________________
૩૭
બ્રમનિવારણ ઈચ્છતા હતા, તેમને માટે ગૌતમબુદ્ધ મંત્ર, મંડલ, મુદ્રા અને તંત્રને ઉપદેશ કર્યો હતે.
તે વખતે આ વસ્તુ કદાચ ખાનગી અને નાના પાયે હશે, પણ પછીના યુગમાં તેણે વેગ પકડ્યો અને તેમાંથી મહાયાન શાખાને તથા વજીયાન સંપ્રદાયને જન્મ થયે.
બૌદ્ધ ધર્મની મુખ્ય શાખાઓ બે છેઃ મહાયાન અને હીનયાન. તેમાં તિબેટ, ચીન, જાપાન વગેરે ઉત્તર ભાગના બૌદ્ધો મહાયાનમાં ગણાય છે અને સિલેન, બ્રહ્મદેશ વગેરે દક્ષિણ ભાગના બૌદ્ધ હીનયાનમાં ગણાય છે. મહાયાનને અર્થ છે-મહાન આદર્શને સ્વીકાર કરનારા એટલે કે સમસ્ત વિશ્વનાં હિત માટે પ્રયત્ન કરનારા અને હીનયાનને અર્થ છે-હીન આદર્શનો સ્વીકાર કરનારા એટલે કે માત્ર પોતાનાં નિર્વાણ કે અહપદને માટે પ્રયત્ન કરનારા. મહાયાનેએ પિતાને શ્રેષ્ઠ માનીને બાકીનાઓને આ નામ આપ્યું હશે અને તે કાળાંતરે રૂઢ થયું હશે એમ લાગે છે, કારણ કે રહીનયાને પિતે તે આવું નામ ધારણ કરે જ નહિ.
વિદ્વાનેનું એમ માનવું છે કે બૌદ્ધ ધર્મ શરૂઆતમાં ઉપર જણાવી તેવી હીનયાન વૃત્તિવાળો જ હતું, પણ બુદ્ધનાં પરિનિર્વાણ પછી એક કે બે સૈકા બાદ તેમનાં અનુયાયીઓમાં મેટે મતભેદ ઉત્પન્ન થયું. તેમાં સ્થવિરે એટલે વૃદ્ધ સાધુઓ એવા વિચારના હતા કે બુદ્ધ ભગવાને સંઘને માટે જે નિયમ-ઉપનિયમ ઘડ્યા છે, તેને જ બરાબર વળગી રહેવું, જ્યારે યુવાને શમણે એ નિયમમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org