________________
તંત્રનું તારણ ફેરફાર કરવાની જોરદાર માગણી કરી રહ્યા હતા. તે માટે તેમની મુખ્ય દલીલ એ હતી કે અતિ કડક પણ નહિ અને અતિ શિથિલ પણ નહિ, એવા મધ્યમ માર્ગથી નિર્વાણ મળે છે, માટે આહારવિહાર વગેરેને લગતા જે કડક નિયમ હાલ અમલમાં છે, તેને ઢીલા કરવા. એ વખતે સંખ્યામાં આ વર્ગ નાનું હતું, એટલે તે પિતાના સિદ્ધાંતને ગુપ્ત રીતે પ્રચાર કરતો હતો, પણ ધીમે ધીમે તેની સંખ્યા મટી થતી ગઈ, એટલે તે સિદ્ધાંતને તેઓ ખુલ્લે પ્રચાર કરવા લાગ્યા અને એ રીતે મહાયાન શાખાને જન્મ થયે તથા કાળાંતરે તેમાંથી વજીયાન સંપ્રદાય ઊભું થવા પામ્યા.
આ વજીયાન સંપ્રદાયે નિર્વાણને અર્થ માત્ર શૂન્ય કે શૂન્ય અને વિજ્ઞાન ન કરતાં શૂન્ય, વિજ્ઞાન અને મહા સુખ પણ કર્યો અને પાંચ ધ્યાની બુદ્ધિ અને તેમના પરિવારની રજૂઆત કરી. આ પાંચ ધ્યાની બુદ્ધ બૌદ્ધ શાસ્ત્રપ્રણીત પાંચ પર પ્રભુત્વ ધરાવે છે, એમ પણ તેમણે જાહેર કર્યું. તેમાં રૂપસ્ક પર વિરેચનનું પ્રભુત્વ માન્યું, વેદનાસ્કધ પર રત્નસંભવનું પ્રભુત્વ માન્યું, સંજ્ઞાસ્કંધ પર અમિતાભનું પ્રભુત્વ માન્યું, સંસ્કારસ્કંધ પર અમેઘસિદ્ધિનું પ્રભુત્વ માન્યું અને વિજ્ઞાનસ્ક પર અક્ષભ્યનું પ્રભુત્વ માન્યું. વળી આ પાંચે ધ્યાની પર એક છઠ્ઠા વજીધર નામના બુદ્ધ માન્યા કે જેમાં એ પાંચેની શક્તિને સમન્વય કલ્પવામાં આવ્યું હતું. ઉપરાંત તેમણે અનેક દેવદેવીની ઉપાસના પણ દાખલ કરી અને તેમાંના કેટલાક દેને પિતાની શક્તિને આલિંગન દેતા હોય એવાં નગ્નબિભત્સરૂપે પણ ખડા કર્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org