન તંત્રો જોવાની ઈચ્છા ધરાવીએ છીએ ” તેથી અમે તેમને ૪૦ જેટલાં જૈન તંત્રે બતાવ્યાં હતાં અને તેથી તેઓ ઘણું ખુશ થયા હતા.
- આ રીતે જ્યારે અન્ય કે આપણે તંત્રની તારીફ કરી રહ્યા છે, ત્યારે આપણે તેની નિંદા કરીએ અથવા તેના પ્રત્યે ઉપેક્ષાભાવથી વર્તીએ, એ કયાં સુધી ઉચિત છે? તેને સહુ સજ્જને શાંતિથી વિચાર કરી જુએ.
૪–બ્રમનિવારણ
કેટલાક કહે છે કે મંત્ર-યંત્ર-તંત્રને ધર્મમાં સ્થાન હવું ન જોઈએ, કારણ કે તે મનુષ્યને આડે રસ્તે દેરનારી વસ્તુ છે.”
અહીં વિચારવાનું એ છે કે જે મંત્ર-યંત્ર-તંત્ર માનવામાં આવે છે તેવી ખરાબ વસ્તુ હોય તે આપણાં શાસ્ત્રો તેને સ્થાન આપે શા માટે? અને આપણા આચાર્યો તેની સાધના, આરાધના કે ઉપાસનામાં પ્રવૃત્ત થાય શા માટે?”
જે કેઈએમ માનતું હોય કે મૂળ જૈન શાસ્ત્રોમાં આ વસ્તુ ન હતી, પણ પાછળથી દાખલ થઈ તે એ માન્યતા ભૂલભરેલી છે. દ્વાદશાંગી એટલે બાર અંગે એ
For Personal & Private Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
ર
બ્રમનિવારણ જૈન ધર્મનાં મૂળ શાસ્ત્રો છે, તેમાંનું બારમું અંગ દષ્ટિવાદ હાલ ઉપલબ્ધ નથી, પણ તે વીર નિર્વાણ પછી ૨૦૦-૨૫૦ વર્ષ સુધી તે રહેલું જ છે. તેનું વર્ણન આજે નંદીસૂત્ર જેવા એક સર્વમાન્ય આગમમાં પ્રાપ્ત થાય છે. તેમાં જણાવ્યું છે કે “આ દષ્ટિવાદ નામનું બારમું અંગ ઘણું મેટું હતું, તે પાંચ ભાગમાં વહેંચાયેલું હતું અને તેને એક ભાગ ચૌદ પૂર્વે તરીકે ઓળખાતું હતું. આ ચૌદ પૂર્વેમાં દશમું પૂર્વ વિદ્યાપ્રવાદ નામનું હતું અને તેમાં વિદ્યા તથા મંત્રને અર્થાત્ મંત્ર-યંત્ર-તંત્રને માટે સંગ્રહ હતે.” વળી સિદ્ધપ્રાભૃત અને નિપ્રાભૂત વગેરે ગ્રંથે તંત્રવિષયક જ છે. એટલે જૈન શાસ્ત્રોએ મંત્ર-યંત્ર-તંત્રને મૂળથી સ્થાન આપેલું છે, એ નિશ્ચિત છે.
કેઈએમ માનતું હોય કે જૈનાચાર્યોએ મંત્રતંત્રમાં પડવું એ ઠીક નથી, તે જૈનાચાર્યોનું વર્ણન કરતાં જૈન શાસ્ત્રોએ તેમને વિદ્યા અને મંત્રના જાણકાર કહ્યા છે. વળી જૈન શાસ્ત્રોમાં આઠ પ્રભાવકોનું જે વર્ણન આવે છે, તેમાં વિદ્યાવાન અને મંત્રસિદ્ધ એ બંનેની ગણના કરેલી છે. એટલે આચાર્ય મંત્રતંત્રને અભ્યાસ કરતા, તેમાં નિષ્ણાત થતા અને સમય આવ્યે શાસનની રક્ષા માટે તથા ધર્મી જેનેની સહાય કરવા માટે તેને ઉપયોગ કરતા, એ નિશ્ચિત છે. જે એમ ન હોય તે જૈન ધર્મમાં આજે આટલા મંત્ર, આટલા યંત્રે અને આટલા તંત્રે હેત શી રીતે ? એની રચના કઈ સામાન્ય ગૃહસ્થ કરેલી
For Personal & Private Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૪
તંત્રનું તારણ
નથી, પણ ત્યાગી નિસ્પૃહી મુનિવરે તથા આચાર્યોએ જ કરેલી છે.
- મંત્ર-યંત્ર-તંત્ર એ અભુત શક્તિશાળી વસ્તુ છે. જે તેને સદુપયોગ કરવામાં આવે છે તેથી ઘણે લાભ થઈ શકે છે અને તેથી જ ધર્માચાર્યોએ તેને ધર્મમાં સ્થાન આપેલું છે. આ વસ્તુને કેઈએ દુરુપયોગ કર્યો હોય, તેટલા માત્રથી એ વસ્તુ ખરાબ થઈ જતી નથી.
અહીં કોઈ એમ કહેતું હોય કે ધર્મને ઉદ્દેશ મનુષ્યને મુક્તિ ભણી લઈ જવાનું છે, તેની સાથે આ વસ્તુ સંગત થતી નથી, તે એ કથન વિશેષ વિચાર કર્યા વિનાનું છે. અમે કહીએ છીએ કે મંત્ર-યંત્ર-તંત્ર એ મેક્ષમાર્ગનાં સાધનભૂત સમ્યગ્ર દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક્રચારિત્ર ત્રણેની પુષ્ટિ કરનારી છે. નમસ્કાર એ મંત્ર છે, સિદ્ધચકચ્છ એ યંત્ર છે અને સ્નાત્રપૂજા એ એક જાતનું તંત્ર છે. શું આ વસ્તુઓ સમ્યગ્રદર્શનની પુષ્ટિ કરનારી નથી? મંત્રના અર્થભાવ-રહસ્ય પર વિચાર કરીએ તે સમ્યગ જ્ઞાનની વૃદ્ધિ થાય છે, યંત્રની આરાધ્ય વસ્તુ પર ઊંડું મનન કરીએ તે સમ્યગ્ર જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને પૂજાદિ તંત્રમાં તલ્લીન થઈએ તે પણ સમ્યગજ્ઞાનની વૃદ્ધિ થાય છે.
જૈન ધર્મમાં વિવિધ પ્રકારની જે પૂજાએ રચાયેલી છે, તેમાં શાસ્ત્રીય વિષયેનું ઊંડું જ્ઞાન ભરેલું છે, જેની
For Personal & Private Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
મિનિવારણ
૨૫
mm ખાતરી પૂજાસંગ્રહનું પુસ્તક લઈ તેમાંની કોઈ પણ પૂજા વાંચવાથી થઈ શકશે.
| મંત્ર-યંત્ર-તંત્રની સાધના-આરાધનાથી શુભ ભાવની વૃદ્ધિ થાય છે, એટલે તે ચારિત્રની પુષ્ટિ કરનાર પણ છે. આ રીતે મંત્ર-યંત્ર-તંત્ર મેક્ષમાર્ગમાં ઉપકારક હોવાથી તેને નિષેધ કરે કે તેનું મૂલ્ય ઓછું આંકવું એ કંઈ રીતે વ્યાજબી નથી.
કેટલાક કહે છે કે “મંત્ર-યંત્ર-તંત્રની મોક્ષ માર્ગ સાથે ભલે સંગતિ કરવામાં આવી હોય, પણ તેની ફલકૃતિમાં તે ઐહિક સુખોની જ યાદી હોય છે, એટલે અમે તેને ધર્મમાં સ્થાન આપવાનું પસંદ કરતા નથી. પરંતુ ઊંડો વિચાર કરવાથી જણાશે કે આ માન્યતા પણ ભૂલ ભરેલી છે. ધર્મનું માહાસ્ય બતાવવું હોય તે “ઘરના
જે શરપરા સમાચમાયુર્વ” વગેરે વર્ણન કરવું પડે છે, તેથી ધર્મ શું અહિક સુખની અભિમુખતા વાળે થયે? ખરી હકીક્ત તે એ છે કે ધર્મથી વિમુખ આત્માઓને ધર્મની વાત એકદમ ગમતી નથી. જે તેમને પ્રથમ તેમની રુચિ અનુસાર કંઈ પણ આપવામાં આવે છે, તે તેઓને ધર્મની બાબતમાં ધીમે ધીમે રસ પડતો જાય છે અને છેવટે તે ધર્મપરાયણ બની શકે છે. આ વિષયમાં જૈન શાસ્ત્રકારોએ શ્રષ્ટિપુત્ર કમળની કથા કહી છે, તે બરાબર લક્ષમાં રાખવા જેવી છે.
For Personal & Private Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
તંત્રનું તારણ એપુિત્ર કમલની કથા શ્રીપુર નામે એક નગર હતું. તેમાં શ્રીપતિ નામે એક શેઠ રહેતું હતું. તેને સુંદરી નામની ભાર્યા હતી. તેનાથી કમલ નામને એક પુત્ર થયું હતું. તે અનુકમે બધી કલાઓમાં પ્રવીણ થયો, પણ બહોતેર કળાની શિરતાજ જે ધર્મકલા કહેવાય, તેનાથી વિમુખ રહ્યો. તેના પિતા જ્યારે પણ ધર્મસંબંધી કઈ વાત શરૂ કરતા કે તે બગાસાં ખાવા માંડતે કે આંખે ચેળીને ઊભું થઈ જતું. એક લોકકવિએ કહ્યું છે કે –
જેનું મન જે શું વસ્યું, તેને તે જ સુહાય; દ્રાક્ષ તણે તછ માંડે, કાગ લીબળી ખાય.
હવે એક વાર નગરની સમીપમાં રહેલાં ઉદ્યાનમાં શ્રી શીલંધર નામના આચાર્ય પધાર્યા. તે જાણુને શ્રીપતિ શેઠ તેમને ઉપદેશ સાંભળવા ગયે. એ ઉપદેશ પૂરો થયા પછી તેણે બે હાથ જોડીને કહ્યું: “પૂજ્ય ગુરુદેવ ! મારે પુત્ર કમલ બધી વાતે હોશિયાર છે, પણ ધર્મથી વિમુખ છે, તેથી તેને ધર્મ પમાડવાની કૃપા કરે.”
ગુરુએ કૃપા કરી તે વાતને સ્વીકાર કર્યો, એટલે શ્રીપતિ શેઠે ઘરે આવી કમલને કહ્યું કે “આજે તે એક મોટા મહાત્મા નગર બહાર પધાર્યા છે. બધા લકે તેમનાં દર્શને જાય છે, તો તું પણ ત્યાં જઈ તેમનાં દર્શન કરી આવ.”
For Personal & Private Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
જમનિવારણ
૨૭ - પિતાની આજ્ઞા થતાં કમલ એ સાધુ–મહાત્મા પાસે ગયો અને પ્રણામ કરીને સામે બેઠે. એ વખતે ગુરુએ તેને ઉપદેશ આપવા માંડે અને તેમાં ધર્મની આવશ્યક્તા, ધર્મનું સ્વરૂપ, ધર્મના પ્રકારે વગેરે કહી સંભળાવ્યા. પછી ઉપદેશ પૂરે થતાં તેમણે પૂછ્યું કે હે કમલ! તેં આમાંથી શું જાણ્યું ?” ત્યારે તેણે કહ્યું :
આપ કંઈક બોલતા હતા. તે વખતે આપને હડિયે ૧૦૮ વાર ઊંચ-નીચે થયે, એ મેં જાણ્યું. આથી સાધુ–મહાત્માને લાગ્યું કે આ તે પત્થર પર પાણી રેડાયું. અને તેઓ અન્યત્ર વિહાર કરી ગયા.
થેડા દિવસ બાદ શ્રી ગુણસાગર નામને બીજા આચાર્ય એ જ ઉદ્યાનમાં પધાર્યા. ત્યારે શ્રીપતિ શેઠે તેમને પણ પિતાના પુત્રને ધર્મ પમાડવાની વિનંતિ કરી અને પહેલાં જે હકીકત બની હતી, તે કહી સંભળાવી. ગુરુએ કહ્યું: “અમે તેને જરૂર ધર્મ પમાડીશું, પણ તેને એટલી શિખામણ આપજે કે તે અમારા કંઠ સામે જ જોયા ન કરે. ?
શ્રીપતિ શેઠે કમલને એ પ્રમાણે શિખામણ આપીને ગુરુ પાસે મોકલ્યા. ત્યાં તે વંદન કરીને ગુરુની સામે બેઠે. ત્યારે ગુરુએ પૂછયું: “હે ભદ્ર! તું તત્ત્વનું કઈ સ્વરૂપ જાણે છે ખરે ?'
કમલે કહ્યું : “હું ત્રણ ત જાણું છું. મનગમતું
For Personal & Private Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૮
તંત્રનું તારણે ખાવું-પીવું, લહેરથી હરવું-ફરવું અને નિરાંતે ઊંઘી જવું.”
એ સાંભળી ગુરુએ કહ્યું કે “આ તે ગામડિયાની, ભાષા થઈ. પણ જે ત્યાગ કરવાનું, જાણવાનું અને આદરવાનું છે, તે તું કઈ જાણે છે?”
કમલે કહ્યું : “એની મને કંઈ ખબર નથી.”
ત્યારે ગુરુએ તેને હેય, રેય અને ઉપાદેયનાં સ્વરૂપવાળી ધર્મદેશના આપવા માંડી. એ દેશનાને અંતે તેમણે પૂછ્યું કે “હે ભદ્ર! તું આમાંથી શું સમજે?”
કમલે કહ્યું: “મહારાજ આમાં મને તે કંઈ સમજ પડી નહિ, બાકી એટલું હું સમજી શકે કે આપ જ્યારે દેશના દેતા હતા, ત્યારે આપની નજીક જે ઝાડ છે, તેનાં થડમાંથી ૧૦૮ મકડા બહાર નીકળ્યા અને તેટલા જ પાછા ગયા.”
ગુરુ સમજયા કે આ તે ભસ્મમાં ઘી નાખવા જેવું થયું, અને તેઓ પણ અન્યત્ર વિહાર કરી ગયા.
હવે થોડા સમય બાદ શ્રી જ્ઞાનસાગર નામના એક ત્રીજા આચાર્ય ત્યાં આવ્યા. ત્યારે શ્રીપતિ શેઠે તેમની પાસે જઈને પિતાના પુત્રને ધર્મ પમાડવાની પૂર્વવત્ વિનતિ કરી અને બનેલી બધી વાત કહી સંભળાવી.
ગુરુએ પૂછયું; “લૌકિક વ્યવહારમાં તેની બુદ્ધિ કેવી છે?” શ્રીપતિ શેઠે કહ્યું: “ઘણી સારી. હિસાબ, નામુંઠામું, લેણદેણ બધું બરાબર કરે છે.”
ગુરુદેવે કહ્યું: “તે તમે ફીકર કરશે નહિ. એ જરૂર
For Personal & Private Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
રા
શ્રમનિવારણ ઠેકાણે આવી જશે. તેને અમારી પાસે મોકલજો.”
પિતાની આજ્ઞા થતાં કમલ તેમની પાસે ગયા અને વદન કરીને સામે બેઠે. તે વખતે ગુરુએ તેનું મન જાણવા માટે કહ્યું કે “હે કમલ! તારા હાથના મણિબંધ ઉપર મસ્યનાં મુખ સહિત મોટી ધનની રેખા દેખાય છે.”
આ શબ્દો સાંભળતાં જ કમલે પૂછયું કે “તેનું ફળ શું?” ગુરુએ કહ્યું: “મસ્યરેખાથી ઘણું ધન પ્રાપ્ત થાય છે. વળી તારા હસ્તની રેખા પરથી જણાય છે કે તારો જન્મ શુકલ પક્ષમાં થયેલે હે જોઈએ અને તે એ વખતે અમુક ગ્રહો અમુક સ્થાનમાં પડેલા હોવા જોઈએ.'
તે સાંભળીને કમલ આશ્ચર્ય પામ્યું. તેણે ત્યાંથી ઘરે જઈ પોતાની જન્મ-પત્રિકા લાવી ગુરુ આગળ મૂકી. આ જન્મપત્રિકા જેઈ ધર્માચાર્યે કહ્યું કે “તારાં લગ્ન અમુક ઉમરે થયેલા હોવા જોઈએ અને તારી પત્ની અમુક પ્રકારની હોવી જોઈએ. આ પત્રિકા પરથી એમ પણ જણાય છે કે તને થોડાં વર્ષ પહેલાં એક મોટી બિમારી આવી ગઈ હશે.”
કમલે કહ્યું: “આપે જે કહ્યું, તે અક્ષરશઃ સાચું છે.” આ બનાવ પરથી કમલે પિતાનાં મનમાં નિર્ણય કર્યો કે આ ગુરુ જ્ઞાની દેખાય છે, માટે તેમની પાસે જ આવવું.”
બીજા દિવસે ગુરુએ કામ–દેવના પરિવારનું વર્ણન કર્યું અને સ્ત્રીના ચાર ભેદે વર્ણવ્યા. કમલને એ સાંભળવામાં ઘણે આનંદ આવ્યું. ત્રીજા દિવસે ગુરુએ પદ્મિનીનું વર્ણન કર્યું, ચોથા દિવસે ચિત્રિણીનું વર્ણન કર્યું, પાંચમા દિવસે
For Personal & Private Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
૩૦
તેનું તારણ હસ્તિનીનું વર્ણન કર્યું અને છઠ્ઠા દિવસે શંખિણીનું વર્ણન કર્યું. જેનાં મુખમાંથી સરસ્વતી વહેતી હોય તેનાં વર્ણનમાં શું ખામી હોય ? કમલ તે આ સાંભળી લટું જ બની ગયે અને “હવે ક્યારે ગુરુ પાસે જાઉં?” એવી ઉત્સુકતા સેવવા લાગે. ગુરુ પણ તેને રોજ નવી નવી વાત કહેવા લાગ્યા અને તેની ઉત્સુકતા વધારવા લાગ્યા.
હવે એક દિવસ ગુરુએ કહ્યું : “કમલ! તું ખૂબ ચતુર છે, તે હું એક વરત પૂછું, તેને ઉત્તર આપ.” પછી તેમણે નીચેનું વરત પૂછ્યું :
નારી બેઠી ગેખમાં, કરે સઘળાંયે કામ; રાતી રસભીની રહે, છેડે નહિ નિજ ઠામ, ચાકર ચેકીદાર શા, બહુલા રાખે પાસ; કામ કરાવે તે કને, વિલસે આપ વિલાસ. જોડે પ્રીતિ બહુ થકી, તેડે પણ તિણુવાર, કરવી વશ તેને ઘટે, સુખ વાંછે જે સાર.
કમલે તેના પર ખૂબ વિચાર કર્યો, પણ ઉત્તર જડ નહિ. ત્યારે ગુરુએ કહ્યું : “એને ઉત્તર જીભ છે. એ મુખરૂપી ગોખમાં બેઠેલી છે અને ત્યાં બેસીને પોતાનાં સઘળાં કામ કરે છે. તે રંગે રાતી છે અને પિતાનું સ્થાન છેડતી નથી. તે દાંતરૂપી ચાકરેને પોતાની પાસે રાખે છે અને તેમની પાસે બધું કામ કરાવે છે, જ્યારે પિતે તેને સ્વાદ માણવા રૂપી વિલાસજ કરે છે. આ જીભ સારૂં બેલીને ઘણનાં સનેહને તેડી પણ નાખે છે. તેથી જે માણસ ઉત્તમ
For Personal & Private Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
બ્રમનિવારણ
૩૧ પ્રકારનું સુખ ઈચ્છતા હોય તેમણે જીભને વશ કરવી ઘટે.”
આ સાંભળી કમલને ગુરુનાં બુદ્ધિચાતુર્ય માટે ઘણું માન થયું અને તે મનમાં ને મનમાં તેમની ખૂબ પ્રશંસા કરવા લાગ્યું. હવે ગુરુએ તેને બીજું વરત પૂછ્યું :
ડાળે બેડી સૂડલી, પણ નવ આવે પાંખ; તે થે ફરવા નીકળે, જોયું આખે આંખ; દેહવરણ કાળે નહીં, તે પણ કાળી ચાંચ; ચાંચે ઈંડાં મેલતી, પળ મહીં બે પાંચ. તે ઇંડાં ચાંપે ઘણું, તેય ન ફૂટે એક; વદ તું વત્સ વિચારીને, ધરી હૈયે વિવેક.
આ વરતે કમલને સારી રીતે મુંઝ. તે વિચાર કરવા લાગ્યું કે આવી સૂડલી તે કઈ હશે ? જે ડાળે બેસે, તેને પાંખ ન હોય અને ચરવા નીકળે. વળી તેને દેહને રંગ કાળે ન હોય, પણ માત્ર ચાંચને રંગજ કાળે હોય. વળી કઈ પક્ષી ચાંચે ઈંડાં મૂકતું હોય, એમ તે સાંભળ્યું જ નથી અને આ પક્ષી ચાંચ ઇંડાં મૂકે છે. વળી તે વર્ષે, છે મહિને કે બે-ત્રણ મહિને ઇંડાં મૂકતું નથી, પણ પળમાં બે પાંચ ઇંડાં મૂકે છે. અને તે ઇંડાં પણ એવાં છે કે જે ચંપાવા છતાં ફૂટતાં નથી! ખરેખર ! ગુરુએ તે આ વરત પૂછવામાં કમાલ કરી છે.”
- જ્યારે ઘણે વિચાર કરવા છતાં કમલને તેને જવાબ જડ્યો નહિ, ત્યારે ગુરુએ કહ્યું: “વત્સ! એને ઉત્તર કલમ છે. તે હાથરૂપી ડાળ પર બેસે છે, તેને પાંખ હતી નથી અને છતાં તે ફરવા નીકળે છે, એટલે કે લેખનનું કાર્ય
For Personal & Private Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૨
તંત્રનું તારણ કરવા માટે બહાર પડે છે. તેને રંગ લાલ, પીળો, સોનેરી વગેરે હોય છે, પણ તદન કાળે હેતો નથી. પરંતુ તેની ચાંચ કળી હોય છે, અને તે ચાંચ વડે પળવારમાં અક્ષરે. રૂપી બેપાંચ ઇંડાં મૂકે છે. આ ઇંડાં એવાં છે કે જે ચંપાવા છતાં ફૂટતાં નથી, એટલે કે સૂકાઈ ગયા પછી તેના પર હાથ ફેરવીએ તે ભૂંસાતા નથી.
હે કમલ! આવી કલમ વડે ચાર પ્રકારનાં શા. લખાય છેઃ ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર અને મોક્ષ શાસ્ત્ર.”
કમલે પૂછ્યું: “આ શાસ્ત્રમાં શું આવે છે?’ ગુરુએ કહ્યું: “મનુષ્ય આ જીવનમાં કે આચાર-વિચાર રાખવે અને તેનું શું પરિણામ આવે છે? વગેરે વિચાર ધર્મશાસ્ત્રમાં કરેલ હોય છે, મનુષ્ય વેપારધંધો કેવી રીતે કરે? અને અર્થ એટલે ધનનું ઉપાર્જન કેવી રીતે કરવું ? તેને વિચાર અર્થશાસ્ત્રમાં આવે છે. મનુષ્ય કેવી રીતે કામસુખ ભેગવવું તેને વિચાર કામશાસ્ત્રમાં આવે છે, અને મનુષ્ય પરમાનંદની પ્રાપ્તિ કેમ કરવી? તેને વિચાર મેક્ષશાસ્ત્રમાં આવે છે. આ વિષયમાં તારે વિશેષ જાણવાની ઈચ્છા હોય તે કાલે કહીશું.'
કમલ બીજા દિવસે સમયસર હાજર થયો અને વદન કરીને સામે બેઠે, એટલે ગુરુએ કહ્યું: “હે કમલ ! તું વ્યવહારમાં ઘણે કુશળ છે અને લાખેનાં લેખાં કરી શકે છે, તે તને એક નાનકડે સવાલ પૂછું છું કે “એકમાંથી એક જાય તે બાકી શું રહે?”
For Personal & Private Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
જમનિવારણ ,
કમલે તરત જવાબ આપે કે “બાકી કંઈ ન રહે.' ગુએ કહ્યું : “બરાબર વિચાર કરીને જવાબ આપ. આથી કમલે થડે વિચાર કરીને કહ્યું કે “શૂન્ય બાકી રહે.”
- ગુરુએ કહ્યું: “એકડાની કિંમત શી અને મીંડાની કિમત શી?”
કમલે કહ્યું : “એકડાની કિંમત એક અને મીંડાંની કિંમત કંઈ નહિ.”
ગુરુએ કહ્યું: “જે એમજ હેયતે ૧૦૦૦ ની સંખ્યામાંથી એક મીંડું ભૂંસી નાખ.”
કમલે કહ્યું, “તે ૧૦૦૦ના ૧૦૦ બની જાય, એટલે કિંમત દશમા ભાગની થઈ જાય.”
ગુરુએ કહ્યું : “એને અર્થ એ ખરે ને કે મીંડાની પણ કંઈક કિંમત છે?” - કમલે કહ્યું: “હા, ગુરુદેવ. મીંડાની પણ કિંમત તે છે જ. પણ તે એકડે હોય તે.”
ગુરુએ કહ્યું: “સાબાશ! હવે તું બરાબર છે . જે એકડે હેય તે મીંડાંની કિંમત, નહિ તો મીંડાની કિંમત નહિ. આ જ વસ્તુ આપણાં જીવન પરત્વે સમજવાની છે. આપણું જીવન છે, તે મીંડાં સમાન છે અને ધર્મ છે, તે એકડા સમાન છે. જે મીંડાંમાં એકડે ભળે, એટલે જીવનમાં ધર્મ ભળે તે તેની કિંમત છે, નહિ તે એની કિંમત કંઈ નથી. ખાવું-પીવું, હરવું-ફરવું, સૂવું-બેસવું, વિષયાગ કર એ તે પશુઓ પણ કરે છે, પરંતુ તેમનાં
For Personal & Private Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૪
તંત્રનું તારણ
જીવનમાં ધર્મ નથી, એટલે તેની કંઈ કિંમત નથી. મનુષ્ય ધારે તો પિતાનાં જીવનમાં ધર્મનું આચરણ કરી શકે છે અને તેની કિંમત ખૂબ વધારી શકે છે, તેથી બુદ્ધિમાન મનુષ્ય પિતાનાં જીવનને ધર્મરૂપી એકડાથી અવશ્ય મૂલ્યવાન બનાવવું જોઈએ.”
ગુરુ મહારાજના આ શબ્દએ કમલનું હૃદય ભેદી નાખ્યું અને તે કહેવા લાગ્યા : “ગુરુદેવ! અત્યાર સુધી મારું જીવન શૂન્ય રહ્યું છે. હવે તેમાં ધર્મ રૂપી એકડે પૂરી તેને મૂલ્યવાન બનાવવામાં મદદ કરો.”
પછી ગુરુએ તેને ધર્મની વિશેષ સમજ આપી અને કમલે કેટલાક વ્રતનિયમે ગ્રહણ કર્યા. આખરે તે ધર્મ– પરાયણ બન્યા અને પોતાનું જીવન સાર્થક કરી ગયે.”
એટલે મનુષ્યને ધર્મ પમાડવા માટે આચાર્યોને તેમની મનોદશા–મવૃત્તિ ઉપર પણ પૂબ ધ્યાન આપવું પડે છે. શ્રી ચિતન્યદેવે બંગાળમાં કરેલો હરિનામપ્રચાર
બંગાળમાં ગૌરાંગદેવ યાને ચિતન્ય મહાપ્રભુનું નામ આજે ઘરઘરમાં જાણીતું છે. તેમનાં જીવનને એક પ્રસંગ પણ આ વસ્તુની પુષ્ટિ કરે છે.
શ્રી ચૈતન્યદેવે પિતાના ભક્ત શિષ્ય હરિદાસને સર્વત્ર હરિનામને પ્રચાર કરવાની આજ્ઞા કરી હતી. ભક્ત હરિદાસ એ નામને પ્રચાર કરવા બંગાલના ઘણા પ્રદેશમાં ફર્યા, પરંતુ તેમને પ્રયત્ન સફળ થયે નહિ, તેથી તેઓ પાછા
For Personal & Private Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૫
કામનિવારણ ફર્યા. તેમણે ચતન્યદેવને કહ્યું : “પ્રભે! અત્યારના મનુષ્ય તે વિષયભેગમાં આસક્ત થઈ ગયા છે. તેઓ ભેગવિલાસને ત્યાગ કરીને શ્રીહરિનું નામસ્મરણ કરવા ઈચ્છતા નથી.'
પછી ચૈતન્યદેવે પિતે જ શ્રીહરિનાં નામને પ્રચાર કરવાનું શરૂ કર્યું. તેમણે સર્વ સાધારણ મનુષ્યને કહ્યું કે ‘તમારે વિષયભોગ ભેગવવા હોય તો ભેગ, પરંતુ શ્રી હરિનું નામ સમરણ કરે.” એ સાંભળતાં જ લેકેનાં ટોળે ટેળાં તેમની સન્મુખ આવી શ્રીહરિ નામને મંત્ર ગ્રહણ કરવા લાગ્યાં.
તે સમયે ભક્ત હરિદાસે શ્રી ચૈતન્યદેવને કહ્યું કે ભગવન્! અમારે માટે તે તમે કઠેર નિયમે કર્યા છે. અમને મધ, માંસ, મત્સ્ય, પરસ્ત્રી વગેરેનું સેવન નહિ કરવા અને બ્રહાચર્યનું પાલન કરવાને ઉપદેશ કર્યો છે અને તે પ્રમાણે અમે કઠેર સાધન કરી રહ્યા છીએ, પણ સાધારણ જનસમાજ માટે તે તમે અસત્ કર્મને ત્યાગ અને સકર્મનાં આચરણ જે કઈ કઠેર નિયમ રાખે નથી, તેનું કારણ શું?”
શ્રી ચિતન્યદેવે હાસ્ય કરીને કહ્યું: “વત્સ! તમને વિષયભેગ પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયે છે અને તમે તે ઈશ્વરના પ્રેમી ભક્ત છે. તમને ઈશ્વર સાક્ષાત્કારની જ ઈચ્છા છે. તમને સંસારના વિષયભેગની લેશ માત્ર ઈચ્છા નથી. તેથી જ તમારે માટે સાત્વિક દક્ષિણ માર્ગની ચેજના
For Personal & Private Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૬
તંત્રનું તારણ
કરી છે. પરંતુ સાધારણ લકે વ્યાપાર, રોજગાર, સ્ત્રી, પુત્ર, ધન આદિ વિષયમાં રચ્યાપચ્યા રહે છે. તેમનાં અંતઃકરણમાં અનેક વિષયેની લાલસા છે. એવા મનુષ્ય ઈશ્વરને જાણવા છતાં ઈશ્વરપ્રાપ્તિ ઈચ્છતા નથી. તેઓ ભગવાન કરતાં વિષયભેગને વિશેષ પ્રિય સમજે છે. તેમની વાસનાને આપણે ખ્યાલ ન રાખીએ તે તેઓ શ્રી હરિનું નામસ્મરણ કેમ કરે? તેથી જ તેમને વિષયભેગ ભેગવવા દઈને શ્રી હરિનું નામ મરણ કરવાની વ્યવસ્થા કરી છે. શ્રી હરિનાં નામને મહિમા અને પ્રતાપ એ છે કે તેઓ પ્રતિદિન ઘેડે થે સમય પણ તેનું સ્મરણ કરશે, તે તેમનું અંતઃકરણ પવિત્ર થતું જશે અને જેમ જેમ તેઓ શ્રી હરિના ગુણાનુવાદ, કથાવાર્તા, સત્સંગ અને નામાનુષ્ઠાન કરશે, તેમજ સત્સંગના પ્રતાપે વિષયભેગથી થતાં અનેક વ્યાધિઓ અને ઉપાધિઓનું જ્ઞાન પામશે, તેમ તેમ તેઓ પિતાની મેળે જ ધીમે ધીમે વિષયભોગને ત્યાગ. કરી સાત્વિક સાધનના માર્ગે ચાલતા થઈ જશે.”
બૌદ્ધ ધર્મમાં મંત્ર-તંત્ર
કેટલાક કહે છે કે “ગૌતમબુદ્ધ ધર્મને પ્રચાર મેટા પાયે કર્યો, પણ તેમણે લોકોને મંત્ર-તંત્રને ઉપદેશ આપે હોય, એવું જાણવામાં આવ્યું નથી. પરંતુ બુદ્ધ નૈયાયિક શાંતિરક્ષિત અને તેને શિષ્ય કમલશીલ તે સ્પષ્ટ કહે છે કે જે મનુષ્યને નિર્વાણની ઉત્કંઠા ન હતી અને સાંસારિક સુખ
For Personal & Private Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૭
બ્રમનિવારણ ઈચ્છતા હતા, તેમને માટે ગૌતમબુદ્ધ મંત્ર, મંડલ, મુદ્રા અને તંત્રને ઉપદેશ કર્યો હતે.
તે વખતે આ વસ્તુ કદાચ ખાનગી અને નાના પાયે હશે, પણ પછીના યુગમાં તેણે વેગ પકડ્યો અને તેમાંથી મહાયાન શાખાને તથા વજીયાન સંપ્રદાયને જન્મ થયે.
બૌદ્ધ ધર્મની મુખ્ય શાખાઓ બે છેઃ મહાયાન અને હીનયાન. તેમાં તિબેટ, ચીન, જાપાન વગેરે ઉત્તર ભાગના બૌદ્ધો મહાયાનમાં ગણાય છે અને સિલેન, બ્રહ્મદેશ વગેરે દક્ષિણ ભાગના બૌદ્ધ હીનયાનમાં ગણાય છે. મહાયાનને અર્થ છે-મહાન આદર્શને સ્વીકાર કરનારા એટલે કે સમસ્ત વિશ્વનાં હિત માટે પ્રયત્ન કરનારા અને હીનયાનને અર્થ છે-હીન આદર્શનો સ્વીકાર કરનારા એટલે કે માત્ર પોતાનાં નિર્વાણ કે અહપદને માટે પ્રયત્ન કરનારા. મહાયાનેએ પિતાને શ્રેષ્ઠ માનીને બાકીનાઓને આ નામ આપ્યું હશે અને તે કાળાંતરે રૂઢ થયું હશે એમ લાગે છે, કારણ કે રહીનયાને પિતે તે આવું નામ ધારણ કરે જ નહિ.
વિદ્વાનેનું એમ માનવું છે કે બૌદ્ધ ધર્મ શરૂઆતમાં ઉપર જણાવી તેવી હીનયાન વૃત્તિવાળો જ હતું, પણ બુદ્ધનાં પરિનિર્વાણ પછી એક કે બે સૈકા બાદ તેમનાં અનુયાયીઓમાં મેટે મતભેદ ઉત્પન્ન થયું. તેમાં સ્થવિરે એટલે વૃદ્ધ સાધુઓ એવા વિચારના હતા કે બુદ્ધ ભગવાને સંઘને માટે જે નિયમ-ઉપનિયમ ઘડ્યા છે, તેને જ બરાબર વળગી રહેવું, જ્યારે યુવાને શમણે એ નિયમમાં
For Personal & Private Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
તંત્રનું તારણ ફેરફાર કરવાની જોરદાર માગણી કરી રહ્યા હતા. તે માટે તેમની મુખ્ય દલીલ એ હતી કે અતિ કડક પણ નહિ અને અતિ શિથિલ પણ નહિ, એવા મધ્યમ માર્ગથી નિર્વાણ મળે છે, માટે આહારવિહાર વગેરેને લગતા જે કડક નિયમ હાલ અમલમાં છે, તેને ઢીલા કરવા. એ વખતે સંખ્યામાં આ વર્ગ નાનું હતું, એટલે તે પિતાના સિદ્ધાંતને ગુપ્ત રીતે પ્રચાર કરતો હતો, પણ ધીમે ધીમે તેની સંખ્યા મટી થતી ગઈ, એટલે તે સિદ્ધાંતને તેઓ ખુલ્લે પ્રચાર કરવા લાગ્યા અને એ રીતે મહાયાન શાખાને જન્મ થયે તથા કાળાંતરે તેમાંથી વજીયાન સંપ્રદાય ઊભું થવા પામ્યા.
આ વજીયાન સંપ્રદાયે નિર્વાણને અર્થ માત્ર શૂન્ય કે શૂન્ય અને વિજ્ઞાન ન કરતાં શૂન્ય, વિજ્ઞાન અને મહા સુખ પણ કર્યો અને પાંચ ધ્યાની બુદ્ધિ અને તેમના પરિવારની રજૂઆત કરી. આ પાંચ ધ્યાની બુદ્ધ બૌદ્ધ શાસ્ત્રપ્રણીત પાંચ પર પ્રભુત્વ ધરાવે છે, એમ પણ તેમણે જાહેર કર્યું. તેમાં રૂપસ્ક પર વિરેચનનું પ્રભુત્વ માન્યું, વેદનાસ્કધ પર રત્નસંભવનું પ્રભુત્વ માન્યું, સંજ્ઞાસ્કંધ પર અમિતાભનું પ્રભુત્વ માન્યું, સંસ્કારસ્કંધ પર અમેઘસિદ્ધિનું પ્રભુત્વ માન્યું અને વિજ્ઞાનસ્ક પર અક્ષભ્યનું પ્રભુત્વ માન્યું. વળી આ પાંચે ધ્યાની પર એક છઠ્ઠા વજીધર નામના બુદ્ધ માન્યા કે જેમાં એ પાંચેની શક્તિને સમન્વય કલ્પવામાં આવ્યું હતું. ઉપરાંત તેમણે અનેક દેવદેવીની ઉપાસના પણ દાખલ કરી અને તેમાંના કેટલાક દેને પિતાની શક્તિને આલિંગન દેતા હોય એવાં નગ્નબિભત્સરૂપે પણ ખડા કર્યા.
For Personal & Private Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
૩e
તેમાં તત્ત્વજ્ઞાન છે એમ કહેવાય છે કે બૌદ્ધ ધર્મમાં સુપ્રસિદ્ધ વસુબંધુના ભાઈ અસંગે ઈ. સ. ની ચોથી સદીમાં તંત્રવાદ દાખલ કર્યો અને તે ધર્મકીર્તિના સમય સુધી ગુપ્ત રીતે ગુરુ દ્વારા શિષ્યોને મળતો રહ્યો. ત્યાર પછી સરહ, નાગા
ન, લુઈપ, પદ્માવજ, અંગવા અને ઇંદ્રભૂત એ વજી યાનના આચાર્યોએ તેને ખુલ્લો પ્રચાર કર્યો અને તેઓ ખૂબ કપ્રિય બન્યા. અન્ય ધર્મોમાં પણ મંત્ર-તંત્રને સ્થાન છે.
યહૂદી, ખ્રિસ્તી, ઈસ્લામ વગેરે ભારત બહાર ઉત્પન્ન થયેલા ધર્મમાં પણ આ વસ્તુઓ જોવા મળે છે. ૫–તમાં તત્વજ્ઞાન
તંત્રમાં તત્ત્વજ્ઞાનને વિષય કેવી રીતે છણાયેલે છે, તેને અમે પાઠકેને છેડે પરિચય કરાવવા ઈચ્છીએ છીએ. કુલાર્ણવ તંત્રમાં કહ્યું છે કે – न मानुष्यं विनाऽन्यत्र, तत्त्वज्ञानं तु लभ्यते ।
મનુષ્યનાં જન્મ સિવાય અન્ય કઈ જન્મમાં તત્ત્વજ્ઞાન પમાતું નથી.”
सोपानभूतं मोक्षस्य, मानुष्यं प्राप्य दुर्लभम् । यस्तारयति नात्मानं, तस्मात् पापतरोऽत्र कः ॥
મેક્ષના સંપાન સમે દુર્લભ માનવજન્મ પામવા છતાં જે આત્માને તારતે નથી, તેનાથી વધારે પાપી બીજે કોણ? અર્થાત કેઈ નહિ.” विना देहेन कल्याणि, पुरुषार्थों न विद्यते । तस्मादेहधन रक्ष्य, पुण्यकर्माणि साधयेत् ॥
For Personal & Private Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
તંત્રનું તારણ
દેહ વિના કેઈ પણ પુરુષાર્થ શક્ય નથી, તેથી દેહરૂપી ધનનું રક્ષણ કરવું અને તેનાથી પુણ્યકર્મોની સાધના
કથ્વી.’
સત્યપ્રકાશ અંગે તેઓ કહે છે: येषां भाग्यवशादेवि, पर सत्यं प्रकाशते । ते धन्यास्ते महात्मानः, कृतार्थास्ते नरोत्तमाः ॥
હે દેવી! ભાગ્યયેગે જેનામાં પરમ સત્યને પ્રકાશ થાય છે, તે પુરુષે ધન્ય છે, મહાત્મા છે, કૃતાર્થ છે, નિત્તમ છે.”
સત્યનું જ્ઞાન કેનામાં પ્રકાશિત થાય? તે અંગે તેઓ કહે છેઃ
शुद्धचित्तस्य शान्तस्य, धर्मिणो गुरुसेविनः । सत्यभतस्य गुह्यस्य, सत्यज्ञानं प्रकाशते ॥ शुद्धिविनयहर्षाद्यैः सदाचारदृढवतैः । सत्यज्ञानरतैर्धमै स्तत्त्वज्ञानमवाप्यते ॥
જેનું ચિત્ત શુદ્ધ હોય, જે શાંત હોય, ધાર્મિક હોય, ગુરુની સેવા કરનારે હય, સત્યને ભક્ત હોય અને ગુહ્યા માર્ગનું અનુસરણ કરનારે હોય, તેનામાં સત્યજ્ઞાનને પ્રકાશ થાય છે. એ સત્યજ્ઞાન કે તત્વજ્ઞાન પામવા માટે ભાવશુદ્ધિ જોઈએ, વિનય જોઈએ, હર્ષાદિ જોઈએ (અહીં આદિ શબ્દથી ઉત્સાહ વગેરે ગુણે સમજવા), સદાચાર જોઈએ, વ્રતનિયમનાં પાલનની દઢતા જોઈએ અને સત્યજ્ઞાન પ્રત્યે પ્રેમ જોઈએ.
For Personal & Private Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
તંત્રશાસ્ત્ર અને મંત્રવિજ્ઞાન –તંત્રશાસ્ત્ર અને મંત્રવિજ્ઞાન
તંત્રશાસ્ત્રોએ મંત્ર અંગે ઘણે વિચાર કર્યો છે અને તે અંગેનાં બધાં પગથિયાં વિગતવાર દર્શાવ્યાં છે. જે આ પગથિયાને આપણે બરાબર અભ્યાસ કરીએ તે તેમનાં મંત્રવિષયક જ્ઞાન માટે આપણું મસ્તક ડોલ્યા સિવાય. રહે નહિ.
તંત્રશાસ્ત્રોએ મંત્રની વ્યાખ્યા આ પ્રમાણે કરી છેઃ अज्ञानाद् विश्वविज्ञानं, त्राणं संसारबन्धनात् । यतः करोति संसिद्धथै मन्त्र इत्युच्यते ततः ॥
જે અજ્ઞાનમાંથી વિશ્વનાં વિજ્ઞાનની સંસિદ્ધિ પ્રત્યે લઈ જાય, જે સંસારનાં બંધનેમાંથી રક્ષણની પ્રાપ્તિ કરાવે તે મંત્ર કહેવાય.
કેણે કયે મંત્ર ગ્રહણ કર જોઈએ, તે અંગે પણ તેમણે ઊંડી વિચારણા કરી છે અને તેના સાધ્ય, સિદ્ધ, સુસિદ્ધ, શત્રુરૂપ અને મૃત્યુદાયી એવા પાંચ ભાગો પાડી તે
ધી કાઢવાની રીત બતાવી છે. પછી મંત્રજપ પુસ્તકે વાંચીને પોતાની બુદ્ધિએ ન કરે, પણ યોગ્યગુરુ આગળ મંત્રદીક્ષા ગ્રહણ કરીને કરે, એ પર ખાસ ભાર મૂકયો છે. તે અંગે રુદ્રયામલના ત્રીજા પટલમાં કહ્યું છે કે –
अदीक्षिता ये कुर्वन्ति जपपूजादिकाक्रियाः ।। न भवन्ति प्रिये ते i शिलायामुप्तबीजवत् ॥
હે પ્રિયા ! જેઓ મંત્રદીક્ષિત થયા વિના જપપૂજા વગેરે ક્રિયાઓ કરે છે, તેમને શિલામાં વાવેલાં બીજની જેમ કે ફળની પ્રાપ્તિ થતી નથી.
For Personal & Private Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
૪૨
તંત્રોનું તારણ મંત્રદીક્ષા કેને અપાય?? તે અંગે તંત્રસારમાં કહ્યું
शान्तो विनीतः शुद्धात्मा, श्रद्धावान् धारणक्षमः । समर्थश्च कुलीनश्च, प्राज्ञः सच्चरितो यतः ॥
જે શાંત હોય, વિનીત એટલે વિનય ગુણવાળે હેય, શુદ્ધાત્મા એટલે પવિત્ર અંત:કરણવાળે હય, શ્રદ્ધાવાન હોય, ધારણ શક્તિવાળો હોય, સમર્થ હોય, કુલીન હોય, બુદ્ધિમાન હોય અને સચ્ચારિત્રવાળે હોય તેને મંત્રદીક્ષા આપવી.”
એજ ગ્રંથમાં નીચેના પુરુષોને મંત્રદીક્ષા માટે અયોગ્ય ગણાવ્યા છે?
पापिने क्रूरचेष्टाय, शठाय कृपणाय च । दीनायाचारशून्याय, मन्त्रद्वेषपराय च ॥
જે પાપી હોય, ક્રૂર હલનચલન કરનારે હોય, શઠ હોય, કૃપણ હોય, કંગાળ હોય, આચારશૂન્ય હોય અને મંત્રને દ્વેષ કરનાર હાય (તે તેને મંત્રદીક્ષા આપવી નહિ અર્થાત મંત્ર કે વિદ્યાનું દાન દેવું નહિ. આટલું અહીં પૂર્વ સંબંધથી સમજવાનું છે.)
જેમ શિષ્યમાં મંત્રગ્રહણની યોગ્યતા જોઈએ, તેમ ગુરુમાં મંત્ર આપવાની યોગ્યતા જોઈએ. તે અંગે શારદાતિલકમાં કહ્યું છે કે
मातृतः पितृतः शुद्धः, शुद्धभावो जितेन्द्रियः । सर्वागमानां सारज्ञः, सर्वशास्त्रतत्त्ववित् ॥ परोपकारनिरतो, जपपूजादि तत्परः ।
For Personal & Private Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
તંત્રશાસ્ત્ર અને મંત્રવિજ્ઞાન
योगमार्गार्थसद्धथायि, देवताहृदयंगमः ॥ इत्यादि गुणसंपन्नो गुरुरागमसंमतः ।।
જે માતાથી અને પિતાથી શુદ્ધ હોય, શુદ્ધ ભાવવાળ હોય, જિતેન્દ્રિય હોય, સર્વ આગમને અર્થાત્ તંત્રશાસ્ત્રોને સાર જાણતો હોય, સર્વ શાસ્ત્રોનાં તત્વને જ્ઞાતા હેય, પોપકારપરાયણ હય, જપ-પૂજા વગેરે કરવામાં તત્પર હોય, એગમાર્ગની સિદ્ધિ માટે સધ્યાન કરનાર હિય અને ઉપાસ્ય દેવતા જેનાં હૃદયમાં રમી રહ્યા હોય, આવા અનેક પ્રકારના ગુણોવાળે હેય, તેને આગમે એ ગુરુપદને યોગ્ય માન્ય છે.”
જૈન અને બૌદ્ધ તંત્રે પણ આ વાતમાં સંમત છે કે પુસ્તક વાંચીને મંત્રજપ કરનારને મંત્રસિદ્ધિ થાય નહિ. મંત્રદાન એગ્ય વ્યક્તિને જ થવું જોઈએ અને તે ગ્ય ગુરુદ્વારા થવું જોઈએ.
તંત્રશાની આ વાત મહત્વની છે. કેઈ માણસ ઈજનેરી વિદ્યાનાં પુસ્તક વાંચીને જ ઈજનેર થવા માગે કે વૈદકીય પુસ્તક વાંચીને વૈદ્યરાજ-ડોકટર થવા માગે તે ક્યાં થઈ શકે છે? તે માટે તેમણે કઈ પણ વિદ્યાપીઠમાં– વિદ્યાલયમાં દાખલ થવું પડે છે અને તે માટે ખાસ પ્રવેશ મેળવવું પડે છે. જે વિદ્યાથી ચગ્ય ન હોય તેને એમાં પ્રવેશ મળતું નથી અને પ્રવેશ મેળવ્યા પછી વિદ્યાથી પિતે બરબર ભણે નહિ કે અધ્યાપક તેને બરાબર ભણાવે
નહિ તે એ સ્નાતક થતું નથી. આજની વિદ્યાપીઠેનું–આજનાં વિદ્યાલનું પ્રવેશધારણ બહુ સ્કૂલ છે, એટલે તેની તંત્ર
For Personal & Private Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
૪૪
તાનું તારણ શાસ્ત્ર-નિજિત મંત્રદીક્ષા સાથે સરખામણી થઈ શકે એમ નથી, પરંતુ તેમાં સિદ્ધાંત તે એ જ છે કે જે યોગ્ય હોય તેને વિદ્યાદાન કરવું.
આજે કેટલાક મોટી જાહેરાત વાંચીને મંત્રના પુસ્તકે લઈ આવે છે, તેમાંથી પિતાને અનુકૂળ પડે એ એકાદ મંત્ર પસંદ કરી લે છે અને તેને જાપ કરવા મંડી જાય છે. પરંતુ એ રીતે ઘણે જાપ કરવા છતાં જ્યારે મંત્રસિદ્ધિ થતી નથી, ત્યારે તેઓ કહે છે કે “આ તે પાણી લેવું. આમાં કંઈ સાર નથી. મંત્ર-તંત્ર બધા બેટા છે.” અને તેઓ આસન ઉઠાવી ઊભા થઈ જાય છે. પણ એ વિચારતા નથી કે પિતે વસ્તુની શરૂઆત જ બેટી રીતે કરી છે અને પિતાની એ વિષય માટે જે યોગ્યતા હોવી જોઈએ, તે ! તપાસવાની તસ્દી લીધી નથી.
કેટલાક કામનાપીડિત લેકે કઈ સાધુ, સંત કે ફકીરને જોઈ તેમની કેટલાક દિવસ સેવા કરે છે, પછી એકાંતમાં કામના પૂર્ણ કરનાર મંત્રની માગણી કરે છે અને એ સાધુ, સંત કે ફકીર તેને એક મંત્ર આપી તેને જપ કરવાનું કહે છે.
પરંતુ ઘણું દિવસ જપ કરવા છતાં તેનું કંઈ ફળ દેખાતું નથી, તેમાં પણ પિતાની કે મંત્ર આપનાર ગુરુની જ ખામી હોય છે. કેટલાકને તેનું થોડું ઘણું ફળ દેખાય છે, તેનું કારણ શ્રદ્ધા કે ભાવના છે, પણ તેની પૂર્ણ સિદ્ધિ તે -તંત્રકથિત ઉપાય અજમાવ્યા સિવાય થતી જ નથી.
For Personal & Private Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
તંત્રશાસ્ત્ર અને મંત્રવિજ્ઞાન
મંત્રને વિષય ઘણે ગૂઢ છે અને તેમાં નાની મેટી અનેક ક્રિયાઓ કરવાની હોય છે, તે બધાને બેધ માત્ર પુસ્તક દ્વારા થઈ શકે નહિ, એટલે પ્રત્યક્ષ ગુરુ સમાગમની જરૂર છે અને ગ્યતા વિના કેઈ કાર્ય ફળદાયી થતું નથી, એટલે શિષ્ય તથા ગુરુ બંનેની ગ્યતા અપેક્ષિત છે.
નિર્વાણકલિકા નામના જૈન તંત્રગ્રંથમાં ગૃહસ્થને મંત્રદીક્ષા કેવી રીતે આપવી? તેનું વિસ્તૃત વર્ણન છે. એ મંત્રદીક્ષા આપતી વખતે આચાર્ય એટલે ગુરુ તેને કેવી હિતશિક્ષા આપે છે તે જાણવા ગ્ય હોવાથી અહીં રજૂ કરીએ છીએ:
(૨) વાળને ન દુન્યા ! પ્રાણીઓને મારવા નહિ. (૨) અમૃત ન માત ! જૂઠું બોલવું નહિ. (३) परस्य द्रव्यं न ग्रहणीयात् । પારકાનું દ્રવ્ય ગ્રહણ કરવું નહિ. (૪) પરી જાતુ . પરસ્ત્રીની ઈચ્છા કરવી નહિ. () નિયતળિ વિતવ્યા નિયત પરિગ્રહથી જ ચલાવી લેવું. (૬) નાશૌચાલૂા. રાત્રે જમવું નહિ. (૭) મમતા િન મર્ ા , મઘમાંસ વગેરે ખાવા નહિ.
For Personal & Private Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
તંત્રનું તારણ (૮) રાશિ - રેત ! ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું નહિ.
આ મુખ્ય શિક્ષાઓ ઉપરાંત બીજી પણ કેટલીક શિક્ષાઓ અપાય છે. જેમકે – (१) त्रिर्द्विरेककाल वा भगवन्तं पूजयेत् ।
ત્રણ, બે અથવા એક કાલ ભગવાનની પૂજા કરવી. (૨) નમસ્યા જ કરે !
નમસ્કારને જાપ કરે. (३) यथाशक्ति अतिथिदीनानाथकृपणेभ्योऽन्नादिकमनुकम्पया
થાત્ | અતિથિ, દીન, અનાથ અને કંગાળને અનુકંપાબુદ્ધિથી
અનાદિક યથાશક્તિ આપવું. (४) पर्वसु विशेषपूजा गुरौ जिने च कुर्यात् ।
પર્વ દિવસમાં ગુરુ અને જિનની વિશેષ પૂજા કરવી. (૯) વારાહીન લી મનેતા
આચાર્ય વગેરેની સદા સેવા કરવી. ६) अष्टमीचतुर्दशीपञ्चदशीषु च स्त्रीतैलक्षुरकर्मवर्जयेत् चतुथमेकभक्त वा कुर्यात् ।।
અષ્ટમી, ચતુર્દશી અને પૂનમ એ દિવસોમાં સ્ત્રી, તેલ અને ક્ષૌરકર્મ (હજામત કરાવવી) ને છોડવા
અને ઉપવાસ કે એકાસણું કરવું. (७) कन्यायोनि गोयोनि नग्ना प्रकटस्तनी च स्त्रीं न पश्येत् ।
કન્યાની ચેનિ, ગાયની એનિ, નગ્ન કે ખુલ્લાં સ્તનવાળી સ્ત્રીને જેવી નહિ.
For Personal & Private Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
૪૭
તંત્રશાસ્ત્ર અને મંત્રવિજ્ઞાન (८) भीतत्रस्तावखिन्नविह्वल रोगिसमयज्ञजिनभक्तांश्च पालयेत्।
ભય પામેલા, ત્રાસ પામેલા, રસ્તામાં થાકી ગયેલા, વિહુવલ, રેગી, શાસ્ત્રના જાણકાર અને જૈન ધર્મને
અનુસરનારાઓનું પાલન કરવું. (૨) વચ્ચે ગુચ્ચે મિક્ષચેન્ન !
દેવદ્રવ્ય તથા ગુરુદ્રવ્યનું ભક્ષણ ન કરવું. (१०) स्मशानचत्व रैकवृक्षशून्यवेश्मदेवतादिगृहेषु मूत्राद्युत्सर्ग न
कारयेदिति ।
સ્મશાન, ચેક, એકલવૃક્ષ, શૂન્યગૃહ અને દેવતાદિનાં
ગૃહને વિષે મૂત્ર વગેરેને ઉત્સર્ગ કરે નહિ. (૨૨) નિતૈિઃ સહુ હરિ વચેતા સમાજથી નિંદાયેલાઓની સાથે સંસર્ગાદિક કરે નહિ.
મંત્રદીક્ષા પછી તંત્રગ્રંએ મંરચેતન્યને વિષય સ્પ છે. તે અંગે તેમણે કહ્યું છે કે–
अन्धकारगृहे यद्वन्न किंचित् प्रतिभासते । दीपनीरहितो मन्त्रस्तथैव परिकीर्तितः ॥
અંધકારમય ગૃહમાં જેમ કંઈ પણ દેખી શકાતું નથી, તેમ મંત્રચિતન્ય થયા સિવાય મંત્રજપ કરવાથી કઈ દેખી શકાતું નથી. અર્થાત્ કંઈ પણ ફળ પ્રાપ્તિ થતી નથી.”
मन्त्रार्थ मन्त्रचतन्यं, योनिमुद्रां न वेत्ति यः। शतकोटिजपेनापि, तस्य विद्या न सिध्यति ॥
જે મંત્રાર્થ, મંત્રચતન્ય અને નિમુદ્રા જાણતો નથી, તેને સે કોડ જપથી પણ વિદ્યા સિદ્ધ થતી નથી.”
1
છડી ?
For Personal & Private Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
તંત્રનું તારણ
मन्त्राचैतन्यसंयुक्ताः सर्वसिद्धिकराः स्मृताः। चैतन्यरहिता मन्त्राः प्रोक्ता वर्णास्तु निष्फलाः ।।
ચેતન્યયુક્ત હોય તે જ મંત્ર ગણાય અને એવા મંત્રે જ સિદ્ધિ કરનારા હોય છે. તે વગરના મંત્ર કેવળ જડ અક્ષરે છે અને પરિણામે તે ફળતા નથી”
મંત્રમૈતન્યને માટે પુરશ્ચરણને વિધિ છે. તે માટે નિત્ય ત્રિકાલપૂજા, જપ, તર્પણ, હોમ વગેરે કરવાનાં હોય છે. એક તંત્રગ્રંથમાં કહ્યું છે કે
मणिपुरे सदा चिन्ता मन्त्राणां प्राणरूपकम् ।
મંત્રના પ્રાણરૂપ મણિપુર ચક્રમાં સદા ચિંતન કરવું.” આજે તે મંત્રદાતાઓને પિતાને પણ ચક કેટલાં? અને તે ક્યાં આવ્યાં તેનું પુરું જ્ઞાન નથી, તે સાધકની વાત જ શી કરવી ?
તંત્રશાસ્ત્રોએ માનવશરીરને સૂક્ષમ અભ્યાસ કરીને છ ચકો નક્કી કર્યા છે. તેમાંનું પ્રથમ ચક મૂલાધાર છે, તે ગુદાની ઉપર અને લિંગમૂળની નીચે સુષુણ્ણા નાડીનાં મુખમાં સંલગ્ન છે. બીજું સ્વાધિષ્ઠાન ચક લિંગમૂલમાં રહેલું છે. ત્રીજું મણિપુર ચક નાભિનાં મૂળમાં છે. ચોથું અનાહત ચક હૃદયમાં રહેલું છે. પાંચમું વિશુદ્ધ ચક કંઠમાં સ્થિત છે અને છહું આજ્ઞાચક આંખની બંને ભ્રમરેની વચ્ચે આવેલું છે. આ છ ચક્રો પિકી મૂલાધાર ચક્રમાં કુંડલિની શક્તિ રહેલી છે. તે વિધિ અનુસાર ક્રિયા કરતાં જાગ્રત થઈને ઉપર આવે છે. આ રીતે જ્યારે તે છે ચકને ભેદ કરે છે, ત્યારે બ્રહ્મરંધ્રમાં રહેલાં સહસ્ત્રાર કમ
For Personal & Private Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
તંત્રશાસ્ત્ર અને મંત્રવિજ્ઞાન લદલમાં રહેલ શિવ એટલે આત્માનાં શુદ્ધ સ્વરૂપને ભેદે છે. આ ષકભેદનને વિસ્તાર તંત્રગ્રંથમાં ઘણે છે અને તે માટે કેટલાંક સ્વતંત્ર પુસ્તક પણ લખાયેલાં છે. અંગ્રેજી ભાષા જાણનારાઓએ તે માટે આર્થર એવેલેનનું લખેલું “ધી સસ્પેન્ટ પાવર” નામનું પુસ્તક અવશ્ય જેવું.
અહીં અમે એમ કહેવા ઈચ્છીએ છીએ કે મંત્રજપ કરનારમાં આ ચકોનું જ્ઞાન જરૂરી છે, જ્યારે કેઈ પણ મંત્રનું મણિપુરચક્રમાં એટલે નાભિકમળમાં ધ્યાન ધરવામાં આવે ત્યારે મંત્રમૈતન્ય પ્રકટ થાય છે. મંત્રાર્થ એટલે મંત્ર અને ઈષ્ટદેવતાનું શરીર અભિન્ન હવાની ભાવના. મંત્રચતન્ય એટલે મંત્રપદમાં શક્તિસંચાર.
કે તંત્રમાં એમ પણ કહ્યું છે કે “ મૂળમંત્રનું સુષુણ્ણા નાડીના મૂળદેશમાં જીવરૂપે ધ્યાન ધરવું, તેથી મંત્રાર્થ અને મંત્રચેતન્ય પ્રકટ થાય છે.”
તંત્રએ જે બીજી મહત્વની વાત કરી છે, તે પણ આપણે લક્ષમાં રાખવા જેવી છે. કુલાર્ણવતંત્રમાં કહ્યું છે કે –
मनोऽन्यत्र शिवोऽन्यत्र शक्तिरन्यत्र मारुतः । न सिद्ध्यति वरारोहे कल्पकोटिशतैरपि ॥
“હે શ્રેષ્ઠ વાહનવાળી! મન, શિવ, શક્તિ અને વાયુ એ જૂદા જૂદા હશે તે કેટ કેલ્પ વ્યતીત થવા છતાં મંત્ર સિદ્ધ થશે નહિ. તાત્પર્ય કે એ વખતે મન, આત્મા, મંત્ર અને વાયુ એ ચારેને વેધ થવું જોઈએ. એ ચારે એકાકાર થવા જોઈએ.’
૪
For Personal & Private Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
૫૦
તંત્રનું તારણ
આજે ગુરુદત્ત મંત્રેની ગણના કરતી વખતે કેવી સ્થિતિ હોય છે? આંગળીઓ માળા ફેરવતી હોય છે, હોઠ હાલતા હોય છે અને મન કયાંય ભટકતું હોય છે. થોડા મંત્ર બોલ્યા કે મનમાં જુદે વિચાર આવે છે. એ રીતે ચિત્તનું થોડું પરિભ્રમણ થતાં માળાના કેટલા મણકા પસાર થઈ ગયા, તેનું પણ ભાન રહેતું નથી. પાછું યાદ આવે છે કે હું માળા ગણતું હતું અને મનને સ્થિર કરવાના પ્રયત્ન થાય છે. આમ એક માળા પણ વિધિસર બરાબર ગાણાતી નથી, ત્યાં સિદ્ધિની આશા શી રીતે રખાય? અલબત્ત, તેમાં થોડી ભાવશુદ્ધિને લાભ મળે છે.
અહીં એ પણ કહેવું જોઈએ કે તંત્રગ્રંથાએ માળા સંબંધી ખૂબ વિચાર કર્યો છે અને માળા કઈ વસ્તુની બનેલી હોવી જોઈએ, તે કેમ ફેરવવી જોઈએ, તથા કઈ દિશામાં મુખ રાખીને ફેરવવી જોઈએ ? વગેરે બાબતે
સ્પષ્ટ જણાવેલી છે. તેમાં આપણે સમજવાનું એટલું છે કે કઈ પણ કામ્ય કર્મ કરવું હોય તે વિશિષ્ટ જપમાળાને ઉપયોગ કરે, નહિ તે હાથનાં આંગળાથી જ તેની ગણના કરવી. તે માટે જૈન શાસ્ત્રોમાં નંદાવર્ત, શંખાવર્ત વગેરેને વિધિ બતાવેલ છે.
તંત્રશાસ્ત્રોએ મંત્રજપ કરતી વખતે ધ્યાનમાં રાખવા યોગ્ય અનેક બાબતેનું નિરૂપણ કર્યું છે. જેમકે શૌચ, કપાટભંજન, પ્રાણાયામ, મંત્રશિખા, જિહ્વાશોધન, કલ્કા, મહાસેતુ, સેતુ, મુખશોધન, જિહુવાધન, કરશોધન, પેનિ
For Personal & Private Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
તંત્રશાસ્ત્ર અને મંત્રવિજ્ઞાન
૫ મુદ્રા, નિવાણું, પ્રાણતત્વ, પ્રાણગ, દીપની, અમૃતગ, મંત્રચિંતા, ઉત્કલન વગેરે.
મંત્રાધિરાજ નામના મહાન જૈન તંત્રગ્રંથમાં જપના ૧૩ ભેદ બતાવ્યા છે; તે ખૂબ સમજવા જેવા છે. આ ઉપરાંત તંત્રગ્રંથમાં ભૂતશુદ્ધિ, ષડંગન્યાસ, સકલીકરણ, આત્મરક્ષા, યંત્રપૂજન, મંડલ, મુદ્રા, પ્રાર્થના, આસન, હેમ, જપ, તર્પણ, ધ્યાન, ઈષ્ટદેવતાનું પૂજન તથા મહાપૂજન વગેરે અનેક બાબતેનાં વર્ણન હોય છે.
તાંત્રિક ઉપાસનાને મુખ્ય સૂર એ છે કે “રેવો મૂવા રેવં ચતુ, નવો વિમ–દેવ થઈને દેવની પૂજા કરવી, કારણ કે દેવ થયા વિના દેવનું અર્ચન થતું નથી.”
કોઈને આમાં વિરોધાભાસ પણ લાગે કે “દેવ થયા પછી દેવની પૂજા કરવાની જરૂર શી? અને દેવ થયા વિના દેવનું અર્ચન થતું ન હોય તે મનુષ્ય દેવનું અર્ચન ક્યારે કરી શકે ? પરંતુ અહીં કહેવાનું તાત્પર્ય એવું છે કે મનુષ્ય જે ઈષ્ટદેવતાનું પૂજન કરવું હોય તેનાં સ્મરણજપ-ધ્યાનમાં ચિત્તને એવું પરેવી દેવું કે તે ચિત્ત દેવમય થઈ જાય અને ત્યારે જ ઈષ્ટદેવની સાચી પૂજા થઈ ગણાય. જે આ રીતે ચિત્તને દેવત્વ પમાડતા નથી, તે સાચા અર્થમાં દેવતાનું પૂજન કરી શકતા નથી.
તાંત્રિકે દેવતાઓની પૂજાને જે વિધિ ખીલ છે, તે પણ ધ્યાનમાં રાખવા જેવું છે. તેમાં પોપચાર,
For Personal & Private Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
તંત્રનું તારણ અષ્ટાચાર, યાવત્ એકસો ને આઠ ઉપચાર હોય છે અને તેથી ભાવનાની અત્યંત વૃદ્ધિ થાય છે. ૭–પંચમકારની સાધનાનો નિષેધ - પંચ-મકારની સાધના એટલે મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા અને મૈથુન એ પાંચની સાધના. શાક્ત અને બૌદ્ધ તંત્રસાધનામાં તેને પ્રચાર છે અને તેથી જ તંત્રવાદ ઘણે નિંદાયે છે. જો કે તેમાં પણ ઉચ્ચ કેટિના તંત્ર સાધકે તેનો નિષેધ કરે છે. કુલાર્ણવતંત્રમાં કહ્યું છે કે –
मद्यपानेन मनुजो यदि सिद्धिं लभेत वै। मद्यपानरताः सर्वे सिद्धिं गच्छतु पामराः ॥ मांसभक्षणमात्रेण यदि पुण्यमतिर्मवेत् । लोके मांसाशिनः सर्वे पुण्यभाजो भवन्त्विह ।। स्त्रीसम्भोगेन देवेशि यदि मोक्षं ब्रजन्ति वै । सर्वेऽपि जन्तवो लोके मुक्ताः स्युः स्त्रीनिषेवणात् ॥
જે મધપાનથી મનુષ્ય સિદ્ધિ પામતું હોય તે મદ્યપાનમાં મસ્ત બનેલા સર્વે પામ સિદ્ધિમાં જાય.
જે માંસ ભક્ષણમાત્રથી ઘણું પુણ્ય થતું હોય તે સર્વે માંસભક્ષી લેકો જરૂર પુણ્યશાળી બને.
અને હે દેવી! સ્ત્રીસંગથી મેક્ષમાં જવાતું હોય તે સ્ત્રીનાં સેવનથી આ જગતના સર્વે પણ છે મુક્ત બની જાય.”
અન્ય તંત્રમાં પણ આ વસ્તુ પર પ્રહારો થયેલા છે. પણ વિષયાસક્ત લેકે આ પંચમકારને સ્કૂલ અર્થ ગ્રહણ કરીને તેનું સેવન કરવા તત્પર થાય છે.
For Personal & Private Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
જૈનતંત્રના દેવી-દેવતાઓ
પ
જૈન તંત્રસાધના આ પાંચ મકાનમાં બિલકુલ માનતી નથી, એ તે તેની મંત્રદીક્ષા સમયના ઉપદેશથી જ જણાઈ આવે છે. જૈન તંત્રસાધનાનું સામાન્ય છેરણ એ છે કે કઈ પણ મંત્ર કે વિદ્યાનું સાધન કરવું હોય તે ઉપવાસ કે આયંબિલ કરવા. આ વખતે બ્રહ્મચર્ય પાળવાનું પણ ફરજિયાત હોય છે. અને તે જ કારણે રેશમ કે રૂની તળાઈમાં ન સૂતા સેંય પર ચટાઈ કે પાટ બીછાવીને સૂવાનું સૂચન છે. વળી મંત્રદીક્ષા સમયના ઉપદેશમાં એ વસ્તુ પણ કહેવામાં આવી છે કે કોઈ પણ સ્ત્રીને નગ્ન રૂપે કે તેનાં સ્તન ખુલ્લાં હોય ત્યારે જેવી નહિ, તેમજ કન્યા અને ગાયની યોનિનું નિરીક્ષણ કરવું નહિ. આ ઉપરથી બ્રહ્મચર્ય વિષે તેનું ધેરણ કેટલું કડક છે, તે સમજી શકાશે.
૮–જૈનતંત્રના દેવી-દેવતાઓ
પ્રાચીન કાળમાં જૈન મંત્રસાધકશ્રી, હી, ધુતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી એ છ દેવીઓની સાધના કરતા હતા, એમ શ્રી ભગવતીસૂત્ર વગેરેમાં આવતા ઉલ્લેખ પરથી સમજાય છે. વળી એક કાળે તીર્થકરની માતાઓની પણ ખાસ પૂજા-ઉપાસના થતી હશે, એમ ચિંતામણિકલ્પ વગેરેમાં આવતાં વિધાને પરથી જાણી શકાય છે.
પરંતુ વિશેષ કરીને તે જૈન તંત્રસાધકે સેળ વિદ્યા દેવીઓની તથા તીર્થકરના યક્ષ-યક્ષિણીઓ એટલે કે શાસનદેવ અને શાસનદેવીઓની સાધના કરે છે.
For Personal & Private Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
૪
તંત્રનું તારણ સેળ વિદ્યાદેવીઓનાં નામ ૧ રહિણી, ૨ પ્રજ્ઞપ્તિ, ૩ વ ખલા, ૪ વજાંકુશી, ૫ અપ્રતિચકા, ૬ પુરુષદત્તા, ૭ કાલી, ૮ મહાકાલી, ૯ ગેરી, ૧૦ ગાંધારી, ૧૧ સસ્ત્રા-મહાવાલા, ૧૨ માનવી, ૧૩ વૈરેટયા, ૧૪ અછુપ્તા, ૧૫ માનસી, ૧૬ મહામાનસી.
આ દેવીઓનાં વાહન, વર્ણ તથા ભુજાઓ વગેરેનું વર્ણન નિર્વાણકલિકામાં આપેલું છે.
૨૪ તીર્થકરનાં યક્ષ—ક્ષિણ તીર્થકર યક્ષ
યક્ષિણી ૧ શ્રી ત્રાષભદેવ ગેમુખ અપ્રતિચકો-ચકેશ્વરી) ૨ શ્રી અજિતનાથ મહાયક્ષ અજિતા ૩ શ્રી સંભવનાથ ત્રિમુખ દુરિતા ૪ શ્રી અભિનંદન ઈશ્વર કાલિકા ૫ શ્રી સુમતિનાથ તુંબરૂ મહાકાલી ૬ શ્રી પદ્મપ્રભ કુસુમ અયુતા ૭ શ્રી સુપાર્શ્વનાથ માતંગ શાંતાદેવી ૮ શ્રી ચંદ્રપ્રભ - વિજય ભટિ
(જવાલામાલિની) ૯ શ્રી સુવિધિનાથ અજિત સુતારા ૧૦ શ્રી શીતલનાથ બ્રહ્મ અશેકા ૧૧ શ્રી શ્રેયાંસનાથ ઈશ્વર માનવી (શ્રીવત્સા) ૧૨ શ્રી વાસુપૂજ્ય કુમાર પ્રચંડા (ચંડા) ૧૩ શ્રી વિમલનાથ ષમુખ વિદિતા (વિજ્યા) ૧૪ શ્રી અનંતનાથ પાતાળ. અંકુશા
For Personal & Private Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
૫૫
જૈનતંત્રના દેવી-દેવતાઓ ૧૫ શ્રી ધર્મનાથ ૧૬ શ્રી શાંતિનાથ ૧૭ શ્રી કુંથુનાથ
ગરુડ ગાંધર્વ
કુબેર
૧૮ શ્રી અરનાથ યક્ષેન્દ્ર ૧૯ શ્રી મલ્લિનાથ ૨૦ શ્રી મુનિસુવ્રત વરુણ ૨૧ શ્રી નમિનાથ ભ્રકુટિ ૨૨ શ્રી અરિષ્ટનેમિ ૨૩ શ્રી પાર્શ્વનાથ પાર્થ ૨૪ શ્રીમહાવીરસ્વામી માતંગ
કંદર્પો (પ્રજ્ઞપ્તિ) નિર્વાણી બલા (અય્યતાઅશ્રુતબલા) ધારિણી વિટયા વરદત્તા (અછુપ્તા) ગાંધારી કુષ્માંડી (અંબિકા) પદ્માવતી સિદ્ધાયિકા
આ યક્ષ-યક્ષિણનાં વાહન, વર્ણ, ભુજાઓ વગેરેનું વર્ણન નિર્વાણલિકા વગેરે ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. તે દરેકના ખાસ મંત્ર-યંત્રે છે અને તેમને ખાસ ઉપાસના વિધિ છે. આ યક્ષ–યક્ષિણીઓ પૈકી ચકેશ્વરી, જ્વાલામાલિની, કુષ્માંડી (અંબિકા) અને પદ્માવતીની ઉપાસના વિશેષ થાય છે. તેના ખાસ કલ્પ છે.
ઉપરાંત મૃત દેવતા અને સરસ્વતીની આરાધના પણ પ્રચલિત છે. કેટલાક વ્યંતર અને ૬૪ ગિનીનું સાધન પણ કરે છે તથા શ્રી માણિભદ્ર અને ઘંટાકર્ણની ઉપાસના પણ કરે છે. પરંતુ ઘંટાકર્ણ એ જૈન તંત્રએ માનેલ દેવ નથી. ઘણે ભાગે બૌદ્ધ મતે માનેલ દેવ છે, પણ કેણ જાણે તેની પૂજા ગતાનગતિક પ્રવાહથી આજે ચાલી રહી છે!
For Personal & Private Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
તંત્રનું તારણ ૯–જિન ભંડારમાં મળતા તંત્રગ્રંથોની યાદી
(૧) નમસ્કારમંત્રક૯૫ (૨) પંચનમસ્કારકલ્પ (૩) પંચપરમેષ્ઠિ–મહામંત્ર-યંત્ર-તંત્ર-બૃહત્કલ્પ () મયૂરવાહિની વિદ્યા (૫) ચંદ્રપ્રભ વિદ્યા (૬) ચંદ્રપન્નતિમંત્ર-સાધના (૭)
કારકલ્પ (૮) વ્હીકારક૫ (૯) ઉવસગ્ગહરકલ્પ (૧૦) સંતિક—સ્તવન–આમ્નાય (૧૧) તિજયપહત્ત તેત્ર-આમ્નાય (૧૨) સત્તરિસય-યંત્રવિધિ (૧૩) નમિઊણ-કલ્પ (૧૪) ભક્તામર–કલ્પ (૧૫) કલ્યાણમંદિર–કલ્પ (૧૬) લેગસકલ્પ (૧૭) શકસ્તવ-કલ્પ (નમંત્થણું–કલ્પ) (૧૮) ચિંતામણિકલ્પ (૧૯) ચિંતામણિકલ્પસાર (૨૦) ચિંતામણિ– સંપ્રદાય (૨૧) ચિંતામણિમન્નાખ્યાય (૩૨) ચિંતામણિમન્નપદ્ધતિ (૨૩) મંત્રાધિરાજકલ્પ (૨૪) અટ્ટમહેં– મંત્રકલ્પ (ત્રિભુવનવિજયપતાકાયંત્ર) (૨૫) ધરણારગેન્દ્ર-સ્તવકલ્પ (૨૬) કલિકુંડ યંત્ર-મંત્ર–કલ્પ (૨૭) કલિકુંડ આરાધના (૨૮) શ્રી પાર્શ્વનાથ-કલ્પદ્રુમ-મંત્રા—ાય (૨૯) શીઘસંપત્તિકરપાર્શ્વનાથ મંત્ર (૩૦) પાર્શ્વનાથ–મંત્રારાધના (૩૧) જીરાઉલીયા પાર્શ્વમંત્ર–કલ્પ (૩૨) પાર્શ્વ– સ્તમ્ભની વિદ્યા (૩૩) વશ્યકર-ગૌરી–ગાંધારી–પાશ્વયંત્ર (૩૪) ઉવસગ્ગહર–પાશ્વયંત્ર (૩૫) વિષાપહાર-પાર્શ્વયંત્ર (૩૬) પુત્રકર–પાશ્વયંત્ર (૩૭) સર્વકાર્યકર-જગવલ્લભ–પાશ્વયંત્ર (૩૮) સંતિકર–પાશ્વયંત્ર (૩૯)વાદવિજયકર-પાર્શ્વયંત્ર (૪૦) પાન્ધચકમંત્ર (૪૧) રાષભચક મંત્ર (૪૨) અરિષ્ટનેમિચક્રમંત્ર (૪૩) વર્ધમાનચકમંત્ર (૪૪) સીમંધરમંત્ર (૪૫) ધરણેન્દ્રલક્ષ્મીકરમંત્ર (૪૬) ધરણેન્દ્રકષ્ટાપહારમંત્ર (૪૭) રક્ત
For Personal & Private Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
તંત્રગ્રંથોની યાદી
૫૭
પદ્માવતીકલ્પ (૪૮) રક્તપાવતી–વૃદ્ધપૂજનવિધિ (૪૯) શૈવાગત પદ્માવતી પૂજન, રક્ત પદ્માવતી, હંસ પદ્માવતી, સરસ્વતી પદ્માવતી, સબરી પદ્માવતી. (૫૦) કામેશ્વરી પદ્માવતી –મંત્રસાધના (૫૧) ભરવીપદ્માવતીમંત્ર-સાધના (૫૨) ત્રિપુરા પદ્માવતી મંત્ર-સાધના (૫૪) નિત્યપદ્માવતી મંત્ર-સાધના (૫૪) પદ્માવતદીપાવતાર (૫૫) પદ્માવતીકજજલાવતાર (૫૬) મહામહિની પદ્માવતી વિધા (૫૭) પુત્રકરપદ્માવતી મંત્ર (૫૮) પદ્માવતી-તેત્રકલ્પ (૫૯) પદ્માવતી સ્વપ્ન મંત્રસાધન (૬૦) પદ્માવતી–કલ્પલતા (૬૧) પદ્માવતી-મંત્ર ક૯પ (મેરૂતુંગ તથા બીજાઓના) (૬૨) શત્રુભયનાશિની પાર્શ્વવિદ્યા (૨૩) પરવિદ્યાદિની પાર્શ્વવિદ્યા (૬) સૂરિમંત્રકલ્પ (૫) વદ્ધમાનવિદ્યાકલ્પ (૬૬) ગાંધારવિદ્યાકલ્પ (૬૭) ચતુર્વિશતિતીર્થકરવિદ્યા (૬૮) વિદ્યાનુશાસન (૬) સુરપાણિવજપાણિતંત્ર (૭૦) ચકેશ્વરી (અપ્રતિ ચકા)કલ્પ (૭૧) અંબિકા(કુષ્માંડી)કલ્પ (૭૨) જવાલામાલિની(જવાલિની)કલ્પ (૭૩) સિદ્ધાયિકા (કામચંડાલિની) કલ્પ (૭) કુરુકુલ્લામંત્રસાધન (૭૫) પંચાંગુલિકાકલ્પ (૭૬) પ્રત્યંગિરાકલ્પ (૭૭) ઉચ્છિષ્ટચાંડાલિની મંત્રસાધન (૭૮) કર્ણપિશાચિની-મંત્રસાધના (૭૯) ચકેશ્વરીસ્વપ્ન-મંત્રસાધન (૮૦) સ્વપ્નાવતીમંત્રસાધન (૮૧) અંબિકામંત્રસ્વપ્નસાધન (૮૨) અંબિકાઘટ–દર્પણ-જલ દીપાવતાર (૮૩) મૃતદેવતાઘટાવતાર (૮૪) શાસનદેવી મંત્ર (૮૫) શ્રી કષભવિદ્યા (૮૬)શ્રી શાંતિનાથ વિદ્યા (૮૭) શાંતિદેવતામંત્રસાધન (૮૮) ધાણસામંત્ર (૮૯) અપરાજિતા
For Personal & Private Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૮
તંત્રોનું તારણ મહાવિદ્યા (૯૦) ગાપહારિણી વિદ્યા (૧) વાસુપૂજ્ય વિદ્યાસ્નાય (૨) અષ્ણુપ્તા મંત્ર () બ્રહ્નચ્છતિમંત્ર (૯૪) ગજમુખયક્ષમત્ર (૫) પડશવિદ્યાદેવી મંત્ર (૬) ભારતીકલ્પ (૭) વાગ્યાદિની કલ્પ (૮) સારસ્વત મહાવિદ્યા (૯) શ્રુતદેવતા વિદ્યા (૧૦૦) અપરાજિતા વિદ્યા(૧૦૧) શ્રીદેવીકલ્પ (૧૦૨) લક્ષ્મીમંત્ર (૧૦૩) મહાલક્ષ્મીમંત્ર (૧૦) ગિનીમંત્રસાધન (૧૫) યક્ષિણી–મંત્રસાધન (૧૦૬) સિદ્ધચકકલ્પ (૧૦૭) હો મંડલકલ્પ (૧૦૮) શ્રી વિદ્યાકલ્પ (૧૦૯) બ્રાવિદ્યાકલ્પ (૧૧૦) મણિભદ્રકલ્પ (૧૧૧) ઘંટાકર્ણ કલ્પ (૧૧૨) ઉગ્રવિદ્યાકલ્પ (૧૧૩) ક્ષેત્રદેવતા-મંત્રસાધન (૧૧) કૃષ્ણગૌર–ક્ષેત્રપાલ મંત્રસાધન (૧૧૫) બોડીયા-ક્ષેત્રપાલ-મંત્રસાધન (૧૧૬) ભરવ મંત્રસાધન (૧૧૭) બટુકભરવ-મંત્રસાધન (૧૧૮) સ્વર્ણાકર્ષણ ભરવ–મંત્રસાધન (૧૧૯) ચતુષઝિગિનીમંત્ર (૧૨) શ્રીગૌતમસ્વામીમંત્રસાધન (૧૨૧) શ્રી વજાસ્વામીમંત્રસાધન (૧૨૨) શ્રી જિનદત્તસૂરિમંત્રસાધના (૧૨૩) શ્રી જિનકુશલસૂરિમંત્રસાધન (૧૨) શ્રી જિનચંદ્રસૂરિમંત્રસાધન (૧૫) શ્રી હેમચંદ્રાચાર્યકૃત મંત્ર (૧૬) પંચપીરસાધન (૧૨૭) જ્ઞાનાર્ણવમંત્ર (૧૨) વીશાકલ્પ (૧૨૯) પંડરિકાકલ્પ (૧૩૦) ઉવસગ્ગહર તેત્રની વિવિધ વૃત્તિઓ (૧૩૧) સર્વકાર્યકર-ચતુર્વિશતિયંત્ર (૧૩૨) પાંસઠીયા-કલ્પ (૧૩૩) તેરિયા-કલ્પ (૧૩૪) વિજ્યયંત્રકલ્પ (૧૩૫) વિજ્યપતાકા-કલ્પ (૧૩૬) જૈનપતાકાકલ્પ (૧૩૭) અર્જુનપતાકા-કલ્પ (૧૩૮) હનુમાન
For Personal & Private Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
તંત્રગ્રંથોની યાદી
૫૯
પતાકા-કલ્પ (૧૩૯) ગેલેક્યવિજ્ય-ચંદ્ર (૧૪૦) ઘંટાર્ગલાયંત્ર (૧૪૧) વજીપંજર-મહાયંત્રકલ્પ (૧૪૨) વાપંજરારાધના (૧૪૩) મૃત્યુંજયસાધન (૧૪૪) ચંદ્રકલ્પ (જગતું શેઠવાળે) (૧૪૫) સંખ્યાના યંત્રે (૧૪૬) ઔષધિ ક. (વેતાર્ક, શ્વેતગુંજા, અપરાજિતા, રુદન્તી, મયૂરશિખા, સહદેવી, શિયાલશૃંગી, માજારી.) (૧૪૭) મંત્રાવલી. (૧૪૮) પ્રતિષ્ઠાક.
આ યાદીમાં જૈન તંત્રમાં નહિ મનાયેલા બીજા દેવ—દેવીઓની ઉપાસના વગેરેને પણ સમાવેશ છે, પરંતુ પતિવર્ગ તેની સાધના કરનારે હોવાથી તે અંગેનું સાહિત્ય પણ જૈન ભંડારમાં જોવામાં આવે છે અને તે પાઠકે જાણી શકે તે માટે જ અહીં અપાયેલ છે.
તમાંથી સાર ગ્રહણ કરી આપણી પૂજાપદ્ધતિ સુધારવી અને તેને આધ્યાત્મિક ઉન્નતિ અર્થે ઉપયોગ કરે, એવી અંતિમ અભ્યર્થના કરી આ નિબંધ પૂરે કરીએ છીએ.
0 રૂતિ રામ "
For Personal & Private Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
શાપરીઆ રેલીંગ શટર્સ.
શાપરીયાડોક એન્ડ સ્ટીલ કાં. પ્રા. લી. પરેલ રેડ, ક્રોસ લેન, મુંબઈ-૧૨ ટે.નં.૪૦૪૦૮
“ઉમેશગદર્શન
પ્રથમખંડ-ચાર ભાષામાં ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી
લેખક-યોગીરાજ શ્રી. ઉમેશચંદ્રજી. સંસ્થાપક અને સંચાલક: શ્રી રામતીર્થ યોગાશ્રમ, મુંબઈ-૧૪. આ ગ્રંથમાં રોગી, નિગી સ્ત્રી-પુરૂષોની તંદુરસ્તી સારી રાખવા માટે ૬ પ્રકારના મલશેધન કર્મ, આસન, માનાસક ઇલાજો, જલેપચાર, સૂર્યકિરણ ચકિત્સા, આહારચિકિત્સા વગેરે અનેક શક્તિવર્ધક અને રોગનિવારક સરળ અને સ ધ ઈલાજે બતાવ્યા છે. ૪૦૦ થી વધુ પૃષ્ઠો અને ૧૦૮
થી વધુ ફોટાઓ છે. આ પુસ્તકમાં ૩૫ વર્ષને પિતાને અનુભવ સ્વામીજીએ રજૂ કર્યો છે. બધાને યોગ્ય માર્ગદર્શન આપતું આ અજોડ પુસ્તક છે.
કિંમત રૂ. ૧૫/-, પોસ્ટેજ રૂા. ૨/- અલગ. શ્રી રામતીર્થ યાગાશ્રમ : દાદર, મુલાઈ-૧૪.
For Personal & Private Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
MENITH
.
UN
For Personal & Private Use Only
FIRE EXTINGUISHER
MANUFACTURER OF SODA ACID FOAM TYPE, CTC & CO2
DRY CHEMICAL EXTINGUISHER AND THEIR REFILLS OFFICE PHONE 265416 * MANUFACTURED BY FACTORY PHONE 70493
ZENITH FIRE SERVICES
166 DR. D. N. ROAD, BOMBAYI
Page #63
--------------------------------------------------------------------------
________________
ફોટોગ્રાફીનાં દરેક ક્ષેત્રે
આપની સેવામાં * લગ્ન મેળાવડા જ પાટઓ ધાર્મિક પ્રસંગે
તથા ક્રિયાઓ માટે ખાસ તસ્વીરકાર
જાનકી છડwજરાતી
ને ક્રાંતિરૉયકારીદો
* આર્ટીસ્ટ ટુડિઓ * કમલેશીયલ * પ્રાસંગિક
સીને તસ્વીરકાર
૯૮, કેશવજી નાયક શેડ, ચીંચ બંદર, બસ સ્ટોપ પાસે,
મુંબઈ નં. ૯
For Personal & Private Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
એ ક
અ
ભૂ ત પૂ વ
પ ક
શ
ન
श्री सिद्धचक्रबृहद्-यंत्र
સંશોધક, સંપાદક, સંયોજક પૂ. મુનિપ્રવર શ્રી યશોવિજયજી મહારાજ ઊંચા કાગળો, સુંદર બર્ડર, ત્રિરંગી સુશોભિત છપાઈ
કિં. રૂા. ૧-૨૫ ન.પ. આર્ટ કાર્ડ તથા રેશમના કાપડ ઉપર એક રંગી છપાઈ કિં. રૂા. રા
સેંકડે વર્ષના પ્રાચીન અને અર્વાચીન અનેક યંત્રોનું તથા મંત્રયંત્રવિષયક જૈન-અજેન ગ્રન્થનું અવલોકન કર્યા બાદ, ભારે પરિશ્રમને અંતે જૈનસંધને એક અતિ મહત્ત્વનું આવું અજોડ પ્રકાશન પ્રથમ જ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રીયતા, સંયોજન અને કલાના અપૂર્વ ત્રિવેણી સંગમનાં કારણે આની હરિફાઈ કઈ યંત્ર કરી શકે તેમ નથી.
આ યંત્રની કેટલીક વિશેષતાઓ. * લાંબા સમયથી ભૂલાયેલી અનિવાર્ય આવશ્યક નાર આકૃતિની
અ€ ઉપર થયેલી પુનઃ પ્રતિષ્ઠા. * લબ્ધિપદો તથા અન્ય નામોમાં ચાલી આવતી શાસ્ત્રીય અને
ભાષાની કેટલીક ક્ષતિઓનું પરિમાર્જન. ઝ કાર વિનાના આપેલા આઠ અનાહત. * અધિષ્ઠાયકવલયમાં શાસ્ત્રીય તથા પ્રાચીન અને અર્વાચીન પરંપરાને
સાચવીને કરેલે અતિ સુયોગ્ય અને અત્યુપયોગી ફેરફાર. * દિશાગત જ્યાદિ અને કંઠસ્થાને નવનિધિઓની કરેલી સ્થાપના. * યંત્રને ફરતું અત્યાવશ્યક ગણાતું સબીજ પૃથ્વીમંડલાલેખન.
આવી અનેકવિધ વિશેષતાઓથી સર્વાગ સુંદર પ્રકાશન છે. માટે જલ્દી વસાવી લેવા વિનંતિ છે.
આ યંત્ર જૈન સાહિત્ય મંદિર-પાલીતાણું તથા પાલીતાણા, અમદાવાદ અને મુંબઈના દરેક બુકસેલરને ત્યાંથી મળી શકશે..
For Personal & Private Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
===
====
@@
શ્રી આત્મા દ જૈ ન સભા ગેડીઝ જૈન દહેરાસર, ૧૨, પાયધુની, મુંબઈ-૩
આ સભાની સ્થાપના સં. ૧૯૯૭ના ચૈત્ર સુદ ૧ ના રોજ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીની પ્રેરણાથી મુંબઈમાં થયેલી છે. જૈનનાં ધાર્મિક, સામાજિક તેમજ ઐતિહાસિક સાહિત્યનું પ્રકાશન, જૈન મહાપુની જયંતિ ઉજવવી અને જૈન સેવાભાવી કાર્યકરો તૈયાર કરવા એ આ સભાનો મુખ્ય ઉદ્દેશ છે.
સમાજ સંગઠન, સાધર્મિક ભક્તિ, ભોજનાલય, વગેરે કાર્યો માટે સંસ્થા ખૂબ પરિભ ઉઠાવી રહેલ છે.
સભાનાં ઉપયોગી પ્રકાશન યુગવીર આચાર્ય ભાગ ૧ થી ૫ પ્રત્યેકના રૂ. ૨૫૦ જૈન તવાદશ ભા. ૧-૨
રૂ. ૬૦૦ શત્રજયમાહાભ્ય
રૂા. ૫=૦૦ આ સંસ્થાની છાયામાં આચાર્ય શ્રી વલ્લભસૂરિ સ્મારકનિધિની રચના થયેલી છે. તેમાં સમગી , ધર્મોપયોગી પ્રકાશનો થાય છે. નીચેનાં પુરતા પ્રકટ થઈ ચૂક્યાં છે ?
અંગ્રેજીમાં મહાવીર પ્રભુ તથા જૈનીઝમ
ગુજરાતીમાં અનુભવઝરણાં હિંદીમાં બંગાલકા આદિ ધર્મ આ સભા તરફથી વિજયવલ્લભ-સાધર્મિક પૈસાફંડની યોજના ચાલુ છે. તેમાંથી કેલેજમાં ભણતા વિદ્યાર્થીઓને પુસ્તકો, માંદાઓની માવજત માટે દવા તથા સાધામિકોને ભક્તિરૂપે અનાજ, રોકડ, ભેજનપાસ વગેરે અપાય છે. ટે. નં.
મળવાને સમયઃ ૭૩૧૫૬
કા થી ૧૧, ૧૧ થી ૪ [ આ સંસ્થાના સભ્ય બની સમાજ પ્રત્યેનું કર્તવ્ય અદા કરો. e===96 = = = = = =©©© © ===
6 % 86 865 =
હાલ
For Personal & Private Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________ With the best compliments of SRM Manufacturers of finest fabrics Printed Voiles Full Voiles Poplins Shirtings Lenos Lawns Dhoties SHREE RAM MILLS LIMITED Fergusson Road BOMBAY 13 SRT, 20 EVEREST Jain Education international on only