________________
૩૬
તંત્રનું તારણ
કરી છે. પરંતુ સાધારણ લકે વ્યાપાર, રોજગાર, સ્ત્રી, પુત્ર, ધન આદિ વિષયમાં રચ્યાપચ્યા રહે છે. તેમનાં અંતઃકરણમાં અનેક વિષયેની લાલસા છે. એવા મનુષ્ય ઈશ્વરને જાણવા છતાં ઈશ્વરપ્રાપ્તિ ઈચ્છતા નથી. તેઓ ભગવાન કરતાં વિષયભેગને વિશેષ પ્રિય સમજે છે. તેમની વાસનાને આપણે ખ્યાલ ન રાખીએ તે તેઓ શ્રી હરિનું નામસ્મરણ કેમ કરે? તેથી જ તેમને વિષયભેગ ભેગવવા દઈને શ્રી હરિનું નામ મરણ કરવાની વ્યવસ્થા કરી છે. શ્રી હરિનાં નામને મહિમા અને પ્રતાપ એ છે કે તેઓ પ્રતિદિન ઘેડે થે સમય પણ તેનું સ્મરણ કરશે, તે તેમનું અંતઃકરણ પવિત્ર થતું જશે અને જેમ જેમ તેઓ શ્રી હરિના ગુણાનુવાદ, કથાવાર્તા, સત્સંગ અને નામાનુષ્ઠાન કરશે, તેમજ સત્સંગના પ્રતાપે વિષયભેગથી થતાં અનેક વ્યાધિઓ અને ઉપાધિઓનું જ્ઞાન પામશે, તેમ તેમ તેઓ પિતાની મેળે જ ધીમે ધીમે વિષયભોગને ત્યાગ. કરી સાત્વિક સાધનના માર્ગે ચાલતા થઈ જશે.”
બૌદ્ધ ધર્મમાં મંત્ર-તંત્ર
કેટલાક કહે છે કે “ગૌતમબુદ્ધ ધર્મને પ્રચાર મેટા પાયે કર્યો, પણ તેમણે લોકોને મંત્ર-તંત્રને ઉપદેશ આપે હોય, એવું જાણવામાં આવ્યું નથી. પરંતુ બુદ્ધ નૈયાયિક શાંતિરક્ષિત અને તેને શિષ્ય કમલશીલ તે સ્પષ્ટ કહે છે કે જે મનુષ્યને નિર્વાણની ઉત્કંઠા ન હતી અને સાંસારિક સુખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org